મુખ્યમંત્રીશ્રીની સાહિત્યકાર-કવિશ્રી સુરેશ દલાલને શ્રધ્ધાંજલિ

વિશ્વના સાહિત્ય પ્રવાહમાં ગુજરાતી સાહિત્યનું ગૌરવ ઝરણું વહેતું રાખનાર જિંદાદિલ વ્યકિતત્વ સ્વ.

સુરેશભાઇની અણધારી વિદાય આધાત જનક છે

અમદાવાદઃ શનિવારઃ મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુપ્રસિધ્ધ સાહિત્યકાર-કવિ શ્રી સુરેશ દલાલના અચાનક થયેલા દુઃખદ નિંધન અંગે ઊંડા શોક અને ધેરા આધાતની લાગણી વ્યકત કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્વ. સુરેશ દલાલને શ્રધ્ધાંજલિ પાઠવતા જણાવ્યું કે, વિશ્વના બધા જ સાહિત્ય પ્રવાહોમાં હળી મળીને ચાલવાની તથા અન્ય ભાષાઓના સાહિત્ય જેમજ વિશ્વમાં ગુજરાતી સાહિત્યના પ્રવાહનું ઝરણું ખળખળ વહેતું રાખનારા આજીવન તપસ્વી વ્યકિતત્વની અચાનક વિદાય ન કલ્પી શકાય તેવો આધાત છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વ. સુરેશ દલાલના જિંદાદિલ વ્યકિતત્વ, શબ્દના સાધક અને સાહિત્યને સમર્પિત જીવનની પ્રસંશા કરતા જણાવ્યું કે, સ્વ. સુરેશ દલાલની વિદાયથી સમગ્ર સાહિત્ય જગત, ગુજરાતી સાહિત્ય પ્રેમીઓ અને ભાષાના ચાહકો તથા વિચારવંત દુનિયાને કદી ન પૂરાય તેવી ખોટ પડી છે.

મુખ્ય મંત્રીશ્રીએ સ્વ. સુરેશ દલાલની ચિરવિદાયની પૂર્વ સંધ્યાએ તેમની સાથે થયેલી વાતચીતના સંસ્મરણો યાદ કરતા જણાવ્યું કે, તેઓએ પોતાના ભાવિ આયોજન વિશે વાત કરતા મને પણ તે માટે લેખ લખવા આગ્રહ પૂર્વક અનુરોધ કર્યો હતો. સ્વ. સુરેશભાઇના વડિલ વાત્સલ્ય ભાવ પ્રત્યે મુખ્યમંત્રીશ્રીએ આદરાંજલિ વ્યકત કરી છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Make in India Electronics: Cos create 1.33 million job as PLI scheme boosts smartphone manufacturing & exports

Media Coverage

Make in India Electronics: Cos create 1.33 million job as PLI scheme boosts smartphone manufacturing & exports
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...