આજના એવિએશન, ક્લીન એનર્જી, સેમિકન્ડક્ટર્સ અને કનેક્ટિવિટી ક્ષેત્રના પ્રોજેક્ટ્સ રાજ્યના વિકાસમાં યોગદાન આપશે: PM
જે ભૂમિ પર અલ્લુરી સીતારામ રાજુજીએ આદિવાસી સમુદાયોના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું; તે જ ભૂમિ પર આજે આંધ્રપ્રદેશ માટે નવા એરપોર્ટનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે: PM
આ એરપોર્ટ આંધ્ર અને ઉત્તર આંધ્રના વિકાસ માટે રનવે તરીકે કામ કરશે, તે આંધ્રના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે લોન્ચપેડ છે: PM
એ અત્યંત જરૂરી છે કે આંધ્રપ્રદેશ અને દેશ આપણા પ્રતિભાશાળી યુવાનોની ક્ષમતાનો મહત્તમ લાભ ઉઠાવે; આ હાંસલ કરવા માટે, આપણું ધ્યાન હાલમાં સેમિકન્ડક્ટર્સ જેવા ભવિષ્યના ટેકનોલોજી ઉદ્યોગો પર છે, વિશાખાપટ્ટનમમાં નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શિલાન્યાસ સમારોહ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે: PM
આજે, દેશ તેની બ્લુ ઇકોનોમીને સતત મજબૂત કરી રહ્યો છે; આ સમગ્ર પ્રદેશને કોસ્ટલ ઇકોનોમિક કોરિડોર તરીકે વિકસાવવાનો અમારો દ્રષ્ટિકોણ છે, આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને, વિશાખાપટ્ટનમથી ક્રિષ્નાપટ્ટનમ સુધીના અમારા જૂના બંદરોનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે; આ ઉપરાંત, આપણે મુલાપેટા અને રામયપટ્ટનમમાં નવા બંદરોનું નિર્માણ કરી રહ્યા છીએ: PM

ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય.

આંધ્ર પ્રદેશના ગવર્નર અબ્દુલ નઝીરજી, ગોવાના ગવર્નર અને આ ધરતીના સંતાન અશોક ગજપતિ રાજૂજી, સીએમ, મારા મિત્ર ચંદ્રબાબુ નાયડુજી, ડેપ્યુટી સીએમ ભાઈ પવન કલ્યાણજી, મંત્રીમંડળમાં મારા સાથી યુવા ઊર્જાથી ભરેલા ભાઈ રામમોહન નાયડુજી, ચંદ્રશેખર પેમ્માસાનીજી, ભૂપતિ રાજૂ શ્રીનિવાસ વર્માજી, રાજ્ય સરકારના મંત્રી ભાઈ નારા લોકેશજી, ઉપસ્થિત અન્ય જનપ્રતિનિધિગણ, દેવીઓ અને સજ્જનો.

અંદરિકી નમસ્કારમ્!

સાથીઓ, આજનો દિવસ આંધ્ર પ્રદેશના વિકાસ માટે, સ્વર્ણ આંધ્રના વિઝન માટે ખૂબ મહત્વપૂર્ણ છે. મને આજે ખૂબ શુભ અવસર પર, એક શુભ માસમાં ઉત્તર આંધ્રની આ પવિત્ર ભૂમિ પર આવવાનું સૌભાગ્ય મળ્યું છે. હું સૌથી પહેલા ભગવાન શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામીના ચરણોમાં પ્રણામ કરું છું. હું શ્રી-કૂર્મનાથ સ્વામી અને મા પૈડિતલ્લી અમ્મવારુને નમન કરું છું.

સાથીઓ, આજે અહીં લગભગ 18000 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓનો શુભારંભ, લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે. એરપોર્ટની સાથે સાથે આ પ્રોજેક્ટ્સ આંધ્રની રોડ કનેક્ટિવિટી સાથે પણ જોડાયેલા છે. આમાં એનર્જી સિક્યોરિટી સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ પણ છે. આ વિકાસ કાર્યો એ વાતના પ્રતીક છે કે આ સમયે આંધ્ર કઈ સ્પીડથી આગળ વધી રહ્યું છે. હું આપ સૌને આ પ્રોજેક્ટ્સની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું.

સાથીઓ, આજનો આ કાર્યક્રમ નવો ઈતિહાસ, નવા રેકોર્ડ, આ રચવાનો પણ છે. આજે એક તરફ વિકાસના નવા રેકોર્ડ બની રહ્યા છે, તો સાથે જ ધીમસા ડાન્સનો સાંસ્કૃતિક રેકોર્ડ પણ રચવામાં આવ્યો છે, અને આ ચંદ્રબાબુની વિશેષતા છે કે તેમણે બે ક્ષિતિજોને સ્પર્શ કર્યો છે. એક તરફ ઊંચા આકાશને સ્પર્શતી વ્યવસ્થા એરપોર્ટનું નિર્માણ અને બીજી તરફ મારી અહીંની આદિવાસી બહેનો દ્વારા ધીમસા નૃત્યનો વિશ્વ રેકોર્ડ બનાવવો, હું ચંદ્રબાબુના આ વિઝનની વિશેષરૂપે સરાહના કરું છું.

તેર હજાર થી વધુ આદિવાસી બહેનો અને દીકરીઓની પ્રસ્તુતિ, તેમનો ઉત્સાહ, તેમનું શિસ્ત અને આદિવાસી સંસ્કૃતિનું ગૌરવ, આ દ્રશ્ય ખરેખર અદ્દભુત હતું. આમાં દેશની વિવિધતાની ઝલક પણ હતી અને પેઢી-દર-પેઢી સાચવીને રાખવામાં આવેલો જનજાતીય વારસો પણ હતો. હું આ પ્રસ્તુતિ માટે આપ સૌનું અને વિશેષ રૂપે મારી આદિવાસી બહેનો અને દીકરીઓનું ખૂબ-ખૂબ અભિનંદન કરું છું.

સાથીઓ, આ ધરતી અલ્લૂરી સીતારામ રાજૂની ધરતી છે. અલ્લૂરી સીતારામ રાજૂ જીએ જે ધરતી પર આદિવાસી હિતો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું, આજે એ જ ધરતી પર આંધ્ર પ્રદેશના એક નવા એરપોર્ટની શરૂઆત થઈ રહી છે. આ એરપોર્ટ આંધ્ર અને ઉત્તર આંધ્રની ગ્રોથનો રન-વે છે. આ આંધ્રના યુવાનોના શ્રેષ્ઠ ભવિષ્યનો લોન્ચ પેડ છે. હું આંધ્ર પ્રદેશના લોકોને, દેશના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

સાથીઓ, પહેલાં જ્યારે એરપોર્ટ બનતા હતા, તો એરપોર્ટના નામ એક જ પરિવારના નામ પર ચઢી જતા હતા, અમે આ પરંપરાને બદલી, અમે અયોધ્યામાં એરપોર્ટનું નામ વાલ્મીકિના નામથી જોડ્યું, અમે પંજાબમાં સંત રવિદાસ જીના નામથી એરપોર્ટનું નામ જોડ્યું.

અને સાથીઓ, કેન્દ્રની એનડીએ સરકારે આ નિર્ણય કર્યો છે કે આ નવા એરપોર્ટનું નામ શ્રી અલ્લૂરી સીતારામ રાજૂના નામ પર હશે. આંધ્ર પ્રદેશનો જે પણ નાગરિક, આ એરપોર્ટથી યાત્રા કરશે, દેશ અને દુનિયાનો જે પણ નાગરિક આ એરપોર્ટથી યાત્રા કરશે, તેને અલ્લૂરી સીતારામ રાજૂ જીના નામથી જનસેવા અને રાષ્ટ્રસેવાની પ્રેરણા મળશે.

સાથીઓ, વીતેલા 12 વર્ષમાં દેશના એવિએશન સેક્ટરે અસાધારણ પ્રગતિ કરી છે. 2014 સુધી દેશમાં માત્ર 74 એરપોર્ટ ઓપરેશનલ હતા. આજે આ સંખ્યા 166 છે. એક સમય હતો જ્યારે હવાઈ ઉડાન માત્ર મોટા શહેરો સુધી સીમિત હતી. NDA સરકારમાં આજે નાના શહેરના સામાન્ય લોકો પણ ફ્લાઈટ્સથી આવી-જઈ રહ્યા છે. 12 વર્ષમાં માત્ર એરપોર્ટની સંખ્યા જ નથી વધી, અમારી ઉડાન યોજનાના કારણે આજે ગરીબ પરિવારના લોકોને પણ જહાજમાં બેસવાનો અવસર મળી રહ્યો છે. આ યોજનાએ ગરીબમાં ગરીબને પોતાનું સપનું પૂરું કરવામાં મદદ કરી છે. કેટલાક દિવસ પહેલાં જ સરકારે ઉડાન યોજનાના બીજા ફેઝની શરૂઆત કરી છે. આના પર પણ 29 હજાર કરોડ રૂપીઝ ખર્ચ કરવામાં આવશે.

સાથીઓ, એવિએશન સેક્ટરમાં દેશને વધુ એક મોટો માઈલસ્ટોન હાસિલ થયો છે. કેટલાક જ દિવસ પહેલાં કાશીમાં જે સ્પોક એરપોર્ટ મોડેલનો શુભારંભ થયો, આજે એ જ મોડેલ પંજાબના અમૃતસર સુધી પહોંચી ગયું છે. આનાથી અમૃતસરથી 25થી વધુ ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન જોડાઈ જશે. હું આ સિદ્ધિ માટે આંધ્રની આ ધરતી પરથી પંજાબના લોકોને પણ અભિનંદન આપું છું.

સાથીઓ, આપણા આંધ્ર પ્રદેશ પાસે હંમેશાંથી વિકસિત ભારતનો ગ્રોથ એન્જિન બનવાનું સામર્થ્ય રહ્યું છે. આંધ્ર પ્રદેશના વિકાસ માટે આપણા પ્રયાસો ડબલ એન્જિનની સ્પીડથી આગળ વધે, આના માટે મેં આંધ્રના લોકો પાસે ડબલ એન્જિન સરકારના આશીર્વાદ માગ્યા હતા અને આજે ચંદ્રબાબુ નાયડુ જીના નેતૃત્વમાં, પવન કલ્યાણ જીના નેતૃત્વમાં NDA ની પૂરી ટીમ આંધ્ર પ્રદેશ માટે ડબલ સ્પીડથી કામ કરી રહી છે.

સાથીઓ, આજે દેશ બ્લૂ ઈકોનોમીને સતત મજબૂત કરી રહ્યો છે. અમારું વિઝન છે કે આ આખો વિસ્તાર કોસ્ટલ ઈકોનોમિક કોરિડોરના રૂપમાં વિકસિત થાય, આ જ લક્ષ્ય સાથે વિશાખાપટ્ટનમથી કૃષ્ણાપટ્ટનમ સુધી આપણા જૂના પોર્ટ્સને આધુનિક રૂપ આપવામાં આવી રહ્યું છે. આ સિવાય મુલાપેટા અને રામાયાપટ્ટનમમાં અમે નવા પોર્ટ્સ પણ બનાવી રહ્યા છીએ.

સાથીઓ, પોર્ટ ડેવલપમેન્ટની સાથે-સાથે આખા આંધ્રમાં હાઈવે અને એક્સપ્રેસવેનું નેટવર્ક તૈયાર થઈ રહ્યું છે. વિશાખાપટ્ટનમ-રાયપુર એક્સપ્રેસવે જેવા પ્રોજેક્ટ આ આખા વિસ્તારને રફતાર આપી રહ્યા છે.

સાથીઓ, આ આખો રીજન દેશના મોટા ઔદ્યોગિક કેન્દ્રોથી સરળતાથી જોડાય આના માટે આજે આંધ્ર પ્રદેશમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાની રેલવે પરિયોજનાઓ પર કામ ચાલી રહ્યું છે. રાજ્યના આખા રેલ નેટવર્કનું ઈલેક્ટ્રિફિકેશન થઈ ચૂક્યું છે. અહીં 70 થી વધુ રેલવે સ્ટેશનોને પણ આધુનિક બનાવવામાં આવી રહ્યા છે.

સાથીઓ, આજે આ વિસ્તારના વિકાસમાં પીએમ ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન પણ મોટી ભૂમિકા ભજવી રહ્યો છે. પીએમ ગતિ શક્તિના માધ્યમથી આ આખા વિસ્તારમાં રેલ, પોર્ટ અને એરપોર્ટને એક સાથે જોડવામાં આવી રહ્યા છે. જ્યારે અહીં આ આધુનિક લોજિસ્ટિક્સ નેટવર્ક તૈયાર થઈ જશે, તો ઉદ્યોગોને વધુ સારી કનેક્ટિવિટી મળશે, ખેડૂતોને ફાયદો થશે અને બિઝનેસ કરવાની સરળતા પણ વધશે.

સાથીઓ, આંધ્ર પ્રદેશ હંમેશાં ભવિષ્યની સોચ રાખનારો પ્રદેશ રહ્યો છે. સોફ્ટવેર, IT અને ટેક સેક્ટરમાં આંધ્રના યુવાનોએ આખી દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો છે. અને એટલા માટે જ, સરકાર અહીંના ટેલેન્ટને, આંધ્ર પ્રદેશની ડેવલપમેન્ટ પાવર સાથે જોડવા માંગે છે. આપણા ટેલેન્ટેડ યુવાનોની પ્રતિભાનો લાભ આંધ્ર પ્રદેશ અને દેશને વધુમાં વધુ મળે, એ ખૂબ આવશ્યક છે. આના માટે અમારું ફોકસ હવે સેમિકન્ડક્ટર જેવી ફ્યુચરિસ્ટિક ટેક ઈન્ડસ્ટ્રી પર છે. વિશાખાપટ્ટનમમાં નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શિલાન્યાસ, આ જ દિશામાં એક ખૂબ મોટું પગલું છે. ચંદ્રબાબુના નેતૃત્વમાં અમારું આંધ્ર હવે સોફ્ટવેરની સાથે-સાથે મેન્યુફેક્ચરિંગનું પણ હબ બનશે. આનાથી આંધ્રમાં futuristic jobs તૈયાર થશે, ટેક ઈન્ડસ્ટ્રીઝ માટે નવું વાતાવરણ તૈયાર થશે.

સાથીઓ, વર્લ્ડ ઈકોનોમીમાં ક્યાંય પણ, કોઈ પણ ગ્રોથ સેન્ટરનું નિર્માણ માત્ર એક ફેક્ટરીથી ન થઈ શકે, તેના માટે એક પૂરા ઈકોસિસ્ટમની જરૂરિયાત હોય છે. આજે આંધ્ર પ્રદેશમાં અમે ગ્રોથનું એ જ ઈકોસિસ્ટમ તૈયાર કરી રહ્યા છીએ. ચંદ્રબાબુ નાયડુ જી વ્યક્તિગત સ્તર પર દિવસ-રાત મહેનત કરે છે. આનું જ પરિણામ છે, આજે દુનિયાની ઘણી મોટી-મોટી કંપનીઓ અહીં રોકાણ કરવા માટે આવવા માંગે છે.

સાથીઓ, અહીં સેમિકન્ડક્ટરની સાથે-સાથે AI ઈન્ફ્રા અને ડેટા સેન્ટર પર પણ કામ થઈ રહ્યું છે. Google એ પણ અહીં 15 બિલિયન ડોલરના AI અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેમ્પસની જાહેરાત કરી છે. હજુ પણ ઘણી ગ્લોબલ કંપનીઝ અહીં નવી શક્યતાઓ જોઈ રહી છે. આનો ખૂબ મોટો ફાયદો આંધ્ર પ્રદેશની સાથે-સાથે દેશના યુથ ને થઈ રહ્યો છે.

સાથીઓ, આંધ્રની ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ સ્ટોરી માત્ર ડિજિટલ ટેક સુધી જ સીમિત નથી. નક્કાપલ્લીમાં કેન્દ્ર સરકાર મોટા ફાર્મા પાર્ક માટે પણ સહયોગ આપી રહી છે. આનાથી આંધ્ર પ્રદેશ, દેશના એક મોટા ફાર્મા હબના રૂપમાં પણ વિકસિત થશે. ગ્રીન એનર્જીની ફીલ્ડમાં પણ એકલા રાયલસીમા વિસ્તારમાં 5 લાખ કરોડ રૂપિયાથી વધુનું ઈન્વેસ્ટમેન્ટ થયું છે. હું આજે આંધ્ર પ્રદેશના આપ સૌ લોકોને ફરી વિશ્વાસ અપાવું છું, અમારી સરકાર આવી દરેક શક્યતાઓને સાકાર કરવા માટે દિવસ-રાત, આ ડબલ એન્જિન સરકાર કામ કરતી રહેશે.

સાથીઓ, આજે આંધ્ર પ્રદેશમાં દરેક સેક્ટરમાં કઈ સ્પીડથી કામ થઈ રહ્યું છે, આનો અંદાજો આપ એ વાત પરથી લગાવી શકો છો કે પાછલી 3 યાત્રાઓમાં જ મેં 2 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શુભારંભ અહીં કર્યો છે. મને ખુશી છે કે આંધ્રની આ વિકાસ યાત્રામાં ‘ઉત્તર આંધ્ર’ પણ સશક્ત થઈ રહ્યું છે. અમે વિશાખાપટ્ટનમ ઈકોનોમિક રિજન, V.E.R ને દેશના મોટા ઔદ્યોગિક કેન્દ્રના રૂપમાં વિકસિત કરી રહ્યા છીએ. અમારું લક્ષ્ય છે, V.E.R એશિયાનું પ્રમુખ ઈકોનોમિક હબ બને. આ એરપોર્ટથી લઈને સેમિકન્ડક્ટર યુનિટ સુધી આ જ મિશનનો હિસ્સો છે.

સાથીઓ, અમારી સરકારનો મંત્ર છે- રોકાણથી રોજગારી, એટલા માટે સરકારે પોતાની તરફથી પણ રોકાણ વધાર્યું છે અને અમે પ્રાઈવેટ સેક્ટરને પણ રોકાણ માટે પ્રેરિત કરી રહ્યા છીએ. આપ પણ જાણો છો, જ્યારે રોકાણ વધે છે, તો મેન્યુફેક્ચરિંગ વધે છે, મેન્યુફેક્ચરિંગ વધે છે, તો એક્સપોર્ટ વધે છે, એક્સપોર્ટ વધે છે, તો રોજગારના નવા અવસર બને છે અને રોજગાર વધે છે, તો લોકોની આવક વધે છે, પરિવારોની જિંદગી વધુ સારી થાય છે અને આંધ્ર પ્રદેશમાં અમે આ જ થતું જોઈ રહ્યા છીએ.

સાથીઓ, મને પૂરો વિશ્વાસ છે, આજે અહીં જેટલા પણ પ્રોજેક્ટ્સની શરૂઆત થઈ છે, જેમની પાયાવિધિ રાખવામાં આવી છે, તે બધા પ્રોજેક્ટ્સ સ્વર્ણ આંધ્રા અને વિકસિત ભારતના સંકલ્પને પૂરો કરવામાં ખૂબ મોટું યોગદાન આપશે. ચંદ્રબાબુ જીના નેતૃત્વમાં આંધ્ર પ્રદેશ વિકસિત ભારતના સપનાને પૂરું કરવા માટે એક ખૂબ મોટો ઊર્જા સ્ત્રોત બની રહ્યું છે. હું એક વાર ફરી આ બધી પરિયોજનાઓ માટે આંધ્ર પ્રદેશના લોકોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

ખૂબ-ખૂબ ધન્યવાદ! ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ખૂબ-ખૂબ ધન્યવ

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'BRICS 2026 becomes major Bharat achievement for PM Narendra Modi'

Media Coverage

'BRICS 2026 becomes major Bharat achievement for PM Narendra Modi'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tribute to Saratchandra Chattopadhyay on his 150th birth anniversary
September 15, 2026

The Prime Minister, Shri Narendra Modi has paid homage to renowned Bengali writer Saratchandra Chattopadhyay on his 150th birth anniversary. Remembering the eminent writer, Shri Modi highlighted the enduring significance of his literary works, which have been translated into every Indian language and several foreign languages. He noted that Saratchandra Chattopadhyay’s writings provide an accurate and sensitive portrayal of 19th-century India, particularly Bengali society in rural areas.

The Prime Minister posted on X:

Homage to noted Bengali writer, the versatile Saratchandra Chattopadhyay on his 150th birth anniversary.

His works, translated into every Indian language and several foreign languages, are remembered for their accurate depiction of 19th century India, especially Bengali society in rural areas. Equally noteworthy was his commitment to social reform, women’s rights and nationalism.

I call upon more youngsters to read his writings in the times to come.

প্রখ্যাত বাঙালি লেখক, বহুমুখী প্রতিভার অধিকারী শরৎচন্দ্র চট্টোপাধ্যায়ের ১৫০তম জন্মবার্ষিকীতে জানাই বিনম্র শ্রদ্ধাঞ্জলি।

ভারতের সমস্ত ভাষায় এবং একাধিক আন্তর্জাতিক ভাষায় অনূদিত তাঁর সাহিত্যকর্মগুলি উনিশ শতকের ভারত, বিশেষ করে গ্রামীণ অঞ্চলের বাঙালি সমাজকে সঠিকভাবে চিত্রিত করার জন্য স্মরণীয় হয়ে রয়েছে। সামাজিক সংস্কার, নারী অধিকার এবং জাতীয়তাবাদের প্রতি তাঁর দায়বদ্ধতাও সমানভাবে স্মরণীয়।

আগামী দিনের তরুণ-তরুণীকে আমি আরও বেশি করে তাঁর রচনা পড়ার জন্য আহ্বান জানাচ্ছি।