Climate change must be fought not in silos but in an integrated, comprehensive and holistic way: PM
India has adopted low-carbon and climate-resilient development practices: PM Modi
Smoke free kitchens have been provided to over 80 million households through our Ujjwala Scheme: PM Modi

આદરણીય,

મહાનુભવો,

આજે, આપણે આપણા નાગરિકો અને અર્થતંત્રને વૈશ્વિક મહામારીના પ્રભાવથી બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. આબોહવા પરિવર્તન સામે લડત આપવા માટે પણ આપણે આટલું જ ધ્યાન કેન્દ્રિત કરીએ તે મહત્વનું છે. આબોહવા પરિવર્તન સામે અવશ્ય લડવું જોઇએ, મર્યાદિત રીતે નહીં પરંતુ એકીકૃત, વ્યાપક અને સર્વગ્રાહી રીતે. પર્યાવરણ સાથે સૌહાર્દપૂર્વક રહેવાના અમારા પરંપરાગત સિદ્ધાંતો અને મારી સરકારની કટિબદ્ધતાથી પ્રેરણા લઇને, ભારતે ઓછા કાર્બન અને આબોહવા અનુકૂળ વિકાસની પદ્ધતિઓ અપનાવી છે.

મને જણાવતા આનંદ થાય છે કે, ભારતે માત્ર અમારા પેરિસ કરારના લક્ષ્યો જ પ્રાપ્ત નથી કર્યાં, પરંતુ તેનાથી પણ આગળ વધ્યું છે. ભારતે સંખ્યાબંધ ક્ષેત્રોમાં નક્કર પગલાં લીધા છે. અમે LED લાઇટ્સને લોકપ્રિય બનાવી છે. આનાથી દર વર્ષે 38 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું થાય છે. અમારી ઉજ્જવલા યોજના મારફતે 80 મિલિયનથી વધુ પરિવારોને ધુમાડારહિત રસોડા આપવામાં આવ્યા છે. આ વૈશ્વિક સ્તરે સૌથી મોટી સ્વચ્છ ઉર્જાની કવાયતો પૈકી એક છે.

એકલ વપરાશ પ્લાસ્ટિકના ઉપયોગના નાબૂદ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે; અમારા વનાવરણનું વિસ્તરણ થઇ રહ્યું છે; સિંહ અને વાઘની વસ્તી સંખ્યા વધી રહી છે; અમે 2030 સુધીમાં 26 મિલિયન હેક્ટર વેરાન જમીનને ફરી હરિયાળી કરવાનું લક્ષ્ય રાખીએ છીએ; અને અમે વલયાકાર અર્થતંત્રને પ્રોત્સાહન આપીએ છીએ. ભારત આગામી પેઢીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે, મેટ્રો નેટવર્ક, જળમાર્ગો અને બીજા અનેક કાર્યોનું નિર્માણ કરી રહ્યું છે. સગવડતા અને કાર્યદક્ષતાની સાથે સાથે, તેનાથી સ્વચ્છ પર્યાવરણમાં યોગદાન મળશે. અમે 2022 સુધીમાં 175 ગીગાવૉટ અક્ષય ઉર્જાનું નિર્ધારિત લક્ષ્ય ઘણા વહેલાં જ પ્રાપ્ત કરી લઇશું. હવે, અમે 2030 સુધીમાં 450 ગીગાવૉટનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની દિશામાં એક મોટું ડગલું ભરી રહ્યાં છીએ.

આદરણીય,

મહાનુભવો,

આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન સૌથી ઝડપથી વધી રહેલા આંતરરાષ્ટ્રીય સંગઠનો પૈકી છે જેમાં 88 સભ્ય દેશોએ હસ્તાક્ષર કર્યા છે. અબજો ડૉલરને કાર્યાન્વિત કરવાના, હજારો હિતધારકોને તાલીમ આપવાના અને અક્ષય ઉર્જા ક્ષેત્રમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવાના આયોજન સાથે, ISA કાર્બન ફુટપ્રિન્ટમાં ઘટાડો કરવામાં સતત યોગદાન આપતું રહેશે. અન્ય એક દૃશ્ટાંત આપત્તિ પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગઠબંધન છે.

જી-20ના 9 સભ્ય દેશો સહિત 18 દેશો – અને 4 આંતરરાષ્ટ્રીય સંગઠનો પહેલાંથી જ આ ગઠબંધનમાં જોડાયેલા છે. CDRIએ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિસ્થાપકતા વધારવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે. કુદરતી આપત્તિઓ દરમિયાન થતું માળખાકીય નુકસાન એક એવો વિષય છે જેના પર હકીકતમાં આપવું જોઇએ એટલું ધ્યાન અપાયું નથી. આનાખી ખાસ કરીને ગરીબ રાષ્ટ્રો પર વધુ અસર પડી છે. આથી, આ ગઠબંધન ઘણું મહત્વ ધરાવે છે.

આદરણીય,

મહાનુભવો,

નવી અને ટકાઉક્ષમ ટેકનોલોજીઓના સંશોધન અને આવિષ્કારમાં હજુ પણ વૃદ્ધિ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે. આપણે સહકાર અને સહયોગની ભાવના સાથે આ કરવું જોઇએ. જો વિકાસશીલ વિશ્વને ટેકનોલોજી અને નાણાંનું વધુ સમર્થન મળે તો આખી દુનિયા ઝડપથી પ્રગતિ કરી શકે છે.

આદરણીય,

મહાનુભવો,

માનવજાતની સમૃદ્ધિ માટે, પ્રત્યેક વ્યક્તિ સમૃદ્ધ થાય તે જરૂરી છે. શ્રમને માત્ર ઉત્પાદનના પરિબળ તરીકે જોવાના બદલે, દરેક કામદારના માનવીય ગૌરવ પર ધ્યાન આપવું આવશ્યક છે. આવો અભિગમ આપણા ગ્રહને સલામત રાખવા માટે શ્રેષ્ઠત્તમ બાંહેધરી આપી શકશે.

આપનો આભાર.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India Semiconductor Market Set to Hit $300 Billion, Projected Sixfold Growth by 2035

Media Coverage

India Semiconductor Market Set to Hit $300 Billion, Projected Sixfold Growth by 2035
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Mr. Anutin Charnvirakul on his election as Prime Minister of the Kingdom of Thailand
March 20, 2026

Prime Minister Shri Narendra Modi today extended his heartiest congratulations to Mr. Anutin Charnvirakul on his election as the Prime Minister of the Kingdom of Thailand.

The Prime Minister expressed his keen interest in working closely with the new Thai leadership to further strengthen the multifaceted India-Thailand Strategic Partnership. Shri Modi noted that the ties between the two nations are deeply rooted in a shared civilizational heritage, close cultural connections, and vibrant people-to-people ties. He further affirmed that India and Thailand remain united in their shared aspirations for peace, progress, and prosperity for their respective peoples.

The Prime Minister wrote on X:

"Heartiest congratulations to Mr. Anutin Charnvirakul on his election as Prime Minister of the Kingdom of Thailand. I look forward to working closely with him. Together, we will further deepen the multifaceted India-Thailand Strategic Partnership. Our ties are rooted in shared civilisational heritage, close cultural connect and vibrant people-to-people ties. India and Thailand remain united in our shared aspirations for peace, progress and prosperity for our peoples."