Chief Minister celebrates Kutchi New Year, Mandvi

Published By : Admin | June 21, 2012 | 12:38 IST

ર્વે મહાનુભાવો અને આ ઘૂઘવતા દરિયા કિનારે ઘૂઘવતો માનવ મહેરામણ..! આપ સૌને નવા વર્ષની અંદર સર્વ પ્રકારના સંકલ્પો પૂર્ણ થાય, આપની સઘળી ઇચ્છાઓ પૂર્ણ થાય, આપનો પરિવાર સુખી રહે અને આપણી કચ્છની ધરતી જગત આખામાં હજુ વધુ ચમકે એવી આ નવવર્ષે શુભકામનાઓ પાઠવું છું.

ભાઈઓ-બહેનો, મારે કચ્છના મારા મિત્રોને અભિનંદન આપવા છે. એમણે એક આ કચ્છના નવવર્ષને સમાજના ઉત્સવ તરીકે ઊજવવાનો, એક સામૂહિક અવસર બનાવવાનો પ્રયાસ કર્યો છે. અને ઘણીવાર સમૂહમાંથી આપોઆપ એક નવી ઊર્જા પેદા થતી હોય છે, નવો આત્મવિશ્વાસ પેદા થતો હોય છે અને મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે કે એ આનંદ પણ વહેંચવા માટે થઈને જગ્યા શોધતો હોય છે. સરસ મજાનું શર્ટ ખરીદ્યું હોય, શરીર પર બરાબર શોભતું હોય પણ દર્પણ સામે જોઈને કંઈ એની જીંદગી પૂરી ન કરે, એને ઇચ્છા હોય કે એના મિત્રો જુએ, એના આનંદમાં ભાગીદાર બને. સરસ મજાની મીઠાઈ બની હોય, ખાધી હોય, પણ મન કરે કે પોતાનો કોઈ સ્વજન પણ સાથે જોડાય. આ મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે. એમ, આ સમાજના પર્વોનું પણ એવું છે. આ સમાજના પર્વોને પણ જ્યારે જ્યારે સામુહિકતા મળતી હોય છે, ત્યારે એ સમાજની શક્તિનો સ્ત્રોત બની જતાં હોય છે. અને એ બાબતે માંડવી નગરપાલિકાએ, મારા સૌ આગેવાનોએ એક સારી પરંપરા માંડવીના દરિયા કિનારે ઊભી કરી છે. અને હવે તો કચ્છમાં કંઈ પણ આવી ઉજવણી કરીએ ને તો એણે ટૂરિઝમની દ્રષ્ટિથી જોડી જ કાઢવી જોઇએ. આપણા સગા-વહાલાં, દૂરદૂરના મિત્રોને કહેવું જોઈએ કે ભાઈ, અમારા નવા વર્ષની ઉજવણીમાં ભાગીદાર બનવા આવો. જુઓ, અમારા કચ્છમાં કેવો ઉમંગ હોય છે..! તો આ અવસર પણ ટૂરિઝમના આકર્ષણનું કારણ બની જાય. અને હવે તો કચ્છને મારે ટૂરિઝમ સમજાવવું પડે એવું નથી, આખું હિંદુસ્તાન બોલે છે, ‘કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા’. આ કચ્છની ધજાપતાકા આખી દુનિયામાં લહેરાવવાનો એક આનંદ આવે છે મને મિત્રો, ખબર નહીં કેમ, પણ આનંદ આવે છે. નહીંતો મોં વકાસ્યું કરીને રડ્યા જ કરે, અમારે ત્યાં ભૂકંપ હતો, ભૂકંપ હતો, ભૂકંપ હતો... હવે..? અરે, અમારા કચ્છમાં તો આમ છે ને અમારા કચ્છમાં આમ છે..! આખું બદલાઈ ગયું, ભાઈ. શક્તિનો સાક્ષાત્કાર થાય, એનાથી કેવું પરિવર્તન આવે છે એ આજે આપણે જોઈએ છીએ અને અનુભવીએ છીએ.

ભાઈઓ-બહેનો, આજ હિંદુસ્તાનનો કોઈ જિલ્લો કચ્છની પ્રગતિની તોલે આવી શકે એમ નથી. એની માળખાકિય સુવિધાઓ હશે, એમાં ખેતી ક્ષેત્રે જે અદભુત તરક્કી થઈ રહી છે, જ્યાં પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં નવી ક્રાંતિ આવી રહી છે, જ્યાં નવી નવી માળખાકિય સુવિધાઓ ઉત્તરોત્તર વધી રહી છે, જ્યાં અનેક પ્રકારના ઉદ્યોગ-ધંધાઓ વિકસી રહ્યા છે... કોઈપણ બાબતે જુઓ, કચ્છ એની એક આગવી તાકાતનાં દર્શન દેશના બધા જ જિલ્લાઓને કરાવી રહ્યું છે. અને એમાં કચ્છીઓનો પુરુષાર્થ છે, એમાં કચ્છીઓનું ખમીર છે, એમાં કચ્છી પ્રજાના મનમાં જે હામ છે, જે હીર છે, એ એની મોટામાં મોટી મૂડી છે! અને તેથી જેમ આ ભૂમિને નમન કરવાનું મન થાય છે ને, એમ આ ભૂમિના લોકોને પણ નમન કરવાનું મન થાય છે. આ સામર્થ્ય... અને આ રાજ્યની વિશેષતા જ આ છે કે એને જનશક્તિના સામર્થ્યને વિકાસની શક્તિમાં જોડવી છે, વિકાસનો વાવટો ફરકાવવામાં એક એક માનવીને જોડવાની કોશિશ કરી છે. ભગવાન કૃષ્ણ માટે ગોવર્ધન ઊંચકવો મુશ્કેલ નહોતો, ભાઈ. ખૂબ નાની ઉંમરમાં મોં ખોલે અને માને આખા બ્રહ્માંડના દર્શન કરાવી શકતા હોય, એ કૃષ્ણને માટે ગોવર્ધન ઊંચકવો મુશ્કેલ નહોતો. પણ આપણને એમણે રસ્તો બતાવ્યો કે એક એક ગોવાળિયાની લાકડીના ટેકે ગોવર્ધન ઊંચક્યો હોય, એના કારણે સમાજની શક્તિ બનતી હોય છે. આપણે પણ આ ગુજરાતના વિકાસની જે ઊંચાઈઓ પર જઈ રહ્યા છીએ, એના મૂળમાં પ્રત્યેક ગુજરાતીની ટેકણ લાકડી છે, પ્રત્યેક ગુજરાતીનો પુરુષાર્થ છે. અને મને સંતોષ આ વાતનો છે કે છ કરોડ ગુજરાતીઓ ગુજરાતની વિકાસયાત્રામાં ભાગીદાર બન્યા છે. દરેક ગુજરાતી સપનું જોતો થયો છે અને દરેક ગુજરાતી સપનું સાકાર કરવા માટે જહેમત કરતો થયો છે. એને ઓશિયાળા રહેવાનું પાલવે એમ નથી, એને યાચક રહેવાનું પાલવે એમ નથી. એને પુરુષાર્થની પરાકાષ્ઠા કરવી છે, એ વાતાવરણ આપણે ઊભું કર્યું છે. અને વાતાવરણ ઊભું થાય છે સમાજની આવા શક્તિના સામૂહિક દર્શનમાંથી.

ભાઈઓ-બહેનો, કેટલાય લોકો છે જેને ગુજરાતની પ્રગતિ આંખમાં કણાની જેમ ખૂંચે છે, કણાની જેમ. કેટલાક લોકોએ તો જૂઠાણાનો આખો દસકો ઊજવ્યો છે, જૂઠાણા... રોજ સવારમાં એક જૂઠાણું..! અને કેટલાક લોકોએ તો સોપારી લીધી છે કે હવે આ ડિસેમ્બરમાં તો મોદીને પાડી જ દેવો છે..! હવે એટલા બધા બિચારા નિરાશ થઈ ગયા છે, એટલા બધા હતાશ થઈ ગયા છે કે “સાલું, આટઆટલાં જૂઠાણા ચલાવીએ, આટઆટલા ગપગોળા ચલાવીએ, રોજ નવા આરોપો મૂકીએ પણ પ્રજાના મન પર અસર કેમ નથી થતી, એની એમને ચિંતા સતાવે છે..!” ભાઈઓ-બહેનો, એમના નસીબમાં જે કામ લખાયું છે એ એ લોકો કરે છે અને ગુજરાતની જનતાએ મારા નસીબમાં જે કામ મૂક્યું છે એ કામ જિંદાદિલીથી હું કરું છું. આપે મને જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર હું મક્કમ ડગ માંડતો ચાલ્યો છું. અને એ માર્ગ છે, વિકાસનો, પ્રગતિનો. અને મિત્રો, આ જ માર્ગે બધું બદલાશે. આજે પણ ૨૦૦૧ ના ભૂકંપના એ દિવસો વિચારીએ અને કલ્પના કરો કે બધું જ લોકોના પર, નસીબ પર છોડી દેવાયું હોત તો આજે શું દશા થઈ હોત? પણ બધાએ જ્યારે સામૂહિક જવાબદારી લીધી, સરકાર ખડે પગે ખડી થઈ ગઈ, જોતજોતામાં સ્થિતિ બદલી નાખી, ભાઈઓ. અને મારા મનનું કમિટ્મેન્ટ આ દર્શન..! મિત્રો, મુખ્યમંત્રીના શપથ લીધા પછી મેં પહેલું કામ કર્યું હતું, કચ્છની ધરતી પર આવવા માટેનું, દુખિયારાનાં આંસુ લૂછવા. મિત્રો, ગુજરાતના ભૂકંપ પછીની પહેલી દિવાળી હતી અને દિવાળી સૌ કોઈ મનાવે પણ મારી સરકાર હતી જેણે દિવાળી ઊજવવાનું કૅન્સલ કરીને કચ્છના દુખિયારાંઓને ત્યાં દિવાળીની રાત ગાળવાનું નક્કી કર્યું હતું. સંવેદના કોને કહેવાય, સમાજ માટેની ભક્તિ કોને કહેવાય એ મેં ડગલે ને પગલે પુરવાર કર્યું છે. ભાઈઓ-બહેનો, સત્તા વગર તરફડતા, જૂઠાણાઓનો આશરો લઈને ગુજરાતની છ કરોડની જનતાને ગુમરાહ કરવા મથતા, પૈસાના જોરે અપપ્રચારની આંધી ચલાવનારા તત્વો ન પોતાનું ભલું કરી શકવાના છે, ન ગુજરાતનું ભલું કરી શકવાના છે. અને આ તત્વોને તો હું કહું છું ભાઈ, જરા તમારી દિલ્હી સરકારનાં પરાક્રમો તો જુઓ..! કંઈ સરખું કરવું હોય તો ત્યાં કરી આવોને, આખો દેશ બરબાદ કરી મૂક્યો છે, આખો દેશ. રૂપિયાની લૂંટ ચાલી છે, મિત્રો. અને લાખો કરોડોથી નીચી વાત જ નથી આવતી. એક એક કામમાં લાખ કરોડ, બે લાખ કરોડ, દોઢ લાખ કરોડ, જાણે જીંદગીમાં ફરી મોકો જ ન મળવાનો હોય એમ મંડ્યા છે. જેસીબી લઈને મંડ્યા છે, જેસીબી લઈને... પહેલાંની કૉંગ્રેસ પાવડો લઈને મંડતી, આ હવે જેસીબી લઈને મંડ્યા છે, લૂંટ ચલાવી રહ્યા છે. અને આખા દેશની જનતા એમને ઓળખી ગઈ છે, દેશ બરાબર ઓળખી ગયો છે. અને છતાંય, બેશરમી કેટલી, નફ્ફટાઈ કેટલી..? અહીંયાં ઊજળા દૂધ જેવા થઈને પાછા આવીને ઊભા થઈ જાય છે. એમને ખબર નથી કે જનતા તમને બરાબર ઓળખી ગઈ છે. અને હવે આ દેશ હંમેશા હંમેશા માટે જનતા જનાર્દનને લૂંટનારાઓને કાયમ માટે જાહેર જીવનમાંથી મુક્ત કરીને જ રહેવાનો છે, આવો મારો પૂરો ભરોસો છે. એક સારું કામ એમને કહેવાની ફુરસદ નથી, કરવાની ફુરસદ નથી. અખાડા જ કર્યા કરવાના, ડખા જ કર્યા કરવાના અને ગુજરાતનો વિકાસ ન થાય, પ્રગતિ ન થાય, એના માટે આડશો નાખવાની, રુકાવટો પેદા કરવાની..!

ભાઈઓ-બહેનો, આપણો કચ્છ, આને દુષ્કાળગ્રસ્ત કહેવાય કે ન કહેવાય? સદીઓથી આપણે દુષ્કાળગ્રસ્ત કહેવાઈએ કે ન કહેવાઈએ? વર્ષોથી પાણીની ખેંચ કહેવાય કે ન કહેવાય? જરા ખોંખારીને બોલોને, ભાઈ... પાણીની ખેંચવાળો પ્રદેશ ખરો કે નહીં? પાણી માટે વલખાં મારીએ એવી દશા ખરી કે નહીં? આમાં કોઈ સર્ટિફિકેટની જરૂર છે..? બધાને ખબર છે ને? ચોપડે ચીતરેલું છે ને? આ છાપાં કાઢો, તો વર્ષો વર્ષનાં છાપાં ભરેલાં હોય. આ બધાને સમજણ પડે છે, દિલ્હી સરકારને નથી પડતી. બોલો, એ માનવા જ તૈયાર નથી કે આ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે, માનવા જ તૈયાર નથી..! કારણ, ભારત સરકારમાં એક યોજના છે કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી લઈ જવું હોય તો નેવું ટકા ખર્ચો ભારત સરકાર ભોગવે. એ યોજના છે. એનો લાભ હિંદુસ્તાનમાં જે જે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો છે એને મળે છે. આપણે લખી લખીને થાક્યા કે અમારે જે આ નર્મદા યોજનાનું પાણી કચ્છમાં લઈ જવું છે, એ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે, એ કેનાલોનો ખર્ચો અમને નેવું ટકા મળે એ અમારો હક છે અમને આપો. તો એ કહે, ના..! હવે એમને કોણ સમજાવે કે અમે આ દુષ્કાળગ્રસ્ત વિસ્તારના લોકોને માટે કહીએ છીએ, માનવા જ તૈયાર નથી. કારણકે માગણી કરનાર ગુજરાત છે, એને તો પાડી જ દો. પણ દિલ્હીની સલ્તનત કાન ખોલીને સાંભળી લે, અમારા હકનું છે એટલે અમે માંગવાના અને લડવાના. પણ તમે એમ માનતા હો કે તમે નહીં આપો એટલે કચ્છને અમે પાણી વગર રહેવા દઈશું, તો તમને ધૂળ ફાકતા કરી દઈશ પણ કચ્છને પાણી તો આપીશ જ. દુનિયામાંથી ભીખ માંગવી પડશે તો માંગીશ, પણ હું આ કામ પૂરું કરીશ. મારો વાંધો તમારી અન્યાયી પ્રવૃત્તિ સામે છે. અને મોટા ઉપાડે જૂઠાણા ફેલાવવા માટે નીકળેલા લોકો, એક કામ પોતાના કાર્યકાળમાં લોકો માટે કરી શક્યા નથી. ચાલીસ ચાલીસ વર્ષ સુધી ગુજરાતની જનતાએ પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક જ પાર્ટીને સત્તા સોંપી અને તેમ છતાંય વિકાસની વાત આ દસકામાં ખબર પડી કે વિકાસ કોને કહેવાય..!

ભાઈઓ-બહેનો, વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવી છે આપણે, વિકાસના મંત્રને લઈને આગળ વધવું છે અને રોજ નવા પ્રકલ્પ, રોજ નવી યોજનાઓ એ અમારી મથામણ છે. આપણે ટૂરિઝમ માટે આટલી મથામણ કરી રહ્યા છીએ. ધોળાવીરા, આખી દુનિયાના ટૂરિસ્ટોને આકર્ષે એવું મહામૂલું ક્ષેત્ર આપણી પાસે કચ્છમાં છે. આખી દુનિયા ઊતરી પડે એવી એ જગ્યા છે. પણ સાંતલપુર-ગઢુલીનો રસ્તો અહીં બનાવવો તો ધોળાવીરા જવા-આવવા માટેનો આપણો રસ્તો ટૂંકો થઈ જાય, સહેલાઈથી માણસ જતો-આવતો થઈ જાય... સાહેબ, એ કામને લટકાવીને બેઠા છે. મને સમજાતું નથી કંઈ..! એક રાજ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે વિકાસ માટેની અવનવી યોજનાઓ લઈને આવતું હોય, પણ માત્ર ગુજરાત છે, ત્યાં ભાજપવાળા બેઠા છે, મોદી છે એટલે મારો... આવું ઝેર..? મેં એકવાર પ્રધાનમંત્રીની હાજરીમાં કહ્યું હતું કે તમે અમને ગણો છો શું, ભાઈ? અમે કોઈ દુશ્મન દેશનું રાજ્ય છીએ, ભાઈ? અરે, અમે પણ હિંદુસ્તાનના, આ ભારત માતાના સંતાન છીએ, અમારી જોડે જરા સરખો વ્યવહાર કરો. પણ આ જે પ્રવૃત્તિ ચાલે છે ભાઈઓ-બહેનો, એ પ્રવૃત્તિની સામે મારો આક્રોશ છે. તમે વિચાર કરો, આપણા ગુજરાતમાં પચાસ વર્ષ પહેલાં ખંભાતમાં તેલના કૂવાઓમાંથી તેલ નીકળ્યું. એ જ સમયે થોડા સમય પછી આસામમાં નીકળ્યું. આસામ અને ગુજરાત બે જગ્યાએ તેલના ભંડારો મળ્યા છે. ભારત સરકાર એના પર માલિકી ધરાવે છે, પણ જે રાજ્યમાંથી નીકળે એ રાજ્યને એની રોયલ્ટી મળે છે. ભાઈઓ-બહેનો, પહેલાં તો એમણે ખૂબ અન્યાય કર્યો આપણને. પણ અટલજીની સરકાર આવી અને આપણી વાત વળી માની અને વળી આપણું ગાડું જરા સરખું ચાલ્યું ને આપણને લાભ થવા માંડ્યો. વર્ષે રોયલ્ટીના આપણને સંતોષ થાય એટલા રૂપિયા મળવા માંડ્યા. જેવી અટલજીની સરકાર ગઈ અને આ લોકો બેઠા, ધડામ દઈને કાગળિયાં બધાં ફેરવી નાખ્યાં. અને ફેરવવામાં વળી કેવું કર્યું, કે આસામને એમને એમ રાખ્યું, ગુજરાતના બધા નિયમો બદલી નાખ્યા. ખાલી ક્રૂડની રોયલ્ટીના પાંચ હજાર ચારસો કરોડ રૂપિયા ઓછા આપ્યા છે આપણને, પાંચ હજાર ચારસો કરોડ રૂપિયા..! જે ગુજરાતના હકના છે, જે ભારત સરકારે મંજૂર કર્યા હતા, અટલજીના સમયમાં નિર્ણય થયો હતો, અટલજી હતા ત્યાં સુધી મળતા રહ્યા હતા અને ત્યાર પછી રાતોરાત... કેમ ભાઈ, આસામ અને ગુજરાતમાં ભેદભાવ કેમ? અગર જો આસામની ધરતીમાંથી તેલ નીકળે તો આસામને વધારે પૈસા મળે અને ગુજરાતની ધરતીમાંથી નીકળે તો ઓછા પૈસા મળે, ગુજરાતને આ અન્યાય કેમ? આની સામે અમારી લડાઈ છે, ભાઈ. તમને ભેદભાવ કરવાનો કોઈ હક નથી. ગામડાંઓમાં રોડ બનાવવા માટે પેટ્રોલ પર લિટર દીઠ બે રૂપિયા ભારત સરકાર લે છે. આપણા રાજ્યમાં પેટ્રોલની સૌથી વધારે ખપત છે. અરબો-ખરવો રૂપિયા એમને મળે છે, પણ આપણને રોડ બનાવવા માટે દમડીયએ આપતા નથી. બીજા બધાને આપે છે. કેમ ભાઈ, અમારે ગુજરાતના ગામડાંઓના રોડ ન બનાવવાના હોય..? તો આપણને શું કહે કે અરે, તમારા ગામડાંઓમાં તો રોડ પહોંચી ગયા છે, હવે તમારે શું જરૂર છે? મેં કહ્યું કે ભાઈ, અમારે ત્યાં જમાનો બદલાઈ ગયો છે, પહેલાં સાઇકલો ચાલતી હતી, અત્યારે તો ગામડામાંય ગાડીઓ ચાલી પડી છે. એને આમને-સામને કરવા રોડ અમારે પહોળા કરવા પડે, અમારે પેવર રોડ બનાવવા પડે એવી ગામડાંમાંથી માગણી આવી છે એટલે અમને રૂપિયા આપવા પડે તમારે. અને અમારા જ છે પાછા, એવું નહીં કે તમારી મહેનતનું માંગીએ છીએ, ભાઈ. આ ગુજરાતની જનતાના પૈસા છે..! ભાઈઓ-બહેનો, અનેક અવરોધો ઊભા કરવામાં આવે છે, અનેક અડચણો ઊભી કરવામાં આવે છે, છાશવારે સી.બી.આઇ.ની ધમકીઓ આપવામાં આવે છે, બોલો.

ભાઈઓ-બહેનો, આ વિકાસની યાત્રા એ જ એક માર્ગ આપણે અપનાવ્યો છે અને એ જ માર્ગથી લાભ થવાનો છે. પ્રજા જીવનને સુખ જોઈતું હશે, શાંતિ જોઇતી હશે, તો શાંતિ, એકતા અને સદભાવનાના મંત્ર સાથે આપણે આગળ વધ્યા છીએ. આ અમદાવાદમાં આજે વાજતે-ગાજતે જગન્નાથજી ભગવાન આગળ વધી રહ્યા છે. સવારથી નીકળ્યા છે નગરચર્યા કરવા માટે. નહીં તો પહેલાં..? જગન્નાથજીની રથયાત્રા નીકળવાની હોય, તો કચ્છવાળો ત્યાં ફોન કરીને પૂછે કે અમદાવાદ અવાય એવું છે હમણાં, ક્યાંય કર્ફ્યૂ-બર્ફ્યૂ તો નથી ને? એવું હતું ને..? લોકો લગ્નની તારીખ નક્કી કરે ત્યારે નક્કી કરે કે ઊભા રહો હોં, આ રથયાત્રાના દસ દિવસ આગળ-પાછળ બધું બંધ રાખો, કાંઈ ઠેકાણું નહીં, શું થાય ત્યાં..! છોકરા કુંવારા રહી જાય. કર્ફ્યૂ..! મિત્રો, દર ત્રીજા વર્ષે રથયાત્રા હોય, એમાં ક્યાંક હુમલો થયો હોય અને એમાંથી કર્ફ્યૂ ને આ ને તે ને આ જ બધું ચાલતું હોય..! આ પહેલો દસકો એવો છે ભાઈઓ, પહેલો દસકો કે જ્યાં ગુજરાતમાં કર્ફ્યૂનું નામોનિશાન નથી. સુખ-શાંતિ સૌને જોઈએ છે, વેપાર રોજગાર લોકોને કરવા છે, બાળકોને ભણાવવાં છે, દીકરીઓ ગૌરવભેર જીવે એવું વાતાવરણ જોઈએ છે. આ સરકારે એને પ્રાથમિકતા આપી છે, પ્રાધાન્ય આપ્યું છે. અને તેથી ભાઈઓ-બહેનો, આજે જ્યારે માંડવીના કિનારે આવ્યો છું ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આ જૂઠાણાઓ, આ ખોટા આરોપો, માત્ર સત્તા ભોગવવા માટે ગુજરાતને બદનામ કરવાની જે પેરવી ચાલે છે એની સામે આપણે બધાએ લડવું પડશે અને આ શક્તિઓને પરાસ્ત કરવી પડશે. આજે જ્યારે નવા વર્ષનો આરંભ થઈ ગયો છે ત્યારે, આ નવું વર્ષ જનતા જનાર્દનના વિજયનું વર્ષ બની રહે ભાઈ, આ નવું વર્ષ જનતા જનાર્દનના સંકલ્પની પૂર્તિનું વર્ષ બની રહે, આ નવું વર્ષ પ્રત્યેક પરિવારની આશા-આકાંક્ષાઓને પરિપૂર્ણ કરનારું બની રહે એવા સંકલ્પ સાથે નવા વર્ષને ઊજવીએ.

મારી આ મહેફિલ તો લાંબી ચાલવાની છે. હું તો સવારે જગન્નાથજી ભગવાનને વિદાય આપીને અહીં કચ્છ આવ્યો છું. આજે એક દિવસમાં બધા જ ખૂણામાં ફરી વળ્યો છું અને હજુ અમદાવાદ પહોંચવું છે. એટલે મેં અમારા મિત્રોને વિનંતી કરી હતી કે તમારી રંગત બરાબર જમાવજો, પછી મને શું થયું એ કહેજો. પણ આપે મને આટલો બધો પ્રેમ આપ્યો છે કચ્છી ભાઈઓ, જન્મો જન્મ એને નિભાવતો રહું અને એ ઋણ ચૂકવતો રહું એવી મને શક્તિ આપો. જન્મો જન્મ તમારી સેવા કરતો રહું ભાઈઓ, એટલો બધો મને કચ્છી ભાઈઓએ પ્રેમ આપ્યો છે અને હું પણ સવાયું કરીને આપવા માટે બેઠો છું ભાઈઓ, સવાયું કરીને. તો ફરી એકવાર આ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ..!

ય જય ગરવી ગુજરાત...!!

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi's ‘Dhurandhar’ Entry In Vadodara As ‘Aari Aari’ Plays During Arrival

Media Coverage

PM Modi's ‘Dhurandhar’ Entry In Vadodara As ‘Aari Aari’ Plays During Arrival
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
అనువాదం: ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జీఎఫ్ఎఫ్) 2026 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 08, 2026
ఆవిష్కరణలు, సమ్మిళితం ప్రధానాంశాలుగా ఫిన్‌టెక్ ప్రయాణాన్ని నూతన శిఖరాలకు తీసుకు వెడుతున్న భారత్ : ప్రధానమంత్రి
భారత్ అభివృద్ధి ప్రపంచానికి కొత్త నమ్మకాన్ని ఇస్తోంది: ప్రధాని
భారత ఆర్థిక సాంకేతిక రంగ ప్రగతిలో కీలకంగా మారిన యూపీఐ : ప్రధానమంత్రి
ఏజెంటిక్ ఏఐ, టోకనైజేషన్, క్వాంటమ్ వంటి సాంకేతికతలు ఆర్థిక రంగానికి కొత్త ద్వారాలను తెరుస్తున్నాయి: ప్రధాని
అత్యున్నున్నత స్థాయి సైబర్ భద్రత, నైతిక డేటా రక్షణ ప్రమాణాలు, బలమైన నియంత్రణ - పరిశ్రమ ఆవిష్కరణ వ్యవస్థ, ఆర్థిక సాంకేతిక వినియోగదారుల రక్షణ సూచికపై దృష్టి సారిస్తూ సామూహిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఫిన్‌టెక్ రంగానికి ప్రధానమంత్రి పిలుపు

భారత్, విదేశాల నుంచి గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌కు విచ్చేసిన అతిథులందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు మరో హ్యాట్రిక్ సాధించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. 2024లో ప్రభుత్వం మూడోసారి ఏర్పడినప్పుడు ఒక హ్యాట్రిక్ నమోదైతే నేడు మీ మధ్యలో నా హాజరు రూపంలో మరో హ్యాట్రిక్ నమోదైంది. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌కు నేను వరుసగా హాజరవుతుండటం ఇది మూడోసారి. వికసిత్ భారత్ నిర్మాణంలో మీరు ఎంత ముఖ్యమో, మీ పని ఎంత ప్రాముఖ్యమైందో ఈ హ్యాట్రిక్ తెలియజేస్తోంది.

మిత్రులారా,

ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ నేను మరింత మంది యువతను చూస్తున్నాను.. మరింత శక్తిని పొందుతున్నాను. అవకాశాల పరిధి మరింత విస్తరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రిస్క్ తీసుకునే సామర్థ్యం పెరుగుతోందని, కలలు మరింత సాహసోపేతంగా మారుతున్నాయని అర్థమవుతోంది. అందువల్లనే అభివృద్ధి చెందిన భారతదేశం భవిష్యత్తుపై నాకున్న విశ్వాసం మరింత బలపడుతోంది.

మిత్రులారా,

ఫిన్‌టెక్ రంగంలోని ఈ ఉత్సాహం మధ్య ముంబయిలో ఈ రోజుల్లో సాంస్కృతిక శక్తి కూడా తారాస్థాయిలో ఉంది. మరో కొన్ని రోజుల్లో మహారాష్ట్రలో, దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మన సంప్రదాయంలో ప్రతి శుభకార్యానికి ముందు వినాయకుడిని స్మరించుకుంటాం. గణపతి బప్పాకు నమస్కరిస్తూ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో పాల్గొంటున్న మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ బాగా తెలుసు. ప్రపంచం ప్రస్తుతం ఘర్షణలు, అనిశ్చితి కాలాన్ని ఎదుర్కొంటోంది. ఇంధనం, వస్తు సరఫరా వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. వాణిజ్య రంగంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ పరిస్థితులు ఎంతోకాలంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న త్రైమాసికం అత్యంత సవాలుతో కూడుకున్నది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్ 7.8 శాతం వృద్ధి రేటును సాధించినప్పుడు ప్రపంచానికి ఒక నూతన ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఆ నమ్మకాన్ని నేను ఇక్కడ మీ ముఖాల్లో స్పష్టంగా చూడగలను.

మిత్రులారా,

భారత్‌పై పెరుగుతున్న ఈ విశ్వాసానికి మన సార్వభౌమ క్రెడిట్ రేటింగ్‌లు మరో ఉదాహరణ. ఇటీవల జపాన్‌కు చెందిన ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ భారతదేశ సార్వభౌమ క్రెడిట్ రేటింగ్‌ను 'ఏ' కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసింది. రేటింగ్ పెరగడం సంతోషకరమైన విషయమే అయినప్పటికీ ఈ అదృష్టం మూడు దశాబ్దాల తర్వాత అంటే ముప్పై సంవత్సరాల తర్వాత దక్కిందనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. భారత్ వృద్ధి వేగం, మన స్థూల ఆర్థిక స్థిరత్వం, ఇటీవలి సంవత్సరాలలో చేపట్టిన నిర్మాణత్మక సంస్కరణల పట్ల ప్రపంచం ఎంతటి భరోసాతో ఉందో ఇది నిరూపిస్తోంది. నేను మళ్లీ చెబుతున్నాను.. భారతదేశ సంస్కరణల వేగం మరింత ఎక్కువ వేగంతో ముందుకు దూసుకుపోతుంది.

మిత్రులారా,

భారతదేశ ఫిన్‌టెక్ ప్రయాణం అసాధారణమైంది. దీనికి ఉన్న అతిపెద్ద ప్రచారకర్తలలో మన యూపీఐ ఒకటి. నేను గత ఏడాది కూడా దీని గురించి మాట్లాడాను. కానీ ఈ పరివర్తన ఎంత పెద్దదంటే ఎప్పుడు ఫిన్‌టెక్ గురించి చర్చించినా యూపీఐ లేకుండా అది ఎప్పటికీ అసంపూర్ణంగానే ఉంటుంది.

మిత్రులారా,

కొద్ది రోజుల క్రితం ఆగస్టు 25న యూపీఐ పదేళ్లు పూర్తి చేసుకుంది. పదేళ్ల క్రితం మీ బ్యాంక్ మీ చేతివేళ్ల మీద ఉంటుందని నేను చెప్పినప్పుడు కొందరు ఇది అసాధ్యం అని భావించారు. నేను బాగా అవగాహన ఉన్న వ్యక్తుల గురించే మాట్లాడుతున్నాను. వారి ముఖాలను గుర్తుంచుకోండి. అప్పుడే కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచిన లక్షలాది మంది సాధారణ భారతీయుల గురించి నేను మాట్లాడటం లేదు. వారు తరతరాలుగా ఎప్పుడూ బ్యాంకు తలుపు కూడా చూడలేదు. కానీ ఈ రోజు పదేళ్ల తర్వాత చూడండి. తరతరాలుగా బ్యాంకింగ్ వ్యవస్థకు వెలుపల ఉన్న అదే లక్షలాది మంది ప్రజలు భారత్‌లో ఫిన్‌టెక్ వృద్ధికి అతిపెద్ద చోదక శక్తులుగా మారారు.

మిత్రులారా,

ఈ రోజు ఒక్క ఆగస్టు నెలలోనే యూపీఐ ద్వారా 2,400 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. అంటే మనం ఇక్కడ కూర్చున్న ఈ సమయంలో కేవలం 10 నిమిషాల్లోనే దేశవ్యాప్తంగా సగటున 5 మిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఈ ప్రభావం వల్లే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మాట్లాడుతూ.. యూపీఐ కేవలం ఒక సాంకేతిక కథ మాత్రమే కాదని అది ఒక నాగరికతా ప్రయాణమని అభివర్ణించారు.

మిత్రులారా,

యూపీఐ ఇప్పుడు కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. కొద్ది సంవత్సరాల క్రితం ఒక భారతీయ బ్యాంకు ఖాతా నుంచి నేరుగా విదేశాల్లో చెల్లింపులు చేయొచ్చు అని ఎవరైనా చెబితే దాదాపు ఎవరూ నమ్మి ఉండే వారు కాదు. కానీ నేడు అది వాస్తవ రూపం దాల్చింది. భారతదేశ యూపీఐ ఇప్పుడు 11 దేశాల్లో అందుబాటులో ఉంది. ఇవి మనం ఎంత సుదీర్ఘ ప్రయాణం చేశామో తెలిపే అసాధారణమైన గణాంకాలు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. మనం ఈ ప్రయాణంతో సంతృప్తి చెందాలా? భారతదేశంలో ఫిన్‌టెక్ విజయాన్ని మనం అంతిమంగా భావించాలా?

మిత్రులారా,

నేను విధాన రూపకల్పన, పరిపాలనా వ్యవస్థలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాను. ఈ సంవత్సరాల్లో నన్ను చూసిన వారికి బాగా తెలుసు.. మోదీ ఒక విజయం వద్ద ఆగిపోయి సంబరాలు చేసుకుని సంతృప్తి చెందే వ్యక్తి కాదు. ఒక లక్ష్యం నెరవేరినప్పుడు నేను వెంటనే అంతకంటే పెద్ద లక్ష్యం కోసం సన్నాహాలు ప్రారంభిస్తాను.

మిత్రులారా,

ఈ రోజు మన యూపీఐ అనేక దేశాలకు చేరుకుంది. కానీ ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఆయా దేశాల చెల్లింపుల వ్యవస్థలతో మన వ్యవస్థను అనుసంధానించడమే మన తదుపరి లక్ష్యం కావాలి. మనం ఇప్పటికే సింగపూర్‌తో ఈ అనుసంధానాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. దీనివల్ల భారత్, సింగపూర్ మధ్య లావాదేవీలు సరిగ్గా ఒకే నగరంలోని రెండు ప్రాంతాల మధ్య జరిగినంత సులభంగా జరుగుతున్నాయి. ఇదే తరహా అనుసంధానాన్ని మనం ఇతర దేశాలు ఇతర మార్కెట్లతోనూ నిర్మించాలి. ఈ లక్ష్యంతోనే మనం ముందుకు సాగాలి. ఎక్కడైతే భారతీయులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారో, ఎక్కడైతే భారత్ పెద్ద ఎత్తున వాణిజ్యం సాగిస్తోందో, మాతో కలిసి పనిచేయడానికి ఏ దేశమైతే సిద్ధంగా ఉంటుందో.. వాటన్నింటినీ అనుసంధానించే దిశగా మనం కృషి చేయాలి.

మిత్రులారా,

ఇది ఎందుకు అవసరమంటే.. విదేశాల్లో భారీ సంఖ్యలో భారతీయులు ఉద్యోగాలు, ఉపాధి పొందుతున్నారు. స్వదేశానికి డబ్బు పంపడంలో ప్రపంచంలోనే భారతీయులు ప్రథమ స్థానంలో ఉన్నారు. కానీ నేడు ఆ మొత్తంలో కొంత భాగం లావాదేవీల ఛార్జీల రూపంలో వృథా అవుతోంది. యూపీఐ ఈ విషయంలోనూ భారతీయులకు ఎంతో మేలు చేయగలదు. దీని ద్వారా డబ్బు మరింత త్వరగా వారి కుటుంబాలకు చేరుతుంది.

మిత్రులారా,

ఈ రోజు మనం భారత్‌లో కార్డుల ద్వారా ఎలా చెల్లింపులు చేస్తున్నాం? ఈ వ్యవస్థ వేరే చోట రూపొందించిన ప్రమాణాల ఆధారంగా నడుస్తోంది. అప్పట్లో మనకు సొంత ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల ఇతరులు సృష్టించిన ఆ ప్రమాణాలు, నిబంధనలను మనం అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మనకంటూ సొంత ప్రత్యామ్నాయం ఉంది. ఇప్పుడు మనమే మన సొంత నిబంధనలను, ప్రమాణాలను రూపొందించుకొని వాటిని ప్రపంచంతో అనుసంధానించగలం. మీరందరూ దీన్ని సాధించగలరని నాకు పూర్తి నమ్మకం ఉంది.

మిత్రులారా,

సాంకేతికత అనేది సమగ్రతను సాధించడానికి అత్యంత ప్రభావవంతమైన సాధనం. యూపీఐ దీన్ని నిరూపించింది. ఫిన్‌టెక్ విషయానికి వస్తే సంప్రదాయ నమూనాలు చేరుకోలేని చోటికి చేరుకోవడం దాని ప్రత్యేకత కావాలి. సంప్రదాయ బ్యాంకులు ఎక్కడైతే అడుగుపెట్టలేకపోయాయో, బ్యాంక్ శాఖలు ఎక్కడైతే అందుబాటులో లేవో సరిగ్గా ఆ ప్రాంతానికి, ఆ ప్రతి ఒక్క వ్యక్తి వద్దకు బ్యాంకింగ్ వ్యవస్థను యూపీఐ తీసుకువెళ్లింది.

మిత్రులారా,

నేడు ఫిన్‌టెక్ మార్కెట్‌లో ఎక్కువ భాగం కేవలం చెల్లింపులకే పరిమితమై ఉంది. కానీ ఇప్పుడు మనం తదుపరి స్థాయికి వెళ్లాలి. అది కూడా వేగంగా అడుగులు వేయాలి. ఫిన్‌టెక్ మార్కెట్‌లో చెల్లింపులతో పాటు క్రెడిట్ లావాదేవీల వాటా, బీమా వాటా పెరగాలి. అదేవిధంగా పొదుపు, పెట్టుబడులు, పింఛన్ల వాటా కూడా మరింత వృద్ధి చెందాలి.

మిత్రులారా,

సంప్రదాయ ఆర్థిక నమూనాల పరిధికి ఇంకా దూరంగా ఉన్న లేదా సరిగ్గా ప్రయోజనం అందుకోలేకపోతున్న దేశ సామర్థ్యాన్ని ఫిన్‌టెక్ వెలికితీయగలదని నేను గట్టిగా నమ్ముతున్నాను. వికసిత్ భారత్ సాధనకు ఈ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం అత్యంత అవసరం.

మిత్రులారా,

పీఎం స్వనిధి విజయంలో దీని ప్రభావాన్ని మనం ఇప్పటికే స్పష్టంగా చూడొచ్చు. మన వీధి వ్యాపారులు నగరాలకు వెన్నెముక వంటివారు. కానీ వారు దేశ బ్యాంకింగ్ వ్యవస్థకు, అధికారిక రుణ వ్యవస్థకు దూరంగా ఉండేవారు. పీఎం స్వనిధి పథకం లక్షలాది మంది వీధి వ్యాపారులను అధికారిక వ్యవస్థతో అనుసంధానించింది. ఇప్పుడు ఈ సోదరీసోదరుల వద్ద స్వనిధి క్రెడిట్ కార్డు కూడా ఉంది. అంటే వారి వద్ద అధికారిక రుణాలు పొందే సాధనం ఉందన్నమాట. ఈ లబ్ధిదారుల సగటు వార్షిక ఆదాయం 20 శాతానికి పైగా పెరిగిందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. అంతేకాకుండా వారి కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. గృహ వసతి, పోషకాహారం, ఆరోగ్య సేవలు, పిల్లల చదువుల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. అందుకే ఈ పథకాన్ని 2030 వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మిత్రులారా,

యూపీఐ కనుక లేకపోతే పీఎం స్వనిధి ఈ స్థాయి విజయాన్ని సాధించి ఉండేది కాదు. ఈ పథకం విజయవంతం కావడంలో యూపీఐ చాలా పెద్ద పాత్ర పోషించింది. ఈ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఆర్థిక కార్యకలాపాలను మరింత వృద్ధి చేయడానికి మనం ఫిన్‌టెక్ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలి. మూలధనం, రుణ రంగానికి సంబంధించి నేను మీకు ఒక ఉదాహరణ చెబుతాను. ఒక చిన్న దుకాణం నడుపుతున్న ఒక సోదరి ప్రతిరోజూ డిజిటల్ చెల్లింపులు స్వీకరిస్తున్నారు. ఇప్పుడు ఆమె ఆదాయం, ఖర్చుల్లో ఒక స్పష్టమైన విధానం కనిపిస్తోంది. ఆమె వ్యాపారం బాగా సాగుతోంది. చిన్నపాటి మూలధనం సరిపోయే స్థాయి నుంచి ఆమె ఇప్పుడు మరింత ముందుకు ఎదిగారు. ఇప్పుడు తన వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవడానికి వస్తువులు, పరికరాలు కావాలి. అందుకోసం ఆమెకు కొంచెం ఎక్కువ డబ్బు అవసరమవుతోంది. ఇది పెద్ద మొత్తంలోని రుణం కాదు. అలా అని సంప్రదాయ రుణ నమూనాలు ఆమెకు సమర్థవంతంగా సేవలు అందించలేనంత చిన్న వ్యాపారం ఆమెది. ఫిన్‌టెక్ ద్వారా సులభంగా విశ్లేషించగలిగే, ముందుగానే ఊహించగలిగే, పరిష్కరించగలిగే అవసరాలు ఉన్న ఇటువంటి వ్యాపారాలు కోకొల్లలుగా ఉన్నాయి.

మిత్రులారా,

అటువంటి వ్యాపారాల ఆర్థిక కార్యకలాపాలను అధ్యయనం చేయడానికి, వాటి కోసం ప్రత్యేక నమూనాలను రూపొందించడానికి సాంకేతికత మనకు సహాయపడుతుంది. ఫిన్‌టెక్ రంగంలో తదుపరి అధ్యాయం ఇక్కడే ప్రారంభమవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. చెల్లింపుల విషయంలో మనం వేగాన్ని, స్థాయిని చూపించాం. ఇప్పుడు మనం చెల్లింపులు కానటువంటి ఇతర లావాదేవీల వాటాను పెంచడానికి సహాయం చేయాలి. ఉదాహరణకు ఒక డెలివరీ భాగస్వామి లేదా ఏదైనా చిన్న పని చేసే వ్యక్తి ప్రతి నెల సంపాదిస్తాడు. కానీ అతనికి పొదుపు, పింఛను వంటి సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఫిన్‌టెక్ ఇటువంటి వారి అవసరాలను సులభంగా తీర్చగలదు. అదేవిధంగా బీమా ఉత్పత్తులు, ఇతర ఆర్థిక సేవలను మరింత సులభంగా పొందేలా ఫిన్‌టెక్ చేయగలదు. ఈ సేవలన్నింటినీ ఈ రోజు క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు చేయడం ఎంత సులభమో అంతే సులభంగా సులభతరం చేయవచ్చు.

మిత్రులారా,

21వ శతాబ్దపు మొదటి త్రైమాసికం ముగిసింది. ఇప్పుడు మనం 2026వ సంవత్సరంలో ఉన్నాం. రెండో త్రైమాసికం మనకు మరింత నూతన అవకాశాలను తెచ్చిపెట్టింది. ఏజెంటిక్ ఏఐ, టోకెనైజేషన్, క్వాంటమ్ సాంకేతికత.. ఇటువంటి సాంకేతికతలు ఆర్థిక రంగంలో అపూర్వమైన అవకాశాలకు కొత్త ద్వారాలు తెరుస్తున్నాయి. ఇప్పుడు మన ముందున్న సవాలు ఏంటంటే.. ఈ అవకాశాలను వాస్తవ ప్రపంచంలో ఎలా ప్రభావం చూపేలా మార్చుకోవాలి. ఇందుకోసం మన ఫిన్‌టెక్ కంపెనీలు కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ ముందు కొన్ని సూచనలను ఉంచాలనుకుంటున్నాను. మొదటిది… భారత్‌లో సైబర్ భద్రతను అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్లాలి. రెండోది.. మన పరిశ్రమకు తగినట్లుగా సొంత నైతికపరమైన డేటా రక్షణ ప్రమాణాలు ఉండాలి. మూడోది.. బలమైన ఫిన్‌టెక్ నియంత్రణ-ఇండస్ట్రీ ఆవిష్కరణల వ్యవస్థను మనం నిర్మించుకోవాలి. నాలుగోది.. ఒక ఫిన్‌టెక్ వినియోగదారుల రక్షణ సూచీ ఉండాలి. దీని ఆధారంగా ప్రతి కంపెనీకి ఒక పారదర్శక రేటింగ్ లభిస్తుంది. ఈ ప్రమాణాలను మనం పరీక్షించుకుంటే భారత ఫిన్‌టెక్ రంగం అనంతమైన అవకాశాలకు ప్రవేశ ద్వారంగా మారుతుంది. మన వద్ద అనుభవం ఉంది. దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే విధానం కూడా ఉంది. కాబట్టి మనం వేగంగా పని చేయాలి.

మిత్రులారా,

డిజిటల్ ఇండియా విజయగాథ ఇప్పుడు ఒక కొత్త అధ్యాయానికి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు మన ఫిన్‌టెక్ విజయానికి ప్రధాన కారణాలు.. విస్తృతి, పరిధి, సురక్షితమైన వ్యవస్థలు, సాంకేతికత ప్రజాస్వామ్యీకరణ, ప్రజల విశ్వాసం. ఈ మూల సూత్రాలను దృష్టిలో ఉంచుకొని ఫిన్‌టెక్ రంగం తదుపరి తరం ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి. ఇదే విన్నపంతో మీ అందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ధన్యవాదాలు.