મૈસૂર ખાતે પ્રધાનમંત્રીના યોગ કાર્યક્રમની સાથે સાથે સમગ્ર દેશમાં 75 સુપ્રસિદ્ધ સ્થળોએ સામૂહિક યોગ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
સમગ્ર દેશમાં વિવિધ બિન સરકારી સંગઠનો દ્વારા પણ સામૂહિક યોગ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં કરોડો લોકો ભાગ લઇ રહ્યા છે
મૈસૂર ખાતે પ્રધાનમંત્રીનો યોગ કાર્યક્રમ ‘એક સૂર્ય, એક પૃથ્વી’ની પરિકલ્પનાને રેખાંકિત કરતા ‘ગાર્ડિયન યોગ રિંગ’ નામના નવતર કાર્યક્રમનો હિસ્સો છે
“યોગ માત્ર કોઇ વ્યક્તિ માટે નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે છે”
“યોગ આપણા સમાજમાં, રાષ્ટ્રમાં, દુનિયામાં શાંતિ લાવે છે અને યોગ આપણા બ્રહ્માંડમાં પણ શાંતિ લાવે છે”
“યોગ દિવસની ખૂબ જ વ્યાપક પ્રમાણમાં સ્વીકૃતિ એ ભારતની અમૃત લાગણીને મળેલી સ્વીકૃતિ છે જેણે ભારતની સ્વતંત્રતાના સંગ્રામને ઊર્જા આપી હતી”
“ભારતના ઐતિહાસિક સ્થળો પર સામૂહિક યોગનો અનુભવ એ ભારતના ભૂતકાળ, ભારતના વૈવિધ્ય અને ભારતના વિસ્તરણને એક તાતણે બાંધવા જેવો છે”
“યોગનું આચરણ આરોગ્ય, સંતુલન અને સહકાર માટે અદ્ભુત પ્રેરણા આપે છે”
“આજે યોગ સાથે સંકળાયેલી અનંત સંભાવનાઓને ચરિતાર્થ કરવાનો સમય છે”
“આપણે જ્યારે યોગમય જીવવાનું શરૂ કરીએ છીએ, ત્યારે યોગ દિવસ આપણા સ્વાસ્થ્ય, સુખ અને શાંતિની ઉજવણીનું માધ્યમ બની જાય છે”

રાજ્યના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોતજી, મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઈજી, શ્રી યદુવીર કૃષ્ણ દાતા ચામરાજા વાડિયારજી, રાજમાતા પ્રમોદા દેવી, મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલજી, 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર દેશ અને વિશ્વના તમામ લોકોને હાર્દિક અભિનંદન.

આજે યોગ દિવસના અવસરે હું કર્ણાટકની સાંસ્કૃતિક રાજધાની, આધ્યાત્મિકતા અને યોગની ભૂમિ મૈસુરને સલામ કરું છું. મૈસૂર જેવા ભારતના આધ્યાત્મિક કેન્દ્રો દ્વારા સદીઓથી પોષવામાં આવતી યોગ ઊર્જા આજે વિશ્વ આરોગ્યને દિશા આપી રહી છે. આજે યોગ વૈશ્વિક સહયોગ માટે પરસ્પર આધાર બની રહ્યો છે. આજે યોગ મનુષ્યને સ્વસ્થ જીવનની માન્યતા આપી રહ્યો છે.

આજે સવારથી આપણે જોઈ રહ્યા છીએ કે યોગના જે ચિત્રો થોડા વર્ષો પહેલા માત્ર ઘરો, આધ્યાત્મિક કેન્દ્રોમાં જોવા મળતા હતા તે હવે દુનિયાના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે. આ ચિત્રો આધ્યાત્મિક અનુભૂતિના વિસ્તરણના ચિત્રો છે. આ ચિત્રો સ્વયંસ્ફુરિત, કુદરતી અને સામાન્ય માનવ ચેતનાના ચિત્રો છે. ખાસ કરીને જ્યારે છેલ્લા બે વર્ષમાં વિશ્વએ સદીના આવા રોગચાળાનો સામનો કર્યો છે! આ સંજોગોમાં દેશ, દ્વીપ, ખંડની સીમાઓથી ઉપર આવેલ યોગ દિવસનો આ ઉત્સાહ પણ આપણી જોમનો પુરાવો છે.

યોગ હવે વૈશ્વિક તહેવાર બની ગયો છે. યોગ માત્ર કોઈ વ્યક્તિ માટે જ નથી, પરંતુ સમગ્ર માનવતા માટે છે. તેથી જ, આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ છે - માનવતા માટે યોગ! આ થીમ દ્વારા યોગના આ સંદેશને સમગ્ર માનવતા સુધી પહોંચાડવા માટે હું સંયુક્ત રાષ્ટ્ર અને તમામ દેશોનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું તમામ ભારતીયો વતી વિશ્વના તમામ નાગરિકોને પણ અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

યોગ માટે, આપણા ઋષિમુનિઓએ, આપણા મહર્ષિઓએ, આપણા શિક્ષકોએ કહ્યું છે – “શાંતિમ યોગેન વિન્દતિ”.

તેનો અર્થ છે કે યોગ આપણા માટે શાંતિ લાવે છે. યોગથી મળેલી શાંતિ માત્ર વ્યક્તિઓ માટે જ નથી. યોગ આપણા સમાજમાં શાંતિ લાવે છે. યોગ આપણા રાષ્ટ્રો અને વિશ્વમાં શાંતિ લાવે છે. અને, યોગ આપણા બ્રહ્માંડ માટે શાંતિ લાવે છે. આ કોઈને આત્યંતિક વિચાર લાગશે, પરંતુ આપણા ભારતીય ઋષિઓએ આનો જવાબ એક સરળ મંત્ર- “यत् पिंडे तत् ब्रह्मांडे” દ્વારા આપ્યો છે.

આ સમગ્ર બ્રહ્માંડ આપણા પોતાના શરીર અને આત્માથી શરૂ થાય છે. બ્રહ્માંડ આપણાથી શરૂ થાય છે. અને, યોગ આપણને આપણી અંદરની દરેક વસ્તુ વિશે સભાન બનાવે છે અને જાગૃતિની ભાવના કેળવે છે. તે સ્વ-જાગૃતિથી શરૂ થાય છે અને વિશ્વની જાગૃતિ તરફ આગળ વધે છે. જ્યારે આપણે આપણી જાતને અને આપણા વિશ્વ વિશે જાગૃત થઈએ છીએ, ત્યારે આપણે આપણી જાતમાં અને વિશ્વ બંનેમાં એવી વસ્તુઓ શોધવાનું શરૂ કરીએ છીએ જેને બદલવાની જરૂર છે.

આ વ્યક્તિગત જીવન-શૈલી સમસ્યાઓ અથવા આબોહવા પરિવર્તન અને આંતરરાષ્ટ્રીય સંઘર્ષો જેવા વૈશ્વિક પડકારો હોઈ શકે છે. યોગ આપણને આ પડકારો પ્રત્યે સભાન, સક્ષમ અને દયાળુ બનાવે છે. એક સામાન્ય ચેતના અને સર્વસંમતિ સાથે લાખો લોકો, આંતરિક શાંતિ ધરાવતા લાખો લોકો વૈશ્વિક શાંતિનું વાતાવરણ બનાવશે. આ રીતે યોગ લોકોને જોડી શકે છે. આ રીતે યોગ દેશોને જોડી શકે છે. અને આ રીતે યોગ આપણા બધા માટે સમસ્યાનું નિરાકરણ કરનાર બની શકે છે.

સાથીઓ,

આ વખતે ભારતમાં આપણે એવા સમયે યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ જ્યારે દેશ તેની આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે, અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. યોગ દિવસની આ વ્યાપકતા, આ સ્વીકૃતિ એ ભારતની એ અમૃત ભાવનાનો સ્વીકાર છે, જેણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને ઉર્જા આપી.

આ ભાવનાને ઉજવવા આજે દેશના વિવિધ 75 શહેરોના 75 ઐતિહાસિક સ્થળો ઉપરાંત અન્ય શહેરોના લોકો પણ ઐતિહાસિક સ્થળોએ યોગ કરી રહ્યા છે. જે ઐતિહાસિક સ્થળોએ ભારતના ઈતિહાસના સાક્ષી છે, જે સ્થાનો સાંસ્કૃતિક ઉર્જાનું કેન્દ્ર છે, તે આજે યોગ દિવસ દ્વારા એક સાથે જોડાઈ રહ્યા છે.

આ મૈસુર પેલેસ પણ ઈતિહાસમાં પોતાનું એક ખાસ સ્થાન ધરાવે છે. ભારતના ઐતિહાસિક સ્થળો પર સામૂહિક યોગનો અનુભવ એ ભારતના ભૂતકાળ, ભારતની વિવિધતા અને ભારતના વિસ્તરણને એક સાથે જોડે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ, આ વખતે આપણી પાસે "ગાર્ડિયન રીંગ ઓફ યોગ" છે, "ગાર્ડિયન રીંગ ઓફ યોગ" નો આ નવતર ઉપયોગ આજે સમગ્ર વિશ્વમાં કરવામાં આવી રહ્યો છે. વિશ્વના વિવિધ દેશોમાં સૂર્યોદય સાથે, સૂર્યની ગતિ સાથે, લોકો યોગ કરી રહ્યા છે, યોગ સાથે જોડાઈ રહ્યા છે. જેમ જેમ સૂર્ય પ્રગતિ કરી રહ્યો છે, ઉદય પામી રહ્યો છે, વિવિધ દેશોના લોકો તેના પ્રથમ કિરણ સાથે જોડાઈ રહ્યા છે, સમગ્ર પૃથ્વીની આસપાસ યોગનું વલય રચાઈ રહ્યું છે. આ યોગની ગાર્ડિયન રીંગ છે. યોગની આ પદ્ધતિઓ સ્વાસ્થ્ય, સંતુલન અને સહકાર માટે અદ્ભુત પ્રેરણા આપે છે.

સાથીઓ,

વિશ્વના લોકો માટે, આજે આપણા માટે યોગ એ ફક્ત જીવનનો ભાગ નથી, કૃપા કરીને યાદ રાખો કે તે જીવનનો ભાગ નથી, પરંતુ યોગ હવે જીવનનો માર્ગ બની રહ્યો છે. આપણો દિવસ યોગથી શરૂ થાય છે, આનાથી વધુ સારી શરૂઆત કઇ હોય? પરંતુ, આપણે યોગને કોઈ ચોક્કસ સમય અને સ્થળ સુધી મર્યાદિત રાખવાની જરૂર નથી. આપણે એ પણ જોયું છે કે આપણા ઘરના વડીલો, આપણા યોગસાધકો દિવસના જુદા જુદા સમયે પ્રાણાયામ કરે છે. ઘણા લોકો કામની વચ્ચે થોડો સમય તેમની ઓફિસમાં દંડાસન કરે છે, પછી ફરીથી કામ કરવાનું શરૂ કરે છે. આપણે ગમે તેટલા તણાવમાં હોઈએ, થોડી મિનિટોનું ધ્યાન આપણને આરામ આપે છે, આપણી ઉત્પાદકતામાં વધારો કરે છે.

તેથી, આપણે યોગને વધારાના કાર્ય તરીકે લેવાની જરૂર નથી. આપણે પણ યોગ જાણવો છે, આપણે પણ યોગ જીવવો છે. આપણે યોગ પ્રાપ્ત કરવાનો છે, આપણે યોગને અપનાવવો પડશે અને આપણે યોગનો વિકાસ કરવો પડશે. અને જ્યારે આપણે યોગ જીવવાનું શરૂ કરીશું, ત્યારે યોગ દિવસ આપણા માટે યોગ કરવાનું નહીં, પરંતુ આપણા સ્વાસ્થ્ય, સુખ અને શાંતિની ઉજવણી કરવાનું માધ્યમ બનશે.

સાથીઓ,

આજે યોગ સાથે જોડાયેલી અનંત શક્યતાઓને સાકાર કરવાનો સમય છે. આજે આપણા યુવાનો મોટી સંખ્યામાં યોગ ક્ષેત્રે નવા વિચારો લઈને આવી રહ્યા છે. આ દિશામાં આયુષ મંત્રાલયે આપણા દેશમાં 'સ્ટાર્ટઅપ યોગા ચેલેન્જ' પણ શરૂ કરી છે. ભૂતકાળ, યોગની યાત્રા અને યોગને લગતી શક્યતાઓનું અન્વેષણ કરવા માટે મૈસુરમાં દશેરા ગ્રાઉન્ડ ખાતે એક નવીન ડિજિટલ પ્રદર્શન પણ છે.

હું દેશના અને વિશ્વના તમામ યુવાનોને આવા પ્રયાસોમાં જોડાવા માટે આહ્વાન કરું છું. હું વર્ષ 2021 માટે 'યોગના પ્રચાર અને વિકાસ માટે ઉત્કૃષ્ટ યોગદાન માટે પ્રધાનમંત્રી પુરસ્કાર'ના તમામ વિજેતાઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું માનું છું કે યોગની આ શાશ્વત યાત્રા આ રીતે શાશ્વત ભવિષ્યની દિશામાં ચાલુ રહેશે.

આપણે 'સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ'ની ભાવના સાથે યોગ દ્વારા સ્વસ્થ અને શાંતિપૂર્ણ વિશ્વને પણ વેગ આપીશું. એ જ ભાવના સાથે, ફરી એકવાર આપ સૌને યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ,

અભિનંદન.

આભાર.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s space programme, a people’s space journey

Media Coverage

India’s space programme, a people’s space journey
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Congratulates Shri S. Suresh Kumar Ji on Inspiring Cycling Feat
January 01, 2026

āThe Prime Minister, Shri Narendra Modi, today lauded the remarkable achievement of Shri S. Suresh Kumar Ji, who successfully cycled from Bengaluru to Kanniyakumari.

Shri Modi noted that this feat is not only commendable and inspiring but also a testament to Shri Suresh Kumar Ji’s grit and unyielding spirit, especially as it was accomplished after overcoming significant health setbacks.

PM emphasized that such endeavors carry an important message of fitness and determination for society at large.

The Prime Minister personally spoke to Shri Suresh Kumar Ji and congratulated him for his effort, appreciating the courage and perseverance that made this journey possible.

In separate posts on X, Shri Modi wrote:

“Shri S. Suresh Kumar Ji’s feat of cycling from Bengaluru to Kanniyakumari is commendable and inspiring. The fact that it was done after he overcame health setbacks highlights his grit and unyielding spirit. It also gives an important message of fitness.

Spoke to him and congratulated him for effort.

@nimmasuresh

https://timesofindia.indiatimes.com/city/bengaluru/age-illness-no-bar-at-70-bengaluru-legislator-pedals-702km-to-kanyakumari-in-five-days/articleshow/126258645.cms#

“ಬೆಂಗಳೂರಿನಿಂದ ಕನ್ಯಾಕುಮಾರಿಯವರೆಗೆ ಸೈಕಲ್ ಸವಾರಿ ಕೈಗೊಂಡ ಶ್ರೀ ಎಸ್. ಸುರೇಶ್ ಕುಮಾರ್ ಅವರ ಸಾಧನೆ ಶ್ಲಾಘನೀಯ ಮತ್ತು ಸ್ಫೂರ್ತಿದಾಯಕವಾಗಿದೆ. ಆರೋಗ್ಯದ ಹಿನ್ನಡೆಗಳನ್ನು ಮೆಟ್ಟಿ ನಿಂತು ಅವರು ಈ ಸಾಧನೆ ಮಾಡಿರುವುದು ಅವರ ದೃಢ ನಿರ್ಧಾರ ಮತ್ತು ಅಚಲ ಮನೋಭಾವವನ್ನು ಎತ್ತಿ ತೋರಿಸುತ್ತದೆ. ಇದು ಫಿಟ್ನೆಸ್ ಕುರಿತು ಪ್ರಮುಖ ಸಂದೇಶವನ್ನೂ ನೀಡುತ್ತದೆ.

ಅವರೊಂದಿಗೆ ಮಾತನಾಡಿ, ಅವರ ಈ ಪ್ರಯತ್ನಕ್ಕೆ ಅಭಿನಂದನೆ ಸಲ್ಲಿಸಿದೆ.

@nimmasuresh

https://timesofindia.indiatimes.com/city/bengaluru/age-illness-no-bar-at-70-bengaluru-legislator-pedals-702km-to-kanyakumari-in-five-days/articleshow/126258645.cms#