“First steps towards cleanliness taken with Swachh Bharat Abhiyan with separate toilets built for girls in schools”
“PM Sukanya Samruddhi account can be opened for girls as soon as they are born”
“Create awareness about ills of plastic in your community”
“Gandhiji chose cleanliness over freedom as he valued cleanliness more than everything”
“Every citizen should pledge to keep their surroundings clean as a matter of habit and not because it’s a program”

પ્રધાનમંત્રી : સ્વચ્છતા જાળવવાથી શું ફાયદા થાય છે?

વિદ્યાર્થી : સર, તે રોગોને રોકવામાં મદદ કરે છે, અને આપણે હંમેશાં સ્વચ્છ રહીશું. તદુપરાંત, જો આપણો દેશ સ્વચ્છ રહેશે, તો લોકો પર્યાવરણને વ્યવસ્થિત રાખવાનું મહત્વ સમજશે.

પ્રધામંત્રી : શૌચાલય ન હોય તો શું થાય?

વિદ્યાર્થી : સાહેબ, બીમારીઓ ફેલાઈ.

પ્રધાનમંત્રી : ખરેખર, રોગો ફેલાય છે. ભૂતકાળને યાદ કરો, જ્યારે શૌચાલયોની અછત હતી, ત્યારે 100માંથી 60 ઘરોમાં તે ન હતા. લોકો ખુલ્લામાં શૌચક્રિયાનો આશરો લેતા હતા, જે બીમારીઓનું મોટું કારણ બની ગયું હતું. સ્ત્રીઓ, ખાસ કરીને માતાઓ, બહેનો અને પુત્રીઓને સૌથી વધુ સહન કરવું પડ્યું. સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત થઈ ત્યારથી અમે સૌપ્રથમ એ સુનિશ્ચિત કર્યું હતું કે, શાળાઓમાં શૌચાલયોનું નિર્માણ થાય, જેમાં છોકરીઓ માટે અલગ સુવિધાઓ હોય. પરિણામે, છોકરીઓના ડ્રોપઆઉટ રેટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, અને તેઓ હવે તેમનું શિક્ષણ ચાલુ રાખી રહ્યા છે. તો, શું સ્વચ્છતા ફાયદાકારક સાબિત નથી થઈ?

વિદ્યાર્થી : હા, સર.

પ્રધાનમંત્રી : આજે આપણે કોની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ?

વિદ્યાર્થી : ગાંધીજી અને લાલબહાદુર શાસ્ત્રીની, સર.

પ્રધાનમંત્રી : ઠીક છે, તમારામાંથી કોઈને પણ યોગાસન કરાવો?... ઓહ, અદ્ભુત, તમારામાંથી ઘણા લોકો કરે છે. આસનોનો અભ્યાસ કરવાથી શું ફાયદા થાય છે?

વિદ્યાર્થી : સર, તે આપણા શરીરને વધુ ફ્લેક્સિબલ બનાવે છે.

પ્રધાનમંત્રી : ફ્લેક્સિબિલિટી, અને?

વિદ્યાર્થી : સર, તે રોગોને રોકવામાં પણ મદદ કરે છે અને સારા રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપે છે.

પ્રધાનમંત્રી : સારું. હવે, તમને ઘરે શું ખાવાનું ગમે છે? જ્યારે તમારી માતા તમને શાકભાજી ખાવાનું અને દૂધ પીવાનું કહે છે, ત્યારે તમારામાંથી કેટલા લોકો તેના વિશે વિરોધ કરે છે અથવા દલીલ કરે છે?

વિદ્યાર્થી : અમે બધા શાકભાજી ખાઈએ છીએ.

પ્રધાનમંત્રી : શું દરેક વ્યક્તિ કારેલા સહિત તમામ શાકભાજી ખાય છે?

વિદ્યાર્થી : કારેલા સિવાય.

પ્રધાનમંત્રી : ઓહ, કારેલા સિવાય.

પ્રધાનમંત્રી : શું તમે જાણો છો સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે?

વિદ્યાર્થી : હા, સર.

પ્રધાનમંત્રી : શું છે?

વિદ્યાર્થી : સર, આ તમારા દ્વારા શરૂ કરાયેલી એક યોજના છે, જેનો લાભ ઘણી છોકરીઓને મળી રહ્યો છે. અમે 10 વર્ષની ઉંમર સુધી આ યોજના હેઠળ ખાતું ખોલી શકીએ છીએ. જ્યારે અમે 18 વર્ષના થઈએ છીએ, ત્યારે તે અમને અમારા શિક્ષણમાં ઘણી મદદ કરે છે. અમે આ ખાતામાંથી પૈસા ઉપાડી શકીએ છીએ.

પ્રધાનમંત્રી : બરાબર. સુકન્યા સમૃદ્ધિ ખાતું છોકરીનો જન્મ થતાં જ ખોલી શકાય છે. માતા-પિતા દર વર્ષે રૂ. 1,000 જમા કરાવી શકે છે, જે દર મહિને આશરે રૂ. 80-90 જેટલું થાય છે. ધારો કે, 18 વર્ષ પછી, તમને ઉચ્ચ શિક્ષણ માટે પૈસાની જરૂર છે - તે હેતુ માટે અડધી રકમ ઉપાડી શકાય છે. અને, જો તે 21 વર્ષની ઉંમરે લગ્ન કરી રહી છે, તો તે હેતુ માટે પૈસા પણ ઉપાડી શકાય છે. જો રૂ. 1,000 નિયમિતપણે જમા કરવામાં આવે છે, તો ઉપાડ સમયે, તેમણે આશરે રૂ. 50,000 મળશે, જેમાં આશરે રૂ. 30,000-35,000 વ્યાજ મળશે. દીકરીઓ માટે વ્યાજ દર 8.2 ટકા છે, જે સામાન્ય દર કરતા વધારે છે.

વિદ્યાર્થી : એક ચાર્ટ છે જે સૂચવે છે કે આપણે શાળાને સાફ કરવી જોઈએ, અને તે બતાવે છે કે બાળકો સફાઈમાં રોકાયેલા છે.

પ્રધાનમંત્રી : એક વખત હું ગુજરાતમાં હતો અને એક શાળામાં એક શિક્ષક હતા, જેમણે કંઈક નોંધપાત્ર કામ કર્યું હતું. શાળા દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલી હતી, જ્યાં પાણી ખારું હતું, અને જમીન ઉજ્જડ હતી, જેમાં ઝાડ કે હરિયાળી નહોતી. શિક્ષકે શું કર્યું? તેણે દરેક વિદ્યાર્થીને ખાલી બિસ્લેરીની બોટલ આપી અને વપરાયેલા તેલના ડબ્બા, જે તેણે સાફ કર્યા હતા. તેમણે બાળકોને સૂચના આપી કે તેમની માતાઓ ભોજન પછી વાનગીઓ ધોવા માટે જે પાણીનો ઉપયોગ કરે છે તે એકત્રિત કરે અને દરરોજ તે બોટલોમાં તેને શાળાએ લાવે. તેમણે દરેક બાળકને એક ઝાડ સોંપ્યું અને તેમને કહ્યું કે તેઓ ઘરેથી લાવેલું પાણી તેમના ઝાડને પોષવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. 5-6 વર્ષ પછી જ્યારે મેં શાળાની મુલાકાત લીધી, ત્યારે કોઈએ કલ્પના પણ કરી હોય તે કરતાં પણ વધારે હરિયાળીથી આખી શાળા ખીલી ઊઠી હતી.

વિદ્યાર્થી : આ સૂકો કચરો છે. જો આપણે આ રીતે સૂકા અને ભીના કચરાને અલગ કરીએ, તો તે કમ્પોસ્ટ બનાવવામાં મદદ કરે છે.

પ્રધાનમંત્રી : તો શું તમે બધાં આ પ્રથાને ઘરે જ અનુસરો છો?

પ્રધાનમંત્રી : જ્યારે તમારી માતા ખાલી હાથે શાકભાજી અને પાંદડા ખરીદવા જાય છે, ત્યારે શું તે તેને પ્લાસ્ટિકની થેલીમાં પાછી લાવે છે? તમારામાંથી કોઈ પણ તેની સાથે દલીલ કરે છે અને કહે છે, "મમ્મી, ઘરેથી બેગ લઈ જાઓ. તમે પ્લાસ્ટિક ઘરે કેમ લાવો છો? આવો કચરો ઘરમાં શા માટે લાવવો?" શું તમારામાંથી કોઈએ તેને આની યાદ અપાવી છે?

વિદ્યાર્થી : (હા, અમે તેમને કાપડની થેલીઓ સાથે રાખવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, સર.

પ્રધાનમંત્રી : તો તમે એમને કહો છો?

વિદ્યાર્થી : હા, સર.

પ્રધાનમંત્રી : ઠીક છે તો.

પ્રધાનમંત્રી : આ શું છે? આ તો ગાંધીજીના ચશ્મા છે, અને શું તમને લાગે છે કે તમે સ્વચ્છતા જાળવી રહ્યા છો કે નહીં તે ગાંધીજી જોઈ રહ્યા છે? તમને યાદ હશે, ગાંધીજીએ પોતાનું આખું જીવન સ્વચ્છતા માટે સમર્પિત કરી દીધું હતું. તેઓ હંમેશાં નિરીક્ષણ કરે છે કે કોણ વસ્તુઓને સ્વચ્છ રાખે છે અને કોણ નથી કરતું. તેમણે એક વખત કહ્યું હતું કે, જો તેમને સ્વતંત્રતા અને સ્વચ્છતા બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો તેઓ સ્વચ્છતા પસંદ કરશે. આ દર્શાવે છે કે તેમણે સ્વતંત્રતાથી ઉપર પણ સ્વચ્છતાને કેટલું મહત્વ આપ્યું હતું. હવે, મને કહો, શું આપણું સ્વચ્છતા અભિયાન આગળ વધતું રહેશે?

વિદ્યાર્થી : હા સાહેબ, આપણે તેને આગળ લઈ જવી જોઈએ.

પ્રધાનમંત્રી : તો શું તમને લાગે છે કે સ્વચ્છતા એ માત્ર એક કાર્યક્રમ હોવો જોઈએ કે પછી તે આદત બની જવી જોઈએ?

વિદ્યાર્થી : આદત બની જવી જોઈએ.

પ્રધાનમંત્રી : શાબાશ. કેટલાક લોકો માને છે કે આ સ્વચ્છતા અભિયાન મોદીજીનો કાર્યક્રમ છે, પરંતુ સત્ય એ છે કે સ્વચ્છતા એ કોઈ એક દિવસનું કામ નથી, ન તો માત્ર એક વ્યક્તિ કે એક પરિવારની જવાબદારી છે. આ એક જીવનભરની પ્રતિબદ્ધતા છે – આપણે જીવીએ ત્યાં સુધી વર્ષના 365 દિવસ. આ માટે આપણને શું જોઈએ છે? આપણને માનસિકતા, મંત્રની જરૂર છે. કલ્પના કરો કે જો દેશના દરેક નાગરિકે કચરો ન બનાવવાનું નક્કી કર્યું હોય. શું થશે?

વિદ્યાર્થી : તો પછી સ્વચ્છતાની સ્થાપના થશે.

પ્રધાનમંત્રી : બરાબર. તો, હવે તમારે કઈ ટેવ પાડવી જોઈએ? ગંદકી ન કરવાની ટેવ - આ પહેલું પગથિયું છે. સમજાયું?

વિદ્યાર્થી : હા, સર.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM's Vision Turns Into Reality As Unused Urban Space Becomes Sports Hubs In Ahmedabad

Media Coverage

PM's Vision Turns Into Reality As Unused Urban Space Becomes Sports Hubs In Ahmedabad
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates all the Padma awardees of 2025
January 25, 2025

The Prime Minister Shri Narendra Modi today congratulated all the Padma awardees of 2025. He remarked that each awardee was synonymous with hardwork, passion and innovation, which has positively impacted countless lives.

In a post on X, he wrote:

“Congratulations to all the Padma awardees! India is proud to honour and celebrate their extraordinary achievements. Their dedication and perseverance are truly motivating. Each awardee is synonymous with hardwork, passion and innovation, which has positively impacted countless lives. They teach us the value of striving for excellence and serving society selflessly.

https://www.padmaawards.gov.in/Document/pdf/notifications/PadmaAwards/2025.pdf