"Addressing rallies at Davangere and Mangalore, Shri Narendra Modi spoke on the key aspects of ensuring a Congress-Mukt Bharat, getting rid of corruption, ensuring prosperity of farmers and focusing on the development of coastal regions."
"Shri Modi highlighted a comprehensive vision for the development of India, and affirmed that in addition to port development, what is required is port led development"
"Expressing disdain and shock at the Congress’ strength to mislead the people, Shri Modi spoke of how for the Congress democracy was only about power, and nothing else"
"Democracy has 4 enemies- dynasty, casteism, communalism and opportunism. Congress has all 4 in them: Shri Narendra Modi"
"Shri Modi highlighted the injustice done to the textile industry in Karnataka and how the sugarcane farmers and maize producers were being looted by not being given the due for their produce"
"Shri Modi said that the Congress and corruption were twin sisters, with each going where the other goes"

 

કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર જોડિયા બહેનો છે, બેય જોડે ને જોડે જ રહે છે :- શ્રી નરેન્દ્રભાઇ મોદી

મોંઘવારી - ભ્રષ્ટાચાર - કુશાસનના મામલે દેશની આંખમાં ધૂળ

ઝોંકનારી કોંગ્રેસ- લોકશાહીની ગરિમા પણ સંસદમાં લોકોની આંખમાં મરચું નાખી લજવે છે

જે પાર્ટીને પ્રજા સાથે જોડયેલા જ ન રહેવું હોય તેની સાથે પ્રજા પણ હવે નહીં જોડાય – મુખ્યમંત્રીશ્રી

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના કર્ણાટકમાં કોંગ્રેસ પર તાતા તીર

કોંગ્રેસને દેશવટો આપવાનો જનઆક્રોશ દેશભરમાં જાગી ઉઠયો છે કર્ણાટક કમળ ખિલવી ભાજપાને સત્તા સોંપશે જઃ-શ્રી નરેન્દ્રભાઇ મોદી

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે કર્ણાટકમાં દેવનીગીરી તથા મેંગ્લોરમાં વિરાટ જનરેલીને સંબોધતાં કોંગ્રેસ અને ભ્રષ્ટાચારને જોડિયા બહેનો ગણાવ્યા હતા.

Davangere-180214-in1

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કોંગ્રેસની તો ગળથૂથીમાં જ ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એટલે તે પાર્ટી કે તેના કોઇ નેતા ભ્રષ્ટાચારથી અળગા હોય તેવી કલ્પના જ થઇ શકે નહીં, આ બે જોડિયા બહેનો કોંગ્રેસ અને ભ્રષ્ટાચાર જ્યાં જાય ત્યાં સાથે ને સાથે જ જાય છે તેવો વેધક કટાક્ષ તેમણે કર્યો હતો.

ૃગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કોંગ્રેસના આ ભ્રષ્ટશાસનમાંથી દેશવાસીઓ હવે મૂકત થવાનું મન બનાવીને બેઠા છે અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસમૂકત ભારતનું નિર્માણ થવાનું જ છે. આઝાદી પછી એકહથ્થુ અને પરિવારવાદી શાસન ચલાવીને કોંગ્રેસે દેશમાં લોકશાહી જ ખતમ કરી નાખી છે તેવો પ્રહાર કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, લોકશાહીના જે ચાર દુશ્મનો છે. જાતિવાદ, કોમવાદ, તકવાદ અને પરિવારવાદ એ ચારેય દૂષણોથી કોંગ્રેસ ખદબદે છે. તેમના માટે દેશ નહીં સત્તા-ખૂરશી મહત્વની છે અને તેનો અહંકાર સાતમા આસમાને રાખે છે પરંતુ દેશની જનતાનો હવે જે જનઆક્રોશ જાગી ઉઠયો છે તે આવનારા દિવસોમાં કોંગ્રેસનો દેશ નિકાલ કરી દેવાનો છે.

ૃકોંગ્રેસ અધ્યક્ષા મેડમ સોનિયા અને રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓ કર્ણાટકને દક્ષિણના અન્ય વિસ્તારોમાં પ્રવાસે આવે છે પરંતુ આંધ્રપ્રદેશના લોકોને અત્યારે જ્યારે જરૂર છે ત્યારે ત્યાં જવાનું ટાળીને કોગ્રેસીઓ આંધ્રવાસીઓના ઘા ઉપર નિમક છિડકવાનું કામ સિમાન્ધ્રા મામલે કરી રહયા છે તેમ આક્રોશપૂર્વક જણાવતાં ભાજપા વડાપ્રધાન પદના ઉમેદવાર શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું કે, મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેઇમાની જેવા લોકોની આંખમાં ધૂળ નાંખવાના વરસોથી કારનામા કરનારી કોંગ્રેસ હવે તો લોકશાહીના શ્રેષ્ઠ મંદિર સમાન સંસદગૃહની આબરૂનું પણ લિલામ કરતી હોય તેમ લોકો આંખમાં હવે મરચું નાખીને પોતાના પાપ-પોતાના કલંક છૂપાવવાના હવાતિયા મારી રહી છે અને દોષનો ટોપલો ભાજપા અને સાથી પક્ષો માંથે નાખી રહી છે તેવો સ્પષ્ટ મત વ્યકત કરતાં સુશાસન અને સુરાજ્ય માટે ભાજપાના કમળને કર્ણાટકમાં ખિલવી કોંગ્રેસને જાકારો આપવાની અપિલ પણ કરી હતી.

ૃગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આજે દેશ દુર્દશાની ગર્તામાં ધકેલાઇ ગયો છે. ખેડૂતોને આત્મહત્યા કરવા વારો આવ્યો છે. મોંઘવારી એ માઝા મૂકી છે અને ખેડૂતોને ટેકાના ભાવ પણ મળતા નથી છતાં કોંગ્રેસીઓ એક હરફ પણ એ મૂદે ઉચ્ચારવા તૈયાર નથી આવી પ્રજા સાથે જોડાયેલી ન રહેનારી કે પ્રજાની સંવેદના-સમસ્યા ન સમજનારી પાર્ટી સાથે પ્રજા પણ હવે જોડાવાની નથી અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસનો દેશવટો નક્કી જ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

mangalore-180214-in5

mangalore-180214-in1

mangalore-180214-in7

mangalore-180214-in2

Shri Narendra Modi addressed the Bharatha Gellisi rallies at Davangere and Mangalore in Karnataka.

mangalore-180214-in3

Shri Narendra Modi addressed the Bharatha Gellisi rallies at Davangere and Mangalore in Karnataka.

mangalore-180214-in10

mangalore-180214-in9

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Strengthening India’s path to power leadership: How India is energising a new growth story - By Shri Manohar Lal, Union Minister of Power

Media Coverage

Strengthening India’s path to power leadership: How India is energising a new growth story - By Shri Manohar Lal, Union Minister of Power
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Madhya Pradesh meets Prime Minister
March 18, 2026

Governor of Madhya Pradesh, Shri Mangubhai Patel met Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

The Prime Minister’s Office posted on X;

“Governor of Madhya Pradesh, Shri Mangubhai Patel met Prime Minister @narendramodi.

@GovernorMP”