The India-Japan Special Strategic and Global Partnership is based on our shared democratic values, and respect for the rule of law in the international arena: PM Modi
We had a fruitful discussion on the importance of reliable supply chains in semiconductor and other critical technologies: PM Modi after talks with Japanese PM

મહામહિમ, પ્રધાનમંત્રી કિશિદા,

બંને દેશોના પ્રતિનિધિઓ

મીડિયાના મિત્રો,

નમસ્કાર!

શરૂઆતમાં, હું પ્રધાનમંત્રી કિશિદા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં ઉષ્માભર્યું સ્વાગત કરું છું. પ્રધાનમંત્રી કિશિદા અને હું છેલ્લા એક વર્ષમાં ઘણી વખત મળ્યા છીએ. અને દરેક વખતે, મેં ભારત-જાપાન સંબંધો પ્રત્યે તેમની સકારાત્મકતા અને પ્રતિબદ્ધતા અનુભવી છે. અને તેથી, તેમની આજની મુલાકાત અમારા સહકારની ગતિ જાળવી રાખવા માટે ખૂબ જ ઉપયોગી થશે.

મિત્રો,

અમારી આજની મુલાકાત બીજા કારણથી પણ ખાસ છે. આ વર્ષે ભારત G20ની અધ્યક્ષતા કરી રહ્યું છે અને જાપાન G7ની અધ્યક્ષતા કરી રહ્યું છે. અને તેથી, અમારી સંબંધિત પ્રાથમિકતાઓ અને રુચિઓ પર સાથે મળીને કામ કરવાની આ શ્રેષ્ઠ તક છે. આજે, મેં પ્રધાનમંત્રી કિશિદાને ભારતના G20 પ્રેસિડન્સીની પ્રાથમિકતાઓ વિશે વિગતવાર સમજાવ્યું. ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓને અવાજ આપવો એ આપણા G20 પ્રેસિડેન્સીનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. અમે આ પહેલ કરી છે કારણ કે અમે એક એવી સંસ્કૃતિ છીએ જે "વસુધૈવ કુટુંબકમ"માં માને છે અને દરેકને સાથે લઈ જવામાં માને છે.

મિત્રો,

ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી આપણા સહિયારા લોકતાંત્રિક મૂલ્યો અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાયદાના શાસનના આદર પર આધારિત છે. આ ભાગીદારીને મજબૂત બનાવવી માત્ર આપણા બંને દેશો માટે જ મહત્વપૂર્ણ નથી, તે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતાને પણ પ્રોત્સાહન આપે છે. આજે અમારી વાતચીતમાં અમે અમારા દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી છે. અમે સંરક્ષણ સાધનો અને ટેકનોલોજી સહયોગ, વેપાર, આરોગ્ય અને ડિજિટલ ભાગીદારી પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું. અમે સેમિકન્ડક્ટર અને અન્ય નિર્ણાયક તકનીકોમાં વિશ્વસનીય સપ્લાય ચેઇનના મહત્વ પર પણ ફળદાયી ચર્ચા કરી હતી. ગયા વર્ષે, અમે આગામી 5 વર્ષમાં ભારતમાં 5 ટ્રિલિયન યેન એટલે કે ત્રણ લાખ વીસ હજાર કરોડ રૂપિયાના જાપાનીઝ રોકાણનો લક્ષ્યાંક રાખ્યો હતો. આ દિશામાં સારી પ્રગતિ થઈ છે તે સંતોષની વાત છે.

2019માં, અમે ભારત-જાપાન ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા ભાગીદારીની સ્થાપના કરી હતી. આ હેઠળ, અમે લોજિસ્ટિક્સ, ફૂડ પ્રોસેસિંગ, MSME, કાપડ, મશીનરી અને સ્ટીલ જેવા ક્ષેત્રોમાં ભારતીય ઉદ્યોગની સ્પર્ધાત્મકતા વધારી રહ્યા છીએ. આજે અમે પણ આ ભાગીદારીની સક્રિયતા પર ખુશી વ્યક્ત કરી છે. અમે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પર પણ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. મને એ વાતનો પણ આનંદ છે કે આપણે 2023ને પ્રવાસન વિનિમયના વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. અને આ માટે અમે "કનેક્ટીંગ હિમાલય વિથ માઉન્ટ ફુજી" થીમ પસંદ કરી છે.

મિત્રો,

આજે, પ્રધાનમંત્રી કિશિદાએ મને મે મહિનામાં હિરોશિમામાં યોજાનારી G7 લીડર્સ સમિટમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું હતું. આ માટે હું મારા હૃદયના ઉંડાણથી તેમનો આભાર માનું છું. થોડા મહિનાઓ પછી સપ્ટેમ્બરમાં, મને G20 નેતાઓની સમિટ માટે ફરીથી ભારતમાં પ્રધાનમંત્રી કિશિદાનું સ્વાગત કરવાની તક મળશે. અમારી વાતચીત અને સંપર્કોની આ શ્રેણી આમ જ ચાલુ રહે અને ભારત-જાપાન સંબંધો નવી ઊંચાઈઓને સ્પર્શતા રહે, આ ઈચ્છા સાથે હું મારું સંબોધન પૂરું કરું છું.

ખુબ ખુબ આભાર.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Rural commercial vehicle retail sales growth outpaces urban: Fada data

Media Coverage

Rural commercial vehicle retail sales growth outpaces urban: Fada data
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM condoles loss of lives in firecracker factory mishap in Kaushambi
August 31, 2026
PM announces ex-gratia from Prime Minister’s National Relief Fund

The Prime Minister, Shri Narendra Modi has expressed deep sorrow over the loss of lives in a mishap at a firecracker factory in Kaushambi, Uttar Pradesh. Shri Modi conveyed his condolences to the bereaved families and prayed for the speedy recovery of the injured.

Shri Modi also announced an ex-gratia of ₹2 lakh from the Prime Minister’s National Relief Fund (PMNRF) to the next of kin of each deceased and ₹50,000 for the injured.

The Prime Minister posted on X;

Extremely saddened by the loss of lives due to a mishap at a firecracker factory in Kaushambi, Uttar Pradesh. My thoughts are with the bereaved families in this hour of grief. May the injured recover at the earliest.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi