પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 01.04.2023થી 31.03.2026 સુધી કેન્દ્ર પ્રાયોજિત વિશેષ અદાલત (એફટીએસસી)ને ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે, જેની નાણાકીય અસર રૂ. 1952.23 કરોડ (કેન્દ્રીય હિસ્સા તરીકે રૂ. 1207.24 કરોડ અને રાજ્યના હિસ્સા તરીકે રૂ. 744.99 કરોડ) થશે. નિર્ભયા ફંડમાંથી સેન્ટ્રલ શેરને ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ યોજના 02.10.2019ના રોજ શરૂ કરવામાં આવી હતી.

મહિલાઓ અને બાળકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાની દિશામાં સરકારની અવિરત અગ્રતા 'બેટી બચાઓ, બેટી પઢાઓ' કાર્યક્રમ જેવી અનેક પહેલો દ્વારા સ્પષ્ટ થાય છે. બાળકીઓ અને મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓએ દેશ પર ઉંડી અસર કરી છે. આ પ્રકારની ઘટનાઓની વારંવારની અને અપરાધીઓની લાંબી સુનાવણીને કારણે એક સમર્પિત અદાલતી પ્રણાલીની સ્થાપના કરવી જરૂરી બની હતી, જે ટ્રાયલને ઝડપી બનાવવા અને જાતીય ગુનાઓનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક રાહત પૂરી પાડવા માટે સક્ષમ હોય. આના પરિણામે, કેન્દ્ર સરકારે "ધ ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) એક્ટ, 2018" બનાવ્યો હતો, જેમાં દુષ્કર્મના ગુનેગારોને મૃત્યુદંડ સહિત કડક સજાનો સમાવેશ થાય છે, જે ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ્સ (એફટીએસસી)ની રચના તરફ દોરી જાય છે.

એફટીએસસીની રચના સમર્પિત અદાલતો તરીકે કરવામાં આવી છે, જે ન્યાયના ઝડપી વિતરણને સુનિશ્ચિત કરશે તેવી અપેક્ષા છે, જે જાતીય અપરાધીઓ માટે નિવારણ માળખાને મજબૂત કરવાની સાથે પીડિતોને ઝડપી રાહત પ્રદાન કરશે.

યુનિયન ઓફ ઇન્ડિયાએ ઓગસ્ટ, 2019માં દુષ્કર્મ અને બાળકોનાં યૌન અપરાધ સંરક્ષણ ધારા (પોક્સો એક્ટ) સાથે સંબંધિત કેસોનાં સમયસર નિકાલ માટે એફટીએસસી સ્થાપિત કરવા માટે કેન્દ્ર પ્રાયોજિત યોજના તૈયાર કરી હતી. ભારતની માનનીય સર્વોચ્ચ અદાલતના નિર્દેશોનું પાલન કરીને સુઓ મોટો રિટ પિટિશન (ફોજદારી) નં.1/2019 તારીખ 25.07.2019નાં રોજ આ યોજનામાં પોક્સો કાયદાનાં 100થી વધારે કેસો ધરાવતાં જિલ્લાઓ માટે વિશિષ્ટ પોક્સો અદાલતોની સ્થાપના કરવાની કામગીરી સુપરત કરવામાં આવી હતી. શરૂઆતમાં ઓક્ટોબર 2019માં એક વર્ષ માટે શરૂ થયેલી આ યોજનાને 31.03.2023 સુધી વધારાના બે વર્ષ માટે લંબાવવામાં આવી હતી. હવે તેને 31.03.2026 સુધી લંબાવવામાં આવી છે, જેમાં રૂ. 1952.23 કરોડનો નાણાકીય ખર્ચ થશે, જેમાં નિર્ભયા ફંડમાંથી કેન્દ્રીય હિસ્સાનું ભંડોળ પૂરું પાડવામાં આવશે.

કાયદા અને ન્યાય મંત્રાલયનાં ન્યાય વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી એફટીએસસીની કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના સમગ્ર દેશમાં એફટીએસસી સ્થાપિત કરવા માટે રાજ્ય સરકારનાં સંસાધનોમાં વધારો કરે છે, જેથી દુષ્કર્મ અને પોક્સો કાયદા સાથે સંબંધિત કેસોનો ઝડપથી નિકાલ સુનિશ્ચિત થાય છે.

30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ આ યોજનામાં ભાગ લીધો છે, જેમાં 761 એફટીએસસી કાર્યરત કરવામાં આવી છે, જેમાં 414 વિશિષ્ટ પોક્સો અદાલતો સામેલ છે, જેણે 1,95,000થી વધારે કેસોનું સમાધાન કર્યું છે. આ અદાલતો જાતીય અપરાધોનો ભોગ બનેલા લોકોને સમયસર ન્યાય પ્રદાન કરવાના રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકારના પ્રયાસોને ટેકો આપે છે. અંતરિયાળ અને દૂર-સુદૂરના વિસ્તારોમાં પણ.

આ યોજનાનાં અપેક્ષિત પરિણામો આ મુજબ છેઃ

  • જાતીય અને લિંગ-આધારિત હિંસાનો અંત લાવવા માટે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
  • દુષ્કર્મ અને પોક્સો એક્ટના પેન્ડિંગ કેસોમાં નોંધપાત્ર ઘટાડો, ન્યાયિક વ્યવસ્થા પરના ભારણને દૂર કરવા.
  • સુધારેલી સુવિધાઓ અને ઝડપી સુનાવણી દ્વારા જાતીય ગુનાઓનો ભોગ બનેલા લોકો માટે ન્યાયની ઝડપી પહોંચ સુનિશ્ચિત કરો.
  • કેસોનો ભાર મેનેજ કરી શકાય તેવી સંખ્યામાં ઓછો કરો.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Emerging cities see 42% growth in GCC jobs, outpacing metros: Report

Media Coverage

Emerging cities see 42% growth in GCC jobs, outpacing metros: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Tamil Nadu meets Prime Minister
May 27, 2026

Chief Minister of Tamil Nadu, Thiru C. Joseph Vijay met Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

The Prime Minister’s Office posted on X;

“Chief Minister of Tamil Nadu, Thiru @actorvijay met Prime Minister @narendramodi today.

@CMOTamilnadu”