તુર્કિયે પ્રજાસત્તાક સરકારના સંકલનમાં સર્ચ અને રેસ્ક્યુ ટીમો, રાહત સામગ્રી સાથે તબીબી ટીમો તુર્કી મોકલવામાં આવશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આજે તુર્કિયેમાં આવેલા ભૂકંપનો સામનો કરવા માટે શક્ય તમામ મદદ કરવાની સૂચનાઓના સંદર્ભે, પ્રધાનમંત્રી શ્રીના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ તાત્કાલિક રાહત પગલાં અંગે ચર્ચા કરવા માટે સાઉથ બ્લોકમાં બેઠક યોજી હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે NDRFની શોધ અને બચાવ ટુકડીઓ અને તબીબી ટીમો રાહત સામગ્રી સાથે તુરંત જ રિપબ્લિક ઓફ તુર્કિયે સરકાર સાથે સંકલનમાં મોકલવામાં આવશે.

એનડીઆરએફની બે ટીમો જેમાં ખાસ પ્રશિક્ષિત શ્વાન ટુકડીઓ અને જરૂરી સાધનો સાથે 100 કર્મચારીઓનો સમાવેશ થાય છે તે ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં શોધ અને બચાવ કામગીરી માટે ઉડાન ભરવા માટે તૈયાર છે. આવશ્યક દવાઓ સાથે પ્રશિક્ષિત ડોકટરો અને પેરામેડિક્સ સાથે તબીબી ટીમો પણ તૈયાર કરવામાં આવી રહી છે. તુર્કિયે પ્રજાસત્તાક સરકાર અને અંકારામાં ભારતીય દૂતાવાસ અને ઈસ્તંબુલમાં કોન્સ્યુલેટ જનરલ ઓફિસ સાથે સંકલન કરીને રાહત સામગ્રી મોકલવામાં આવશે.

આ બેઠકમાં કેબિનેટ સચિવ, ગૃહ મંત્રાલય, NDMA, NDRF, સંરક્ષણ, MEA, નાગરિક ઉડ્ડયન અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India launches $1.5 billion maritime insurance pool, issues first covers

Media Coverage

India launches $1.5 billion maritime insurance pool, issues first covers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 13 મે 2026
May 13, 2026

Leadership That Leads by Example: PM Modi's Push for Mindful Growth, Innovation & Infrastructure