પુરુલિયાના રઘુનાથપુરમાં સ્થિત રઘુનાથપુર થર્મલ પાવર સ્ટેશનના બીજા તબક્કા (2x660 મેગાવોટ) નો શિલાન્યાસ કર્યો
મેજિયા થર્મલ પાવર સ્ટેશનના યુનિટ 7 અને 8ની ફ્લુ ગેસ ડિસલ્ફરાઇઝેશન (એફ. જી. ડી.) પ્રણાલીનું ઉદ્ઘાટન કર્યું
NH-12ના ફરક્કા-રાયગંજ વિભાગને ફોર લેન બનાવવા માટે માર્ગ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું
"અમારો પ્રયાસ છે કે પશ્ચિમ બંગાળ તેની વર્તમાન અને ભવિષ્યની વીજળીની જરૂરિયાતો માટે આત્મનિર્ભર બને"
"પશ્ચિમ બંગાળ દેશ અને ઘણા પૂર્વીય રાજ્યો માટે પૂર્વીય દ્વાર તરીકે કામ કરે છે"
"સરકાર માર્ગ, રેલવે, હવાઈ અને જળમાર્ગોના આધુનિક માળખા માટે કામ કરી રહી છે"
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લાના કૃષ્ણનગરમાં 15,000 કરોડ રૂપિયાની બહુવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી અને તેનો શિલાન્યાસ કર્યો હતો. આજની વિકાસલક્ષી યોજનાઓ વીજળી, રેલ અને માર્ગ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલી છે.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ શ્રી સી.વી.આનંદબોસજી, મારા મંત્રીમંડળના સહયોગી શ્રી શાંતનુ ઠાકુરજી, બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શ્રી સુવેન્દુ અધિકારીજી, સંસદમાં મારા સહયોગી શ્રી જગન્નાથ સરકારજી, રાજ્ય સરકારના મંત્રીઓ , અન્ય મહાનુભાવ , દેવીઓ અને સજ્જનો.

 

આજે આપણે પશ્ચિમ બંગાળને વિકસિત રાજ્ય બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરી રહ્યા છીએ. હમણાં જ ગઈકાલે હું બંગાળની સેવા કરવા માટે આરામબાગમાં હાજર હતો. ત્યાંથી મેં લગભગ 7 હજાર કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા. તેમાં રેલવે, બંદરો અને પેટ્રોલિયમ સંબંધિત મુખ્ય પરિયોજનાઓનો સમાવેશ થાય છે. અને આજે ફરી એકવાર મને લગભગ 15 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. વીજળી, માર્ગ, રેલની યોગ્ય સુવિધાઓ પણ બંગાળના મારા ભાઈઓ અને બહેનો માટે જીવન સરળ બનાવશે. આ વિકાસલક્ષી કાર્યો પશ્ચિમ બંગાળના આર્થિક વિકાસને વેગ આપશે. તેનાથી યુવાનો માટે રોજગારીની નવી તકો પણ સર્જાશે. હું આ અવસર પર તમને બધાને અભિનંદન પાઠવું છું અને શુભેચ્છાઓ પાઠવું છું .

 

મિત્રો

આધુનિક યુગમાં વિકાસની ગાડીને ઝડપી બનાવવા માટે વીજળીની ખૂબ જ જરૂર છે. કોઈ પણ રાજ્ય, કોઈ પણ દેશ વીજળીની ગેરહાજરીમાં વિકાસ કરી શકતો નથી, પછી ભલે તે કોઈ પણ રાજ્યનો ઉદ્યોગ હોય, આધુનિક રેલવે સુવિધાઓ હોય અથવા આધુનિક ટેકનોલોજી સાથે જોડાયેલું આપણું રોજિંદા જીવન હોય. તેથી અમારો પ્રયાસ છે કે પશ્ચિમ બંગાળ તેની વર્તમાન અને ભવિષ્યની શક્તિની જરૂરિયાતોમાં આત્મનિર્ભર બને. આજે દામોદર વેલી કોર્પોરેશન હેઠળ રઘુનાથપુર થર્મલ પાવર સ્ટેશન - ફેઝ - 2 પ્રોજેક્ટનો શિલાન્યાસ આ દિશામાં એક મોટું પગલું છે. આ પ્રોજેક્ટ રાજ્યમાં 11,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ લાવશે. આનાથી માત્ર રાજ્યની ઊર્જાની જરૂરિયાતો જ પૂરી થશે નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં આર્થિક વિકાસને પણ વેગ મળશે. આજે આ થર્મલ પાવર પ્લાન્ટના શિલાન્યાસની સાથે જ મેં મેજિયા થર્મલ પાવર સ્ટેશનની એફ . જી . ડી . પ્રણાલીનું ઉદ્ઘાટન કર્યું છે. આ એફ . જી . ડી . પ્રણાલી પર્યાવરણ પ્રત્યે ભારતની ગંભીરતાનું પ્રતીક છે. આનાથી આ વિસ્તારમાં પ્રદૂષણ ઘટાડવામાં ઘણી મદદ મળશે.

 

મિત્રો

પશ્ચિમ બંગાળ આપણા દેશ માટે, દેશના ઘણા રાજ્યો માટે પૂર્વીય પ્રવેશદ્વાર તરીકે કામ કરે છે. પૂર્વ તરફનો આ દરવાજો પ્રગતિની અપાર શક્યતાઓ ખોલી શકે છે. એટલા માટે અમારી સરકાર પશ્ચિમ બંગાળમાં રોડવેઝ, રેલવે, એરવેઝ અને જળમાર્ગોની આધુનિક કનેક્ટિવિટી માટે કામ કરી રહી છે. આજે પણ મેં ફરક્કાથી રાયગંજ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ - 12નું ઉદ્ઘાટન કર્યું છે, NH-12નું ઉદ્ઘાટન કર્યું છે . તેમાં લગભગ 2 હજાર કરોડ રૂપિયા - બે હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. આ ધોરીમાર્ગથી બંગાળના લોકો માટે મુસાફરીની ગતિમાં વધારો થશે. ફરક્કાથી રાયગંજ સુધીની સમગ્ર મુસાફરી 4 કલાકથી ઘટીને અડધી થઈ જશે. તે જ સમયે , તે કાલિયાચક, સુજાપુર, માલદા ટાઉન વગેરે જેવા શહેરી વિસ્તારોમાં ટ્રાફિકની સ્થિતિમાં પણ સુધારો કરશે. જ્યારે પરિવહનની ગતિ વધશે, ત્યારે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પણ ઝડપી બનશે. તેનાથી આ વિસ્તારના ખેડૂતોને પણ ફાયદો થશે.

 

મિત્રો

માળખાગત સુવિધાના દૃષ્ટિકોણથી રેલવે પશ્ચિમ બંગાળના ભવ્ય ઇતિહાસનો એક ભાગ છે. જો કે ,બંગાળે જે ઐતિહાસિક લાભ મેળવ્યો હતો તે આઝાદી પછી યોગ્ય રીતે આગળ વધ્યો ન હતો. એટલા માટે તમામ શક્યતાઓ હોવા છતાં બંગાળ પાછળ પડતું રહ્યું. છેલ્લા દસ વર્ષમાં અમે આ અંતરને દૂર કરવા માટે અહીં રેલવે માળખા પર ઘણો ભાર મૂક્યો છે. આજે આપણી સરકાર બંગાળના રેલવે માળખા માટે પહેલા કરતા બમણાથી વધુ નાણાં ખર્ચ કરી રહી છે. આજે પણ હું અહીં ભારત સરકારની 4 રેલ પરિયોજનાઓ સાથે મળીને બંગાળને સમર્પિત કરું છું. આ તમામ વિકાસલક્ષી કાર્યો આધુનિક અને વિકસિત બંગાળના આપણા સપનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. હું આ કાર્યક્રમમાં તમારો વધુ સમય લેવા માંગતો નથી, કારણ કે બહાર, 10 મિનિટ દૂર, બંગાળના મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે બેઠા છે, તેઓ મારી રાહ જોઈ રહ્યા છે, અને હું પણ ત્યાં ખુલ્લા મનથી ઘણું કહેવા માંગુ છું. અને, તેથી, મારા માટે ત્યાં બધી વસ્તુઓ કહેવી વધુ સારી રહેશે. આ માટે પૂરતું છે. ફરી એકવાર આપ સૌને આ પરિયોજનાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન. 

આભાર !

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
18% tariffs, boosts to exports, agriculture protected: How India benefits from trade deal with US? Explained

Media Coverage

18% tariffs, boosts to exports, agriculture protected: How India benefits from trade deal with US? Explained
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates Sanae Takaichi on her landmark victory in Japan’s House of Representatives elections
February 08, 2026

The Prime Minister, Shri Narendra Modi has congratulated H.E. Sanae Takaichi on her landmark victory in the elections to the House of Representatives of Japan.

The Prime Minister said that the Special Strategic and Global Partnership between India and Japan plays a vital role in enhancing global peace, stability and prosperity.

The Prime Minister expressed confidence that under H.E. Takaichi’s able leadership, the India-Japan friendship will continue to reach greater heights.

The Prime Minister wrote on X;

“Congratulations Sanae Takaichi on your landmark victory in the elections to the House of Representatives!

Our Special Strategic and Global Partnership plays a vital role in enhancing global peace, stability and prosperity.

I am confident that under your able leadership, we will continue to take the India-Japan friendship to greater heights.

@takaichi_sanae”