Amid numerous disruptions, this decade has been one of unprecedented development for India, marked by strong delivery and by efforts that have strengthened our democracy: PM
In this decade of the 21st century, India is riding the Reform Express: PM
We have made the Budget not only outlay-focused but also outcome-centric: PM
Over the past decade, we have regarded technology and innovation as the core drivers of growth: PM
Today, we are entering into trade deals with the world because today's India is confident and ready to compete globally: PM

આ ગ્લોબલ બિઝનેસ સમિટમાં આપ સૌનું સ્વાગત છે; હું આપ સૌનું અભિવાદન કરું છું. આપણે અહીં “એ ડેકેડ ઓફ ડિસરપ્શન, એ સેન્ચુરી ઓફ ચેન્જ” (વિક્ષેપનો એક દાયકા, પરિવર્તનની એક સદી) વિષય પર ચર્ચા કરવા માટે એકઠા થયા છીએ. વિનીત જીનું ભાષણ સાંભળ્યા પછી મને લાગે છે કે મારું કામ ઘણું સરળ થઈ ગયું છે. પરંતુ મને એક નાનકડી વિનંતી કરવા દો- કારણ કે તમે આટલું બધું જાણો છો, તે ક્યારેક ET માં પણ પ્રતિબિંબિત થવું જોઈએ.

મિત્રો,

21મી સદીનો પાછલો દાયકા અભૂતપૂર્વ વિક્ષેપનો રહ્યો છે. વિશ્વએ એક વૈશ્વિક મહામારી, વિવિધ પ્રદેશોમાં તણાવ અને યુદ્ધો અને સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની ઘટનાઓ જોઈ છે જેણે વૈશ્વિક સંતુલનને હચમચાવી દીધું છે, આ બધું એક જ દાયકામાં થયું છે. પરંતુ મિત્રો, એવું કહેવાય છે કે રાષ્ટ્રની સાચી તાકાત કટોકટીના સમયે પ્રગટ થાય છે, અને મને એ વાતનો ખૂબ ગર્વ છે કે આટલા બધા વિક્ષેપોની વચ્ચે, આ દાયકો ભારત માટે અભૂતપૂર્વ વિકાસનો રહ્યો છે, જે નોંધપાત્ર ડિલિવરી અને લોકશાહીના મજબૂતીકરણ દ્વારા ચિહ્નિત થયેલ છે. જ્યારે પાછલો દાયકા શરૂ થયો ત્યારે ભારત અગિયારમું સૌથી મોટું અર્થતંત્ર હતું. આવી ઉથલપાથલ વચ્ચે, એવી પ્રબળ આશંકા હતી કે ભારત કદાચ વધુ નીચે સરકી જશે. પરંતુ આજે, ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. અને જે “પરિવર્તનની સદી” વિશે તમે વાત કરો છો, તે હું પૂરી જવાબદારી સાથે કહું છું કે, નોંધપાત્ર રીતે ભારત પર નિર્ભર રહેશે. આજે, ભારત વૈશ્વિક વિકાસમાં 16 ટકાથી વધુ યોગદાન આપે છે, અને મને વિશ્વાસ છે કે આ સદીના આવનારા દરેક વર્ષમાં આપણું યોગદાન સતત વધતું રહેશે. હું અહીં ભવિષ્યવાણી કરતા જ્યોતિષની જેમ નથી આવ્યો. ભારત વૈશ્વિક વિકાસને વેગ આપશે; તે વિશ્વ અર્થતંત્રના નવા એન્જિન તરીકે ઉભરી આવશે.

 

મિત્રો,

બીજા વિશ્વયુદ્ધ પછી, એક નવી વૈશ્વિક વ્યવસ્થાએ આકાર લીધો. પરંતુ સાત દાયકા પછી, તે સિસ્ટમ તૂટી રહી છે. વિશ્વ એક નવી વૈશ્વિક વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. આવું કેમ થઈ રહ્યું છે? તે એટલા માટે થયું કારણ કે અગાઉની સિસ્ટમનો પાયો “વન સાઈઝ ફીટ્સ ઓલ” (બધા માટે એક જ માપદંડ) અભિગમ પર આધારિત હતો. એવું માનવામાં આવતું હતું કે વિશ્વ અર્થતંત્ર કેન્દ્રમાં કેન્દ્રિત હશે અને સપ્લાય ચેઈન મજબૂત અને ભરોસાપાત્ર બનશે. તે માળખામાં રાષ્ટ્રોને માત્ર યોગદાન આપનારા તરીકે જોવામાં આવતા હતા. પરંતુ આજે, આ મોડેલને પડકારવામાં આવી રહ્યો છે અને તે તેની સુસંગતતા ગુમાવી રહ્યું છે. દરેક દેશ હવે સમજે છે કે તેણે પોતાની સ્થિતિસ્થાપકતા બનાવવી જ જોઈએ.

મિત્રો,

વિશ્વ આજે જે ચર્ચા કરી રહ્યું છે, તેને ભારતે 10 વર્ષ પહેલાં, 2015 જેટલા વહેલાં પોતાની નીતિનો ભાગ બનાવ્યો હતો. જ્યારે નીતિ (NITI) આયોગની સ્થાપના કરવામાં આવી ત્યારે તેના સ્થાપના દસ્તાવેજમાં ભારતનું વિઝન સ્પષ્ટપણે વ્યક્ત કરવામાં આવ્યું હતું: ભારત અન્ય કોઈ દેશમાંથી વિકાસનું એક પણ મોડેલ આયાત કરશે નહીં. અમે ભારતના વિકાસ માટે ભારતીય અભિગમ અપનાવીશું. આ નીતિએ ભારતને પોતાની જરૂરિયાતો મુજબ અને પોતાના રાષ્ટ્રીય હિતમાં નિર્ણયો લેવાનો આત્મવિશ્વાસ આપ્યો. તે એક મુખ્ય કારણ છે કે, વિક્ષેપના દાયકા દરમિયાન પણ ભારતની અર્થવ્યવસ્થા નબળી પડી નથી પરંતુ સતત મજબૂત થતી રહી છે.

મિત્રો,

21મી સદીના આ દાયકામાં ભારત ‘રિફોર્મ એક્સપ્રેસ’ પર સવાર છે. આ રિફોર્મ એક્સપ્રેસની સૌથી મોટી વિશેષતા એ છે કે અમે તેને મજબૂરીથી નહીં પણ દૃઢતાથી અને સુધારા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે વેગ આપી રહ્યા છીએ. આર્થિક જગતના અનેક પ્રતિષ્ઠિત નિષ્ણાતો અને દિગ્ગજો અહીં ઉપસ્થિત છે. તમે 2014 પહેલાનો સમય જોયો છે. સુધારાઓ ત્યારે જ હાથ ધરવામાં આવ્યા હતા જ્યારે સંજોગોએ તેમને દબાણ કર્યું હતું, જ્યારે કટોકટી ત્રાટકી હતી, જ્યારે બીજો કોઈ વિકલ્પ રહ્યો નહોતો. 1991 ના સુધારા ત્યારે થયા જ્યારે દેશ દેવાળિયા થવાના જોખમનો સામનો કરી રહ્યો હતો અને તેનું સોનું ગીરો મૂકવું પડ્યું હતું. તે અગાઉની સરકારોનો અભિગમ હતો- તેઓ માત્ર મજબૂરીમાં જ સુધારા કરતા હતા. 26/11 ના આતંકવાદી હુમલા પછી, જ્યારે કોંગ્રેસ સરકારની નબળાઈઓ ખુલ્લી પડી, ત્યારે NIA ની રચના કરવામાં આવી. જ્યારે ઊર્જા ક્ષેત્ર પડી ભાંગ્યું અને ગ્રીડ નિષ્ફળ થવા લાગી, ત્યારે જ જરૂરિયાતને લીધે ઊર્જા ક્ષેત્રમાં સુધારા થયા.

 

મિત્રો,

એવા ઉદાહરણોની લાંબી યાદી છે જે આપણને યાદ અપાવે છે કે જ્યારે સુધારા મજબૂરી હેઠળ કરવામાં આવે છે, ત્યારે ન તો સાચા પરિણામો મળે છે અને ન તો ઇચ્છિત રાષ્ટ્રીય પરિણામો પ્રાપ્ત થાય છે.

મિત્રો,

મને ગર્વ છે કે છેલ્લા અગિયાર વર્ષોમાં, અમે સંપૂર્ણ દૃઢતા સાથે સુધારા કર્યા છે- નીતિમાં, પ્રક્રિયામાં, ડિલિવરીમાં અને માનસિકતામાં પણ સુધારા કર્યા છે. કારણ કે જો નીતિ બદલાય પણ પ્રક્રિયાઓ એ જ રહે, જો માનસિકતા યથાવત રહે, અને જો ડિલિવરીમાં સુધારો ન થાય, તો સુધારા માત્ર કાગળના ટુકડા બનીને રહી જાય છે. તેથી, અમે સમગ્ર સિસ્ટમને બદલવા માટે નિષ્ઠાવાન પ્રયાસો કર્યા છે.

મિત્રો,

મને પ્રક્રિયાઓ વિશે વાત કરવા દો. એક સરળ છતાં નિર્ણાયક પ્રક્રિયા કેબિનેટ નોટ્સની છે. અહીં ઘણા લોકો જાણતા હશે કે અગાઉ, માત્ર કેબિનેટ નોટ તૈયાર કરવામાં મહિનાઓ લાગતા હતા. તે ઝડપે રાષ્ટ્રનો વિકાસ કેવી રીતે થઈ શકે? તેથી અમે આ પ્રક્રિયા બદલી. અમે નિર્ણય લેવાની પ્રક્રિયાને સમયબદ્ધ અને ટેકનોલોજી-સંચાલિત બનાવી. અમે સુનિશ્ચિત કર્યું કે કેબિનેટ નોટ કોઈ પણ અધિકારીના ડેસ્ક પર નિર્ધારિત કલાકોથી વધુ સમય સુધી ન રહે- કાં તો તેને નકારી કાઢો અથવા નિર્ણય લો. દેશ આજે તેનું પરિણામ જોઈ રહ્યો છે.

મિત્રો,

મને રેલવે ઓવરબ્રિજની મંજૂરીઓનું ઉદાહરણ પણ આપવા દો. અગાઉ, એક ડિઝાઇન મંજૂર કરાવવામાં ઘણા વર્ષો લાગતા હતા. બહુવિધ મંજૂરીઓની જરૂર હતી, અને વિવિધ સ્તરે પત્રો લખવા પડતા હતા- અને હું ખાનગી ક્ષેત્ર વિશે નહીં, પરંતુ સરકાર વિશે વાત કરી રહ્યો છું. અમે આ પણ બદલ્યું. આજે જુઓ કે કઈ ગતિએ રોડ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે. વિનીત જીએ આ વિશે વિસ્તૃત વિગત આપી છે.

મિત્રો,

બીજું એક રસપ્રદ ઉદાહરણ સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર (border infrastructure) છે, જે સીધું રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલું છે. એક સમય હતો જ્યારે સરહદી વિસ્તારોમાં સાદો રસ્તો બનાવવા માટે પણ દિલ્હીથી પરવાનગી લેવી પડતી હતી. જિલ્લા સ્તરે, નિર્ણય લેવા માટે સત્તાવાર રીતે કોઈ સત્તામંડળ સશક્ત નહોતું; ત્યાં દીવાલો પર દીવાલો હતી, અને કોઈ જવાબદારી લઈ શકતું નહોતું. તેથી જ, દાયકાઓ પછી પણ સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખરાબ હાલતમાં રહ્યું હતું. 2014 પછી, અમે આ પ્રક્રિયામાં સુધારો કર્યો, સ્થાનિક વહીવટને સશક્ત બનાવ્યો, અને આજે આપણે સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઝડપી વિકાસ જોઈ રહ્યા છીએ.

 

મિત્રો,

પાછલા દાયકામાં એક એવો સુધારો જેણે વિશ્વભરમાં હલચલ મચાવી દીધી છે તે છે UPI, ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ. તે માત્ર એક એપ નથી; તે નીતિ, પ્રક્રિયા અને ડિલિવરીના અસાધારણ સંગમનું પ્રતિનિધિત્વ કરે છે. જેઓ બેંકિંગ અને નાણાકીય સેવાઓ મેળવવાની કલ્પના પણ કરી શકતા નહોતા, તેઓને હવે UPI દ્વારા સેવા આપવામાં આવી રહી છે. ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ, જન ધન-આધાર-મોબાઇલ ટ્રિનિટી- આ સુધારાઓ મજબૂરીમાંથી નહીં પણ દૃઢ વિશ્વાસમાંથી જન્મ્યા હતા. અમારી પ્રતીતિ એવા નાગરિકોનો સમાવેશ સુનિશ્ચિત કરવાની હતી જેમના સુધી અગાઉની સરકારો ક્યારેય પહોંચી શકી નહોતી. જેમની ક્યારેય સંભાળ લેવામાં આવી ન હતી, મોદી તેમને સન્માનિત અને સશક્ત કરે છે. તેથી જ આ સુધારાઓ હાથ ધરવામાં આવ્યા હતા, અને અમારી સરકાર આ જ ભાવના સાથે આગળ વધી રહી છે.

મિત્રો,

ભારતની આ નવી માનસિકતા આપણા બજેટમાં પણ પ્રતિબિંબિત થાય છે. અગાઉ, જ્યારે બજેટની ચર્ચા થતી હતી, ત્યારે ફોકસ માત્ર ‘આઉટલે’ (ખર્ચની ફાળવણી) પર જ હતું- કેટલા પૈસા ફાળવવામાં આવ્યા, શું સસ્તું થયું કે શું મોંઘું થયું. ટેલિવિઝન પર, બજેટની ચર્ચાઓ લગભગ સંપૂર્ણપણે આવકવેરો વધ્યો કે ઘટ્યો તેના પર જ ફરતી હતી, જાણે દેશમાં તેની બહાર બીજું કંઈ અસ્તિત્વમાં જ ન હોય. જાહેર કરાયેલી નવી ટ્રેનોની સંખ્યા હેડલાઇન્સમાં છવાઈ જતી હતી, અને પાછળથી કોઈ પૂછતું નહોતું કે તે જાહેરાતોનું શું થયું. તેથી, અમે બજેટને માત્ર ‘આઉટલે-સેન્ટ્રિક’ (ખર્ચ-કેન્દ્રિત) ને બદલે ‘આઉટકમ-સેન્ટ્રિક’ (પરિણામ-કેન્દ્રિત) માં પરિવર્તિત કર્યું.

મિત્રો,

બજેટ વિમર્શમાં બીજો એક મોટો ફેરફાર આ છે: 2014 પહેલાં, ‘ઓફ-બજેટ બોરોઇંગ’ (બજેટ બહારની ઉધારી) વિશે વ્યાપક ચર્ચા થતી હતી. હવે, ‘ઓફ-બજેટ રિફોર્મ્સ’ (બજેટ બહારના સુધારાઓ) વિશે ચર્ચા થાય છે. બજેટ માળખાની બહાર, અમે નેક્સ્ટ જનરેશન GST સુધારા લાગુ કર્યા, પ્લાનિંગ કમિશનના સ્થાને નીતિ આયોગ લાવ્યા, કલમ 370 હટાવી, ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો અને નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કર્યો.

મિત્રો,

બજેટમાં જાહેર કરવામાં આવ્યા હોય કે તેની બહાર, રિફોર્મ એક્સપ્રેસ સતત ગતિ પકડી રહી છે. માત્ર પાછલા વર્ષમાં જ, અમે બંદરો અને મેરીટાઇમ ક્ષેત્રમાં સુધારા કર્યા છે, શિપબિલ્ડિંગ ઉદ્યોગ માટે અસંખ્ય પહેલો કરી છે, જન વિશ્વાસ અધિનિયમ હેઠળ સુધારાઓ આગળ વધાર્યા છે, ઊર્જા સુરક્ષા માટે ‘શાંતિ અધિનિયમ’ બનાવ્યો છે, શ્રમ કાયદાના સુધારા લાગુ કર્યા છે, ‘ભારતીય ન્યાય સંહિતા’ રજૂ કરી છે, વક્ફ કાયદામાં સુધારો કર્યો છે, અને ગ્રામીણ રોજગારને પ્રોત્સાહન આપવા માટે નવો ‘GRAM G Act’ રજૂ કર્યો છે. આખા વર્ષ દરમિયાન આવા અસંખ્ય સુધારાઓ કરવામાં આવ્યા છે.

 

મિત્રો,

આ વર્ષના બજેટે રિફોર્મ એક્સપ્રેસને વધુ આગળ ધપાવી છે. બજેટના ઘણા પરિમાણો હોવા છતાં, હું બે મહત્વના પરિબળો- કેપેક્સ (Capex) અને ટેકનોલોજી વિશે વાત કરીશ. પાછલા વર્ષોની જેમ, આ બજેટમાં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ વધારીને લગભગ ₹17 લાખ કરોડ કરવામાં આવ્યો છે. તમે કેપેક્સની નોંધપાત્ર ગુણક અસર (multiplier effect) થી વાકેફ છો; તે રાષ્ટ્રની ક્ષમતા અને ઉત્પાદકતા વધારે છે અને અસંખ્ય ક્ષેત્રોમાં મોટા પાયે રોજગારી ઉભી કરે છે. પાંચ યુનિવર્સિટી ટાઉનશીપનું નિર્માણ, ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં ‘સિટી ઇકોનોમિક રિજન’ની રચના અને સાત નવા હાઇ-સ્પીડ રેલ કોરિડોર, આવી બજેટ જાહેરાતો સાચા અર્થમાં આપણા યુવાનોમાં અને રાષ્ટ્રના ભવિષ્યમાં રોકાણ છે.

મિત્રો,

છેલ્લા દાયકામાં, અમે ટેકનોલોજી અને નવીનતાને વિકાસના મુખ્ય ચાલક તરીકે ગણ્યા છે. આ વિઝન સાથે, અમે દેશભરમાં સ્ટાર્ટ-અપ સંસ્કૃતિ અને હેકાથોન સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે. આજે, ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત 2 લાખથી વધુ નોંધાયેલા સ્ટાર્ટ-અપ્સ છે. અમે અમારા યુવાનોને પ્રોત્સાહિત કર્યા અને જોખમ લેવાની વૃત્તિને પુરસ્કૃત કરતી ભાવના કેળવી. પરિણામો આપણી સમક્ષ સ્પષ્ટ છે. આ વર્ષનું બજેટ આ પ્રાથમિકતાને વધુ મજબૂત બનાવે છે. ખાસ કરીને બાયોફાર્મા, સેમિકન્ડક્ટર્સ અને AI જેવા ક્ષેત્રો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.

મિત્રો,

જેમ જેમ દેશની આર્થિક તાકાત વધી છે, તેમ અમે રાજ્યોને પણ તેટલા જ પ્રમાણમાં સશક્ત કર્યા છે. મને બીજો એક આંકડો શેર કરવા દો. 2004 અને 2014 વચ્ચે, દસ વર્ષમાં, રાજ્યોને ટેક્સ ડેવોલ્યુશન (કર હસ્તાંતરણ) તરીકે લગભગ ₹18 લાખ કરોડ મળ્યા હતા. તેનાથી વિપરીત, 2014 થી 2025 સુધીમાં, રાજ્યોને ₹84 લાખ કરોડ આપવામાં આવ્યા છે. જો હું આ વર્ષના બજેટમાં પ્રસ્તાવિત અંદાજે ₹14 લાખ કરોડ ઉમેરું, તો અમારી સરકાર હેઠળ રાજ્યોને કુલ ટેક્સ ડેવોલ્યુશન લગભગ ₹100 લાખ કરોડ સુધી પહોંચી જશે. આ રકમ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્ય સરકારોને તેમના સંબંધિત પ્રદેશોમાં વિકાસની પહેલને આગળ વધારવા માટે ટ્રાન્સફર કરવામાં આવી છે.

મિત્રો,

આ દિવસોમાં ભારતના FTAs- ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (મુક્ત વ્યાપાર કરારો) વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. જેવો મેં અહીં પ્રવેશ કર્યો, વાતચીત શરૂ થઈ ચૂકી હતી અને વિશ્વભરમાં વિશ્લેષણ થઈ રહ્યું છે. જો કે, આજે હું એક બીજો રસપ્રદ પરિપ્રેક્ષ્ય રજૂ કરું- કદાચ એવો એંગલ નહીં જે મીડિયા શોધે છે, પરંતુ તે કદાચ ઉપયોગી થઈ શકે. હું દ્રઢપણે માનું છું કે હું જે કહેવા જઈ રહ્યો છું તે કદાચ તમારા મગજમાં પણ આવ્યું નહીં હોય. શું તમે ક્યારેય વિચાર્યું છે કે 2014 પહેલા વિકસિત રાષ્ટ્રો સાથે આવા વ્યાપક મુક્ત વ્યાપાર સોદા કેમ સાકાર ન થયા? દેશ એ જ હતો, યુવા શક્તિ એ જ હતી, સરકારી વ્યવસ્થા એ જ હતી- તો શું બદલાયું? બદલાવ સરકારના વિઝનમાં, તેની નીતિ અને ઈરાદામાં અને ભારતની ક્ષમતાઓમાં આવ્યો છે.

મિત્રો,

એક ક્ષણ માટે વિચારો- જ્યારે ભારતને “ફ્રેજાઈલ ફાઈવ” (Fragile Five) અર્થતંત્રોમાં લેબલ કરવામાં આવ્યું હતું, ત્યારે કોણ અમારી સાથે જોડાત? ગામડામાં, શું કોઈ શ્રીમંત પરિવાર પોતાની દીકરીના લગ્ન કોઈ ગરીબ ઘરમાં કરવા સંમત થશે? તેઓ તેને હીન નજરે જોશે. વિશ્વમાં અમારી એવી જ સ્થિતિ હતી. જ્યારે દેશ પોલિસી પેરાલિસિસ (નીતિગત લકવા) ની પકડમાં હતો, કૌભાંડો અને ભ્રષ્ટાચારથી ઘેરાયેલો હતો, ત્યારે ભારત પર કોણ વિશ્વાસ કરી શકત? 2014 પહેલા ભારતનો ઉત્પાદન પાયો (manufacturing base) અત્યંત નબળો હતો. અગાઉની સરકારો ખચકાતી હતી; ભાગ્યે જ કોઈ ભારત પાસે આવતું હતું, અને જો પ્રયત્નો કરવામાં આવતા તો પણ તેઓ ડરતા હતા કે વિકસિત રાષ્ટ્રો સાથેના સોદાથી તે દેશો આપણા બજારોમાં સ્થાપિત થઈ જશે અને તેના પર કબજો કરી લેશે. નિરાશાના તે વાતાવરણમાં, 2014 પહેલા, UPA સરકાર વિશ્વના માત્ર ચાર દેશો સાથે વ્યાપક વ્યાપાર કરારો કરી શકી હતી. તેની સરખામણીમાં, છેલ્લા દાયકામાં ભારત દ્વારા કરવામાં આવેલા વ્યાપાર સોદા વિશ્વના વિવિધ પ્રદેશોના 38 દેશોને આવરી લે છે. આજે, અમે વ્યાપાર કરારોમાં પ્રવેશ કરી રહ્યા છીએ કારણ કે ભારત આત્મવિશ્વાસ ધરાવે છે. આજનું ભારત વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા તૈયાર છે. છેલ્લા અગિયાર વર્ષોમાં ભારતે મજબૂત મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ બનાવી છે. તેથી, ભારત આજે સક્ષમ અને સશક્ત છે, અને તેથી જ વિશ્વ આપણા પર વિશ્વાસ કરે છે. આ પરિવર્તન આપણી વ્યાપાર નીતિમાં પેરાડાઈમ શિફ્ટ (મૂળભૂત પરિવર્તન) નો પાયો બનાવે છે, અને આ પેરાડાઈમ શિફ્ટ વિકસિત ભારત તરફની આપણી સફરમાં એક આવશ્યક સ્તંભ બની ગઈ છે.

 

મિત્રો,

દરેક નાગરિક વિકાસમાં સહભાગી થાય તે સુનિશ્ચિત કરવા માટે અમારી સરકાર પૂરી સંવેદનશીલતા સાથે કામ કરી રહી છે. પ્રગતિની દોડમાં પાછળ રહી ગયેલા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. અગાઉની સરકારોએ દિવ્યાંગો માટે માત્ર જાહેરાતો જ કરી હતી; અમે પણ તે રસ્તો ચાલુ રાખી શક્યા હોત. પરંતુ સંવેદનશીલતા શાસનને વ્યાખ્યાયિત કરે છે. હું જે ઉદાહરણ આપવા જઈ રહ્યો છું તે તમારામાંથી કેટલાકને નાનું લાગી શકે છે. જેમ આપણા દેશમાં ભાષાકીય વિવિધતા છે, તેમ સાઈન લેંગ્વેજ (સંકેત ભાષા) પણ ખંડિત હતી- તમિલનાડુમાં એક સ્વરૂપ, ઉત્તર પ્રદેશમાં બીજું, ગુજરાતમાં ત્રીજું, આસામમાં ચોથું. જો કોઈ દિવ્યાંગ વ્યક્તિ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુસાફરી કરે તો વાતચીત મુશ્કેલ બની જતી હતી. આ બહુ મોટું કામ ન લાગે, પરંતુ સંવેદનશીલ સરકાર આવી બાબતોને નજીવી ગણતી નથી. પ્રથમ વખત, ભારતે ઇન્ડિયન સાઈન લેંગ્વેજને સંસ્થાકીય અને પ્રમાણિત કરી છે. તેવી જ રીતે, ટ્રાન્સજેન્ડર સમુદાય લાંબા સમયથી તેમના અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યો હતો; અમે તેમને ગૌરવ અને રક્ષણ આપતો કાયદો બનાવ્યો. પાછલા દાયકામાં લાખો મહિલાઓને ટ્રિપલ તલાકની પછાત પ્રથામાંથી મુક્ત કરવામાં આવી હતી અને લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે અનામત સુનિશ્ચિત કરવામાં આવી હતી.

મિત્રો,

સરકારી તંત્રની માનસિકતામાં પણ પરિવર્તન આવ્યું છે, તે વધુ સંવેદનશીલ બની છે. વિચારવાનો આ તફાવત જરૂરિયાતમંદોને મફત અનાજ આપવા જેવી યોજનાઓમાં પણ દેખાય છે. વિરોધ પક્ષમાં કેટલાક લોકો અમારી મજાક ઉડાવે છે; અમુક અખબારો આવી મજાકને વધારીને રજૂ કરે છે. તેઓ પૂછે છે કે જ્યારે 250 મિલિયન (25 કરોડ) લોકો કથિત રીતે ગરીબીમાંથી બહાર આવ્યા છે ત્યારે મફત રાશન કેમ આપવામાં આવે છે? તે એક વિચિત્ર પ્રશ્ન છે. જ્યારે દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે, ત્યારે શું ડોક્ટર હજુ પણ કેટલાય દિવસો સુધી સાવચેતી રાખવાની સલાહ નથી આપતા? હા, વ્યક્તિ ગરીબીમાંથી બહાર આવી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ટેકો તાત્કાલિક બંધ કરી દેવો જોઈએ. સંકુચિત વિચારસરણી ધરાવતા લોકો એ સમજવામાં નિષ્ફળ જાય છે કે કોઈને ગરીબીમાંથી બહાર કાઢવું ​​એ પૂરતું નથી; આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે જેઓ નવ-મધ્યમ વર્ગ (neo-middle class) માં પ્રવેશ્યા છે તેઓ ફરીથી ગરીબીમાં ન ધકેલાય. તેથી જ મફત અનાજના રૂપમાં સતત સહાય જરૂરી છે. પાછલા વર્ષોમાં, કેન્દ્ર સરકારે આ યોજના પર લાખો કરોડ ખર્ચ્યા છે, જે ગરીબો અને નવ-મધ્યમ વર્ગને મોટો ટેકો પૂરો પાડે છે.

મિત્રો,

આપણે બીજા સંદર્ભમાં પણ વિચારમાં તફાવત જોઈએ છીએ. કેટલાક લોકો પ્રશ્ન કરે છે કે હું 2047 ની વાત કેમ કરું છું. તેઓ પૂછે છે કે શું ત્યારે ખરેખર વિકસિત ભારત સાકાર થશે, અને જો આપણે પોતે તે સમયે હાજર ન હોઈએ તો શું ફરક પડે છે? આ પણ એક પ્રચલિત માનસિકતા છે.

મિત્રો, જે

આ ભારતની આઝાદી માટે લડ્યા હતા તેઓએ લાઠીચાર્જ, સેલ્યુલર જેલમાં કેદ અને ફાંસીના માચડે ચડવાનું પણ સહન કર્યું હતું. જો તેઓએ વિચાર્યું હોત કે આઝાદી કદાચ તેમના જીવનકાળમાં નહીં આવે અને પ્રશ્ન કર્યો હોત કે તેઓએ તેના માટે કેમ સહન કરવું જોઈએ, તો શું ભારત ક્યારેય સ્વતંત્રતા પ્રાપ્ત કરી શક્યું હોત? જ્યારે રાષ્ટ્ર પ્રથમ આવે છે, જ્યારે રાષ્ટ્રીય હિત સર્વોપરી હોય છે, ત્યારે દરેક નિર્ણય અને દરેક નીતિ દેશ માટે ઘડવામાં આવે છે. અમારું વિઝન સ્પષ્ટ છે- આપણે વિકસિત ભારત બનાવવા માટે અથાક મહેનત કરવાનું ચાલુ રાખવું જોઈએ. આપણે 2047 માં હાજર હોઈએ કે ન હોઈએ, રાષ્ટ્ર ટકી રહેશે અને ભાવિ પેઢીઓ જીવશે. તેથી, આપણે આપણું વર્તમાન સમર્પિત કરવું જોઈએ જેથી તેમનું આવતીકાલ સુરક્ષિત અને ઉજ્જવળ હોય. હું આજે વાવું છું જેથી આવતીકાલની પેઢીઓ પાક લણી શકે.

 

મિત્રો,

વિશ્વએ હવે વિક્ષેપ (disruption) સાથે જીવવા માટે તૈયાર રહેવું જોઈએ. તેનું સ્વરૂપ સમય જતાં બદલાઈ શકે છે, પરંતુ સિસ્ટમમાં ઝડપી પરિવર્તન અનિવાર્ય છે. તમે AI દ્વારા લાવવામાં આવેલા વિક્ષેપને પહેલેથી જ જોઈ શકો છો. આવનારા વર્ષોમાં, AI વધુ ક્રાંતિકારી પરિવર્તનો લાવશે અને ભારત તૈયાર છે. થોડા દિવસોમાં ભારત ગ્લોબલ AI ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરશે. વિશ્વભરના રાષ્ટ્રો અને ટેકનોલોજી નેતાઓ અહીં એકઠા થશે. તે બધા સાથે મળીને, અમે એક વધુ સારું વિશ્વ બનાવવા માટે પ્રયત્ન કરવાનું ચાલુ રાખીશું. આ આત્મવિશ્વાસ સાથે, હું ફરી એકવાર આ સમિટ માટે આપ સૌને મારી શુભકામનાઓ પાઠવું છું.

ખૂબ ખૂબ આભાર.

વંદે માતરમ.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian Railways renews 54,600 km of tracks since 2014, boosting speed potential and safety

Media Coverage

Indian Railways renews 54,600 km of tracks since 2014, boosting speed potential and safety
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Shri Narendra Modi speaks with the President of Iran
March 12, 2026
President Pezeshkian shares his perspective on the situation in Iran and the region.
PM reiterates India’s consistent position on resolving all issues through dialogue and diplomacy.
PM highlights India’s priority regarding safety and well-being of Indian nationals and unhindered transit of energy and goods.

Prime Minister Shri Narendra Modi had a telephone conversation today with the President of the Islamic Republic of Iran, H.E. Dr. Masoud Pezeshkian.

President Pezeshkian briefed the Prime Minister on the current situation in Iran and shared his perspective on recent developments in the region.

The Prime Minister expressed deep concern about the evolving security situation in the region and reiterated India’s consistent position that all issues must be resolved through dialogue and diplomacy.

The Prime Minister highlighted India’s priority regarding the safety and well-being of Indian nationals in the region, including in Iran, as also the importance of unhindered transit of energy and goods.

The two leaders agreed to remain in touch.