Shri Narendra Modi addressed Gujarat BJP Mahila Morcha Programme in Gandhinagar

Published By : Admin | August 26, 2012 | 12:49 IST

ભારત માતા કી જય..!!

મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સર્વે વરિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ-બહેનો, અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલ, પ્રજાનો વિશ્વાસ જેમણે સંપાદન કર્યો છે એવાં સૌ જનપ્રતિનિધિ બહેનો...

સીઝન એવી છે કે તમે કાંઈ પણ કહો એ ચૂંટણીના ખાતામાં જ જમા થાય. દરેક વાત ચૂંટણીના ચશ્માંથી જ જોવાય એ બહુ સ્વાભાવિક છે. ચૂંટણી એ લોકશાહીનું ખૂબ મોટું પર્વ હોય છે અને આ લોકશાહીના પર્વમાં જાહેરજીવનમાં પડેલ દરેક વ્યક્તિનું કામ છે લોકશિક્ષણ કરવાનું, મત પરિવર્તન કરાવવાનું. ગઈકાલ સુધી એની પાસે એક માહિતી હતી, એક મત હતો. આજે એને સાચી માહિતી મળે એનો મત પરિવર્તિત થાય, મત સક્રિય થાય, મત સુષુપ્ત ન હોય, મત માત્ર નિરીક્ષક ન હોય, મત પરિવર્તનનો પ્રહરી હોય, આ મતના મહત્વને સમજી લે. આ લોકશાહીના પર્વને ઊજવવું જોઇએ. વ્યાપકપણે લોકશિક્ષણનું કામ થવું જોઇએ, અને એ જરૂરી નથી કે જેને મતદાન મથકમાં જઈને મત આપવાનો છે એમનું જ શિક્ષણ થવું જોઇએ, જરૂરી નથી. લોકશાહીનો પાયો મજબૂત કરવા માટે નાનાં નાનાં ભૂલકાંઓને પણ આ લોકશાહીના પર્વથી પરિચિત કરવા જોઇએ, શિક્ષિત કરવા જોઇએ. આપણી બહેનો જો નક્કી કરે કે ગુજરાતની બધી જ શાળાઓનાં બાળકોને મળીને ચૂંટણી શું કહેવાય, વિધાનસભા શું કહેવાય, લોકસભા શું કહેવાય, વિધાનસભામાં ઉમેદવારી કેવી રીતે થાય છે, વિધાનસભાની ચૂંટણી કેવી રીતે થાય છે, મતદાન કેવી રીતે બને, મતદાન કેવી રીતે થાય, આનું આખું એક પ્રશિક્ષણ કર્યું હોય..! ભલે વોટ નહીં આપવાનો હોય, પણ લોકશાહીનો પાયો મજબૂત બનવાનું કામ સ્વાભાવિક બનતું હોય છે અને પછી એ ટાબરિયાં શું કરે, એ વાનરસેના શું કરે..? ગામ આખાંને ગજવી નાખે. તમે જેટલો પ્રચાર કરો એના કરતાં વધારે એ કરે. પણ ઘણીવાર આપણી યોજનામાં આ બધી બાબતો ચૂંટણીના પડઘમ વાગી ગયા પછી આવે છે. હું મહિલા મોરચાની બહેનો પાસેથી એક અપેક્ષા કરું છું કે આઠમા, નવમા, દસમા, અગિયારમા, બારમામાં ભણનારાં બાળકોને લોકશાહીનું મૂલ્ય સમજાવી શકીએ આપણે? લોકશાહીના પર્વનો પરિચય કરાવી શકીએ? આપણે તાલુકા પંચાયતમાં જીત્યા હોઈએ, જિલ્લા પંચાયતમાં જીત્યા હોઈએ, નગરપાલિકામાં જીત્યા હોઈએ, આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા છે શું? કામ કેવી રીતે કરે છે? એ જાતે જઈને સમજાવી શકીએ? મિત્રો, ઘણીવાર આ નાનકડું લાગતું કામ પણ કેટલી મોટી અસર પેદા કરી શકે છે એનો કદાચ આપને અંદાજ નહીં હોય. અને હું તો ઘણીવાર કહેતો હોઉં છું કે ચૂંટણીમાં એક બહેનને બાળ વિભાગના ઇન્ચાર્જ બનાવવા જોઇએ. એક ભાઈ અને એક બહેનની જોડી હોય, એ બાળકોના જ કાર્યક્રમો ગોઠવ્યા કરે, આખી ચૂંટણીમાં. એમનાં જ સરઘસો કાઢે, થાળી વગાડતા વગાડતા નીકળે..! તમારામાંથી મોટાભાગના લોકો ભાજપના કાર્યકર્તા કેવી રીતે બન્યા હશે? વિદ્યાર્થી અવસ્થામાં કોઈ તમને કોઈ કાર્યક્રમમાં લઈ ગયું હશે અને જેના કાર્યક્રમમાં પહેલા ગયા એ પાર્ટી તમારી થઈ ગઈ. લગભગ એવું થયું હોય છે. આ બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ, એમનું શિક્ષણ કરવું જોઇએ અને લોકશાહીનો પાયો લોકશિક્ષણમાં રહેલો છે. જૂઠાણા, અપપ્રચાર, આવકો એ જે લોકો કરતા હોય એ કર્યા કરે, આપણે લોકશિક્ષણનું કામ કરતા રહીએ.

થોડાક દિવસ પહેલાં ઇલેક્શન કમિશનનું એક નિવેદન આવ્યું હતું. ઇલેક્શન કમિશને એમ કહ્યું કે અમે મહિલા મતદારોની સૌથી વધારે નોંધણી કરીશું અને મહિલા મતદારો પુરુષ મતદારો કરતાં પણ વધારે મતદાન કરે એના માટે અમે સક્રિય પ્રયાસ કરવાના છીએ. આ ઇલેક્શન કમિશનનું નિવેદન છે. એનો અર્થ એ થયો કે તમારે માટે જો ઇલેક્શન કમિશનનું આ સપનું હોય, કારણકે એ અમ્પાયર છે, ચૂંટણીના મુખ્ય અમ્પાયર જ એ હોય છે, જો અમ્પાયરનું આવું સપનું હોય તો એ સપનું પૂરું કરવા માટે જાહેરજીવનમાં પડેલા કાર્યકર્તા તરીકે અને એક મહિલા તરીકે આપણી જવાબદારી બને છે.

હેનો, લોકશાહીમાં એક સૌથી મોટા ગુણની આવશ્યકતા હોય છે, જો એ ગુણ ન હોય તો તમે લોકશાહીને લાયક નથી. લોકશાહી તો જ પચાવી શકો જ્યારે તમે તમારા જીવનમાં એ ગુણને પચાવો અને જો એ ગુણ તમારામાં ન હોય તો તમને લોકશાહીની કોઈપણ પ્રક્રિયામાં ભાગીદાર બનવાનો હક નથી, એનું નેતૃત્વ કરવાનો હક નથી. એ લોકશાહીનો પાયાનો ગુણ કયો છે? એ પાયાનો ગુણ છે ટીકા સહન કરવાની તાકાત, સહિષ્ણુતા. જો તમે ટીકા સહન જ ન કરી શકો, તમારા કરતાં વિપરીત વાત કોઈ કહે એ તમને ગમે જ નહીં, તો તમને લોકશાહીની રખેવાળી કરવાનો કોઈ હક મળતો નથી, તમારી યોગ્યતા આના માટે પુરવાર નથી થતી. હમણાં શું થયું? કેટલાક પત્રકારો જે સોશિયલ મીડિયા પર, ટ્વિટર પર ટ્વિટ કરતા હોય, કોઈ ફેસબુક ઉપર કૉમેન્ટ કરતા હોય, કૉંગ્રેસના વિરુદ્ધમાં કંઈ કહેવાતું હોય, દેશની પરિસ્થિતિ વિશે કંઈ કહેવાતું હોય... તમને આશ્ચર્ય થશે ભાઈઓ, ભારત સરકારે આવા એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો..! એનો અર્થ એ થયો કે એક એસ.એમ.એસ. માં તમારી ટીકા થઈ હોય તો એ સહન કરવાની પણ એમની તૈયારી નથી. મિત્રો, હું બાર વર્ષથી.... કોઈ હુમલો બાકી નથી, હુમલાનો કોઈ પ્રકાર બાકી નથી, જૂઠાણાઓની ભરમાર થઈ છે. આટઆટલા જુલ્મ થયા પછી પણ લોકશાહીની મર્યાદા ખાતર પ્રત્યેક જુલ્મને સહન કરવાની કોશિશ કરી છે, લોકશાહીને ખાતર. એના માટે સામર્થ્ય જોઇતું હોય છે. ગઈકાલે કૉંગ્રેસ પાર્ટીએ અધિકૃત રીતે એક સર્ક્યુલર બહાર પાડ્યો છે અને અધિકૃત રીતે સર્ક્યુલરમાં તેમણે કહ્યું છે કે ગુજરાતની ગુજરાતી ચેનલ ટીવી-9 નો કૉંગ્રેસ બહિષ્કાર કરશે, કારણ શું? ટીવી-9 ચેનલનો ગુનો શું? કેટલીક બહેનો આ ‘ઘરનું ઘર’ યોજનાના ભાગરૂપે ઘર લેવા માટે કૉંગ્રેસ કાર્યાલય ગઈ. કૉંગ્રેસ કાર્યાલય જઈને કહ્યું કે ભાઈ, બતાવો અમને કે જમીન ક્યાં છે, મકાન ક્યાં છે, ડિઝાઇન ક્યાં છે..? કૉંગ્રેસના લોકો તત..પપ કરવા માંડ્યા. એટલે બહેનોએ કહ્યું કે તમે જૂઠાણા ફેલાવો છો અને એટલે એમણે પેલા ફરફરિયાંની હોળી કરી, એ હોળીનું દ્રશ્ય આ ટીવી-૯ વાળાએ બતાવ્યું એ એમનો ગુનો. જૂઠનો પર્દાફાશ થયો એ એમનો ગુનો. અને એના કારણે અસહિષ્ણુતા, લોકશાહીનો પારાવાર વિરોધ..! એક ટી.વી. ચેનલને બંધ કરી દો, એનો બહિષ્કાર કરી દો, અન્ય રાજ્યોમાં એને મળતી જાહેરાતો બંધ કરી દો..? અરે, કટોકટી કરતાં પણ આ ભૂંડા તમારા ખ્યાલો છે કૉંગ્રેસના મિત્રો, તમે યાદ કરો ઇંદિરા ગાંધીના એ દિવસો. ઇંદિરા ગાંધીનો સૂરજ ચારેકોર તપતો હતો, એમણે હિંદુસ્તાનની લોકશાહી પર ઘા કર્યો હતો, અહીંના છાપાં ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, સેન્સરશિપ લગાવી હતી. ‘મીસા’નો ભય પેદા કર્યો હતો અને કોઈ આંખ ઊંચી કરે તો ‘મીસા’ના કાળા કાયદા નીચે ઇંદિરા ગાંધી આ દેશના સૌ લોકોને જેલમાં નાખી દેતા હતા. આટઆટલો જુલ્મ કર્યો હતો તેમ છતાંય આ દેશની પ્રજાએ મોકો મળ્યો ત્યારે પળવારમાં શ્રીમતી ઇંદિરા ગાંધી સહિત એમની પાર્ટીને ખદેડી મૂકી હતી. આ હિંમત તમારી? અરે, તમારા મોંએ લોકશાહી શોભતી નથી. ઇલેક્શન કમિશનની જવાબદારી છે કે ભલે આચારસંહિતા જાહેર ન થઈ હોય, પરંતુ પ્રસાર માધ્યમોને આ પ્રકારે દબાવી દેવા માટેના દિલ્હીની સલ્તનતના પ્રતિનિધિઓ દ્વારા પ્રયત્ન થતા હોય તો ઇલેક્શન કમિશને સામે ચાલીને વચ્ચે આવવું જોઇએ અને આવા લોકોનો હિસાબ માંગવો જોઇએ. આપ કલ્પના કરી શકો છો કે આ ચૂંટણીમાં કેટલી ગંદકી ફેલાવાની કોશિશ થવાની છે, કેટલો જુલ્મ કરવાની કોશિશ થવાની છે.

ભાઈઓ-બહેનો, કૉંગ્રેસના લોકો ચૂંટણીમાં એક સૂત્ર આપે છે, ‘દિશા બદલો, દશા બદલો’. આ કૉંગ્રેસની દિશાના કારણે હિંદુસ્તાનની દુર્દશા દેશ જુએ છે. શું એ ઓછું છે તો તમારે ગુજરાતનીય દુર્દશા કરવી છે..? ના ના, હજુય તમારે ગુજરાતની દુર્દશા કરવાના ઓરતા બાકી રહી ગયા છે? આ તમારી દિશાનું પરિણામ છે કે દેશની દુર્દશા થઈ છે અને ગુજરાત આ તમારી દિશાએ જઈને ગુજરાતની દુર્દશા નહીં થવા દે. બહેનો, ગુજરાતની અંદર વિકાસનાં કામો... તમારામાંથી કોઈને પણ ગુજરાત બહાર જવાનું થયું હોય અને તમે એમ કહો કે હું ગુજરાતથી આવેલ છુ, તો સામેવાળાનો કેવો પ્રતિસાદ હોય છે? ગોળ ગોળ થઈ જાયને? આખા દેશને દેખાય છે, આખા દેશને, આ કૉંગ્રેસના લોકોને અહીંયાં આ નથી દેખાતું. કારણ, એમણે જૂઠાણાના ચશ્માં પહેરી લીધાં છે. અરે, લોકશાહીમાં સત્યને આધારે ડિબેટ કરો, જૂઠાણા શા માટે ફેલાવો છો..? અને પૈસાના જોરે અરબો રૂપિયાની લહાણી કરીને, મોંઘી મોંઘી જાહેરાતો આપીને ગુજરાતના સત્યના દીપકને તમે બૂઝવી નથી શકવાના. ચૂંટણીઓ જ્યારે ડિસેમ્બરમાં આવશે ત્યારે ગુજરાતની જનતા આ કૉંગ્રેસના કુકર્મોનો પણ હિસાબ લેવાની છે.

હેનો, ચૂંટણી, બૂથમાં જીતવાની હોય છે. બૂથ જીતો એટલે ધારાસભા જીતાઈ જાય અને બૂથ હારી જાઓ તો ધારાસભા જીતાય નહીં. અને જો ગુજરાતમાં બહેનોની ફોજ નક્કી કરે કે દરેક પોલિંગ બૂથમાંથી ઓછામાં ઓછા ત્રણસો મત ભાજપને નંખાવા છે. હિસાબ લગાવીને, ભાઈઓ જે લગાવે એ જુદા. બહેનો નક્કી કરે કે એક પોલિંગ બૂથમાંથી ઓછામાં ઓછા ત્રણસો, સાડા ત્રણસો વોટ ભાજપ તરફી મતદાન થવું જોઇએ. બહેનો, લખી રાખજો, ટી.વી. પર એકેય આપણા સમાચાર ન આવે, છાપામાં કંઈ છપાય નહીં, કોઈ જાહેરસભા ન થાય, મોદી સાહેબનો પ્રવાસ ન થાય તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી સોળે કળાએ ખીલી ઊઠે, તમે લખી રાખો. આ બૂથ ઉપર ધ્યાન કેન્દ્રિત થવું જોઇએ. ડિલીમિટેશનને કારણે જૂના બધાં સમીકરણો બદલાઈ ગયાં હશે. એ સમીકરણોને સમજીએ અને ગરીબમાં ગરીબ માનવી આ વિકાસની યાત્રામાં ભાગીદાર બને એના માટે પ્રયાસ કરીએ.

પ કલ્પના કરો, ૧૯૬૦ માં ગુજરાત તરીકેની વિકાસયાત્રાનો આરંભ થયો. ૧૯૬૦ માં ગુજરાત બન્યું. ૧૯૬૦ થી ૨૦૦૦, ચાલીસ વર્ષમાં આ રાજ્યમાં કુલ દસ લાખ ઘર આપવામાં આવ્યાં, કેટલાં..? કેટલા વર્ષમાં..? કોની સરકાર હતી..? કૉંગ્રેસની સરકાર, ચાલીસ વર્ષ, ઘર કેટલાં..? ચાલીસ વર્ષમાં દસ લાખ ઘર..! બહેનો, આપને જાણીને આનંદ થશે, આ દસ વર્ષમાં આપણે સોળ લાખ મકાનો બનાવ્યાં, સોળ લાખ મકાનો. અને હમણાં આ ગરીબ કલ્યાણ મેળામાં, પાંચેક કાર્યક્રમ થવાના છે, પાંચ કાર્યક્રમની અંદર સાડા ચાર લાખ બીજા મકાનો આપવાના છીએ, સાડા ચાર લાખ. અને પાછું સર્વેનું ફરફરિયું નહીં, એકવીસ હજાર રૂપિયાનો પહેલો હપતો દરેકને આપવાના છીએ, એકવીસ હજાર રૂપિયાનો. હિંદુસ્તાનમાં પહેલી વાર ઝીરોથી સોળ સુધી ગરીબીની રેખા નીચે જીવનારા ઘર વિહોણા પરિવારોને જમીનના પ્લૉટ આપવાનું કામ પૂરું કરી દીધું, મકાન માટેનો હપતો આપવાનું કામ પૂરું કરી દીધું. હવે ઉપાડ્યું છે, સત્તરથી વીસ ગરીબીની રેખા નીચે જે લોકો રહે છે એનું કામ ઉપાડ્યું છે. અને આ સત્તરથી વીસમાં સાડા ચાર લાખ ગરીબ પરિવારોને ઘરનું ઘર આપવાનું કામ પૂરું કરી નાખ્યું છે, વચન નહીં, અમલીકરણ કરીએ છીએ. કૉંગ્રેસ કેટલી હતાશ થઈ ગઈ છે, કેટલી નિરાશ થઈ ગઈ છે એનો તમે પૂરો અંદાજ કરી શકો છો. હમણાં વણથંભી વિકાસયાત્રા ચાલે છે. એક એક મંત્રી રોજના છ તાલુકા પંચાયતની સીટો કવર કરે છે. અને એક એક કાર્યક્રમની અંદર હજાર, બારસો, પંદરસો લોકો હાજર હોય છે. ગઈકાલે મેં ગરીબ કલ્યાણ મેળામાં વીડિયો કૉન્ફરન્સથી ભાષણ કર્યું. ગરીબ કલ્યાણ મેળામાં વીડિયો પરથી ભાષણ સાંભળવામાં લગભગ પોણા બે લાખ લોકો હાજર હતા, પોણા બે લાખ. અને મેં રિપોર્ટ માંગ્યા કે જેમ હાજરીમાં, રૂબરૂમાં જે પ્રકારે કામ થાય એટલી જ અસરકારકતાથી કામ થાય છે, કારણ છે વિશ્વાસ. અને ભાઈઓ-બહેનો, વિશ્વાસ આપડી મોટી મૂડી છે. એ વિશ્વાસને લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. અને ભારતીય જનતા પાર્ટીનો એક જ મકસદ છે, અમારા ગુજરાતનું ભલું થાય, અમારા ગુજરાતની માતાઓ-બહેનો સુખ અને શાંતિથી જીવતી થાય.

હીં અમારા અગાઉના વક્તાઓએ અનેકવિધ યોજનાઓનું વર્ણન કર્યું છે. અહીંયાં હું તમને પૂછું તો તમે પણ સો યોજનાઓ એક એક જણ બોલી જાઓ. પણ લોકશાહીનો એક કસોટી કાળ પણ હોય છે. એ કસોટી કાળ એ હોય છે કે સામાન્ય નાગરિકને શું મળ્યું એનાથી સંતોષ નથી થતો, એને તમારે સમજાવવું પડે કે પહેલાં સ્થિતિ કેવી હતી. તમે પૂછો કે ગામમાં બસ આવતી હતી..? એ ના પાડે, અને પછી પૂછો કે હવે આવે છે..? તો એ હા પાડે અને પછી એને સંતોષ થાય. બાકી એમને ટેવ એવી પડી ગઈ છે કે પહેલાં લાઈટ જતી જ નહોતી, લાઈટ રોજ આવે છે એ હવે એમને યાદ જ નથી રહેતું. આ દુષ્કાળમાંય એવું થયું છે. પહેલાં દસ વર્ષમાં સાતવાર દુષ્કાળ હોય એટલે ટેવાઈ ગયા હતા દુષ્કાળથી. જાન્યુઆરી મહિના સુધી કોઈ દુષ્કાળની ચર્ચા નહોતું કરતું, પણ હવે દસ વર્ષથી એવો વૈભવ જોયો છે કે એક મિનિટ દુષ્કાળ સહન નથી થતો. આ ગુજરાતની તાકાત ઊભી થઈ છે. ગુજરાતનો માનવી એટલો જાગૃત બન્યો છે અને એને હજુ વધુ જાગૃત બનાવવાનું કામ આપણે કરવું છે. બહેનો, આપણો સંકલ્પ છે કે ભૂતકાળમાં અછતનાં કામો થયાં હશે, એમાં રફાળેશ્વર પણ થયાં હશે. આ પેઢીને ખબર નહીં હોય, કૉંગ્રેસના લોકોએ રફાળેશ્વરમાં ઢોરવાડામાં અરબો રૂપિયાની કેવી ખાયકી કરી હતી..! ઢોરના મોંમાંથી ચારો ચાવી ગયા હતા આ લોકો. એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો હતો આ લોકોએ, દુષ્કાળના દિવસોમાં કારસો કર્યો હતો. અને કોઈ વિધાનસભાનું સત્ર એવું નહોતું થતું કે જે વિધાનસભાના સત્રમાં કૉંગ્રેસ અને વિપક્ષ આમને-સામને ન આવેલ હોય અને રફાળેશ્વર માટેની ચર્ચા ન થઈ હોય..! કૉંગ્રેસ પાસે એનો જવાબ આપવાની જગ્યા નહોતી રહેતી. આપણે નક્કી કર્યું છે કે આ અછતને પણ અવસરમાં પલટવી છે. આ આફતને પણ ઉત્તમ વિકાસના કામ સાથે જોડવી છે અને એમાંથી એક નિર્ણય કર્યો છે કે નર્મદાની જે કેનાલ જાય છે, એ કેનાલની બાજુમાં જે જમીન છે. પાણી કેનાલનું અને કેનાલની બાજુની જમીન, લાખો હેક્ટર જમીન છે લાખો હેક્ટર, ત્યાં આખામાં ઘાસ ઉગાડી દેવું છે. દુષ્કાળ નહોતો અને ખેડૂત જેટલું ઘાસ ખવડાવતો હતો અને જેટલું દૂધ મળતું હતું, એના કરતાં વધારે ઘાસ ખવડાવે અને વધારે દૂધ મેળવે એવો દિવસ હું લાવીને મૂકી દઈશ..! આ મને સૂઝ્યું, એમને નહીં સૂઝે. આ કેનાલ કંઈ મારા આવ્યા પછી બની છે એવું નથી, બીજા ડૅમની કેનાલો તો હતી જ. ઉકાઈ ડૅમની કેનાલ હતી, પાલિતાણામાં શેત્રુંજય ડૅમની કેનાલ હતી, ધરોઈ ડૅમની કેનાલ હતી, પણ એમણે દુષ્કાળની અંદર કેનાલની આજુબાજુની જમીનનો ઉપયોગ થઈ શકે અને ત્યાં ઘાસ ઉગાડીને પશુનું પેટ ભરી શકાય, આ સામાન્ય સમજ એમનામાં નહોતી. ભાઈઓ-બહેનો, અગર જો સંવેદના હોય, પશુઓ માટેની પણ સંવેદના હોય તો કેવી રીતે પરિસ્થિતિ પલટી શકાય છે એનાં આ ઉત્તમ ઉદાહરણ છે.

યા પંદર દિવસથી આપણે કામ ઉપાડ્યું છે ડિસિલ્ટિંગનું. જ્યાં પણ ચેકડેમ છે, જ્યાં પણ ખેત તલાવડી છે, જ્યાં પણ તળાવડાં છે, જ્યાં પણ મોટા ડૅમ છે અને પાણીના અભાવે, વરસાદના અભાવે પાણી ઊતર્યાં છે ત્યાં ખોદી ખોદીને ફરી એ ડૅમને ઊંડા કરી દેવા. એ ડૅમ બન્યો હોય એ વખતે ઊંડો થયો હશે ત્યારપછી માટીનું પુરાણ થતું જ ગયું હોય, થતું જ ગયું હોય, થતું જ ગયું હોય અને એની પાણી સંગ્રહશક્તિ ઘટતી ગઈ હોય. ઘણીવાર તો અડધો અડધ થઈ ગયો હોય, અડધો માટીથી ભરાઈ ગયો હોય. આપણે આ આફતને અવસરમાં પલટવી છે, એટલે આપણે નક્કી કર્યું છે કે દુષ્કાળની અંદર આખા રાજ્યમાં આ પ્રકારે ચેકડેમ હોય, બોરીબંધ હોય, ખેત તલાવડી હોય, તળાવ હોય, આ બધી જગ્યાએ એનો કાંપ કાઢી કાઢીને ફરી એને પૂર્વવત્ ઊંડા કરી દેવા અને એ કાંપ ખેડૂતોને મફતમાં આપી દેવાનો. જેને પોતાનું ટ્રેક્ટર લાવીને મફતમાં લઈ જવું હોય એ લઈ જાય, એક રૂપિયો નહીં, જાવ..! અને ખેડૂતો પોતાના ખેતરમાં કાંપ નાખે ને એટલે એમના ખેતરની તાકાત અનેકગણી વધી જાય, એમની જમીન ફળદ્રુપ થાય આવા લાંબાગાળાના આયોજન સાથે આ આફતને પણ અવસરમાં પલટવાનું કામ ઉપાડ્યું છે. અને આપણી ઈશ્વરને પ્રાર્થના તો ચાલુ જ છે. હજુ મોકો છે, હે ઈશ્વર, હજુ અમારા ગુજરાતને વરસાદની જરૂર છે, આવવા દે..! અને ઈશ્વર આપણું માનશે, સાંભળશે. આટલી બધી બહેનો પ્રાર્થના કરે તો ઈશ્વર સાંભળશે જ..!

ભાઈઓ-બહેનો, ચૂંટણીમાં બીજી એક વસ્તુ - માનસિકતા જોઇએ, વિજયનો વિશ્વાસ જોઇએ, અનેક ષડ્યંત્રોને પાર કરીને નીકળવાનું સામર્થ્ય જોઇએ. જૂઠાણા, અપપ્રચાર, અફવાઓ એનાથી હલી જાય એ ભાજપનો કાર્યકર્તા ન કહેવાય. અરે, આફતોની સામે સામી છાતીએ ઊભા રહેને, એનું નામ કહેવાય. મિત્રો, દિલ્હીમાં એમની સરકાર છે, આઠ વર્ષથી છે, જાતજાતના બધા ખેલ કરી ચૂક્યા છે. અને દૂર, દૂર, દૂર, દૂર સેંકડો કિલોમીટર દૂર પણ મેં ક્યાંક ગોટાળો કર્યો હોતને, તો ક્યારનોય આમણે મારો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હોત. આખી સરકાર મારી વાંહે લગાડી છે, આખી સરકાર તોયે એક પાંદડું હલાવી નથી શકતા, મિત્રો. કારણ, ગુજરાત માટે સમર્પણભાવથી જીવવાનું નક્કી કર્યું છે, નેકદિલી અને હિંમતથી જીવવાનું કામ કર્યું છે, મિત્રો. અને હું કૉંગ્રેસને લલકાર કરું છું, આજે ફરી લલકારું છું. આવો, તમારામાં દમ હોય તો વિકાસની સ્પર્ધા કરો, જૂઠાણા ફેલાવાનું બંધ કરો. આ તમારી દિલ્હીની આવડી સલ્તનત અને આ મારું નાનકડું ગુજરાત, આવી જાવ..! પ્રગતિ કોને કહેવાય, વિકાસ કોને કહેવાય, સામાન્ય માનવીની સુખાકારી કોને કહેવાય, એ તમને રંગેચંગે પાર પાડીને બતાવીશું. અને તમે રોજ સવારના હિસાબ લગાવો છો, હવે જેલમાં કોણ જશે? હવે કોનો વારો? હવે કોને બચાવવાનો? હવે બચાવવા શું કરવાનું? સવાર-સાંજ એ કાર્યક્રમ ચાલે, દોસ્તો. દેશની સંસદ બંધ પડી છે, કૉંગ્રેસના પેટનું પાણી નથી હાલતું. એમને ચિંતા નથી કે લોકશાહીના મંદિરની અંદર આ બધા જ પક્ષો આટલી બધી પીડા અનુભવે છે ત્યારે કૉંગ્રેસને ચિંતા નથી, રતીભાર ચિંતા નથી, મિત્રો. જો તમને લોકશાહીની ચિંતા ન હોય, દેશની ચિંતા ન હોય, તો પછી આ રાજગાદી ઉપર બેસીને પોતાના મોજશોખ પૂરા કરવાના કામ બંધ કરવા રહ્યાં. સમાજને માટે કંઈ કરવા માટેની તૈયારી જોઇએ. એ તૈયારી એમનામાં છે નહીં.

ભાઈઓ-બહેનો, વિકાસ કરવો હોય તો પરિશ્રમ કરવો પડતો હોય છે. હમણાં રૂપાલાજી જાપાનનું વર્ણન કરતા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે બહેનો, હું જાપાન ગયો, ચાર જ દિવસ માટે ગયો હતો. કેટલા? ચાર. મેં એ ચાર દિવસમાં પાંચ રાજ્યોનો પ્રવાસ કર્યો અને સડસઠ મીટિંગો કરી. મિત્રો, આ પરિશ્રમ કરવો પડતો હોય છે. આ ગુજરાત એમનેમ આગળ નથી વધતું, એના માટે આ ભારતીય જનતા પાર્ટી આખેઆખી ગુજરાતના વિકાસને માટે ખપી ગઈ છે, ડૂબી ગઈ છે ત્યારે આજે દુનિયામાં ગુજરાત, ગુજરાત, ગુજરાત થઈ રહ્યું છે. જૂઠાણા ફેલાવાથી આ શક્ય ન બને, અપપ્રચારની આંધીઓ ફેલાવીને ન થઈ શકે, વિશ્વાસ પેદા કરવા માટે થઈને સમાજ સત્યને જોતો હોય છે. અમે સત્યનો આશરો લઈને ચાલ્યા છીએ. કોઈપણ પેરામિટર, કોઈપણ નક્કર હકીકત એવી નથી કે જેની સામે કૉંગ્રેસ ટકી શકે. આ વિશ્વાસ સાથે જવાનું છે. અને અહીંથી સંકલ્પ કરીને જઈએ, માત્ર વિજેતા થઈશું એવો નહીં, સત્તાભૂખી કૉંગ્રેસને એવો પદાર્થપાઠ શિખવાડીશું, એવો પદાર્થપાઠ શિખવાડીશું કે ગુજરાતમાં લોકશાહીને કલંકિત કરે એવા રસ્તાઓ અપનાવવાની ભવિષ્યમાં ક્યારેય હિંમત ન કરે. આ હિંમત જોઇએ બહેનો, અને એ હિંમત સાથે આગળ વધવું છે આપણે. કૉંગ્રેસે રસ્તો જ નથી જોયો, શું કરવું એની એમને સમજ જ નથી. હમણાં એમણે એક જાહેરાત આપી. એ જાહેરાતમાં એમ કહે છે કે આ ઉદ્યોગો, આ રોડ ને, આ વીજળીના કારખાના ને.... પછી એક બહેન આવીને એમ કહે છે કે અમારે આવું કશું નથી જોઇતું, પણ અમારે તો અડધો રોટલો જોઇએ. અમારે રોડ નથી જોઇતા, રસ્તા નથી જોઈતા, વીજળી નથી જોઈતી, કારખાનાં નથી જોઇતાં... અને આ અડધા રોટલાની માંગ કોણ કરે છે એ જોયું છે તમે? ખાધે-પીધે સુખી, સો કિલો વજન છે, સો કિલોના બહેન... જયશ્રીબેન અને દર્શનાબેનને ભેગાં કરો એટલાં. એય અડધા રોટલાની માંગ કરે... અને પાછા એમ કહે કે રોડ નથી જોઇતો, ઉદ્યોગ નથી જોઈતો, વીજળી નથી જોઈતી, અમારે તો અડધો રોટલો જોઇએ..! કૉંગ્રેસવાળા કોઈ ભૂખી બહેન, દૂબળી-પાતળી લાવ્યા હોય તો લોકોના ગળેય ઊતરત, પણ આ જૂઠું કરોને એટલે ક્યાંક તો ભૂલ રહી જ જાય. ખોટું કરવાનું હોય તો ક્યાંક તો ખોટું થાય જ, ઈશ્વર ખોટું કરાવે જ..! તમે ગામડાંમાંથી આવ્યા હશો, નાના સ્થાનમાંથી આવ્યા હશો, હું આપને પૂછવા માગું છું, આપ મને જવાબ આપો. શું રોડ જોઇએ..? વીજળી જોઇએ..? વિકાસ જોઇએ..? રોજગાર જોઇએ..? ઉદ્યોગ જોઇએ..? ખેતીનો વિકાસ જોઇએ..? શિક્ષણ માટેની સારી સંસ્થાઓ જોઇએ..? હા, લોકોને આ જોઇએ. આ લોકો અઢારમી શતાબ્દીમાં ગુજરાતને લઈ જવા માગે છે. આપણે ગુજરાતને અઢારમી શતાબ્દીમાં નહીં જવા દઈએ, એકવીસમી સદીમાં ગુજરાતનો જયજયકાર થાય એ માર્ગે આપણે જવું છે અને તેથી આ કૉંગ્રેસના જૂઠાણાંઓનો જડબાતોડ જવાબ આપો. અને ચૂપ રહેવાની જરૂર નથી, કોઇએ ચૂપ રહેવાની જરૂર નથી. શેરને માથે સવાશેર આ ગુજરાતની મારી બહેનો કરી બતાવશે. મને હમણાં ઘણા પૂછે છે કે સાહેબ તમે કેમ કંઈ બોલતા નથી? અરે, જે રાજ્યમાં આટલી બધી માતૃશક્તિ મારી રક્ષા કરતી હોયને ત્યાં મારે કંઈ બોલવાની જ જરૂર નહીં, મારે બોલવાનો વારો જ નથી આવવાનો, આ બધા કાફી છે. આ વીણી વીણીને જવાબ આપે એવા લોકો છે, મારે કંઈ જવાબ દેવાનો વારો નથી આવવાનો, એની મને પૂરી ખાત્રી છે.

પ સૌને આજે આ કાર્યક્રમના આયોજન માટે અભિનંદન આપું છું. અને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની મહિલાશક્તિ એક મોટી મૂડી છે, મહિલા મતદાર એ ભારતીય જનતા પાર્ટીની મૂડી છે, આ મહિલા મતદારોમાં એક વખત ફરી વળીએ અને આપણે જે દિશામાં આગળ વધ્યા છીએ અને લોકોને કહેજો કે આ ગુજરાતની સરકાર પચાસ ટકા રિઝર્વેશન લાવી હતી, આ કૉંગ્રેસે પચાસ ટકા રિઝર્વેશનનો કાયદો પાસ ન થવા દીધો, આ કહેજો લોકોને.

ન્યવાદ..!

Explore More
শ্রী রাম জন্মভূমি মন্দিরের ধ্বজারোহণ উৎসবে প্রধানমন্ত্রীর বক্তব্যের বাংলা অনুবাদ

জনপ্রিয় ভাষণ

শ্রী রাম জন্মভূমি মন্দিরের ধ্বজারোহণ উৎসবে প্রধানমন্ত্রীর বক্তব্যের বাংলা অনুবাদ
Farmers procure 3.5 times more organic manure this kharif season

Media Coverage

Farmers procure 3.5 times more organic manure this kharif season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
দমনে বিভিন্ন প্রকল্পের ভিত্তিপ্রস্তর স্থাপন/উদ্বোধন অনুষ্ঠানে প্রধানমন্ত্রীর ভাষণের বঙ্গানুবাদ
June 05, 2026
The launch of projects across healthcare, aviation, tourism and infrastructure marks a new development push for Daman that will transform lives across the UT: PM
The data released today reflects the strength of India's economy, with growth of 7.7% in FY 2025–26 and 7.8% in the quarter ending March 31: PM
Even amid severe global challenges, the collective efforts of 1.4 billion Indians have ensured that India is not only sustaining itself but also staying ahead of the curve: PM
The National Family Health Survey clearly reflects the government's focus on healthcare. While most deliveries in India earlier took place outside hospitals, today over 90% of all deliveries occur in hospitals: PM
Thanks to Mission Indradhanush, child immunization coverage in India has risen from 60% before 2014 to nearly 90% today: PM

ভারত মাতা কি জয়!

ভারত মাতা কি জয়!

দাদরা ও নগর হাভেলি, দমন ও দিউ-এর প্রশাসক প্রফুল ভাই প্যাটেল, সংসদে আমার সহকর্মী কালাবেন দেলকর, দমন পৌর পরিষদের সভাপতি দীপিকা তান্ডেল জি, দমন জেলা পঞ্চায়েতের চেয়ারম্যান ধর্ম বাবু প্যাটেল, সিলভাসা পৌর পরিষদের চেয়ারম্যান সোমনাথ দেবরে জি, দাদরা নগর হাভেলি জেলা পঞ্চায়েতের চেয়ারপার্সন নিশা ভাবসার জি, দিউ পৌর পরিষদের চেয়ারম্যান হরিশ কাপাদিয়া জি, দিউ জেলা পঞ্চায়েতের চেয়ারপার্সন কোটিয়া রঞ্জিতাবেন, এবং এখানে এত বিপুল সংখ্যায় সমবেত আমার প্রিয় ভাই ও বোনেরা,
আপনারা যেমন এখানে সমবেত হয়েছেন, তেমনি লাক্ষাদ্বীপেরও বহু মানুষ ভিডিওর মাধ্যমে আমাদের সঙ্গে যুক্ত আছেন। আজ লাক্ষাদ্বীপে উন্নয়নের এক নতুন সূচনা হয়েছে। লাক্ষাদ্বীপের মানুষের জীবনে বৈপ্লবিক পরিবর্তন আনবে এমন একটি নতুন প্রকল্পেরও উদ্বোধন করা হয়েছে এবং কয়েকটি প্রকল্পের ভিত্তিপ্রস্তর স্থাপন করা হয়েছে।

বন্ধুগণ,

কয়েক বছর আগে, যখন আমি আপনাদের মধ্যে এসেছিলাম, তখন বলেছিলাম যে আমাদের দমন দ্রুত মিনি ইন্ডিয়া হয়ে উঠছে, আর আজ আমি দেখছি, বা-দিকে সমগ্র বাংলা এবং ডান দিকে সমগ্র আসাম। দমন মিনি ইন্ডিয়ার এক জীবন্ত উদাহরণ হয়ে উঠেছে। এখানকার বৈচিত্র্য, বিভিন্ন অঞ্চলের মানুষের বসবাস, আপনাদের মধ্যে সমগ্র ভারতের এক সুন্দর ঝলক তুলে ধরে। আপনারা সকলে এত বিপুল সংখ্যায় আমাদের আশীর্বাদ করতে এসেছেন, এর জন্য আমি আপনাদের সকলকে অনেক ধন্যবাদ জানাই।

ভাই ও বোনেরা,

আমার দমন ও দিউতে বহুবার আসার সুযোগ হয়েছে। আমি দাদরা ও নগর হাভেলিতেও নিয়মিত যাই। আমি যখন মুখ্যমন্ত্রী বা প্রধানমন্ত্রী ছিলাম না, তখনও এখানে বহুবার এসেছি। কিন্তু এখন যখন আমি এখানে এসে সুশাসনের মডেল দেখি, তখন খুব ভালো লাগে। প্রতিবারই আমার মনে হয় যে আগের বারের তুলনায় এই অঞ্চলটি উন্নয়নের পথে বহু মাইল এগিয়ে গেছে।

 

বন্ধুগণ,

দাদরা ও নগর হাভেলি, দমন ও দিউ কয়েক দশক ধরে উন্নয়নের স্বপ্ন দেখেছিল। আগের প্রজন্ম যারা স্বপ্ন দেখেছিলেন, তারা চলে গেছেন। কিন্তু বর্তমান প্রজন্ম নিজেদের চোখে দেখছে যে, তাদের বাবা-মা ও দাদু-ঠাকুমারা যে স্বপ্নগুলো দেখতেন, তা এখন তাদের চোখের সামনেই পূরণ হচ্ছে। আজও এখানে যোগাযোগ, স্বাস্থ্য, শিক্ষা, পর্যটন এবং নগর পরিকাঠামো সম্পর্কিত অনেক প্রকল্পের উদ্বোধন ও ভিত্তিপ্রস্তর স্থাপন করা হয়েছে। এই উন্নয়নমূলক কাজগুলো দমন এবং সমগ্র কেন্দ্রশাসিত অঞ্চলের মানুষের জীবনকে আরও সহজ করে তুলবে। এগুলো যুবকদের জন্য নতুন সুযোগ তৈরি করবে। এই কাজগুলোর পেছনে প্রফুল ভাই প্যাটেলের দূরদৃষ্টি এবং তাঁর ও তাঁর দলের কঠোর পরিশ্রম স্পষ্টভাবে দৃশ্যমান। এর জন্য আমিও প্রফুল ভাই এবং তাঁর পুরো দলকে সাধুবাদ জানাই। আমি লাক্ষাদ্বীপ এবং দাদরা-নগর হাভেলির জনগণকে অনেক অভিনন্দন ও শুভেচ্ছা জানাই।

বন্ধুগণ,

আজ আপনাদের মধ্যে আসার সময় একটি সুখবর পেলাম। আজ সকালেই আমি দিল্লি থেকে রওনা হয়েছিলা। এইমাত্র যে পরিসংখ্যান ও খবরটি এসেছে তা সত্যিই আনন্দদায়ক; আর আমি আপনাদের সঙ্গে এই আনন্দ ভাগ করে নিতে চাই। আজকের এই পরিসংখ্যান স্পষ্টভাবে প্রমাণ করে যে ভারতের অর্থনীতির ভিত্তি কতটা মজবুত। ২০২৫-২৬ সালে - অর্থাৎ যে অর্থবছরটি সদ্য শেষ হলো তাতে—ভারত ৭.৭ শতাংশ প্রবৃদ্ধির হার অর্জন করেছে। এমনকি ৩১শে মার্চ শেষ হওয়া সর্বশেষ ত্রৈমাসিকেও ভারতের প্রবৃদ্ধির হার ছিল ৭.৮ শতাংশ। এর ফলে ভারত বিশ্বের দ্রুততম উন্নয়নশীল বৃহৎ অর্থনীতিতে পরিণত হয়েছে। প্রত্যেক ভারতীয়রই এতে গর্ববোধ করা উচিত। এটাই আমাদের অগ্রগতির গতি। দেশ আজ 'রিফর্ম এক্সপ্রেস'-এর গতিতে এগিয়ে চলেছে। দেশ আজ বিশাল পরিকাঠামোগত উন্নয়ন এবং দরিদ্রদের কল্যাণে ব্যাপক কর্মযজ্ঞ প্রত্যক্ষ করছে। আর এসব প্রচেষ্টারই ফলস্বরূপ, দেশ আজ দ্রুততম  উন্নয়নশীল বৃহৎ অর্থনীতি হিসেবে এগিয়ে যাচ্ছে। আমরা সবাই জানি যে বিশ্ব আজ নানা সংকটে জর্জরিত এবং বিশ্বের বিভিন্ন দেশের অর্থনীতি অনিশ্চয়তার মুখে পড়েছে। কিন্তু বিশ্বব্যাপী এই চরম সংকটের সময়েও ১৪০ কোটি দেশবাসীর সম্মিলিত প্রচেষ্টায় ভারত কেবল নিজের অবস্থানই ধরে রাখেনি, বরং অন্যদের চেয়ে এগিয়েও রয়েছে। অর্থনৈতিক ক্ষেত্রে এই নতুন উচ্চতা অর্জনের জন্য আমি দেশবাসীকে অনেক অনেক অভিনন্দন জানাই। আমি আবারও দেশবাসীকে আশ্বস্ত করছি যে, বিশ্বজুড়ে বিদ্যমান নানা সংকট সত্ত্বেও দেশ দৃঢ় সংকল্প নিয়ে 'রিফর্ম, পারফর্ম এবং ট্রান্সফর্ম'-এর পথে দ্রুত গতিতে এগিয়ে যাবে। দেশবাসীর কাছে এটাই আমার নিশ্চয়তা।

বন্ধুগণ,

আমাদের কাছে এখন উন্নয়নের পাশাপাশি আমাদের উন্নয়ন মডেলটি যাতে টেকসই হয়, তা নিশ্চিত করাও সমান গুরুত্বপূর্ণ। বিশ্ব পরিবেশ দিবসে আজ আমাদের এই কেন্দ্রশাসিত অঞ্চলটি সেই সংকল্পই বাস্তবায়িত করছে। একদিকে যেমন এখানে হাজার হাজার কোটি টাকার উন্নয়ন প্রকল্পের উদ্বোধন ও ভিত্তিপ্রস্তর স্থাপন করা হয়েছে, তেমনই একই সঙ্গে 'মায়ের নামে একটি গাছ' কর্মসূচির আওতায় প্রায় এক লক্ষ চারাগাছও রোপণ করা হচ্ছে। আমি গর্বিত যে, এটি এমন একটি কেন্দ্রশাসিত অঞ্চল যা সরকারি ভবনগুলোতে সৌরশক্তির শতভাগ ব্যবহারের কৃতিত্ব অর্জন করেছে। আজ দিউ-তে দিনের বেলার বিদ্যুতের সম্পূর্ণ চাহিদা কেবল সৌরশক্তি দিয়েই মেটানো হচ্ছে এবং আমাদের এই উদ্যোগকে আরও এগিয়ে নিয়ে যেতে হবে। সৌরশক্তির মাধ্যমে বাড়িঘরেও বিদ্যুৎ পৌঁছানো উচিত। শুধু তাই নয়, উদ্বৃত্ত বিদ্যুৎ থেকে পরিবারগুলোর আয় করার ব্যবস্থাও থাকা প্রয়োজন। এ লক্ষ্যে বাড়ির ছাদে সৌরবিদ্যুৎ কেন্দ্র স্থাপনের উদ্যোগ শুরু হয়েছে। এসব সাফল্য অর্জনের জন্য আমি আপনাদের সবাইকে সাধুবাদ জানাই।

 

বন্ধুগণ,

আমি এটাও জেনেছি যে, আজকাল দমন-এর মানুষজন একটি পরিচ্ছন্নতা অভিযান চালাচ্ছেন। এটি প্রমাণ করে যে পরিচ্ছন্নতা কীভাবে দমন-এর জনজীবনের সংস্কৃতির একটি অবিচ্ছেদ্য অংশ হয়ে উঠেছে এবং সেই সংস্কৃতির প্রতিফলন তাদের পরিচ্ছন্নতা বিষয়ক প্রচেষ্টায় স্পষ্ট। এই ধরনের গণ-অংশীদারিত্বমূলক প্রচেষ্টার জন্য আমি দমন-এর জনগণকে অভিনন্দন জানাই।

বন্ধুগণ,

দাদরা ও নগর হাভেলি এবং দমন ও দিউ - কেন্দ্রশাসিত অঞ্চল হিসেবে ভারতীয় ঐতিহ্যের অংশ। তাই এদের উন্নয়নের জন্য আমাদের লক্ষ্য কোনো সাধারণ বিষয় নয়। আমার মনে আছে, গত বছর যখন আমি সিলভাসায় এসেছিলাম, তখন আপনাদের সিঙ্গাপুরের উদাহরণ দিয়েছিলাম। আমি বলেছিলাম যে, একসময় সিঙ্গাপুর ছিল একটি ছোট মৎস্যজীবী গ্রাম। কিন্তু সিঙ্গাপুরের মানুষ স্বপ্ন দেখেছিলেন, বড় লক্ষ্য স্থির করেছিলেন এবং আজ সেই সিঙ্গাপুরই বিশ্বের বৃহত্তম বাণিজ্যিক কেন্দ্রে পরিণত হয়েছে। আজ দাদরা ও নগর হাভেলি এবং দমন ও দিউ-ও ঠিক তেমনই স্বপ্ন দেখছে। ‘নমো বিমানবন্দর’, দমনগঙ্গা নদীর ওপর আইকনিক সেতু এবং ‘বিচ ফ্রন্ট’-এ কনভেনশন সেন্টারের মতো প্রকল্পের মাধ্যমে আমরা ভবিষ্যতের বড় বড় সংকল্প বাস্তবায়নের ভিত্তি স্থাপন করছি। এই প্রকল্পগুলোর ফলে আপনাদের যাতায়াত সহজ হবে। এখানে ব্যবসার নতুন নতুন সুযোগ সৃষ্টি হবে। দমন-এর উভয় প্রান্তেই উন্নয়নের গতি ত্বরান্বিত হবে।

বন্ধুগণ,

এখানে হসপিটালিটি বা আতিথেয়তা-কেন্দ্রিক অর্থনীতির সুযোগ বাড়বে এবং সেই সঙ্গে ‘ট্রান্সপোর্ট নগর’-এর মতো সুবিধাগুলো বাণিজ্য ও লজিস্টিকস ব্যবস্থায় নতুন গতি সঞ্চার করবে।

 

বন্ধুগণ,

এই অঞ্চলে ‘ব্লু ইকোনমি’বা সমুদ্র-অর্থনীতি নিয়ে আমরা যে রূপরেখা তৈরি করেছি, তা-ও অত্যাধুনিক পরিকাঠামোর শক্তির মাধ্যমেই বাস্তবায়িত হবে। আর তাই, আজই লাক্ষাদ্বীপের কালপেনি ও কাদমাত দ্বীপে আধুনিক বন্দরের ভিত্তিপ্রস্তর স্থাপন করা হচ্ছে। এই সমস্ত প্রচেষ্টা ‘ব্লু ইকোনমি’-র ক্ষেত্রে দেশের শক্তি বৃদ্ধি করবে এবং আমি আগেই বলেছি, এই উদ্যোগগুলি লাক্ষাদ্বীপের ভাগ্য বদলে দেবে।

বন্ধুগণ,

বিজেপি সরকার তথা আমাদের এনডিএ সরকারের কাছে উন্নয়নের প্রধান মাপকাঠি হলো - দরিদ্র, বঞ্চিত, আদিবাসী এবং মধ্যবিত্ত মানুষের জীবনে পরিবর্তন আনা! আর এ কারণেই স্বাস্থ্য  ক্ষেত্র আমাদের কাছে অত্যন্ত অগ্রাধিকারের বিষয়। বিগত বছরগুলোতে স্বাস্থ্যসেবার ক্ষেত্রে দেশ একটি সামগ্রিক দৃষ্টিভঙ্গি নিয়ে এগিয়ে চলেছে। চিকিৎসা সংক্রান্ত প্রতিটি সমস্যার সমাধান আমরা করেছি। আজ  দরিদ্রতম মানুষেরাও 'আয়ুষ্মান কার্ড'-এর সুবিধা পাচ্ছেন। ৫ লক্ষ টাকা পর্যন্ত বিনামূল্যে চিকিৎসার নিশ্চয়তা তাঁদের রয়েছে।  সময়মতো রোগনির্ণয় নিশ্চিত করতে 'প্রধানমন্ত্রী আয়ুষ্মান আরোগ্য মন্দির'-এর ব্যবস্থা করা হয়েছে। 'জন ঔষধি কেন্দ্র'-এর মাধ্যমে সাশ্রয়ী মূল্যে ওষুধও পাওয়া যাচ্ছে। এই পরিষেবাগুলিকে আরও উন্নত ও আধুনিক করে তুলতে, আজ 'আয়ুষ্মান ভারত ডিজিটাল মিশন'-এর মাধ্যমে স্বাস্থ্যসেবাকে প্রযুক্তির  সঙ্গে যুক্ত করা হচ্ছে।

বন্ধুগণ,

শুধুমাত্র আয়ুষ্মান কার্ড এবং জন-ঔষধি কেন্দ্রের সুবাদেই দরিদ্র ও মধ্যবিত্ত শ্রেণীর প্রায় ২.২৫ লক্ষ কোটি টাকা সাশ্রয় হয়েছে।

ভাই ও বোনেরা,

কেন্দ্রীয় সরকারের নীতির ফলে এই অঞ্চলের মানুষও ব্যাপকভাবে উপকৃত হয়েছেন। এক সময় এখানে উন্নত চিকিৎসার সুযোগ-সুবিধার অভাব ছিল। এমনকি এখানে কোনো মেডিকেল কলেজও ছিল না। কিন্তু এখন এখানে একটি মেডিকেল কলেজ রয়েছে এবং সেখানে স্নাতকোত্তর পড়াশোনাও শুরু হয়েছে। সিলভাসার ‘নমো হাসপাতাল’গত এক বছর ধরে হাজার হাজার মানুষের সেবা করে আসছে। আজ দমন-এও ‘নমো হাসপাতাল-এর উদ্বোধন করা হলো। এই অঞ্চলের মানুষ এখন আরও উন্নত স্বাস্থ্যসেবার সুবিধা পাবেন।

 

বন্ধুগণ,

স্বাস্থ্যক্ষেত্রকে আমাদের সরকার কতটা অগ্রাধিকার দিচ্ছে, তা ‘জাতীয় পরিবার স্বাস্থ্য সমীক্ষা’-র ফলাফলেও স্পষ্ট। এক সময় ভারতে অধিকাংশ সন্তান প্রসব হাসপাতালে হতো না। আজ দেশে ৯০ শতাংশেরও বেশি প্রসব হাসপাতালে হচ্ছে। এর ফলে মাতৃমৃত্যু ও শিশুমৃত্যুর হার উল্লেখযোগ্যভাবে কমেছে। ‘মিশন ইন্দ্রধনুষ’-এর কারণে শিশু টিকাকরণের ক্ষেত্রেও ভারত ভালো সাফল্য অর্জন করেছে। ২০১৪ সালের আগে মাত্র ৬০ শতাংশ শিশু সম্পূর্ণ টিকা পেয়েছিল। আজ এই সংখ্যা বেড়ে প্রায় ৯০ শতাংশে পৌঁছেছে। স্বাস্থ্য সুরক্ষার ক্ষেত্রেও বড় পরিবর্তন এসেছে। ২০১৪ সালের আগে ৩০ শতাংশেরও কম পরিবার স্বাস্থ্য বিমা প্রকল্পের আওতাভুক্ত ছিল। আজ ‘আয়ুষ্মান ভারত’সেই পরিসংখ্যানও বদলে দিয়েছে। এখন ৬০ শতাংশেরও বেশি পরিবার এই সুরক্ষার সুবিধা পাচ্ছে।

বন্ধুগণ,

স্বাস্থ্যক্ষেত্রে সরকারের এসব প্রচেষ্টার ফলে যদি কেউ সবচেয়ে বেশি উপকৃত হয়েছেন আমার দেশের মহিলারা।

বন্ধুগণ,

আগে এই অঞ্চলের তরুণ-তরুণীদের উচ্চশিক্ষার জন্য বাইরে যেতে হতো। কিন্তু আজ এখানে একটি নয়, বরং জাতীয় পর্যায়ের অনেক প্রতিষ্ঠান গড়ে উঠেছে। সাম্প্রতিক বছরগুলোতে এখানে নতুন স্কুল ভবন নির্মিত হয়েছে এবং স্কুলগুলোতে ‘স্মার্ট ক্লাসরুম’ও তৈরি করা হয়েছে। ৪০ হাজারেরও বেশি শিক্ষার্থী এর সুফল পাচ্ছে। আমি আনন্দিত যে, এই কেন্দ্রশাসিত অঞ্চলটি শিক্ষার ক্ষেত্রে ক্রমশ এগিয়ে চলেছে। এখানে ‘স্বামী বিবেকানন্দ এডুকেশন হাব’-এর মতো অনেক নির্মাণকাজ হচ্ছে। 

 

ভাই ও বোনেরা,

শিক্ষার এই বিপ্লবে যেন আমাদের মেয়েরা পিছিয়ে না থাকে আমরা সেজন্য দৃঢ় সংকল্প । এ লক্ষ্যে বড় ধরনের অনেক প্রচেষ্টা চালানো হচ্ছে। ‘সরস্বতী সাইকেল যোজনা’ এবং ‘সরস্বতী বিদ্যা যোজনা’-র মতো কর্মসূচিগুলো এখানকার মেয়েদের ব্যাপকভাবে সহায়তা করছে।

বন্ধুগণ,

ভারত আজ এমন এক প্রচেষ্টা চালাচ্ছে যাতে দেশের যুবসমাজ কেবল ডিগ্রির পাশাপাশি সঠিক দিকনির্দেশনাও পায়। তাদের এমন অভিজ্ঞতা ও সুযোগের  সঙ্গে পরিচিত করা প্রয়োজন, যা স্থানীয় প্রতিভাকে বিশ্বমানের সুযোগ-সুবিধার সঙ্গে যুক্ত করতে পারে। ডিজাইন, আইন, প্রকৌশল, চিকিৎসা শিক্ষা, তথ্যপ্রযুক্তি ,ড্রোন এবং নবীকরনযোগ্য শক্তির মতো ক্ষেত্রগুলোতে আমাদের বর্তমান প্রস্তুতি ভারতের কর্মীবাহিনীকে আরও শক্তিশালী করে তুলবে। তাই পেশাগত শিক্ষা প্রতিষ্ঠানের সম্প্রসারণ অত্যন্ত গুরুত্বপূর্ণ।

বন্ধুগণ,

আজ এনআইএফটি-এর অষ্টাদশ ক্যাম্পাসের ভিত্তিপ্রস্তর স্থাপন করা হলো। এই প্রতিষ্ঠানটি এখানকার যুবসমাজকে বিশ্বমানের অভিজ্ঞতার সাথে যুক্ত করবে। আইটিআই দমন-এ ড্রোন টেকনিশিয়ানের মতো নতুন কোর্সও চালু হয়েছে। ‘পিএম বিশ্বকর্মা এবং ‘পিএম সূর্য ঘর বিনামূল্যে বিদ্যুৎ যোজনা’-র মতো প্রশিক্ষণ কর্মসূচিগুলোও যুবসমাজকে উপকৃত করছে।

বন্ধুগণ,

নতুন চিন্তাধারার মাধ্যমে দেশের ক্রীড়াক্ষেত্রকেও এগিয়ে নেওয়া হয়েছে। আমাদের খেলাধুলা এখন আর কেবল বড় শহর বা বড় স্টেডিয়ামের মধ্যে সীমাবদ্ধ নেই। ‘খেলো ইন্ডিয়া’-র মতো উদ্যোগ যুবসমাজকে তাদের প্রতিভা প্রদর্শনের এক নতুন মঞ্চ দিয়েছে। এর ফলে ছোট অঞ্চলের ছেলেমেয়েরাও খেলাধুলার ক্ষেত্রে জাতীয় পর্যায়ে উঠে আসছে এবং এই অঞ্চলটিও এর সুফল পেয়েছে। দিউ আজ বিচ স্পোর্টস বা সমুদ্রতট-কেন্দ্রিক খেলাধুলার একটি বড় কেন্দ্র হিসেবে গড়ে উঠেছে। ঘোগলা বিচে আয়োজিত ‘বিচ গেমস’ও দেশের দৃষ্টি এই অঞ্চলের দিকে আকর্ষণ করেছে। আজ এখানে ক্রমাগত আধুনিক ক্রীড়া পরিকাঠামো গড়ে তোলা হচ্ছে। খানভেল-এর ফুটবল সেন্টার এবং দমন-এর ভলিবল প্রশিক্ষণ কেন্দ্র এখানকার ক্রীড়া সংস্কৃতিকে আরও শক্তিশালী করে তুলছে।

 

বন্ধুগণ,

আজ দেশের বিশেষ মনোযোগ রয়েছে পর্যটন ক্ষেত্রের ওপরও। আমাদের লক্ষ্য হলো পর্যটনের মাধ্যমে স্থানীয় শিল্প ও সংস্কৃতির প্রসার ঘটানো। ছোট ছোট জায়গাকেও বড় বড় সুযোগ-সুবিধার সঙ্গে যুক্ত করা। ‘দেখো আপনা দেশ’-এর মতো উদ্যোগ মানুষকে দেশের বৈচিত্র্য সম্পর্কে জানতে অনুপ্রাণিত করেছে। আজ ভারতে হেরিটেজ ট্যুরিজম, বিচ ট্যুরিজম, ইকো-ট্যুরিজম এবং অ্যাডভেঞ্চার ট্যুরিজম নতুন প্রাণশক্তি পাচ্ছে।

বন্ধুগণ,

দাদরা ও নগর হাভেলি এবং দমন ও দিউ-তেও পর্যটন এক বিপুল সম্ভাবনাময় ক্ষেত্র। এই অঞ্চলটি প্রাকৃতিক সৌন্দর্যে সমৃদ্ধ। তাই পর্যটন নিয়ে দেশ যে নীতিগুলো গ্রহণ করেছে, তার ফলে দাদরা ও নগর হাভেলি এবং দমন ও দিউ ব্যাপকভাবে উপকৃত হয়েছে। ২০২১ সালে এখানে প্রায় ৬ লক্ষ পর্যটক এসেছিলেন। ২০২৫ সালে এই সংখ্যা বেড়ে প্রায় ৫০ লক্ষে পৌঁছেছে। অর্থাৎ, মাত্র কয়েক বছরের মধ্যেই পর্যটকদের সংখ্যা প্রায় দশগুণ বেড়েছে। উন্নত পরিকাঠামো, ভালো সুযোগ-সুবিধা এবং পরিচ্ছন্ন সমুদ্রতটের কারণেই এটি সম্ভব হয়েছে। দমন নাইট মার্কেট, রামসেতু সি-ফ্রন্ট, নামোপথ সি-ফ্রন্ট, নানি দমন দুর্গ, গঙ্গেশ্বর মন্দির চত্বর - এমন অসংখ্য স্থান আজ এই পুরো অঞ্চলের নতুন পরিচয় হয়ে উঠছে।

বন্ধুগণ,

দাদরা ও নগর হাভেলি এবং দমন ও দিউ-এর স্বপ্ন পূরণের জন্য আমাদের এখানকার শিল্প-সামর্থ্যও বৃদ্ধি করতে হবে। এটি অত্যন্ত গর্বের বিষয় যে, এই কেন্দ্রশাসিত অঞ্চলটি কৃত্রিম তন্তু বা 'ম্যান-মেড ফাইবার'-এর ক্ষেত্রে নিজের এক স্বতন্ত্র পরিচিতি গড়ে তুলেছে। দাদরা ও নগর হাভেলি আজ 'জাতীয় ম্যান-মেড ফাইবার রাজধানী' হিসেবে স্বীকৃতি পেয়েছে। প্লাস্টিক পণ্য রপ্তানির ক্ষেত্রেও এই অঞ্চলটি ক্রমাগত এগিয়ে চলেছে। এখানকার শিল্প ও এমএসএমই-গুলোকে সহায়তা করার জন্য সরকার নিরন্তর প্রচেষ্টা চালিয়ে যাচ্ছে। এখানকার এমএসএমই এবং অন্যান্য শিল্পকে কোটি কোটি টাকার আর্থিক সহায়তা প্রদান করা হয়েছে। এই কেন্দ্রশাসিত অঞ্চলের ক্ষুদ্র ও কুটির শিল্পের জন্য নতুন নতুন সুযোগ সৃষ্টি হচ্ছে। আমি নিশ্চিত যে, আগামী দিনে এই অঞ্চলটি উৎপাদন শিল্পের এক বিশাল কেন্দ্রে পরিণত হবে।

বন্ধুগণ,

যখন সংবেদনশীল শাসনব্যবস্থার সঙ্গে উন্নয়নের দূরদর্শী চিন্তাধারার মেলবন্ধন ঘটে, তখন বাস্তবে দ্রুত রূপান্তর হয়। দাদরা ও নগর হাভেলি এবং দমন ও দিউ-তে আমাদের প্রচেষ্টার সুফল দেখে আমি অত্যন্ত সন্তোষ বোধ করছি। এ অঞ্চলের মানুষের ওপর আমার পূর্ণ আস্থা রয়েছে। এখানকার যুবসমাজ, মা ও বোনেরা, কৃষক, কারিগর, শ্রমিক এবং উদ্যোক্তারা আগামী বছরগুলোতে উন্নয়নের এই যাত্রাকে আরও এগিয়ে নিয়ে যাবেন। আমি আপনাদের নিশ্চিত করছি যে, আপনাদের স্বপ্ন পূরণে কেন্দ্রীয় সরকার সর্বদা আপনাদের পাশে থাকবে। এই বিশ্বাস নিয়ে, উন্নয়নমূলক প্রকল্পগুলোর জন্য আমি আপনাদের আবারও অনেক অনেক অভিনন্দন জানাচ্ছি। আমার সঙ্গে বলুন - ভারত মাতা কি জয়! ভারত মাতা কি জয়! ভারত মাতা কি জয়!
আপনাদের অনেক ধন্যবাদ।