મને વિશ્વાસ છેકે તમે કર્ણાટક કોઇપણ પંજાના હાથમાં નહી જવા દો

કેન્દ્રની સરકાર કશું કરી શકે તેમ નથી

કોંગ્રેસના મો પર ઇટલીનું તાળું વાગી જાય છે

અમે જે ભૂતકાળમાં ભૂલ કરી છે તેને વાગોળીશું નહીં...

નરેન્દ્ર મોદીનું સંબોધન...

મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે પોતાની માતૃભાષામાં સભાનું સંબોદન કર્યું હતું. તેમણે મોદીની લોકપ્રિયતા અને ગુજરાતમાં તેમના કામની સરાહરના કરી હતી. જગદીશે લોકોને ભાજપને પૂર્ણ બહુમતિથી જીતાડવા માટે અપિલ કરી હતી.

મોદીનું સ્વાગત કરતા વરિષ્ઠ ભાજપા નેતા વૈંકયા નાયડુએ ગુજરાતના વિકાસ મોડેલના અને મોદીના કાર્યના ભારે વખાણ કર્યા. નાયડુએ જણાવ્યું કે જે લોકો ભારત છોડીને ગયા તે પાકિસ્તાની થઇ ગયા અને જે મુસ્લિમો, ક્રિશ્ચિયનો ભારતમાં રહ્યા તે ભારતીય થઇ ગયા. કર્ણાટકની જનતાને પણ ગુજરાતનું ઉદાહરણ આપી ભારે બહુમતીથી ભાજપને વિજય બનાવવા માટે આહ્વાન કર્યું. ભાજપમાં બધા જ દમદાર નેતાઓ છે કોંગ્રેસમાં નથી. ભાજપમાં આઇડીયોલોજીકલ નેતાઓ છે.





