ક્રમ |
સમજૂતી/સમજૂતી કરારનું નામ |
વિગત |
1. |
પ્રજાસત્તાક ભારત અને યુએઇ વચ્ચે વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારી પર સમજૂતી |
આ સામાન્ય માળખાકીય કાર્ય સમજૂતી છે, જે ઓગસ્ટ, 2015 અને ફેબ્રુઆરી, 2016માં બહાર પાડેલા ઉચ્ચ સ્તરીય સંયુક્ત નિવેદનોમાં સંમત થયા મુજબ વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ ઓળખ કરાયેલા દ્વિપક્ષીય સહકારના ક્ષેત્રોને સૂચવે છે. |
2.. |
સંરક્ષણ ઉદ્યોગના ક્ષેત્રમાં સહકાર પર પ્રજાસત્તાક ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય અને યુએઇ સરકારના સંરક્ષણ મંત્રાલય વચ્ચે થયેલા એમઓયુ (સમજૂતી કરાર) |
આ એમઓયુનો ઉદ્દેશ સંરક્ષણ ઉત્પાદન અને ટેકનોલોજીના ઓળખ કરાયેલા ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવાનો છે, જેમાં બંને દેશોના સરકારી અને ખાનગી ક્ષેત્ર વચ્ચે અભ્યાસો, સંશોધન, વિકાસ, નવીનતા અને સહકાર સામેલ છે. બંને પક્ષો શસ્ત્રો, સંરક્ષણ ઉદ્યોગો અને ટેકનોલોજીના હસ્તાંતરણના ક્ષેત્રોમાં સહકાર દાખવશે. |
3. |
દરિયાઈ પરિવહન પર સંસ્થાગત સહકાર પર પ્રજાસત્તાક ભારત અને યુએઇની સરકાર વચ્ચે એમઓયુ (સમજૂતી કરાર) |
આ એમઓયુ દરિયાઈ પરિવહન, કોન્ટ્રાક્ટ ધરાવતા પક્ષો વચ્ચે નાણાનું ફ્રી હસ્તાંતરણ અને જહાજોના દસ્તાવેજો પારસ્પરિક માન્યતા મારફતે દ્વિપક્ષીય દરિયાઈ વેપારી સંબંધો વધારવા માળખાકીય કાર્ય કરવું. |
4. |
તાલીમ, પ્રમાણપત્ર અને વોચ-કીપિંગ કન્વેન્શનના સ્ટાન્ડર્ડ (એસટીસીડબલ્યુ78) અને ત્યાંના સુધારાની જોગવાઈઓ મુજબ પ્રજાસત્તાક ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ અને યુએઇમાં ફેડરલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી – જમીન અને દરિયાઈ વચ્ચે એમઓયુ (સમજૂતી કરાર) |
આ એમઓયુ (સમજૂતી કરાર)નો ઉદ્દેશ મરીન ઓફિસર્સ, એન્જિનીયર્સ અને ક્રૂના પ્રમાણપત્રો અને સક્ષમતાની પારસ્પિક માન્યતા માટે માળખું સ્થાપિત કરીને દરિયાઈ આર્થિક પ્રવૃત્તિઓને વધારવી. |
5. |
માર્ગ પરિવહન અને રાજમાર્ગના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકાર પર પ્રજાસત્તાક ભારતના માર્ગ પરિવહન અને હાઇવેઝ મંત્રાલય અને યુએઇના ફેડરલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી, જમીન અને મેરિટાઇમ ક્ષેત્રો વચ્ચે એમઓયુ (સમજૂતી કરાર) |
આ એમઓયુનો ઉદ્દેશ ફ્રેઇટ લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ અને મૂલ્ય સંવર્ધિત સેવાઓમાં ટેકનોલોજી, સિસ્ટમ અને શ્રેષ્ઠ પદ્ધતિઓ મારફતે હાઇવેઝ અને માર્ગ પરિવહનના ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવાનો છે. |
6. |
માનવ તસ્કરીને નિવારવા અને મુકાબલો કરવા પ્રજાસત્તાક ભારત અને યુએઇની સરકાર વચ્ચે એમઓયુ(સમજૂતી કરાર) |
આ એમઓયુનો ઉદ્દેશ માનવ તસ્કરી, ખાસ કરીને મહિલાઓ અને બાળકો સંબંધિત તસ્કરી સાથે સંબંધિત નિવારણ, બચાવ અને તેમને સ્વદેશ પરત મોકલવાના મુદ્દા પર દ્વિપક્ષીય સહકાર વધારવાનો છે. |
7. |
પ્રજાસત્તાક ભારતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (એમઓએસએમએસઇ) મંત્રાલય અને યુનાઇટેડ આરબ અમિરાતના અર્થવ્યવસ્થા મંત્રાલય વચ્ચે લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (એમએસઇ) અને નવીનતાના ક્ષેત્રમાં સહકાર માટે એમઓયુ (સમજૂતી કરાર) |
આ એમઓયુનો ઉદ્દેશ સંયુક્ત પ્રોજેક્ટ્સ, સંશોધન અને વિકાસ તથા સંબંધિત પ્રવૃત્તિઓ સહિત એમએસએમઇ ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન આપવાનો છે. |
8. |
કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં પ્રજાસત્તાક ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અને યુએઇના આબોહવામાં ફેરફાર અને પર્યાવરણ મંત્રાલય વચ્ચે એમઓયુ (સમજૂતી કરાર) |
આ એમઓયુનો ઉદ્દેશ ફૂડ પ્રોસેસમાં સહકાર અને વાવણીની પદ્ધતિઓમાં ટેકનોલોજીના હસ્તાંતરણ મારફતે પરસ્પર રસના વિવિધ કૃષિ ક્ષેત્રોમાં સહકાર માટે માળખું વિકસાવવાનો છે. |
9. |
રાજદ્વારી, વિશેષ અને સત્તાવાર પાસપોર્ટ ધારકોની એન્ટ્રી વિઝા જરૂરિયાતોની પારસ્પરિક છૂટછાટ પર પ્રજાસત્તાક ભારતની સરકાર અને યુએઇ સરકાર વચ્ચે સમજૂતી કરાર |
આ સમજૂતી બંને દેશો વચ્ચે રાજદ્વારી, વિશેષ અને સત્તાવાર પાસપોર્ટ ધારકોને વિઝા ફ્રી મુસાફરીની સુવિધા આપે છે. |
10. |
પ્રોગ્રામ એક્સચેન્જમાં સહકાર માટે ભારતના પ્રસાર ભારતી અને યુએઇની અમિરાત ન્યૂઝ એજન્સી (ડબલ્યુએએમ) વચ્ચે એમઓયુ |
આ એમઓયુનો ઉદ્દેશ પ્રસારણ, કાર્યક્રમો, સમાચારો અને શ્રેષ્ઠ પદ્ધતિઓના પારસ્પરિક આદાનપ્રદાનના ક્ષેત્રમાં સહકાર મારફતે પ્રસાર ભારતી અને અમિરાત ન્યૂઝ એજન્સી (ડબલ્યુએએમ), યુએઇ વચ્ચે સંબંધો મજબૂત કરવાનો છે. |
11. |
પારસ્પરિક રસના ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન આપવા વેપાર પ્રોત્સાહક પગલા પર પ્રજાસત્તાક ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અને યુનાઇટેડ આરબ અમિરાતના આર્થિક મંત્રાલય વચ્ચે એમઓયુ (સમજૂતી કરાર) |
આ એમઓયુનો ઉદ્દેશ વેપાર પ્રોત્સાહક પગલા સાથે સંબંધિત પરસ્પર ઓળખ કરેલા ક્ષેત્રોમાં માહિતીના આદાનપ્રદાન, ક્ષમતા નિર્માણ, સેમિનારો અને તાલીમ મારફતે એન્ટિ-ડમ્પિંગ અને આનુષંગિક વેરાના ક્ષેત્રોમાં સહકાર વધારવાનો છે. |
12. |
ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ અને અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની વચ્ચે ઓઇલના સંગ્રહ અને વ્યવસ્થાપન પર સમજૂતી |
આ સમજૂતીનો ઉદ્દેશ ભારતમાં અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની દ્વારા ક્રૂડ ઓઇલના સંગ્રહ માટે માળખું સ્થાપિત કરવાનો અને બંને દેશો વચ્ચે ઊર્જાના ક્ષેત્રમાં વ્યૂહાત્મક સંબંધને વધારવાનો છે. |
13. |
રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદ અને અલ એતિહાદ એનર્જી સર્વિસીસ કંપની એલએલસી વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) |
આ એમઓયુ ઊર્જા કાર્યદક્ષતા સેવાઓમાં સહકાર પર છે. |
14. |
ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ અને યુએઇની રાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક સુરક્ષા સત્તામંડળ વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) |
આ એમઓયુ સાયબરસ્પેસમાં ટેકનોલોજી વિકાસ અને સહકાર માટેકરવામાં આવ્યા છે. |
પ્રિય દેશવાસીઓ,
નમસ્કાર!...
આપણે સૌએ વિતેલા દિવસોમાં દેશનું સામર્થ્ય અને તેનો સંયમ બંને જોયા છે.
હું સૌને પહેલા ભારતના પરાક્રમી સેનાઓને,
સશસ્ત્ર દળોને...
આપણી ગુપ્તચર એજન્સીઓને....
અને આપણા વૈજ્ઞાનિકોને...
તમામ ભારતવાસીઓ તરફથી સલામ કરું છું.
આપણા વીર સૈનિકોએ ઓપરેશન સિંદૂરના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે અસીમ શૌર્ય બતાવ્યું છે.
હું તેમની વીરતાને... તેમના સાહસને... તેમના પરાક્રમને... આજે સમર્પિત કરું છું...
આપણા દેશની માતાઓને...
દેશની દરેક બહેનને...
અને દેશની દરેક દીકરીને આ પરાક્રમ સમર્પિત કરું છું.
સાથીઓ,
22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ જે બર્બરતા બતાવી હતી, તેમનાથી દેશ અને દુનિયા હચમચી ગયા હતા.
રજાઓ વિતાવવા આવેલા નિર્દોષ- માસૂમ નાગિરકોને
ધર્મ પૂછીને...
તેમના પરિવારની સામે જ,
તેમના બાળકોની સામે...
નિર્દયતાપૂર્વક મારી નાખ્યા..
આ આંતકનો ખૂબ જ બિભત્સ ચહેરો હતો.. ક્રૂરતા હતી...
આ દેશના સદભાવને તોડવાનો કાયરતાપૂર્ણ પ્રયાસ પણ હતો.
મારા માટે વ્યક્તિગતરૂપે આ પીડા ખૂબ જ મોટી હતી.
આ આતંકી હુમલા પછી આખો દેશ...
દરેક નાગરિક... દરેક સમાજ... દરેક વર્ગ... દરેક રાજકીય પક્ષ...
એક સૂરમાં... આતંકની સામે આકરી કાર્યવાહી કરવા માટે ઉભા થયા...
આપણે આતંકવાદીઓને માટીમાં મિલાવી તેવા માટે ભારતની સેનાઓને સંપૂર્ણ છૂટ આપી દીધી.
અને આજે દરેક આતંકી, આંતકનું દરેક સંગઠન જાણી ગયું છે....
કે આપણી બહેન-દીકરીઓના માથા પરથી સિંદૂર હટાવવાનું પરિણામ શું આવે છે.
સાથીઓ,
ઓપરેશન સિંદૂર... આ માત્ર નામ નથી...
આ દેશના કોટી-કોટી લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે.
ઓપરેશન સિંદૂર... ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે.
6 મેની મોડી રાતે... 7 મેની સવારે... આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં બદલાતી જોઈ છે.
ભારતની સેનાઓએ પાકિસ્તાનમાં આતંકાના ઠેકાણાઓ પર...
તેમના ટ્રેનિંગ સેન્ટરો પર સચોટ પ્રહારો કર્યા.
આતંકીઓએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય તે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે.
પરંતુ જ્યારે દેશ એકજૂથ થાય છે... નેશન ફર્સ્ટની ભાવનાથી ભરાયેલો હોય છે.. રાષ્ટ્ર સર્વોપરી હોય છે...
તો પોલાદી નિર્ણયો લેવામાં આવે છે.. પરિણામ લાવીને બતાવવામાં આવે છે.
જ્યારે પાકિસ્તાનમાં આતંકના અડ્ડાઓ પર ભારતની મિસાઈલોએ હુમલા કર્યા....
ભારતના ડ્રોને હુમલા કર્યા...
તો આતંકી સંગઠનોની ઈમારતો જ નહીં.... પરંતુ તેમની હિંમત પણ ધરાશાયી થઈ ગઈ.
બહાવલપુર અને મુરીદગે જેવા આતંકી ઠેકાણાઓ... એક પ્રકારે ગ્લોબલ ટેરરિઝમની યુનિવર્સિટી રહ્યા છે.
દુનિયામાં ક્યાંય પણ જે મોટા આતંકી હુમલા થયા છે...
નાઇન ઇલેવન હોય...
લંડન ટ્યુબ બોમ્બિંગ્સ હોય...
કે પછી ભારતમાં દાયદાઓમાં જે પણ મોટા આતંકી હુમલા થયા છે....
તેમના તાર ક્યાંકને ક્યાંક આતંકના આ ઠેકાણાઓ સાથે જ જોડાયેલા છે.
આતંકવાદીઓએ આપણી બહેનોના સિંદૂર ઉજાડ્યા હતા.. આથી ભારતે આતંકીઓના હેડક્વાર્ટર્સ ઉજાડી દીધા.
ભારતે આ હુમલાઓમાં 100થી વધુ ખૂંખાર આતંકવાદીઓને મોતના ઘાટ ઉતારી દીધા છે.
આતંકના કેટલાક આકાઓ...
છેલ્લા અઢી દાયકાથી ખુલ્લેઆમ પાકિસ્તાનમાં ફરી રહ્યા હતા...
તેઓ ભારતની વિરુદ્ધ કાવતરાઓ ઘડતા હતા...
તેમને ભારતે એક ઝાટકે જ ખતમ કરી નાખ્યા છે.
સાથીઓ,
ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાન ઘોર નિરાશામાં ઘેરાઈ ગયું હતું...
હતાશામાં ઘેરાઈ ગયું હતું..
ડરી ગયું હતું...
અને આ ડરમાં જ તેમણે વધુ એક દુઃસાહસ કર્યું.
આતંક પર ભારતની કાર્યવાહીનો સાથ આપવાના બદલે પાકિસ્તાને ભારત પર જ હુમલો કરવાનું શરૂ કરી દીધું.
પાકિસ્તાને આપણી શાળાઓ- કોલેજોને... ગુરુદ્વારાઓને... મંદિરોને... સામાન્ય નાગરિકોના ઘરોને નિશાન બનાવ્યા...
પાકિસ્તાને આપણા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા...
પરંતુ તેમાં પણ પાકિસ્તાન પોતે જ ઉઘાડું પડી ગયું..
દુનિયાએ જોઈ લીધું કે કેવી રીતે પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલો... ભારતની સામે એક તણખલાની જેમ વેરવિખેર થઈ ગયા.
ભારતની સશક્ત એર ડિફેન્સ સિસ્ટમે, તેમને આકાશમાં જ નષ્ટ કરી દીધા.
પાકિસ્તાનની તૈયારી સીમા પર પ્રહાર કરવાની હતી...
પરંતુ ભારતે પાકિસ્તાનની છાતી પર જ પ્રહાર કરી દીધો.
ભારતના ડ્રોન... ભારતની મિસાઈલોએ સચોટ નિશાન લગાવીને હુમલો કર્યો.
પાકિસ્તાની વાયુસેનાના એ એરબેઝને નુકસાન પહોંચાડ્યું...
જેના પર પાકિસ્તાનને ખૂબ અભિમાન હતું.
ભારતે પહેલા ત્રણ દિવસમાં જ પાકિસ્તાનને એટલું તબાહ કરી દીધું કે જેનો તેને અંદાજ પણ નહોતો.
આથી...
ભારતની આક્રમક કાર્યવાહી પછી... પાકિસ્તાન બચવાના રસ્તાઓ શોધવા લાગ્યું.
પાકિસ્તાન... આખી દુનિયામાં તણાવ ઓછો કરવાની વિનંતી કરવા લાગ્યું હતું...
અને ખૂબ જ ખરાબ રીતે માર ખાધા પછી તેની મજબૂરીમાં 10 મેના રોજ બપોરે પાકિસ્તાનની સેનાએ આપણા DGMOનો સંપર્ક કર્યો.
ત્યાં સુધીમાં આપણે આતંકવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નેસ્ત-નાબૂદ કરી ચુક્યા હતા...
આતંકીઓને મોતના ઘાટ ઉતારી દીધા હતા...
પાકિસ્તાને પોતાની છાતી પર વસાવેલા આતંકના અડ્ડાઓને આપણે ખંડેર બનાવી દીધા હતા...
આથી, જ્યારે પાકિસ્તાન તરફથી વિનંતી કરવામાં આવી...
પાકિસ્તાન તરફથી જ્યારે કહેવામાં આવ્યું...
કે તેમના તરફથી આગળ કોઈ આતંકી ગતિવિધી અને સૈન્ય દુઃસાહસ કરવામા નહીં આવે...
તો ભારતે તેના પર વિચાર કર્યો.
અને હું ફરીથી કહી રહ્યો છું...
આપણે પાકિસ્તાનના આતંકી અને સૈન્ય ઠેકાણાઓ પર આપણી જવાબી કાર્યવાહીને હાલમાં માત્ર સ્થગિત કરી છે.
આવનારા દિવસોમાં...
આપણે પાકિસ્તાનના દરેક પગલાંને આ કસોટી પર માપીશું...
કે તેઓ શું વલણ અપનાવે છે.
સાથીઓ,
ભારતની ત્રણેય સેનાઓ...
આપણું વાયુદળ... આપણું સૈન્ય...
અને આપણું નૌકાદળ...
આપણા બોર્ડર સિક્યુરિટી ફોર્સ - BSF...
ભારતના અર્ધલશ્કરી દળો...સતત એલર્ટ પર છે.
સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પછી...
હવે ઓપરેશન સિંદૂર એ આતંકવાદની વિરુદ્ધમાં ભારતની નીતિ છે.
ઓપરેશન સિંદૂરે આતંકવાદ સામેની લડાઈમાં એક નવી રેખા દોરી છે...
એક નવું ધોરણ, એક ન્યૂ નોર્મ નક્કી કર્યું છે.
પહેલું- જો ભારત પર આતંકવાદી હુમલો થશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
આપણે આપણી રીતે, આપણી શરતો પર જવાબ આપીને જ રહીશું.
એ દરેક જગ્યાએ જઈને કઠોર કાર્યવાહી કરીશું, જ્યાંથી આતંકવાદના મૂળિયા નીકળે છે.
બીજું - કોઈપણ ન્યૂક્લિઅર બ્લેકમેઇલને ભારત સહન નહીં કરે.
ન્યૂક્લિઅર બ્લેકમેઇલના આડમાં ફુલી-ફાલી રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર ભારત સચોટ અને નિર્ણાયક હુમલો કરશે.
ત્રીજું - આપણે આતંકવાદને સમર્થન આપી રહેલી સરકાર અને આતંકવાદના આકાઓને અલગ અલગ નહીં જોઈએ.
ઓપરેશન સિંદૂર દરમિયાન...
દુનિયાએ... ફરી એકવાર પાકિસ્તાનનું ઘૃણાસ્પદ સત્ય જોયું છે...
જ્યારે માર્યા ગયેલા આતંકવાદીઓને વિદાય આપવા...
પાકિસ્તાની સેનાના મોટા મોટા અધિકારીઓ દોડી આવ્યા હતા.
સ્ટેટ સ્પોન્સર્ડ ટેરેરિઝમનો આ ખૂબ મોટો પુરાવો છે.
અમે ભારત અને આપણા નાગરિકોને કોઈપણ જોખમથી બચાવવા માટે સતત નિર્ણાયક પગલાં લેતા રહીશું.
સાથીઓ,
યુદ્ધના મેદાનમાં આપણે આ વખતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે.
અને આ વખતે ઓપરેશન સિંદૂરે એક નવું પરિમાણ ઉમેર્યું છે.
અમે રણ અને પર્વતોમાં આપણું સામર્થ્ય શાનદાર રીતે બતાવી દીધું છે...
અને સાથે જ..
ન્યૂ એજ વૉરફોરમાં પણ આપણી શ્રેષ્ઠતા સિદ્ધ કરી દીધી છે.
આ ઓપરેશન દરમિયાન…
આપણા મેડ ઇન ઇન્ડિયા હથિયારોની પ્રમાણિકતા સાબિત થઈ છે.
આજે દુનિયા જોઈ રહી છે...
21મી સદીના વૉરફેરમાં મેડ ઇન્ડિયા ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ...
તેનો સમય આવી ગયો છે.
સાથીઓ,
દરેક પ્રકારના આતંકવાદ સામે આપણે એકજૂથ રહીએ છીએ, આપણી એકતા... એ આપણી સૌથી મોટી તાકાત છે.
ચોક્કસપણે આ યુગ યુદ્ધનો નથી...
પરંતુ આ યુગ આતંકવાદનો પણ નથી.
ટેરેરિઝમ સામે ઝીરો ટોલરન્સ... આ એક વધુ સારી દુનિયાની ગેરંટી છે.
સાથીઓ,
પાકિસ્તાની સૈન્ય... પાકિસ્તાન સરકાર...
જે રીતે આતંકવાદને પોષવામાં આવી રહ્યો છે...
તે એક દિવસ પાકિસ્તાનનો જ નાશ કરી દેશે.
પાકિસ્તાને બચવું હોય, તો તેણે પોતાના ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સફાયો કરવો જ પડશે.
આ સિવાય શાંતિનો કોઈ રસ્તો નથી.
ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે...
ટેરર અને ટૉક, એક સાથે ન થઈ શકે...
ટેરર અને ટ્રેડ, એક સાથે ન ચાલી શકે.
અને...
પાણી અને લોહી પણ એકસાથે ન વહી શકે.
હું આજે વિશ્વ સમુદાયને પણ કહેવા માંગુ છું...
અમારી ઘોષિત નીતિ રહી છે...
જો પાકિસ્તાન સાથે વાટાઘાટ થશે... તો તે ફક્ત ટેરેરિઝમ પર જ થશે...
જો પાકિસ્તાન સાથે વાટાઘાટ થશે... તો પાકિસ્તાન ઓક્યૂપાઇડ કાશ્મીર... PoK પર જ થશે...
પ્રિય દેશવાસીઓ,
આજે બુદ્ધ પૂર્ણિમા છે.
ભગવાન બુદ્ધે આપણને શાંતિનો માર્ગ બતાવ્યો છે.
શાંતિનો માર્ગ પણ શક્તિમાંથી પસાર થાય છે.
માનવતા... શાંતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધો...
દરેક ભારતીય શાંતિથી જીવી શકે...
વિકસિત ભારતનું સપનું પૂરું કરી શકે...
તેના માટે ભારત શક્તિશાળી હોય તે ખૂબ જ જરૂરી છે...
અને જરૂર પડે ત્યારે આ શક્તિનો ઉપયોગ કરવો પણ જરૂરી છે.
અને છેલ્લા કેટલાક દિવસોમાં, ભારતે આ જ કર્યું છે.
હું ફરી એકવાર ભારતની સેના અને સશસ્ત્ર દળોને... સલામ કરું છું.
આપણે ભારતીયોની હિંમત... અને દરેક ભારતવાસીની એકતાને હું સલામ કરું છું.
આભાર...
ભારત માતાની જય !!!
ભારત માતાની જય !!!
ભારત માતાની જય !!!