We must plan for the future. We must plan adequately for growth of our cities: PM
Government of India is actively working on the Rurban Mission. This caters to those places that are growing & urbanising quickly: PM
Character & spirit of the village has to be preserved & at the same time we need to invigorate our villages with good facilities: PM
In this nation everybody is equal before the law and everyone has to follow the law: PM

મંચ પર બેઠેલા સહુ મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં આવેલા પૂણેના સહુ ભાઈઓ અને બહેનો.

આપણા દેશમાં ઘણું ઝડપભેર અર્બનાઈઝેશન થઈ રહ્યું છે. તમે ગમે તેટલી વ્યવસ્થા કરો, પરંતુ જે ઝડપે શહેરીકરણ થઈ રહ્યું છે. આપણા માટે અત્યંત આવશ્યક બન્યું છે કે આપણે બે દિશામાં કામ કરીએ. ગામડાઓમાં આપણે એ પ્રકારના કાર્યો વિકસાવીએ, રોજગારની તકોનું સર્જન કરીએ, ક્વોલિટી ઑફ લાઈફ - એમાં ગુણાત્મક પરિવર્તન લાવીએ, જે સવલતો શહેરમાં છે. એ સવલતો ગામડાઓને મળે. જે સંભાવનાઓ શહેરમાં છે, તે સંભાવનાઓ ગામડાઓમાં પણ હોય. જે તકો શહેરમાં મળી રહે છે, તે તકો ગામડાઓમાં પણ ઉપલબ્ધ હોય. આટલું કરીશું, ત્યારે ગામડામાંથી શહેર તરફની જે દોડ છે, તેમાં આપણે કંઈક ઘટાડો લાવી શકીશું. બીજી તરફ, જો આપણે વિભાજિત થઈને વિચારીશું, હમણાં - હમણાં જ ચૂંટણીઓ જીતીને આવ્યા છીએ. પાંચ વર્ષમાં ફરી ચૂંટણી કેવી રીતે જીતીશું એ જ બાબતે જો વિચારીશું, તો આપણે શહેરોની સામે જે પડકારો ઊભા થઈ રહ્યા છે, તે પડકારોનો ક્યારેય ઉકેલ નહીં લાવી શકીએ. અને એટલે જ ટૂંકા સમયમાં રાજનીતિક લાભ થાય કે ન થાય, પચ્ચીસ વર્ષ, ત્રીસ વર્ષ પછી આપણું શહેર કેવું હશે, શહેરને કેટલા પ્રમાણમાં પાણી જોઈશે, કેટલી શાળાઓ જોઈશે, કેટલી હોસ્પિટલો જોઈશે, ટ્રાફિક કેટલો વધશે અને તેની શું વ્યવસ્થા હશે. આટલા દૂરના વિચારો સાથે જો આપણા શહેરને વિકસાવવાનું આયોજન કરીશું, ત્યારે આ જે પૂરઝડપે શહેરીકરણ થઈ રહ્યું છે, તેની સામેના પડકારોનો આપણે ઉકેલ લાવી શકીશું. દિલ્હીમાં જે સરકાર છે, જેને તમે જવાબદારી સોંપી છે, અને એટલે અમે અમારી કાર્યશૈલીમાં તાત્કાલિક લાભને બદલે કાયમી પરિવર્તન પર ભાર મૂક્યો છે. અમે ગામડાઓ માટે યોજના બનાવી છે. રુર્બન મિશન. આ રુર્બન મિશન એવું છે, જેમાં ગામડું ધીમે - ધીમે શહેર બનવા લાગ્યું છે. જોતજોતામાં વસતી વધી રહી છે. આ ગામડા મોટા શહેરોના વીસ પચ્ચીસ કિલોમીટરની ત્રિજ્યામાં છે. અમે સમગ્ર દેશમાં તમામ રાજ્યોને કહ્યું છે કે આવા ગામડા અલગ તારવો અને આ ગામડાઓને રુર્બન યોજના હેઠળ વિકસિત કરવાનો એક વિસ્તૃત કાર્યક્રમ ચાલી રહ્યો છે. રુર્બન મિશનનો સરળ અર્થ છે - આત્મા ગામડાનો હોય અને સવલતો શહેરની હોય. ગામડાનો આત્મા મરવો ન જોઈએ. એ સુરક્ષિત રહેવો જોઈએ, વિકસવો જોઈએ, પરંતુ ગામડાના લોકોને 18મી સદીમાં જીવવા માટે મજબૂર ન કરી શકાય. અને એટલે જ અમે બીજી તરફ શહેરોમાં મોટું પરિવર્તન લાવવાનું કામ હાથ ધર્યું છે અને પરિવર્તનની સૌપ્રથમ જરૂરિયાત હોય છે - ઈન્ફ્રાસ્ટ્રક્ચર. આપણા દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રત્યે મોટા ભાગે ઉદાસિનતા સેવાઈ છે. અત્યારે આટલાથી ચાલી જશે, તો હમણાં આટલો જ રસ્તો બનાવો. અને પછી જ્યારે રસ્તો પહોળો કરવાનો હોય, ત્યારે લોકોએ ત્યાં અતિક્રમણ કરી દીધું હોય છે. અને પછી કોર્ટ કચેરીનો મામલો ચાલે છે અને પચ્ચીસ ત્રીસ વર્ષ સુધી કોઈ મેળ પડતો નથી. આપણે આવું કરતા આવ્યા છીએ. પાણીનો નળ નાંખીશું, જ્યાં સુધી પાણીના નળ નાંખવાનું કામ પૂરું થઈ જશે - પાઈપલાઈન નાંખવાનું કામ, ત્યાં સુધીમાં વસતી એટલી બધી વધી ગઈ હશે કે પાઈપલાઈનની સાઈઝ નાની પડશે. પછી પ્રશ્ન ઊભો થશે કે મોટી પાઈપલાઈન કેવી રીતે નાંખીશું. એટલે કે આપણે વિકાસના એવા મોડેલને લઈને આગળ વધ્યા છીએ, જેના કારણે આપણે તાત્કાલિક લાભનો તો અનુભવ કરી છીએ, પરંતુ એવી વ્યવસ્થાઓ ઊભી નથી કરતા, જેનાથી આગામી દિવસોમાં જે બોજ પડવાનો છે, તેનો ઉકેલ પણ આપણને મળી રહે.

અમારો પ્રયત્ન છે કે આજે સમગ્ર દેશમાં એક સાથે પચાસથી વધુ શહેરોમાં મેટ્રોની દિશામાં આગળ વધવાનો પ્રયાસ છે. તમે કલ્પના કરી શકો છો કે કેટલા મોટો આર્થિક બોજો ઉઠાવવાનો અમે નિર્ણય કર્યો છે. પરંતુ જો અમે ટુકડાઓમાં આ કાર્ય કરીને વાતોને ટાળી દઈએ તો એક તો પ્રોજેક્ટ મોંઘા થઈ જાય છે, એ શહેરની સમસ્યાઓ વધતી જાય અને નાણાં ખર્ચ કરવા છતાં પણ એ સવલત જરૂરિયાતોને પહોંચી વળે એટલી નથી હોતી. અને એટલે અમારો બીજો પ્રયાસ છે કે જે પણ કામ હાથ પર લઈએ, તેને નિર્ધારિત સમય મર્યાદામાં પૂરું કરીએ. બની શકે તો પચ્ચીસ ત્રીસ વર્ષ પછીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવાનો પ્રયાસ કરીએ. આજે કદાચ એ આર્થિક રીતે પરવડે તેમ હોય કે ન હોય, પરંતુ એકવાર જ્યારે કામ હાથ પર લઈ લઈએ છીએ, ત્યારે બે ચાર વર્ષમાં આપણને તે આર્થિક રીતે પરવડે તેમ હોવાનું અનુભવ પણ થવા માંડે છે. અમે જીવનની ગુણવત્તા - ક્વોલિટી ઑફ લાઈમાં પરિવર્તન લાવવા માગીએ છીએ.

આજે સમગ્ર દેશમાં અઢી લાખ પંચાયત છે, તેને ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક સાથે જોડવાનું એક ઘણું મોટું કામ ચાલી રહ્યું છે. આ ડિજિટલ ઈન્ડિયા માત્ર શહેરો માટે નથી. સંપૂર્ણ હિન્દુસ્તાનને આપણે જ્યાં સુધી આધુનિક વ્યવસ્થા અને વિજ્ઞાન સાથે નહીં જોઈએ, ત્યાં સુધી દેશને આગળ નહીં વધારી શકીએ. એક જમાનો હતો, જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ચર્ચા થતી હતી, ત્યારે રસ્તા, રેલવે, વધુને વધુ એરપોર્ટ માટેની વાતો થતી હતી. હવે સમય બદલાઈ ગયો છે. લોકોને હાઈવે પણ જોઈએ છે અને આઈવે પણ જોઈએ છે. હાઈવેઝ ઈન્ફર્મેશન બેઝ હાઈવે પણ જોઈએ છે, આઈવે પણ જોઈએ છે. જો આઈવેઝ જોઈએ તો ઓપ્ટિકલ ફાઈબર આપણે સમગ્ર દેશમાં નાખવા પડશે. પહેલા પાણીના નળ નાંખવામાં આવી રહ્યા હતા. પાણીની પાઈપલાઈન નંખાય તો લોકો ખુશ થઈ જતા. હવે લોકો કહે છે કે સાહેબ અમારે ત્યાં ગેસની પાઈપલાઈન પણ જોઈએ છે. સમય બદલાઈ ગયો છે, તો બદલાયેલા સમયમાં આપણે વિકાસની સમજણને પણ આધુનિક કરવી પડશે. અને ત્યારે સામાન્ય માણસને આવનારા દિવસોમાં જે જરૂરિયાતો પડવાની છે, તેને આપણે પરિપૂર્ણ કરી શકીશું. હાલમાં સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વ્યાપને રેલવે અને રસ્તાઓથી પણ વધારીને વોટર ગ્રિડ, ડિજિટલ નેટવર્ક, ગેસ ગ્રીડ, સ્પેસ સાથે સીધા સંપર્ક સુધી વિસ્તારી છે. જો આપણો ખેડૂત વીમો ઉતરાવે છે, તો તેનો પાક કેટલો હતો તેના પાકને કેટલું નુકસાન થયું. એ બધું સ્પેસ ટેકનોલોજીથી ખબર પડવી જોઈએ અને ખેડૂતને તેના હક્કના નાણાં મળવા જોઈએ. આ પ્રકારનું નેટવર્ક સ્થાપવું એ સમયની માગ છે. અને એ રીતે, ભારત આધુનિક ભારત બનશે. ભારત વ્યવસ્થાઓ અને સવલતોથી સભર હોય, એવું સ્વપ્ન સેવીને અમે આગળ વધી રહ્યા છીએ.

પૂણેમાં મેટ્રોનો આ પ્રોજેક્ટ સ્થપાય ત્યારે અહીંના લોકોની નારાજગી ઘણી સ્વાભાવિક છે. જો આ જ કામ ઘણા સમય પહેલા કરાયું હોત, તો ખર્ચ ઓછો થયો હોત. આટલાં વર્ષો જે પરેશાની ભોગવવી પડી, તે ન ભોગવવી પડી હોત. કેટલાયે લોકોએ તકલીફ પડતી હોવાથી ગાડીઓ ખરીદી, એમણે ગાડીઓ ન ખરીદવી પડી હોત. એ લોકો સમજી જાત કે મેટ્રો આવી ગઈ છે, તો ગાડી ખરીદવાનો ખર્ચ શું કામ કરું. પાર્કિંગ માટે જગ્યા નથી. પરંતુ જાગ્યા ત્યારથી સવાર. અને પૂણેના મારા ભાઈઓ-બહેનો, અગાઉની સરકાર ઘણાં સારા - સારા કામો મારા માટે બાકી રાખીને ગઈ છે. અને એટલે આ સારા કામો કરવાનો મને અવસર મળી રહ્યો છે. મને આજે પૂણેમાં આ કામ માટે તમારા લોકોની વચ્ચે આવવાનું સૌભાગ્ય સાંપડ્યું. મને ખબર નથી કે આ જગતાપજી કેટલા ખુશ છે. કારણ કે રાજકીય કારણોથી પણ ક્યારેક ખુશી હોય તો પણ જાહેર કરવાનું થોડું મુશ્કેલ બની જાય છે. હમણાં વેંકૈયાજી કહેતા હતા કે પૂણેને 28 કરોડને બદલે 160 કરોડ મળી ગયા. હવે ચૂંટણી આવવાની હોય, મ્યુનિસિપાલિટીની પાસે 160 કરોડ આવી જાય તો એ લોકો કેટલું બધું કામ કરી શકે. પરંતુ આ બધું થયું એટલા માટે કે આઠમી નવેમ્બરના રોજ રાત્રે આઠ વાગ્યે મેં જે જાહેરાત કરી, તેના કારણે થયું છે. અને આ માત્ર પૂણેમાં નહીં હિન્દુસ્તાનની દરેક સરકારો પાસે એકલા અર્બન એકમોમાં 200થી 300 ટકા આવક વધી છે. કારણ કે બધાને લાગ્યું કે મોદી લઈ જશે એનાથી સારું છે કે અહીં નાંખી દો. આ પણ સારું થયું, નહીં તો અર્બન એકમોમાં ટેક્સ 50 ટકા, 60 ટકા, 70 ટકાથી આગળ વધી નહોતો શક્યો. અને આપવાવાળા કોણ હતા. સામાન્ય લોકો તો આપી દેતા હતા અને નહીં આપવાવાળા કોણ હતા. જે ક્યારેક ક્યારેક આપણી આજુબાજુમાં જોવા મળતા હતા એ લોકો પણ ન હતા. હવે કારણ કે જેની પહોંચ વધારે હોય છે,એવા લોકોને કાયદા-નિયમ તોડવાની આદત પડી જાય છે. પરંતુ એ બધાને લાઈનમાં લગાડી દીધા છે. દેશમાં સહુ કોઈ સમાન હોય છે. દરેકે કાયદાનું પાલન કરવું જોઈએ. દરેકે નિયમોનું પાલન કરવું જોઈએ. અને હું જણાવું દેશવાસીઓ, આપણા દેશમાં સરકારો કેવી રીતે ચાલી છે... આ હું કોઈની બુરાઈ કરવા માટે નથી કહી રહ્યો. દિલમાં દર્દ થાય છે, પીડા થાય છે. શું કરી નાંખ્યું છે આપણા દેશનું. તમે હેરાન થશો કે ભારતની સંસદે વર્ષ 1988માં બેનામી સંપત્તિનો કાયદો પસાર કર્યો. સંસદમાં પક્ષ વિપક્ષ વચ્ચે ચર્ચા થઈ. કાયદો પસાર થયો, અખબારોની હેડલાઈન છપાઈ ગઈ. જેમનો જય જયકાર થવાનો હતો, તેમનો જય જયકાર થઈ ગયો, હારતોળા પહેરી લીધા કે બહુ ઈમાનદારીનું કામ કરી નાંખ્યું. પરંતુ સંસદમાંથી એ કાગળ નીકળીને ફાઈલોના ઢગલામાં ખોવાઈ ગયો. મારા આવ્યા પછી બહાર નીકળ્યો. તેનું નોટિફિકેશન નહતું થયું. કાયદો અમલી નહતો બનાવવામાં આવ્યો. જો 1988માં એ સમયે જે લોકો સંસદમાં બેઠા હતા, એ લોકોએ આટલો મોટો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો, તેનો જો એ સરકારે અમલ કર્યો હોત, એ કાયદો લાગુ કર્યો હોત, તો આજે બેનામી સંપત્તિના નામે દેશમાં જે પાપનો ભરાવો થયો છે, તે થયો હોત ખરો ? દેશ બચી ગયો હોત કે ન બચી ગયો હોત? એવા એવા પાપ કરીને ગયા છે. હવે તમે મને કહો હું પણ આવું જ ચાલવા દઉં કે બધું સરખું કરું ? જરા જોરથી કહો - સરખું કરું ? તો હમણાં જેમ દેવેન્દ્રજીએ તમારી પાસે લાઈટ કરાવી હતી, એ રીતે ફરી લાઈટ કરીને બતાવો. સરખું કરવું જોઈએ કે ન કરવું જોઈએ ? દેશને બરબાદ કરવાની જે વાતો ચાલી રહી છે, તેને અટકાવવી જોઈએ કે ન અટકાવવી જોઈએ ? અને એટલા માટે ભાઈઓ બહેનો, જો સમયસર દેશમાં બીમારીઓનો ઉપચાર કરવામાં આવ્યો હોત તો આજે મારે આવા કઠોર પગલાં ન ભરવા પડ્યા હોત. આજથી ચાળીસ વર્ષ પહેલા જે કામ કરવાના હતા, એ કામ કરાયા હોત તો આજે મારા દેશના સવા સો કરોડ ઈમાનદાર લોકોએ લાઈનોમાં ન ઊભા રહેવું પડ્યું હોત. દેશવાસીઓને લાઈનોમાં ઊભા રહીને જે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે, એની જેટલી પીડા દેશવાસીઓને છે, એટલી જ પીડા મને પણ છે. પરંતુ આ નિર્ણય દેશ માટે કરવો પડ્યો છે. જે લોકોએ નિર્ણય ન કર્યો તે લોકોએ દેશને મોટું નુકસાન કર્યું છે. મેં દેશને બચાવવાનું તમને વચન આપ્યું હતું. અને એટલે હું તમારા આશીર્વાદ સાથે આજે આ કઠોર પગલાં ભરી રહ્યો છું.

ભાઈઓ બહેનો, હું પૂણે પાસેથી વધુ અપેક્ષા રાખું છું. આ દેશની ઔદ્યોગિક ધરોહર ધરાવતી નગરી છે. આ શિક્ષાનું પણ ધામ છે. અનેક વર્ષો પહેલાં જેમ કાશીમાં વિદ્વાન હતા, તો પૂણે પણ વિદ્વત્તા માટે પ્રસિદ્ધ હતું. આઈટી પ્રોફેશન પૂણેના જીવન સાથે જોડાયેલો છે. શું આ પૂણે નગરી ઓનલાઈન પેમેન્ટની દિશામાં વધુ ઝડપથી આગળ વધી શકે કે ન વધી શકે ? શું આપણો મોબાઈલ ફોન, મોબાઈલ ફોન બેન્ક બની શકે કે ન બની શકે ? આ બેન્ક આપણી હથેળીમાં હોઈ શકે કે ન હોઈ શકે ? જ્યારે ઈચ્છીએ ત્યારે પોતાનો કારોબાર ચલાવી શકાય કે ન ચલાવી શકાય ? શું બેન્કોની લાઈનમાં ઊભા રહેવાની જરૂર છે ? શું એટીએમની બહાર ઊભા રહેવાની જરૂર છે ? બધી વ્યવસ્થા ઉપલબ્ધ છે કે નહીં ? શું પૂણેવાસીઓ મારી મદદ કરી શકે કે ન કરી શકે ? કરશો ? પાક્કું કરશો ? આપણે નક્કી કરીએ કે આપણે ઈ-વૉલેટ દ્વારા કે ડેબિટ કાર્ડ દ્વારા હવે તો આધાર સર્વિસીઝ પણ એનેબલ છે. માત્ર તમારો આધાર નંબર હોય, એકાઉન્ટ નંબર હોય, માત્ર અંગુઠો લગાવો તો તમારું પેમેન્ટ થઈ જાય છે. એટલી વ્યવસ્થા થઈ ગઈ છે. અને એ વાત માનીને ચાલો. અહીં શરદ રાવ બેઠા છે, ખેડૂતોના નેતા છે. મને જણાવો કે શેરડીનું ઉત્પાદન વધુ થઈ જાય તો શેરડીની કિંમત ઘટી જાય છે કે નથી ઘટી જતી ? જણાવો ને, ડુંગળીનું ઉત્પાદન વધુ થઈ જાય, તો ડુંગળીના ભાવ ઘટે છે કે નથી ઘટતા ? બટાકાનું ઉત્પાદન વધુ થઈ ગયું હોય, તો ભાવ ગગડે છે કે નથી ગગડતા ? એ જ રીતે, ચલણી નોટો વધુ છપાઈ જાય તો નોટના ભાવ પણ ઘટી જાય છે. આ જેટલી વધુ નોટો છપાઈ, એટલી નોટની કિંમત ઘટી ગઈ. તમે આઠમી નવેમ્બર પહેલા સો રૂપિયાને કોઈ પૂછતું પણ નહતું. તેની તરફ કોઈ જોતું હતું ? ઘરમાં કોઈ બાળક હજાર પાંચ સોની નોટ બતાવે તો હજારની તરફ જતું હતું, સોની નોટ તરફ નહતું જતું. કોઈ કિંમત જ રહી ન હતી. આઠમી તારીખ પછી સો રૂપિયાની શાન વધી ગઈ કે ન વધી ? નાના ચલણની તાકાત વધી ગઈ કે ન વધી ? દેશવાસીઓ, આઠમી નવેમ્બર પછી હિન્દુસ્તાનમાં પણ મોટાઓની નહીં, નાનાઓની તાકાત વધી ગઈ છે, દોસ્તો. નાનાઓની તાકાત વધી ગઈ છે. અને મારી આ લડત નાનાઓની તાકાત વધારવા માટે છે. ગરીબોને સામર્થ્ય અપાવવા માટે છે.

પરંતુ તમે જોયું હશે. કેટલાક લોકોને લાગ્યું કે બધી સરકારો આવી જ હોય છે. અગાઉ હતી, તેવી જ આ પણ હશે. ઠીક છે, મોદી બે-ચાર દિવસ બોલશે, પછી શું થશે. પછી તો આપણે છીએ જ ને. વર્ષોથી કરતા આવ્યા છીએ, એમ કરીશું. આ જ મિજાજથી એમને લાગ્યું કે બેન્કમાં નાંખી દો બધા કાળા નાણાં સફેદ થઈ જશે. નોટો તો કાળી કે સફેદ ન થઈ, પરંતુ તેમના ચહેરા કાળા જરૂર થઈ ગયા. મોઢા કાળા થઈ ગયા. કેટલાક બેન્કવાળાઓને પટાવીને અને ભાગીદારી કરીને રમતો રમવા ગયા, હવે ક્યાંયે મોં બતાવવા જેવા ન રહ્યા. આજે ટેકનોલોજી એટલી શ્રેષ્ઠ છે કે એ ઘેરથી નીકળે, ત્યાંથી એને ટ્રેક કરવો સહેલો થવાનો છે. મહિના, બે મહિના, ત્રણ મહિના પછી પણ આ બધાનો પીછો કરાશે. બતાવો ભાઈ, પહેલા તો ન હતા, હવે ક્યાંથી આવ્યા. જણાવવું પડશે. જેમણે વિચાર્યું છે કે હવે બેન્કમાં ગયા, હવે કાળા નાણાં સફેદ થઈ ગયા, તેમને હું કહું છું કે જાતને સંભાળી લેજો. હજુ પણ તક છે, કાયદાનું પાલન કરો. ગરીબોના હક્કનું જે છે, તે એમને પાછું આપી દો. હવે છટકવાની કોઈ સંભાવના રહી નથી. અને એટલા માટે આ પૂણેની ધરતી પરથી હું દરેકને કહેવા માંગું છું. હજુ પણ સમય છે. આજે પણ નિયમો એવા છે, જેનાથી તમારી મદદ થઈ શકે છે. સાચા માર્ગે આવી જાવ, તો જિંદગીભર આરામથી સૂઈ શકશો, ચિંતાનો વિષય નહીં રહે. અને જો તમે હજુ પણ સાચા માર્ગે નહીં આવો, તો ઓછામાં ઓછું હું તો ઊંઘવાનો નથી જ. ભાઈઓ બહેનો, આ ભ્રષ્ટાચાર, કાળું નાણું, નકલી નોટો, આ આતંકવાદ, આ નકસલવાદ, એ બધા સામેની લડત, માત્ર કહેવા માટે નથી કહી રહ્યો. દોસ્તો, મોટું જિગર લઈને લડત છેડી છે. અને સવા સો કરોડ દેશવાસીઓનો મિજાજ જોઈને હું વિશ્વાસપૂર્વક કહું છું. આ મુઠ્ઠીભર લોકો, જે દેશને બાનમાં રાખીને પોતાની જેમ મરજી ફાવે તેમ કરતા હતા. એ સમય હવે ગયો. હવે દેશમાં વાત થશે તો સવા સો કરોડ દેશવાસીઓની વાત થશે. દેશમાં અવાજ ઉઠશે, જો દેશમાં અવાજ ઉઠશે, તો દેશના સવા સો કરોડ દેશવાસીઓનો ઉઠશે. એ અવાજને મુઠ્ઠીભર લોકો હવે દબાવી નહીં શકે. આ વાત લઈને હું નીકળ્યો છું, દોસ્તો. અને એટલા માટે જ હું દેશવાસીઓનો આભાર માનું છું. અને હું જણાવું, મેં પહેલા દિવસે કહ્યું હતું. પચાસ દિવસ સુધી તકલીફ થવાની છે. અને મેં તો એમ પણ કહ્યું હતું કે તકલીફ વધવાની છે. પરંતુ પચાસ દિવસ પછી પ્રામાણિક લોકોની તકલીફ ઓછી થવાની શરૂ થઈ જશે અને અપ્રામાણિક લોકોની તકલીફો વધવાની શરૂ થઈ જશે. તમે જોશો, તમને ખબર પડશે, એમ તો અત્યારે પણ જોઈ રહ્યા છો. મોટા મોટા બાબૂઓ જેલમાં જઈ રહ્યા છે. મોટા મોટા લોકો જેલમાં જઈ રહ્યા છે. બેન્કોના અનેક લોકોએ ઘેર બેસવું પડ્યું છે. એમની નોકરી છૂટી ગઈ છે અને કેટલાક તો જેલમાં પણ ગયા છે. ભાઈઓ બહેનો, ખૂબ સમજી-વિચારીને દેશવાસીઓ પર પૂરો વિશ્વાસ મૂકીને પગલાં ભર્યાં છે, દેશ સફળ થઈને જ રહેશે, એ મારો વિશ્વાસ છે. મેટ્રોનું કામ ઝડપભેર આગળ વધે અને જ્યારે મહારાષ્ટ્રની ચૂંટણીઓ ચાલી રહી હતી, ત્યારે મેં મહારાષ્ટ્રને કહ્યું હતું કે જુઓ, 15 વર્ષથી આ મહારાષ્ટ્રની ગાડી ખાડામાં ફસાઈ છે. જો તેને નિકાળવી હોય તો ડબલ એન્જિનની જરૂર પડશે. એક દિલ્હીનું એન્જિન એક મહારાષ્ટ્ર સરકારનું એન્જિન. અને તમે અમારા પર ભરોસો મૂક્યો. ડબલ એન્જિન લાગી ગયા છે. મેટ્રો આવી કે ન આવી ? તો આ ડબલ એન્જિનની તાકાત છે. તો તમે ડબલ એન્જિનને તક આપી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ !

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool

Media Coverage

How NPS transformed in 2025: 80% withdrawals, 100% equity, and everything else that made it a future ready retirement planning tool
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
West Bengal must be freed from TMC’s Maha Jungle Raj: PM Modi at Nadia virtual rally
December 20, 2025
Bengal and the Bengali language have made invaluable contributions to India’s history and culture, with Vande Mataram being one of the nation’s most powerful gifts: PM Modi
West Bengal needs a BJP government that works at double speed to restore the state’s pride: PM in Nadia
Whenever BJP raises concerns over infiltration, TMC leaders respond with abuse, which also explains their opposition to SIR in West Bengal: PM Modi
West Bengal must now free itself from what he described as Maha Jungle Raj: PM Modi’s call for “Bachte Chai, BJP Tai”

आमार शोकोल बांगाली भायों ओ बोनेदेर के…
आमार आंतोरिक शुभेच्छा

साथियो,

सर्वप्रथम मैं आपसे क्षमाप्रार्थी हूं कि मौसम खराब होने की वजह से मैं वहां आपके बीच उपस्थित नहीं हो सका। कोहरे की वजह से वहां हेलीकॉप्टर उतरने की स्थिति नहीं थी इसलिए मैं आपको टेलीफोन के माध्यम से संबोधित कर रहा हूं। मुझे ये भी जानकारी मिली है कि रैली स्थल पर पहुंचते समय खराब मौसम की वजह से भाजपा परिवार के कुछ कार्यकर्ता, रेल हादसे का शिकार हो गए हैं। जिन बीजेपी कार्यकर्ताओं की दुखद मृत्यु हुई है, उनके परिवारों के प्रति मेरी संवेदनाएं हैं। जो लोग इस हादसे में घायल हुए हैं, मैं उनके जल्द स्वस्थ होने की कामना करता हूं। दुख की इस घड़ी में हम सभी पीड़ित परिवार के साथ हैं।

साथियों,

मैं पश्चिम बंगाल बीजेपी से आग्रह करूंगा कि पीड़ित परिवारों की हर तरह से मदद की जाए। दुख की इस घड़ी में हम सभी पीड़ित परिवारों के साथ हैं। साथियों, हमारी सरकार का निरंतर प्रयास है कि पश्चिम बंगाल के उन हिंस्सों को भी आधुनिक कनेक्टिविटी मिले जो लंबे समय तक वंचित रहे हैं। बराजगुड़ी से कृष्णानगर तक फोर लेन बनने से नॉर्थ चौबीस परगना, नदिया, कृष्णानगर और अन्य क्षेत्र के लोगों को बहुत लाभ होगा। इससे कोलकाता से सिलीगुडी की यात्रा का समय करीब दो घंटे तक कम हो गया है आज बारासात से बराजगुड़ी तक भी फोर लेन सड़क पर भी काम शुरू हुआ है इन दोनों ही प्रोजेक्ट से इस पूरे क्षेत्र में आर्थिक गतिविधियों और पर्यटन का विस्तार होगा।

साथियों,

नादिया वो भूमि है जहाँ प्रेम, करुणा और भक्ति का जीवंत स्वरूप...श्री चैतन्य महाप्रभु प्रकट हुए। नदिया के गाँव-गाँव में... गंगा के तट-तट पर...जब हरिनाम संकीर्तन की गूंज उठती थी तो वह केवल भक्ति नहीं होती थी...वह सामाजिक एकता का आह्वान होती थी। होरिनाम दिये जोगोत माताले...आमार एकला निताई!! यह भावना...आज भी यहां की मिट्टी में, यहां के हवा-पानी में... और यहाँ के जन-मन में जीवित है।

साथियों,

समाज कल्याण के इस भाव को...हमारे मतुआ समाज ने भी हमेशा आगे बढ़ाया है। श्री हरीचांद ठाकुर ने हमें 'कर्म' का मर्म सिखाया...श्री गुरुचांद ठाकुर ने 'कलम' थमाई...और बॉरो माँ ने अपना मातृत्व बरसाया...इन सभी महान संतानों को भी मैं नमन करता हूं।

साथियों,

बंगाल ने, बांग्ला भाषा ने...भारत के इतिहास, भारत की संस्कृति को निरंतर समृद्ध किया है। वंदे मातरम्...ऐसा ही एक श्रेष्ठ योगदान है। वंदे मातरम् का 150 वर्ष पूरे होने का उत्सव पूरा देश मना रहा है हाल में ही, भारत की संसद ने वंदे मातरम् का गौरवगान किया। पश्चिम बंगाल की ये धरती...वंदे मातरम् के अमरगान की भूमि है। इस धरती ने बंकिम बाबू जैसा महान ऋषि देश को दिया... ऋषि बंकिम बाबू ने गुलाम भारत में वंदे मातरम् के ज़रिए, नई चेतना पैदा की। साथियों, वंदे मातरम्…19वीं सदी में गुलामी से मुक्ति का मंत्र बना...21वीं सदी में वंदे मातरम् को हमें राष्ट्र निर्माण का मंत्र बनाना है। अब वंदे मातरम् को हमें विकसित भारत की प्रेरणा बनाना है...इस गीत से हमें विकसित पश्चिम बंगाल की चेतना जगानी है। साथियों, वंदे मातरम् की पावन भावना ही...पश्चिम बंगाल के लिए बीजेपी का रोडमैप है।

साथियों,

विकसित भारत के इस लक्ष्य की प्राप्ति में केंद्र सरकार हर देशवासी के साथ कंधे से कंधा मिलाकर चल रही है। भाजपा सरकार ऐसी नीतियां बना रही है, ऐसे निर्णय ले रही है जिससे हर देशवासी का सामर्थ्य बढ़े आप सब भाई-बहनों का सामर्थ्य बढ़े। मैं आपको एक उदाहरण देता हूं। कुछ समय पहले...हमने GST बचत उत्सव मनाया। देशवासियों को कम से कम कीमत में ज़रूरी सामान मिले...भाजपा सरकार ने ये सुनिश्चित किया। इससे दुर्गापूजा के दौरान... अन्य त्योहारों के दौरान…पश्चिम बंगाल के लोगों ने खूब खरीदारी की।

साथियों,

हमारी सरकार यहां आधुनिक इंफ्रास्ट्रक्चर पर भी काफी निवेश कर रही है। और जैसा मैंने पहले बताया पश्चिम बंगाल को दो बड़े हाईवे प्रोजेक्ट्स मिले हैं। जिससे इस क्षेत्र की कोलकाता और सिलीगुड़ी से कनेक्टिविटी और बेहतर होने वाली है। साथियों, आज देश...तेज़ विकास चाहता है...आपने देखा है... पिछले महीने ही...बिहार ने विकास के लिए फिर से एनडीए सरकार को प्रचंड जनादेश दिया है। बिहार में भाजपा-NDA की प्रचंड विजय के बाद... मैंने एक बात कही थी...मैंने कहा था... गंगा जी बिहार से बहते हुए ही बंगाल तक पहुंचती है। तो बिहार ने बंगाल में भाजपा की विजय का रास्ता भी बना दिया है। बिहार ने जंगलराज को एक सुर से एक स्वर से नकार दिया है... 20 साल बाद भी भाजपा-NDA को पहले से भी अधिक सीटें दी हैं... अब पश्चिम बंगाल में जो महा-जंगलराज चल रहा है...उससे हमें मुक्ति पानी है। और इसलिए... पश्चिम बंगाल कह रहा है... पश्चिम बंगाल का बच्चा-बच्चा कह रहा है, पश्चिम बंगाल का हर गांव, हर शहर, हर गली, हर मोहल्ला कह रहा है... बाचते चाई….बीजेपी ताई! बाचते चाई बीजेपी ताई

साथियो,

मोदी आपके लिए बहुत कुछ करना चाहता है...पश्चिम बंगाल के विकास के लिए न पैसे की कमी है, न इरादों की और न ही योजनाओं की...लेकिन यहां ऐसी सरकार है जो सिर्फ कट और कमीशन में लगी रहती है। आज भी पश्चिम बंगाल में विकास से जुड़े...हज़ारों करोड़ रुपए के प्रोजेक्ट्स अटके हुए हैं। मैं आज बंगाल की महान जनता जनार्दन के सामने अपनी पीड़ा रखना चाहता हूं, और मैं हृदय की गहराई से कहना चाहता हूं। आप सबकों ध्यान में रखते हुए कहना चाहता हूं और मैं साफ-साफ कहना चाहता हूं। टीएमसी को मोदी का विरोध करना है करे सौ बार करे हजार बार करे। टीएमसी को बीजेपी का विरोध करना है जमकर करे बार-बार करे पूरी ताकत से करे लेकिन बंगाल के मेरे भाइयों बहनों मैं ये नहीं समझ पा रहा हूं कि पश्चिम बंगाल के विकास को क्यों रोका जा रहा है? और इसलिए मैं बार-बार कहता हूं कि मोदी का विरोध भले करे लेकिन बंगाल की जनता को दुखी ना करे, उनको उनके अधिकारों से वंचित ना करे उनके सपनों को चूर-चूर करने का पाप ना करे। और इसलिए मैं पश्चिम बंगाल की प्रभुत्व जनता से हाथ जोड़कर आग्रह कर रहा हूं, आप बीजेपी को मौका देकर देखिए, एक बार यहां बीजेपी की डबल इंजन सरकार बनाकर देखिए। देखिए, हम कितनी तेजी से बंगाल का विकास करते हैं।

साथियों,

बीजेपी के ईमानदार प्रयास के बीच आपको टीएमसी की साजिशों से भी उसके कारनामों से भी सावधान रहना होगा टीएमसी घुसपैठियों को बचाने के लिए पूरा जोर लगा रही है बीजेपी जब घुसपैठियों का सवाल उठाती है तो टीएमसी के नेता हमें गालियां देते हैं। मैंने अभी सोशल मीडिया में देखा कुछ जगह पर कुछ लोगों ने बोर्ड लगाया है गो-बैक मोदी अच्छा होता बंगाल की हर गली में हर खंबे पर ये लिखा जाता कि गो-बैक घुसपैठिए... गो-बैक घुसपैठिए, लेकिन दुर्भाग्य देखिए गो-बैक मोदी के लिए बंगाल की जनता के विरोधी नारे लगा रहे हैं लेकिन गो-बैक घुसपैठियों के लिए वे चुप हो जाते हैं। जिन घुसपैठियों ने बंगाल पर कब्जा करने की ठान रखी है...वो TMC को सबसे ज्यादा प्यारे लगते हैं। यही TMC का असली चेहरा है। TMC घुसपैठियों को बचाने के लिए ही… बंगाल में SIR का भी विरोध कर रही है।

साथियों,

हमारे बगल में त्रिपुरा को देखिए कम्युनिस्टों ने लाल झंडे वालों ने लेफ्टिस्टों ने तीस साल तक त्रिपुरा को बर्बाद कर दिया था, त्रिपुरा की जनता ने हमें मौका दिया हमने त्रिपुरा की जनता के सपनों के अनुरूप त्रिपुरा को आगे बढ़ाने का प्रयास किया बंगाल में भी लाल झंडेवालों से मुक्ति मिली। आशा थी कि लेफ्टवालों के जाने के बाद कुछ अच्छा होगा लेकिन दुर्भाग्य से टीएमसी ने लेफ्ट वालों की जितनी बुराइयां थीं उन सारी बुराइयों को और उन सारे लोगों को भी अपने में समा लिया और इसलिए अनेक गुणा बुराइयां बढ़ गई और इसी का परिणाम है कि त्रिपुरा तेज गते से बढ़ रहा है और बंगाल टीएमसी के कारण तेज गति से तबाह हो रहा है।

साथियो,

बंगाल को बीजेपी की एक ऐसी सरकार चाहिए जो डबल इंजन की गति से बंगाल के गौरव को फिर से लौटाने के लिए काम करे। मैं आपसे बीजेपी के विजन के बारे में विस्तार से बात करूंगा जब मैं वहां खुद आऊंगा, जब आपका दर्शन करूंगा, आपके उत्साह और उमंग को नमन करूंगा। लेकिन आज मौसम ने कुछ कठिनाइंया पैदा की है। और मैं उन नेताओं में से नहीं हूं कि मौसम की मूसीबत को भी मैं राजनीति के रंग से रंग दूं। पहले बहुत बार हुआ है।

मैं जानता हूं कि कभी-कभी मौसम परेशान करता है लेकिन मैं जल्द ही आपके बीच आऊंगा, बार-बार आऊंगा, आपके उत्साह और उमंग को नमन करूंगा। मैं आपके लिए आपके सपनों को पूरा करने के लिए, बंगाल के उज्ज्वल भविष्य के लिए पूरी शक्ति के साथ कंधे से कंधा मिलाकर के आपके साथ काम करूंगा। आप सभी को मेरा बहुत-बहुत धन्यवाद।

मेरे साथ पूरी ताकत से बोलिए...

वंदे मातरम्..

वंदे मातरम्..

वंदे मातरम्

बहुत-बहुत धन्यवाद