પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે NH-752D ના બદનાવર-પેટલાવદ-થાંદલા-તિમરવાની સેક્શનના 80.45 કિલોમીટરની લંબાઈ ધરાવતા 4-લેન કોરિડોરના વિકાસને ₹3,839.42 કરોડના કુલ મૂડી ખર્ચ સાથે મંજૂરી આપી છે.

મંજૂર કરાયેલ કોરિડોર ઉજ્જૈનથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે (DME) પર તિમરવાની ઇન્ટરચેન્જ સુધી જોડાણ પૂરું પાડશે.

સૂચિત ફોર-લેન પ્રોજેક્ટ કોરિડોરનો પ્રાથમિક હેતુ મુસાફરીની કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે અને તેનાથી મુસાફરીના સમયમાં આશરે એક કલાકનો ઘટાડો થવાની અપેક્ષા છે. 70.40 કિમી લંબાઈના ઉજ્જૈન-બદનાવર સેક્શનને પહેલાથી જ 2-લેનમાંથી 4-લેનમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે. હાલનો બદનાવર-તિમરવાની સ્ટ્રેચ એક મધ્યવર્તી લેન (5.5 મીટર) છે જેમાં નબળી ભૂમિતિ (ઝડપ 20-50 કિમી પ્રતિ કલાક) છે. આ સેક્શનને અપગ્રેડ કરવાથી ઉજ્જૈનથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે (DME) પર તિમરવાની ઇન્ટરચેન્જ સુધી 80-100 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે સીધું 4-લેન જોડાણ પૂર્ણ થશે.

તિમરવાની-થાંદલા-પેટલાવદ-બદનાવર-ઉજ્જૈન કોરિડોર એ ગુજરાત અને મહારાષ્ટ્રથી ઉજ્જૈન જતા ટ્રાફિક માટેનો ટૂંકો રસ્તો છે. તિમરવાની-બદનાવર સેક્શનનું અપગ્રેડેશન આંતર-રાજ્ય જોડાણને મજબૂત બનાવશે અને ટ્રાફિકની કાર્યક્ષમ અવરજવરને સક્ષમ બનાવશે અને એપ્રિલ-2028માં સિંહસ્થ કુંભ મેળા દરમિયાન ટ્રાફિકમાં થતા વધારાને પણ સંભાળશે.

બદનાવર-પેટલાવદ થાંદલા-તિમરવાની સેક્શન ધાર અને ઝાબુઆ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાંથી પસાર થાય છે. ધાર જિલ્લાના કેટલાક ભાગો નીતિ આયોગના એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. સેક્શનના અપગ્રેડેશનથી ઉજ્જૈન-બદનાવર-તિમરવાની કોરિડોરથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે સુધી સીધો અને ઝડપી એક્સેસ મળશે. આ સુધારેલી લિંકેજ લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડશે, કાચા માલ અને તૈયાર માલની કાર્યક્ષમ હિલચાલને સરળ બનાવશે અને ઈન્દોર, પીથમપુર, ઉજ્જૈન અને દેવાસમાં આવેલા ઔદ્યોગિક હબ/MMLPs સુધી પહોંચ મજબૂત કરશે.

સૂચિત પ્રોજેક્ટ સુધારેલી સુરક્ષા અને અવિરત ટ્રાફિક હિલચાલ માટે રચાયેલ હાઇ-સ્પીડ કનેક્ટિવિટી પૂરી પાડે છે, મુસાફરીનો સમય, ભીડ અને સંચાલન ખર્ચ ઘટાડે છે. અગત્યની વાત એ છે કે, આ પ્રોજેક્ટ આ પ્રદેશમાં પાયાના માળખાકીય સુવિધાઓમાં વધારો કરશે, જે મધ્ય પ્રદેશ રાજ્યના ધાર અને ઝાબુઆ જિલ્લાઓના એકંદર આર્થિક વિકાસમાં ફાળો આપશે.

પ્રોજેક્ટની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:

ક્રમ

પ્રોજેક્ટની લાક્ષણિકતાઓ

વિગતો

1

લંબાઈ

80.45 કિમી (ગ્રીનફિલ્ડ + બ્રાઉનફિલ્ડ) કોરિડોર

2

પેવમેન્ટનો પ્રકાર

ફ્લેક્સિબલ પેવમેન્ટ

3

સૂચિત કોન્ફિગરેશન

4-લેન

4

મોટા પુલ

06

5

નાના પુલ

34 નંગ

6

RUB (રોડ અન્ડર બ્રિજ)

01 નંગ

7

VUP / LVUP / SVUP

9 નંગ / 29 નંગ / 04 નંગ

8

નિર્માણ સમયગાળો

24 મહિના

9

કન્સેશન પિરિયડ

17 વર્ષ (2 વર્ષ નિર્માણ સમયગાળો + 15 વર્ષ O&M)

પરિશિષ્ટ-I

A map with a red line

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s Agricultural Transformation: How India’s Agri sector transformed over the last decade

Media Coverage

India’s Agricultural Transformation: How India’s Agri sector transformed over the last decade
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister attends the Defence Investiture Ceremony 2026 (Phase-1)
June 08, 2026

Prime Minister Shri Narendra Modi today attended the Defence Investiture Ceremony 2026 (Phase-1) where Gallantry Awards were conferred upon our brave personnel.

The Prime Minister expressed pride in their extraordinary courage, commitment and selfless service to the nation.

The Prime Minister posted on X:

"Attended the Defence Investiture Ceremony 2026 (Phase-1) where Gallantry Awards were conferred upon our brave personnel. We are proud of their extraordinary courage, commitment and selfless service to the nation."