પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ નવોદય વિદ્યાલય યોજના (કેન્દ્રીય ક્ષેત્રની યોજના) હેઠળ દેશનાં આવરી ન લેવાયેલાં જિલ્લાઓમાં 28 નવોદય વિદ્યાલય (એનવી) સ્થાપિત કરવાની મંજૂરી આપી છે. આ 28 એનવીની સૂચિ જોડવામાં આવી છે.

વર્ષ 2024-25થી 2028-29 સુધીનાં પાંચ વર્ષનાં ગાળામાં 28 એનવીની સ્થાપના માટે ભંડોળની કુલ અંદાજિત જરૂરિયાત રૂ. 2359.82 કરોડ છે. તેમાં રૂ. 1944.19 કરોડના મૂડીગત ખર્ચ ઘટક અને રૂ. 415.63 કરોડના કાર્યકારી ખર્ચનો સમાવેશ થાય છે.

પ્રોજેક્ટના અમલીકરણ માટેના વહીવટી માળખામાં 560 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે એક સંપૂર્ણ એનવી ચલાવવા માટે સમિતિ દ્વારા નિર્ધારિત ધારાધોરણોની સમકક્ષ જગ્યાઓ ઊભી કરવાની જરૂર પડશે. તેથી, 560 x 28 = 15680 વિદ્યાર્થીઓને લાભ થશે. પ્રચલિત ધારાધોરણો મુજબ, સંપૂર્ણ એનવી 47 વ્યક્તિઓને રોજગારી પૂરી પાડે છે અને તે મુજબ, મંજૂર થયેલા 28 નવોદય વિદ્યાલયો 1316 વ્યક્તિઓને સીધી કાયમી રોજગારી પૂરી પાડશે. શાળાનું માળખું ઊભું કરવા માટે બાંધકામ અને આનુષંગિક પ્રવૃત્તિઓથી ઘણાં કુશળ અને અકુશળ કામદારો માટે રોજગારીની તકો ઊભી થવાની શક્યતા છે. દરેક નવોદય વિદ્યાલય તેના રહેણાંક સ્વરૂપને કારણે સ્થાનિક વિક્રેતાઓને ખોરાક, ઉપભોક્તા ચીજવસ્તુઓ, ફર્નિચર, શિક્ષણ સામગ્રી વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની તકો ઊભી કરશે તથા વાળંદ, દરજી મોચી, ઘરકામ અને સુરક્ષા સેવાઓ માટે માનવબળ વગેરે જેવા સ્થાનિક સેવા પ્રદાતાઓ માટે તકો ઊભી કરશે.

એનવી સંપૂર્ણપણે નિવાસી, સહ-શૈક્ષણિક શાળાઓ છે, જે પ્રતિભાશાળી બાળકોને છઠ્ઠાથી બારમા ધોરણ સુધી સારી ગુણવત્તાનું આધુનિક શિક્ષણ પ્રદાન કરે છે, જે મુખ્યત્વે તેમના પરિવારની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે. આ શાળાઓમાં સિલેક્શન ટેસ્ટના આધારે પ્રવેશ આપવામાં આવે છે.એનવીમાં દર વર્ષે લગભગ 49,640 વિદ્યાર્થીઓને છઠ્ઠા ધોરણમાં પ્રવેશ આપવામાં આવે છે.

અત્યાર સુધી, દેશભરમાં 661 મંજૂર કરાયેલી એનવી છે [જેમાં એસસી/એસટીની વસતિ વધારે પ્રમાણમાં ધરાવતા 20 જિલ્લાઓમાં બીજા એનવી અને 3 વિશેષ એનવી સામેલ છે]. તેમાંથી 653 એનવી કાર્યરત છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુસરીને, લગભગ તમામ નવોદય વિદ્યાલયોને પીએમ શ્રી સ્કૂલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે એનઇપી 2020ના અમલીકરણને પ્રદર્શિત કરે છે અને અન્ય લોકો માટે ઉદાહરણરૂપ શાળાઓ તરીકે કામ કરે છે. આ યોજનાની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે અને દર વર્ષે એનવીમાં છઠ્ઠા ધોરણમાં પ્રવેશ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. તાજેતરના વર્ષોમાં, નવોદય વિદ્યાલયોમાં છોકરીઓ (42 ટકા), તેમજ એસસી (24 ટકા), એસટી (20 ટકા) અને ઓબીસી (39 ટકા) બાળકોની નોંધણીમાં વધારો થયો છે, જેથી ગુણવત્તાયુક્ત શિક્ષણ તમામ માટે સુલભ બને તે સુનિશ્ચિત થયું છે.

સીબીએસઈ દ્વારા લેવામાં આવતી બોર્ડની પરીક્ષાઓમાં નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓની કામગીરી તમામ શૈક્ષણિક વ્યવસ્થાઓમાં સતત શ્રેષ્ઠ રહી છે. એનવીના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, મેડિકલ સાયન્સ, સશસ્ત્ર દળો, સિવિલ સર્વિસીસ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે, જે શહેરી ભારતની શ્રેષ્ઠ પ્રતિભાઓની સમકક્ષ છે.

 

પરિશિષ્ટ

 

ક્રમ

રાજ્યનું નામ

જિલ્લાનું નામ જેમાં એનવી મંજૂર કરવામાં આવ્યા

 

 

 

 

અરુણાચલ પ્રદેશ

અપર સુબાન્સીરી

 

ક્રાડાડી

 

લેપા ટ્રેઈલ

 

નીચું સિયાંગ

 

લોહિત

 

પાર્સલ- કેસાંગ

 

શી-યોમી

 

સિયાંગ

 

 

 

આસામ

સોનીતપુર

 

ચારાઈડો

 

હોજાઈ

 

માજુલી

 

દક્ષિણ સલમારા માનકાચર

 

પશ્ચિમ કાર્બિયાન્ગલોંગ

 

 

 

મણિપુર

થોઉબલ

 

કાંગપોકી

 

નોઈલી

 

કર્ણાટક

બેલેરી

 

મહારાષ્ટ્ર

થાણે

 

 

 

 

 

 

 

તેલંગાણા

જગીટીઆલ

 

નિઝામાબાદ

 

કોથાગુડેમ ભદ્રદ્રી

 

મેડચલ મલ્કાજગિરી

 

મહાબુબનગર

 

સંગારેડ્ડી

 

સૂર્યપેટ

 

 

પશ્ચિમ બંગાળ

પૂર્વ બર્દવાન

 

ઝારગ્રામ

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Vehicles, copper, steel drive 4.86% rise in FY26 engineering exports to $122.4 billion

Media Coverage

Vehicles, copper, steel drive 4.86% rise in FY26 engineering exports to $122.4 billion
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM greets public representatives across the country on the occasion of Panchayati Raj Day
April 24, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam highlighting the the essence of people’s representative:

“प्रजासुखे सुखं राज्ञः प्रजानां च हिते हितम्।

नात्मप्रियं प्रियं राज्ञः प्रजानां तु प्रियं प्रियम्॥"

The Subhashitam conveys, "The happiness of the people’s representative lies in the happiness of the people; his welfare lies in the welfare of the people. People’s representative has no personal favourites. Whatever is dear to the people is what is dear to him."

Shri Modi also greeted public representatives across the country on the occasion of Panchayati Raj Day,today. "Your dedication to public service and service to the nation is truly inspiring for everyone" Shri Modi remarked.

The Prime Minister wrote on X;

“पंचायती राज दिवस के अवसर पर देशभर के जनप्रतिनिधियों का हार्दिक अभिनंदन! जनसेवा के साथ राष्ट्रसेवा के प्रति आप सभी का समर्पण हर किसी को प्रेरित करने वाला है।

प्रजासुखे सुखं राज्ञः प्रजानां च हिते हितम्।

नात्मप्रियं प्रियं राज्ञः प्रजानां तु प्रियं प्रियम्॥"