પર્યાવરણની સુરક્ષા માટે, આવો, ખભે ખભા મિલાવીને કામ કરીએ

પ્રિય મિત્રો,

૫ જુનને પ્રતિવર્ષ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એની પાછળનો આશય પર્યાવરણ સમક્ષ ઉભા થયેલા પ્રશ્નો અંગે જાગૃતિ પેદા કરવાનો છે. ૧૯૭૨ માં આ જ દિવસે યુનાઈટેડ નેશન્સ દ્વારા હ્યુમન એનવાર્યર્મેન્ટ વિષય ઉપર એક પરિષદ(જે સ્ટોકહોમ કોન્ફરન્સ તરીકે પણ ઓળખાય છે)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક સિમાચિન્હરૂપ ક્ષણ હતી, જ્યારે પૃથ્વી પર પર્યાવરણની કથળતી જતી પરિસ્થિતીમાં સુધાર લાવવા વિશ્વભરનાં દેશોએ હાથ મિલાવ્યા હતા.

પ્રકૃતિ સાથે સંવાદિતા જાળવીને જીવવાનો વિચાર કદાચ પશ્ચિમી દેશો માટે નવો હશે, પણ પ્રકૃતિ પ્રત્યે આદરની આ વિભાવના આપણી ભવ્ય સંસ્કૃતિમાં તો પહેલેથી જ વણાયેલી છે. પૃથ્વી અને મનુષ્ય વચ્ચેનો સબંધ માં અને બાળક જેવો છે. ઋગ્વેદથી લઈને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ સુધી પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ જેવા પાંચ તત્વોનો ઉલ્લેખ જોવા મળે છે. આપણી આસપાસનાં વાતાવરણને બિલકુલ નુકસાન પહોચાડ્યા વિના, પર્યાવરણ સાથે સંપૂર્ણ સંવાદિતાથી જીવન જીવવાનું આપણને કાયમથી શીખવાડવામાં આવ્યુ છે.

પર્યાવરણની સુરક્ષાનો પ્રશ્ન એક રીતે આપણી નૈતિક જવાબદારી પણ છે કેમકે તે આપણી આવનારી પેઢીઓને પણ સ્પર્શે છે. આ બાબતે, મહાત્મા ગાંધી અને તેમનાં ટ્રસ્ટીશીપનાં સિધ્ધાંતનો મારી ઉપર ગહેરો પ્રભાવ રહ્યો છે. આ સિધ્ધાંતને પર્યાવરણનાં સંદર્ભમાં જોઈએ તો, વર્તમાન પેઢીએ પ્રાકૃતિક સંપદાનાં ટ્રસ્ટી તરીકે વર્તવું જોઈએ અને તેનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ કે જેથી આવનારી પેઢીઓને પણ તેના લાભ મળી રહે.

મિત્રો, પર્યાવરણને ઓછામાં ઓછુ નુકસાન થાય અને તે વધુને વધુ શુધ્ધ અને સ્વચ્છ બને એ દિશાનાં પ્રયત્નોમાં ગુજરાતે કોઈ કસર છોડી નથી. ગુજરાતે એશિયા પ્રથમ એવો ક્લાયમેટ ચેન્જ માટેનો એક અલાયદો વિભાગ ઉભો કર્યો છે. સમગ્ર વિશ્વમાં એવી ચાર જ સરકારો છે જેણે ક્લાયમેટ ચેન્જની સમસ્યાનાં નિવારણ માટે એક અલાયદો વિભાગ સ્થાપ્યો હોય, અને ગુજરાત સરકાર આ ચાર સરકારોમાંની એક છે. ભારતમાં સૌથી વધુ કાર્બન ક્રેડિટ મેળવતું રાજ્ય ગુજરાત છે. સાથે-સાથે આપણે વીજઉત્પાદન માટે ઉર્જાનાં બિનપરંપરાગત સ્ત્રોતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

એક વીજ-સરપ્લસ રાજ્ય હોવા છતાં ગુજરાતે સૌરઊર્જા ક્ષેત્રે વિરાટ કદમ માંડ્યા છે. સૌરઊર્જા અંગેની નીતિ ઘડવામાં ગુજરાત પહેલવહેલું હતું. થોડા મહિના પહેલા ગુજરાતે ચારણકા ખાતેનો એશિયાનો સૌથી મોટો ૬૦૦ મેગાવોટનો સોલાર પાર્ક રાષ્ટ્રને સમર્પિત કર્યો. આજે, દેશની કુલ સૌરઊર્જામાંથી ૨/૩ જેટલું ઉત્પાદન માત્ર ગુજરાત કરે છે.

બિનપરંપારગત સ્ત્રોતોનાં માધ્યમથી વીજઉત્પાદન કરવા ઉપરાંત રાજ્યએ પોતાનું ધ્યાન જળશક્તિ ઉપર પણ કેન્દ્રિત કર્યું છે. આજે, ગુજરાતમાં છ લાખથી વધુ જળસંચયનાં માળખા ઉભા કરવામાં આવ્યા છે, જેમાંથી ઘણાને જનભાગીદારી હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે. આપણું રાજ્ય પાણીની તંગી માટે જાણિતું હતું, છતાંય આજે આપણું કૃષિ ક્ષેત્ર ૧૧% નાં દરે વૃધ્ધિ પામી રહ્યું છે. ભુગર્ભ જળનાં સ્તર ત્રણ મીટરથી ૧૩ મીટર સુધી ઉંચે આવ્યા છે. તમને કહેતા મને ઘણો આનંદ થાય છે કે ગુજરાતે ટપક સિંચાઈને ખૂબ મોટા પ્રમાણમાં અપનાવી લીધી છે. છેલ્લા દશકમાં ચાર લાખ હેક્ટર જેટલા વિસ્તારને ટપક સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવ્યો છે. રાજ્યની ૨૧ નદીઓને પરસ્પર જોડવાનું કામ રાજ્ય સરકારે હાથ ધર્યું છે, જેના પરિણામે શહેરી અને ગ્રામ્ય વસ્તીને વિવિધ લાભ મળી રહ્યા છે. અમદાવાદનો સાબરમતી નદીનો પટ પહેલા ક્રિકેટનાં મેદાનની જેમ ઉપયોગમાં લેવાતો, ત્યાં સરકસનાં તંબુ તાણવામાં આવતા. પણ સંખ્યાબંધ ચેકડેમ અને સિંચાઈ પ્રોજેક્ટને પરિણામે હવે સાબરમતીમાં પાણીનો સતત પ્રવાહ વહી રહ્યો છે, માત્ર એટલું જ નહિ પણ નદીનું પાણી ચોખ્ખું પણ બન્યું છે.

ગુજરાત હવે દરિયાઈ મોજાની ઉર્જાનો ઉપયોગ કરવા અને ગેસ આધારિત અર્થતંત્રની દિશામાં પણ આગેકુચ કરી રહ્યું છે. ભારતનો એકમાત્ર અને એશિયાનો સૌથી મોટો ટાઈડલ એનર્જી પ્રોજેક્ટ ગુજરાતમાં છે. છેલ્લા છ વર્ષમાં ગુજરાતમાં પવનઊર્જાનાં ઉત્પાદનમાં દસ ગણો વધારો થયો છે. પર્યાવરણને થતા નુકસાનને નિયંત્રિત કરવા માટે ગ્રીન ગવર્નેન્સનું મોડેલ ચોક્કસપણે ઉદાહરણીય બની રહેશે.

મિત્રો, આપણી સામે બે જ વિકલ્પ છે. ક્યાંતો આપણે પર્યાવરણને થતું નુકસાન આ જ રીતે ચાલુ રાખીએ, ક્યાંતો આપણે ઉપચારાત્મક પગલા લઈએ અને આવનારી પેઢીઓની ખુશીઓને ખાત્રીબધ્ધ કરીએ. પસંદગી સ્પષ્ટ છે. ગુજરાતમાં મારા અનુભવનાં આધારે હું કહીશ કે પર્યાવરણની સુરક્ષા માટે માત્ર સરકારનાં પ્રયત્નો જ પૂરતાં નથી. જનભાગીદારી જેવું સામર્થ્ય અન્ય કોઈ તાકાતમાં નથી. દૈનિક જીવનમાં તમે લીધેલી નાનકડી કાળજી આપણા ગ્રહનું પર્યાવરણ સ્વચ્છ બનાવવામાં મોટી ભુમિકા ભજવશે. આજે, વિશ્વ પર્યાવરણ દિવસનાં અવસર પર, ચાલો આપણે સૌ આ વિશ્વને વધુ સ્વચ્છ અને હરિત બનાવવા શક્ય એટલા મહત્તમ પ્રયત્નો કરવાનો સંકલ્પ કરીએ. આ સાથે છેલ્લા દશકમાં ગુજરાતનાં લોકોએ ક્લાયમેટ ચેન્જનો પડકાર ઝીલવા કરેલા પ્રયત્નોનંછ વર્ણન કરતાં મારા પુસ્તક ‘કન્વીનીયન્ટ એક્શન’ની લીંક મુકી રહ્યો છું.

‘Convenient Action: Gujarat’s Response to Challenges of Climate Change’

 

Video of Gujarat’s initiatives on climate change.

 

આપનો,

નરેન્દ્ર મોદી

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's electronics production rises 6-fold, exports jump 8-fold since 2014: Ashwini Vaishnaw

Media Coverage

India's electronics production rises 6-fold, exports jump 8-fold since 2014: Ashwini Vaishnaw
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Your Money, Your Right
December 10, 2025

During my speech at the Hindustan Times Leadership Summit a few days ago, I shared some startling facts:

Indian banks are holding Rs. 78,000 crore of unclaimed money belonging to our own citizens.

Insurance companies have nearly Rs. 14,000 crore lying unclaimed.

Mutual fund companies have around Rs. 3,000 crore and dividends worth Rs. 9,000 crore are also unclaimed.

These facts have startled a lot of people.

Afterall, these assets represent the hard-earned savings and investments of countless families.

In order to correct this, the आपकी पूंजी, आपका अधिकार - Your Money, Your Right initiative was launched in October 2025.

The aim is to ensure every citizen can reclaim what is rightfully his or hers.

To make the process of tracing and claiming funds simple and transparent, dedicated portals have also been created. They are:

• Reserve Bank of India (RBI) – UDGAM Portal for unclaimed bank deposits & balances: https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login

• Insurance Regulatory and Development Authority of India (IRDAI) – Bima Bharosa Portal for unclaimed insurance policy proceeds: https://bimabharosa.irdai.gov.in/Home/UnclaimedAmount

• Securities and Exchange Board of India (SEBI) – MITRA Portal for unclaimed amounts in mutual funds: https://app.mfcentral.com/links/inactive-folios

• Ministry of Corporate Affairs, IEPFA Portal for Unpaid dividends & unclaimed shares: https://www.iepf.gov.in/content/iepf/global/master/Home/Home.html

I am happy to share that as of December 2025, facilitation camps have been organised in 477 districts across rural and urban India. The emphasis has been to cover remote areas.

Through the coordinated efforts of all stakeholders notably the Government, regulatory bodies, banks and other financial institutions, nearly Rs. 2,000 crore has already been returned to the rightful owners.

But we want to scale up this movement in the coming days. And, for that to happen, I request you for assistance on the following:

Check whether you or your family have unclaimed deposits, insurance proceeds, dividends or investments.

Visit the portals I have mentioned above.

Make use of facilitation camps in your district.

Act now to claim what is yours and convert a forgotten financial asset into a new opportunity. Your money is yours. Let us make sure that it finds its way back to you.

Together, let us build a transparent, financially empowered and inclusive India!