આજે ઓપિનિયન પોલ, અને કાલે? 

પ્રિય મિત્રો,

આશા છે કે તમારા પરિવાર અને સ્વજનો સાથે દિવાળી ઘણી સરસ પસાર થઈ હશે.

કોંગ્રેસના મિત્રો ઓપિનિયન પોલ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી રહ્યા છે. આ અંગેના લેખ હું છેલ્લા થોડા દિવસોથી અખબારોમાં, ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર વાંચી રહ્યો છું. આ અંગેની બે ટ્વીટ્સે મારુ ધ્યાન ખેંચ્યુ. બીજેડીના જય પંડ્યાએ આ અંગે પ્રતિભાવ આપતા લખ્યુ, “હવે પછીનુ પગલું – ઓપિનિયન(અભિપ્રાય) ઉપર પ્રતિબંધ”. ચેતન ભગતે ટ્વીટ કર્યું, “ઓપિનિયન પોલ ઉપર પ્રતિબંધથી વધુ સારુ છે ઓપિનિયન ઉપર જ પ્રતિબંધ મૂકી દો અને એથીય વધુ સારુ તો એ રહેશે કે પોલ (ચૂંટણી) ઉપર જ પ્રતિબંધ મૂકી દો.”

મિત્રો, આ કટાક્ષમાં ગહેરો અર્થ રહેલો છે.

જે લોકોએ આઝાદી બાદ ભારતીય રાજકારણ અને કોંગ્રેસની રીતરસમોનો થોડો ઘણો અભ્યાસ કર્યો છે તેમને કોંગ્રેસની આવી માંગણીથી આશ્ચર્ય નહિ થાય. બંધારણીય સંસ્થાનોને કચડી નાખવાની કોંગ્રેસની વૃત્તિ અને સત્તાના મદમાં રાચીને નાગરિકોના વાણીસ્વાતંત્ર્ય અને તેમને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા રોકવાની આ મુરાદને અત્યંત કમનસીબ કહી શકાય.

હજી એ વાતને લાંબો સમય નથી થયો જ્યારે યુપીએ સરકારે ટ્વીટર હેન્ડલ સસ્પેન્ડ કરી દીધા હતા. આમ કરીને સરકારે સોશિયલ મીડિયા પર થતી ટીકાઓ પ્રત્યે પોતે કેટલી અસહનશીલ છે તેનો પરિચય આપી દીધો હતો. તે સમયે સોશિયલ મીડિયા ઉપર વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની તરફેણ કરતા લોકોની લાગણીમાં મારી સહમતિના પ્રતિકરૂપે મેં મારા ટ્વીટરના ડીસ્પ્લે પિક્ચર ઉપર કાળો પટ્ટો મૂક્યો હતો. ૨૦૧૧ માં બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિવસે ઘણા કેન્દ્રિય મંત્રીઓએ સોશિયલ મીડિયા ઉપર નિયંત્રણ મૂકવાની વાત કરી હતી. વક્રતા પણ તે દિવસે સો વાર લાજી મરી હશે! થોડા મહિના પહેલા મુંબઈની એક રેસ્ટોરાંએ સર્જનાત્મક રીતે પોતાની રીસિપ્ટમાં યુપીએની નીતિઓની વિરુધ્ધમાં અભિપ્રાય વ્યક્ત કર્યો તો તેને ધાકધમકીઓ આપવામાં આવી.

વડાપ્રધાનના ૧૫ ઓગષ્ટના સ્વાતંત્ર્ય દિવસના ભાષણના ટેલિવિઝન કવરેજ અંગે એક કેન્દ્રિય મંત્રાલય દ્વારા મીડિયાકર્મીઓને લખવામાં આવ્યું, અને તે પણ બે મહિના બાદ. આજે જ્યારે દેશ મોંઘવારીથી ત્રસ્ત છે અને બેરોજગારી વધી રહી છે ત્યારે પણ આવો બેશરમ નજારો જોવો પડી રહ્યો છે. યુપીએ સ્પષ્ટ રીતે સાવ ખોટી બાબતોને પ્રાધાન્ય આપી રહી છે. રાષ્ટ્રિય મહત્વ ધરાવતા તાકીદના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આ સરકાર બિલકુલ ગંભીર ન હોય તેવી બાબતોમાં ઊર્જા વેડફી રહી છે.

હું મીડિયાના મિત્રોને પૂછવા માંગુ છું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર તરાપ મારતા આ પ્રસ્તાવ સામે તેઓ ચૂપ કેમ છે?

ઓપિનિયન પોલ માટે મને કોઈ વિશેષ પ્રેમ છે એવુ નથી. તેની મર્યાદાથી હું સારી રીતે પરિચિત છું. આ જ્ઞાની વિશ્લેષકોએ એવી તો ખાતરીથી કહેલું કે ૨૦૦૨ ની ચૂંટણીઓમાં ગુજરાતની જનતા ભાજપની વિરુધ્ધમાં મતદાન કરશે. ૨૦૦૭ અને ૨૦૧૨ માં પણ તેમણે આવુ જ કહ્યું હતું. પણ જનતાએ તેમને ખોટા પાડ્યા.

પણ એક અગત્યનો સિધ્ધાંત દરેક પક્ષ અને સરકાર માટે સાચો છે. મહાભારતમાં ભિષ્મથી લઈને અર્થશાસ્ત્રના કૌટિલ્ય સુધી આપણને શીખવવામાં આવ્યુ છે કે પ્રજાના મત સાથે સૂમેળ સાધવો કેટલો જરૂરી છે. જે સરકાર પ્રજાના અભિપ્રાયની અવગણના કરે છે તે ચોક્કસ સત્તાથી ફેંકાઈ જાય છે.

ભારતમાં ઓપિનિયન પોલનુ પ્રદર્શન મિશ્ર પ્રકારનુ રહ્યુ છે. ક્યારેક તેમની આગાહી સાચી પડે છે, તો ક્યારેક ખોટી. ઓપિનિયન પોલના તારણોનુ શું કરવું તે અમારા રાજકીય પક્ષોએ નક્કી કરવાનુ હોય છે.

જો તારણ અમારા પક્ષે હોય તો આત્મસંતુષ્ટ થઈને બેસી રહેવામાં અમને કોઈ રોકવાનુ નથી, કે પછી અતિવિશ્વાસમાં રાચ્યા વિના પ્રયાસો ચાલુ રાખવા માટે પણ અમે સ્વતંત્ર છીએ.

તે જ રીતે જો તે અમારી તરફેણમા ન હોય તો આંકડાઓને નકારી કાઢતા પણ અમને કોઈ રોકશે નહિ, કે પછી અમારી ભૂલો સુધારીને જરૂરી પ્રયત્નો કરવા પણ અમે સ્વતંત્ર છીએ.

ઓપિનિયન પોલના તારણમા આપણને જે સાંભળવુ હોય એ સાંભળવા ન મળે એટલે સાવ અંતિમવાદી પગલાઓ ભરવા તે સાવ બાલિશ હરકત છે.

મારી ચિંતા ઓપિનિયન પોલ ઉપર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પૂરતી સિમિત નથી. કાલે ઉઠીને આ જ તર્કને આધારે કોંગ્રેસ ચૂંટણી સમયે કટારલેખ, તંત્રીલેખ અને બ્લોગ ઉપર પણ પ્રતિબંધ લગાવી શકે. જો તેઓ ચૂંટણી હારી જાય તો ચૂંટણીપંચ ઉપર પ્રતિબંધ મૂકવા માંગશે અને જો કોર્ટ તેમને સહકાર ન આપે તો કહેશે કે કોર્ટ ઉપર પણ પ્રતિબંધ મૂકી દો! આખરે તો આ એ જ પાર્ટી છે જેણે કોર્ટના એક કડવા ચૂકાદાને કારણે દેશ ઉપર કટોકટી લાદી દીધી હતી.

મને ખુશી છે કે મારા સાથી અરુણ જેટલીએ પોતાના એક લેખમા પણ આ જ મુદ્દા ઉઠાવ્યા છે. 

મને પૂછો તો આનો ઉકેલ ઘણો સરળ છે. કોંગ્રેસની આવી આપખુદી અને વિધ્વંસકારી ચાલાકીઓનો સામનો કરવાને બદલે સારુ તો એ છે કે આ લોકશાહી-વિરોધી કોંગ્રેસ પક્ષને ઓપિનિયન પોલમાં તો જાકારો આપીએ જ, પણ જેનું ખરુ મૂલ્ય છે તેવા પોલિંગ બૂથમાં પણ તેને જાકારો આપી દઈએ.

લોકો જ શ્રેષ્ઠ ન્યાયકર્તા છે!

નરેન્દ્ર મોદી

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
'Goli unhone chalayi, dhamaka humne kiya': How Indian Army dealt with Pakistani shelling as part of Operation Sindoor

Media Coverage

'Goli unhone chalayi, dhamaka humne kiya': How Indian Army dealt with Pakistani shelling as part of Operation Sindoor
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ
February 27, 2025

– નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી

પવિત્ર નગરી પ્રયાગરાજમાં મહાકુંભ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. એકતાનો ભવ્ય મહાયજ્ઞ પૂર્ણ થયો છે. જ્યારે કોઈ રાષ્ટ્રની ચેતના જાગૃત થાય છે, જ્યારે તે સદીઓ જૂની પરાધીનતાની માનસિકતાના બંધનમાંથી મુક્ત થાય છે, ત્યારે તે નવી ઉર્જાની તાજી હવામાં મુક્તપણે શ્વાસ લે છે. આનું પરિણામ 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં એકતા કા મહાકુંભ (એકતાનો મહાકુંભ)માં જોવા મળ્યું.

22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મેં દેવભક્તિ અને દેશભક્તિ અંગે વાત કરી હતી. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન, દેવી-દેવતાઓ, સંતો, મહિલાઓ, બાળકો, યુવાનો, વૃદ્ધો અને દરેક વર્ગના લોકો એક સાથે આવ્યા હતા. આપણે રાષ્ટ્રની જાગૃત ચેતનાના સાક્ષી બન્યા. આ એકતા કા મહાકુંભ હતો, જ્યાં 140 કરોડ ભારતીયોની લાગણીઓ આ પવિત્ર અવસર માટે એક જ જગ્યાએ, એક જ સમયે એકઠી થઈ હતી.
પ્રયાગરાજના આ પવિત્ર ક્ષેત્રમાં એકતા, સદ્ભાવ અને પ્રેમની પવિત્ર ભૂમિ શ્રૃંગવેરપુર છે. જ્યાં પ્રભુ શ્રી રામ અને નિષાદરાજની મુલાકાત થઈ હતી. તેમનું મિલન ભક્તિ અને સદ્ભાવનાના સંગમનું પ્રતીક હતું. આજે પણ, પ્રયાગરાજ આપણને એ જ ભાવનાથી પ્રેરિત કરે છે.

45 દિવસ સુધી મેં દેશના ખૂણે ખૂણેથી કરોડો લોકોને સંગમ તરફ આવતા જોયા. સંગમ પર લાગણીઓની લહેર વધતી રહી. દરેક ભક્ત એક જ હેતુ સાથે આવતા હતા - સંગમમાં ડૂબકી લગાવવી. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમથી દરેક યાત્રાળુને ઉત્સાહ, ઉર્જા અને આત્મવિશ્વાસથી તરબોળ કરી દેતા હતા.

પ્રયાગરાજના આ પવિત્ર ક્ષેત્રમાં એકતા, સદ્ભાવ અને પ્રેમની પવિત્ર ભૂમિ શ્રૃંગવેરપુર છે. જ્યાં પ્રભુ શ્રી રામ અને નિષાદરાજની મુલાકાત થઈ હતી. તેમનું મિલન ભક્તિ અને સદ્ભાવનાના સંગમનું પ્રતીક હતું. આજે પણ, પ્રયાગરાજ આપણને એ જ ભાવનાથી પ્રેરિત કરે છે.

45 દિવસ સુધી મેં દેશના ખૂણે ખૂણેથી કરોડો લોકોને સંગમ તરફ આવતા જોયા. સંગમ પર લાગણીઓની લહેર વધતી રહી. દરેક ભક્ત એક જ હેતુ સાથે આવતા હતા - સંગમમાં ડૂબકી લગાવવી. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમથી દરેક યાત્રાળુને ઉત્સાહ, ઉર્જા અને આત્મવિશ્વાસથી તરબોળ કરી દેતા હતા.

પ્રયાગરાજમાં યોજાયેલો આ મહાકુંભ આધુનિક મેનેજમેન્ટ વ્યાવસાયિકો, આયોજન અને નીતિ નિષ્ણાતો માટે અભ્યાસનો વિષય છે. દુનિયામાં ક્યાંય પણ આ સ્તરનું કોઈ સમાંતર કે ઉદાહરણ નથી.

દુનિયાએ આશ્ચર્યથી જોયું કે કેવી રીતે પ્રયાગરાજમાં નદીઓના સંગમ કિનારે કરોડો લોકો ભેગા થયા હતા. આ લોકોને કોઈ ઔપચારિક આમંત્રણ નહોતું કે ક્યારે જવું તે અંગે કોઈ પૂર્વ સૂચના નહોતી. છતાં કરોડો લોકો પોતાની મરજીથી મહાકુંભ જવા રવાના થયા અને પવિત્ર જળમાં ડૂબકી લગાવવાનો આનંદ અનુભવ્યો.

પવિત્ર સ્નાન પછી અપાર આનંદ અને સંતોષ ફેલાવતા ચહેરાઓ હું ભૂલી શકતો નથી. મહિલાઓ, વડીલો, આપણા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો - દરેકે સંગમ સુધી પહોંચવાનો માર્ગ શોધી કાઢ્યો હતો.

ભારતના યુવાનોની જબરદસ્ત ભાગીદારી જોઈને મને ખાસ આનંદ થયો. મહાકુંભમાં યુવા પેઢીની હાજરી એક ખાસ સંદેશ આપે છે કે, ભારતના યુવાનો આપણી ભવ્ય સંસ્કૃતિ અને વારસાના પથદર્શક બનશે. તેઓ તેને જાળવવા પ્રત્યેની તેમની જવાબદારી સમજે છે અને તેને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

આ મહાકુંભ માટે પ્રયાગરાજ પહોંચેલા લોકોની સંખ્યાએ નિઃશંકપણે નવા રેકોર્ડ બનાવ્યા છે. પરંતુ શારીરિક રીતે હાજર રહેલા લોકો ઉપરાંત, કરોડો લોકો જે પ્રયાગરાજ પહોંચી શક્યા ન હતા. તેઓ પણ આ પ્રસંગ સાથે ભાવનાત્મક રીતે ઊંડાણપૂર્વક જોડાયેલા હતા. યાત્રાળુઓ દ્વારા પરત લાવવામાં આવેલ પવિત્ર જળ લાખો લોકો માટે આધ્યાત્મિક આનંદનો સ્ત્રોત બન્યું. મહાકુંભમાંથી પાછા ફરનારા ઘણા લોકોનું તેમના ગામમાં આદરપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું, સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં જે બન્યું છે તે અભૂતપૂર્વ છે અને તેણે આવનારી સદીઓ માટે પાયો નાખ્યો છે.

પ્રયાગરાજમાં કોઈએ કલ્પના કરી ન હતી તેના કરતાં વધુ ભક્તો પહોંચ્યા. વહીવટીતંત્રે કુંભના ભૂતકાળના અનુભવોના આધારે હાજરીનો અંદાજ લગાવ્યો હતો.

આ એકતા કા મહાકુંભમાં અમેરિકાની લગભગ બમણી વસ્તીએ ભાગ લીધો હતો.

જો આધ્યાત્મિકતાના વિદ્વાનો કરોડો ભારતીયોની ઉત્સાહી ભાગીદારીનું વિશ્લેષણ કરે તો તેઓ જોશે કે ભારત જે તેના વારસા પર ગર્વ કરે છે, તે હવે એક નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. મારું માનવું છે કે આ એક નવા યુગનો ઉદય છે, જે નવા ભારતનું ભવિષ્ય બનાવશે.

હજારો વર્ષોથી મહાકુંભ ભારતની રાષ્ટ્રીય ચેતનાને મજબૂત બનાવે છે. દરેક પૂર્ણ કુંભમાં સંતો, વિદ્વાનો અને વિચારકો પોતાના સમયમાં સમાજની સ્થિતિ પર વિચાર-વિમર્શ કરતા હતા. તેમના વિચારો રાષ્ટ્ર અને સમાજને નવી દિશા આપતા હતા. દર છ વર્ષે અર્ધ કુંભ દરમિયાન આ વિચારોની સમીક્ષા કરવામાં આવતી હતી. 144 વર્ષમાં પૂર્ણ કુંભની 12 ઘટનાઓ પછી જૂની પરંપરાઓનો ત્યાગ કરવામાં આવ્યો, નવા વિચારો અપનાવવામાં આવ્યા અને સમય સાથે આગળ વધવા માટે નવી પરંપરાઓનું નિર્માણ કરવામાં આવ્યું.

144 વર્ષ પછી, આ મહાકુંભમાં આપણા સંતોએ ફરી એકવાર આપણને ભારતની વિકાસ યાત્રા માટે એક નવો સંદેશ આપ્યો છે. તે સંદેશ છે ડેવલપ ભારત - વિકસિત ભારત.

આ એકતા કા મહાકુંભમાં દરેક યાત્રાળુ, ભલે તે ગરીબ હોય કે અમીર, યુવાન હોય કે વૃદ્ધ, ગામડાંના હોય કે શહેરોના, ભારત હોય કે વિદેશથી, પૂર્વ હોય કે પશ્ચિમથી, ઉત્તર હોય કે દક્ષિણથી, જાતિ, સંપ્રદાય અને વિચારધારાને ધ્યાનમાં લીધા વિના એકઠા થયા. આ એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝનનું મૂર્ત સ્વરૂપ હતું જેણે કરોડો લોકોમાં વિશ્વાસ ભરી દીધો. હવે, આપણે વિકસિત ભારત બનાવવાના મિશન માટે સમાન ભાવના સાથે એક સાથે આવવું જોઈએ.

મને એ ઘટના યાદ આવે છે, જ્યારે શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપમાં પોતાની માતા યશોદાને તેમના મુખમાં રહેલા સમગ્ર બ્રહ્માંડનો એક ઝલક જોવા મળી હતી. તેવી જ રીતે, આ મહાકુંભમાં ભારત અને વિશ્વના લોકોએ ભારતની સામૂહિક શક્તિની વિશાળ સંભાવના જોઈ છે. આપણે હવે આ આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ અને વિકસિત ભારત બનાવવા માટે પોતાને સમર્પિત કરવું જોઈએ.

અગાઉ, ભક્તિ આંદોલનના સંતોએ સમગ્ર ભારતમાં આપણા સામૂહિક સંકલ્પની શક્તિને ઓળખી અને પ્રોત્સાહન આપ્યું હતું. સ્વામી વિવેકાનંદથી લઈને શ્રી અરવિંદ સુધી, દરેક મહાન વિચારકે આપણને આપણા સામૂહિક સંકલ્પની શક્તિની યાદ અપાવી હતી. મહાત્મા ગાંધીએ પણ સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેનો અનુભવ કર્યો હતો. સ્વતંત્રતા પછી, જો આ સામૂહિક શક્તિને યોગ્ય રીતે ઓળખવામાં આવી હોત અને તેનો ઉપયોગ બધાના કલ્યાણ માટે કરવામાં આવ્યો હોત તો તે નવા સ્વતંત્ર રાષ્ટ્ર માટે એક મહાન શક્તિ બની હોત. દુર્ભાગ્યથી તે પહેલાં કરવામાં આવ્યું ન હતું. પરંતુ હવે, વિકસિત ભારત માટે લોકોની આ સામૂહિક શક્તિ જે રીતે એક સાથે આવી રહી છે તે જોઈને મને આનંદ થાય છે.

વેદોથી વિવેકાનંદ સુધી, પ્રાચીન શાસ્ત્રોથી આધુનિક ઉપગ્રહો સુધી, ભારતની મહાન પરંપરાઓએ આ રાષ્ટ્રને ઘડ્યું છે. એક નાગરિક તરીકે હું પ્રાર્થના કરું છું કે આપણે આપણા પૂર્વજો અને સંતોની યાદોમાંથી નવી પ્રેરણા મેળવીએ. આ એકતાનો મહાકુંભ આપણને નવા સંકલ્પો સાથે આગળ વધવામાં મદદ કરે. ચાલો આપણે એકતાને આપણો માર્ગદર્શક સિદ્ધાંત બનાવીએ. ચાલો આપણે એ સમજ સાથે કાર્ય કરીએ કે રાષ્ટ્રની સેવા એ પરમાત્માની સેવા છે.

કાશીમાં મારી ચૂંટણી પ્રચાર દરમિયાન, મેં કહ્યું હતું કે, "મા ગંગાએ મને બોલાવ્યો છે." આ ફક્ત એક ભાવના જ નહીં, પણ આપણી પવિત્ર નદીઓની સ્વચ્છતા પ્રત્યે જવાબદારીનું આહ્વાન પણ હતું. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર ઊભા રહીને મારો સંકલ્પ વધુ મજબૂત બન્યો. આપણી નદીઓની સ્વચ્છતા આપણા પોતાના જીવન સાથે ઊંડે સુધી જોડાયેલી છે. આપણી નાની કે મોટી નદીઓને જીવનદાતા માતા તરીકે ઉજવવાની જવાબદારી આપણી છે. આ મહાકુંભ આપણને આપણી નદીઓની સ્વચ્છતા માટે કામ કરતા રહેવાની પ્રેરણા આપે છે.

મને ખબર છે કે આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવું સરળ કાર્ય નહોતું. જો આપણી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ હોય તો હું મા ગંગા, મા યમુના અને મા સરસ્વતીને પ્રાર્થના કરું છું કે, તેઓ આપણને માફ કરે. હું જનતા જનાર્દનને દિવ્યતાનું સ્વરૂપ માનું છું. જો તેમની સેવા કરવાના અમારા પ્રયત્નોમાં કોઈ ખામી રહી ગઈ હોય, તો હું જનતાની પણ ક્ષમા માંગુ છું.

કરોડો લોકો ભક્તિની ભાવના સાથે મહાકુંભમાં આવ્યા હતા. તેમની સેવા કરવી એ પણ એક જવાબદારી હતી જે ભક્તિની ભાવના સાથે નિભાવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના સંસદ સભ્ય તરીકે હું ગર્વથી કહી શકું છું કે, યોગીજીના નેતૃત્વમાં, વહીવટ અને લોકોએ આ એકતા કા મહાકુંભને સફળ બનાવવા માટે સાથે મળીને કામ કર્યું. રાજ્ય હોય કે કેન્દ્ર, કોઈ શાસક કે વહીવટકર્તા નહોતા અને તેના બદલે દરેક જણ સમર્પિત સેવક હતા. સ્વચ્છતા કર્મચારીઓ, પોલીસ, હોડીચાલક, ડ્રાઇવર, ભોજન પીરસનારા - બધાએ અથાક મહેનત કરી. પ્રયાગરાજના લોકોએ ઘણી બધી અસુવિધાઓનો સામનો કરવા છતાં ખુલ્લા દિલે યાત્રાળુઓનું સ્વાગત જે રીતે કર્યું તે ખાસ કરીને પ્રેરણાદાયક હતું. હું તેમનો અને ઉત્તર પ્રદેશના લોકોનો હૃદયપૂર્વક આભાર અને પ્રશંસા વ્યક્ત કરું છું.


મને હંમેશા આપણા રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યમાં અતૂટ વિશ્વાસ રહ્યો છે. આ મહાકુંભના સાક્ષી બનવાથી મારી શ્રદ્ધા અનેક ગણી મજબૂત થઈ છે.

જે રીતે 140 કરોડ ભારતીયોએ એકતા કા મહાકુંભને વૈશ્વિક પ્રસંગમાં ફેરવ્યો તે ખરેખર અદ્ભુત છે. આપણા લોકોના સમર્પણ, ભક્તિ અને પ્રયત્નોથી પ્રેરિત થઈને હું ટૂંક સમયમાં શ્રી સોમનાથની મુલાકાત લઈશ, જે 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે. જેથી હું આ સામૂહિક રાષ્ટ્રીય પ્રયાસોના ફળ તેમને અર્પણ કરી શકું અને દરેક ભારતીય માટે પ્રાર્થના કરી શકું.

મહાકુંભનું ભૌતિક સ્વરૂપ ભલે મહાશિવરાત્રી પર સફળતાપૂર્વક પૂર્ણ થયું હોય, પરંતુ ગંગાના શાશ્વત પ્રવાહની જેમ મહાકુંભથી જાગૃત થયેલી આધ્યાત્મિક શક્તિ, રાષ્ટ્રીય ચેતના અને એકતા આવનારી પેઢીઓ સુધી આપણને પ્રેરણા આપતી રહેશે.