તમામ ક્ષેત્રોમાં રોજગાર સર્જન, રોજગારક્ષમતા અને સામાજિક સુરક્ષા વધારવા માટેની યોજના
ઉત્પાદન ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું અને પ્રથમ વખત કામ કરતા કર્મચારીઓ માટે પ્રોત્સાહનો
પ્રથમ વખત કામ કરતા કર્મચારીઓને બે હપ્તામાં એક મહિનાનું વેતન રૂ. 15,000/- સુધી મળશે
રૂ. એક લાખ કરોડના ખર્ચ સાથે બે વર્ષમાં 3.5 કરોડથી વધુ નોકરીઓ માટે રોજગાર સર્જનને ટેકો આપવાની યોજના

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળે રોજગાર નિર્માણ, રોજગારક્ષમતા વધારવા અને તમામ ક્ષેત્રોમાં સામાજિક સુરક્ષાને ટેકો આપવા માટે રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન (ELI) યોજનાને મંજૂરી આપી છે.  જેમાં ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ યોજના હેઠળ, જ્યારે પહેલી વાર કામ કરનારા કર્મચારીઓને એક મહિનાનો પગાર (રૂ. 15,000/- સુધી) મળશે, ત્યારે નોકરીદાતાઓને વધારાની રોજગારીનું સર્જન કરવા માટે બે વર્ષ સુધીના સમયગાળા માટે પ્રોત્સાહનો આપવામાં આવશે. જેમાં ઉત્પાદન ક્ષેત્ર માટે બીજા બે વર્ષ માટે વિસ્તૃત લાભો આપવામાં આવશે. ELI યોજનાની જાહેરાત કેન્દ્રીય બજેટ 2024-25માં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકોને સરળ બનાવવા માટે પાંચ યોજનાઓના પેકેજના ભાગ રૂપે કરવામાં આવી હતી, જેનો કુલ બજેટ ખર્ચ રૂ. 2 લાખ કરોડ છે.

99,446 કરોડ રૂપિયાના ખર્ચ સાથે, ELI યોજનાનો ઉદ્દેશ્ય બે વર્ષના સમયગાળામાં દેશમાં 3.5 કરોડથી વધુ નોકરીઓના સર્જનને પ્રોત્સાહન આપવાનો છે. આમાંથી 1.92 કરોડ લાભાર્થીઓ પહેલી વાર નોકરીમાં પ્રવેશ કરશે. આ યોજનાના લાભો 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ, 2027ની વચ્ચે સર્જાયેલી નોકરીઓ પર લાગુ થશે.

આ યોજનામાં બે ભાગો છે જેમાં ભાગ A પહેલી વાર નોકરી કરતા લોકો પર કેન્દ્રિત છે અને ભાગ B નોકરીદાતાઓ પર કેન્દ્રિત છે:

ભાગ A: પહેલી વાર કર્મચારીઓને પ્રોત્સાહન:

EPFO સાથે નોંધાયેલા પહેલી વાર કર્મચારીઓને લક્ષ્ય બનાવતા, આ ભાગ બે હપ્તામાં 15,000 રૂપિયા સુધીનો એક મહિનાનો EPF પગાર ઓફર કરશે. 1 લાખ રૂપિયા સુધીનો પગાર ધરાવતા કર્મચારીઓ પાત્ર રહેશે. પહેલો હપ્તો 6 મહિનાની સેવા પછી ચૂકવવાપાત્ર રહેશે અને બીજો હપ્તો 12 મહિનાની સેવા અને કર્મચારી દ્વારા નાણાકીય સાક્ષરતા કાર્યક્રમ પૂર્ણ થયા પછી ચૂકવવાપાત્ર રહેશે. બચત કરવાની આદતને પ્રોત્સાહન આપવા માટે, પ્રોત્સાહનનો એક ભાગ ચોક્કસ સમયગાળા માટે ડિપોઝિટ એકાઉન્ટના બચત સાધનમાં રાખવામાં આવશે અને કર્મચારી પછીની તારીખે ઉપાડી શકશે.

ભાગ A થી લગભગ 1.92 કરોડ પહેલી વાર કામ કરતા કર્મચારીઓને ફાયદો થશે.

ભાગ B: નોકરીદાતાઓને સહાય:

આ ભાગમાં તમામ ક્ષેત્રોમાં વધારાની રોજગારીનું સર્જન કરવામાં આવશે, જેમાં ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નોકરીદાતાઓને 1 લાખ રૂપિયા સુધીના પગારવાળા કર્મચારીઓના સંદર્ભમાં પ્રોત્સાહનો મળશે. સરકાર ઓછામાં ઓછા છ મહિના સુધી સતત રોજગાર ધરાવતા દરેક વધારાના કર્મચારી માટે નોકરીદાતાઓને બે વર્ષ માટે દર મહિને 3000 રૂપિયા સુધી પ્રોત્સાહન આપશે. ઉત્પાદન ક્ષેત્ર માટે, પ્રોત્સાહનો 3જા અને 4થા વર્ષ સુધી પણ લંબાવવામાં આવશે.

EPFO સાથે નોંધાયેલા સંસ્થાઓએ ઓછામાં ઓછા છ મહિના માટે સતત ધોરણે ઓછામાં ઓછા બે વધારાના કર્મચારીઓ (50 થી ઓછા કર્મચારીઓ ધરાવતા નોકરીદાતાઓ માટે) અથવા પાંચ વધારાના કર્મચારીઓ (50 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતા નોકરીદાતાઓ માટે) રાખવા પડશે.

પ્રોત્સાહન માળખું નીચે મુજબ હશે:

વધારાના કર્મચારીના EPF વેતન સ્લેબ

નોકરીદાતાને લાભ (દર મહિને વધારાની રોજગાર દીઠ)

10,000 રૂપિયા સુધી*

1,000 રૂપિયા સુધી

10,000 રૂપિયાથી વધુ અને 20,000 રૂપિયા સુધી

2,000 રૂપિયા

20,000 રૂપિયાથી વધુ (1 લાખ રૂપિયા/મહિનાના પગાર સુધી)

3,000 રૂપિયા

*10,000 રૂપિયા સુધીના EPF વેતન ધરાવતા કર્મચારીઓને પ્રમાણસર પ્રોત્સાહન મળશે.

આ ભાગ નોકરીદાતાઓને લગભગ 2.60 કરોડ વ્યક્તિઓને વધારાની રોજગારીનું સર્જન કરવા માટે પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે.

પ્રોત્સાહન ચૂકવણી પદ્ધતિ:

યોજનાના ભાગ A હેઠળ પ્રથમ વખત કામ કરતા કર્મચારીઓને તમામ ચૂકવણીઓ આધાર બ્રિજ પેમેન્ટ સિસ્ટમ (ABPS) નો ઉપયોગ કરીને DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) મોડ દ્વારા કરવામાં આવશે. ભાગ B હેઠળ નોકરીદાતાઓને ચૂકવણી સીધી તેમના PAN-લિંક્ડ એકાઉન્ટ્સમાં કરવામાં આવશે.

ELI યોજના સાથે, સરકાર તમામ ક્ષેત્રોમાં, ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં રોજગાર સર્જનને ઉત્પ્રેરિત કરવાનો ઇરાદો ધરાવે છે. ઉપરાંત પ્રથમ વખત કાર્યબળમાં જોડાતા યુવાનોને પ્રોત્સાહન આપવાનો પણ ઇરાદો ધરાવે છે. આ યોજનાનું એક મહત્વપૂર્ણ પરિણામ એ પણ હશે કે કરોડો યુવાનો અને મહિલાઓ માટે સામાજિક સુરક્ષા કવચનો વિસ્તાર કરીને દેશના કાર્યબળનું ઔપચારિકરણ કરવામાં આવશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'There could be no Netflix globally without India': Ted Sarandos on growth, cricket and AI

Media Coverage

'There could be no Netflix globally without India': Ted Sarandos on growth, cricket and AI
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi shares Sanskrit Subhashitam recognizing Earth as the nurturing mother of all life
August 06, 2026

The Prime Minister, Shri Narendra Modi today shared Sanskrit Subhashitam emphasising that humanity may live in harmony with the Earth, as earth is the nurturing mother of all life and the moral order that sustains her should be respected.

The Prime Minister shared a Sanskrit verse-

विश्वस्वं मातरमोषधीनां ध्रुवां भूमिं पृथिवीं धर्मणा धृताम्।

शिवां स्योनामनु चरेम विश्वहा॥

The Prime Minister posted on X:

विश्वस्वं मातरमोषधीनां ध्रुवां भूमिं पृथिवीं धर्मणा धृताम्।

शिवां स्योनामनु चरेम विश्वहा॥