Chief Minister celebrates Kutchi New Year, Mandvi

Published By : Admin | June 21, 2012 | 12:38 IST

ર્વે મહાનુભાવો અને આ ઘૂઘવતા દરિયા કિનારે ઘૂઘવતો માનવ મહેરામણ..! આપ સૌને નવા વર્ષની અંદર સર્વ પ્રકારના સંકલ્પો પૂર્ણ થાય, આપની સઘળી ઇચ્છાઓ પૂર્ણ થાય, આપનો પરિવાર સુખી રહે અને આપણી કચ્છની ધરતી જગત આખામાં હજુ વધુ ચમકે એવી આ નવવર્ષે શુભકામનાઓ પાઠવું છું.

ભાઈઓ-બહેનો, મારે કચ્છના મારા મિત્રોને અભિનંદન આપવા છે. એમણે એક આ કચ્છના નવવર્ષને સમાજના ઉત્સવ તરીકે ઊજવવાનો, એક સામૂહિક અવસર બનાવવાનો પ્રયાસ કર્યો છે. અને ઘણીવાર સમૂહમાંથી આપોઆપ એક નવી ઊર્જા પેદા થતી હોય છે, નવો આત્મવિશ્વાસ પેદા થતો હોય છે અને મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે કે એ આનંદ પણ વહેંચવા માટે થઈને જગ્યા શોધતો હોય છે. સરસ મજાનું શર્ટ ખરીદ્યું હોય, શરીર પર બરાબર શોભતું હોય પણ દર્પણ સામે જોઈને કંઈ એની જીંદગી પૂરી ન કરે, એને ઇચ્છા હોય કે એના મિત્રો જુએ, એના આનંદમાં ભાગીદાર બને. સરસ મજાની મીઠાઈ બની હોય, ખાધી હોય, પણ મન કરે કે પોતાનો કોઈ સ્વજન પણ સાથે જોડાય. આ મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે. એમ, આ સમાજના પર્વોનું પણ એવું છે. આ સમાજના પર્વોને પણ જ્યારે જ્યારે સામુહિકતા મળતી હોય છે, ત્યારે એ સમાજની શક્તિનો સ્ત્રોત બની જતાં હોય છે. અને એ બાબતે માંડવી નગરપાલિકાએ, મારા સૌ આગેવાનોએ એક સારી પરંપરા માંડવીના દરિયા કિનારે ઊભી કરી છે. અને હવે તો કચ્છમાં કંઈ પણ આવી ઉજવણી કરીએ ને તો એણે ટૂરિઝમની દ્રષ્ટિથી જોડી જ કાઢવી જોઇએ. આપણા સગા-વહાલાં, દૂરદૂરના મિત્રોને કહેવું જોઈએ કે ભાઈ, અમારા નવા વર્ષની ઉજવણીમાં ભાગીદાર બનવા આવો. જુઓ, અમારા કચ્છમાં કેવો ઉમંગ હોય છે..! તો આ અવસર પણ ટૂરિઝમના આકર્ષણનું કારણ બની જાય. અને હવે તો કચ્છને મારે ટૂરિઝમ સમજાવવું પડે એવું નથી, આખું હિંદુસ્તાન બોલે છે, ‘કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા’. આ કચ્છની ધજાપતાકા આખી દુનિયામાં લહેરાવવાનો એક આનંદ આવે છે મને મિત્રો, ખબર નહીં કેમ, પણ આનંદ આવે છે. નહીંતો મોં વકાસ્યું કરીને રડ્યા જ કરે, અમારે ત્યાં ભૂકંપ હતો, ભૂકંપ હતો, ભૂકંપ હતો... હવે..? અરે, અમારા કચ્છમાં તો આમ છે ને અમારા કચ્છમાં આમ છે..! આખું બદલાઈ ગયું, ભાઈ. શક્તિનો સાક્ષાત્કાર થાય, એનાથી કેવું પરિવર્તન આવે છે એ આજે આપણે જોઈએ છીએ અને અનુભવીએ છીએ.

ભાઈઓ-બહેનો, આજ હિંદુસ્તાનનો કોઈ જિલ્લો કચ્છની પ્રગતિની તોલે આવી શકે એમ નથી. એની માળખાકિય સુવિધાઓ હશે, એમાં ખેતી ક્ષેત્રે જે અદભુત તરક્કી થઈ રહી છે, જ્યાં પશુપાલન અને દૂધ ઉત્પાદનમાં નવી ક્રાંતિ આવી રહી છે, જ્યાં નવી નવી માળખાકિય સુવિધાઓ ઉત્તરોત્તર વધી રહી છે, જ્યાં અનેક પ્રકારના ઉદ્યોગ-ધંધાઓ વિકસી રહ્યા છે... કોઈપણ બાબતે જુઓ, કચ્છ એની એક આગવી તાકાતનાં દર્શન દેશના બધા જ જિલ્લાઓને કરાવી રહ્યું છે. અને એમાં કચ્છીઓનો પુરુષાર્થ છે, એમાં કચ્છીઓનું ખમીર છે, એમાં કચ્છી પ્રજાના મનમાં જે હામ છે, જે હીર છે, એ એની મોટામાં મોટી મૂડી છે! અને તેથી જેમ આ ભૂમિને નમન કરવાનું મન થાય છે ને, એમ આ ભૂમિના લોકોને પણ નમન કરવાનું મન થાય છે. આ સામર્થ્ય... અને આ રાજ્યની વિશેષતા જ આ છે કે એને જનશક્તિના સામર્થ્યને વિકાસની શક્તિમાં જોડવી છે, વિકાસનો વાવટો ફરકાવવામાં એક એક માનવીને જોડવાની કોશિશ કરી છે. ભગવાન કૃષ્ણ માટે ગોવર્ધન ઊંચકવો મુશ્કેલ નહોતો, ભાઈ. ખૂબ નાની ઉંમરમાં મોં ખોલે અને માને આખા બ્રહ્માંડના દર્શન કરાવી શકતા હોય, એ કૃષ્ણને માટે ગોવર્ધન ઊંચકવો મુશ્કેલ નહોતો. પણ આપણને એમણે રસ્તો બતાવ્યો કે એક એક ગોવાળિયાની લાકડીના ટેકે ગોવર્ધન ઊંચક્યો હોય, એના કારણે સમાજની શક્તિ બનતી હોય છે. આપણે પણ આ ગુજરાતના વિકાસની જે ઊંચાઈઓ પર જઈ રહ્યા છીએ, એના મૂળમાં પ્રત્યેક ગુજરાતીની ટેકણ લાકડી છે, પ્રત્યેક ગુજરાતીનો પુરુષાર્થ છે. અને મને સંતોષ આ વાતનો છે કે છ કરોડ ગુજરાતીઓ ગુજરાતની વિકાસયાત્રામાં ભાગીદાર બન્યા છે. દરેક ગુજરાતી સપનું જોતો થયો છે અને દરેક ગુજરાતી સપનું સાકાર કરવા માટે જહેમત કરતો થયો છે. એને ઓશિયાળા રહેવાનું પાલવે એમ નથી, એને યાચક રહેવાનું પાલવે એમ નથી. એને પુરુષાર્થની પરાકાષ્ઠા કરવી છે, એ વાતાવરણ આપણે ઊભું કર્યું છે. અને વાતાવરણ ઊભું થાય છે સમાજની આવા શક્તિના સામૂહિક દર્શનમાંથી.

ભાઈઓ-બહેનો, કેટલાય લોકો છે જેને ગુજરાતની પ્રગતિ આંખમાં કણાની જેમ ખૂંચે છે, કણાની જેમ. કેટલાક લોકોએ તો જૂઠાણાનો આખો દસકો ઊજવ્યો છે, જૂઠાણા... રોજ સવારમાં એક જૂઠાણું..! અને કેટલાક લોકોએ તો સોપારી લીધી છે કે હવે આ ડિસેમ્બરમાં તો મોદીને પાડી જ દેવો છે..! હવે એટલા બધા બિચારા નિરાશ થઈ ગયા છે, એટલા બધા હતાશ થઈ ગયા છે કે “સાલું, આટઆટલાં જૂઠાણા ચલાવીએ, આટઆટલા ગપગોળા ચલાવીએ, રોજ નવા આરોપો મૂકીએ પણ પ્રજાના મન પર અસર કેમ નથી થતી, એની એમને ચિંતા સતાવે છે..!” ભાઈઓ-બહેનો, એમના નસીબમાં જે કામ લખાયું છે એ એ લોકો કરે છે અને ગુજરાતની જનતાએ મારા નસીબમાં જે કામ મૂક્યું છે એ કામ જિંદાદિલીથી હું કરું છું. આપે મને જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર હું મક્કમ ડગ માંડતો ચાલ્યો છું. અને એ માર્ગ છે, વિકાસનો, પ્રગતિનો. અને મિત્રો, આ જ માર્ગે બધું બદલાશે. આજે પણ ૨૦૦૧ ના ભૂકંપના એ દિવસો વિચારીએ અને કલ્પના કરો કે બધું જ લોકોના પર, નસીબ પર છોડી દેવાયું હોત તો આજે શું દશા થઈ હોત? પણ બધાએ જ્યારે સામૂહિક જવાબદારી લીધી, સરકાર ખડે પગે ખડી થઈ ગઈ, જોતજોતામાં સ્થિતિ બદલી નાખી, ભાઈઓ. અને મારા મનનું કમિટ્મેન્ટ આ દર્શન..! મિત્રો, મુખ્યમંત્રીના શપથ લીધા પછી મેં પહેલું કામ કર્યું હતું, કચ્છની ધરતી પર આવવા માટેનું, દુખિયારાનાં આંસુ લૂછવા. મિત્રો, ગુજરાતના ભૂકંપ પછીની પહેલી દિવાળી હતી અને દિવાળી સૌ કોઈ મનાવે પણ મારી સરકાર હતી જેણે દિવાળી ઊજવવાનું કૅન્સલ કરીને કચ્છના દુખિયારાંઓને ત્યાં દિવાળીની રાત ગાળવાનું નક્કી કર્યું હતું. સંવેદના કોને કહેવાય, સમાજ માટેની ભક્તિ કોને કહેવાય એ મેં ડગલે ને પગલે પુરવાર કર્યું છે. ભાઈઓ-બહેનો, સત્તા વગર તરફડતા, જૂઠાણાઓનો આશરો લઈને ગુજરાતની છ કરોડની જનતાને ગુમરાહ કરવા મથતા, પૈસાના જોરે અપપ્રચારની આંધી ચલાવનારા તત્વો ન પોતાનું ભલું કરી શકવાના છે, ન ગુજરાતનું ભલું કરી શકવાના છે. અને આ તત્વોને તો હું કહું છું ભાઈ, જરા તમારી દિલ્હી સરકારનાં પરાક્રમો તો જુઓ..! કંઈ સરખું કરવું હોય તો ત્યાં કરી આવોને, આખો દેશ બરબાદ કરી મૂક્યો છે, આખો દેશ. રૂપિયાની લૂંટ ચાલી છે, મિત્રો. અને લાખો કરોડોથી નીચી વાત જ નથી આવતી. એક એક કામમાં લાખ કરોડ, બે લાખ કરોડ, દોઢ લાખ કરોડ, જાણે જીંદગીમાં ફરી મોકો જ ન મળવાનો હોય એમ મંડ્યા છે. જેસીબી લઈને મંડ્યા છે, જેસીબી લઈને... પહેલાંની કૉંગ્રેસ પાવડો લઈને મંડતી, આ હવે જેસીબી લઈને મંડ્યા છે, લૂંટ ચલાવી રહ્યા છે. અને આખા દેશની જનતા એમને ઓળખી ગઈ છે, દેશ બરાબર ઓળખી ગયો છે. અને છતાંય, બેશરમી કેટલી, નફ્ફટાઈ કેટલી..? અહીંયાં ઊજળા દૂધ જેવા થઈને પાછા આવીને ઊભા થઈ જાય છે. એમને ખબર નથી કે જનતા તમને બરાબર ઓળખી ગઈ છે. અને હવે આ દેશ હંમેશા હંમેશા માટે જનતા જનાર્દનને લૂંટનારાઓને કાયમ માટે જાહેર જીવનમાંથી મુક્ત કરીને જ રહેવાનો છે, આવો મારો પૂરો ભરોસો છે. એક સારું કામ એમને કહેવાની ફુરસદ નથી, કરવાની ફુરસદ નથી. અખાડા જ કર્યા કરવાના, ડખા જ કર્યા કરવાના અને ગુજરાતનો વિકાસ ન થાય, પ્રગતિ ન થાય, એના માટે આડશો નાખવાની, રુકાવટો પેદા કરવાની..!

ભાઈઓ-બહેનો, આપણો કચ્છ, આને દુષ્કાળગ્રસ્ત કહેવાય કે ન કહેવાય? સદીઓથી આપણે દુષ્કાળગ્રસ્ત કહેવાઈએ કે ન કહેવાઈએ? વર્ષોથી પાણીની ખેંચ કહેવાય કે ન કહેવાય? જરા ખોંખારીને બોલોને, ભાઈ... પાણીની ખેંચવાળો પ્રદેશ ખરો કે નહીં? પાણી માટે વલખાં મારીએ એવી દશા ખરી કે નહીં? આમાં કોઈ સર્ટિફિકેટની જરૂર છે..? બધાને ખબર છે ને? ચોપડે ચીતરેલું છે ને? આ છાપાં કાઢો, તો વર્ષો વર્ષનાં છાપાં ભરેલાં હોય. આ બધાને સમજણ પડે છે, દિલ્હી સરકારને નથી પડતી. બોલો, એ માનવા જ તૈયાર નથી કે આ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે, માનવા જ તૈયાર નથી..! કારણ, ભારત સરકારમાં એક યોજના છે કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી લઈ જવું હોય તો નેવું ટકા ખર્ચો ભારત સરકાર ભોગવે. એ યોજના છે. એનો લાભ હિંદુસ્તાનમાં જે જે દુષ્કાળગ્રસ્ત વિસ્તારો છે એને મળે છે. આપણે લખી લખીને થાક્યા કે અમારે જે આ નર્મદા યોજનાનું પાણી કચ્છમાં લઈ જવું છે, એ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર છે, એ કેનાલોનો ખર્ચો અમને નેવું ટકા મળે એ અમારો હક છે અમને આપો. તો એ કહે, ના..! હવે એમને કોણ સમજાવે કે અમે આ દુષ્કાળગ્રસ્ત વિસ્તારના લોકોને માટે કહીએ છીએ, માનવા જ તૈયાર નથી. કારણકે માગણી કરનાર ગુજરાત છે, એને તો પાડી જ દો. પણ દિલ્હીની સલ્તનત કાન ખોલીને સાંભળી લે, અમારા હકનું છે એટલે અમે માંગવાના અને લડવાના. પણ તમે એમ માનતા હો કે તમે નહીં આપો એટલે કચ્છને અમે પાણી વગર રહેવા દઈશું, તો તમને ધૂળ ફાકતા કરી દઈશ પણ કચ્છને પાણી તો આપીશ જ. દુનિયામાંથી ભીખ માંગવી પડશે તો માંગીશ, પણ હું આ કામ પૂરું કરીશ. મારો વાંધો તમારી અન્યાયી પ્રવૃત્તિ સામે છે. અને મોટા ઉપાડે જૂઠાણા ફેલાવવા માટે નીકળેલા લોકો, એક કામ પોતાના કાર્યકાળમાં લોકો માટે કરી શક્યા નથી. ચાલીસ ચાલીસ વર્ષ સુધી ગુજરાતની જનતાએ પંચાયતથી પાર્લામેન્ટ સુધી એક જ પાર્ટીને સત્તા સોંપી અને તેમ છતાંય વિકાસની વાત આ દસકામાં ખબર પડી કે વિકાસ કોને કહેવાય..!

ભાઈઓ-બહેનો, વિકાસની નવી ઊંચાઈઓને પાર કરવી છે આપણે, વિકાસના મંત્રને લઈને આગળ વધવું છે અને રોજ નવા પ્રકલ્પ, રોજ નવી યોજનાઓ એ અમારી મથામણ છે. આપણે ટૂરિઝમ માટે આટલી મથામણ કરી રહ્યા છીએ. ધોળાવીરા, આખી દુનિયાના ટૂરિસ્ટોને આકર્ષે એવું મહામૂલું ક્ષેત્ર આપણી પાસે કચ્છમાં છે. આખી દુનિયા ઊતરી પડે એવી એ જગ્યા છે. પણ સાંતલપુર-ગઢુલીનો રસ્તો અહીં બનાવવો તો ધોળાવીરા જવા-આવવા માટેનો આપણો રસ્તો ટૂંકો થઈ જાય, સહેલાઈથી માણસ જતો-આવતો થઈ જાય... સાહેબ, એ કામને લટકાવીને બેઠા છે. મને સમજાતું નથી કંઈ..! એક રાજ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે વિકાસ માટેની અવનવી યોજનાઓ લઈને આવતું હોય, પણ માત્ર ગુજરાત છે, ત્યાં ભાજપવાળા બેઠા છે, મોદી છે એટલે મારો... આવું ઝેર..? મેં એકવાર પ્રધાનમંત્રીની હાજરીમાં કહ્યું હતું કે તમે અમને ગણો છો શું, ભાઈ? અમે કોઈ દુશ્મન દેશનું રાજ્ય છીએ, ભાઈ? અરે, અમે પણ હિંદુસ્તાનના, આ ભારત માતાના સંતાન છીએ, અમારી જોડે જરા સરખો વ્યવહાર કરો. પણ આ જે પ્રવૃત્તિ ચાલે છે ભાઈઓ-બહેનો, એ પ્રવૃત્તિની સામે મારો આક્રોશ છે. તમે વિચાર કરો, આપણા ગુજરાતમાં પચાસ વર્ષ પહેલાં ખંભાતમાં તેલના કૂવાઓમાંથી તેલ નીકળ્યું. એ જ સમયે થોડા સમય પછી આસામમાં નીકળ્યું. આસામ અને ગુજરાત બે જગ્યાએ તેલના ભંડારો મળ્યા છે. ભારત સરકાર એના પર માલિકી ધરાવે છે, પણ જે રાજ્યમાંથી નીકળે એ રાજ્યને એની રોયલ્ટી મળે છે. ભાઈઓ-બહેનો, પહેલાં તો એમણે ખૂબ અન્યાય કર્યો આપણને. પણ અટલજીની સરકાર આવી અને આપણી વાત વળી માની અને વળી આપણું ગાડું જરા સરખું ચાલ્યું ને આપણને લાભ થવા માંડ્યો. વર્ષે રોયલ્ટીના આપણને સંતોષ થાય એટલા રૂપિયા મળવા માંડ્યા. જેવી અટલજીની સરકાર ગઈ અને આ લોકો બેઠા, ધડામ દઈને કાગળિયાં બધાં ફેરવી નાખ્યાં. અને ફેરવવામાં વળી કેવું કર્યું, કે આસામને એમને એમ રાખ્યું, ગુજરાતના બધા નિયમો બદલી નાખ્યા. ખાલી ક્રૂડની રોયલ્ટીના પાંચ હજાર ચારસો કરોડ રૂપિયા ઓછા આપ્યા છે આપણને, પાંચ હજાર ચારસો કરોડ રૂપિયા..! જે ગુજરાતના હકના છે, જે ભારત સરકારે મંજૂર કર્યા હતા, અટલજીના સમયમાં નિર્ણય થયો હતો, અટલજી હતા ત્યાં સુધી મળતા રહ્યા હતા અને ત્યાર પછી રાતોરાત... કેમ ભાઈ, આસામ અને ગુજરાતમાં ભેદભાવ કેમ? અગર જો આસામની ધરતીમાંથી તેલ નીકળે તો આસામને વધારે પૈસા મળે અને ગુજરાતની ધરતીમાંથી નીકળે તો ઓછા પૈસા મળે, ગુજરાતને આ અન્યાય કેમ? આની સામે અમારી લડાઈ છે, ભાઈ. તમને ભેદભાવ કરવાનો કોઈ હક નથી. ગામડાંઓમાં રોડ બનાવવા માટે પેટ્રોલ પર લિટર દીઠ બે રૂપિયા ભારત સરકાર લે છે. આપણા રાજ્યમાં પેટ્રોલની સૌથી વધારે ખપત છે. અરબો-ખરવો રૂપિયા એમને મળે છે, પણ આપણને રોડ બનાવવા માટે દમડીયએ આપતા નથી. બીજા બધાને આપે છે. કેમ ભાઈ, અમારે ગુજરાતના ગામડાંઓના રોડ ન બનાવવાના હોય..? તો આપણને શું કહે કે અરે, તમારા ગામડાંઓમાં તો રોડ પહોંચી ગયા છે, હવે તમારે શું જરૂર છે? મેં કહ્યું કે ભાઈ, અમારે ત્યાં જમાનો બદલાઈ ગયો છે, પહેલાં સાઇકલો ચાલતી હતી, અત્યારે તો ગામડામાંય ગાડીઓ ચાલી પડી છે. એને આમને-સામને કરવા રોડ અમારે પહોળા કરવા પડે, અમારે પેવર રોડ બનાવવા પડે એવી ગામડાંમાંથી માગણી આવી છે એટલે અમને રૂપિયા આપવા પડે તમારે. અને અમારા જ છે પાછા, એવું નહીં કે તમારી મહેનતનું માંગીએ છીએ, ભાઈ. આ ગુજરાતની જનતાના પૈસા છે..! ભાઈઓ-બહેનો, અનેક અવરોધો ઊભા કરવામાં આવે છે, અનેક અડચણો ઊભી કરવામાં આવે છે, છાશવારે સી.બી.આઇ.ની ધમકીઓ આપવામાં આવે છે, બોલો.

ભાઈઓ-બહેનો, આ વિકાસની યાત્રા એ જ એક માર્ગ આપણે અપનાવ્યો છે અને એ જ માર્ગથી લાભ થવાનો છે. પ્રજા જીવનને સુખ જોઈતું હશે, શાંતિ જોઇતી હશે, તો શાંતિ, એકતા અને સદભાવનાના મંત્ર સાથે આપણે આગળ વધ્યા છીએ. આ અમદાવાદમાં આજે વાજતે-ગાજતે જગન્નાથજી ભગવાન આગળ વધી રહ્યા છે. સવારથી નીકળ્યા છે નગરચર્યા કરવા માટે. નહીં તો પહેલાં..? જગન્નાથજીની રથયાત્રા નીકળવાની હોય, તો કચ્છવાળો ત્યાં ફોન કરીને પૂછે કે અમદાવાદ અવાય એવું છે હમણાં, ક્યાંય કર્ફ્યૂ-બર્ફ્યૂ તો નથી ને? એવું હતું ને..? લોકો લગ્નની તારીખ નક્કી કરે ત્યારે નક્કી કરે કે ઊભા રહો હોં, આ રથયાત્રાના દસ દિવસ આગળ-પાછળ બધું બંધ રાખો, કાંઈ ઠેકાણું નહીં, શું થાય ત્યાં..! છોકરા કુંવારા રહી જાય. કર્ફ્યૂ..! મિત્રો, દર ત્રીજા વર્ષે રથયાત્રા હોય, એમાં ક્યાંક હુમલો થયો હોય અને એમાંથી કર્ફ્યૂ ને આ ને તે ને આ જ બધું ચાલતું હોય..! આ પહેલો દસકો એવો છે ભાઈઓ, પહેલો દસકો કે જ્યાં ગુજરાતમાં કર્ફ્યૂનું નામોનિશાન નથી. સુખ-શાંતિ સૌને જોઈએ છે, વેપાર રોજગાર લોકોને કરવા છે, બાળકોને ભણાવવાં છે, દીકરીઓ ગૌરવભેર જીવે એવું વાતાવરણ જોઈએ છે. આ સરકારે એને પ્રાથમિકતા આપી છે, પ્રાધાન્ય આપ્યું છે. અને તેથી ભાઈઓ-બહેનો, આજે જ્યારે માંડવીના કિનારે આવ્યો છું ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આ જૂઠાણાઓ, આ ખોટા આરોપો, માત્ર સત્તા ભોગવવા માટે ગુજરાતને બદનામ કરવાની જે પેરવી ચાલે છે એની સામે આપણે બધાએ લડવું પડશે અને આ શક્તિઓને પરાસ્ત કરવી પડશે. આજે જ્યારે નવા વર્ષનો આરંભ થઈ ગયો છે ત્યારે, આ નવું વર્ષ જનતા જનાર્દનના વિજયનું વર્ષ બની રહે ભાઈ, આ નવું વર્ષ જનતા જનાર્દનના સંકલ્પની પૂર્તિનું વર્ષ બની રહે, આ નવું વર્ષ પ્રત્યેક પરિવારની આશા-આકાંક્ષાઓને પરિપૂર્ણ કરનારું બની રહે એવા સંકલ્પ સાથે નવા વર્ષને ઊજવીએ.

મારી આ મહેફિલ તો લાંબી ચાલવાની છે. હું તો સવારે જગન્નાથજી ભગવાનને વિદાય આપીને અહીં કચ્છ આવ્યો છું. આજે એક દિવસમાં બધા જ ખૂણામાં ફરી વળ્યો છું અને હજુ અમદાવાદ પહોંચવું છે. એટલે મેં અમારા મિત્રોને વિનંતી કરી હતી કે તમારી રંગત બરાબર જમાવજો, પછી મને શું થયું એ કહેજો. પણ આપે મને આટલો બધો પ્રેમ આપ્યો છે કચ્છી ભાઈઓ, જન્મો જન્મ એને નિભાવતો રહું અને એ ઋણ ચૂકવતો રહું એવી મને શક્તિ આપો. જન્મો જન્મ તમારી સેવા કરતો રહું ભાઈઓ, એટલો બધો મને કચ્છી ભાઈઓએ પ્રેમ આપ્યો છે અને હું પણ સવાયું કરીને આપવા માટે બેઠો છું ભાઈઓ, સવાયું કરીને. તો ફરી એકવાર આ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ..!

ય જય ગરવી ગુજરાત...!!

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Emerging cities see 42% growth in GCC jobs, outpacing metros: Report

Media Coverage

Emerging cities see 42% growth in GCC jobs, outpacing metros: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
రోజ్‌గార్ మేళా ద్వారా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 23, 2026
India’s youth are playing a vital role in accelerating the journey towards a Viksit Bharat: PM
Rozgar Mela reflects our Government’s commitment to empowering the Yuva Shakti with new opportunities: PM
The world is excited by India’s youth and technological progress and today the global community wants to partner in India’s development journey: PM
Sectors like clean energy, critical minerals, green hydrogen, and sustainable manufacturing are advancing rapidly and partnerships in these areas are creating new opportunities: PM Modi
Every Indian is moving forward with the resolve of building a Viksit Bharat by 2047: PM Modi at Rozgar Mela
Today, Rapid transformation is clearly visible even in rural areas; Enhanced connectivity has opened new avenues for farmers, small traders, and students: PM
Viksit Bharat will be built by the efforts of such youth who view their work as a means of national service: PM Modi

మిత్రులారా,

దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది యువతీ యువకులకు నేడు చాలా ముఖ్యమైన రోజు. 51,000 కంటే ఎక్కువ మంది యువత నేడు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందుకున్నారు. మీరు దేశ అభివృద్ధి ప్రయాణంలో అత్యంత కీలకమైన, బాధ్యతాయుతమైన భాగస్వాములుగా మారుతున్నారు. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య, ఇతర అనేక రంగాల్లో సరికొత్త బాధ్యతలను స్వీకరించబోతున్నారు. రాబోయే సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన భారత్‌ సంకల్పాన్ని నెరవేర్చడంలో మీరే కీలక పాత్ర పోషిస్తారు.

 

మిత్రులారా, 

ఈ స్థాయికి చేరుకోవడానికి మీరు సుదీర్ఘమైన సన్నద్ధత, కఠినమైన శ్రమను దాటి వచ్చి ఉంటారు. మీరు సాధించిన ఈ విజయానికి గాను మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడంలో మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల కృషి ఎంతో ఉంది. కేవలం కుటుంబమే కాదు, మనం ఇక్కడికి చేరుకోవడంలో సమాజం కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. మనం కేవలం మన వల్లనో, లేదా కేవలం మన కుటుంబం వల్లనో ఇక్కడికి చేరుకోలేదు. ఈ విశాల దేశంలోని 140 కోట్ల మంది పౌరుల సహకారం కూడా ఇందులో ఎంతో ముఖ్యమైనది. మన బాధ్యత కేవలం మన పట్ల, మన కుటుంబం పట్ల మాత్రమే కాదు.. సమాజం మొత్తం పట్ల కూడా సమానంగా ఉంటుంది. ఈ పనులన్నింటికీ మీరు మిమ్మల్ని మరింత సమర్థులుగా తీర్చిదిద్దుకుంటారని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

 

మిత్రులారా, 

రెండు రోజుల క్రితమే నేను అయిదు దేశాల పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. అవి కేవలం అయిదు దేశాలే అయినప్పటికీ, ఆ సమయంలో నేను డజన్ల కొద్దీ దేశాలకు చెందిన ప్రముఖ కంపెనీల అధినేతలతో చర్చలు, సమావేశాలు జరిపాను. ప్రతిచోటా నాకు ఒకే ఒక్క విషయం స్పష్టంగా కనిపించింది. దేశ యువత పట్ల, భారత్‌ పురోగతి పట్ల ప్రపంచం ఎంతో ఉత్సాహంగా ఉంది. నేడు దేశ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామి కావాలని ప్రపంచం కోరుకుంటోంది. భారత్‌ కూడా వివిధ దేశాలతో భాగస్వామ్యాలను కుదుర్చుకుంటోంది. దేశ యువతకు మరిన్ని అవకాశాలను నిర్ధారించడం, ఉపాధిని కల్పించడం, వారి సామర్థ్యాన్ని చాటిచెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. మన దేశ యువతకు అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. ఈ పర్యటనలో  నెదర్లాండ్స్‌తో సెమీకండక్టర్లు, నీరు, వ్యవసాయం, అధునాతన తయారీ రంగాలపై చర్చించాం.స్వీడన్‌తో కృత్రిమ మేధ, డిజిటల్ ఆవిష్కరణల రంగంలో సహకారంపై...నార్వేతో హరిత సాంకేతికత, నౌకా వాణిజ్య సహకారంపై... యూఏఈతో వ్యూహాత్మక ఇంధన, సాంకేతిక భాగస్వామ్యం వంటి ముఖ్యమైన ఒప్పందాలపై చర్చించాం. ఇటలీతో రక్షణ, కీలక ఖనిజాలు, శాస్త్ర, సాంకేతికత వంటి ప్రాధాన్యత కలిగిన రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. 

 

మిత్రులారా,

ఒప్పందాలన్నీ నేరుగా దేశ యువతకే ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ అంశాలన్నీ భారత్‌కు ఒక ఉజ్వలమైన, సమర్థవంతమైన భవిష్యత్తుకు హామీ ఇస్తున్న విషయాన్ని మీరు గమనించే ఉంటారు. ప్రతి కొత్త పెట్టుబడి, ప్రతి సాంకేతిక భాగస్వామ్యం, ప్రతి పారిశ్రామిక సహకారం. భారతీయ యువతకు కేవలం కొత్త అవకాశాలను తీసుకురావడమే కాకుండా, లెక్కలేనన్ని సరికొత్త మార్గాలను కూడా సృష్టిస్తుంది.

 

నా యువ మిత్రులారా,

రాబోయే పెట్టుబడులు, భాగస్వామ్యాలు వచ్చే మూడు నాలుగు దశాబ్దాల పాటు ప్రపంచ వృద్ధిని నిర్దేశించే పరిశ్రమలను తీర్చిదిద్దబోయే రంగాలు ఇవేనని మనం గుర్తుంచుకోవాలి. నిస్సందేహంగా ఇందులో దేశ యువత అత్యంత కీలకమైన పాత్ర పోషించబోతోంది. 

 

మిత్రులారా, 

ప్రపంచానికి భారత్‌ ఎలా ఒక విశ్వసనీయమైన సరాఫరా వ్యవస్థ భాగస్వామిగా మారుతోందో చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మీలో చాలా మందికి నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ ఎస్‌ఎంఎల్‌ గురించే తెలిసే ఉంటుంది. ఈ సంస్థ దేశానికి చెందిన టాటా కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచంలోనే ఈ సంస్థతో ఇలాంటి ఒప్పందం కుదుర్చుకున్న చాలా కొద్దిపాటి దేశాల్లో భారత్‌ ఒకటి. ఈ ఒక్క ఎస్‌ఎంఎల్‌-టాటా ఎలక్ట్రానిక్స్ ఒప్పందం దేశంలో లెక్కలేనన్ని కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా, తదుపరి తరం సాంకేతికతకు మార్గాన్ని అందిస్తుంది. స్వీడన్‌తో కుదిరిన సాంకేతికత, కృత్రిమ మేధ భాగస్వామ్యాలు, యూఏఈతో సూపర్ కంప్యూటింగ్ రంగంలో ఏర్పడిన సహకారం వంటివి దేశ సాంకేతిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ఈ ఒప్పందాలు  మన యువతకు ఖచ్చితంగా సరికొత్త అవకాశాలను అందిస్తాయి. 

 

మిత్రులారా,

ప్రస్తుతం స్వచ్ఛమైన ఇంధనం, కీలక ఖనిజాలు, హరిత హైడ్రోజన్‌, సుస్థిర ఉత్పాదకత వంటి రంగాలు శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఈ రంగాల్లో కుదురుతున్న భాగస్వామ్యాలు నూతన ఆర్థిక వ్యవస్థకు, సరికొత్త అవకాశాలకు మార్గం సుగుమం చేస్తున్నాయి. స్వీడన్, నార్వే, ఇటలీ వంటి దేశాలతో పర్యావరణ హిత మార్పు, సుస్థిర సాంకేతికత రంగాల్లోసహకారం నిరంతరం పెరుగుతోంది. ఇది పర్యావరణ అనుకూల తయారీకి సంబంధించిన భవిష్యత్తు పరిశ్రమల్లో భారత్‌ను మరింత బలోపేతం చేస్తుంది. దీనితో పాటు ఓడరేవులు, నౌకాయానం, నౌకా వాణిజ్య మౌలిక సదుపాయాలఒప్పందాలపై కూడా భారత్‌ వేగంగా పనిచేస్తోంది. యూఏఈ, నార్వే దేశాలతో కుదిరిన భాగస్వామ్యాలు దేశ నౌకానిర్మాణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి. నౌకల నిర్మాణానికి భారీ ఎత్తున నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరమని మీ అందరికీ బాగా తెలుసు. దీని అర్థం దేశీయ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, నైపుణ్యం కలిగిన కార్మికులకు మీరు ఊహించలేని స్థాయిలో డిమాండు పెరగబోతోంది. దీని ద్వారా అపారమైన అవకాశాలు లభిస్తాయి.

 

మిత్రులారా,

ప్రతి కొత్త భాగస్వామ్యంతోనూ భారతీయ అంకుర సంస్థలు, పరిశోధకులు, యువ నిపుణులు ప్రపంచంతో అనుసంధానం కావడానికి మనం సరికొత్త మార్గాలను సృష్టిస్తున్నాం. ఇది మన భారతీయ యువతకు అధునాతన నైపుణ్యాలను, అంతర్జాతీయ మార్కెట్లను, అభివృద్ధికి కొత్త అవకాశాలను అందిస్తుంది. నేడు ప్రపంచం  వినూత్నంగా ఆలోచించే, సరికొత్తగా నిర్మించే, భారీ స్థాయిలో ఫలితాలను అందించే దేశాలను ఎంతగానో గౌరవిస్తోంది. భారత్‌ ఈ మూడు దిశల్లోనూ శరవేగంగా ముందుకు దూసుకుపోతోంది. ఈ అద్భుతమైన మార్పు వెనుక ఉన్న అతిపెద్ద శక్తి మీరే. నా యువ సహచరులు, దేశ యువశక్తి. నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా దేశ యువశక్తి గురించి చర్చించడానికి చాలా సమయాన్ని కేటాయిస్తాను.

 

 మిత్రులారా,

నేడు ప్రతి భారతీయుడు ఒక గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఆ సంకల్పమే... 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించడం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశం వివిధ రంగాలలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఈ పెట్టుబడులు మన యువతకు లక్షలాది సరికొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఉదాహరణకు... సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన పూర్తి సరఫరా వ్యవస్థను భారత్‌ ఇక్కడే నిర్మిస్తోంది. రాబోయే సంవత్సరాల్లో దేశానికి చెందిన పది భారీ సెమీకండక్టర్ కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రత్యేక గుర్తింపును చాటుకోబోతున్నాయి. ఇవన్నీ భారతీయ యువత సామర్థ్యం, మేధస్సు, నిబద్ధతతో నడుస్తాయి. తద్వారా సహజంగానే భారీగా ఉపాధి లభిస్తుంది. నౌకానిర్మాణ, నౌకల మరమ్మతు, వ్యవస్థను కూడా భారత్‌ వేగంగా అభివృద్ధి చేస్తోంది. దీనికోసం సుమారు 75,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెడుతోంది. మనం భారత్‌లోనే  పూర్తి స్థాయి ఎంఆర్‌ఓ వ్యవస్థను (విమానాల నిర్వహణ, ఓవర్‌హాలింగ్, మరమ్మతుల సౌకర్యాలను) నిర్మిస్తున్నాం. ఇది విమానయాన రంగానికి ఎంతో అండగా నిలవడమే కాకుండా దేశ యువత కోసం సరికొత్త ఉపాధి రంగాన్ని అందుబాటులోకి తీసుకువస్తుంది. 

 

మిత్రులారా,

నేడు భారత్‌ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ దేశంగా అవతరించింది. ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన పూర్తి విలువ వ్యవస్థను మనం భారత్‌లోనే నిర్మిస్తున్నాం. పీఎల్ఐ పథకం ద్వారా దేశంలో రికార్డు స్థాయిలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి జరుగుతోంది. దీని ద్వారా యువతకు లక్షలాది ఉద్యోగాలు లభిస్తున్నాయి.

 

మిత్రులారా,

ఇలాంటి మరెన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలపై భారత ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండూ కలిసి భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ పెట్టుబడులు దేశంలోని యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ వారి కలలను నిజం చేస్తున్నాయి. ఈ రోజు నియామక పత్రాలను అందుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా మీకు లభించే ఈ కొత్త గుర్తింపుతో ఎల్లప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేశానికి వ్యాపార సౌలభ్యం ఎంత ప్రాధాన్యత కలిగిన అంశమో మీ మనసులో నిరంతరం మెదలాలి. 

 

మిత్రులారా,

దేశ వృద్ధి గాథ, ఉపాధి కల్పన.. ఈ రెండూ మీ అందరికీ బాగా తెలిసినవే. దీనిలో మౌలిక సదుపాయాలు కీలక పాత్ర పోషిస్తాయి. గ్రామాలు, చిన్న పట్టణాలు, మారుమూల ప్రాంతాలు అభివృద్ధితో అనుసంధానమైనప్పుడు దేశ ప్రగతి ప్రయోజనాలు మరింత ఎక్కువ మంది ప్రజలకు చేరుతాయి. గడిచిన పన్నెండేళ్ల కాలంలో రైల్వేలు, రహదారులు, విమానాశ్రయాలు, సరుకు రావణా, ఓడరేవులు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో మునుపెన్నడూ లేని విధంగా విస్తరణ జరిగింది. ప్రతి స్థాయిలోనూ అభివృద్ధి సాకారమైంది. ఈ రోజు మీరు ఏ దిశలోనైనా 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే, అక్కడ భారత ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక ప్రాజెక్టు పనులు సాగుతూ ఉండటం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. గ్రామాల్లో సైతం మార్పు వేగంగా జరుగుతుండటం కూడా కనిపిస్తోంది. మెరుగైన అనుసంధానం వల్ల రైతులకు, చిన్న వ్యాపారులకు, విద్యార్థులకు సరికొత్త మార్గాల తెరుచుకున్నాయి. నేడు లక్షలాది కుటుంబాలకు శాశ్వత గృహాలు లభించాయి. వాస్తవానికి మనం నిర్మిస్తున్న ఇళ్ల సంఖ్య ప్రపంచంలోని అనేక దేశాల మొత్తం గృహాల సంఖ్య కంటే కూడా ఎక్కువ. నేను ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్‌ను ఎప్పటికీ మర్చిపోను, ప్రజలను కూడా మర్చిపోనివ్వను.ఇందులో మరుగుదొడ్లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా చేరింది. ఇంటిపై ఏర్పరిచే సౌరశక్తి విధానం వల్ల ఈ రంగంలోకి ఎంతో మంది కొత్త సరఫరాదారులు వచ్చారు. జల జీవన్ మిషన్ ద్వారా ఇళ్లకు కుళాయిల ద్వారా నీరు అందుతోంది.  నగరాల్లో పీఎన్‌జీ కనెక్షన్లను విస్తరించాలని నేను భావించినప్పుడు మనకు ప్లంబర్ల కొరత ఎదురవడం నేను గమనించాను. ఎందుకంటే అప్పటికే చాలా మంది ప్లంబర్లు జల జీవన్ మిషన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కొన్నిసార్లు నైపుణ్యం కలిగిన వ్యక్తుల డిమాండు, సరఫరాను మించిపోవడాన్ని, అవకాశాలు ఎంత శరవేగంగా పెరుగుతున్నాయో చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం.

 

మిత్రులారా,

ఈ మార్పుల ప్రభావం కేవలం సామాన్య పౌరుల సౌకర్యాల కల్పనకు మాత్రమే పరిమితం కాలేదు. గ్రామాలకు రోడ్లు చేరినప్పుడు మార్కెట్లకు చేరుకోవడం సులభతరమవుతుంది. మెరుగైన విద్యుత్ సదుపాయాల వల్ల చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. గ్రామాల్లో సైతం వ్యవసాయ రంగానికి విలువ జోడింపు లభిస్తోంది. గతంలో వారు కేవలం ఎర్ర మిరపకాయలను మాత్రమే విక్రయించేవారు. కానీ ఇప్పుడు విద్యుత్ సౌకర్యం ఉండటం వల్ల కారం పొడి తయారు చేసి, దానిని ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఈ విధంగా గ్రామాల్లో చిన్న పరిశ్రమలు నిరంతరం విస్తరిస్తున్నాయి. పెరుగుతున్న డిజిటల్ అనుసంధానం వల్ల గ్రామస్తులు ప్రపంచం మొత్తంతో అనుసంధానమవుతూ, ఆధునికతను అలవర్చుకుంటున్నారు. నగరాలకు, గ్రామాలకు మధ్య ఉన్న వ్యత్యాసం క్రమంగా కనుమరుగవుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థ వేగాన్ని మరింత పెంచింది. వీటన్నింటి వల్ల దేశ యువతకు ఒక ఉజ్వలమైన భవిష్యత్తుకు హామినిచ్చే సానుకూల ప్రభావం ఏర్పడుతుంది. ఉద్యోగాలు లభిస్తున్నాయి. అంతకుమించి దేశం ఒక సరికొత్త ఆత్మగౌరవంతో ముందుకు సాగుతోంది. కోట్లాది మంది ప్రజలు కొత్త అవకాశాలను పొందుతున్నారు.

 

మిత్రులారా, 

నేడు దేశ యువతకు ముందుకు సాగడానికి, తమ కలలను నిజం చేసుకోవడానికి మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. నేను ఎవరినీ నిందించడం లేదు. కానీ నేటి వాస్తవికత ఏమిటంటే.. ప్రతిదీ అత్యంత వేగంగా, భారీ స్థాయిలో, అపారమైన వైవిధ్యంతో జరుగుతోంది. తయారీ రంగం, సాంకేతికత, అంకుర సంస్థలు, డిజిటల్ సేవలు, రైల్వేలు, రక్షణ, అంతరిక్ష రంగాల వ్యాప్తంగా లెక్కలేనన్ని అవకాశాలు మన కోసం వేచి ఉన్నాయి. గరిష్ట సంఖ్యలో యువత ఈ అవకాశాల ద్వారా లబ్ధి పొందేలా చేయడం, దేశ యువతకు తమ ప్రతిభను చాటుకునే ప్రతి అవకాశాన్ని కల్పించడమే మా ప్రయత్నం. అందుకే నైపుణ్యాభివృద్ధి , పరిశ్రమలతో ముడిపడిన విద్య, భవిష్యత్తు సాంకేతికతలపై నిరంతరం ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ఐటీఐలను ఆధునీకరిస్తున్నాం. జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థలను బలోపేతం చేస్తున్నం. పీఎం సేతు వంటి కార్యక్రమాలు ఈ దిశగా పనిచేస్తున్నాయి.

 

మిత్రులారా,

ఇటీవలి కాలంలో దేశంలో స్వయం ఉపాధి, వ్యవస్థాపకతకు సంబంధించి ఓ కొత్త సంస్కృతి అభివృద్ధి చెందింది. భారత్‌ నేడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ వ్యవస్థగా నిలిచింది.  దేశంలో 2,30,000 కంటే ఎక్కువ గుర్తింపు పొందిన అంకుర సంస్థలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కదాని వెనుక యువతీ యువకుల బృందాలు ఉన్నాయి. ఈ మార్పు కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాకపోడం నాకు అత్యంత సంతృప్తిని ఇస్తోంది. నేడు టైర్-2, టైర్-3 నగరాల నుంచి యువత కూడా అంకుర సంస్థలు, ఆవిష్కరణల ప్రపంచంలో పెద్ద సంఖ్యలో సత్తా చాటుతున్నారు. వారి సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తోంది. ఈ మార్పు జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఈ మార్పులో మన మహిళా శక్తి పాత్ర కూడా నిరంతరం పెరుగుతోంది. నేడు మహిళల నేతృత్వంలో నడుస్తున్న అనేక అంకుర సంస్థలు మనల్ని గర్వపడేలా చేస్తున్నాయి. దేశంలో మహిళలు స్టార్టప్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారని నేను ప్రపంచవ్యాప్తంగా చెప్తుంటాను. ముద్ర యోజన కింద కోట్లాది మంది మహిళలు ఆర్థిక సహాయం పొందారు. పీఎం స్వనిధి వంటి పథకాలు కోట్లాది మంది మహిళలకు స్వయం సమృద్ధి సాధించే అవకాశాన్ని కల్పించాయి. నేడు గ్రామాలు, చిన్న పట్టణాల్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో మహిళలు తమకు తాముగా సొంతంగా సరికొత్త వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు.

 

మిత్రులారా, 

ఈ విధానాలు, నిర్ణయాల మధ్య మీరు ఇంకొక విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఏ వ్యవస్థకైనా అసలైన బలం అక్కడి ప్రజలలోనే ఉంటుంది. ప్రజల శక్తి దేశ శక్తిగా మారుతుంది. మీరు భాగం కాబోతున్న ఈ వ్యవస్థ కోట్లాది మంది పౌరుల జీవితాలతో, వారి ఆశలు, ఆకాంక్షలతో నేరుగా ముడిపడి ఉంది. ప్రభుత్వ ఉద్యోగం అనేది ప్రజల జీవితాలను సులభతరం చేసే ఒక సాధనం. మీరు ఏ శాఖలో పనిచేసినప్పటికీ మీ ప్రవర్తన, సున్నితత్వం,  పనిచేసే విధానం అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. దేశం మీపై నమ్మకం ఉంచింది. ఇప్పుడు మీ పని, ప్రవర్తన, మాట, నడవడిక ద్వారా ఆ నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. మిమ్మల్ని కలవడం పౌరుల్లో సరికొత్త నమ్మకాన్ని నింపాలి. కొత్త ఆశలతో ముందుకు సాగేలా వారిని ప్రోత్సహించాలి. ప్రతి యువ కర్మయోగి తమ పనిని ఒక గొప్ప బాధ్యతగా భావించాలి.

 

నా దృష్టిలో మీరు అంతకంటే ఎక్కువే. పూర్వ కాలంలో మనం వెయ్యి చేతులు ఉన్న ‘‘సహస్రబాహు’’ గురించి విన్నాం. నేడు మీరే ప్రభుత్వ బాహువులు, మీరే ప్రభుత్వానికి బలమైన శక్తి. ఇప్పటికే సేవలో ఉన్నవారు, కొత్తగా చేరుతున్నవారంతా ఈ వ్యవస్థలో భాగమే. దేశ ప్రజల ఆకాంక్షలు నిరంతరం పెరుగుతున్నాయి. దీనిని నేను అభివృద్ధికి ఒక సానుకూల సంకేతంగా చూస్తున్నాను. మనం మన ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి, వాటిని నెరవేర్చడానికి అదే వేగంతో పని చేయాలి. ఇందులో ప్రజాసేవలోకి అడుగుపెడుతున్న యువత పాత్ర ఎంతో కీలకమైనది. మీరు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. సరికొత్త సాంకేతికతలకూ, కొత్త వ్యవస్థలకూ, మారుతున్న అవసరాలకు అనుగుణంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. ఇందులో ఐగాట్ కర్మయోగి వేదిక మీకు ఎంతగానో సహాయపడుతుంది. కర్మయోగి వంటి మాడ్యూళ్లు మీ బాధ్యతలను సులభంగా అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. ఈ వనరులను మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను.

 

మిత్రులారా,

నేడు దేశ యువత ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఇదే స్ఫూర్తి, ఇదే శక్తి మీ ప్రజాసేవలోనూ ప్రతిబింబించాలి. తమ పనిని దేశ సేవగా, ప్రజల సేవగా భావించే యువత ప్రయత్నాల వల్లే అభివృద్ధి చెందిన భారత్‌ కల సాకారమవుతుంది. మన సంస్కృతిలో ప్రజా సేవే దైవ సేవ అనే మాట ఉంది. నేడు నియామక పత్రాలను అందుకుంటున్న యువ సహచరులు దేశ అభివృద్ధి ప్రయాణానికి సరికొత్త వేగాన్ని అందిస్తారని నేను పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను. మీ పని, నిర్ణయాల ద్వారా వికసిత్‌ భారత్‌ సంకల్పం నెరవేరుతుంది. ప్రజలే దైవం అనే మన మంత్రాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. పౌరుల సంక్షేమమే మన కర్తవ్యం. ఈ రోజు నియామక పత్రాలను అందుకుంటున్న యువకులందరికీ భవిష్యత్తు కోసం, దేశానికి సేవ చేసే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు.