"At the Mahila Sashaktikaran Sammelan in Tapi, Shri Narendra Modi gave away the Mata Yashoda Awards and other prizes to the Anganwadi workers and women who have been winners of various sports competitions"
"Shri Modi spoke of the momentous contribution of the Aanganwadi workers and their equally inspiring success story which was a result of the Gujarat government’s relentless efforts to empower them"

 

ભૂતકાળની સરકારોએ વિકાસના નામે નાણાના ધૂમાડા કર્યાઃ અમે ગુજરાતમાં ખૂણે-ખૂણે વિકાસના વાવટા લહેરાવ્યા

મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિમાંથી કન્યાઓને સહાય

મેડીકલ/ઇજનેરી અભ્યા‍સ માટે આદિવાસી કન્યાઓને લેપટોપ

સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લા મથકોએ મહિલા સશકિતકરણ સંમેલનો સંપન્નઃ મુખ્ય મંત્રીશ્રીના પ્રવચનનું એકી સાથે ૩૩ જિલ્લા પ્રસારણ

બાજીપૂરા મહિલા સશકિતકરણ સંમેલન આદિવાસી નારીસમાજનો વિરાટ મહેરામણ છલકાયો

ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે પૂર્વ-દક્ષિણ ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં વિશાળ મહિલા સશકિતકરણ સંમેલનમાં  જણાવ્યુંક હતું કે ગુજરાતની નારીશકિત વિકાસમાં ભાગીદાર બની છે. પુરૂષ અને સ્ત્રી બંનેની વિકાસમાં સમાન ભાગીદારીનું વાતાવરણ ગુજરાતમાં બન્યું છે.

ગુજરાત હજુ અનેક નવી ઉંચાઇઓ સર કરવા પ્રતિબધ્ધ છે તેની રૂપરેખા આપતા બાજીપુરામાં આ વિરાટ મહિલાશકિતનું અભિવાદન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.

Mahilasamelan-vyara-140214-in5

વિકાસ કોને કહેવાય તે ગુજરાતે બતાવ્યું છે. વિકાસના નામે નાણાંના ધૂમાડા ભૂતકાળની સરકારોએ કરેલા આજે વિકાસના વાવટા ગુજરાતમાં ઠેરઠેર ફરકી રહયા છે એમ તેમણે જણાવ્યું હતું.

નવરચિત તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરામાં આજે આદિવાસી નારીશકિતનો વિરાટ સાક્ષાત્કાર કરાવતું મહિલા સશકિતકરણ સંમેલન યોજવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગુજરાત સરકાર તરફથી માતા યશોદા એવોર્ડ, મહિલા વિકાસ ક્ષેત્રે ઉત્તમ યોગદાન આપનારી બહેનોને એવોર્ડ, મહિલા ખેલાડીઓને પુરસ્કાર અને મુખ્યમંત્રી કન્યા્ કેળવણી નિધિમાંથી કન્યાઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. બાજીપુરામાં સૂમૂલ ડેરીની દાણ ફેકટરીનું ભૂમિપૂજન પણ તેમણે કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર સમાજની  સુખાકારી માટે કેટલી સંવેદનશીલ છે તેની ભૂમિકા આપતા, રાજ્યમાં આંગણવાડીને નંદઘર અને આંગણવાડી કાર્યકર્તા બહેનોની ઉપેક્ષિત સ્થિતિમાં ક્રાંતિકારી બદલાવ લાવીને તેનો દરજ્જો ગૌરવપૂર્ણ બનાવ્યો છે, તેમ તેમણે જણાવ્યું હતું. આંગણવાડીની બહેન નાના ભૂલકાંના સંસ્કા‍રી લાલનપાલન માટે જે વાત્સછલ્યથી કાળજી લઇ રહી છે તે ગુજરાતની આવતીકાલની સ્વસ્થ પેઢીના નિર્માણની સરકારની ચિન્તાત છે.

Mahilasamelan-vyara-140214-in1

આંગણવાડીમાં ચૂલાને બદલે ગેસ અને કૂકર આપીને વિકાસમાં નાણાંના ધૂમાડાને બદલે વિકાસના વાવટા ગુજરાતમાં ફરકી રહયા છે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.

ગુજરાતમાં નારીશકિતએ જાહેર પરીક્ષાઓમાં મેદાન માર્યું છે અને હવે તો રમત-ગમતના ક્ષેત્રે પણ કન્યા ખેલાડીઓએ ગુજરાતનું ગૌરવ કર્યું છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

કન્યા કેળવણીની યોજનાઓથી દિકરીઓ ભણે એટલું જ નહીં, દિકરીઓ ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કરે, ઉચ્ચ અભ્યાંસ, ખેલકૂદમાં દિકરી નામ રોશન કરે તે માટે આ સરકારે જે કામ કર્યું છે તે આવતીકાલના ગુજરાતના શિક્ષિત નારીસમાજનું ગૌરવ વધારશે. તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ગીરના જંગલોમાં એશિયાના વનરાજોના રક્ષણ માટે અને વનસૃષ્ટિના  માટે ગુજરાતની વીરાંગના દિકરીઓની ભરતી ફોરેસ્ટન સેકટરમાં કરી છે એમ જણાવતા વિવિધ ક્ષેત્રોમાં કન્યાઓને ગૌરવ-સન્માન આપ્યું હતું.

સૂમૂલ દાણ ફેકટરીના ભૂમિપૂજનનું મહત્વ સમજાવતાં શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું કે પશુ આરોગ્ય મેળાના અભિયાનથી ગ્રામીણ અર્થકારણમાં દૂધ ઉત્પાનદનમાં ગુણાત્મ એક વધારો થયો છે.

બદલાતા યુગમાં ગુજરાતની નારીને અવસર મળે તો ઘર સંસાર-પરિવારની જવાબદારી સાથે દેશ અને સમાજના વિકાસમાં નેતૃત્વ આપવા અગ્રેસર બનવાની ક્ષમતા ધરાવે છે એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું. શિક્ષણ અને આરોગ્યે ક્ષેત્ર તથા ખેતીવાડીમાં મહિલાશકિત રાષ્ટ્ર શકિત બને તેવો અભિગમ ગુજરાતે અપનાવ્યો છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

આ મહિલા સંમેલનમાં રાજ્યના મહેસુલ, માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રીમતી આનંદીબેન પટેલે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી દ્વારા ગુજરાતની મહિલાઓના સશકિતકરણ, શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે જે કામગીરી થઇ છે તેની નોંધ સમગ્ર દેશમાં લેવાયાનું જણાવી મુખ્યમંત્રીશ્રી દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કોઇ કચાશ રાખવામાં આવી નથી અને મહિલાઓમાં રહેલી આવડત, કૌશલ્યા અને કાર્યવૃત્તિને વિસ્તાારવા રાજ્યમાં સખીમંડળોના માધ્યમ થકી વિવિધ પ્રકારના કાર્યો કરી રહયાનું વધુમાં ઉમેર્યું હતું.

વન-પર્યાવરણ, મહિલા અને બાલ કલ્યાંણ અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી અને તાપી જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આદિવાસીઓની સૌથી વધુ ચિંતા કરી તેમના સર્વાંગી વિકાસની કરેલ કામગીરીની વિગતો આપી હતી.

Mahilasamelan-vyara-140214-in2

Mahilasamelan-vyara-140214-in3

Mahilasamelan-vyara-140214-in4

Mahila Sashaktikaran Sammelan in Tapi

Mahilasamelan-vyara-140214-in7

Mahilasamelan-vyara-140214-in8

Mahilasamelan-vyara-140214-in9

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Sacred relics of Buddha from National Museum reach Ladakh as Leh marks Buddha Purnima

Media Coverage

Sacred relics of Buddha from National Museum reach Ladakh as Leh marks Buddha Purnima
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જે સમજાવે છે કે ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા કેવી રીતે સફળતા તરફ દોરી જાય છે.
April 30, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કરીને ભાર મૂક્યો છે કે ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા વ્યક્તિને તેમના કાર્યોમાં સતત સક્રિય રહેવા માટે પ્રેરણા આપે છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું કે આ અતૂટ ઉત્સાહ વ્યક્તિ જે પણ પ્રયાસો પૂર્ણ કરવા માટે સંકલ્પ કરે છે તેમાં સફળતા તરફ દોરી જાય છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"દેશના મહેનતુ અને ઉર્જાવાન નાગરિકો રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે, જેમની સખત મહેનત વિકાસ માટે નવા માર્ગો બનાવે છે. તેમના પ્રયાસો દેશને સમૃદ્ધિ, આત્મનિર્ભરતા અને પ્રગતિના શિખર સુધી પહોંચવામાં મદદ કરે છે.

अनिर्वेदो हि सततं सर्वार्थेषु प्रवर्तकः।

करोति सफलं जन्तोः कर्म यच्च करोति सः॥"

ઉત્સાહ અને સકારાત્મક ઉર્જા વ્યક્તિને તેમના કાર્યોમાં સતત સક્રિય રહેવા માટે પ્રેરણા આપે છે. આ અતૂટ ઉત્સાહ વ્યક્તિ જે પણ પ્રયાસો પૂર્ણ કરવાનો સંકલ્પ કરે છે તેમાં સફળતા તરફ દોરી જાય છે.