10.25 ટકાના બેઝિક રિકવરી રેટ માટે શેરડીની એફઆરપી 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે
રિકવરીમાં 10.25 ટકાથી વધુના દરે 0.1 ટકાના વધારા માટે ક્વિન્ટલ દીઠ રૂ. 3.32નું પ્રીમિયમ પૂરું પાડવામાં આવ્યું છે
9.5 ટકા કે તેથી ઓછી રિકવરી ધરાવતી સુગર ફેક્ટરીઓ માટે નિયત એફઆરપી પ્રતિ ક્વિન્ટલ રૂ.315.10 પર આવી છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ ખાંડની સિઝન 2024-25 માટે શેરડીના વાજબી અને વળતરદાયક ભાવ (એફઆરપી)ને 10.25 ટકાના દરે રૂ. 340/ક્વિન્ટલના ભાવે મંજૂરી આપી હતી. શેરડીનો આ ઐતિહાસિક ભાવ છે જે વર્તમાન સીઝન 2023-24 માટે શેરડીના એફઆરપી કરતા લગભગ 8 ટકા વધારે છે. સંશોધિત એફઆરપી 01 ઓક્ટોબર 2024થી લાગુ થશે.

શેરડીના એ2+એફએલ ખર્ચ કરતા 107 ટકા વધારે નવી એફઆરપી શેરડીના ખેડૂતોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે. નોંધનીય છે કે ભારત પહેલેથી જ વિશ્વમાં શેરડીની સૌથી વધુ કિંમત ચૂકવી રહ્યું છે અને તેમ છતાં સરકાર ભારતના ઘરેલુ ગ્રાહકોને વિશ્વની સૌથી સસ્તી ખાંડ સુનિશ્ચિત કરી રહી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી શેરડીના 5 કરોડથી વધુ ખેડૂતો (પરિવારના સભ્યો સહિત) અને ખાંડ ક્ષેત્ર સાથે સંકળાયેલા લાખો અન્ય લોકોને લાભ થશે. તે ખેડૂતોની આવક બમણી કરવા માટે મોદી કી ગેરંટીની પૂર્તિની પુષ્ટિ કરે છે.

આ મંજૂરી સાથે શુગર મિલો 10.25 ટકાની રિકવરી પર શેરડીની એફઆરપી ₹ 340/ક્વિન્ટલ ચૂકવશે. રિકવરીના પ્રત્યેક 0.1 ટકાના વધારા સાથે ખેડૂતોને ₹3.32ના વધારાના ભાવ મળશે જ્યારે રિકવરીમાં 0.1 ટકાનો ઘટાડો થવા પર તેટલી જ રકમ કાપવામાં આવશે. જો કે ₹ 315.10/ક્વિન્ટલ શેરડીનો લઘુત્તમ ભાવ છે જે 9.5%ની રિકવરી પર છે. ખાંડની રિકવરી ઓછી હોય તો પણ ખેડૂતોને ₹ 315.10/ક્વિન્ટલના દરે એફઆરપીની ખાતરી આપવામાં આવે છે.

છેલ્લા 10 વર્ષોમાં, મોદી સરકારે સુનિશ્ચિત કર્યું છે કે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ સમયસર મળે. અગાઉની ખાંડની સિઝન 2022-23ની 99.5 ટકા શેરડીની બાકી નીકળતી રકમ અને ખાંડની અન્ય તમામ સિઝનના 99.9 ટકા ખેડૂતોને પહેલેથી જ ચૂકવવામાં આવે છે, જેના કારણે ખાંડ ક્ષેત્રના ઇતિહાસમાં સૌથી ઓછું શેરડીનું એરિયર્સ બાકી છે. સરકાર દ્વારા સમયસર નીતિગત હસ્તક્ષેપો સાથે, ખાંડ મિલો આત્મનિર્ભર બની ગઈ છે અને એસએસ 2021-22 થી સરકાર દ્વારા તેમને કોઈ નાણાકીય સહાય આપવામાં આવી રહી નથી. તેમ છતાં, કેન્દ્ર સરકારે ખેડૂતોને શેરડીની 'એફઆરપી અને સુનિશ્ચિત ખરીદી' સુનિશ્ચિત કરી છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
21% YoY rise in engineering exports in June shows sector's resilience amid global challenges: EEPC India Chairman

Media Coverage

21% YoY rise in engineering exports in June shows sector's resilience amid global challenges: EEPC India Chairman
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 જુલાઈ 2026
July 14, 2026

From Local Fields to Global Recognition: PM Modi’s ‘Vocal for Local’ is Now Delivering Real Global Respect