Chief Minister celebrates Kutchi New Year, Mandvi

Published By : Admin | June 21, 2012 | 12:38 IST

ર્વે મહાનુભાવો અને આ ઘૂઘવતા દરિયા કિનારે ઘૂઘવતો માનવ મહેરામણ..! આપ સૌને નવા વર્ષની અંદર સર્વ પ્રકારના સંકલ્પો પૂર્ણ થાય, આપની સઘળી ઇચ્છાઓ પૂર્ણ થાય, આપનો પરિવાર સુખી રહે અને આપણી કચ્છની ધરતી જગત આખામાં હજુ વધુ ચમકે એવી આ નવવર્ષે શુભકામનાઓ પાઠવું છું.

ભાઈઓ-બહેનો, મારે કચ્છના મારા મિત્રોને અભિનંદન આપવા છે. એમણે એક આ કચ્છના નવવર્ષને સમાજના ઉત્સવ તરીકે ઊજવવાનો, એક સામૂહિક અવસર બનાવવાનો પ્રયાસ કર્યો છે. અને ઘણીવાર સમૂહમાંથી આપોઆપ એક નવી ઊર્જા પેદા થતી હોય છે, નવો આત્મવિશ્વાસ પેદા થતો હોય છે અને મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે કે એ આનંદ પણ વહેંચવા માટે થઈને જગ્યા શોધતો હોય છે. સરસ મજાનું શર્ટ ખરીદ્યું હોય, શરીર પર બરાબર શોભતું હોય પણ દર્પણ સામે જોઈને કંઈ એની જીંદગી પૂરી ન કરે, એને ઇચ્છા હોય કે એના મિત્રો જુએ, એના આનંદમાં ભાગીદાર બને. સરસ મજાની મીઠાઈ બની હોય, ખાધી હોય, પણ મન કરે કે પોતાનો કોઈ સ્વજન પણ સાથે જોડાય. આ મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે. એમ, આ સમાજના પર્વોનું પણ એવું છે. આ સમાજના પર્વોને પણ જ્યારે જ્યારે સામુહિકતા મળતી હોય છે, ત્યારે એ સમાજની શક્તિનો સ્ત્રોત બની જતાં હોય છે. અને એ બાબતે માંડવી નગરપાલિકાએ, મારા સૌ આગેવાનોએ એક સારી પરંપરા માંડવીના દરિયા કિનારે ઊભી કરી છે. અને હવે તો કચ્છમાં કંઈ પણ આવી ઉજવણી કરીએ ને તો એણે ટૂરિઝમની દ્રષ્ટિથી જોડી જ કાઢવી જોઇએ. આપણા સગા-વહાલાં, દૂરદૂરના મિત્રોને કહેવું જોઈએ કે ભાઈ, અમારા નવા વર્ષની ઉજવણીમાં ભાગીદાર બનવા આવો. જુઓ, અમારા કચ્છમાં કેવો ઉમંગ હોય છે..! તો આ અવસર પણ ટૂરિઝમના આકર્ષણનું કારણ બની જાય. અને હવે તો કચ્છને મારે ટૂરિઝમ સમજાવવું પડે એવું નથી, આખું હિંદુસ્તાન બોલે છે, ‘કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા’. આ કચ્છની ધજાપતાકા આખી દુનિયામાં લહેરાવવાનો એક આનંદ આવે છે મને મિત્રો, ખબર નહીં કેમ, પણ આનંદ આવે છે. નહીંતો મોં વકાસ્યું કરીને રડ્યા જ કરે, અમારે ત્યાં ભૂકંપ હતો, ભૂકંપ હતો, ભૂકંપ હતો... હવે..? અરે, અમારા કચ્છમાં તો આમ છે ને અમારા કચ્છમાં આમ છે..! આખું બદલાઈ ગયું, ભાઈ. શક્તિનો સાક્ષાત્કાર થાય, એનાથી કેવું પરિવર્તન આવે છે એ આજે આપણે જોઈએ છીએ અને અનુભવીએ છીએ.

ભાઈઓ-બહેનો, આજ હિંદુસ્તાનનો કોઈ જિલ્લો કચ્છની પ્રગતિની તોલે આવી શકે એમ નથી. એની માળખાકિય સુવિધાઓ હશે, એમાં ખેતી ક્ષેત્રે જે અદભુત તરક્કી થઈ રહી છે, જ્યાં પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં નવી ક્રાંતિ આવી રહી છે, જ્યાં નવી નવી માળખાકિય સુવિધાઓ ઉત્તરોત્તર વધી રહી છે, જ્યાં અનેક પ્રકારના ઉદ્યોગ-ધંધાઓ વિકસી રહ્યા છે... કોઈપણ બાબતે જુઓ, કચ્છ એની એક આગવી તાકાતનાં દર્શન દેશના બધા જ જિલ્લાઓને કરાવી રહ્યું છે. અને એમાં કચ્છીઓનો પુરુષાર્થ છે, એમાં કચ્છીઓનું ખમીર છે, એમાં કચ્છી પ્રજાના મનમાં જે હામ છે, જે હીર છે, એ એની મોટામાં મોટી મૂડી છે! અને તેથી જેમ આ ભૂમિને નમન કરવાનું મન થાય છે ને, એમ આ ભૂમિના લોકોને પણ નમન કરવાનું મન થાય છે. આ સામર્થ્ય... અને આ રાજ્યની વિશેષતા જ આ છે કે એને જનશક્તિના સામર્થ્યને વિકાસની શક્તિમાં જોડવી છે, વિકાસનો વાવટો ફરકાવવામાં એક એક માનવીને જોડવાની કોશિશ કરી છે. ભગવાન કૃષ્ણ માટે ગોવર્ધન ઊંચકવો મુશ્કેલ નહોતો, ભાઈ. ખૂબ નાની ઉંમરમાં મોં ખોલે અને માને આખા બ્રહ્માંડના દર્શન કરાવી શકતા હોય, એ કૃષ્ણને માટે ગોવર્ધન ઊંચકવો મુશ્કેલ નહોતો. પણ આપણને એમણે રસ્તો બતાવ્યો કે એક એક ગોવાળિયાની લાકડીના ટેકે ગોવર્ધન ઊંચક્યો હોય, એના કારણે સમાજની શક્તિ બનતી હોય છે. આપણે પણ આ ગુજરાતના વિકાસની જે ઊંચાઈઓ પર જઈ રહ્યા છીએ, એના મૂળમાં પ્રત્યેક ગુજરાતીની ટેકણ લાકડી છે, પ્રત્યેક ગુજરાતીનો પુરુષાર્થ છે. અને મને સંતોષ આ વાતનો છે કે છ કરોડ ગુજરાતીઓ ગુજરાતની વિકાસયાત્રામાં ભાગીદાર બન્યા છે. દરેક ગુજરાતી સપનું જોતો થયો છે અને દરેક ગુજરાતી સપનું સાકાર કરવા માટે જહેમત કરતો થયો છે. એને ઓશિયાળા રહેવાનું પાલવે એમ નથી, એને યાચક રહેવાનું પાલવે એમ નથી. એને પુરુષાર્થની પરાકાષ્ઠા કરવી છે, એ વાતાવરણ આપણે ઊભું કર્યું છે. અને વાતાવરણ ઊભું થાય છે સમાજની આવા શક્તિના સામૂહિક દર્શનમાંથી.

ભાઈઓ-બહેનો, કેટલાય લોકો છે જેને ગુજરાતની પ્રગતિ આંખમાં કણાની જેમ ખૂંચે છે, કણાની જેમ. કેટલાક લોકોએ તો જૂઠાણાનો આખો દસકો ઊજવ્યો છે, જૂઠાણા... રોજ સવારમાં એક જૂઠાણું..! અને કેટલાક લોકોએ તો સોપારી લીધી છે કે હવે આ ડિસેમ્બરમાં તો મોદીને પાડી જ દેવો છે..! હવે એટલા બધા બિચારા નિરાશ થઈ ગયા છે, એટલા બધા હતાશ થઈ ગયા છે કે “સાલું, આટઆટલાં જૂઠાણા ચલાવીએ, આટઆટલા ગપગોળા ચલાવીએ, રોજ નવા આરોપો મૂકીએ પણ પ્રજાના મન પર અસર કેમ નથી થતી, એની એમને ચિંતા સતાવે છે..!” ભાઈઓ-બહેનો, એમના નસીબમાં જે કામ લખાયું છે એ એ લોકો કરે છે અને ગુજરાતની જનતાએ મારા નસીબમાં જે કામ મૂક્યું છે એ કામ જિંદાદિલીથી હું કરું છું. આપે મને જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર હું મક્કમ ડગ માંડતો ચાલ્યો છું. અને એ માર્ગ છે, વિકાસનો, પ્રગતિનો. અને મિત્રો, આ જ માર્ગે બધું બદલાશે. આજે પણ ૨૦૦૧ ના ભૂકંપના એ દિવસો વિચારીએ અને કલ્પના કરો કે બધું જ લોકોના પર, નસીબ પર છોડી દેવાયું હોત તો આજે શું દશા થઈ હોત? પણ બધાએ જ્યારે સામૂહિક જવાબદારી લીધી, સરકાર ખડે પગે ખડી થઈ ગઈ, જોતજોતામાં સ્થિતિ બદલી નાખી, ભાઈઓ. અને મારા મનનું કમિટ્મેન્ટ આ દર્શન..! મિત્રો, મુખ્યમંત્રીના શપથ લીધા પછી મેં પહેલું કામ કર્યું હતું, કચ્છની ધરતી પર આવવા માટેનું, દુખિયારાનાં આંસુ લૂછવા. મિત્રો, ગુજરાતના ભૂકંપ પછીની પહેલી દિવાળી હતી અને દિવાળી સૌ કોઈ મનાવે પણ મારી સરકાર હતી જેણે દિવાળી ઊજવવાનું કૅન્સલ કરીને કચ્છના દુખિયારાંઓને ત્યાં દિવાળીની રાત ગાળવાનું નક્કી કર્યું હતું. સંવેદના કોને કહેવાય, સમાજ માટેની ભક્તિ કોને કહેવાય એ મેં ડગલે ને પગલે પુરવાર કર્યું છે. ભાઈઓ-બહેનો, સત્તા વગર તરફડતા, જૂઠાણાઓનો આશરો લઈને ગુજરાતની છ કરોડની જનતાને ગુમરાહ કરવા મથતા, પૈસાના જોરે અપપ્રચારની આંધી ચલાવનારા તત્વો ન પોતાનું ભલું કરી શકવાના છે, ન ગુજરાતનું ભલું કરી શકવાના છે. અને આ તત્વોને તો હું કહું છું ભાઈ, જરા તમારી દિલ્હી સરકારનાં પરાક્રમો તો જુઓ..! કંઈ સરખું કરવું હોય તો ત્યાં કરી આવોને, આખો દેશ બરબાદ કરી મૂક્યો છે, આખો દેશ. રૂપિયાની લૂંટ ચાલી છે, મિત્રો. અને લાખો કરોડોથી નીચી વાત જ નથી આવતી. એક એક કામમાં લાખ કરોડ, બે લાખ કરોડ, દોઢ લાખ કરોડ, જાણે જીંદગીમાં ફરી મોકો જ ન મળવાનો હોય એમ મંડ્યા છે. જેસીબી લઈને મંડ્યા છે, જેસીબી લઈને... પહેલાંની કૉંગ્રેસ પાવડો લઈને મંડતી, આ હવે જેસીબી લઈને મંડ્યા છે, લૂંટ ચલાવી રહ્યા છે. અને આખા દેશની જનતા એમને ઓળખી ગઈ છે, દેશ બરાબર ઓળખી ગયો છે. અને છતાંય, બેશરમી કેટલી, નફ્ફટાઈ કેટલી..? અહીંયાં ઊજળા દૂધ જેવા થઈને પાછા આવીને ઊભા થઈ જાય છે. એમને ખબર નથી કે જનતા તમને બરાબર ઓળખી ગઈ છે. અને હવે આ દેશ હંમેશા હંમેશા માટે જનતા જનાર્દનને લૂંટનારાઓને કાયમ માટે જાહેર જીવનમાંથી મુક્ત કરીને જ રહેવાનો છે, આવો મારો પૂરો ભરોસો છે. એક સારું કામ એમને કહેવાની ફુરસદ નથી, કરવાની ફુરસદ નથી. અખાડા જ કર્યા કરવાના, ડખા જ કર્યા કરવાના અને ગુજરાતનો વિકાસ ન થાય, પ્રગતિ ન થાય, એના માટે આડશો નાખવાની, રુકાવટો પેદા કરવાની..!

ભાઈઓ-બહેનો, આપણો કચ્છ, આને દુષ્કાળગ્રસ્ત કહેવાય કે ન કહેવાય? સદીઓથી આપણે દુષ્કાળગ્રસ્ત કહેવાઈએ કે ન કહેવાઈએ? વર્ષોથી પાણીની ખેંચ કહેવાય કે ન કહેવાય? જરા ખોંખારીને બોલોને, ભાઈ... પાણીની ખેંચવાળો પ્રદેશ ખરો કે નહીં? પાણી માટે વલખાં મારીએ એવી દશા ખરી કે નહીં? આમાં કોઈ સર્ટિફિકેટની જરૂર છે..? બધાને ખબર છે ને? ચોપડે ચીતરેલું છે ને? આ છાપાં કાઢો, તો વર્ષો વર્ષનાં છાપાં ભરેલાં હોય. આ બધાને સમજણ પડે છે, દિલ્હી સરકારને નથી પડતી. બોલો, એ માનવા જ તૈયાર નથી કે આ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે, માનવા જ તૈયાર નથી..! કારણ, ભારત સરકારમાં એક યોજના છે કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી લઈ જવું હોય તો નેવું ટકા ખર્ચો ભારત સરકાર ભોગવે. એ યોજના છે. એનો લાભ હિંદુસ્તાનમાં જે જે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો છે એને મળે છે. આપણે લખી લખીને થાક્યા કે અમારે જે આ નર્મદા યોજનાનું પાણી કચ્છમાં લઈ જવું છે, એ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે, એ કેનાલોનો ખર્ચો અમને નેવું ટકા મળે એ અમારો હક છે અમને આપો. તો એ કહે, ના..! હવે એમને કોણ સમજાવે કે અમે આ દુષ્કાળગ્રસ્ત વિસ્તારના લોકોને માટે કહીએ છીએ, માનવા જ તૈયાર નથી. કારણકે માગણી કરનાર ગુજરાત છે, એને તો પાડી જ દો. પણ દિલ્હીની સલ્તનત કાન ખોલીને સાંભળી લે, અમારા હકનું છે એટલે અમે માંગવાના અને લડવાના. પણ તમે એમ માનતા હો કે તમે નહીં આપો એટલે કચ્છને અમે પાણી વગર રહેવા દઈશું, તો તમને ધૂળ ફાકતા કરી દઈશ પણ કચ્છને પાણી તો આપીશ જ. દુનિયામાંથી ભીખ માંગવી પડશે તો માંગીશ, પણ હું આ કામ પૂરું કરીશ. મારો વાંધો તમારી અન્યાયી પ્રવૃત્તિ સામે છે. અને મોટા ઉપાડે જૂઠાણા ફેલાવવા માટે નીકળેલા લોકો, એક કામ પોતાના કાર્યકાળમાં લોકો માટે કરી શક્યા નથી. ચાલીસ ચાલીસ વર્ષ સુધી ગુજરાતની જનતાએ પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક જ પાર્ટીને સત્તા સોંપી અને તેમ છતાંય વિકાસની વાત આ દસકામાં ખબર પડી કે વિકાસ કોને કહેવાય..!

ભાઈઓ-બહેનો, વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવી છે આપણે, વિકાસના મંત્રને લઈને આગળ વધવું છે અને રોજ નવા પ્રકલ્પ, રોજ નવી યોજનાઓ એ અમારી મથામણ છે. આપણે ટૂરિઝમ માટે આટલી મથામણ કરી રહ્યા છીએ. ધોળાવીરા, આખી દુનિયાના ટૂરિસ્ટોને આકર્ષે એવું મહામૂલું ક્ષેત્ર આપણી પાસે કચ્છમાં છે. આખી દુનિયા ઊતરી પડે એવી એ જગ્યા છે. પણ સાંતલપુર-ગઢુલીનો રસ્તો અહીં બનાવવો તો ધોળાવીરા જવા-આવવા માટેનો આપણો રસ્તો ટૂંકો થઈ જાય, સહેલાઈથી માણસ જતો-આવતો થઈ જાય... સાહેબ, એ કામને લટકાવીને બેઠા છે. મને સમજાતું નથી કંઈ..! એક રાજ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે વિકાસ માટેની અવનવી યોજનાઓ લઈને આવતું હોય, પણ માત્ર ગુજરાત છે, ત્યાં ભાજપવાળા બેઠા છે, મોદી છે એટલે મારો... આવું ઝેર..? મેં એકવાર પ્રધાનમંત્રીની હાજરીમાં કહ્યું હતું કે તમે અમને ગણો છો શું, ભાઈ? અમે કોઈ દુશ્મન દેશનું રાજ્ય છીએ, ભાઈ? અરે, અમે પણ હિંદુસ્તાનના, આ ભારત માતાના સંતાન છીએ, અમારી જોડે જરા સરખો વ્યવહાર કરો. પણ આ જે પ્રવૃત્તિ ચાલે છે ભાઈઓ-બહેનો, એ પ્રવૃત્તિની સામે મારો આક્રોશ છે. તમે વિચાર કરો, આપણા ગુજરાતમાં પચાસ વર્ષ પહેલાં ખંભાતમાં તેલના કૂવાઓમાંથી તેલ નીકળ્યું. એ જ સમયે થોડા સમય પછી આસામમાં નીકળ્યું. આસામ અને ગુજરાત બે જગ્યાએ તેલના ભંડારો મળ્યા છે. ભારત સરકાર એના પર માલિકી ધરાવે છે, પણ જે રાજ્યમાંથી નીકળે એ રાજ્યને એની રોયલ્ટી મળે છે. ભાઈઓ-બહેનો, પહેલાં તો એમણે ખૂબ અન્યાય કર્યો આપણને. પણ અટલજીની સરકાર આવી અને આપણી વાત વળી માની અને વળી આપણું ગાડું જરા સરખું ચાલ્યું ને આપણને લાભ થવા માંડ્યો. વર્ષે રોયલ્ટીના આપણને સંતોષ થાય એટલા રૂપિયા મળવા માંડ્યા. જેવી અટલજીની સરકાર ગઈ અને આ લોકો બેઠા, ધડામ દઈને કાગળિયાં બધાં ફેરવી નાખ્યાં. અને ફેરવવામાં વળી કેવું કર્યું, કે આસામને એમને એમ રાખ્યું, ગુજરાતના બધા નિયમો બદલી નાખ્યા. ખાલી ક્રૂડની રોયલ્ટીના પાંચ હજાર ચારસો કરોડ રૂપિયા ઓછા આપ્યા છે આપણને, પાંચ હજાર ચારસો કરોડ રૂપિયા..! જે ગુજરાતના હકના છે, જે ભારત સરકારે મંજૂર કર્યા હતા, અટલજીના સમયમાં નિર્ણય થયો હતો, અટલજી હતા ત્યાં સુધી મળતા રહ્યા હતા અને ત્યાર પછી રાતોરાત... કેમ ભાઈ, આસામ અને ગુજરાતમાં ભેદભાવ કેમ? અગર જો આસામની ધરતીમાંથી તેલ નીકળે તો આસામને વધારે પૈસા મળે અને ગુજરાતની ધરતીમાંથી નીકળે તો ઓછા પૈસા મળે, ગુજરાતને આ અન્યાય કેમ? આની સામે અમારી લડાઈ છે, ભાઈ. તમને ભેદભાવ કરવાનો કોઈ હક નથી. ગામડાંઓમાં રોડ બનાવવા માટે પેટ્રોલ પર લિટર દીઠ બે રૂપિયા ભારત સરકાર લે છે. આપણા રાજ્યમાં પેટ્રોલની સૌથી વધારે ખપત છે. અરબો-ખરવો રૂપિયા એમને મળે છે, પણ આપણને રોડ બનાવવા માટે દમડીયએ આપતા નથી. બીજા બધાને આપે છે. કેમ ભાઈ, અમારે ગુજરાતના ગામડાંઓના રોડ ન બનાવવાના હોય..? તો આપણને શું કહે કે અરે, તમારા ગામડાંઓમાં તો રોડ પહોંચી ગયા છે, હવે તમારે શું જરૂર છે? મેં કહ્યું કે ભાઈ, અમારે ત્યાં જમાનો બદલાઈ ગયો છે, પહેલાં સાઇકલો ચાલતી હતી, અત્યારે તો ગામડામાંય ગાડીઓ ચાલી પડી છે. એને આમને-સામને કરવા રોડ અમારે પહોળા કરવા પડે, અમારે પેવર રોડ બનાવવા પડે એવી ગામડાંમાંથી માગણી આવી છે એટલે અમને રૂપિયા આપવા પડે તમારે. અને અમારા જ છે પાછા, એવું નહીં કે તમારી મહેનતનું માંગીએ છીએ, ભાઈ. આ ગુજરાતની જનતાના પૈસા છે..! ભાઈઓ-બહેનો, અનેક અવરોધો ઊભા કરવામાં આવે છે, અનેક અડચણો ઊભી કરવામાં આવે છે, છાશવારે સી.બી.આઇ.ની ધમકીઓ આપવામાં આવે છે, બોલો.

ભાઈઓ-બહેનો, આ વિકાસની યાત્રા એ જ એક માર્ગ આપણે અપનાવ્યો છે અને એ જ માર્ગથી લાભ થવાનો છે. પ્રજા જીવનને સુખ જોઈતું હશે, શાંતિ જોઇતી હશે, તો શાંતિ, એકતા અને સદભાવનાના મંત્ર સાથે આપણે આગળ વધ્યા છીએ. આ અમદાવાદમાં આજે વાજતે-ગાજતે જગન્નાથજી ભગવાન આગળ વધી રહ્યા છે. સવારથી નીકળ્યા છે નગરચર્યા કરવા માટે. નહીં તો પહેલાં..? જગન્નાથજીની રથયાત્રા નીકળવાની હોય, તો કચ્છવાળો ત્યાં ફોન કરીને પૂછે કે અમદાવાદ અવાય એવું છે હમણાં, ક્યાંય કર્ફ્યૂ-બર્ફ્યૂ તો નથી ને? એવું હતું ને..? લોકો લગ્નની તારીખ નક્કી કરે ત્યારે નક્કી કરે કે ઊભા રહો હોં, આ રથયાત્રાના દસ દિવસ આગળ-પાછળ બધું બંધ રાખો, કાંઈ ઠેકાણું નહીં, શું થાય ત્યાં..! છોકરા કુંવારા રહી જાય. કર્ફ્યૂ..! મિત્રો, દર ત્રીજા વર્ષે રથયાત્રા હોય, એમાં ક્યાંક હુમલો થયો હોય અને એમાંથી કર્ફ્યૂ ને આ ને તે ને આ જ બધું ચાલતું હોય..! આ પહેલો દસકો એવો છે ભાઈઓ, પહેલો દસકો કે જ્યાં ગુજરાતમાં કર્ફ્યૂનું નામોનિશાન નથી. સુખ-શાંતિ સૌને જોઈએ છે, વેપાર રોજગાર લોકોને કરવા છે, બાળકોને ભણાવવાં છે, દીકરીઓ ગૌરવભેર જીવે એવું વાતાવરણ જોઈએ છે. આ સરકારે એને પ્રાથમિકતા આપી છે, પ્રાધાન્ય આપ્યું છે. અને તેથી ભાઈઓ-બહેનો, આજે જ્યારે માંડવીના કિનારે આવ્યો છું ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આ જૂઠાણાઓ, આ ખોટા આરોપો, માત્ર સત્તા ભોગવવા માટે ગુજરાતને બદનામ કરવાની જે પેરવી ચાલે છે એની સામે આપણે બધાએ લડવું પડશે અને આ શક્તિઓને પરાસ્ત કરવી પડશે. આજે જ્યારે નવા વર્ષનો આરંભ થઈ ગયો છે ત્યારે, આ નવું વર્ષ જનતા જનાર્દનના વિજયનું વર્ષ બની રહે ભાઈ, આ નવું વર્ષ જનતા જનાર્દનના સંકલ્પની પૂર્તિનું વર્ષ બની રહે, આ નવું વર્ષ પ્રત્યેક પરિવારની આશા-આકાંક્ષાઓને પરિપૂર્ણ કરનારું બની રહે એવા સંકલ્પ સાથે નવા વર્ષને ઊજવીએ.

મારી આ મહેફિલ તો લાંબી ચાલવાની છે. હું તો સવારે જગન્નાથજી ભગવાનને વિદાય આપીને અહીં કચ્છ આવ્યો છું. આજે એક દિવસમાં બધા જ ખૂણામાં ફરી વળ્યો છું અને હજુ અમદાવાદ પહોંચવું છે. એટલે મેં અમારા મિત્રોને વિનંતી કરી હતી કે તમારી રંગત બરાબર જમાવજો, પછી મને શું થયું એ કહેજો. પણ આપે મને આટલો બધો પ્રેમ આપ્યો છે કચ્છી ભાઈઓ, જન્મો જન્મ એને નિભાવતો રહું અને એ ઋણ ચૂકવતો રહું એવી મને શક્તિ આપો. જન્મો જન્મ તમારી સેવા કરતો રહું ભાઈઓ, એટલો બધો મને કચ્છી ભાઈઓએ પ્રેમ આપ્યો છે અને હું પણ સવાયું કરીને આપવા માટે બેઠો છું ભાઈઓ, સવાયું કરીને. તો ફરી એકવાર આ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ..!

ય જય ગરવી ગુજરાત...!!

Explore More
শ্রী রাম জন্মভূমি মন্দিরের ধ্বজারোহণ উৎসবে প্রধানমন্ত্রীর বক্তব্যের বাংলা অনুবাদ

জনপ্রিয় ভাষণ

শ্রী রাম জন্মভূমি মন্দিরের ধ্বজারোহণ উৎসবে প্রধানমন্ত্রীর বক্তব্যের বাংলা অনুবাদ
Raveena Tandon travels in Vande Bharat, hails ‘Make In India’ endeavor

Media Coverage

Raveena Tandon travels in Vande Bharat, hails ‘Make In India’ endeavor
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
দমনে বিভিন্ন প্রকল্পের ভিত্তিপ্রস্তর স্থাপন/উদ্বোধন অনুষ্ঠানে প্রধানমন্ত্রীর ভাষণের বঙ্গানুবাদ
June 05, 2026
The launch of projects across healthcare, aviation, tourism and infrastructure marks a new development push for Daman that will transform lives across the UT: PM
The data released today reflects the strength of India's economy, with growth of 7.7% in FY 2025–26 and 7.8% in the quarter ending March 31: PM
Even amid severe global challenges, the collective efforts of 1.4 billion Indians have ensured that India is not only sustaining itself but also staying ahead of the curve: PM
The National Family Health Survey clearly reflects the government's focus on healthcare. While most deliveries in India earlier took place outside hospitals, today over 90% of all deliveries occur in hospitals: PM
Thanks to Mission Indradhanush, child immunization coverage in India has risen from 60% before 2014 to nearly 90% today: PM

ভারত মাতা কি জয়!

ভারত মাতা কি জয়!

দাদরা ও নগর হাভেলি, দমন ও দিউ-এর প্রশাসক প্রফুল ভাই প্যাটেল, সংসদে আমার সহকর্মী কালাবেন দেলকর, দমন পৌর পরিষদের সভাপতি দীপিকা তান্ডেল জি, দমন জেলা পঞ্চায়েতের চেয়ারম্যান ধর্ম বাবু প্যাটেল, সিলভাসা পৌর পরিষদের চেয়ারম্যান সোমনাথ দেবরে জি, দাদরা নগর হাভেলি জেলা পঞ্চায়েতের চেয়ারপার্সন নিশা ভাবসার জি, দিউ পৌর পরিষদের চেয়ারম্যান হরিশ কাপাদিয়া জি, দিউ জেলা পঞ্চায়েতের চেয়ারপার্সন কোটিয়া রঞ্জিতাবেন, এবং এখানে এত বিপুল সংখ্যায় সমবেত আমার প্রিয় ভাই ও বোনেরা,
আপনারা যেমন এখানে সমবেত হয়েছেন, তেমনি লাক্ষাদ্বীপেরও বহু মানুষ ভিডিওর মাধ্যমে আমাদের সঙ্গে যুক্ত আছেন। আজ লাক্ষাদ্বীপে উন্নয়নের এক নতুন সূচনা হয়েছে। লাক্ষাদ্বীপের মানুষের জীবনে বৈপ্লবিক পরিবর্তন আনবে এমন একটি নতুন প্রকল্পেরও উদ্বোধন করা হয়েছে এবং কয়েকটি প্রকল্পের ভিত্তিপ্রস্তর স্থাপন করা হয়েছে।

বন্ধুগণ,

কয়েক বছর আগে, যখন আমি আপনাদের মধ্যে এসেছিলাম, তখন বলেছিলাম যে আমাদের দমন দ্রুত মিনি ইন্ডিয়া হয়ে উঠছে, আর আজ আমি দেখছি, বা-দিকে সমগ্র বাংলা এবং ডান দিকে সমগ্র আসাম। দমন মিনি ইন্ডিয়ার এক জীবন্ত উদাহরণ হয়ে উঠেছে। এখানকার বৈচিত্র্য, বিভিন্ন অঞ্চলের মানুষের বসবাস, আপনাদের মধ্যে সমগ্র ভারতের এক সুন্দর ঝলক তুলে ধরে। আপনারা সকলে এত বিপুল সংখ্যায় আমাদের আশীর্বাদ করতে এসেছেন, এর জন্য আমি আপনাদের সকলকে অনেক ধন্যবাদ জানাই।

ভাই ও বোনেরা,

আমার দমন ও দিউতে বহুবার আসার সুযোগ হয়েছে। আমি দাদরা ও নগর হাভেলিতেও নিয়মিত যাই। আমি যখন মুখ্যমন্ত্রী বা প্রধানমন্ত্রী ছিলাম না, তখনও এখানে বহুবার এসেছি। কিন্তু এখন যখন আমি এখানে এসে সুশাসনের মডেল দেখি, তখন খুব ভালো লাগে। প্রতিবারই আমার মনে হয় যে আগের বারের তুলনায় এই অঞ্চলটি উন্নয়নের পথে বহু মাইল এগিয়ে গেছে।

বন্ধুগণ,

দাদরা ও নগর হাভেলি, দমন ও দিউ কয়েক দশক ধরে উন্নয়নের স্বপ্ন দেখেছিল। আগের প্রজন্ম যারা স্বপ্ন দেখেছিলেন, তারা চলে গেছেন। কিন্তু বর্তমান প্রজন্ম নিজেদের চোখে দেখছে যে, তাদের বাবা-মা ও দাদু-ঠাকুমারা যে স্বপ্নগুলো দেখতেন, তা এখন তাদের চোখের সামনেই পূরণ হচ্ছে। আজও এখানে যোগাযোগ, স্বাস্থ্য, শিক্ষা, পর্যটন এবং নগর পরিকাঠামো সম্পর্কিত অনেক প্রকল্পের উদ্বোধন ও ভিত্তিপ্রস্তর স্থাপন করা হয়েছে। এই উন্নয়নমূলক কাজগুলো দমন এবং সমগ্র কেন্দ্রশাসিত অঞ্চলের মানুষের জীবনকে আরও সহজ করে তুলবে। এগুলো যুবকদের জন্য নতুন সুযোগ তৈরি করবে। এই কাজগুলোর পেছনে প্রফুল ভাই প্যাটেলের দূরদৃষ্টি এবং তাঁর ও তাঁর দলের কঠোর পরিশ্রম স্পষ্টভাবে দৃশ্যমান। এর জন্য আমিও প্রফুল ভাই এবং তাঁর পুরো দলকে সাধুবাদ জানাই। আমি লাক্ষাদ্বীপ এবং দাদরা-নগর হাভেলির জনগণকে অনেক অভিনন্দন ও শুভেচ্ছা জানাই।

বন্ধুগণ,

আজ আপনাদের মধ্যে আসার সময় একটি সুখবর পেলাম। আজ সকালেই আমি দিল্লি থেকে রওনা হয়েছিলা। এইমাত্র যে পরিসংখ্যান ও খবরটি এসেছে তা সত্যিই আনন্দদায়ক; আর আমি আপনাদের সঙ্গে এই আনন্দ ভাগ করে নিতে চাই। আজকের এই পরিসংখ্যান স্পষ্টভাবে প্রমাণ করে যে ভারতের অর্থনীতির ভিত্তি কতটা মজবুত। ২০২৫-২৬ সালে - অর্থাৎ যে অর্থবছরটি সদ্য শেষ হলো তাতে—ভারত ৭.৭ শতাংশ প্রবৃদ্ধির হার অর্জন করেছে। এমনকি ৩১শে মার্চ শেষ হওয়া সর্বশেষ ত্রৈমাসিকেও ভারতের প্রবৃদ্ধির হার ছিল ৭.৮ শতাংশ। এর ফলে ভারত বিশ্বের দ্রুততম উন্নয়নশীল বৃহৎ অর্থনীতিতে পরিণত হয়েছে। প্রত্যেক ভারতীয়রই এতে গর্ববোধ করা উচিত। এটাই আমাদের অগ্রগতির গতি। দেশ আজ 'রিফর্ম এক্সপ্রেস'-এর গতিতে এগিয়ে চলেছে। দেশ আজ বিশাল পরিকাঠামোগত উন্নয়ন এবং দরিদ্রদের কল্যাণে ব্যাপক কর্মযজ্ঞ প্রত্যক্ষ করছে। আর এসব প্রচেষ্টারই ফলস্বরূপ, দেশ আজ দ্রুততম  উন্নয়নশীল বৃহৎ অর্থনীতি হিসেবে এগিয়ে যাচ্ছে। আমরা সবাই জানি যে বিশ্ব আজ নানা সংকটে জর্জরিত এবং বিশ্বের বিভিন্ন দেশের অর্থনীতি অনিশ্চয়তার মুখে পড়েছে। কিন্তু বিশ্বব্যাপী এই চরম সংকটের সময়েও ১৪০ কোটি দেশবাসীর সম্মিলিত প্রচেষ্টায় ভারত কেবল নিজের অবস্থানই ধরে রাখেনি, বরং অন্যদের চেয়ে এগিয়েও রয়েছে। অর্থনৈতিক ক্ষেত্রে এই নতুন উচ্চতা অর্জনের জন্য আমি দেশবাসীকে অনেক অনেক অভিনন্দন জানাই। আমি আবারও দেশবাসীকে আশ্বস্ত করছি যে, বিশ্বজুড়ে বিদ্যমান নানা সংকট সত্ত্বেও দেশ দৃঢ় সংকল্প নিয়ে 'রিফর্ম, পারফর্ম এবং ট্রান্সফর্ম'-এর পথে দ্রুত গতিতে এগিয়ে যাবে। দেশবাসীর কাছে এটাই আমার নিশ্চয়তা।

বন্ধুগণ,

আমাদের কাছে এখন উন্নয়নের পাশাপাশি আমাদের উন্নয়ন মডেলটি যাতে টেকসই হয়, তা নিশ্চিত করাও সমান গুরুত্বপূর্ণ। বিশ্ব পরিবেশ দিবসে আজ আমাদের এই কেন্দ্রশাসিত অঞ্চলটি সেই সংকল্পই বাস্তবায়িত করছে। একদিকে যেমন এখানে হাজার হাজার কোটি টাকার উন্নয়ন প্রকল্পের উদ্বোধন ও ভিত্তিপ্রস্তর স্থাপন করা হয়েছে, তেমনই একই সঙ্গে 'মায়ের নামে একটি গাছ' কর্মসূচির আওতায় প্রায় এক লক্ষ চারাগাছও রোপণ করা হচ্ছে। আমি গর্বিত যে, এটি এমন একটি কেন্দ্রশাসিত অঞ্চল যা সরকারি ভবনগুলোতে সৌরশক্তির শতভাগ ব্যবহারের কৃতিত্ব অর্জন করেছে। আজ দিউ-তে দিনের বেলার বিদ্যুতের সম্পূর্ণ চাহিদা কেবল সৌরশক্তি দিয়েই মেটানো হচ্ছে এবং আমাদের এই উদ্যোগকে আরও এগিয়ে নিয়ে যেতে হবে। সৌরশক্তির মাধ্যমে বাড়িঘরেও বিদ্যুৎ পৌঁছানো উচিত। শুধু তাই নয়, উদ্বৃত্ত বিদ্যুৎ থেকে পরিবারগুলোর আয় করার ব্যবস্থাও থাকা প্রয়োজন। এ লক্ষ্যে বাড়ির ছাদে সৌরবিদ্যুৎ কেন্দ্র স্থাপনের উদ্যোগ শুরু হয়েছে। এসব সাফল্য অর্জনের জন্য আমি আপনাদের সবাইকে সাধুবাদ জানাই।

বন্ধুগণ,

আমি এটাও জেনেছি যে, আজকাল দমন-এর মানুষজন একটি পরিচ্ছন্নতা অভিযান চালাচ্ছেন। এটি প্রমাণ করে যে পরিচ্ছন্নতা কীভাবে দমন-এর জনজীবনের সংস্কৃতির একটি অবিচ্ছেদ্য অংশ হয়ে উঠেছে এবং সেই সংস্কৃতির প্রতিফলন তাদের পরিচ্ছন্নতা বিষয়ক প্রচেষ্টায় স্পষ্ট। এই ধরনের গণ-অংশীদারিত্বমূলক প্রচেষ্টার জন্য আমি দমন-এর জনগণকে অভিনন্দন জানাই।

বন্ধুগণ,

দাদরা ও নগর হাভেলি এবং দমন ও দিউ - কেন্দ্রশাসিত অঞ্চল হিসেবে ভারতীয় ঐতিহ্যের অংশ। তাই এদের উন্নয়নের জন্য আমাদের লক্ষ্য কোনো সাধারণ বিষয় নয়। আমার মনে আছে, গত বছর যখন আমি সিলভাসায় এসেছিলাম, তখন আপনাদের সিঙ্গাপুরের উদাহরণ দিয়েছিলাম। আমি বলেছিলাম যে, একসময় সিঙ্গাপুর ছিল একটি ছোট মৎস্যজীবী গ্রাম। কিন্তু সিঙ্গাপুরের মানুষ স্বপ্ন দেখেছিলেন, বড় লক্ষ্য স্থির করেছিলেন এবং আজ সেই সিঙ্গাপুরই বিশ্বের বৃহত্তম বাণিজ্যিক কেন্দ্রে পরিণত হয়েছে। আজ দাদরা ও নগর হাভেলি এবং দমন ও দিউ-ও ঠিক তেমনই স্বপ্ন দেখছে। ‘নমো বিমানবন্দর’, দমনগঙ্গা নদীর ওপর আইকনিক সেতু এবং ‘বিচ ফ্রন্ট’-এ কনভেনশন সেন্টারের মতো প্রকল্পের মাধ্যমে আমরা ভবিষ্যতের বড় বড় সংকল্প বাস্তবায়নের ভিত্তি স্থাপন করছি। এই প্রকল্পগুলোর ফলে আপনাদের যাতায়াত সহজ হবে। এখানে ব্যবসার নতুন নতুন সুযোগ সৃষ্টি হবে। দমন-এর উভয় প্রান্তেই উন্নয়নের গতি ত্বরান্বিত হবে।

বন্ধুগণ,

এখানে হসপিটালিটি বা আতিথেয়তা-কেন্দ্রিক অর্থনীতির সুযোগ বাড়বে এবং সেই সঙ্গে ‘ট্রান্সপোর্ট নগর’-এর মতো সুবিধাগুলো বাণিজ্য ও লজিস্টিকস ব্যবস্থায় নতুন গতি সঞ্চার করবে।

বন্ধুগণ,

এই অঞ্চলে ‘ব্লু ইকোনমি’বা সমুদ্র-অর্থনীতি নিয়ে আমরা যে রূপরেখা তৈরি করেছি, তা-ও অত্যাধুনিক পরিকাঠামোর শক্তির মাধ্যমেই বাস্তবায়িত হবে। আর তাই, আজই লাক্ষাদ্বীপের কালপেনি ও কাদমাত দ্বীপে আধুনিক বন্দরের ভিত্তিপ্রস্তর স্থাপন করা হচ্ছে। এই সমস্ত প্রচেষ্টা ‘ব্লু ইকোনমি’-র ক্ষেত্রে দেশের শক্তি বৃদ্ধি করবে এবং আমি আগেই বলেছি, এই উদ্যোগগুলি লাক্ষাদ্বীপের ভাগ্য বদলে দেবে।

বন্ধুগণ,

বিজেপি সরকার তথা আমাদের এনডিএ সরকারের কাছে উন্নয়নের প্রধান মাপকাঠি হলো - দরিদ্র, বঞ্চিত, আদিবাসী এবং মধ্যবিত্ত মানুষের জীবনে পরিবর্তন আনা! আর এ কারণেই স্বাস্থ্য  ক্ষেত্র আমাদের কাছে অত্যন্ত অগ্রাধিকারের বিষয়। বিগত বছরগুলোতে স্বাস্থ্যসেবার ক্ষেত্রে দেশ একটি সামগ্রিক দৃষ্টিভঙ্গি নিয়ে এগিয়ে চলেছে। চিকিৎসা সংক্রান্ত প্রতিটি সমস্যার সমাধান আমরা করেছি। আজ  দরিদ্রতম মানুষেরাও 'আয়ুষ্মান কার্ড'-এর সুবিধা পাচ্ছেন। ৫ লক্ষ টাকা পর্যন্ত বিনামূল্যে চিকিৎসার নিশ্চয়তা তাঁদের রয়েছে।  সময়মতো রোগনির্ণয় নিশ্চিত করতে 'প্রধানমন্ত্রী আয়ুষ্মান আরোগ্য মন্দির'-এর ব্যবস্থা করা হয়েছে। 'জন ঔষধি কেন্দ্র'-এর মাধ্যমে সাশ্রয়ী মূল্যে ওষুধও পাওয়া যাচ্ছে। এই পরিষেবাগুলিকে আরও উন্নত ও আধুনিক করে তুলতে, আজ 'আয়ুষ্মান ভারত ডিজিটাল মিশন'-এর মাধ্যমে স্বাস্থ্যসেবাকে প্রযুক্তির  সঙ্গে যুক্ত করা হচ্ছে।

বন্ধুগণ,

শুধুমাত্র আয়ুষ্মান কার্ড এবং জন-ঔষধি কেন্দ্রের সুবাদেই দরিদ্র ও মধ্যবিত্ত শ্রেণীর প্রায় ২.২৫ লক্ষ কোটি টাকা সাশ্রয় হয়েছে।

ভাই ও বোনেরা,

কেন্দ্রীয় সরকারের নীতির ফলে এই অঞ্চলের মানুষও ব্যাপকভাবে উপকৃত হয়েছেন। এক সময় এখানে উন্নত চিকিৎসার সুযোগ-সুবিধার অভাব ছিল। এমনকি এখানে কোনো মেডিকেল কলেজও ছিল না। কিন্তু এখন এখানে একটি মেডিকেল কলেজ রয়েছে এবং সেখানে স্নাতকোত্তর পড়াশোনাও শুরু হয়েছে। সিলভাসার ‘নমো হাসপাতাল’গত এক বছর ধরে হাজার হাজার মানুষের সেবা করে আসছে। আজ দমন-এও ‘নমো হাসপাতাল-এর উদ্বোধন করা হলো। এই অঞ্চলের মানুষ এখন আরও উন্নত স্বাস্থ্যসেবার সুবিধা পাবেন।

বন্ধুগণ,

স্বাস্থ্যক্ষেত্রকে আমাদের সরকার কতটা অগ্রাধিকার দিচ্ছে, তা ‘জাতীয় পরিবার স্বাস্থ্য সমীক্ষা’-র ফলাফলেও স্পষ্ট। এক সময় ভারতে অধিকাংশ সন্তান প্রসব হাসপাতালে হতো না। আজ দেশে ৯০ শতাংশেরও বেশি প্রসব হাসপাতালে হচ্ছে। এর ফলে মাতৃমৃত্যু ও শিশুমৃত্যুর হার উল্লেখযোগ্যভাবে কমেছে। ‘মিশন ইন্দ্রধনুষ’-এর কারণে শিশু টিকাকরণের ক্ষেত্রেও ভারত ভালো সাফল্য অর্জন করেছে। ২০১৪ সালের আগে মাত্র ৬০ শতাংশ শিশু সম্পূর্ণ টিকা পেয়েছিল। আজ এই সংখ্যা বেড়ে প্রায় ৯০ শতাংশে পৌঁছেছে। স্বাস্থ্য সুরক্ষার ক্ষেত্রেও বড় পরিবর্তন এসেছে। ২০১৪ সালের আগে ৩০ শতাংশেরও কম পরিবার স্বাস্থ্য বিমা প্রকল্পের আওতাভুক্ত ছিল। আজ ‘আয়ুষ্মান ভারত’সেই পরিসংখ্যানও বদলে দিয়েছে। এখন ৬০ শতাংশেরও বেশি পরিবার এই সুরক্ষার সুবিধা পাচ্ছে।

বন্ধুগণ,

স্বাস্থ্যক্ষেত্রে সরকারের এসব প্রচেষ্টার ফলে যদি কেউ সবচেয়ে বেশি উপকৃত হয়েছেন আমার দেশের মহিলারা।

বন্ধুগণ,

আগে এই অঞ্চলের তরুণ-তরুণীদের উচ্চশিক্ষার জন্য বাইরে যেতে হতো। কিন্তু আজ এখানে একটি নয়, বরং জাতীয় পর্যায়ের অনেক প্রতিষ্ঠান গড়ে উঠেছে। সাম্প্রতিক বছরগুলোতে এখানে নতুন স্কুল ভবন নির্মিত হয়েছে এবং স্কুলগুলোতে ‘স্মার্ট ক্লাসরুম’ও তৈরি করা হয়েছে। ৪০ হাজারেরও বেশি শিক্ষার্থী এর সুফল পাচ্ছে। আমি আনন্দিত যে, এই কেন্দ্রশাসিত অঞ্চলটি শিক্ষার ক্ষেত্রে ক্রমশ এগিয়ে চলেছে। এখানে ‘স্বামী বিবেকানন্দ এডুকেশন হাব’-এর মতো অনেক নির্মাণকাজ হচ্ছে। 

ভাই ও বোনেরা,

শিক্ষার এই বিপ্লবে যেন আমাদের মেয়েরা পিছিয়ে না থাকে আমরা সেজন্য দৃঢ় সংকল্প । এ লক্ষ্যে বড় ধরনের অনেক প্রচেষ্টা চালানো হচ্ছে। ‘সরস্বতী সাইকেল যোজনা’ এবং ‘সরস্বতী বিদ্যা যোজনা’-র মতো কর্মসূচিগুলো এখানকার মেয়েদের ব্যাপকভাবে সহায়তা করছে।

বন্ধুগণ,

ভারত আজ এমন এক প্রচেষ্টা চালাচ্ছে যাতে দেশের যুবসমাজ কেবল ডিগ্রির পাশাপাশি সঠিক দিকনির্দেশনাও পায়। তাদের এমন অভিজ্ঞতা ও সুযোগের  সঙ্গে পরিচিত করা প্রয়োজন, যা স্থানীয় প্রতিভাকে বিশ্বমানের সুযোগ-সুবিধার সঙ্গে যুক্ত করতে পারে। ডিজাইন, আইন, প্রকৌশল, চিকিৎসা শিক্ষা, তথ্যপ্রযুক্তি ,ড্রোন এবং নবীকরনযোগ্য শক্তির মতো ক্ষেত্রগুলোতে আমাদের বর্তমান প্রস্তুতি ভারতের কর্মীবাহিনীকে আরও শক্তিশালী করে তুলবে। তাই পেশাগত শিক্ষা প্রতিষ্ঠানের সম্প্রসারণ অত্যন্ত গুরুত্বপূর্ণ।

বন্ধুগণ,

আজ এনআইএফটি-এর অষ্টাদশ ক্যাম্পাসের ভিত্তিপ্রস্তর স্থাপন করা হলো। এই প্রতিষ্ঠানটি এখানকার যুবসমাজকে বিশ্বমানের অভিজ্ঞতার সাথে যুক্ত করবে। আইটিআই দমন-এ ড্রোন টেকনিশিয়ানের মতো নতুন কোর্সও চালু হয়েছে। ‘পিএম বিশ্বকর্মা এবং ‘পিএম সূর্য ঘর বিনামূল্যে বিদ্যুৎ যোজনা’-র মতো প্রশিক্ষণ কর্মসূচিগুলোও যুবসমাজকে উপকৃত করছে।

বন্ধুগণ,

নতুন চিন্তাধারার মাধ্যমে দেশের ক্রীড়াক্ষেত্রকেও এগিয়ে নেওয়া হয়েছে। আমাদের খেলাধুলা এখন আর কেবল বড় শহর বা বড় স্টেডিয়ামের মধ্যে সীমাবদ্ধ নেই। ‘খেলো ইন্ডিয়া’-র মতো উদ্যোগ যুবসমাজকে তাদের প্রতিভা প্রদর্শনের এক নতুন মঞ্চ দিয়েছে। এর ফলে ছোট অঞ্চলের ছেলেমেয়েরাও খেলাধুলার ক্ষেত্রে জাতীয় পর্যায়ে উঠে আসছে এবং এই অঞ্চলটিও এর সুফল পেয়েছে। দিউ আজ বিচ স্পোর্টস বা সমুদ্রতট-কেন্দ্রিক খেলাধুলার একটি বড় কেন্দ্র হিসেবে গড়ে উঠেছে। ঘোগলা বিচে আয়োজিত ‘বিচ গেমস’ও দেশের দৃষ্টি এই অঞ্চলের দিকে আকর্ষণ করেছে। আজ এখানে ক্রমাগত আধুনিক ক্রীড়া পরিকাঠামো গড়ে তোলা হচ্ছে। খানভেল-এর ফুটবল সেন্টার এবং দমন-এর ভলিবল প্রশিক্ষণ কেন্দ্র এখানকার ক্রীড়া সংস্কৃতিকে আরও শক্তিশালী করে তুলছে।

বন্ধুগণ,

আজ দেশের বিশেষ মনোযোগ রয়েছে পর্যটন ক্ষেত্রের ওপরও। আমাদের লক্ষ্য হলো পর্যটনের মাধ্যমে স্থানীয় শিল্প ও সংস্কৃতির প্রসার ঘটানো। ছোট ছোট জায়গাকেও বড় বড় সুযোগ-সুবিধার সঙ্গে যুক্ত করা। ‘দেখো আপনা দেশ’-এর মতো উদ্যোগ মানুষকে দেশের বৈচিত্র্য সম্পর্কে জানতে অনুপ্রাণিত করেছে। আজ ভারতে হেরিটেজ ট্যুরিজম, বিচ ট্যুরিজম, ইকো-ট্যুরিজম এবং অ্যাডভেঞ্চার ট্যুরিজম নতুন প্রাণশক্তি পাচ্ছে।

বন্ধুগণ,

দাদরা ও নগর হাভেলি এবং দমন ও দিউ-তেও পর্যটন এক বিপুল সম্ভাবনাময় ক্ষেত্র। এই অঞ্চলটি প্রাকৃতিক সৌন্দর্যে সমৃদ্ধ। তাই পর্যটন নিয়ে দেশ যে নীতিগুলো গ্রহণ করেছে, তার ফলে দাদরা ও নগর হাভেলি এবং দমন ও দিউ ব্যাপকভাবে উপকৃত হয়েছে। ২০২১ সালে এখানে প্রায় ৬ লক্ষ পর্যটক এসেছিলেন। ২০২৫ সালে এই সংখ্যা বেড়ে প্রায় ৫০ লক্ষে পৌঁছেছে। অর্থাৎ, মাত্র কয়েক বছরের মধ্যেই পর্যটকদের সংখ্যা প্রায় দশগুণ বেড়েছে। উন্নত পরিকাঠামো, ভালো সুযোগ-সুবিধা এবং পরিচ্ছন্ন সমুদ্রতটের কারণেই এটি সম্ভব হয়েছে। দমন নাইট মার্কেট, রামসেতু সি-ফ্রন্ট, নামোপথ সি-ফ্রন্ট, নানি দমন দুর্গ, গঙ্গেশ্বর মন্দির চত্বর - এমন অসংখ্য স্থান আজ এই পুরো অঞ্চলের নতুন পরিচয় হয়ে উঠছে।

বন্ধুগণ,

দাদরা ও নগর হাভেলি এবং দমন ও দিউ-এর স্বপ্ন পূরণের জন্য আমাদের এখানকার শিল্প-সামর্থ্যও বৃদ্ধি করতে হবে। এটি অত্যন্ত গর্বের বিষয় যে, এই কেন্দ্রশাসিত অঞ্চলটি কৃত্রিম তন্তু বা 'ম্যান-মেড ফাইবার'-এর ক্ষেত্রে নিজের এক স্বতন্ত্র পরিচিতি গড়ে তুলেছে। দাদরা ও নগর হাভেলি আজ 'জাতীয় ম্যান-মেড ফাইবার রাজধানী' হিসেবে স্বীকৃতি পেয়েছে। প্লাস্টিক পণ্য রপ্তানির ক্ষেত্রেও এই অঞ্চলটি ক্রমাগত এগিয়ে চলেছে। এখানকার শিল্প ও এমএসএমই-গুলোকে সহায়তা করার জন্য সরকার নিরন্তর প্রচেষ্টা চালিয়ে যাচ্ছে। এখানকার এমএসএমই এবং অন্যান্য শিল্পকে কোটি কোটি টাকার আর্থিক সহায়তা প্রদান করা হয়েছে। এই কেন্দ্রশাসিত অঞ্চলের ক্ষুদ্র ও কুটির শিল্পের জন্য নতুন নতুন সুযোগ সৃষ্টি হচ্ছে। আমি নিশ্চিত যে, আগামী দিনে এই অঞ্চলটি উৎপাদন শিল্পের এক বিশাল কেন্দ্রে পরিণত হবে।

বন্ধুগণ,

যখন সংবেদনশীল শাসনব্যবস্থার সঙ্গে উন্নয়নের দূরদর্শী চিন্তাধারার মেলবন্ধন ঘটে, তখন বাস্তবে দ্রুত রূপান্তর হয়। দাদরা ও নগর হাভেলি এবং দমন ও দিউ-তে আমাদের প্রচেষ্টার সুফল দেখে আমি অত্যন্ত সন্তোষ বোধ করছি। এ অঞ্চলের মানুষের ওপর আমার পূর্ণ আস্থা রয়েছে। এখানকার যুবসমাজ, মা ও বোনেরা, কৃষক, কারিগর, শ্রমিক এবং উদ্যোক্তারা আগামী বছরগুলোতে উন্নয়নের এই যাত্রাকে আরও এগিয়ে নিয়ে যাবেন। আমি আপনাদের নিশ্চিত করছি যে, আপনাদের স্বপ্ন পূরণে কেন্দ্রীয় সরকার সর্বদা আপনাদের পাশে থাকবে। এই বিশ্বাস নিয়ে, উন্নয়নমূলক প্রকল্পগুলোর জন্য আমি আপনাদের আবারও অনেক অনেক অভিনন্দন জানাচ্ছি। আমার সঙ্গে বলুন - ভারত মাতা কি জয়! ভারত মাতা কি জয়! ভারত মাতা কি জয়!
আপনাদের অনেক ধন্যবাদ।