"એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય' હેતુની એકતા તેમજ ક્રિયાની એકતાની જરૂરિયાતનો સંકેત આપે છે"
"વિશ્વ યુદ્ધ પછીનું વૈશ્વિક શાસન તેના ભવિષ્યના યુદ્ધોને રોકવા અને સામાન્ય હિતોના મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવાના બંને આદેશોમાં નિષ્ફળ ગયું"
"કોઈપણ જૂથ તેના નિર્ણયોથી સૌથી વધુ અસરગ્રસ્ત લોકોને સાંભળ્યા વિના વૈશ્વિક નેતૃત્વનો દાવો કરી શકે નહીં"
"ભારતની G20 પ્રેસિડેન્સીએ ગ્લોબલ સાઉથને અવાજ આપવાનો પ્રયાસ કર્યો છે"
"આપણે જે મુદ્દાઓ સાથે મળીને ઉકેલી શકતા નથી તેને આપણે જે કરી શકીએ એમ છીએ તેના માર્ગમાં આવવા દેવા જોઈએ નહીં"
"એક તરફ વૃદ્ધિ અને કાર્યક્ષમતા અને બીજી તરફ સ્થિતિસ્થાપકતા વચ્ચે યોગ્ય સંતુલન શોધવામાં G20ની મહત્વપૂર્ણ ભૂમિકા છે"

વિદેશ મંત્રીઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ, મહાનુભાવો,

G20 વિદેશ મંત્રીઓની બેઠક માટે હું ભારતમાં તમારું સ્વાગત કરું છું. ભારતે તેના G20 પ્રેસિડેન્સી માટે ‘વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ થીમ પસંદ કરી છે. તે હેતુની એકતા અને ક્રિયાની એકતાની જરૂરિયાતનો સંકેત આપે છે. હું આશા રાખું છું કે તમારી આજની બેઠક સામાન્ય અને નક્કર ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે એકસાથે આવવાની ભાવનાને પ્રતિબિંબિત કરશે.

મહાનુભાવો,

આપણે બધાએ સ્વીકારવું જોઈએ કે બહુપક્ષીયતા આજે સંકટમાં છે. બીજા વિશ્વયુદ્ધ પછી સર્જાયેલ વૈશ્વિક શાસનનું આર્કિટેક્ચર બે કાર્યો કરવા માટે હતું. પ્રથમ, સ્પર્ધાત્મક હિતોને સંતુલિત કરીને ભવિષ્યના યુદ્ધોને રોકવા માટે. બીજું, સામાન્ય હિતોના મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવું. છેલ્લા કેટલાક વર્ષોનો અનુભવ- નાણાકીય કટોકટી, આબોહવા પરિવર્તન, રોગચાળો, આતંકવાદ અને યુદ્ધો સ્પષ્ટપણે દર્શાવે છે કે વૈશ્વિક શાસન તેના બંને આદેશોમાં નિષ્ફળ ગયું છે. આપણે એ પણ સ્વીકારવું જોઈએ કે આ નિષ્ફળતાના દુ:ખદ પરિણામો સૌથી વધુ વિકાસશીલ દેશો ભોગવી રહ્યા છે. વર્ષોની પ્રગતિ પછી, આજે આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પર પાછા ફરવાના જોખમમાં છીએ. ઘણા વિકાસશીલ દેશો તેમના લોકો માટે ખોરાક અને ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરતી વખતે બિનટકાઉ દેવા સાથે સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ પણ સમૃદ્ધ દેશો દ્વારા થતા ગ્લોબલ વોર્મિંગથી સૌથી વધુ પ્રભાવિત છે. આ કારણે જ ભારતના G20 પ્રેસિડન્સીએ ગ્લોબલ સાઉથને અવાજ આપવાનો પ્રયાસ કર્યો છે. કોઈપણ જૂથ તેના નિર્ણયોથી સૌથી વધુ અસરગ્રસ્ત લોકોને સાંભળ્યા વિના વૈશ્વિક નેતૃત્વનો દાવો કરી શકે નહીં.

મહાનુભાવો,

તમે ઊંડા વૈશ્વિક વિભાજનના સમયે મળી રહ્યા છો. વિદેશ મંત્રીઓ તરીકે, તે સ્વાભાવિક છે કે તમારી ચર્ચાઓ આજકાલના ભૌગોલિક-રાજકીય તણાવથી પ્રભાવિત થાય છે. આ તણાવને કેવી રીતે ઉકેલવો જોઈએ તેના પર આપણા બધાની આપણી સ્થિતિ અને આપણા દ્રષ્ટિકોણ છે. જો કે, વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓ તરીકે, આપણી પણ જવાબદારી છે કે જેઓ આ રૂમમાં નથી, વિશ્વ વૃદ્ધિ, વિકાસ, આર્થિક સ્થિતિસ્થાપકતા, આપત્તિ સ્થિતિસ્થાપકતા, નાણાકીય સ્થિરતા, આંતરરાષ્ટ્રિય અપરાધ, ભ્રષ્ટાચાર, આતંકવાદ અને ખાદ્ય અને ઊર્જા સુરક્ષાના પડકારોને હળવા કરવા G20 તરફ જુએ છે. આ તમામ ક્ષેત્રોમાં, G20 પાસે સર્વસંમતિ બનાવવાની અને નક્કર પરિણામો આપવાની ક્ષમતા છે. આપણે સાથે મળીને ઉકેલી ન શકીએ તેવા મુદ્દાઓને આપણે જે કરી શકીએ એમ છીએ તેના માર્ગમાં આવવા દેવા જોઈએ નહીં. જેમ તમે ગાંધી અને બુદ્ધની ભૂમિમાં મળો છો, હું પ્રાર્થના કરું છું કે તમે ભારતના સભ્યતાના સિદ્ધાંતોમાંથી પ્રેરણા મેળવો - જે આપણને વિભાજિત કરે છે તેના પર નહીં, પરંતુ જે આપણને બધાને એક કરે છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવા કહે છે.

મહાનુભાવો,

તાજેતરના સમયમાં, આપણે સદીનો સૌથી વિનાશક રોગચાળો જોયો છે. આપણે કુદરતી આફતોમાં હજારો જીવ ગુમાવ્યાના સાક્ષી છીએ. આપમે તણાવના સમયમાં વૈશ્વિક સપ્લાય ચેન તૂટતી જોઈ છે. આપણે સ્થિર અર્થવ્યવસ્થાઓને અચાનક દેવું અને નાણાકીય કટોકટીથી ડૂબી ગયેલી જોઈ છે. આ અનુભવો સ્પષ્ટપણે આપણા સમાજમાં, આપણા અર્થતંત્રોમાં, આપણી આરોગ્યસંભાળ પ્રણાલીઓમાં અને આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્થિતિસ્થાપકતાની જરૂરિયાત દર્શાવે છે. એક તરફ વૃદ્ધિ અને કાર્યક્ષમતા અને બીજી તરફ સ્થિતિસ્થાપકતા વચ્ચે યોગ્ય સંતુલન શોધવામાં G20 મહત્વની ભૂમિકા ભજવે છે. અમે સાથે મળીને કામ કરીને વધુ સરળતાથી આ સંતુલન સુધી પહોંચી શકીએ છીએ. એટલા માટે તમારી બેઠક મહત્વપૂર્ણ છે. મને તમારી સામૂહિક શાણપણ અને ક્ષમતા પર પૂરો ભરોસો છે. મને ખાતરી છે કે આજની બેઠક મહત્વાકાંક્ષી, સર્વસમાવેશક, કાર્યલક્ષી અને મતભેદોથી ઉપર ઊઠીને હશે.

હું તમારો આભાર માનું છું અને ફળદાયી બેઠક માટે તમને શુભેચ્છા પાઠવું છું.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA

Media Coverage

Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Welcomes Release of Commemorative Stamp Honouring Emperor Perumbidugu Mutharaiyar II
December 14, 2025

Prime Minister Shri Narendra Modi expressed delight at the release of a commemorative postal stamp in honour of Emperor Perumbidugu Mutharaiyar II (Suvaran Maran) by the Vice President of India, Thiru C.P. Radhakrishnan today.

Shri Modi noted that Emperor Perumbidugu Mutharaiyar II was a formidable administrator endowed with remarkable vision, foresight and strategic brilliance. He highlighted the Emperor’s unwavering commitment to justice and his distinguished role as a great patron of Tamil culture.

The Prime Minister called upon the nation—especially the youth—to learn more about the extraordinary life and legacy of the revered Emperor, whose contributions continue to inspire generations.

In separate posts on X, Shri Modi stated:

“Glad that the Vice President, Thiru CP Radhakrishnan Ji, released a stamp in honour of Emperor Perumbidugu Mutharaiyar II (Suvaran Maran). He was a formidable administrator blessed with remarkable vision, foresight and strategic brilliance. He was known for his commitment to justice. He was a great patron of Tamil culture as well. I call upon more youngsters to read about his extraordinary life.

@VPIndia

@CPR_VP”

“பேரரசர் இரண்டாம் பெரும்பிடுகு முத்தரையரை (சுவரன் மாறன்) கௌரவிக்கும் வகையில் சிறப்பு அஞ்சல் தலையைக் குடியரசு துணைத்தலைவர் திரு சி.பி. ராதாகிருஷ்ணன் அவர்கள் வெளியிட்டது மகிழ்ச்சி அளிக்கிறது. ஆற்றல்மிக்க நிர்வாகியான அவருக்குப் போற்றத்தக்க தொலைநோக்குப் பார்வையும், முன்னுணரும் திறனும், போர்த்தந்திர ஞானமும் இருந்தன. நீதியை நிலைநாட்டுவதில் அவர் உறுதியுடன் செயல்பட்டவர். அதேபோல் தமிழ் கலாச்சாரத்திற்கும் அவர் ஒரு மகத்தான பாதுகாவலராக இருந்தார். அவரது அசாதாரண வாழ்க்கையைப் பற்றி அதிகமான இளைஞர்கள் படிக்க வேண்டும் என்று நான் கேட்டுக்கொள்கிறேன்.

@VPIndia

@CPR_VP”