"રાષ્ટ્રપતિએ બંને ગૃહોને દૂરંદેશી સંબોધનમાં રાષ્ટ્રને દિશા આપી"
"વૈશ્વિક સ્તરે ભારત પ્રત્યે સકારાત્મકતા અને આશા છે"
"આજે સુધારાઓ મજબૂરીથી નહીં પરંતુ પ્રતીતિથી કરવામાં આવે છે."
યુપીએનાં શાસન હેઠળ ભારતને 'લોસ્ટ ડિકેડ' (ગુમાવેલો દાયકો) કહેવામાં આવતું હતું, જ્યારે આજે લોકો વર્તમાન દાયકાને 'ઇન્ડિયાઝ ડિકેડ' (ભારતના દાયકા) તરીકે ઓળખાવે છે
"ભારત લોકશાહીની જનની છે, મજબૂત લોકશાહી માટે રચનાત્મક આલોચના આવશ્યક છે અને ટીકા 'શુદ્ધિ યજ્ઞ' જેવી છે"
"રચનાત્મક ટીકાને બદલે, કેટલાક લોકો ફરજિયાત ટીકામાં વ્યસ્ત રહે છે”
"140 કરોડ ભારતીયોનાં આશીર્વાદ મારું 'સુરક્ષા કવચ' છે”
"અમારી સરકારે મધ્યમ વર્ગની આકાંક્ષાઓને પૂર્ણ કરી છે. અમે તેમની પ્રામાણિકતા માટે તેમનું સન્માન કર્યું છે."
"ભારતીય સમાજમાં નકારાત્મકતાનો સામનો કરવાની ક્ષમતા છે, પરંતુ તે આ નકારાત્મકતાને ક્યારેય સ્વીકારતો નથી"

માનનીય અધ્યક્ષજી,

સૌ પ્રથમ, હું રાષ્ટ્રપતિજીનાં સંબોધન માટે તેમનો આભાર માનું છું અને તે મારું સૌભાગ્ય રહ્યું છે કે મને અગાઉ પણ ઘણી વખત રાષ્ટ્રપતિનાં સંબોધન પર તેમનો આભાર માનવાની તક મળી છે. પરંતુ આ વખતે ધન્યવાદની સાથે-સાથે હું રાષ્ટ્રપતિ મહોદયાજીને અભિનંદન પણ આપવા માગું છું. પોતાનાં દૂરંદેશી ભાષણમાં રાષ્ટ્રપતિજીએ આપણને સૌને અને કરોડો દેશવાસીઓને માર્ગદર્શન આપ્યું છે. પ્રજાસત્તાકનાં વડાં તરીકે તેમની હાજરી ઐતિહાસિક પણ છે અને દેશની કરોડો બહેનો અને દીકરીઓ માટે મહાન પ્રેરણાની તક પણ છે.

આદરણીય રાષ્ટ્રપતિ મહોદયાએ આદિવાસી સમાજનું ગૌરવ તો વધાર્યું જ છે એટલું જ નહીં, આજે આઝાદીનાં આટલાં વર્ષો પછી આદિવાસી સમાજમાં જે ગૌરવની અનુભૂતિ થઈ રહી છે, તેમનો જે આત્મવિશ્વાસ વધ્યો છે અને આ માટે આ ગૃહ પણ અને દેશ પણ તેમનો આભારી રહેશે. રાષ્ટ્રપતિજીનાં ભાષણમાં ‘સંકલ્પથી સિદ્ધિ’ સુધીની યાત્રાની એક બહુ સરસ રીતે રૂપરેખા આપવામાં આવી છે, એક રીતે દેશને હિસાબ પણ આપવામાં આવ્યો, પ્રેરણા પણ આપવામાં આવી.

આદરણીય અધ્યક્ષજી, અહીં આ ચર્ચામાં તમામ માનનીય સભ્યોએ ભાગ લીધો, દરેકે પોત-પોતાના આંકડા આપ્યા, પોતપોતાની દલીલો કરી અને પોતાના રૂચિ, પ્રવૃત્તિઓ અનુસાર દરેકે પોતાની વાત મૂકી અને જ્યારે આપણે આ વાતોને ધ્યાનથી સાંભળીએ છીએ, જ્યારે આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે એ પણ ધ્યાનમાં આવે છે કે કોની કેટલી ક્ષમતા છે,  કોની કેટલી યોગ્યતા છે, કોની કેટલી સમજ છે અને કોનો શું ઈરાદો છે. આ તમામ બાબતો જાહેર થાય જ છે. અને દેશ તેનું સારી રીતે મૂલ્યાંકન પણ કરે છે. હું ચર્ચામાં સામેલ તમામ માનનીય સભ્યોનો હૃદયપૂર્વક આભાર માનું છું. પરંતુ હું જોઇ રહ્યો હતો, ગઈકાલે કેટલાક લોકોનાં ભાષણ પછી, આખી ઇકોસિસ્ટમ, સમર્થકો ઉછળી રહ્યા હતા અને કેટલાક લોકો તો ખુશ થઈને કહી રહ્યા હતા, યે હુઇ ન બાત. કદાચ રાત્રે સારી ઊંઘ પણ આવી હશે, કદાચ આજે ઊઠી પણ ન શક્યા હશે. અને આવા લોકો માટે કહેવામાં આવ્યું છે, ખૂબ જ સારી રીતે કહેવામાં આવ્યું છે-

યે કહ-કહકર હમ દિલ કો બહલા રહે હૈ,

યે કહ-કહકર કે હમ દિલ કો બહલા રહે હૈવો અબ ચલ ચુકે હૈ,

વો અબ ચલ ચુકે હૈ, વો અબ આ રહે હૈ.

માનનીય અધ્યક્ષજી,

જ્યારે રાષ્ટ્રપતિનું ભાષણ થઈ રહ્યું હતું ત્યારે કેટલાક લોકો તો નજર પણ ચોરી ગયા અને એક મોટા નેતા મહામહિમ રાષ્ટ્રપતિજીનું અપમાન પણ કરી ચૂક્યા છે. આદિવાસી સમાજ પ્રત્યે નફરત પણ દેખાઈ છે અને આપણા આદિવાસી સમાજ પ્રત્યે તેમનું વલણ કેવું છે. પરંતુ જ્યારે આ પ્રકારની વાતો ટીવી સામે કહેવામાં આવી તો અંદર જે નફરતની ભાવના પડી રહી હતી, જે સત્ય તે બહાર આવી જ ગયું. તે આનંદની વાત છે, ઠીક છે, પછીથી ચિઠ્ઠી લખીને બચવાની કોશીશ તો કરવામાં આવી છે.

માનનીય અધ્યક્ષજી,

જ્યારે હું રાષ્ટ્રપતિજીનાં ભાષણ પર ચર્ચા સાંભળી રહ્યો હતો, ત્યારે મને લાગ્યું કે ઘણી બાબતોનો મૌન રહીને પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે એક રીતે હું બધાનું ભાષણ સાંભળતો હતો, ત્યારે એવું લાગ્યું કે રાષ્ટ્રપતિનાં ભાષણ સામે કોઈને વાંધો નથી, કોઈએ તેની ટીકા કરી નથી. ભાષણની દરેક વાત, હવે જુઓ રાષ્ટ્રપતિજીએ શું કહ્યું છે, હું તેમના જ શબ્દો ટાંકું છું. રાષ્ટ્રપતિજીએ પોતાનાં ભાષણમાં કહ્યું હતું, "જે ભારત, એક સમયે તેની મોટાભાગની સમસ્યાઓનાં સમાધાન માટે અન્ય પર નિર્ભર હતું, તે આજે વિશ્વની સમસ્યાઓનાં સમાધાનનું માધ્યમ બની રહ્યું છે.” રાષ્ટ્રપતિજીએ એમ પણ કહ્યું હતું, "દેશની મોટી વસ્તીએ દાયકાઓથી જે પાયાની સુવિધાઓ માટે રાહ જોઈ તે તેમને આ વર્ષોમાં મળી છે. મોટાં મોટાં કૌભાંડો, સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચારની જે સમસ્યાઓથી દેશ છુટકારો મેળવવા માગતો હતો એ મુક્તિ હવે દેશને મળી રહી છે. નીતિ-લકવાની ચર્ચામાંથી બહાર આવીને, આજે દેશ અને દેશની ઓળખ ઝડપી વિકાસ માટે અને દૂરગામી દ્રષ્ટિકોણથી લેવાયેલા નિર્ણયો માટે થઈ રહી છે.” આ ફકરો જે હું વાંચી રહ્યો છું તે રાષ્ટ્રપતિજીનાં ભાષણના ફકરાને હું ટાંકી રહ્યો છું. અને મને આશંકા હતી કે આવી આવી વાતો પર ચોક્કસ જ વાંધો લેનારા અમુક લોકો તો નીકળશે જ, તેઓ વિરોધ કરશે કે રાષ્ટ્રપતિજી આવું કેવી રીતે બોલી શકે છે. પરંતુ હું ખુશ છું કે કોઈએ વિરોધ ન કર્યો, બધાએ સ્વીકાર કર્યો, બધાએ સ્વીકાર્યું. અને માનનીય અધ્યક્ષજી, હું 140 કરોડ દેશવાસીઓનો આભારી છું કે, સબકા પ્રયાસનાં પરિણામ સ્વરૂપે, આજે આખાં ગૃહમાં આ બધી બાબતોને સ્વીકૃતિ મળી છે. આનાથી મોટી ગર્વની વાત બીજી કઈ હોઈ શકે?

આદરણીય અધ્યક્ષજી. ગૃહમાં હસી-મજાક, ટીકા-ટિપ્પણી, વાદ-વિવાદ એ તો થયા કરે છે. પરંતુ એ ભૂલવું ન જોઈએ કે આજે એક રાષ્ટ્ર તરીકેની ગૌરવશાળી તક આપણી સામે ઉભી છે, જે ગર્વની ક્ષણો આપણે જીવી રહ્યા છીએ. રાષ્ટ્રપતિજીનાં સમગ્ર ભાષણમાં જે વાતો છે તે 140 કરોડ દેશવાસીઓની ઉજવણીનો પ્રસંગ છે, દેશે ઉજવણી કરી છે.

માનનીય અધ્યક્ષજી. 100 વર્ષમાં આવેલી એ ભયાનક બીમારી, મહામારી બીજી તરફ યુદ્ધની સ્થિતિ, વિભાજિત વિશ્વ, આ પરિસ્થિતિમાં પણ, આ સંકટનાં વાતાવરણમાં પણ દેશને જે રીતે સંભાળવામાં આવ્યો છે, જે રીતે દેશ સચવાયો છે તેનાથી સમગ્ર દેશ આત્મવિશ્વાસથી ભરાઇ રહ્યો છે, ગૌરવથી ભરાઇ રહ્યો છે.

આદરણીય અધ્યક્ષજી. પડકારો વિનાનું કોઈ જીવન નથી હોતું, પડકારો તો આવે છે. પરંતુ 140 કરોડ દેશવાસીઓનો જુસ્સો પડકારોથી પણ વધુ સામર્થ્યવાન છે. 140 કરોડ દેશવાસીઓનું સામર્થ્ય પડકારોથી પણ વધુ મજબૂત છે, મોટું છે, અને સામર્થ્યથી ભરેલું છે. આવી ભયંકર મહામારી, વિભાજિત વિશ્વ, યુદ્ધને કારણે થઈ રહેલો વિનાશ, અનેક દેશોમાં અસ્થિરતાનું વાતાવરણ છે. ઘણા દેશોમાં ભયંકર મોંઘવારી છે, બેરોજગારી, ખાદ્ય સંકટ અને આપણા અડોશ પડોશમાં પણ જે રીતે સ્થિતિ પ્રવર્તી રહી છે, આવી સ્થિતિમાં માનનીય અધ્યક્ષજી, કયો હિંદુસ્તાની એ વાત પર ગર્વ નહીં કરે કે આવા સમયે પણ દેશ વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે. આજે સમગ્ર વિશ્વમાં ભારત વિશે સકારાત્મક્તા છે, એક આશા છે, વિશ્વાસ છે. અને આદરણીય અધ્યક્ષજી, એ પણ એક ખુશીની વાત છે કે આજે ભારતને વિશ્વના સમૃદ્ધ દેશો એવા જી-20 સમૂહના અધ્યક્ષ બનવાનો અવસર પણ મળ્યો છે.

તે દેશ માટે ગૌરવની વાત છે. 140 કરોડ દેશવાસીઓ માટે આ ગર્વની વાત છે. પણ મને લાગે છે કે, પહેલાં તો મને એવું નહોતું લાગતું, પણ અત્યારે એવું લાગે છે કે કદાચ કેટલાક લોકોને એનાથી પણ દુ:ખ લાગી રહ્યું છે. 140 કરોડ દેશવાસીઓમાંથી કોઈને તકલીફ ન હોઇ શકે. તેઓ આત્મનિરીક્ષણ કરે કે એ કોણ લોકો છે જેમને આનું પણ દુ:ખ થઈ રહ્યું છે.

માનનીય અધ્યક્ષજી,

આજે, વિશ્વની દરેક વિશ્વસનીય સંસ્થા, વૈશ્વિક અસરોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા તમામ નિષ્ણાતો. જેઓ ભવિષ્યનું સારી રીતે અનુમાન પણ લગાવી શકે છે. તે બધાને આજે ભારત માટે ઘણી આશા છે, વિશ્વાસ છે અને ઘણો બધો ઉમંગ પણ છે. અને આખરે આ બધું શા માટે? એમ જ તો નથી. શા માટે આજે આખું વિશ્વ ભારત તરફ આ રીતે આટલી મોટી આશાની નજરે જોઈ રહ્યું છે? તેની પાછળ કારણ છે. આનો જવાબ છુપાયેલો છે ભારતમાં આવેલી સ્થિરતામાં, ભારતની વૈશ્વિક શાખમાં, ભારતનાં વધતાં જતાં સામર્થ્યમાં અને ભારતમાં બની રહેલી નવી સંભાવનાઓમાં છે.

માનનીય અધ્યક્ષજી,

આપણાં રોજિંદાં જીવનમાં જે વસ્તુઓ બની રહી છે. જો હું તેને જ શબ્દોમાં મૂકું અને દૃષ્ટાંતો સાથે કેટલીક ચીજો સમજાવવાનો પ્રયાસ કરું. હવે તમે જુઓ, ભારત બે ત્રણ દાયકા અસ્થિરતાના રહ્યા છે. આજે સ્થિરતા છે, રાજકીય સ્થિરતા છે, સ્થિર સરકાર પણ છે અને નિર્ણાયક સરકાર છે અને તેનો વિશ્વાસ સ્વાભાવિક હોય છે. એક નિર્ણાયક સરકાર, એક પૂર્ણ બહુમતથી ચાલનારી સરકાર રાષ્ટ્રનાં હિતમાં નિર્ણયો લેવાની તાકાત ધરાવે છે. અને આ એ સરકાર છે જે સુધારા મજબૂરીથી નહીં, ખાતરીથી કરી રહી છે (Reform out of compulsion નહીં, Reform out of conviction‌). અને અમે આ માર્ગ પરથી હટવાના નથી ચાલતા રહીશું. દેશને સમયની માગ મુજબ જે જોઈએ તે આપતા રહીશું.

માનનીય અધ્યક્ષજી,

હું વધુ એક ઉદાહરણ તરફ જવા માગું છું. આ કોરોના કાળમાં મેડ ઈન ઈન્ડિયા વેક્સીન તૈયાર કરવામાં આવી હતી. ભારતે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવ્યું અને એટલું જ નહીં, તેણે તેના કરોડો નાગરિકોને મફત રસી પણ આપી હતી. એટલું જ નહીં, અમે 150થી વધુ દેશોમાં આ સંકટના સમયે અમે જ્યાં જરૂર હતી, ત્યાં દવાઓ પહોંચાડી હતી, જ્યાં જરૂર હતી, ત્યાં રસી પહોંચાડવામાં આવી. અને આજે વિશ્વના અનેક દેશો એવા છે, જે આ મામલે વિશ્વ ફલક પર ભારતનો ગર્વભેર આભાર માને છે, ભારતનું ગૌરવ ગાન કરે છે. એ જ રીતે ત્રીજાં પાસાં પર પણ ધ્યાન આપો. આ જ સંકટના સમયમાં, ભારતનું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે ઝડપથી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે પોતાની તાકાત બતાવી છે. એક આધુનિકતા તરફ બદલાવ કર્યો છે. આખું વિશ્વ તેનો અભ્યાસ કરી રહ્યું છે. તાજેતરમાં જ જી-20 સમિટમાં હું બાલીમાં હતો. ચારે બાજુ ડિજિટલ ઈન્ડિયાના વખાણ થઈ રહ્યા હતા. અને દેશ કેવી રીતે કરી રહ્યો છે? તે અંગે ઘણી ઉત્સુકતા હતી. કોરોના કાળમાં દુનિયાના મોટા મોટા દેશો, સમૃદ્ધ દેશો પોતાના નાગરિકોને આર્થિક મદદ પહોંચાડવા માગતા હતા. તેઓ નોટો છાપતા હતા, વહેંચતા હતા, પરંતુ તેનું વિતરણ કરી શકતા ન હતા. આ દેશ છે જે દેશવાસીઓનાં ખાતામાં અડધી સેકન્ડમાં લાખો કરોડો રૂપિયા જમા કરાવી દે છે. હજારો કરોડ રૂપિયા ટ્રાન્સફર થઈ જાય છે. એક સમય હતો જ્યારે દેશ નાની-નાની ટેકનોલોજી માટે તરસતો હતો. આજે દેશમાં બહુ મોટો ફરક અનુભવાય છે. ટેકનોલોજીનાં ક્ષેત્રમાં દેશ ખૂબ જ તાકાત સાથે આગળ વધી રહ્યો છે. કોવિન- દુનિયાના લોકો તેમનાં રસીકરણનાં પ્રમાણપત્રો પણ આપી શકતા ન હતા, ભાઇ. આજે, આપણું રસીકરણનું પ્રમાણપત્ર આપણા મોબાઇલ ફોન્સ પર બીજી જ સેકન્ડે ઉપલબ્ધ છે. આ તાકાત આપણે બતાવી છે.

માનનીય અધ્યક્ષજી,

ભારતમાં નવી સંભાવનાઓ છે. દુનિયાને સશક્ત મૂલ્ય અને પુરવઠા શ્રૃંખલા એમાં આજે આખી દુનિયાએ આ કોરોના કાળે સપ્લાય ચેઇનના મુદ્દે દુનિયાને હચમચાવી દીધી છે. આજે ભારત તે ઊણપને પૂરી કરવાની તાકાત સાથે આગળ વધી રહ્યું છે. ઘણાને એ વાત સમજવામાં ઘણો સમય લાગશે, અધ્યક્ષજી. ભારત આજે આ જ દિશામાં એક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે અને ભારતની આ સમૃદ્ધિમાં વિશ્વ તેની સમૃદ્ધિ જોઈ રહ્યું છે.

માનનીય અધ્યક્ષજી,

નિરાશામાં ડૂબેલા કેટલાક લોકો દેશની આ પ્રગતિને સ્વીકારી જ શકતા નથી. તેમને ભારતના લોકોની સિદ્ધિઓ દેખાતી નથી. આ 140 કરોડ દેશવાસીઓના પુરુષાર્થમાં વિશ્વાસનું પરિણામ છે, જેનાં કારણે આજે દુનિયામાં ડંકો વાગવા લાગ્યો છે. તેમને ભારતના લોકોના પુરુષાર્થ પરિશ્રમથી મળેલી સિદ્ધિઓ તેમને દેખાતી નથી.

માનનીય અધ્યક્ષજી,

છેલ્લાં 9 વર્ષમાં ભારતમાં 90 હજાર સ્ટાર્ટઅપ્સ અને આજે સ્ટાર્ટઅપની દુનિયામાં આપણે વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચી ગયા છીએ. એક ખૂબ જ મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આજે દેશના ટાયર 2, ટાયર 3 શહેરોમાં પણ પહોંચી ગઈ છે. તે ભારતના દરેક ખૂણે પહોંચી છે. ભારતના યુવા સામર્થ્યની ઓળખ બનતી જાય છે.

માનનીય અધ્યક્ષજી,

આટલા ઓછા સમયમાં અને કોરોનાના કપરા કાળમાં 108 યુનિકોર્ન બન્યા છે. અને એક યુનિકોર્નનો અર્થ થાય છે, તેની કિમત 6-7 હજાર કરોડથી વધુ હોય છે. આ દેશના નવયુવાનોએ કરી બતાવ્યું છે.

માનનીય અધ્યક્ષજી,

આજે ભારત વિશ્વમાં મોબાઇલ ઉત્પાદનમાં વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બની ગયો છે. ઘરેલું હવાઈ મુસાફરો ઘરેલું હવાઈ ટ્રાફિક પર છે. આજે આપણે વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચી ગયા છીએ. ઊર્જા વપરાશને પ્રગતિનો એક માપદંડ માનવામાં આવે છે. આજે ભારત ઊર્જા વપરાશમાં વિશ્વમાં એક ઉપભોક્તા તરીકે ત્રીજા નંબરે પહોંચી ગયું છે. પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતાની દ્રષ્ટિએ આપણે વિશ્વમાં ચોથા નંબરે પહોંચી ગયા છીએ. રમતગમત ક્યારેક આપણી કોઇ નોંધ ન હતી, કોઇ પૂછતું ન હતું. આજે ખેલ જગતમાં ભારતીય ખેલાડીઓ દરેક સ્તરે પોતાનો રુઆબ બતાવી રહ્યા છે. તેઓ પોતાનું સામર્થ્ય બતાવી રહ્યા છે.

આજે ભારત શિક્ષણ સહિત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. પહેલી વાર આદરણીય અધ્યક્ષજી, ગર્વ થશે, પહેલી વાર ઉચ્ચ શિક્ષણમાં નોંધણી કરાવનારાની સંખ્યા ચાર કરોડને વટાવી ગઈ છે. એટલું જ નહીં દીકરીઓની ભાગીદારી પણ બરાબર થતી જાય છે. દેશમાં એન્જિનિયરિંગ હોય, મેડિકલ કૉલેજ હોય, પ્રોફેશનલ કૉલેજ હોય, તેની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. સ્પોર્ટ્સમાં ભારતનો પરચો ઑલિમ્પિક હોય, કોમનવેલ્થ ગેમ્સ હોય, દરેક જગ્યાએ આપણા દીકરાઓ, આપણી દીકરીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

માનનીય અધ્યક્ષજી,

હું કોઈપણ ભારતીયને આવી ઘણી વાતો ગણાવી શકું છું. રાષ્ટ્રપતિજીએ પોતાનાં ભાષણમાં ઘણી વાતો કહી છે. દેશમાં દરેક સ્તરે, દરેક ક્ષેત્રમાં, દરેક વિચારસરણીમાં, આશા જ આશા નજરે ચઢે છે. એક વિશ્વાસથી ભરેલો દેશ છે. સપના અને સંકલ્પ લઈને ચાલનારો દેશ છે. પરંતુ અહીં કેટલાક લોકો એવી નિરાશામાં ડૂબેલા છે, કાકા હાથરસીએ એક ખૂબ જ મજેદાર વાત કહી હતી. કાકા હાથરસીએ કહ્યું હતું-

આગા-પીછા દેહકર ક્યોં હોતે ગમગીન, જૈસી જિસકી ભાવના વૈસા દીખે સીન’.

માનનીય અધ્યક્ષજી,

આખરે આ નિરાશા પણ એમ જ નથી આવી, તેની પાછળ એક કારણ છે. એક તો જનતાનો આદેશ, વારંવારનો જનાદેશ, પરંતુ સાથે સાથે આ નિરાશા પાછળ જે અંતર્મનમાં પડેલી ચીજ છે, જે શાંતિથી ઊંઘવા દેતી નથી, તે શું છે, છેલ્લાં 10 વર્ષમાં, 2014 પહેલા 2004થી 2014, ભારતની અર્થવ્યવસ્થા પડી ભાંગી. નિરાશા ન હોય તો શું હોય? મોંઘવારી 10 વર્ષમાં બે આંકડામાં રહી, અને તેથી જો કંઈક સારું થાય, તો નિરાશા વધુ બહાર આવે છે અને જેમણે બેરોજગારી દૂર કરવાનું વચન આપ્યું હતું.

માનનીય અધ્યક્ષજી,

એકવાર જંગલમાં, બે યુવાનો શિકાર કરવા ગયા અને તેઓ ગાડીમાં તેમની બંદૂક-વંદૂક નીચે ઉતરીને ટહેલવા લાગ્યા. તેમણે વિચાર્યું કે હવે થોડું આગળ ચાલવું હોય તો જરા હાથ-પગ ઠીક કરી લઈએ. પરંતુ તેઓ ગયા હતા તો વાઘનો શિકાર કરવા અને તેમણે જોયું કે જો તેઓ આગળ જશે તો વાઘ મળશે. પરંતુ થયું એવું કે વાઘ ત્યાં જ દેખાયો, હમણાં જ નીચે ઉતર્યા હતા. પોતાની ગાડીમાં બંદૂક-વંદૂક ત્યાં જ પડી હતી. વાઘ દેખાયો, હવે શું કરવું? તેથી તેઓએ લાઇસન્સ બતાવ્યું કે મારી પાસે બંદૂકનું લાઇસન્સ છે. આમણે પણ બેકારી દૂર કરવાનાં નામે કાયદો બતાવ્યો કે કાયદો બનાવી દીધો છે ભાઇ. અરે જુઓ, કાયદો બનાવી દીધો છે. આ જ તેમની રીતો છે, હાથ ઊંચા કરી દીધા. 2004થી 2014, આઝાદીના ઈતિહાસમાં સૌથી વધુ કૌભાંડોનો દાયકો રહ્યો, સૌથી વધુ કૌભાંડોનો. એ જ 10 વર્ષ, યુપીએના એ 10 વર્ષ, કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, ભારતના દરેક ખૂણામાં, આતંકવાદી હુમલાનો સિલસિલો ચાલતો રહ્યો, 10 વર્ષ. દરેક નાગરિક અસુરક્ષિત હતો, ચારે બાજુ એ જ ચેતવણી રહેતી હતી કે કોઈ અજાણી વસ્તુને અડશો નહીં. અજાણી વસ્તુથી દૂર રહો, એ જ સમાચાર રહેતા હતા. 10 વર્ષમાં જમ્મુ-કાશ્મીરથી લઈને નોર્થ ઈસ્ટ સુધી હિંસા જ હિંસા દેશ એનો શિકાર બની ગયો હતો. તે 10 વર્ષોમાં, વૈશ્વિક મંચ પર ભારતનો અવાજ એટલો નબળો હતો કે દુનિયા સાંભળવા પણ તૈયાર નહોતી.

માનનીય અધ્યક્ષજી,

તેમની આ નિરાશાનું કારણ એ પણ છે કે આજે જ્યારે દેશની ક્ષમતાનો પરિચય થઈ રહ્યો છે, 140 કરોડ દેશવાસીઓનું સામર્થ્ય ખીલી રહ્યું છે, ખુલીને સામે આવી રહ્યું છે. પરંતુ દેશનું સામર્થ્ય તો પહેલાં પણ હતું. પરંતુ 2004થી લઈને 2014 સુધી તેમણે તે તક ગુમાવી દીધી. અને યુપીએની તો ઓળખ બની ગઈ દરેક તકને મુસીબતમાં ફેરવી દીધી. જ્યારે ટેકનોલોજીની માહિતીનો યુગ ઝડપથી વિકસી રહ્યો હતો, તેજીમાં આવી રહ્યો હતો, તે જ સમયે તેઓ 2જીમાં ફસાયેલા રહ્યા, તક મુસીબતમાં. જ્યારે સિવિલ ન્યુક્લિયર ડીલ થઈ, જ્યારે સિવિલ ન્યુક્લિયર ડીલ પર ચર્ચા થઈ ત્યારે તેઓ કેશ ફોર વૉટમાં ફસાયેલા રહ્યા. આ ખેલ ચાલ્યા.

માનનીય અધ્યક્ષજી,

વર્ષ 2010માં જ્યારે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું, ત્યારે ભારતને દુનિયા સમક્ષ, ભારતનાં યુવા સામર્થ્યને પ્રસ્તુત કરવાની આ એક બહુ મોટી તક હતી. પરંતુ ફરી તક મુસીબતમાં અને સીડબ્લ્યુજી કૌભાંડમાં આખો દેશ વિશ્વમાં બદનામ થઈ ગયો.

માનનીય અધ્યક્ષજી,

કોઈપણ દેશના વિકાસમાં ઊર્જાનું પોતાનું આગવું મહત્વ હોય છે. અને જ્યારે વિશ્વમાં ભારતની ઊર્જા શક્તિના ઉદયની દિશામાં ચર્ચાની જરૂર હતી, ત્યારે આ સદીના બીજા દાયકામાં, હિંદુસ્તાનની ચર્ચા બ્લેકઆઉટ તરીકે થઈ. સમગ્ર વિશ્વમાં બ્લેકઆઉટના એ દિવસો ચર્ચાનાં કેન્દ્રમાં આવ્યા. કોલસા કૌભાંડ ચર્ચામાં આવ્યું.

માનનીય અધ્યક્ષજી,

દેશ પર ઘણા બધા આતંકવાદી હુમલા થયા. 2008ના હુમલાને કોઈ ભૂલી શકે તેમ નથી. પરંતુ આતંકવાદ પર છાતી કાઢીને આંખમાં આંખ મેળવીને હુમલા કરવાની તાકાત ન હતી, તેના પડકારને પડકારવાની તાકાત નહોતી અને તેનાં કારણે આતંકવાદીઓનું મનોબળ ઊંચું થતું ગયું અને દસ વર્ષ સુધી સમગ્ર દેશમાં લોહી વહેતું રહ્યું, મારા દેશના નિર્દોષ લોકોનું, એ દિવસો રહ્યા હતા.

માનનીય અધ્યક્ષજી,

જ્યારે એલઓસી, એલએસી ભારતનાં સામર્થ્યની તાકાતનો અવસર રહેતો હતો, એ સમયે સંરક્ષણ સોદાને લઈને હૅલિકોપ્ટર કૌભાંડ અને તેમાં સત્તાને કન્ટ્રોલ કરનારા લોકોનાં નામ ચિહ્નિત થઈ ગયાં.

માનનીય અધ્યક્ષજી,

જ્યારે દેશ માટે જરૂરિયાત હતી અને નિરાશાનાં મૂળમાં આ બધી બાબતો પડેલી છે, ત્યારે બધું જ ઉભરીને આવી રહ્યું છે.

માનનીય અધ્યક્ષજી,

ભારત આ વાતને દરેક પળે યાદ રાખશે કે 2014 પહેલાનો જે દાયકો હતો, ધ લોસ્ટ ડિકેડ તરીકે ઓળખાશે અને એ વાતને નકારી શકીએ નહીં કે 2030નો જે દાયકો છે એ સમગ્ર વિશ્વ માટે ભારતનો દાયકો છે.

માનનીય અધ્યક્ષજી,

હું માનું છું કે લોકશાહીમાં ટીકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને હું હંમેશાં માનું છું કે ભારત, જે લોકશાહીની જનની છે, સદીઓથી આપણે ત્યાં લોકતંત્ર આપણી નસોમાં વ્યાપ્ત થયું છે. અને તેથી હું હંમેશાં માનું છું કે આલોચના એક રીતે લોકશાહીની મજબૂતી માટે, લોકશાહીનાં સંવર્ધન માટે, લોકશાહીની ભાવના માટે, ટીકા એ શુદ્ધિ યજ્ઞ છે. એ રીતે અમે ટીકાઓ જોનારા છીએ. પરંતુ દુર્ભાગ્યવશ હું ઘણા સમયથી રાહ જોઈ રહ્યો છું, કોઈ તો મહેનત કરીને આવશે, કોઈ તો વિશ્લેષણ કરે તો કોઈ ટીકા કરશે જેથી દેશને કંઈક ફાયદો થાય. પરંતુ 9 વર્ષ આલોચનાએ આરોપોમાં ગુમાવી દીધા એમણે. સિવાય આરોપ, ગાળાગાળી, કંઇ પણ બોલી દો, તે સિવાય બીજું કશું જ કર્યું નથી. ખોટા આરોપ અને હાલત તો એવી કે ચૂંટણી હારી જાવ- ઈવીએમ ખરાબ, આપી દો ગાળો, ચૂંટણી હારી જાઓ - ચૂંટણી પંચને ગાળો આપી દો, શું આ રીત છે? જો કૉર્ટમાં નિર્ણય તરફેણમાં ન આવે તો સુપ્રીમ કૉર્ટને ગાળો આપી દો, એની આલોચના કરી દો.

માનનીય અધ્યક્ષજી,

જો ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવી રહી છે, તો તપાસ એજન્સીઓને ગાળ આપી દો. જો સેના પોતાનું શૌર્ય બતાવે અને એ વૃતાંત દેશના જન-જનની અંદર એક નવો વિશ્વાસ પેદા કરે તો સેનાની આલોચન કરો, સેનાને ગાળ આપો, સેના પર આરોપ મૂકો.

ક્યારેક આર્થિક, દેશની પ્રગતિના સમાચાર આવે, આર્થિક પ્રગતિની ચર્ચા થાય, વિશ્વની તમામ સંસ્થાઓ ભારતનું આર્થિક ગૌરવગાન કરે તો અહીંથી નીકળી જાવ, આરબીઆઈને ગાળ આપો, ભારતની આર્થિક સંસ્થાઓને ગાળ આપો.

માનનીય અધ્યક્ષજી,

છેલ્લાં નવ વર્ષમાં આપણે જોયું છે કેટલાક લોકોની નાદારી જોઈ છે. એક રચનાત્મક ટીકાનું સ્થાન અનિવાર્ય વિવેચકોએ લઈ લીધું છે અને અનિવાર્ય વિવેચકો તેમાં જ ડૂબેલા છે, ખોવાયેલા છે.

માનનીય અધ્યક્ષજી,

ભ્રષ્ટાચારની તપાસ કરતી એજન્સીઓ વિશે ગૃહમાં ઘણું બધું કહેવામાં આવ્યું અને મેં જોયું કે ઘણા બધા વિપક્ષી લોકો આ મુદ્દે સૂરમાં સૂર પુરાવી રહ્યા હતા. મિલે મેરા-તેરા સૂર.

માનનીય અધ્યક્ષજી,

મને લાગતું હતું કે દેશની જનતા દેશનાં ચૂંટણીનાં પરિણામો ચોક્કસપણે આવા લોકોને એક મંચ પર લાવશે. પરંતુ એવું તો થયું નહીં, પરંતુ આ લોકોએ ઇડીનો આભાર માનવો જોઇએ કે ઇડીનાં કારણે આ લોકો એક મંચ પર આવ્યા છે. ઇડીએ આ લોકોને એક મંચ પર લાવી દીધા છે અને તેથી જે કામ દેશના મતદારો કરી શક્યા નથી.

માનનીય અધ્યક્ષજી,

આ વાત હું ઘણી વખત સાંભળી રહ્યો છું, અહીં કેટલાક લોકોને હાર્વર્ડના અભ્યાસનો ખૂબ જ ક્રેઝ છે. કોરોના કાળમાં આવું જ કહેવાયું હતું અને કૉંગ્રેસે કહ્યું હતું કે ભારતની બરબાદી પર હાર્વર્ડમાં કેસ સ્ટડી થશે, એવું કહ્યું હતું અને ગઈકાલે ફરી ગૃહમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસની વાત કાલે ફરી થઈ, પરંતુ માનનીય અધ્યક્ષજી, વીતેલાં વર્ષોમાં હાર્વર્ડમાં એક બહુ સરસ સ્ટડી થઈ છે, એક ખૂબ જ મહત્વપૂર્ણ અભ્યાસ કરવામાં આવ્યો છે. અને તે અભ્યાસ છે, તેનો વિષય શું હતો, હું ચોક્કસપણે ગૃહને કહેવા માગું છું અને આ સ્ટડી થઈ ચૂકી છે. અભ્યાસ છે ભારતની કૉંગ્રેસ પાર્ટીનો ઉદય અને પતન, આ સ્ટડી થઇ ચૂકી છે અને મને વિશ્વાસ છે, અધ્યક્ષશ્રી, મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં, કૉંગ્રેસને બરબાદી પર માત્ર હાર્વર્ડમાં જ નહીં, પરંતુ મોટી મોટી યુનિવર્સિટીઓમાં અધ્યયન થવાનું જ થવાનું છે અને ડૂબાડનારા લોકો પર પણ થવાનું છે.

માનનીય અધ્યક્ષજી,

દુષ્યંત કુમારે આ પ્રકારના લોકો માટે ખૂબ જ સારી વાત કહી છે અને દુષ્યંત કુમારે જે કહ્યું છે તે ખૂબ જ સારી રીતે બંધ બેસતું છે તેમણે કહ્યું છે:-

તુમ્હારે પાંવ કે નીચે, કોઇ જમીન નહીં,

કમાલ યે હૈ કિ ફિર ભી તુમ્હેં યકીન નહીં’.

માનનીય અધ્યક્ષજી,

આ લોકો મોં માથા વગરની વાતો કરવા ટેવાયેલા છે એટલે પોતે કેટલો વિરોધાભાસ કરે છે તે પણ તેમને યાદ રહેતું નથી. ક્યારેક એક વાત, ક્યારેક બીજી વાત, ક્યારેક એક તરફ તો ક્યારેક બીજી બાજુ બની શકે તેઓ આત્મચિંતન કરીને પોતાની અંદરનો જે વિરોધાભાસ છે એને પણ સુધારી લેશે. હવે 2014થી તેઓ સતત કોસે છે દર વખતે કોસે છે, ભારત નબળું પડી રહ્યું છે, કોઈ ભારતની વાત સાંભળવા તૈયાર નથી, ભારતનું દુનિયામાં અસ્તિત્વ જ નથી રહ્યું, કોણ જાણે શું-શું કહ્યું અને હવે શું કહી રહ્યા છે. હવે તેઓ કહી રહ્યા છે કે ભારત એટલું મજબૂત થઈ ગયું છે કે તે અન્ય દેશોને ધમકાવી રહ્યું છે અને નિર્ણયો લેવડાવી રહ્યું છે. અરે પહેલા એ તો નક્કી કરો ભાઇ કે ભારત નબળું પડ્યું છે કે મજબૂત થયું છે.

માનનીય અધ્યક્ષજી,

કોઈ પણ જીવંત સંગઠન હોય, જો જીવંત વ્યવસ્થા હોય છે, જે જમીન સાથે જોડાયેલી વ્યવસ્થા હોય છે તે જનતા-જનાર્દનમાં શું ચાલી રહ્યું છે લોકોની અંદર તે વિશે ચિંતન કરે છે, તેમાંથી કંઈક શીખવાનો પ્રયાસ કરે છે અને સમય જતાં પોતાનો માર્ગ પણ બદલતું રહે છે. પરંતુ જે લોકો અહંકારમાં ડૂબેલા હોય છે, જે બસ બધું જ્ઞાન જાણે અમને જ છે, બધું જ અમારું જ સાચું છે, જે લોકો આવી વિચારસરણીમાં જીવે છે, તેમને લાગે છે કે મોદીને ગાળો દેવાથી જ અમારો રસ્તો નીકળશે. મોદી પર ખોટો એલફેલ કીચડ ફેંકીને જ રસ્તો નીકળશે. હવે 22 વર્ષ વીતી ગયા છે, તેઓ ગેરસમજ પાળીને બેઠા છે.

માનનીય અધ્યક્ષજી,

મોદી પરનો ભરોસો અખબારોની હેડલાઇન્સમાંથી જન્મ્યો નથી. મોદી પરનો આ ભરોસો ટીવી પર ચમકતા ચહેરાથી નથી આવ્યો. જીવન ખપાવી દીધું છે પળે પળ ખપાવી દીધી છે. દેશના લોકો માટે ખપાવી દીધી છે, દેશનાં ઉજ્જવળ ભવિષ્ય માટે ખપાવી દીધી છે. 

માનનીય અધ્યક્ષજી,

દેશવાસીઓનો મોદી પર જે ભરોસો છે તે તેમની સમજની બહાર છે અને તે સમજના ક્ષેત્રથી પણ ઘણો ઉપર છે. શું આ ખોટા આરોપ લગાવનારાઓ પર મફત રાશન મેળનવારા મારા દેશના 80 કરોડ દેશવાસીઓ, શું ક્યારેય તેમના પર ભરોસો કરશે કે.

માનનીય અધ્યક્ષજી,

વન નેશન વન રાશન કાર્ડ દેશભરમાં ક્યાંય પણ ગરીબમાં ગરીબ વ્યક્તિને હવે રાશન મળી જાય છે. તે તમારી જૂઠી વાતો પર, તમારા ખોટા ગલીચ આરોપો પર કેવી રીતે ભરોસો કરશે?

માનનીય અધ્યક્ષજી,

જે ખેડૂતનાં ખાતામાં વર્ષમાં ત્રણ વખત પીએમ કિસાન સન્માન નિધિના 11 કરોડ ખેડૂતોનાં ખાતામાં પૈસા જમા થાય છે, તે તમારી ગાળો, તમારા ખોટા આરોપો પર વિશ્વાસ કેવી રીતે કરશે.

માનનીય અધ્યક્ષજી,

જે કાલે ફૂટપાથ પર રહેવા માટે મજબૂર હતા, જેઓ ઝૂંપડપટ્ટીમાં જીવન ગુજારતા હતા, એવા 3 કરોડથી વધુ લોકોને પાકાં મકાનો મળી ગયાં છે, તેમને તમારી આ ગાળો છે, આ તમારી ખોટી વાતો કેમ તેઓ ભરોસો કરશે અધ્યક્ષજી.

માનનીય અધ્યક્ષજી,

9 કરોડ લોકોને મફત ગેસનાં કનેક્શન મળ્યાં છે, તેઓ તમારાં જુઠ્ઠાણાંને કેવી રીતે સ્વીકારશે? 11 કરોડ બહેનોને ઇજ્જત ઘર મળ્યાં છે, શૌચાલય મળ્યાં છે, તેઓ તમારાં જુઠ્ઠાણાંને કેવી રીતે સ્વીકારશે.

માનનીય અધ્યક્ષજી,

આઝાદીનાં 75 વર્ષ વીતી ગયાં 8 કરોડ પરિવારોને આજે નળથી જળ મળ્યું છે, તે માતાઓ તમારાં જુઠને કેમ સ્વીકાર કરશે, તમારી ભૂલોને, ગાળોને કેવી રીતે સ્વીકાર કરશે? આયુષ્માન ભારત યોજનાથી 2 કરોડ પરિવારોને મદદ પહોંચી છે, જિંદગી બચી ગઈ છે, તેમની મુશ્કેલીના સમયે મોદી કામમાં આવ્યા છે, તે તમારી ગાળોને કેવી રીતે સ્વીકારશે, કેમ સ્વીકાર કરશે.

માનનીય અધ્યક્ષજી,

તમારી ગાળો, તમારા આરોપોએ આ કરોડો કરોડો ભારતીયોમાંથી પસાર થવું પડશે, જેમને દાયકાઓ સુધી મુશ્કેલીઓમાં જિંદગી જીવવા માટે તમે મજબૂર કર્યા હતા.

માનનીય અધ્યક્ષજી,

કેટલાક લોકો પોતાના માટે, પોતાના પરિવાર માટે ઘણું બધું બરબાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાના માટે, પોતાના પરિવાર માટે જીવી રહ્યા છે, મોદી તો 25 કરોડ દેશવાસીઓના પરિવારના સભ્ય છે.

માનનીય અધ્યક્ષજી,

140 કરોડ દેશવાસીઓનાં આશીર્વાદથી આ મારું સૌથી મોટું સુરક્ષા કવચ છે. અને ગાળોનાં શસ્ત્રથી, જૂઠના શસ્ત્ર-અસ્ત્રોથી આ સુરક્ષા કવચને તમે કદી ભેદી શકો નહીં. તે વિશ્વાસનું સુરક્ષા કવચ છે અને આ શસ્ત્રોથી તમે ક્યારેય ભેદી શકતા નથી.

માનનીય અધ્યક્ષજી,

અમારી સરકાર કેટલીક બાબતો માટે પ્રતિબદ્ધ છે. સમાજના વંચિત વર્ગને પ્રાથમિકતા તે સંકલ્પ સાથે અમે જીવી રહ્યા છીએ, અમે તે સંકલ્પ સાથે ચાલી રહ્યા છીએ. દાયકાઓ સુધી દલિતો, પછાતો, આદિવાસીઓને જે હાલતમાં એમને છોડી દેવાયા હતા. બંધારણના ઘડવૈયાઓએ વિચાર્યું હતું એ સુધારો આવ્યો ન હતો. જે બંધારણના ઘડવૈયાઓએ નિર્દિષ્ટ કર્યું હતું. 2014થી ગરીબ કલ્યાણ યોજનાઓનો સૌથી વધુ લાભ મારા આ જ પરિવારોને મળ્યો છે. દલિતો, પછાતો અને આદિવાસીઓની વસાહતોમાં પ્રથમ વખત, માનનીય અધ્યક્ષજી, પહેલી વાર વીજળી પહોંચી છે. માઇલો સુધી પાણી માટે જવું પડતું હતું. પહેલી વાર નળ દ્વારા જળ પહોંચી રહ્યું છે. આ પરિવારો સુધી પહોંચી રહ્યું છે માનનીય અધ્યક્ષજી. અનેક પરિવારો, કરોડો પરિવારો આજે પ્રથમ વખત પાકાં મકાનોમાં રહેવા જવા માટે સક્ષમ બન્યા છે. તેઓ ત્યાં રહી શક્યા છે.

માનનીય અધ્યક્ષજી,

જે વસાહતો તમે છોડી દીધી હતી. આપને માટે ચૂંટણી સમયે જ જેની યાદ આવતી હતી. આજે રસ્તા હોય, વીજળી હોય, પાણી હોય, એટલું જ નહીં, 4જી કનેક્ટિવિટી પણ ત્યાં પહોંચી રહી છે.

માનનીય અધ્યક્ષજી,

આખો દેશ ગર્વ કરી રહ્યો છે. આજે એક આદિવાસી રાષ્ટ્રપતિ તરીકે જ્યારે જુએ છે. સમગ્ર દેશ ગૌરવગાન કરી રહ્યો છે. આજે દેશમાં અડધોઅડધ જ્ઞાતિ સમૂહનાં નર-નારી જેમણે માતૃભૂમિ માટે પોતાનાં જીવન તર્પણ કરી દીધાં. સ્વતંત્રતા સંગ્રામનું નેતૃત્વ કર્યું જેમનું પૂણ્ય સ્મરણ  આજે થઈ રહ્યું છે અને આપણા આદિવાસીઓનો ગૌરવ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. અને અમને ગર્વ છે કે આવી મહાન આદિવાસી પરંપરાના પ્રતિનિધિ તરીકે એક મહિલા દેશનું નેતૃત્વ કરી રહી છે, રાષ્ટ્રપતિ તરીકે કામ કરી રહી છે. અમે તેમને તેમનો હક આપ્યો છે.

માનનીય અધ્યક્ષજી,

આપણે પ્રથમ વખત જોઈ રહ્યા છીએ. એક વાત એ પણ સાચી છે. આપણા બધાનો સમાન અનુભવ છે, માત્ર મારો જ છે એવું નથી, તમારો પણ છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે માતા સશક્ત થાય છે, ત્યારે આખો પરિવાર સશક્ત બને છે. જો પરિવાર સશકત થાય છે, તો સમાજ સશક્ત થાય છે અને ત્યારે જ દેશ સશક્ત બને છે. અને મને સંતોષ છે કે માતાઓ, બહેનો, દીકરીઓની સૌથી વધુ સેવા કરવાનું સૌભાગ્ય અમારી સરકારને મળ્યું છે. અમે દરેક નાની સમસ્યાને દૂર કરવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યો છે. અમે ખૂબ સંવેદનશીલતા સાથે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

માનનીય અધ્યક્ષજી,

કેટલીકવાર મજાક ઉડાવવામાં આવી રહી છે. આ કેવા પ્રધાનમંત્રી છે? લાલ કિલ્લા પરથી શૌચાલય વિશે વાત કરે છે. બહુ મજાક ઉડાવાઇ. આદરણીય અધ્યક્ષજી, આ શૌચાલય, આ ઈજ્જત ઘર, આ મારી માતાઓ અને બહેનોની ક્ષમતા, તેમની સુવિધા, તેમની સુરક્ષાનું સન્માન કરનારી વાત છે. એટલું જ નહીં, માનનીય અધ્યક્ષજી, જ્યારે હું સેનેટરી પેડ્સની વાત કરું છું, ત્યારે લોકોને લાગે છે, અરે પ્રધાનમંત્રી આવા વિષયોમાં કેમ જાય છે.

માનનીય અધ્યક્ષજી,

સેનેટરી પેડના અભાવે ગરીબ બહેન-દીકરીઓ શું શું અપમાન સહેતી હતી, બીમારીઓનો શિકાર બની જતી હતી. માતાઓ અને બહેનોને દિવસના ઘણા કલાકો ધૂમાડામાં ગુજારવા પડતા હતા. તેમનું જીવન ધૂમાડામાં ફસાયેલું રહેતું હતું, એમને મુક્તિ અપાવવાનું કામ એ ગરીબ માતાઓ-બહેનો માટે આ સૌભાગ્ય અમને મળ્યું છે. જિંદગી ખપી જતી હતી. અડધો સમય પાણી માટે, અડધો સમય કેરોસીનની લાઈનની અંદર જ પસાર થતો હતો. આજે માતા-બહેનોને તેમાંથી મુક્તિ અપાવવાનો સંતોષ અમને મળ્યો છે.

માનનીય અધ્યક્ષજી,

જે પહેલા ચાલતું હતું, જો એવું જ અમે ચાલવા દીધું હોત તો કદાચ કોઈ અમને સવાલ પણ ન પૂછતે કે મોદીજી આ કેમ ન કર્યું, તે કેમ ન કર્યું કારણ કે તમે દેશને એવી સ્થિતિમાં લાવી  દીધો હતો કે તેમાંથી બહાર નીકળી જ ન શકે. દેશ આવી નિરાશામાં ગરકાવ કરી દેવાયો હતો. અમે ઉજ્જવલા યોજનાથી ધૂમાડાથી છુટકારો અપાવ્યો, જળ-જીવનથી પાણી આપ્યું, બહેનોનાં સશક્તીકરણ માટે કામ કર્યું. 9 કરોડ બહેનોને સેલ્ફ હેલ્પ ગ્રૂપ સ્વસહાય જૂથો સાથે જોડવી. ખાણકામથી લઈને સંરક્ષણ સુધી, આજે માતાઓ અને બહેનોને, દીકરીઓ માટે તકો ખોલી દેવાઇ છે. આ તકો ખોલવાનું કામ અમારી સરકારે કર્યું છે.

માનનીય અધ્યક્ષજી,

આ વાતને આપણે યાદ કરીએ, વોટ બૅન્કની રાજનીતિએ દેશનાં સામર્થ્યને ક્યારેક ક્યારેક બહુ ઊંડો ધક્કો પહોંચાડ્યો છે. અને તેનું જ પરિણામ છે કે દેશમાં જે થવું જોઈતું હતું, જે સમયે થવું જોઈતું હતું, તેમાં ઘણો વિલંબ થઈ ગયો. તમે જુઓ, મધ્યમ વર્ગ, લાંબા સમય સુધી મધ્યમ વર્ગને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યો. તેની તરફ જોવામાં સુદ્ધાં ન આવ્યું. એક રીતે તેઓ માનીને ચાલ્યા કે અમારું કોઈ નથી, આપણે જે કંઈ કરી શકીએ તે જાતે જ પોતાની તાકાઅત પર કરતા જઈએ. તે બિચારો પોતાની બધી જ શક્તિ વાપરી નાખતો હતો. પરંતુ અમારી સરકારે, એનડીએ સરકારે મધ્યમ વર્ગની પ્રામાણિકતાને ઓળખી છે. અમે તેમને સુરક્ષા પૂરી પાડી છે અને આજે અમારો મહેનતુ મધ્યમ વર્ગ દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યો છે. સરકારની વિવિધ યોજનાઓથી મધ્યમ વર્ગને કેટલો લાભ થયો છે માનનીય અધ્યક્ષજી, હું ઉદાહરણ આપું છું 2014 પહેલા જીબી ડેટા કારણ કે આજે યુગ બદલાઈ ગયો છે. ઓનલાઇન દુનિયા ચાલી રહી છે. દરેકના હાથમાં મોબાઈલ હોય છે. કેટલાક લોકોના ખિસ્સા ફાટી ગયા હોય તો પણ મોબાઇલ તો હોય જ છે. આદરણીય અધ્યક્ષજી, 2014 પહેલા જીબી ડેટાની કિંમત 250 રૂપિયા હતી. આજે માત્ર 10 રૂપિયા છે. આદરણીય અધ્યક્ષજી, એવરેજ આપણા દેશનો એક નાગરિક સરેરાશ 20 જીબીનો ઉપયોગ કરે છે. જો હું એ હિસાબે ગણતરી કરું તો, સરેરાશ એક વ્યક્તિના 5 હજાર રૂપિયા બચે છે આદરણીય અધ્યક્ષજી.

આદરણીય અધ્યક્ષજી,

જન ઔષધિ સ્ટોર્સ આજે સમગ્ર દેશમાં આકર્ષણનું કારણ બન્યા છે, કારણ કે મધ્યમ વર્ગીય પરિવાર એને જો પરિવારમાં સિનિયર સિટીઝન હોય, ડાયાબિટીસ જેવી બીમારી છે તો તેમને હજાર, બે હજાર, અઢી હજાર, ત્રણ હજાર રૂપિયાની દવાઓ દર વખતે મહિને લેવી પડે છે. જન ઔષધિ કેન્દ્રમાં જે દવા બજારમાં 100 રૂપિયામાં મળે છે, તે જન ઔષધિમાં 10 રૂપિયા, 20 રૂપિયામાં મળે છે. આજે 20 હજાર કરોડ રૂપિયા મધ્યમ વર્ગના જન ઔષધિને કારણે બચ્યા છે.

આદરણીય અધ્યક્ષજી,

દરેક મધ્યમવર્ગીય પરિવારનું એક સપનું હોય છે કે પોતાનું એક ઘર બને અને શહેરી વિસ્તારોમાં હોમ લોન માટે મોટી વ્યવસ્થા કરવાનું કામ અમે કર્યું અને રેરાનો કાયદો ઘડવાને કારણે જે તત્વો એક સમયે મધ્યમ વર્ગની મહેનતની કમાણીને વર્ષોથી ડૂબાડી રાખતા હતા, અમે તેમાંથી છુટકારો અપાવીને તેને નવો વિશ્વાસ આપવાનું કામ અમે કર્યું છે અને તેનાં કારણે જ તેનું પોતાનું ઘર બનાવવાની તેની સરળતા વધી ગઈ છે.

આદરણીય અધ્યક્ષજી,

દરેક મધ્યમ વર્ગીય પરિવારના મનમાં તેમનાં બાળકોનાં ભવિષ્ય માટે તેમનાં ઉચ્ચ શિક્ષણ માટે એક મનસૂબો રહે છે. તે ઈચ્છે છે આજે જેટલી માત્રામાં મેડિકલ કૉલેજો હોય, એન્જિનિયરિંગ કૉલેજો હોય, પ્રોફેશનલ કૉલેજોની સંખ્યા વધારવામાં આવી છે. બેઠકોમાં વધારો કરવામાં આવ્યો છે. તેનાથી મધ્યમ વર્ગની આકાંક્ષાને ખૂબ જ સારી રીતે સંબોધિત કરવામાં આવી છે. તેને  વિશ્વાસ થવા લાગ્યો છે કે તેનાં બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય નક્કી છે.

આદરણીય અધ્યક્ષજી,

દેશને આગળ વધારવો છે તો ભારતને આધુનિકતા તરફ લઈ જવા સિવાય કોઈ વિકલ્પ નથી. અને સમયની માગ એ છે કે હવે આપણે સમય બરબાદ કરી શકતા નથી અને તેથી અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ઘણું ધ્યાન આપ્યું છે અને એ પણ માનો, સ્વીકારશો કે ભારતની એક જમાનામાં ઓળખ હતી, ગુલામીના સમયગાળા પહેલા, આ દેશ આર્કિટેક્ચર માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે દુનિયામાં એની એક તાકાત હતી, ઓળખ હતી. ગુલામીના સમયગાળા દરમિયાન બધું જ નાશ પામ્યું હતું. આશા હતી કે દેશ આઝાદ થયા પછી ફરી એ દિવસો આવશે, પરંતુ તે પણ સમય વીતી ગયો. જે થવું જોઈતું હતું, જે ગતિએ થવું જોઈતું હતું, જે વ્યાપથી થવું જોઈતું હતું, તે આપણે કરી શક્યા નહીં. આજે તેમાં મોટો ફેરફાર આ દાયકામાં જોવા મળી રહ્યો છે. રસ્તાઓ હોય, દરિયાઈ માર્ગો હોય, વેપાર હોય, જળમાર્ગો હોય, દરેક ક્ષેત્રમાં આજે માળખાગત સુવિધાઓમાં કાયાકલ્પ દેખાઇ રહ્યો છે. હાઇવે પર રેકોર્ડ રોકાણ થઇ રહ્યું છે, માનનીય અધ્યક્ષજી. દુનિયાભરમાં આજે પહોળા રસ્તાઓની વ્યવસ્થા થતી હતી, ભારતમાં પહોળા રસ્તા, હાઇ વે, એક્સપ્રેસ વે, આજે દેશની નવી પેઢી જોઇ રહી છે. ભારતમાં વૈશ્વિક સ્તરના સારા હાઇવે, એક્સપ્રેસવે દેખાય, એ દિશામાં અમારું કામ છે. પહેલા રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અંગ્રેજો જે આપીને ગયા એના પર જ આપણે બેસી રહ્યા, એને જ આપણે સારું માની લીધું. ગાડી ચાલતી હતી.

આદરણીય અધ્યક્ષજી,

તે સમય હતો, જે પ્રકારે અંગ્રેજો છોડીને ગયા હતા એ જ ભાવમાં જીવતા રહ્યા અને રેલવેની ઓળખ શું બની ગઈ હતી? રેલવે એટલે ધક્કા-મુક્કી, રેલવે એટલે અકસ્માત, રેલવે એટલે લેટલતીફી, આ જ એટલે એક સ્થિતિ હતી લેટલતીફીમાં એક કહેવત બની ગઈ હતી, રેલવે એટલે લેટલતીફી. એક સમય હતો જ્યારે દર મહિને અકસ્માતો થવાની ઘટનાઓ વારંવાર આવતી હતી. એક સમય હતો અકસ્માત નસીબ બની ગયો હતો. પરંતુ હવે ટ્રેનોમાં, ટ્રેનોની અંદર, વંદે ભારતની માગ દરેક સાંસદ પત્ર લખે છે, અમારે ત્યાં વંદે ભારત શરૂ કરો. આજે રેલવે સ્ટેશનોની કાયાપલટ થઈ રહી છે. આજે એરપોર્ટ્સની કાયાપલટ થઈ રહી છે. સિત્તેર વર્ષમાં સિત્તેર એરપોર્ટ, નવ વર્ષમાં સિત્તેર એરપોર્ટ્સ. દેશમાં જળમાર્ગોનું નિર્માણ પણ થઈ રહ્યું છે. આજે જળમાર્ગો પર પરિવહન થઈ રહ્યું છે. આદરણીય અધ્યક્ષજી, દેશને આધુનિકતાની દિશામાં લઈ જવા માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકીને આપણે આગળ વધી રહ્યા છીએ.

આદરણીય અધ્યક્ષજી,

મારાં જીવનમાં જાહેર જીવનમાં, 4-5 દાયકા મને થયા છે અને હું હિંદુસ્તાનના ગામડાઓમાંથી પસાર થયેલો માણસ છું. 4-5 દાયકા સુધી, એમાંથી એક લાંબો સમયગાળો સંન્યાસી-પરિવ્રાજક તરીકે વીતાવ્યો છે. મને દરેક સ્તરના પરિવારો સાથે ઉઠવા-બેસવાની, વાત કરવાની તક મળી છે અને એટલા માટે જ ભારતના દરેક ભૂ ભાગ સમાજની દરેક ભાવનાથી પરિચિત છું. અને હું તેના આધાર પર કહી શકું છું અને ખૂબ જ વિશ્વાસ સાથે કહી શકું છું કે ભારતનો સામાન્ય માનવી હકારાત્મકતાથી ભરેલો છે. હકારાત્મકતા એ તેના સ્વભાવનો, તેના સંસ્કારનો એક ભાગ છે. ભારતીય સમાજ નકારાત્મકતાને સહન કરી લે છે, તેને સ્વીકારતો નથી, આ તેનો સ્વભાવ નથી. ભારતીય સમુદાયની પ્રકૃતિ ખુશમિજાજ છે, એક સ્વપ્નશીલ સમાજ છે, સત્કર્મોના માર્ગ પર ચાલનારો સમાજ છે. સર્જન કાર્ય સાથે સંકળાયેલો સમાજ છે. આજે હું કહેવા માગીશ કે જે લોકો સપનાઓ લઈને બેઠા છે કે ક્યારેક તેઓ અહીં બેસતા હતા ફરી ક્યારેક તક મળશે, એવા લોકો જરા 50 વાર વિચારે, પોતાની રીતભાતો પર પુનર્વિચાર કરે. લોકશાહીમાં તમારે પણ આત્મચિંતન કરવાની જરૂર છે. આધાર આજે ડિજિટલ લેવડદેવડનો સૌથી મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. તમે તેને પણ નિરાધાર કરી રાખ્યું હતું. હવે તેની પણ પાછળ પડી ગયા હતા. તેને રોકવા માટે કૉર્ટ-કચેરી સુદ્ધાં છોડી ન હતી. જીએસટીને કોણ જાણે શું શું કહી દેવામાં આવ્યું. ખબર નહીં, પરંતુ આજે જીએસટીએ ભારતની અર્થવ્યવસ્થાને અને સામાન્ય માનવીનાં જીવનને સરળ બનાવવામાં બહુ મોટી ભૂમિકા નિભાવી છે. તે જમાનામાં એચએએલને કેટલી ગાળો આપવામાં આવી હતી, કેવી રીતે અને મોટા મોટા ફોરમનો દુરુપયોગ કરવામાં આવ્યો. આજે તે એશિયાનું સૌથી મોટું હૅલિકોપ્ટર મેન્યુફેક્ચરિંગ હબ બની ગયું છે તે. જ્યાંથી તેજસ વિમાન સેંકડોની સંખ્યામાં બની રહ્યાં છે, એચએએલ પાસે આજે ભારતીય સેનાના હજારો, હજારો- કરોડો રૂપિયાના ઓર્ડર છે. ભારતની અંદર વાઇબ્રન્ટ ડિફેન્સ ઇન્ડસ્ટ્રી આગળ આવી રહી છે. આજે ભારત ડિફેન્સ એક્સપોર્ટ કરવા માંડ્યું છે. માનનીય અધ્યક્ષજી, ભારતના દરેક નવયુવાનને ગર્વ થાય છે, નિરાશામાં ડૂબેલા લોકો પાસેથી કોઈ અપેક્ષા નથી.

આદરણીય અધ્યક્ષજી,

તમે જાણો છો સમય સારી રીતે સાબિત કરી રહ્યો છે, જેઓ એક સમયે અહીં બેસતા હતા તેઓ ત્યાં ગયા પછી પણ નિષ્ફળ ગયા છે અને દેશ પાસ થઈ રહ્યો છે, ડિસ્ટિંકશન- શ્રેષ્ઠતા પર જઈને અને તેથી સમયની માગ એ છે કે આજે નિરાશામાં ડૂબેલા લોકો થોડું સ્વસ્થ મન રાખીને આત્મચિંતન કરે.

આદરણીય અધ્યક્ષજી,

જમ્મુ-કાશ્મીરની પણ અહીં ચર્ચા થઈ અને જેઓ  હમણાં જ જમ્મુ-કાશ્મીર ફરીને આવ્યા છે, તેમણે જોયું હશે કે તમે કેટલા આન-બાન-શાનથી જમ્મુ-કાશ્મીરમાં જઈ શકો છો, ઘૂમી શકો છો, ફરી શકો છો.

આદરણીય અધ્યક્ષજી,

પાછલી સદીના ઉત્તરાર્ધમાં હું પણ જમ્મુ-કાશ્મીરમાં યાત્રા લઈને ગયો હતો અને લાલ ચોક પર ત્રિરંગો ફરકાવવાનો સંકલ્પ લઈને નીકળ્યો હતો અને ત્યારે આતંકવાદીઓએ પોસ્ટર લગાવ્યા હતા, તે સમયે અને કહ્યું હતું કે, જોઈએ કે કોણે પોતાની માનું દૂધ પીધું છે જે લાલ ચોક પર આવીને ત્રિરંગો ફરકાવે છે? પોસ્ટરો લાગેલા હતા અને તે દિવસે 24 જાન્યુઆરી હતી, મેં જમ્મુની અંદર ભરસભામાં કહ્યું હતું, અધ્યક્ષજી.' હું અગાઉની શતાબ્દીની વાત કરું છું. અને ત્યારે મેં કહ્યું હતું, આતંકવાદીઓ કાન ખોલીને સાંભળી લે, 26 જાન્યુઆરીએ, બરાબર 11 વાગ્યે હું લાલ ચોક પહોંચીશ, સુરક્ષા વગર આવીશ, બુલેટપ્રૂફ જૅકેટ વિના આવીશ અને ફેંસલો લાલ ચોકમાં થશે, કોણે પોતાની માતાનું દૂધ પીધું છે. એ સમય હતો.

આદરણીય અધ્યક્ષજી,

અને જ્યારે મેં શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવ્યો, ત્યારબાદ મીડિયાકર્મીઓ મને પૂછવા લાગ્યા, મેં કહ્યું હતું કે સામાન્ય રીતે તો 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીએ, જ્યારે ભારતનો તિરંગો ફરકાવવામાં આવે છે, ત્યારે ભારતના આયુધ, ભારતના બારૂદ સલામી આપે છે અને અવાજ કરીને આપે છે. મેં કહ્યું, આજે જ્યારે હું લાલ ચોકની અંદર રાષ્ટ્રધ્વજ ફરકાવું, ત્યારે દુશ્મન દેશના તોપગોળા પણ સલામી આપી રહ્યા છે, ગોળીઓ ચલાવી રહ્યા હતા, બંદૂકો અને બોમ્બ ફોડી રહ્યા હતા.

આદરણીય અધ્યક્ષજી,

આજે જે શાંતિ આવી છે, આજે ચેનથી જઈ શકો છો. સેંકડોની સંખ્યામાં જઈ શકાય છે. આ માહોલ અને પર્યટનની દુનિયામાં ઘણા દાયકાઓ બાદ જમ્મુ-કાશ્મીરે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં આજે લોકતંત્રનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે.

આદરણીય અધ્યક્ષજી,

આજે જમ્મુ-કાશ્મીરમાં હર ઘર તિરંગાના સફળ કાર્યક્રમો થાય છે. મને ખુશી છે કે કેટલાક લોકો છે, જેઓ એક સમયે કહેતા હતા કે તિરંગાથી શાંતિ બગડવાનો ખતરો લાગતો હતો કેટલાક લોકોને. એવું કહેતા હતા કે તિરંગાથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ બગડવાનો ખતરો રહેતો હતો. સમય જુઓ, સમયની મજા જુઓ - હવે તેઓ પણ તિરંગા યાત્રામાં ભાગ લઈ રહ્યા છે.

અને આદરણીય અધ્યક્ષજી,

અખબારોમાં એક એવા સમાચાર આવ્યા હતા કે જેના પર કોઈનું ધ્યાન ગયું ન હશે. આદરણીય અધ્યક્ષજી, તે જ સમયે, જ્યારે આ લોકો ટીવી પર ચમકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેની સાથે અખબારોમાં એક સમાચાર આવ્યા હતા. પરંતુ તે જ સમયે, શ્રીનગરની અંદર થિયેટર હાઉસ દાયકાઓ પછી ફૂલ ચાલી રહ્યા હતા અને અલગાવવાદીઓ દૂર દૂર સુધી જોવા મળતા ન હતા. હવે તે વિદેશે જોયું છે.

આદરણીય અધ્યક્ષજી,

અત્યારે અમારા સાથીઓ, અમારા માનનીય સભ્યો, પૂર્વોત્તર વિશે કહી રહ્યા હતા. હું કહીશ કે એકવાર ઉત્તર-પૂર્વ જઈ આવો. તમારા જમાનાનું ઉત્તર-પૂર્વ અને આજના જમાનાનું ઉત્તર-પૂર્વ જોઈ આવો. અહીં આધુનિક પહોળા ધોરીમાર્ગો છે, રેલની આરામદાયક મુસાફરી છે. તમે આરામથી વિમાન દ્વારા જઈ શકો છો. પૂર્વોત્તરના ખૂણે-ખૂણામાં આજે હું ગર્વ સાથે કહું છું કે આપણે આઝાદીનાં 75 વર્ષ ઉજવી રહ્યા છીએ, ત્યારે હું ગર્વથી કહું છું કે 9 વર્ષમાં લગભગ 7500 જેઓ હથિયારના રસ્તે ચાલી નીકળ્યા હતા, એવા લોકોએ આત્મસમર્પણ કર્યું, અને અલગાવવાદી પ્રવૃત્તિઓને છોડીને મુખ્ય ધારામાં આવવાનું કામ કર્યું છે.

આદરણીય અધ્યક્ષજી,

આજે ત્રિપુરામાં લાખો પરિવારોને પાકું ઘર મળ્યું છે, એમના આનંદમાં મને સહભાગી થવાનો અવસર મળ્યો હતો. જ્યારે મેં ત્રિપુરામાં હીરા યોજનાની વાત કરી હતી, ત્યારે મેં કહ્યું હતું કે, હાઇવે-આઇવે-રેલવે અને એરવે હીરા, આ હીરાની આજે સફળતાપૂર્વક ત્રિપુરાની ધરતી પર મજબૂતી દેખાય રહી છે. ત્રિપુરા આજે ભારતની વિકાસ યાત્રામાં ઝડપથી ભાગીદાર બન્યું છે.

આદરણીય અધ્યક્ષજી,

હું જાણું છું કે સત્ય સાંભળવા માટે પણ બહુ સામર્થ્ય જોઇએ છે. આદરણીય અધ્યક્ષજી, ખોટા, ગંદા આરોપોને સાંભળવા માટે પણ ઘણી ધીરજની જરૂર પડે છે અને હું તે બધાને અભિનંદન આપું છું જેમણે ધૈર્ય સાથે ગંદામાં ગંદી વાતો સાંભળવાની શક્તિ બતાવી છે, તેઓ અભિનંદનના અધિકારી છે. પરંતુ સત્ય સાંભળવાનું સામર્થ્ય નથી રાખતા તેઓ કેટલી નિરાશામાં ડૂબી ચૂક્યા હશે દેશ આજે એ વાતની સાબિતી જોઈ રહ્યો છે.

માનનીય અધ્યક્ષજી,

રાજકીય મતભેદો હોઈ શકે છે, વિચારધારામાં મતભેદો હોઈ શકે છે, પરંતુ આ દેશ અમર છે. ચાલો આપણે નીકળી પડીએ - 2047, આપણે આઝાદીનાં 100 વર્ષ ઉજવીશું, આપણે એક વિકસિત ભારત બનાવીને જ રહીશું. ચાલો એક સ્વપ્ન સાથે આગળ વધીએ, એક સંકલ્પ સાથે આગળ વધીએ, પૂરી તાકાત સાથે ચાલીએ અને જે લોકો વારંવાર ગાંધીનાં નામે રોટલી શેકવા માગે છે - હું તેમને કહેવા માંગુ છું કે એકવાર ગાંધીને વાંચી લે. એકવાર મહાત્મા ગાંધીને વાંચે, મહાત્મા ગાંધીએ કહ્યું હતું - જો તમે તમારી ફરજો નિભાવો છો, તો પછી બીજાના અધિકારોનું રક્ષણ કરવું તેમાં જ રહેલું છે. આજે આપણે કર્તવ્ય અને અધિકાર વચ્ચે પણ લડાઈ જોઈ રહ્યા છીએ, આવી મૂર્ખતા કદાચ દેશે પહેલી વાર જોઈ હશે.

અને એટલે માનનીય અધ્યક્ષજી,

હું ફરી એકવાર આદરણીય રાષ્ટ્રપતિજીને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, રાષ્ટ્રપતિજીનો આભાર માનું છું અને દેશ આજે અહીંથી એક નવા ઉમંગ, નવા વિશ્વાસ, નવા સંકલ્પ સાથે આગળ ચાલી નીકળ્યો છે.

ખૂબ ખૂબ આભાર!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Boost to small exporters, MSMEs as govt removes Rs 10-lakh cap on courier trade

Media Coverage

Boost to small exporters, MSMEs as govt removes Rs 10-lakh cap on courier trade
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Corruption and appeasement politics of LDF and UDF harm Keralam’s culture and faith: PM Modi in Thiruvalla
April 04, 2026
If any group has benefited the most from NDA policies, it is women. Women empowerment is our priority, says PM Modi in Thiruvalla
The Sabarimala Railway Project will unlock new opportunities across the region, directly connecting Sabarimala with devotees: PM Modi
In Keralam, we will form the government, improve quality of life, and address the concerns of fishermen and local communities, says PM Modi
From April 16–18, Parliament will reconvene to deliberate on the Nari Shakti Vandan Act, aiming to ensure 33% women’s representation from 2029: PM

जय केरलम... जय केरलम...

जय विकसिता केरलम... जय विकसिता केरलम

केरलत्तिले एंडे प्रियप्पेट्टा….

सहोदरी सहोदरनमारे, एल्लावर्कम एंडे नमस्कारम।

सर्वप्रथम मैं भगवान श्रीवल्लभन के चरणों में प्रणाम करता हूं।

तिरुवल्ला की इस पवित्र धरती से मैं सबरीमला तीर्थ को, और स्वामी अय्यप्पा को भी प्रणाम करता हूं।

मैं सबसे पहले तो छोटी बिटिया को आशीर्वाद देता हूं जो बढ़िया चित्र बनाकर मुझे भेंट किया है। उधर भी एक नौजवान ने मेरी मां का चित्र मुझे दिया है। मैं इन सबका हृदय से आभार व्यक्त करता हूं। इस बेटी को आशीर्वाद देता हूं। मैं अपना भाषण शुरू करूं उससे पहले इस चुनाव में जो कैंडिडेट है उनसे आग्रह करता हूं कि कैंडिडेट सारे आगे आ जाएं। कैंडिडेट वहां खड़ें हो जाएं जरा। मैं एक दो मिनट जाकर के आता हूं आपके पास।

आज तिरुवल्ला में इतनी बड़ी संख्या में आप सबकी उपस्थिति...NDA पर आप लोगों का ये भरोसा... मेरी माताओं-बहनों का ये स्नेह और विश्वास...पूरे केरलम में आज ऐसा ही माहौल दिख रहा है। मुझे निकट से केरलम के चुनाव देखने का अवसर मिला है। मैं पहले भी आया हूं लेकिन इस बार हवा का रूख कुछ और है। लोगों का मिजाज कुछ और है। केरलम में अब सबसे बड़ा परिवर्तन होने जा रहा है। 9 अप्रैल को वोटिंग और 4 मई को दशकों के कुशासन का अंत की घोषणा....अब ये पक्का हो चुका है....LDF सरकार के जाने का काउंट डाउन शुरू हो चुका है...केरलम में पहली बार बीजेपी और NDA की सरकार आने वाली है।

इस चुनाव में केरलम का तो फायदा होने वाला है लेकिन मेरा एक निजी नुकसान होने वाला है। आपको लगता होगा ऐसी क्या बात है कि केरलम का फायदा होगा और मोदी का नुकसान होगा। जी मेरा व्यक्तिगत नुकसान होने वाला है। आपके मन में होता होगा क्या है बताऊं... बताऊं आपको। ऐसा है ये जो अनूप लड़ रहा है ना चुनाव आपके यहां.. ये पिछले पांच साल से मेरे साथ काम करता है। और देश भर में घूमकर के चीजें खोज कर के लाता है। यानि एक प्रकार से मेरा डेडिकेटेड साथी रहा है। एक प्रकार से ऐसे कामों के लिए वो मेरा बांया हाथ बन गया है। और कभी भी, शायद यहां भी कई लोगों को पता नहीं होगा कि अनूप मेरे साथ इतने सालों से है। कभी बोलता नही है और मैंने इसकी शक्तियों को जाना है। चूपचाप काम करना। अपने काम के लिए दिन रात जुटे रहना। मैंने ऐसा नौजवान मुझे मिला मेरा बहुत काम हो गया। लेकिन मैंने देखा कि जब केरलम को इस नौजवान की सेवाओं का फायदा होगा तो मैंने कहा मेरा भले ही नुकसान हो जाए लेकिन मैं आज अनूप को आपको सुपुर्द करने के लिए आया हूं।

एंडे सुहुर्तगले,

तिरुवल्ला केरलम में विकास के नए युग की शुरुआत का केंद्र बनकर उभरा है। मैं इस जनसमर्थन के लिए तिरुवल्ला की जनता का बहुत-बहुत धन्यवाद करता हूं। तिरुवल्ला के लोगों का विश्वास हमारी सबसे बड़ी ताकत है। तिरुवल्लयिले जनंगलुडे विश्वासमाण्, यंगलुडे एट्टवुं वलिय शक्ति।

एंडे सुहुर्तगले,

अभी दो-तीन दिन पहले जब मैं दिल्ली में था...मेरी केरलम के बीजेपी कार्यकर्ताओं से फोन पर लंबी चर्चा हुई। मेरा बूथ सबसे मजबूत कार्यक्रम में 5 हजार से ज्यादा शक्ति केंद्र, इतने छोटे केरलम में 5 हजार से ज्यादा शक्ति केंद्र में बीजेपी के एक लाख 25 हजार से ज्यादा कार्यकर्ता मेरे साथ फोन पर जुड़े थे। और तीस-चालीस मिनट इस चर्चा में मैंने देखा, साफ दिखा कि केरलम की जनता ने LDF सरकार की विदाई पक्की कर ली है। इस चुनाव में मेहनत कर रहे सभी बीजेपी-एनडीए कार्यकर्ताओं की मैं हृदय से सराहना करता हूं, उनका बहुत-बहुत अभिनंदन करता हूं।

एंडे सुहुर्तगले,

मैं केरलम की ताकत को देख रहा हूं। अभी मेरा हेलीकॉप्टर जहां लैंड हुआ, हेलीपैड से यहां तक मैं आया, जितने लोग यहां हैं ना इससे ज्यादा लोगो वहां रोड शो में खड़े थे। मेरे लिए बड़ा सरप्राइज था... रोड शो का कार्यक्रम नहीं था, लेकिन पूरे रास्ते भर मैं देख रहा था। लोग ह्यूमन चेन की बात करते हैं लेफ्ट के लोग, आज यहां के लोगों ने ह्यूमल वॉल बनाकर के दिखा दिया।

एंडे सुहुर्तगले,

हमारे केरलम को ईश्वर ने अपार संसाधन और संभावनाएं दी हैं।
यहाँ समंदर में ब्लू इकोनॉमी के असीम अवसर हैं। यहाँ उद्योगों के लिए संभावनाएं हैं। पर्यटन के क्षेत्र में कितना बड़ा potential है। लेकिन फिर भी, केरलम विकास की दौड़ में बाकी राज्यों से लगातार पिछर रहा है..पिछरते-पिछरते जा रहा है।

एंडे सुहुर्तगले,

LDF-UDF की सरकारों ने कभी इस क्षेत्र की परवाह नहीं की।
यहाँ कनेक्टिंग रोड्स का हाल बेहाल है। मुझे आपके ही साथी बता रहे थे कि यहां कई बरसों से एक भी बड़ा पुल नहीं बना है। कोट्टयम में मेडिकल कॉलेज की हालत इतनी खराब है कि उसका वर्णन करना मुश्किल है। जहां बेसिक इंफ्रास्ट्रक्चर की ऐसी कमी हो, वहां आपकी क्वालिटी ऑफ लाइफ कैसी होगी, इसका अंदाजा हर कोई लगा सकता है।

एंडे सुहुर्तगले,

केरलम में कभी BJP सरकार नहीं रही। लेकिन, आप सब के आशीर्वाद से, देश की जनता-जनार्दन के आशीर्वाद से हम केंद्र सरकार के जरिए केरलम के विकास में कोई कोर कसर नहीं छोड़ रहे। जब कांग्रेस दिल्ली में सत्ता में थी.. और एलडीएफ-यूडीएफ दोनों मिलकर के दिल्ली में सरकार चलाते थे, उस समय जो केरलम को मदद मिली.उसकी तुलना में NDA सरकार ने मोदी सरकार ने 5 गुना ज्यादा पैसा केरलम को भेजा है।

एंडे सुहुर्तगले,

बीजेपी-एनडीए को आपकी Ease of Living और क्वालिटी ऑफ लाइफ, दोनों की चिंता है। हमने पीएम आवास योजना के तहत गरीबों को पक्के घर दिये हैं। जल जीवन मिशन के तहत गांव-गांव पाइप से पानी पहुंचाने का काम हो रहा है। यहां रबर के किसान बड़ी संख्या में रहते हैं...केरलम के किसानों को हमने पीएम-किसान सम्मान निधि के जरिए Around thirteen thousand करोड़ रुपये की सहायता राशि सीधे उनके खातों में पहुंचाई है। इससे रबर के किसानों को भी मदद मिली है।

साथियों,

नॉर्थ-ईस्ट में ईसाई समाज की संख्या बहुत अधिक है। एक राज्य को छोड़कर के नॉर्थ-ईस्ट के सात राज्यों में एनडीए की सरकार है और वहां पिछले 50-60 साल में जो काम नही हुआ है वो हमने कर के दिखाया है। गोवा में ईसाई समाज निर्णायक है। गोवा के अंदर लगातार बिजेपी की एनडीए की सरकार है, गोवा विकास के नए ऊंचाइयों को छू रहा है।
केरलम में भी NDA सरकार बनेगी तो विकास की नई ऊंचाइयों को पाएंगे, स्थानीय किसानों और फिशरमेन की हर समस्या का हम समाधान करेंगे।

एंडे सुहुर्तगले,

केंद्र की NDA सरकार ही केरलम में आधुनिक इनफ्रास्ट्रक्चर और सुविधाओं पर ज़ोर दे रही है। हम यहाँ नेशनल हाइवेज बनाने को गति दे रहे हैं। रेलवे इनफ्रास्ट्रक्चर का विकास किया गया है। यहाँ रेलवे लाइनों की डबलिंग का काम भी पूरा हो गया है। कोट्यम से अब हाइस्पीड आधुनिक वंदेभारत ट्रेन भी चलाई जा रही है।

एंडे सुहुर्तगले,

यहां सबरीमला रेलवे प्रोजेक्ट इस क्षेत्र में नई संभावनाओं को खोल सकता है। इससे सबरीमला तक सीधी कनेक्टिविटी बनेगी। श्रद्धालुओं की यात्रा आसान होगी... स्थानीय व्यापार को नई गति मिलेगी...और मेरे नौजवान मित्रों को मेरे युवा साथियों के लिए रोजगार के नए-नए रास्ते खुलेंगे। लेकिन साथियों, आपको ये बात हमेशा याद रखनी है। यहां प्रदेश सरकार ने इस प्रोजेक्ट को आगे बढ़ाने की जगह उसको लटकाए रखा! तिरुवल्ला को इसका बहुत बड़ा नुकसान हो रहा है। जब बीजेपी की डबल इंजन सरकार आएगी, तो ऐसी सभी रुकावटें हटेंगी। और ये मोदी की गारंटी है। NDA की राज्य सरकार में केरलम तेज गति से विकास की राह पर आगे बढ़ेगा।
एनडीए सरकारिनु कीड़िल केरलम
कसनत्तिन्टे पातयिल अतिवेगम मुन्नेरुम।

एंडे सुहुर्तगले,

NDA की नीतियों का सबसे बड़ा लाभ अगर किसी वर्ग को होता है, तो वो मेरी माताएं-बहने महिलाओं को होता है। महिलाओं का सशक्तिकरण, महिलाओं का प्रतिनिधित्व....ये हमारी प्राथमिकता है। हमने महिलाओं के जीवन से जुड़ी हर समस्या के समाधान का प्रयास किया है। हमने घर घर शौचालय बनवाए, जनधन खाते खुलवाए, महिलाओं के नाम उनके घर महिलाओं के नाम पर बनवाए...मुद्रा लोन के जरिए अपना कारोबार शुरू करने वालों में भी बड़ी हिस्सेदारी महिलाओं की है। उनको बैंक से पैसा मिला है। हम वूमन सेल्फ हेल्प ग्रुप्स को भी लाखों करोड़ रुपए की मदद दे रहे हैं। लखपति दीदी का अभियान सफलतापूर्वक आगे बढ़ा रहे हैं। पहले मैंने तीन करोड़ लखपति दीदी बनाने का लक्ष्य रखा था। देश में तीन करोड़ लखपति दीदी बन चुकी अब मैंने और नाइनटीन करोड़ महिलाओं को लखपति दीदी बनाने का लक्ष्य रखा है। केरलम में बीजेपी सरकार आएगी, तो यहाँ भी डबल इंजन सरकार का सबसे बड़ा लाभ मेरी माताओं, बहनों को, बेटियों को, महिलाओं को मिलने वाला है। आपने देखा होगा, अभी हमने एक बड़ा कार्यक्रम शुरू किया है। भविष्य में माताओ-बहनों को कैंसर ना हो, इसलिए 13-14 साल की बच्चियों को उनकी जांच करके वैक्सीन लेने की योजना है। ये भविष्य में हमारी माताओ-बहनों को, ये बटियां जब बड़ी हो जाएंगी, वो कैंसर से बच पाएगी। इतना बड़ा काम आज देश की बेटियों के लिए, महिलाओं के लिए, माताओं के लिए एनडीए-भाजपा सरकार कर रही है।

एंडे सुहुर्तगले,

ये हमारी ही सरकार है जिसने लोकसभा और विधानसभा में महिलाओं को thirty three percent reservation दिया है। और आप सभी की जानकारी में है कि बजट सत्र का हमने पूर्णाहुति करने वी बजाए उसका विस्तार किया है। तीन दिन के लिए 16-17 और 18 अप्रैल को संसद फिर से मिलने वाली है। आपको पता है क्यों मिलने वाली है। जो कानून हमने पारित किया है। 33 पर्सेंट महिलाओं के लिए 2029 में लोकसबा के चुनाव से इसका लाभ मिलना शुरू हो जाए। 33 पर्सेंट बहनें पार्लियामेंट में आकर बैठे। इसके लिए कानून बनाने की जरूरत है। जैसे पार्लियामेंट ने सर्वसम्मति से महिला आरक्षण बिल पास किया था बैसे ही 16-17 -18 को दो काम करने हैं। केरल हो तमिलनाडु हो और बाकी राज्य हो, जिन्होंने जनसंख्या नियंत्रण में अच्छा काम किया है, लोग झूठ फैला रहे हैं कि जनसंख्या कम हो रही हैं तो सीटें कम हो जाएगी। हम इस बार पार्लियामेंट में पक्का करना चाहते हैं कि पार्लियामेंट में कानून में ठप्पा लगाना चाहते हैं कि केरल हो, तमलनाडु हो, कर्नाटक हो, आंध्र हो, गोवा हो, तेलंगाना हो कहीं पर भी लोकसभा की सीटें कम ना हो, इसका ठप्पा लगाने के लिए और दूसरा महिलाओं के लिए जो सीटें होंगी वो अतिरिक्त सीटें बढ़ जाएं इतना बड़ा फायदा हमारे दक्षिण भारत के राज्य को मिले इसके लिए हम कानून संशोधन के लिए हम सत्र बुला रहे हैं। हमने कांग्रेस के लोगों को मीटिंग के लिए बुलाया। हम आशा करते हैं कि वो हमारी बात मानकर के आएंगे।

हमने इंडिया एलायंस के मित्रों से बात की है। आप ही लोगों को बताइए, कांग्रेस के लोगो को बताइए, एलडीएफ के लोगों को बताएं कि महिलाओं के अधिकार ये कानून निर्विरोध पास होना चाहिए। ये उन से वादा लीजिए आपलोग । और में उनसे भी प्रार्थना करता हूं कि मेरी माताओं-बहनों का ये हक 40 सालों से लटका हुआ है। अब 2029 के चुनाव में फिर से लटकना नहीं चाहिए। इसलिए मैं सभी राजनीतिक दलों पर देश की माताएं-बहनें दबाव डालें। सब संसद में आएं और इस कानून को पारित करें। महिला जनप्रतिनिधियों की संख्या इस विषय को देखते हुए नारीशक्ति वंदन कानून में संशोधन किया जाएगा। ये आवश्यक है कि ये संशोधन सर्वसम्मति से पास हो ताकि साल 2029 में होने वाले चुनाव में ही इसका लाभ हमारी माताओं -बहनों को मिलना शुरू हो जाए। मैं सभी दलों से आग्रह करूंगा कि ये नारीशक्ति से हित से जुड़ा काम है, इसलिए खुले मन से, कोई भी राजनीतिक हिसाब किए बिना पूर्ण समर्थन कर के माताओं-बहनों का विश्वास जीतने में आप भी भागीदान बनिए।

एंडे सुहुर्तगले,

आज केरलम में युवाओं का पलायन सबसे बड़ी चिंता बन चुका है। केरलम में रोजगार के लिए यहाँ इंडस्ट्री लगाने की जरूरत है। रोजगार के लिए जरूरी है कि, यहाँ service sector बढ़े। start-ups को जगह मिले, skill को सही value मिले। लेकिन इन सबके आगे केरलम में सबसे बडी दीवार है- करप्शन और कम्यूनलिज्म। जब यहां करप्शन और कम्यूनलिज्म की दीवार टूटेगी, तभी केरलम का विकास होगा। और इसके लिए आपको LDF-UDF दोनों को हराना होगा।

एंडे सुहुर्तगले,

रोजगार की तलाश में यहाँ से लाखों युवा विदेशों में भी गए हैं। NRI के तौर पर भी वो केरलम की सेवा करते हैं। यहाँ अपनी आय का बड़ा हिस्सा remittance के तौर पर भेजते हैं। इसी का परिणाम है, ये क्षेत्र बैंकिंग कैपिटल बनकर उभरा है। लेकिन कांग्रेस ने आपके और आपके संबंधियों के खिलाफ एक बहुत खतरनाक काम किया है। मैं विस्तार से आपको ये बात बताना चाहता

एंडे सुहुर्तगले,

वेस्ट एशिया के युद्ध संकट ने कांग्रेस और उसके साथी दलों के मंसूबों को एक्सपोज कर दिया है। आज पूरा देश देख रहा है... खाड़ी के देशों में कैसे हालात बने हुये हैं। और वहां हमारे लाखों लोग केरल के मेरे भाई-बहन वहां काम कर रहे हैं। लेकिन कांग्रेस के बड़े-बड़े नेता जानबूझकर ऐसे बयान देते हैं... ऐसे बयान देते हैं... जिनसे वेस्ट एशिया में रहने वाले भारतीयों की सुरक्षा खतरे में पड़ जाए ! वहां के लोगों को बीच में अविश्वास पैदा हो जाए। वहां की सरकार ये तो हमारी दोस्ती अच्छी है कि गल्फ की सभी सरकारें हमारे सभी भारतीयों को अपने ही परिवार मानकर के उनकी रक्षा कर रहे हैं। लेकिन यहां से ऐसी-ऐसी भाषा बोली जा रही है। ऐसी भड़काव बातें हो रही हैं। मैं उनको कह-कह कर थक गया कि ये बोलने का समय नहीं है। ये हमारे लाखों भाई-बहन वहां है ना उनकी सुरक्षा ही मेरा पहला दायित्व है। सबसे बड़ी प्रायरिटी है, कृपा कर के अनाप-शनाप बोलना बंद करो ताकि हमारे नौजवानों को हमारी बेटियों को वहां कोई तकलीफ ना हो।

एंडे सुहुर्तगले,

कांग्रेस चाहती है कि वेस्ट एशिया के देश भारत को अपना दुश्मन समझें...यहां हम कोई गलती कर दे ऐसा कोई बयान कर दे और गल्फ कंट्रीज से भारतीयों को वहां से बाहर निकलने के लिए मूसीबत आ जाए ! इसलिए कांग्रेस...गल्फ कंट्रीज को नाराज करने वाले बयान दे रही है। कांग्रेस चाहती है कि पैनिक फैले और उसे मोदी को गाली देने का मौका मिल जाए। अरे कांग्रेस के लोगो, एलडीएफ के लोगो, यूडीएफ के लोगो, अरे राजनीति अपनी जगह पर है, अरे चुनाव आते जाते रहेंगे, लेकिन मेरे केरलम के लाखों भाई-बहन वहां है मेरे लिए उनकी सुरक्षा सबसे बड़ा काम है और मैं इसके लिए कमिटेड हूं। चुनाव जीतने के लिए, मोदी को गाली देने के लिए....कांग्रेस 1 करोड़ प्रवासियों का जीवन संकट में डालने को तैयार बैठी है। उधर ईरान में हमारा फिशरमैन केरल के हैं तमिलनाडु के हैं, गोवा के हैं आंध्र के हैं, तेलंगाना के हैं, पुड्डुचेरी के हैं। उनकी जिंदगी खतरे में है। हम वहां के संकट में से उनको बाहर ले आ रहे हैं। आज सैकड़ों की तादाद में मेरे मछुआरे भाई-बहन भारत लौटने वाले हैं। हमारे लिए उनकी जिंदगी बचाना ये महत्वपूर्ण है बयानबाजी करने के लिए और बहुत मौके आएंगे अभी तो हमारे लोगों की, हमारे मछुआरे भाई-बहनों को हमें जिंदा वापस लाना है। कांग्रेस को इन सारी चीजों से कोई लेना देना नहीं है। बस चुनाव... चुनाव... चुनाव.. क्या देश के लोगों की चिंता नहीं करोगे... काँग्रेस इस स्वार्थी सियासत के लिए केरलम के लोगों से माफी मांगनी चाहिए। पाप कर रहे हो।

एंडे सुहुर्तगले,

युद्ध की इन परिस्थितियों में मैं आपकी चिंता समझता हूं। इसलिए गल्फ कंट्रीज के नेताओं से लगातार संपर्क में हूं। इसलिए गल्फ कंट्रीज के नेताओं से मैं लगातार संपर्क में हूं। वहां की सरकारों से हम लगाता बात कर रहे हैं। मैं आप सभी परिजनों को आश्वस्त करता हूँ.... आपका बेटा, आपकी बेटी, आपके परिवारजन भले ही आपसे दूर हों...लेकिन, वो अकेले नहीं हैं। भारत सरकार इन देशों में रह रहे हर भारतीय के साथ है। युद्ध के बीच भी हम भारत के लोगों को हर संभव मदद पहुंचा रहे हैं।

एंडे सुहुर्तगले,

इस चुनाव में LDF-UDF वालों ने मिलकर एक और propaganda शुरू किया है। लेफ्ट वाले कहते हैं कि, कांग्रेस बीजेपी की B टीम है। और, कांग्रेस कहती है कि लेफ्ट BJP की B टीम है। इन्हें ये इसलिए कहना पड़ रहा है... क्योंकि ये दोनों भी जानते हैं कि इस चुनाव में केरलम में अगर कोई पार्टी A टीम है तो A टीम BJP ही है।

साथियों,

आपने ये भी देखा है कि इस चुनाव में LDF और UDF दोनों मिलकर सिर्फ BJP को गालियां दे रही हैं, उनके निशाने पर सिर्फ बीजेपी है। इसकी एक वजह और भी है जो आपको जरूर नोट करनी चाहिए। दरअसल LDF और UDF की सीक्रेट पार्टनरशिप इतनी पक्की है कि ये एक दूसरे पर आरोप लगाने से बच रहे हैं। असल में ये दोनों एक ही सिक्के दो साइड हैं। इनकी दुश्मनी नकली है... WWWF है। LDF और UDF की दोस्ती एवरग्रीन है! जब दिल्ली में सरकार बनती है दोनों साथ होते हैं। बगल में तमिलनाडु में साथ में चुनाव लड़ रहे हैं।

एंडे सुहुर्तगले,

लेफ्ट और काँग्रेस दोनों वोटबैंक के लिए कट्टरपंथी लोगों को राजनीति में आगे बढ़ाते हैं। मुनंबम जैसी घटनाएं केरलम में आम होती जा रही हैं... वहाँ सैकड़ों ईसाई और हिंदू परिवारों को डराया गया। लेकिन, केरलम सरकार पीड़ितों को सहायता देने की जगह कट्टरपंथी ताकतों के साथ ही खड़ी नज़र आती है। ये एक खतरनाक ट्रेंड है। वोटबैंक के लिए केरलम और देश की सुरक्षा से ये खिलवाड़.... केरलम के देशभक्त लोग इसे कभी भी कामयाब नहीं होने देंगे।

एंडे सुहुर्तगले,

लेफ्ट और काँग्रेस का भ्रष्टाचार हो, या उनका तुष्टीकरण... इसका सीधा हमला केरलम की संस्कृति और आस्था पर हो रहा है। पहले इन लोगों ने सबरीमला तीर्थ को बदनाम करने के लिए कैसे-कैसे षड्यंत्र रचे थे! और अब, सबरीमला इनकी लूट और चोरी के निशाने पर भी आ गया है।

एंडे सुहुर्तगले,

सबरीमला में हुये इस पाप का एक पैटर्न है... ये चोरी LDF की सरकार में हुई। और, इसमें चोरी करने वालों के तार काँग्रेस के शीर्ष नेताओं के जुड़े पाए गए। लेफ्ट वाले तो हमेशा से हिन्दू आस्था पर हमले के लिए जाने जाते हैं। इसीलिए, LDF सरकार मामले की जांच CBI को नहीं सौंप रही है। और, जो काँग्रेस हमेशा मंदिर से जुड़े विषयों को अछूत मानती थी... वो आज हिंदुओं की हितैषी बनने का नाटक कर रही है दिखावा कर रही है। मैं ये साफ-साफ कहना चाहता हूँ... NDA सरकार बनने के बाद LDF-UDF को उनके अपराध की सजा जरूर मिलेगी। और जो लूटा है वो लौटाना पड़ेगा। स्वामी अयप्पा और उनके भक्तों के आक्रोश के आगे ये लोग बच नहीं पाएंगे। ये कांग्रेस वाले ये यूडीएफ वाले, ये एलडीएफ वाले हर चीज में झूठ बोलना ये जैसे उनका स्वभाव बन गया है।

देश को गुमराह करना ये उनका स्वभाव बन गया है। जब सीएए लाए तो देश को इतना झूठ बोला... इतना झूठ बोला आज सीएए लागून हुआ देश को कोई नुकसान नहीं हुआ, झूठ बोलने में माहिर है.. केरलम फाइल्स आई फिल्म तो बोलने लगे कि सब झूठ है... कश्मीर फाइल आई तो बोलने लगे सब झूठ है..धुरंधर फिल्म आई तो बोलने लगे कि झूठ है। कुछ भी करो बता देना... झूठ फैला देना। इन दिनो सीआआर को लेकर भी, ऐसा ही झूठ फैलाया जा रहा है। यूसीसी के लिए ऐसा ही झूठ फैलाया जा रहा है। गोवा में सीसीए आया हुआ है, दशकों से है लेकिन झूठ फैलाना एफसीआरए के लिए झूठ फैलाना, सीएए के लिए झूठ फैलाना, धुरंधर जैसी फिल्म के लिए झूठ फैलाना केरलम फिल्म के लिए झूठ फैलाना, कश्मीर फाइल्स के लिए झूठ फैलाना। झूठ फैलाने का कारोबाल लेकर के बैठे हुए हैं।

एंडे सुहुर्तगले,

केरलम की आस्था, संस्कृति इसकी रक्षा हो... केरलम विकास की नई ऊंचाइयों को छूए... ये हम सभी का संकल्प है। आप भाजपा-एनडीए उम्मीदवार को वोट देकर विकसित केरलम की यात्रा शुरू करिए। मैं आपको निमंत्रण देता हूं आप आइए.. ये मेरी जिम्मेदारी है ये मेरी गारंटी है 50 सालों में केरलम का विकास नहीं हुआ, हम पांच साल में करके देंगे।

एंडे सुहुर्तगले,

कल ईस्टर है। मैं ईस्टर की आपको शुभकामनाएं देता हूं। कुछ ही सप्ताह में सभी मलयाली साथी विशु भी मनाएंगे। मैं विशु की भी अग्रिम शुभकामनाएं देता हूं। मैं सबसे पहले तो आप सबसे माफी मांगना चाहता हूं, क्योंकि मैं मलयालम, मलयाली, ये आपकी बहुत सुंदर भाषा है, मैं बोल नहीं पाता हूं, मुझे हिंदी में बोलना पड़ा। लेकिन इसके बावजूद भी, एक भी व्यक्ति यहां से हटा नहीं। मैं जानता हूं यहां गांव के लोग आए हैं, हो सकता है मेरी भाषा नहीं समझ पाते हों, लेकिन ये आपके प्यार की ताकत है। ये आपका आशीर्वाद है... एक भी व्य़क्ति हिल नहीं रहा है हट नहीं रहा है। मेरा ये बहुत बड़ा सौभाग्य है। मैं आपका ये कर्ज, मैं आपका प्यार कभी भूलूंगा नहीं, ये मेरे पर आपका कर्ज है... और मैं केरलम के विकास को प्राथमिकता देकर के सवा गुना विकास करके इस कर्ज को चुकाऊंगा ये आज मैं वादा करता हूं।

मैं आप सब का बहुत-बहुत धन्यवाद करता हूं। मेरे साथ बोलिए, दोनों हाथ ऊपर करके बोलिए...

भारत माता की... जय! भारत माता की... जय!

भारत माता की... जय! भारत माता की... जय!

वंदे... वंदे... वंदे... वंदे... वंदे... वंदे... वंदे... वंदे... वंदे...