પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે દેશમાં સાર્વજનિક Wi-Fi નેટર્વક દ્વારા બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓના ફેલાવામાં વધારો કરવા માટે સમગ્ર દેશમાં ફેલાયેલી સાર્વજનિક ડેટા કચેરીઓ (PDO) મારફતે સાર્વજનિક Wi-Fi સેવા પૂરી પાડવા માટે સાર્વજનિક ડેટા કચેરી એકત્રકારો (PDOA) દ્વારા સાર્વજનિક Wi-Fi નેટવર્ક્સ ઉભા કરવા માટેના DoT ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સાર્વજનિક Wi-Fi નેટવર્ક્સ દ્વારા બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવા માટે કોઇ લાઇસન્સ ફી લેવામાં આવશે નહીં.

આ પ્રસ્તાવથી દેશમાં સાર્વજનિક Wi-Fi નેટવર્કની વૃદ્ધિને પ્રોત્સાહન મળશે અને તેના કારણે, બ્રોડબેન્ડ નેટવર્કના ફેલાવામાં મદદ મળશે અને લોકોની આવકમાં વધારો થશે અને રોજગારી તેમજ સશક્તિકરણમાં વધારો થશે.

મુખ્ય વિશેષતાઓ:

આ સાર્વજનિક Wi-Fi ઍક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ PM-WANI તરીકે ઓળખાય છે. PM-WANI ઇકો-સિસ્ટમ અહીં નીચે ઉલ્લેખ કરેલી વિવિધ સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવશે:

  • સાર્વજનિક ડેટા કચેરી (PDO): તેઓ માત્ર WANI સુસંગત Wi-Fi ઍક્સેસ પોઇન્ટ્સ સ્થાપિત કરશે, જાળવણી કરશે અને તેનું પરિચાલન કરશે તેમજ સબસ્ક્રાઇબર્સને બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડશે.
  • સાર્વજનિક ડેટા કચેરી એકત્રકાર (PDOA): તેઓ PDOના એકત્રકાર રહેશે અને પ્રમાણીકરણ તેમજ એકાઉન્ટિંગ સંબંધિત કામગીરીઓ સંભાળશે.
  • એપ પ્રદાતા: તેઓ વપરાશકર્તાને નોંધણી કરાવવા માટે એપ્લિકેશન તૈયાર કરશે અને આસપાસના વિસ્તારોમાં WANI માટે સુસંગત Wi-Fi હોટસ્પોટ્સ શોધશે અને ઇન્ટરનેટ સેવાઓનો ઍક્સેસ મેળવવા માટે તેને એપ્લિકેશનમાં પ્રદર્શિત કરશે.
  • સેન્ટ્રલ રજીસ્ટ્રી: તે એપ પ્રદાતા, PDOA, અને PDOની વિગતો રાખશે. શરૂઆતથી સેન્ટ્રલ રજીસ્ટ્રી C-DoT દ્વારા જાળવવામાં આવશે.

હેતુઓ

PDO, PDOA માટે કોઇ નોંધણીની જરૂર નહીં પડે અને એપ પ્રદાતા DoTના ઑનલાઇન નોંધણી પોર્ટલ (SARALSANCHAR; https://saralsanchar.gov.in) દ્વારા પોતાની જાતે જ DoT સાથે નોંધણી કરાવી શકશે જેમાં કોઇપણ પ્રકારની નોંધણી ફી લેવામાં આવશે નહીં. અરજી કર્યા પછી 7 દિવસમાં નોંધણીને માન્યતા આપવામાં આવશે.

સરળતાથી વ્યવસાય થઇ શકે તે માટે આ વધુ વ્યવસાય અનુકૂળ અને અનુરૂપ રહેશે જેવી અપેક્ષા છે. કોવિડ-19 મહામારીના કારણે જ્યાં 4G મોબાઇલ કવરેજ ઉપલબ્ધ નથી તેવા વિસ્તારો સહિત સમગ્ર દેશમાં ખૂબ જ મોટી સંખ્યામાં વધી રહેલા સબસ્ક્રાઇબર્સને સ્થિર અને હાઇ સ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ (ડેટા) સેવા આપવાની જરૂરિયાત ઉભી થઇ છે. સાર્વજનિક Wi-Fi લગાવીને આ જરૂરિયાતને પૂરી કરી શકાય તેમ છે.

વધુમાં, સાર્વજનિક Wi-Fiના ફેલાવાથી રોજગારીનું સર્જન થવાની સાથે-સાથે, નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકોના હાથમાં પણ નિકાલજોગ આવકમાં વધારો થશે જેથી એકંદરે દેશના GDPને વેગ મળશે.

સાર્વજનિક Wi-Fi દ્વારા બ્રોડબેન્ડ સેવાઓનો ફેલાવો એ ડિજિટલ ઇન્ડિયાની દિશામાં એક પગલું છે અને તેના પરિણામલક્ષી લાભો પણ છે.

સાર્વજનિક Wi-Fi હોટસ્પોટ્સનો ઉપયોગ કરીને પૂરી પાડવામાં આવતી બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા માટે કોઇ લાઇસન્સ ફી લેવામાં આવશે નહીં જેનાથી તેના ફેલાવાને ખૂબ જ મોટું પ્રોત્સાહન મળશે અને સમગ્ર દેશમાં તે સ્થાપિત થશે. બ્રોડબેન્ડની ઉપલબ્ધતા અને ઉપયોગના કારણે આવક, રોજગારી અને જીવનની ગુણવત્તા, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વગેરેમાં વધારો થશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Budget 2026-27 lays blueprint for a future-ready digital ecosystem

Media Coverage

Budget 2026-27 lays blueprint for a future-ready digital ecosystem
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares a Sanskrit Subhashitam emphasising the Power of Self-Confidence in Building a Developed India
February 03, 2026

Prime Minister Shri Narendra Modi today shared a Sanskrit Subhashitam emphasizing the transformative role of self-confidence in realizing the vision of a developed India.

In a post on X, he wrote:

"आत्मविश्वास वह शक्ति है, जिसके बल पर सब कुछ संभव है। विकसित भारत के सपने को साकार करने में देशवासियों की यही शक्ति बहुत काम आने वाली है।

श्रीर्मङ्गलात् प्रभवति प्रागल्भ्यात् सम्प्रवर्धते।

दाक्ष्यात् तु कुरुते मूलं संयमात् प्रतितिष्ठति॥ "