ક્રમાંક

દસ્તાવેજનું નામ

ઉદ્દેશ્ય

1.

પ્રજાસત્તાક ભારતની સરકાર અને યુક્રેનની સરકાર વચ્ચે કૃષિ અને ખાદ્યાન્ન ઉદ્યોગનાં ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવા માટે સમજૂતી.

માહિતીનું આદાન-પ્રદાન, સંયુક્ત વૈજ્ઞાનિક સંશોધન, અનુભવનું આદાનપ્રદાન, કૃષિ સંશોધનમાં સહકાર, સંયુક્ત કાર્યકારી જૂથોની રચના વગેરે ક્ષેત્રોમાં સંબંધોને પ્રોત્સાહન આપીને કૃષિ અને ખાદ્ય ઉદ્યોગનાં ક્ષેત્રોમાં પારસ્પરિક લાભદાયક સહકારનું વિસ્તરણ કરવું.

2.

ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન અને યુક્રેનની સ્ટેટ સર્વિસ વચ્ચે તબીબી ઉત્પાદનોનાં નિયમનનાં ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા પર ઔષધિઓ અને ઔષધિ નિયંત્રણ પર સમજૂતીકરાર (એમઓયુ).

નિયમન, સુરક્ષા અને ગુણવત્તાનાં પાસાંઓમાં સુધારો સહિત તબીબી ઉત્પાદનો પર સહકાર સ્થાપિત કરવાની કલ્પના કરીએ છીએ, જે મુખ્યત્વે માહિતીનું આદાન-પ્રદાન, ક્ષમતા નિર્માણ, કાર્યશાળાઓ, તાલીમ અને મુલાકાતોનાં આદાન-પ્રદાન મારફતે સામેલ છે.

3.

હાઈ ઈમ્પેક્ટ કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે ભારતીય માનવતાવાદી ગ્રાન્ટ સહાય અંગે ભારતની સરકાર અને યુક્રેનના મંત્રીઓના મંત્રીમંડળ વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ).

આ એમઓયુ યુક્રેનમાં સામુદાયિક વિકાસ પરિયોજનાઓ માટે અનુદાન સહાયતા પ્રદાન કરવા માટે ભારત માટે માળખું તૈયાર કરશે. એચઆઈસીડીપી હેઠળ યુક્રેનનાં લોકોનાં લાભ માટે યુક્રેન સરકાર સાથે ભાગીદારીમાં પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે.

4.

વર્ષ 2024-2028 માટે પ્રજાસત્તાક ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને યુક્રેનની સંસ્કૃતિ અને માહિતી મંત્રાલય વચ્ચે સાંસ્કૃતિક સહકારનો કાર્યક્રમ.

તેનો ઉદ્દેશ ભારત અને યુક્રેન વચ્ચે સાંસ્કૃતિક સહકારને મજબૂત કરવાનો છે, જેમાં રંગભૂમિ, સંગીત, લલિત કળાઓ, સાહિત્ય, પુસ્તકાલય અને સંગ્રહાલય સાથે સંબંધિત બાબતોનાં ક્ષેત્રોમાં સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન તેમજ મૂર્ત અને અમૂર્ત સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ અને સંવર્ધન સામેલ છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian Embassy provided great assistance to get us out: Indian fishermen after returning to the country from Iran

Media Coverage

Indian Embassy provided great assistance to get us out: Indian fishermen after returning to the country from Iran
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 એપ્રિલ 2026
April 12, 2026

Trust, Technology & Transformation: How India is Building a Viksit Bharat Under PM Modi