"ICT initiatives at CMO recipient of the prestigious eIndia Awards 2011"
"This is a continuation of the winning streak in terms of awards won by CMO for ICT implementation"
"Earlier this month CMO won the CSI Nihilent Award for ICT"
"These laurels in sync with Shri Narendra Modi’s vision of IT for easy, effective and economic governance"

ઈનફોર્મેશન કોમ્યુનિકેશન ટેક્નોલોજી (ICT) નો ઉપયોગ કરીને નાગરિકોને સુચારુ રીતે સરકારી સેવાઓ ઉપલબ્ધ બનાવવા માટે મુખ્યમંત્રી કાર્યાલયને પ્રતિષ્ઠિત ઈ-ઈંડિયા એવોર્ડ 2011 એનાયત કરવામાં આવ્યો છે. એક બાદ એક એવોર્ડની હારમાળા આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રીનાં કાર્યાલય ખાતે કાર્યરત ‘eGov strategies and ICT enabled initiatives’ માટે આ ગવર્મેંટ ટુ સિટિઝન (G2C) એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે.

ICT નાં ઉપયોગ દ્વારા સિમાચિન્હરૂપ પહેલ કરવા બદલ ખાનગી અને સરકારી એકમોને આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આઈ.સી.ટી નાં ઉપયોગ થકી નાગરિકોનાં જીવનમાં મોટું પરિવર્તન લાવે તેવી સેવાઓને આ એવોર્ડમાં પ્રાધાન્ય આપવામાં આવે છે.

પાછલાં થોડા સમય દરમ્યાન મુખ્યમંત્રીશ્રીનાં કાર્યાલયને આઈ.સી.ટી આધારિત સેવાઓ બદલ સંખ્યાબંધ એવોર્ડ મળ્યા છે. હજી થોડા સપ્તાહ પહેલાં જ મુખ્યમંત્રી કાર્યાલયને CSI Nihilent તરફથી ‘એવોર્ડ ઓફ એક્સેલેંસ’ નો ઈ-ગવર્નેંસ એવોર્ડ મળ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીનાં સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમને સંયુક્ત રાષ્ટ્નો પબ્લિક સર્વિસ એવોર્ડ મળી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારી સેવાઓની ઉપલબ્ધિ કરાવવામાં ઈંફોર્મેશન ટેક્નોલોજીનાં મહત્તમ ઉપયોગ પર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઘણો ભાર મુકે છે. તેઓ પોતે પણ પોતાના વિચારો અને મંતવ્યો રજુ કરવા માટે ઈંટરનેટ પર સોશિયલ નેટવર્ક સાઈટ્સનો ભરપૂર ઉપયોગ કરે છે.

તેઓ પોતાનો બ્લોગ ધરાવે છે અને ટ્વીટર અને ફેસબુક જેવા માધ્યમોનો પણ સુપેરે ઉપયોગ કરી જાણે છે. મેશેબલ એવોર્ડ અંતર્ગત ‘મસ્ટ ફોલો પોલિટિશિયન ઓન સોશિયલ મિડિયા’ એવોર્ડ માટે નામાંકન પામનાર તેઓ ભારતનાં એકમાત્ર રાજનેતા છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'More strict actions to come against paper leaks': PM Modi announces new Bill push in video message

Media Coverage

'More strict actions to come against paper leaks': PM Modi announces new Bill push in video message
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam, highlights the importance of fostering beneficial thoughts, words, and actions
July 24, 2026

Prime Minister Shri Narendra Modi shared a Sanskrit Subhashitam today, highlighting how continuous practice in thought, word, and action shapes one's character and direction in life.

The Prime Minister wrote on X;

"कर्मणा मनसा वाचा यदभीक्ष्णं निषेवते।

तदेवापहरत्येनं तस्मात् कल्याणमाचरेत्॥"

Whatever a person continuously practices through their actions, thoughts, and words ultimately shapes their personality and draws them in that very direction; therefore, one should always give space only to beneficial subjects in one's thoughts and conversations.