2018ની બેચના 126 આઈપીએસ પ્રોબેશનર અધિકારીઓએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રોબેશનર અધિકારીઓ સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ યુવાન અધિકારીઓને દેશના હિત માટે પ્રતિબદ્ધતા સાથે અથાકપણે કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રધાનમંત્રીએ અધિકારીઓને તેમના રોજબરોજના કાર્યો સેવાભાવ અને સમર્પણ સાથે ઉમેરવા જણાવ્યું હતું. તેમણે પોલીસ દળને સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા રહેવાના મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે દરેક અધિકારીએ નાગરિકના પોલીસ દળ માટેના દૃષ્ટિકોણને સમજવો જોઈએ અને તે અનુસાર પોલીસ દળને નાગરિકોને અનુકૂળ અને પહોંચક્ષમ બનાવવા માટે કાર્ય કરવું જોઈએ.

આઈપીએસ પ્રોબેશનર અધિકારીઓ સાથેના વાતચીત સત્ર દરમિયાન પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પોલીસની ભૂમિકા ગુનાની અટકાયત પર કેન્દ્રિત હોવી જોઈએ. તેમણે એક આધુનિક પોલીસ દળનું નિર્માણ કરવામાં ટેકનોલોજીના મહત્વને ટાંક્યું હતું.

પ્રધાનમંત્રીએ મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં બદલાવ અને સામજિક પરિવર્તનના એક સાધન તરીકે પણ પોલીસની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. તેમણે 2018ની બેચમાં વિશાળ સંખ્યામાં મહિલાઓનો સમાવેશ થવા બદલ તેમની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે પોલીસ દળમાં મહિલાઓની વધુ સંખ્યા હોવાથી પોલીસ વ્યવસ્થા અને સાથે-સાથે રાષ્ટ્ર નિર્માણની પ્રવૃત્તિમાં પણ મોટી અસર પડશે.

અધિકારીઓને એક ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ અધિકારીઓને તેમની પોતાની અંદર વિશ્વાસ ઉત્પન્ન કરવા જણાવ્યું. તેમણે ઉમેર્યું કે અધિકારીની તાલીમ સહિત આત્મવિશ્વાસ અને આંતરિક શક્તિ તેમને રોજબરોજના પડકારોને પહોંચી વળવા માટે સક્ષમ બનાવશે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
In Photos: PM Narendra Modi Prays At Kashi Vishwanath, Holds Trishul-Damru

Media Coverage

In Photos: PM Narendra Modi Prays At Kashi Vishwanath, Holds Trishul-Damru
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જે સમજાવે છે કે ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા કેવી રીતે સફળતા તરફ દોરી જાય છે.
April 30, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કરીને ભાર મૂક્યો છે કે ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા વ્યક્તિને તેમના કાર્યોમાં સતત સક્રિય રહેવા માટે પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું કે આ અતૂટ ઉત્સાહ વ્યક્તિ જે પણ પ્રયાસો પૂર્ણ કરવા માટે સંકલ્પ કરે છે તેમાં સફળતા તરફ દોરી જાય છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"દેશના મહેનતુ અને ઉર્જાવાન નાગરિકો રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે, જેમની સખત મહેનત વિકાસ માટે નવા માર્ગો બનાવે છે. તેમના પ્રયાસો દેશને સમૃદ્ધિ, આત્મનિર્ભરતા અને પ્રગતિના શિખર સુધી પહોંચવામાં મદદ કરે છે.

अनिर्वेदो हि सततं सर्वार्थेषु प्रवर्तकः।

करोति सफलं जन्तोः कर्म यच्च करोति सः॥"

ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા વ્યક્તિને તેમના કાર્યોમાં સતત સક્રિય રહેવા માટે પ્રેરણા આપે છે. આ અતૂટ ઉત્સાહ વ્યક્તિ જે પણ પ્રયાસો પૂર્ણ કરવાનો સંકલ્પ કરે છે તેમાં સફળતા તરફ દોરી જાય છે.