આપણે આપણા ગુરુઓની સલાહ મુજબ ખેતી કરવી જોઈએ અને પૃથ્વી માતાની રક્ષા કરવી જોઈએ. ગુરુ નાનક દેવજીના ઉપદેશોથી આગળ બીજું કશું જ નથીઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ સહિત દેશભરના હજારો વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ જોડાયા હતા.

ગુરદાસપુર પંજાબના ગુરવિંદરસિંહ બાજવાએ પ્રધાનમંત્રીને જણાવ્યું હતું કે, વિકસિત ભારતની યાત્રાનો સૌથી મોટો ફાયદો એ છે કે કૃષિ ક્ષેત્રમાં શક્ય તેટલો શ્રેષ્ઠ સોદો મેળવવા માટે ખેડૂતોએ નાના જૂથોમાં સંગઠિત થયા છે. તેમણે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી કે, ખેડૂતોનું તેમનું જૂથ ઝેરમુક્ત ખેતી પર કામ કરી રહ્યું છે અને એ માટે તેમને મશીનરી માટે સબસિડી મળી છે. આનાથી નાના ખેડૂતોને 'પરાલી' (પાકના અવશેષો) વ્યવસ્થાપનમાં અને જમીનના આરોગ્યમાં પણ મદદ મળી. શ્રી બાજવાએ સરકારની સહાયને કારણે ગુરદાસપુરમાં પરાલી સળગાવવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાની જાણકારી આપી હતી. આ વિસ્તારમાં એફપીઓ સંબંધિત પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે. કસ્ટમ હાયરિંગ સ્કીમ ૫૦ કેએમ ત્રિજ્યામાં નાના ખેડુતોને મદદ કરી રહી છે.

શ્રી બાવાએ ઉમેર્યું હતું કે, "હવે ખેડૂતને લાગે છે કે તેને યોગ્ય સમર્થન મળશે." જ્યારે ખેડૂતે પીએમને કહ્યું કે અપેક્ષાઓ 'મોદી હૈ તો મુમકિન હૈ' તરીકે વધારે છે, ત્યારે પીએમ મોદીએ કહ્યું કે તે શક્ય છે કારણ કે ખેડૂતો તેમની વિનંતીઓ સાંભળે છે. પ્રધાનમંત્રીએ સ્થાયી ખેતી માટે તેમની વિનંતીનો પુનરોચ્ચાર કર્યો હતો. "આપણે આપણા ગુરુઓની સલાહ મુજબ ખેતી કરવી જોઈએ અને પૃથ્વી માતાની રક્ષા કરવી જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કૃષિનાં ક્ષેત્રમાં ગુરુ નાનક દેવજીનાં ઉપદેશોથી વિશેષ કશું જ નથી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સંબંધમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "મોદી કી ગેરંટી કી ગાડી" ત્યાં સુધી અટકશે નહીં જ્યાં સુધી દરેક છેવાડાના લાભાર્થી સુધી નહીં પહોંચે."

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Not Just Optics: How PM Modi’s Boat Ride Draws On Bengal’s Cultural Memory

Media Coverage

Not Just Optics: How PM Modi’s Boat Ride Draws On Bengal’s Cultural Memory
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 એપ્રિલ 2026
April 24, 2026

Made in India, Built for 2047: PM Modi’s Reforms Turning Rural Hope into National Strength