મારા પ્રિય વારાણસી વાસીઓ,

પ્રાચિન નગરી વારાણસી હજારો વર્ષોથી જ્ઞાન, શિક્ષણ અને સંસ્કૃતિનું પ્રતિક રહી છે. આ શિવની નગરી છે. શિવ કે જે વિભિન્ન સંસ્કૃતિઓ વચ્ચેના સમન્વય સેતુ છે. શિવ કે જેઓ સંસારને બુરાઇઓથી બચાવવા માટે સ્વયં ઝેર પીને નીકલંઠ તરીકે ઓળખાય છે. આજે સમગ્ર દેશની નજર વારાણસી ઉપર કેન્દ્રિત થઇ છે તો તેનું કારણ વારાણસીનું આ જ શિવ સ્વરૂપ છે કે જેઓ વિષ પી પણ શકે છે અને દેશને નિરાશાની ગર્તમાં ધકેલતા લોકોથી મુક્ત કરવા માટે ડમરૂ પણ વગાડી શકે છે.

Varanasi shall set in motion the wheels of change that will take India on the path of good governance.

એવું મનાય છે કે આ વારાણસીમાં ગંગા માતાનું સૌંદર્ય અને મહત્વ તેના ઉચ્ચતમ સ્તરને પ્રાપ્ત કરી લે છે અને ગંગાના દર્શન માત્ર જ મુક્તિનું માધ્યમ બની જાય છે. જોકે, આજે આ મોક્ષદાયિની ગંગા સ્વયં પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. હજારો કરોડ વ્યય કરવા છતાં પણ ગંગાની સ્થિતિમાં કોઇ બદલાવ આવ્યો નથી. ગંગા વારાણસીનું ગૌરવ છે અને અહીંના રહેવાસીઓની આન છે. ગંગાને તેનું ગૌરવ પાછું અપાવવા માટે વ્યાપક પ્રયાસની આવશ્યકતા છે.

વારાણસી ગંગા-જમુના સંસ્કૃતિનું પણ સૌથી મોટું કેન્દ્ર છે. હિંદુ ધર્મમાં તો આ સૌથી પવિત્ર શહેર તરીકે ઓળખાય છે અન તેની સાથે-સાથે જૈન અને બૌદ્ધ ધર્મમાં પણ તેનું ખુબજ મહત્વ છે. ગૌતમ બુદ્ધે પોતાનું પ્રથમ પ્રવચન સારનાથમાં આપ્યું હતું. ભારત રત્ન બિસમિલ્લા ખાનની શહેનાઇની ગુંજ પણ હિંદુ-મુસ્લિમ એકતાની ઓળખ અહીંથી જ આપતી રહી છે. આના પરિણામે આજે વારાણસી આધ્યાત્મિક જ્ઞાનનું દુનિયાનું સૌથી મોટું કેન્દ્ર છે.

નવી દિલ્હી દેશની રાજધાની છે. મુંબઇને નાણાકીય શહેર કહેવામાં આવે છે. આ યાદીમાં હું ઇચ્છું છું કે વારાણસી ભારતની બૌદ્ધિક રાજધાની બને. હું અને મારો પક્ષ આ દિશમાં ભરપૂર પ્રયાસો કરીશું. અમે કાશીને એવો શહેરના રૂપે વિકાસ કરીશું કે જે ભારતની સાંસ્કૃતિક અને બૌદ્ધિત ગતિવિધિઓનું કેન્દ્ર હોય અને જ્યાં જ્ઞાનનો નિરંતર પ્રવાહ હોય.

અહીં બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય, સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય અને મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ જેવા વિશ્વસ્તરીય શિક્ષા સંસ્થાન છે, જેમની સાચવણી અને સતત વિકાસની જરૂર છે. આ સંસ્થાન માત્ર બનારસની જ ઓળખ નથી, પરંતુ ભોજપુરી ક્ષેત્રો સહિત સમગ્ર પૂર્વાંચલમાં જ્ઞાનની જ્યોત ચાલુ રાખવા માટે પણ આવશ્યક છે.

બનારસ પર્યટનનું મોટું કેન્દ્ર છે અને સાથે જ પોતાના હસ્ત-શિલ્પ અને કારીગરી માટે વિશ્વ વિખ્યાત છે. આમ છતાં પણ અહીંના યુવાનોને રોજગારી મળતી નથી. એક સમય હતો કે જ્યારે સમગ્ર દેશમાં બનારસી પાન અને બનારસી સાડીનું વર્ચસ્વ હતું અને જેનાથી હજારો લોકોને રોજગાર મળતો હતો, પરંતુ આજે આ બંન્ને પોતાના અસ્તિત્વ માટે લડાઇ લડી રહ્યાં છે. આટલા વર્ષોમાં આપણે બનારસ માટે કોઇ નવી બ્રાન્ડ તૈયાર કરી શક્યા નથી અને જુની બ્રાન્ડની ચમક ગુમાવી રહ્યાં છીએ.

આપણે વારાણસીની સમૃદ્ધ વિરાસતનો પુનરોદ્ધાર કરીએ તેની આવશ્યકતા છે. અહીંના કુટિર ઉદ્યોગો અને હસ્ત-શિલ્પના વ્યવસાયને પુનર્જીવિત કરીએ. અહીં રોજગારનું સર્જન કરીએ. આમ કરીને આપણે હજારો લોકોને તેમના ઘર પાસે રોજગાર ઉપલ્બધ કરાવવાની સાથે-સાથે વારાણસી માટે તેનું જુનુ ગૌરવ પણ પાછું લાવી શકીશું.

જોકે, આ તમામ બાબતો સારી નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવ્યા વિના હાંસલ કરી શકાશે નહીં. આજે બનારસ માર્ગ, દબાણ, જામ અને વિજળી-પાણી જેવી સમસ્યાઓથી ત્રસ્ત છે. આ સમસ્યાઓનું મોટું કારણ કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉપેક્ષા છે. સરકારી વિભાગોમાં ઠેકેદારી તેમજ માફિયાઓની દખલ પણ એક કારણ છે. હું તમને ખાતરી આપું છું કે દિલ્હીથી લઇને બનારસ સુધી જનતાના ધનની લુંટ કરતા માફિયાઓના વર્ચસ્વને સંપૂર્ણ પણે નાબૂદ કરવામાં આવશે.

16મી લોકસભા માટે મતદાનની નિર્ણાયક ઘડીઓ આવી ગઇ છે. તમને યાદ હશે કે 20મી સદીના અંતિમ વર્ષોમાં દુનિયાભરના વિચારકો અને ચિંતકોએ જાહેરાત કરી હતી કે 21મી સદી ભારતની રહેશે. અને સદીના શરૂઆતના વર્ષોમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારમાં આ ભવિષ્યવાણી હકીકત બનતી જોવા મળી રહી હતી. દુનિયા ભારત તરફ અપેક્ષાની નજરેથી જૂએ છે. દેશના યુવાનોમાં ગજબનો ઉત્સાહ હતો અને દરેક પરિવારો પાસે પોતાના બાળકોની સફળતાની વાતો હતી. જોકે, યુપીએના દસ વર્ષના કુશાસનને કારણે દેશ આગળ વધવાની જગ્યાએ પાછળ ધકેલાઇ ગયો અને આગળ વધી રહેલા ભારતની વાર્તાને અડધે જ છોડી દીધી.

મિત્રો આજે સમય આવી ગયો છે કે આપણે આ સ્થિતિમાં બદલાવ લાવીએ. કહેવાય છે કે દેશની રાજનીતિનું પ્રતિબિંબ વારાણસીમાં જોવા મળે છે. તો આપણે અહીંથી જ શરૂઆત કરીએ.

વારાણસી જ એવી જગ્યા છે કે જ્યાં ગંગા ઉત્તર વાહિની છે. શક્તિશાળી ગંગાની ધારા પણ અહીં પહોંચીને પોતાની દિશા બદલી દે છે. આથી જ તમારા શહેરથી જ મોટા પરિવર્તનની શરૂઆત થશે. દેશ ફરીથી સુશાસનના માર્ગે આગળ વધશે અને વારાણસીમાંથી નીકળેલો આ સંદેશ સમગ્ર દેશમાં નવી ભાવના જન્માવશે.

આ વિશ્વાસ સાથે.

કાલ હર ! કષ્ટ હર ! દુખ હર ! દરિદ્ર હર ! હર હર મહાદેવ ! ॐ નમઃશિવાય. જય જય બાબા વિશ્વનાથ જી કી.

આપનો નરેન્દ્ર મોદી

 

To read the Blog in Hindi, click here

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors

Media Coverage

PLI schemes attract ₹2 lakh crore investment till September, lift output and jobs across sectors
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Your Money, Your Right
December 10, 2025

During my speech at the Hindustan Times Leadership Summit a few days ago, I shared some startling facts:

Indian banks are holding Rs. 78,000 crore of unclaimed money belonging to our own citizens.

Insurance companies have nearly Rs. 14,000 crore lying unclaimed.

Mutual fund companies have around Rs. 3,000 crore and dividends worth Rs. 9,000 crore are also unclaimed.

These facts have startled a lot of people.

Afterall, these assets represent the hard-earned savings and investments of countless families.

In order to correct this, the आपकी पूंजी, आपका अधिकार - Your Money, Your Right initiative was launched in October 2025.

The aim is to ensure every citizen can reclaim what is rightfully his or hers.

To make the process of tracing and claiming funds simple and transparent, dedicated portals have also been created. They are:

• Reserve Bank of India (RBI) – UDGAM Portal for unclaimed bank deposits & balances: https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login

• Insurance Regulatory and Development Authority of India (IRDAI) – Bima Bharosa Portal for unclaimed insurance policy proceeds: https://bimabharosa.irdai.gov.in/Home/UnclaimedAmount

• Securities and Exchange Board of India (SEBI) – MITRA Portal for unclaimed amounts in mutual funds: https://app.mfcentral.com/links/inactive-folios

• Ministry of Corporate Affairs, IEPFA Portal for Unpaid dividends & unclaimed shares: https://www.iepf.gov.in/content/iepf/global/master/Home/Home.html

I am happy to share that as of December 2025, facilitation camps have been organised in 477 districts across rural and urban India. The emphasis has been to cover remote areas.

Through the coordinated efforts of all stakeholders notably the Government, regulatory bodies, banks and other financial institutions, nearly Rs. 2,000 crore has already been returned to the rightful owners.

But we want to scale up this movement in the coming days. And, for that to happen, I request you for assistance on the following:

Check whether you or your family have unclaimed deposits, insurance proceeds, dividends or investments.

Visit the portals I have mentioned above.

Make use of facilitation camps in your district.

Act now to claim what is yours and convert a forgotten financial asset into a new opportunity. Your money is yours. Let us make sure that it finds its way back to you.

Together, let us build a transparent, financially empowered and inclusive India!