જય બાબા તારકનાથ ! હર-હર મહાદેવ !
મંચ પર બિરાજમાન રાજ્યપાલ આર. એન. રવિજી, અહીંના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી જી, અન્ય તમામ મહાનુભાવો અને બંગાળના મારા ભાઈઓ અને બહેનો.
બાબા તારકનાથ અને બંગાળની આ પુણ્ય ભૂમિ પશ્ચિમ બંગાળ દિવસની આ ઐતિહાસિક તારીખ અને આટલી મોટી સંખ્યામાં આપ સૌની ઉપસ્થિતિ આજે ચૂંટણી અને શપથ ગ્રહણ પછી મને પહેલીવાર આપની વચ્ચે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. બંગાળની હવામાં હવે એક નવી તાજગી છે, અહીંના કણેકણમાંથી એક નવી ખુશબો આવી રહી છે, એવું લાગી રહ્યું છે, જાણે બંગાળ હવે બેડીઓમાંથી આઝાદ થઈ ગયું છે. જાણે બંગાળનું ગૌરવ પાછું લાવવાનું કામ શરૂ થઈ ગયું છે. આજનો આ કાર્યક્રમ સાક્ષી છે, આ પરિયોજનાઓનો શુભારંભ ગવાહ છે કે આપણું બંગાળ પોતાના નવા ભવિષ્યના નિર્માણમાં લાગી ગયું છે. બંગાળના લોકોના ચહેરા પરની આ ચમક, ગામડે-ગામડે ખુશી અને વિશ્વાસનો ભાવ, હું આપના આ આનંદમાં ભાગીદાર બનવા માટે આવ્યો છું. આપનો એક વોટ, એક ચૂંટણી, કેટલું બધું પરિવર્તન લાવી શકે છે, તે બંગાળમાં સાફ-સાફ નજર આવી રહ્યું છે.
પોરિબોર્તોન ભાલો લાગછે તો ?
હું આ અવસરે બંગાળના લોકોને અને તમામ દેશવાસીઓને આ આયોજનની, પશ્ચિમ બંગાળ દિવસની બહુ-બહુ વધામણી આપું છું.
સાથીઓ,
આજે આપ સૌની હું સ્વચ્છતાથી સ્વાગત પહેલ માટે પણ પ્રશંસા કરવા માંગું છું, ભારોભાર પ્રશંસા કરું છું. સ્વચ્છતા આપણા દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો હોવો જોઈએ. જ્યાં સ્વચ્છતા હશે, ત્યાં જ વિકાસ પણ એટલો જ સુંદર દેખાશે. હું તમને સ્વચ્છતાથી સ્વાગત માટે પણ બહુ-બહુ વધામણી આપું છું.
સાથીઓ,
આ વખતે પશ્ચિમ બંગાળ દિવસની આ તારીખ હજુ પણ ખાસ છે. આઝાદી પછી બંગાળના ઉજ્જવળ ભવિષ્ય માટે જે સપનું જોવામાં આવ્યું હતું, બંગાળની મહાન આત્માઓએ જે પરિકલ્પના કરી હતી, આજે એક પ્રકારે પહેલીવાર આપણે પશ્ચિમ બંગાળ દિવસ પર તે સપનાઓને સચ્ચાઈમાં બદલાતા જોઈ રહ્યા છીએ. આ ઐતિહાસિક તારીખ પશ્ચિમ બંગાળના વિકાસની પ્રેરણા બને, આપણે એક નવો અને ગૌરવશાળી ઇતિહાસ રચીએ, આજે ભાજપ-એનડીએ સરકારમાં આના માટે વિકાસના મહાઅભિયાનની શરૂઆત થઈ રહી છે.

સાથીઓ,
બંગાળમાં દાયકાઓ સુધી પહેલા લેફ્ટ અને પછી ટીએમસીએ જે ખાડા બનાવ્યા, તેમને ભરવા માટે ડબલ એન્જિન સરકારે સુપર ફાસ્ટ સ્પીડથી કામ કરવાનું શરૂ કરી દીધું છે, વીજળીની ગતિથી નિર્ણયો થઈ રહ્યા છે, અટકેલી યોજનાઓ પર કામ આગળ વધવા લાગ્યું છે. આ જ કડીમાં, આજે અહીં સેંકડો કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ થયો છે. રેલવે, રોડ, કૃષિ, મત્સ્ય પાલન, આનાથી જોડાયેલી આ પરિયોજનાઓ બંગાળના વિકાસને નવી ગતિ આપશે. આ પરિયોજનાઓથી અહીંની ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે. હું બંગાળના લોકોને આ વિકાસ પરિયોજનાઓની વધામણી આપું છું. આજે પીએમ કિસાન સન્માન નિધિનો 23મો હપ્તો પણ જાહેર કરવામાં આવ્યો છે. દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં લગભગ 19 હજાર કરોડ રૂપિયા સીધા મોકલવામાં આવ્યા છે. હું દેશના તમામ લાભાર્થી, મારા ખેડૂત પરિવારોને બહુ-બહુ શુભેચ્છાઓ આપું છું.
સાથીઓ,
ગુલામીના સમયમાં આપણા બંગાળે શું-શું નથી સહન કર્યું, કેટલા બલિદાન આપ્યા, કેટલા ત્યાગ કર્યા. 1946માં કોલકાતામાં થયેલી હિંસા, નોઆખલીના રમખાણો, કેટલાય નિર્દોષ બંગાળી માણસો, બંગાળના લોકો તેનો ભોગ બની ગયા.
ભાઈઓ-બહેનો,
બંગાળે રક્તપાત સહન કર્યો, બંગાળે આપ્તજનોને ખોયા, પોતાની માતૃભૂમિના ટુકડા થતા જોયા, પરંતુ બંગાળે પોતાની અસ્મિતા અને ઓળખને નષ્ટ થવા ન દીધી. આનું જ પરિણામ હતું, જ્યારે આખા બંગાળને ભારતથી અલગ કરવાનું ષડયંત્ર થઈ રહ્યું હતું, ત્યારે અલગ પશ્ચિમ બંગાળ બનાવીને તે મનસૂબાઓને કામયાબ થવા દેવામાં આવ્યા નહીં. હજારો વર્ષ જૂની સભ્યતા અને સંસ્કૃતિ, અહીંની મૂળ આસ્થા અને પરંપરા, ત્યારે અનેક સંઘર્ષો પછી બચી ગયા હતા. અને આજે પણ તે મૂલ્યો, આ ધરતીના સંસ્કાર, આજે પશ્ચિમ બંગાળના રૂપમાં ન માત્ર સુરક્ષિત છે, પરંતુ જીવંત પણ છે. એટલા માટે, પશ્ચિમ બંગાળ દિવસના રૂપમાં આપણે માત્ર એક તારીખને યાદ નથી કરી રહ્યા, આપણે આખા ઇતિહાસને યાદ કરી રહ્યા છીએ. આપણે હજારો વર્ષ જૂની બંગાળના વારસાને નમન કરી રહ્યા છીએ.
સાથીઓ,
આજની પેઢીને આપણે વારંવાર પશ્ચિમ બંગાળ દિવસનું મહત્વ બતાવવાની જરૂર છે. તે સમય દરમિયાન શું થઈ રહ્યું હતું, તે યુવા પેઢીને જાણવું જરૂરી છે. જ્યારે આખા બંગાળને પાકિસ્તાનનો હિસ્સો બનાવવાની કોશિશો થઈ રહી હતી, ત્યારે કોંગ્રેસ તે ષડયંત્રકારોની સામે ઘૂંટણ ટેકાવીને પડી હતી. અને આ જ એ સમય હતો, જ્યારે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ તેની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. એપ્રિલ 1947માં તેમણે ઐતિહાસિક પ્રસ્તાવ પસાર કરાવ્યો. તેમણે ઘોષણા કરી, આખું બંગાળ પાકિસ્તાનનો હિસ્સો નહીં બને. આના માટે બંગાળી હિન્દુ હોમલેન્ડ મૂવમેન્ટ શરૂ કરવામાં આવી. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી આનું નેતૃત્વ કરી રહ્યા હતા. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક મેઘનાદ સાહા, ઇતિહાસકાર આર સી મજુમદાર, ઇતિહાસકાર જદુનાથ સરકાર, સુનીતિ કુમાર ચટ્ટોપાધ્યાય, બંગાળના આવા કેટલાય પ્રબુદ્ધ અને પ્રસિદ્ધ લોકો આ મૂવમેન્ટનો હિસ્સો બન્યા. જી-ડી બિરલા જેવા ઉદ્યોગસાહસિકોએ તેને આગળ વધાર્યો. મતુઆ લીડર પીઆર ઠાકુરે આગળ આવીને આ મૂવમેન્ટને સમર્થન આપ્યું. અખબારોમાં લેખો લખાયા, કિસ્સા-વાર્તાઓ લખાઈ. વંદેમાતરમની ભાવનાને એક વાર ફરી સ્ફુરિત કરવામાં આવી. બંગાળના જે અવાજને ધાર્મિક એજન્ડાઓથી દબાવવામાં આવી રહ્યો હતો, આ જન-આંદોલનથી તે સ્વર ફરીથી મુખર થઈ ઉઠ્યા. આનું જ પરિણામ હતું, ભારત વિરોધી લોકોને એ ખબર પડી ગઈ કે આખા બંગાળને ભારતથી તોડવું અશક્ય હશે. અને પશ્ચિમ બંગાળના રૂપમાં આ હિસ્સો મા ભારતીની સાથે રહી ગયો.

સાથીઓ,
જે ભાવનાથી પશ્ચિમ બંગાળને બચાવવામાં આવ્યું હતું, આઝાદી પછી તે જ ભાવના પર તેને આગળ વધારવાની જરૂર હતી, પરંતુ દુર્ભાગ્યે બરાબર આનાથી ઉલટું કામ થયું. પશ્ચિમ બંગાળ દિવસ અને તેની ભાવનાને ભુલાવવાની કોશિશ થઈ. રાજકીય એજન્ડાના કારણે ઇતિહાસનો ‘વ્હાઇટ વોશ’ કરવામાં આવ્યો.
ભાઈઓ-બહેનો,
વિભાજનના સમયે જે કોંગ્રેસ બંગાળને લાવારિસ છોડવા માંગતી હતી, વિભાજન પછી તેણે બચેલા પશ્ચિમ બંગાળમાં પણ તુષ્ટિકરણની રમત રમવાની શરૂ કરી દીધી. પશ્ચિમ બંગાળના આ ઇતિહાસને દબાવવામાં આવ્યો. શ્યામા પ્રસાદ મુખર્જી જનસંઘના સંસ્થાપક બન્યા, એટલા માટે તેમના યોગદાનને નકારવામાં આવ્યું. જે ભાવનાને લઈને તેમણે બંગાળ માટે લડાઈ લડી હતી, તે વિચારને પણ ખતમ કરવાની કોશિશો થતી રહી. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય, સ્વામી વિવેકાનંદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા, જે ધરતીનો આવી મહાન સંતાનો સાથે નાતો રહ્યો હોય, તેના પર વિદેશી વિચારધારા થોપવામાં આવી. પહેલા કોંગ્રેસ, પછી લેફ્ટ, પછી ટીએમસી, દાયકાઓ સુધી પશ્ચિમ બંગાળને સાચવવાની અને સવારવાની જગ્યાએ, તેને ગેરકાયદેસર ઘૂસણખોરોનો અડ્ડો બનવા દીધો. જે બંગાળ ભારતના વિકાસનું નેતૃત્વ કરી શકતું હતું, તે આગળ વધવાની જગ્યાએ પછાત થતું ગયું.
સાથીઓ,
આજે પશ્ચિમ બંગાળ દિવસ પર આપણું કર્તવ્ય છે, આપણે સંકલ્પ લઈએ, હવે ઇતિહાસની તે ભૂલો દોહરાવવામાં આવશે નહીં. હવે પશ્ચિમ બંગાળ દિવસથી પ્રેરણા લઈને નવો ઇતિહાસ રચાશે.
સાથીઓ,
દાયકાઓના કુશાસને પશ્ચિમ બંગાળને માઈલો પાછળ પહોંચાડી દીધું છે. આપ સૌએ જોયું છે, જૂની સરકારોના સમયમાં કેવા હાલાત થઈ ગયા હતા? અહીંથી મોટા ઉદ્યોગોનું પલાયન થયું, નાના ઉદ્યોગ ધંધા ઠપ્પ થતા ગયા, યુવાનોની રોજગારી છીનવાતી ગઈ, સંસાધનો પર ઘૂસણખોરોનો કબજો થતો ગયો. જે પશ્ચિમ બંગાળ ક્યારેક તકોની ભૂમિ હતું, તે પલાયનનું કેન્દ્ર બનતું ગયું. આ જ માહોલમાં આપે એક સંકલ્પ લીધો, ટીએમસી સરકારને પલટવાનો, તેને હટાવવાનો. આપે ભાજપને આશીર્વાદ આપ્યા, રેકોર્ડ સીટોની સાથે અમને વિજયી બનાવ્યા અને આજે આખો દેશ જોઈ રહ્યો છે, કેવી રીતે તરત જ આનું પરિણામ પણ બંગાળને મળવા લાગ્યું છે. જે અધિકારથી આપને વર્ષો સુધી દૂર રાખવામાં આવ્યા, આજે તે હક આપના દ્વાર સુધી પહોંચી રહ્યો છે. મેં ચૂંટણીના સમયે આપને આયુષ્માન ભારત યોજનાની ગેરંટી આપી હતી, હવે બંગાળના દરેક ગરીબને આયુષ્માન ભારતનો લાભ મળવો નક્કી થઈ ગયો છે. માતાઓ-બહેનોને અન્નપૂર્ણા યોજનાનો સીધો લાભ મળવાનો શરૂ થઈ ગયો છે. દરેક ઘરમાં સ્વચ્છ પાણી પહોંચે, તેના માટે પણ પશ્ચિમ બંગાળ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે જલ જીવન મિશનને લઈને MoU સાઈન થઈ ગયો છે. અમે ચૂંટણીના સમયે બંગાળના યુવાનો સાથે વાદો કર્યો હતો, તે વાદો પૂરો કરતા, નોકરીઓમાં વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે. મહિલાઓને ફ્રી બસ યાત્રાનો વાદો પણ પૂરો થઈ ચૂક્યો છે.

સાથીઓ,
વર્ષો-વર્ષ રાજકીય દુશ્મનીમાં જે યોજનાઓને રસ્તામાં જ અટકાવવામાં આવી, લટકાવવામાં આવી, આજે તે બધી બંધિશોને તોડીને જનકલ્યાણ શિબિરો દ્વારા દરેક સરકારી યોજનાનો લાભ સીધો આપના સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. હવે કોઈ વચેટિયા નહીં, કોઈ અડચણ નહીં, સિર્ફ આપના અધિકાર પર ફોકસ છે, બંગાળના વિકાસ પર ફોકસ છે, બંગાળ અને દેશની સુરક્ષા પર ફોકસ છે. આપે જોયું હશે, સરહદ પર ફેન્સિંગ માટે અગાઉની સરકારોએ જમીન ટ્રાન્સફરનું જે કામ દાયકાઓથી રોકી રાખ્યું હતું, નવી સરકાર બનતા જ તે કામ પણ પૂરું કરવાનું કામ શરૂ થયું છે.
ભાઈઓ-બહેનો,
મને ખુશી છે કે પશ્ચિમ બંગાળમાં ઔદ્યોગિક પ્રગતિનો પાયો ફરીથી બનવાનો શરૂ થઈ ગયો છે. આ પાયાના બે અભિન્ન અંગ છે- પ્રામાણિક અને પારદર્શી શાસન! અને બીજું- કાયદાનું રાજ! પશ્ચિમ બંગાળ જ નહીં, આખો દેશ આજે આ બદલાવને જોઈ રહ્યો છે. જેમણે આપને લૂંટ્યા, તેઓ પોતે આવીને લૂંટના પૈસા પાછા આપી રહ્યા છે. મોટા-મોટા લૂંટારુઓને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. સિન્ડિકેટ વાળા જનતા પાસે માફી માંગી રહ્યા છે. ટોલ નાકા પર ગેરકાયદેસર વસૂલાત કરનારા ગુંડા નાકા છોડીને ભાગી ગયા છે. બંગાળના લોકો વિના રોક-ટોક આવી-જઈ રહ્યા છે. એખોન કાટમની શેષ, કાજ શુરુ હોએ ગેછે.
સાથીઓ,
જે બંગાળ અત્યાર સુધી ખરાબ રસ્તાઓ અને ખખડધજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ઝઝૂમી રહ્યું હતું, ત્યાં હવે વર્ષોથી લટકેલા-અટકેલા પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધવા લાગ્યા છે. આપ જુઓ, ચિંગરીઘાટા ક્રોસિંગ પર કોલકાતા મેટ્રોની ઓરેન્જ લાઇનનું અટકેલું કામ પૂરું પણ થઈ ગયું છે. હાવડામાં લગભગ 100 કરોડ રૂપિયાની લાગતથી નવા ડિવિઝનલ રેલવે હોસ્પિટલનો પાયો પણ રાખવામાં આવ્યો છે. અહીં ઇમરજન્સી સેવાઓ હશે અને ગંભીર બીમારીઓની સારવારની વ્યવસ્થા હશે. પૂર્વ મેદિનીપુરમાં હૌર અને રાધામોહનપુર વચ્ચે રોડ ઓવર બ્રિજ, સંકરૈલ–સંતરાગાછી લિંક લાઇન, આવા પ્રોજેક્ટથી અહીંના લોકોને સુવિધા થવાની છે.
સાથીઓ,
આજે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા છે, અને પશ્ચિમ બંગાળના ખેડૂતો માટે વધુ એક ખુશીના સમાચાર છે. આજથી રાજ્યમાં પીએમ ફસલ બીમા યોજના શરૂ કરવામાં આવી રહી છે. ફસલ બીમા યોજના મુશ્કેલ સમયમાં ખેડૂતના પરિવારને સહારા આપશે. પાકને નુકસાન થવા પર ખેડૂત પર બોજ નહીં પડે.
સાથીઓ,
અત્યારે પશ્ચિમ બંગાળ ડિજિટલ એગ્રીકલ્ચર મિશનથી પણ જોડાઈ રહ્યું છે, એગ્રી-સ્ટેક માધ્યમથી કિસાન રજીસ્ટ્રી બનશે. ગામડાઓના નકશા અને વાવવામાં આવેલા પાકની જાણકારી ડિજિટલ રૂપમાં ઉપલબ્ધ થશે. ખાતરની ખરીદી, કિસાન ક્રેડિટ કાર્ડ, ડીબીટી અને લઘુત્તમ ટેકાના ભાવ પર ખરીદી જેવી સેવાઓમાં આનાથી આસાની થશે.

સાથીઓ,
કૃષિ ક્ષેત્રમાં જે સૌથી પછાત જિલ્લાઓ છે, તેમને આગળ લાવવા માટે સરકારે પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના શરૂ કરી છે. આમાં પશ્ચિમ બંગાળના ચાર જિલ્લાઓ- પુરુલિયા, દાર્જીલિંગ, અલીપુરદ્વાર અને ઝાડગ્રામ સામેલ છે. આ જિલ્લાઓમાં ખેતીની ઉત્પાદકતા વધારવા, સ્ટોરેજની સુવિધા બનાવવા અને ખેડૂતો માટે લોન આસાન કરવા પર કામ થશે. બંગાળમાં મત્સ્ય પાલન સાથે ખેડૂતો, માછીમારો, વેપારીઓ બધા જોડાયેલા છે. એટલા માટે, દક્ષિણ 24 પરગનાના ફ્રેઝરગંજ ફિશિંગ હાર્બરની ક્ષમતા વધારવામાં આવી છે. બીરભૂમમાં આધુનિક ફિશ માર્કેટ બનાવવાનું પણ કામ થયું છે. હવે બંગાળ થમશે નહીં, બંગાળ હવે ઇતિહાસ રચશે, એબાર બાંગ્લા થામબે ના એખોન ઇતિહાસ ગોરબે.
સાથીઓ,
આજે આ કાર્યક્રમમાં દેશના અલગ-અલગ હિસ્સાના લાખો ખેડૂત સાથીઓ પણ જોડાયેલા છે, ત્યાંના મુખ્યમંત્રી, ગવર્નર પણ જોડાયેલા છે, દેશભરની સરકારોના મંત્રીઓ પણ જોડાયેલા છે. આની સાથે-સાથે લાખો ખેડૂતો પણ આજે આપણા આ દિવસને મનાવવામાં, તેઓ ત્યાં પણ ભાગીદાર બન્યા છે. આ બધા ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી છે. આજે પોતાના આ બધા ખેડૂત ભાઈઓ-બહેનોને હું એક આગ્રહ પણ કરવા માંગું છું, અને મારા ખેડૂત ભાઈ-બહેન મારી વાતને જરા ગૌરવપૂર્વક ધ્યાનથી સાંભળો, હું તમને હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું, કારણ કે આપણે આપણા બાળકોને બરબાદ થયેલા ખેતરો નથી આપવાના, આપણે આપણા બાળકોને ઉપજાઉ ખેતરો આપવાના છે, આપણે, આપણી આ ધરતી માતાને બચાવવાની છે. આ સમયે ભારત સરકાર ખેતર બચાવો અભિયાન ચલાવી રહી છે, આના હેઠળ માટીની સેહત બચાવવા, કેમિકલ ખાતરનો ઇસ્તેમાલ ઓછો કરવા અને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર જોર આપવામાં આવી રહ્યું છે. આપ પણ વધુમાં વધુ સંખ્યામાં ખેતર બચાવો અભિયાનથી જોડાઓ, ખુદનું ખેતર બચાવવાનો સંકલ્પ કરો. આસપાસના ખેડૂતોને ખેતર બચાવવા માટે પ્રેરિત કરો અને આપણે બધા મળીને આપણી આ ધરતી માની રક્ષા કરીએ, તે આપણી મા છે, આપણે કેમિકલથી આપણી માને મારવાનું પાપ નથી કરી શકતા. આપણે, આપણી આ ધરતી માને બચાવવી પડશે.
સાથીઓ,
ભારત 2047 સુધી વિકસિત દેશ બનવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. વિકસિત ભારતના આ સંકલ્પનો સૌથી મોટો આધાર છે- પૂર્વીય ભારતનો વિકાસ! આના માટે આપણે મિશન પૂર્વોદય પર કામ કરી રહ્યા છીએ. આમાં બંગાળની ભૂમિકા બહુ મોટી છે. બંગાળની પ્રગતિથી પૂર્વીય ભારતની ગતિ વધશે.
ભાઈઓ-બહેનો,
વિકાસના આ અભિયાનમાં આપણે એક બીજી વાતનું ધ્યાન રાખવાનું છે, વિકાસની પહેલી શરત છે, જેને આપણે ક્યારેય ભૂલવાની નથી, અને તે છે- શાંતિ, સૌહાર્દ અને સામાજિક સ્થિરતા! આપણે બંગાળની સાંસ્કૃતિક ઓળખ અને સામાજિક તાણાવાણાને વધુ મજબૂતી આપવાની છે. આપણે બધાને સાથે લઈને ચાલવાનું છે.
સાથીઓ,
આવતીકાલે દેશ અને દુનિયામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ મનાવવાનો છે. આ વખતે હું બંગાળમાં જ યોગ દિવસનો હિસ્સો બનીશ. સ્વામી વિવેકાનંદ અને મહર્ષિ અરવિંદ જેવા યોગીઓની આ ભૂમિ, અહીંથી જે સંદેશ જશે, તેનાથી આખા વિશ્વનું માર્ગદર્શન થશે. હું ચાહીશ, આ વખતે બંગાળના ખૂણે-ખૂણે યોગ દિવસના આયોજન થાય. આપ સૌ યોગ કરો, યોગ દિવસનો હિસ્સો બનો, આ જ અનુરોધ સાથે હું એક વાર ફરી આપ સૌને વિકાસ પરિયોજનાઓની બહુ-બહુ વધામણી આપું છું. આજે જ્યારે આપણે ઉત્સાહ અને ઉમંગ સાથે પશ્ચિમ બંગાળ દિવસ મનાવી રહ્યા છીએ, તો મારો આપ સૌને આગ્રહ છે, પોતાનો મોબાઇલ ફોન નીકાળો, પોતાના મોબાઇલ ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરો અને આપણે બધા મળીને આજે આ બંગ દિવસ મનાવીએ, બધાના મોબાઇલ ફોનની લાઇટ ચાલુ હોય, મારી સાથે બોલો- ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય.
વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ.
બહુ-બહુ ધન્યવાદ.


