केंद्र और राज्य सरकार को बिहार के विकास के लिए मिलकर काम करना चाहिए: प्रधानमंत्री मोदी
प्रधानमंत्री मोदी ने मोकामा में नमामि गंगे के तहत एवं विभिन्न राजमार्ग परियोजनाओं का शिलान्यास किया
हम एक योजना की शुरूआत करते हैं तो यह भी सुनिश्चित करते हैं कि उसे पूरा करने की रूपरेखा तैयार करें: प्रधानमंत्री
जिन परियोजनाओं का शिलान्यास किया जा रहा है, उससे बिहार के विकास को गति मिलेगी: प्रधानमंत्री मोदी

 

ભારત માતા કી જય,

ભારત માતા કી જય,

વિશાળ સંખ્યામાં અહીં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,

મારા બધા મોકામાવાસીઓને પ્રણામ, ભગવાન શ્રી પરશુરામની પવિત્ર ભૂમિ પર સૌને મારા પ્રણામ, અમે અહીં મોકામામાં આવીને ધન્ય થઈ ગયા છીએ.

સમગ્ર દેશ દિવાળી ઉજવવાની તૈયારી કરી રહ્યો છે. છઠ્ઠ પૂજાની પણ તૈયારીઓ ચાલી રહી છે. આપ સૌને દિવાળી અને છઠ્ઠ પૂજાની મારા તરફથી આગોતરી શુભેચ્છાઓ પાઠવું છું અને આજે આ પવિત્ર પર્વ પ્રસંગે અંદાજે આશરે પોણા ચાર હજાર કરોડ રૂપિયાના ખર્ચે વિકાસની ભેટ પણ આ બિહારની ધરતીને મળી રહી છે.

ભાઈઓ અને બહેનો, હમણાં આપણા ગડકરીજીએ ભારત સરકારે કેટલા પ્રોજેક્ટસ શરૂ કર્યા છે? અને માર્ગ બાંધકામ ક્ષેત્રે તેઓ નવા રસ્તાઓ બનાવી રહ્યા છે તેનું વર્ણન કર્યું, હું જોઈ રહ્યો હતો કે વર્ણન એટલું લાંબુ હતું અને તમે પણ હેરાન દેખાતા હતા કે, આટલા ઓછા સમયમાં બિહારનું ભાગ્ય બદલવા માટે આટલી બધી યોજનાઓ લાગુ કરી શકાય છે!! અમે આ બધુ કરી દેખાડ્યું છે.

હું નીતીશજીનો અને એમની પૂરી ટીમનો હૃદયપૂર્વક આભારી છું, કારણ કે ભારત સરકારની તમામ યોજનાઓને એમનો તમામ પ્રકારનો સહયોગ અને સમર્થન મળ્યું છે. અમારી કોઇ મુશ્કેલી હોય છે કે તેને દૂર કરવાની તેઓ ચિંતા કરતા હોય છે, અને એક પ્રકારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને ખભે ખભો મિલાવીને આજે બિહારના સપના પૂરા કરવા માટે તન અને મનથી લાગી પડ્યા છે. અને તેના પરિણામો પણ દેખાઇ રહ્યા છે. નીતીશજીએ ઘણાં વિષયોને સ્પર્શ્યા. તે મુખ્ય પ્રધાન તો છે જ, આટલા બધા વર્ષો સુધી સંસદ સભ્ય રહેવાને કારણે તમારા પ્રત્યેનો તેમનો લાગણીસભર નાતો રહ્યો છે. આ લાગણીસભર નાતાના કારણે એમના મનમાં એવી તડપ રહે છે કે આ થવું જોઈએ, તે થવું જોઈએ. આમ થવું જોઈએ, તેમ થવું જોઈએ. હું એમની આ ભાવનાનો આદર કરૂં છું અને હું એમને વિશ્વાસ આપું છું કે ભારત સરકાર બિહારના કરોડો લોકોના સપનાં પૂરાં કરવા માટે ખભે ખભો મેળવીને તમારી સાથે ચાલશે અને વિકાસની યાત્રાને એક નવી ઉંચાઈએ લઈ જશે.

ભાઈઓ, બહેનો. આજે મને મોકામાની ધરતી પર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જે પૂલના બાંધકામ માટે આજે શિલારોપણ વિધિ થઈ છે, હું જ્યારે અહીં આવી રહ્યો હતો ત્યારે તેમણે મને તેની ડીઝાઈન બતાવી હતી. તેનું મોડેલ બતાવ્યું હતું. મને વિશ્વાસ છે કે આ પ્રકારનો બ્રીજ અહીં પૂરા બિહાર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને આ પૂલ બિહારના પ્રથમ મુખ્ય પ્રધાન ડો. કૃષ્ણજીની કર્મભૂમિ બેગૂસરાયને રાજધાની પટનાની સાથે જોડનારો બ્રીજ છે. બેગૂસરાયમાં રિફાઈનરી, ફર્ટિલાઈઝર, થર્મલ પાવર અને બરૌની ડેરીની સ્થાપના કરીને બિહારને ઔદ્યોગિક રાજધાની બનાવનારા આવા શ્રી બાબુને પણ હું આજે આદર પૂર્વક નમન કરૂં છું.

આજે હું એ ધરતી પર આવ્યો છું કે જ્યાંથી થોડા સો મીટરના અંતરે તે તિર્થધામ છે. શિક્ષણનું એ એવું ક્ષેત્ર છે કે જેણે રાષ્ટ્ર કવિ દિનકરજીના બાળપણમાં સંસ્કારોનું સિંચન કર્યું હતું અને જ્યારે જ્યારે દિનકરજીની યાદ આવે છે ત્યારે તેમની ભાવનાઓ આજે પણ અમને પ્રેરણા પૂરી પાડી રહી છે. અંધશ્રધ્ધાથી મુક્તિનો માર્ગ બતાવી રહી છે. દલિત, પીડિત, શોષિત, ગરીબ, વંચિત…. ગામ હોય, ખેડૂત હોય, મજૂર હોય, આ બધા પ્રત્યે એક આદરની ભાવના પેદા કરવાનું કામ દિનકરજીના ભાવનાની અભિવ્યક્તિમાં અનુભવાય છે. જે ધરતી પર દિનકરજી ઉછર્યા અને મોટા થયા તથા તેમનું જન્મ સ્થાન પણ નજીક જ છે. દિનકરજીએ કહ્યું હતું કે

‘‘आरती लिये तो किसे ढूंढता है मूर्ख, मंदिरों, राज प्रसादों में, तहखानों में,
अरे देवता कहीं सड़कों पर गिट्टी तोड़ रहे अरे देवता मिलेंगे, खेतों में खिलहानों में’’।।

આજે જે રસ્તાઓના બાંધકામનો પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે. અહિંયા એ જ ભગવાન કે જે પત્થરો તોડે છે, તે અમારા ભાગ્યનું નિર્માણ કરવાનો છે. ભારત સરકાર દિનકરજીના એ સપનાં પૂરા કરવા માટે એક મહત્વનું કદમ ભરી રહી છે.

ભાઈઓ, બહેનો, આ જગ્યા ભગવાન પરશુરામની તપોભૂમિ પણ છે. પ્રાચીન કાળમાં ત્રણ મહા જનપદ અંગ, મગધ અને મિથિલાના સંગમ સ્થાન પર આવેલા મા ગંગાના પવિત્ર સિમરિયા કાંઠાના ગૌરવશાળી ઈતિહાસને કોણ ભૂલી શકે તેમ નથી, આ મંચ ઉપરથી મને આ પવિત્ર સિમરિયા કાંઠાને નમન કરવાનું સૌભાગ્ય મળ્યું છે એને હું શ્રધ્ધાપૂર્વક નમન કરૂં છું. આ એ ધરતી છે કે જે વીર શિરોમણી બાબા ચોહરમલ, જેમના નામ પર અહીંથી થોડાક જ અંતરે દર વર્ષે મેળો ભરાય છે અને લોકો ઉમટી પડે છે એ પવિત્ર ભૂમિને પણ હું નમન કરૂં છું.

બિહારના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. મારી જ્યાં જ્યાં નજર પહોંચી રહી છે ત્યાં મને લોકો જ લોકો દેખાઇ રહ્યા છે. જેટલા લોકોને આ મંડપમાં જગા મળી છે તેનાથી બે ગણા- ત્રણ ગણા લોકો બહાર ઉભા રહ્યા છે. આ બધા લોકો ગરમીમાં તપી રહ્યા છે. એટલા લાંબા સમયથી તપી રહ્યા છે, એટલું કષ્ટ ભોગવીને પણ આજે અમને સૌને આશિર્વાદ આપવા માટે આપ આવ્યા છો, હું આપ સૌને પણ નમન કરૂં છું. તમને અભિનંદન પાઠવું છું. પરંતુ મારા વ્હાલા બિહારવાસીઓ આજે અહીં જે તપ કરી રહ્યા છો, તાપમાં તપી રહ્યા છો, આપ સૌને હું ખાત્રી આપું છું કે ભારત સરકાર અને રાજ્ય સરકાર તમારી આ તપસ્યાને ક્યારેય પણ બેકાર જવા નહીં દે.

આપણાં દેશમાં એવા પણ લોકો થઈ ગયા છે, જેમની વિચારધારા દેશને પાછળ લઈ જવાનું કારણ પણ રહી હતી. જો કોઈ સારા રસ્તા બનાવવાની વાત કરે તો મેં એવા નેતાઓ વિશે પણ છાપાઓમાં વાંચ્યું છે કે, તે કહેતા હતા, રસ્તાની શું જરૂર છે? રસ્તા તો મોટરકાર વાળા લોકોને જ જોઈએ. આપણા સૌ ગરીબ લોકો પાસે ગાડી ક્યાં છે, આપણને રોડની શું જરૂર છે, સડકની શું જરૂર છે. આવી વિકૃત માનસિકતા ધરાવતા લોકોએ દેશને જેટલું નુકશાન પહોંચાડ્યું છે તેની કદાચ આપણે કલ્પના પણ નહીં કરી શકીએ. આજે કોઈપણ ગામમાં જાવ તો જો સડક નહીં હોય તો….. મને સંસદ સભ્યો પણ મળવા માટે આવે છે અને તે કહેતા હોય છે કે સાહેબ, મારા વિસ્તારમાં હજુ કેટલાક ગામડાંમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના બાકી રહી ગઈ છે. આ વખતે અમારે ત્યાં પ્રાથમિકતા આપો. ગામના નાગરિકો જ્યારે પણ મળે છે ત્યારે તેમની માંગણી રહેતી હોય છે કે અમને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના આપો. ભાઈઓ અને બહેનો, છેલ્લા ત્રણ વર્ષમાં અમે બજેટમાં એટલો બધો વધારો કર્યો છે અને આ કામમાં એટલી ઝડપ લાવવામાં આવી છે કે અગાઉ એક દિવસમાં જેટલા રોડ બનતા હતા, આજે તેના કરતાં બમણાં રોડ બનાવવામાં અમે સફળ થયા છીએ. ગામડાંઓના જીવન પરિવર્તન માટે આ કામ થઈ રહ્યું છે, પરંતુ માત્ર ગ્રામીણ સડક પૂરતી નથી. આપણાં મોટા મોટા આર્થિક કેન્દ્રો હોય છે તેમને ગ્રોથ સેન્ટર કહેવામાં આવે છે. ત્યાં અર્થતંત્રને ગતિ મળે છે અને તેને પણ અંદરના વિસ્તારો સાથે રોડ કનેક્ટીવિટીથી જોડાવા જરૂરી છે.

આજે જે હજારો, કરોડો રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ થયો છે તે માત્ર તેની ઉપર ગાડીઓ દોડાવવા માટે થયો નથી. આ સડકનું બાંધકામ અહીંના આર્થિક જીવનમાં પરિવર્તન લાવવા માટે થયું છે. અહિંયા આ રોડ પરથી સમૃદ્ધિને ખેંચી લાવવાનો અમારો પ્રયાસ છે. રસ્તાઓ જ હોય છે, જે સમૃધ્ધિને ખેંચી લાવે છે અને સમૃધ્ધ વિસ્તાર ઉભો કરવામાં યોગદાન આપે છે.

ભાઈઓ, બહેનો. ગંગા આપણા બધાના જીવન સાથે જોડાયેલી છે. આજે જો મા ગંગા ન હોત તો આપણાં પૂરા ભૌગોલિક પ્રદેશમાં સ્થિતિ કેટલી ભયંકર હોત, પરંતુ ક્યારેય આ ગંગાને બચાવવા માટે આપણે પ્રયાસ કર્યો નથી. આપણે ઉદાસીન વલણ દાખવ્યું છે. ગંગાને બચાવવાથી આપણી ભાવિ પેઢીઓને પણ બચાવી શકાશે. ગંગાને નિર્મળ બનાવીશું તો, ગંગાને અવિરલ કરવાથી કોઈ રોકી શકશે નહીં અને આટલા માટે સરકાર અબજો રૂપિયાનો ખર્ચ કરીને સફાઈ કરી રહી છે. આ કોઇ એક નદીનું નામ નથી, પણ નદીઓ પ્રત્યેનો ફરી એક વખત શ્રધ્ધા ભાવ જાગૃત થઈ રહ્યો છે. નદીઓને બચાવવાની પહેલ શરૂ થશે. ભારતની તમામ નદીઓ તરફ જાગૃતિ દર્શાવવામાં આવશે. ભારતને ભવિષ્યના પાણીના સંકટથી જો બચાવવું હશે તો આ જ એક માર્ગ છે, જેને આપણે ગંભીરતાપૂર્વક લેવાનો છે. અને એટલા માટે જ ગંગા સફાઈ અભિયાનની જે ઝૂંબેશ ચાલી રહી છે તે ગંગોત્રીથી શરૂ કરીને બંગાળના સાગર સુધી જે પણ રાજ્યો તેની સાથે જોડાયેલા છે તેમના અલગ અલગ ભાગ કરીને ગંગા ગંદી ન થાય તે માટે સૌ પ્રથમ અગ્રતા આપીને એની પર કામ કરશે. ગંગામાં આવનારા ગંદા પાણીને, રસાયણ ધરાવતા પાણીને રોકવાની દિશામાં પણ ઝૂંબેશ ચાલી રહી છે. આજે બિહારમાં એક સાથે અનેક પ્રકારની આવી યોજનાઓનો પણ શિલાન્યાસ થઈ રહ્યો છે. જે આવનારા દિવસોમાં માં ગંગા તરફ આપણે જેવો શ્રધ્ધાભાવ દાખવીએ છીએ તે સ્વરૂપે જોવા મળશે. જ્યારે પણ માં ગંગા આપણાં સપનાઓને અનુરૂપ હશે ત્યારે છઠ્ઠ પૂજાનો આનંદ પણ કંઈક અનેરો હશે. તે ભક્તિનો ભાવ પણ ખૂબ જ અનેરો હશે.

ભાઈઓ અને બહેનો, વિતેલા દિવસોમાં ભારતના રેલવે મંત્રાલયે પૂર્વ ઉત્તરપ્રદેશ અને બિહારના લોકો માટે એક મહત્વની ટ્રેન શરૂ કરી છે, જેનો લાભ આ દિવાળી પ્રસંગે છઠ્ઠ પૂજા દરમ્યાન ભરપૂર મળવાનો છે. મુંબઈથી ગોરખપુરની ટ્રેન અંત્યોદય એક્સપ્રેસ, દેશની પ્રથમ અંત્યોદય એક્સપ્રેસ બની રહેશે. હમણાં એક સપ્તાહ અગાઉ સુરતથી પટના-જયનગર સુધીની બીજી અંત્યોદય એક્સપ્રેસને પણ મેં ત્યાંથી લીલીઝંડી આપી છે. રિઝર્વેશન વગરની આ ટ્રેનમાં ગરીબમાં ગરીબ વ્યક્તિ છેલ્લી ક્ષણે દોડીને પણ ટ્રેનમાં બેસી શકે અને પોતાના ઘરે જઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

મહામના એક્સપ્રેસ વડોદરાથી બનારસ સુધી શરૂ કરવામાં આવી છે. સુરતમાં કામ કરનારા લોકો, વડોદરામાં કામ કરનારા લોકો, અંકલેશ્વરમાં કામ કરનારા લોકો તથા મહારાષ્ટ્રમાં કામ કરનારા લોકો દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારોમાં પોતાના ઘરે આરામથી પહોંચી શકે એટલા માટે ખૂબ ઝડપ કરીને આ દિવસોમાં મહત્વની આ 4 ટ્રેન બિહાર અને પૂર્વ ઉત્તરપ્રદેશને જોડવાનું કામ સરકારે કર્યું છે, જેનો લાભ દિવાળીમાં અને છઠ્ઠ પૂજામાં તમને જરૂરથી મળવાનો છે.

ભાઈઓ અને બહેનો, હમણાં આપણા નિતીશજી મને જણાવી રહ્યા છે કે આપણાં ગડકરીજીએ જે પ્રકારનું બીડુ ઝડપ્યું છે તેવું કદાચ તમારી સામે દેશ આઝાદ થયા પછી આટલા ઓછા સમયમાં માળખાગત સુવિધાઓનું આટલુ મોટુ કામ બિહારની ધરતી પર ક્યારેય પણ નહીં થયું હોય. માત્ર રોજના કામની જ વાત કરીએ તો હમણાં નિતીનજી જણાવી રહ્યા હતા કે 53 હજાર કરોડ રૂપિયાના કામ કાં તો મંજૂર થઈ ગયા છે અથવા તો શરૂ થઈ ગયા છે. તમે કલ્પના કરી શકો છો કે આવી મૂળભૂત માળખાગત સુવિધાઓ કેટલું મોટું પરિણામ આપશે તેનો અંદાજ તમે બાંધી શકો તેમ છો.

એ બાબત આપણે સારી રીતે જાણીએ છીએ કે આવનારા સમયમાં કનેક્ટીવિટી વગર વિકાસ થઇ શકશે નહીં. રોડની કનેક્ટીવિટી જોઈએ, રેલવેની કનેક્ટીવિટી જોઈએ, ઈન્ટરનેટની કનેક્ટીવિટી જોઈએ, ગેસ ગ્રીડ જોઈએ, વિજળીના જોડાણો જોઈએ, શુધ્ધ પાણીની પાઈપ લાઈનો જોઈ. આ બધી કનેક્ટીવિટી છે અને ગરીબ સાથે જોડાયેલા વિષયો છે. અમારા ગડકરીજીના નેતૃત્વ હેઠળ જળ માર્ગોનું અભિયાન પણ ચાલી રહ્યું છે. એક વખત જો આપણે જળ માર્ગોને સફળતાપૂર્વક આગળ ધપાવીશું તો, તમે જુઓ છો કે નદીનું મહત્વ જે પણ આર્થિક વિષયો સાથે જોડાયેલું છે, લોકોનો નદીઓ સાથે જોડાવાનો શ્રધ્ધાભાવ છે તે લોકો આગળ વધ્યા વગર રહી શકશે નહીં. જળ માર્ગોને કારણે દેશના આર્થિક ક્ષેત્રમાં આવું મોટુ પરિવર્તન આવશે કે માલની હેરફેરની વ્યવસ્થા ઓછામાં ઓછા ખર્ચે થશે. ગરીબને સસ્તામાં સસ્તી ચીજો ઉપલબ્ધ કરવાનું કામ પણ મા ના કાંઠા ઉપર જળમાર્ગ દ્વારા શક્ય બનવાનું છે. જે જમાનામાં અંગ્રેજો જળમાર્ગોનો ઉપયોગ કરતા હતા તે કામ આપણા મોકામાના લઘુ જળમાર્ગ દ્વારા શક્ય બનવાનું છે. એક મોટુ આર્થિક અને પરિવહનની ગતિનું કેન્દ્ર બની રહ્યું હતું તેવી પ્રસિધ્ધિ ફરીથી પ્રાપ્ત થવાની છે અને ભારત સરકારે એ માટે બીડુ ઝડપ્યું છે અને હું તમને વિશ્વાસ આપું છું કે આપણે એ પ્રસિધ્ધિ ફરીથી પાછી લાવીશું. 18,000 ગામડાં એવા હતા કે જ્યાં એ ગામોમાં વિજળી નહોતી. આવા ગામોમાં વિજળી પહોંચાડવાની એક મોટી ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. 1000 દિવસમાં આ કામ પૂરૂ કરવાનું સપનું લઈને અમે આગળ વધી રહ્યા છીએ. હવે થોડાક જ મહિના બાકી છે, લગભગ 15,000 થી વધુ ગામડાંમાં હમણાં જ વિજળી પહોંચાડી શકાઈ છે. પરંતુ તેની સાથે અમે ‘પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના’ અમલમાં મૂકી છે. આ ‘પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના’ માટે હું બિહારને આગ્રહ કરૂં છું કે તમે આ યોજનાનો ભરપૂર લાભ ઉઠાવો. ‘પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના’ એવી છે કે ભારત સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને જેના પણ ઘેર વિજળીનું જોડાણ નહીં હોય, ભારત સરકાર અને રાજ્ય સરકાર સાથે મળીને વિજળીનું જોડાણ આપશે. ઝૂંપડપટ્ટીઓ હશે તો પણ તેમના ઘરમાં બલ્બ સળગશે. અગાઉ કોઈ વિજળી માંગતું હતું તો સરકાર કહેતી હતી કે ત્યાં સામે જે થાંભલો છે તે થાંભલેથી અહીં આવવા માટે વધુ 10 થાંભલા લગાવવા પડશે. આટલા તાર લગાવવા પડશે અને તેનો લગભગ રૂ. 30 હજાર ખર્ચ થશે. જો તમે 30 હજાર આપશો તો વિજળીનું જોડાણ મળશે. આથી નીચલા મધ્યમ વર્ગનો વ્યક્તિ, ગરીબ વ્યક્તિ કહેતો કે ભાઈ, મારે વિજળી નથી જોઈતી. હું 30 હજાર આપી શકું તેમ નથી. લોકો વિજળી લેતા નહોતા.

ભાઈઓ – બહેનો, અમે નક્કી કર્યું છે કે હવે ભારતનું કોઈપણ કુટુંબ 18મી સદીના અંધારામાં જીવવા માટે મજબૂર બનશે નહીં. મફતમાં જોડાણ આપવામાં આવશે. થાંભલા ઉભા કરવાના હશે તો સરકાર કરશે. તાર જોડવાના હશે તો સરકાર જોડશે અને ઘર સુધી વિજળી પહોંચાડવામાં આવશે. પ્રથમ જે કનેક્શન આપવામાં આવશે તે મફતમાં આપવામાં આવશે, કારણ કે તેના ઘરમાં બાળકોના શિક્ષણ માટે તે વિચાર કરે. જીવવાના નવા પ્રકાર અંગે વિચાર કરે અને પરિવર્તનની દિશામાં આગળ વધે.

ભાઈઓ – બહેનો, સરકારની આ એક વિશેષતા છે એ છે કે અમારી ટીકા કરનારા લોકોને પણ આ બાબતનો સ્વિકાર કરવો પડ્યો છે. અગાઉ સરકારોને એવી આદત રહેતી હતી કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજનાઓની જાહેરાત કરવામાં આવતી હતી. પછીથી લોકોએ યોજનાઓ ભૂલી જવી પડતી હતી. આજે દિલ્હીમાં આપણી એવી સરકાર ચાલી રહી છે કે અમે જે યોજનાઓની કલ્પના કરીએ છીએ તેનો રોડ મેપ પણ અમે તૈયાર કરીએ છીએ. અમારી નજર સામે જ ચોક્કસ સમય મર્યાદામાં એ યોજનાઓ શરૂ કરવા માટે સરકાર તન મનથી લાગી જાય છે. સાધનો એકઠા કરવા લાગે છે. તમે જોયું હશે કે ગરીબ પરિવારોને ગેસના જોડાણો મળે છે. આજે દેશમાં 3 કરોડથી વધુ લોકોને, ગરીબમાં ગરીબ પરિવારોને ગેસના સિલિન્ડર મળી ગયા છે. એ લોકો ગેસના ચૂલાથી રોટી બનાવતા થયા છે. આવનારા બે વર્ષમાં વધુ બે કરોડ પરિવારોને ગેસનું જોડાણ આપવાનું અમારૂં સપનું છે. આ સપનું પણ અમે ચોક્કસ સમય મર્યાદામાં પૂરૂ કરીને જ જંપીશું અને ગરીબના જીવનમાં પરિવર્તન લાવીશું.

અમે જે સ્વચ્છતા અભિયાન હાથ ધરીને આગળ વધી રહ્યા છીએ. આ અભિયાન પાછળ મારા મનમાં મારી ગરીબ માતાઓ અને બહેનો છે. હું દરેક વ્યક્તિને કહીશ કે, સરકારમાં બેઠેલા અધિકારીઓને પણ કહેવાનું પસંદ કરીશ કે, ભણેલા ગણેલા યુવાનોને પણ કહેવાનું પસંદ કરીશ કે આર્થિક રીતે સમૃધ્ધ પરિવારોને કહેવાનું પસંદ કરીશ કે તમે એક ક્ષણ માટે વિચાર કરો, માં બહેનો માટે પણ વિચારો છો, જે ગામડાંમાં રહે છે, શહેરોની ઝૂંપડપટ્ટીઓમાં રહે છે અને એને ખૂલ્લામાં શૌચ કરવા જવા માટે મજબૂર થવું પડે છે. એમની પાસે શૌચાલય નથી તો શું કરે ? સૂરજ ઉગતા પહેલા અંધારામાં ઘરની બહાર જઈને પોતાની પ્રાતઃ વિધિ પૂરી કરીને સૂરજ ઉગે તે પહેલાં ઘરે પાછી આવી જાય છે. અને એક વાર સૂરજ ઉગી ગયો અને જો દિવસ દરમ્યાન તેમની જવાની જરૂરિયાત ઉભી થઈ તો રાત્રે સૂરજ ડૂબે ત્યાં સુધી પ્રતિક્ષા કરવી પડે છે અને જ્યારે અંધારૂ થાય છે ત્યાં સુધી શરીરને પીડા આપે છે અને પીડા સહન કરતાં કરતાં તે શૌચ માટે જાય છે. મારી આ ગરીબ મા-બહેનોની તબિયત પણ આવી સ્થિતિની કેવી ખરાબ અસર થતી હશે ? આપણી મા-બહેનોની હાલત કેવી થતી હશે ? આટલા માટે જ હું ખાસ કરીને ભારતના તમામ રાજ્યોને આગ્રહ કરૂં છું કે જો આપણા દિલમાં આપણી મા-બહેનો, બેટીઓ માટે ઈજ્જત હોય તો તેમની તબિયતની ચિંતા કરવી એ આપણી જવાબદારી બની રહે છે. આથી આપણે શૌચાલય બનાવવામાં કોઈ બેદરકારી દાખવવી જોઈએ નહીં. આ યોજનાને ઈમાનદારી પૂર્વક આગળ વધારવાનો પૂરતો પ્રયાસ કરવો જોઈએ.

આજે દેશમાં પાંચ કરોડ પરિવારોને શૌચાલય સાથે જોડવામાં આવ્યા છે. દેશમાં જ્યાં 50 ટકા કરતાં પણ ઓછી સ્વચ્છતાની વ્યવસ્થા હતી ત્યાંરે આજે તેને લગભગ 80 ટકાથી વધારે પહોંચાડવામાં અમે સફળ થયા છીએ. પરંતુ અમારે તેને વધુ આગળ વધારવી છે અને આટલા માટે હું ખાસ કરીને મારા બિહારવાસીઓને આગ્રહ કરૂં છું કે તમે એક જવાબદારી સંભાળો, તમારા પોતાના ગામની જવાબદારી લો. આજે દેશમાં આપણે અઢી લાખ ગામડાંઓને જાહેરમાં શૌચ કરવાથી મુક્ત કરાવી શક્યા છીએ. હું બિહારને આમંત્રણ આપું છું કે તમે પણ તમારા ગામને જાહેરમાં શૌચથી મુક્ત કરો. આગામી થોડા દિવસોમાં, જે ધરતી પર મહાત્મા ગાંધીએ ચંપારણનો સત્યાગ્રહ શરૂ કર્યો હતો, જે ધરતી પરથી મહાત્મા ગાંધીએ સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો, જે ધરતી પરથી મહાત્મા ગાંધીએ સ્વાવલંબન કરવાનો પુરૂષાર્થ બતાવ્યો હતો એવી ધરતી ઉપર દેશ આજે તમારી પાસે અપેક્ષા રાખી રહ્યો. તમે એમાં પણ આગેવાની લો અને બિહારને નવી ઉંચાઈએ પહોંચાડો અને જન સમર્થન વગર આ બધુ શક્ય બનવાનું નથી. માત્ર સરકારી ખજાનાથી જ આ બધા કામો થતા નથી. જ્યારે જનતા જનાર્દન નક્કી કરી લે છે ત્યારે કામ આપમેળે થઈ જતા હોય છે. અને એટલા માટે જ હું તમને આમંત્રણ આપી રહ્યો છું.

મારા ભાઈઓ અને બહેનો, તમે આટલી મોટી સંખ્યામાં અહીં આવીને મને આશિર્વાદ આપ્યા છે. હું વધુ એક વાર તમારો આભાર માનું છુ અને તેમને વિશ્વાસ આપું છું કે ભારત સરકાર પૂર્વ ભારતના વિકાસ માટે કટિબધ્ધ છે. આપણે વિકાસના જે મોડલને લઈને આગળ વધી રહ્યા છીએ તેમાં પૂર્વ ઉત્તરપ્રદેશ હોય, બિહાર હોય, પશ્ચિમ બંગાળ હોય, આસામ હોય, ઓડીશા હોય. ઉત્તર-પૂર્વ હોય. આ તમામ વિસ્તારો હવે નવી ઉંચાઈઓ વટાવી જવાના છે. તમારે ત્યાં ફર્ટિલાઈઝરના કારખાનાઓને આગળ વધારવાની દિશામાં અમે કામ શરૂ કર્યું છે. એનુ પરિણામ મારા ખેડૂતોને પણ મળવાનું છે.

અને વિકાસની આ યાત્રામાં તમે સૌ જોડાઓ તેવી અપેક્ષાની સાથે તમે સૌ પૂરી તાકાતથી બોલો.

ભારત માતા કી… જય,

ભારત માતા કી… જય,

ભારત માતા કી… જય,

ખૂબ ખૂબ આભાર.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
IIT Delhi tops India in QS Rankings 2027; 52 Indian institutions feature

Media Coverage

IIT Delhi tops India in QS Rankings 2027; 52 Indian institutions feature
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
India-France partnership is emerging as a strong pillar of trust, stability and cooperation: PM Modi in Paris
June 18, 2026

नमस्ते!

बों जू!

ऐसा लग रहा है, आप सब छुट्टी के मूड में हैं।

साथियों,

ये पेरिस शहर, Lights का शहर है, रंगों का शहर है, यहां Art है, Ideas हैं, और innovation की प्रेरणा भी है। इस शहर को भारत के अलग-अलग राज्यों से आए आप सभी लोग और भी खूबसूरत बना देते हैं। नए नए रंगों से भर देते हैं।

कोई तमिल है, कोई पंजाबी है, कोई गुजराती है, तो कोई मराठी है, और कोई बंगाली है। भारत के हर कोने का प्रतिनिधित्व यहां दिखाई देता है।

साथियों,

मैं जब 14 जून को नीस पहुंचा था तो सबसे पहले भारत इनोवेट्स कार्यक्रम में शामिल हुआ था। आज जब मैं फ्रांस से वापसी की तैयारी में हूं तो लग रहा है जैसे भारत कनेक्ट्स कार्यक्रम में आ गया हूं।

फ्रांस में रहने वाले आप लोगों ने 21वीं सदी के भारत-फ्रांस रिश्तों को जिस तरह कनेक्ट किया है, वो हमारी Strategic Partnership की बहुत बड़ी ताकत बन रही है। मैं आप सभी के लिए भारत से 140 करोड़ देशवासियों की शुभकामनाएं लेकर आया हूं। इस आत्मीय स्वागत के लिए, मैं आप सभी का हृदय से आभार व्यक्त करता हूं।

साथियों,

आज मैं ऐसे समय में फ्रांस आया हूं जब कुछ ही दिन पहले हमारी सरकार के 12 वर्ष पूरे हुए हैं। चुने हुए प्रधानमंत्री के रूप निरंतर 12 साल तक देश की सेवा करना मेरे जीवन का बहुत बड़ा सौभाग्य रहा है। यह भारत के लोकतंत्र की शक्ति है जिसने एक चायवाले को यहां तक पहुंचा दिया।

साथियों,

बीते 12 वर्ष, 140 करोड़ भारतीयों के अद्भुत सामर्थ्य के रहे हैं। 12 साल के इस कालखंड में भारत का GDP दोगुना हुआ है। Airports की संख्या दोगुनी हुई है। Universities की संख्या भी दोगुनी हो गई है। Highway Construction की स्पीड तीन गुना बढ़ गई। और Metro Network, चार गुणा बड़ा हो गया है।

मैं आपको कुछ और फैक्ट्स दूंगा, उससे आप अंदाजा लगा पाएंगे कि भारत किस स्पीड और कितने बड़े स्केल पर काम कर रहा है। पिछले 12 वर्षों में भारत का Defence Export 35 गुणा यानि Thirty Five Times बढ़ गया है।

औऱ एक फैक्ट सुनिए भारत में मोबाइल मैन्यूफैक्टरिंग यूनिट्स में, 100 गुणा की बढ़ोतरी हुई है। 100 times. भारत अब दुनिया का दूसरा सबसे बड़ा mobile phone manufacturer है। इसी गति, इसी प्रगति का नतीजा है कि आज भारत दुनिया की Fastest Growing Major Economy है।

साथियों,

आज भारत की कहानी सिर्फ Economic Progress की कहानी नहीं है। सिर्फ यहाँ अटक नहीं जाती है। ये Social Transformation की भी कहानी है।

पिछले 12 साल में देश में 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। यानि एक ऐसी प्रगति जिसका लाभ समाज के अंतिम व्यक्ति तक पहुंच रहा है। फ्रांस में जितने घर हैं, उससे भी अधिक पक्के घर बीते 12 वर्ष में हमने जरूरतमंदों के लिए बनाए हैं।

अब हर परिवार के पास, गरीब से गरीब क्यों न हो, Bank Account है। Financial Inclusion एक सरकारी कार्यक्रम नहीं, बल्कि सामाजिक परिवर्तन का अभियान बना है।

साथियों,

इन 12 वर्षों की उपलब्धियों में, एक उपलब्धि ऐसी भी है जिसे किसी आंकड़े से, या अंकों से, नहीं मापा जा सकता। वह है 140 करोड़ भारतीयों का आत्मविश्वास।

आज का भारत और आज के भारत का युवा बहुत बड़े सपने देख रहा है। भारत का किसान नई संभावनाओं के साथ आगे बढ़ रहा है। भारत की महिलाएं नए नेतृत्व का परिचय दे रही हैं। इसलिए ये सिर्फ Achievements के 12 साल नहीं हैं, ये भारत की एस्पिरेशन्स को नई बुलंदी देने का कालखंड रहा है।

साथियों,

एक समय था जब दूर-दराज के गांवों तक आधुनिक सुविधाएं पहुंचाना वाकई बहुत मुश्किल भरा था। आज उन्हीं गांवों में बिजली भी है, इंटरनेट भी है, और डिजिटल सेवाओं की पूरी दुनिया भी है। आज एक क्लिक पर, कभी भी, कहीं भी बैंकिंग सेवाएं उपलब्ध हैं।

आज मोबाइल फोन, भारत के नागरिकों को अनेक सुविधाओं से कनेक्ट कर रहा है। हमारे किसान, हमारे मछुआरे, हमारे dairy farmers, हमारी महिलाएं, हमारे स्टूडेंट्स, सभी टेक्नोलॉजी के माध्यम से सशक्त हो रहे हैं, और अपने लिए नए अवसर बना रहे हैं।

साथियों,

आपने 125 करोड़ से अधिक Aadhaar IDs के बारे में सुना है। लेकिन आज भारत सिर्फ पहचान को डिजिटल नहीं बना रहा। आज करीब 90 करोड़ भारतीयों की Unique Digital Health IDs बनाई जा चुकी हैं। जिससे मेडिकल रिकॉर्ड सुरक्षित और accessible बन गए हैं। इससे हेल्थकेयर डिलीवरी और अधिक आसान और efficient हो रही है।

साथियों,

इन उपलब्धियों की सबसे बड़ी विशेषता यह है कि इनमें से अधिकांश चीजें कुछ वर्ष पहले तक कल्पना जैसी लगती थीं। कौन सोच सकता था कि गांव-गांव तक हाई-स्पीड इंटरनेट पहुंचेगा ? कौन सोच सकता था कि दूर-सुदूर के गांवों में भी QR code जीवन का हिस्सा बन जायेगा ? गांव में कोई बहन, ड्रोन से खेती करने में मदद करेगी, ये भी असंभव लगता था।

लेकिन आज यह सब, भारत के करोड़ों लोगों के जीवन का सामान्य हिस्सा बनता जा रहा है। और आपको गर्व होगा साथियों, यही नए भारत की पहचान है।

जो कभी सपना था, वह आज सच्चाई है। जो कभी नामुमकिन लगता था, वो आज मुमकिन हुआ है, औऱ ये करने के पीछे सबसे बड़ी ताकत क्या है? किसकी वजह से ये सब संभव हुआ है? यह मोदी के कारण नहीं, वो ताकत है- भारत का लोकतंत्र, भारत की डेमोक्रेसी। इस डेमोक्रेसी में सबका साथ है, सबका विकास है।

साथियों,

आज से 50 या 100 साल बाद जब भारत के इस कालखंड की समीक्षा होगी, तो ये बात उभरकर सामने आएगी कि इस कालखंड को भारत की Aspirations ने ड्राइव किया। यह भारत के एस्पिरेशन्स का नया युग है।

जहां बिजली पहुंची है, वहां लोग सिर्फ बिजली नहीं चाहते, वे Smart Living चाहते हैं। जहां ट्रेन पहुंची है, वहां लोग High-Speed Connectivity चाहते हैं। जहां हाईवे बने हैं, वहां लोग World-Class Expressways चाहते हैं। जहां इंटरनेट पहुंचा है, वहां लोग AI और Digital Innovation में नेतृत्व चाहते हैं।

यानि आज भारत के लोग अपने जीवन को भी Next Level पर ले जाना चाहते हैं, और भारत को भी Next Level पर ले जाना उनका मकसद है, उनका संकल्प है, उनके सपने है।

और साथियों,

यही Aspirations आज भारत की विकास यात्रा की सबसे बड़ी शक्ति हैं। मैं आपको भारत की Space Journey का उदाहरण दूंगा।

भारत ने चंद्रयान को चंद्रमा के South Pole पर उतारा। दुनिया ने इसे एक बहुत बड़ी उपलब्धि माना। लेकिन भारत इसे अपनी मंजिल मानकर रुका नहीं। आज देश गगनयान की तैयारी कर रहा है। भारत अंतरिक्ष में अपना Space Station बनाने की दिशा में आगे बढ़ रहा है।

हमारे Space Startups Global Space Economy में अपनी जगह बनाने के लिए पुरजोश काम कर रहे हैं, आगे बढ़ रहे हैं।

साथियों,

Green Energy के क्षेत्र में भी भारत की यही एस्पिरेशंस दिखाई देती है। Solar Power में भारत की उपलब्धियों की दुनिया भर में लगातार चर्चा हो रही हैं। लेकिन भारत अगली छलांग की तैयारी कर रहा है।

Green Hydrogen में बड़े निवेश हो रहे हैं। Advanced Nuclear Energy पर तेजी से काम हो रहा है। आपने भारत के Fast Breeder nuclear Reactor से जुड़ी प्रोग्रेस के बारे में भी सुना ज़रूर होगा। ये भारत के न्यूक्लियर एनर्जी लैंडस्केप में क्रांतिकारी परिवर्तन करने का बहुत बड़ा अचीवमेंट हमारे सीसेन्टिस्टों ने किया है।

साथियों,

आज का भारत भविष्य का पूरा Ecosystem बना रहा है। भारत एक साथ हर उस क्षेत्र में निवेश कर रहा है, जो आने वाले दशकों की दिशा तय करेगा।

अभी आपने कुछ दिन पहले ही देखा है नीस में भारत इनोवेट्स का एक आयोजन किया। ये इवेंट भारत के डीप टेक सामर्थ्य को दुनिया तक पहुंचाने का एक और माध्यम था। इसमें भारत के 120 Deep-Tech Startups उपस्थित थे। Bharat Innovates में करीब एक हजार चार सौ B2B Meetings हुईं है। कई Startups के लिए Investment Commitments आगे बढ़ीं, Commercial Orders के लिए रास्ते खुले। French और European Universities तथा Incubators के साथ Engagements बढ़ रही हैं।

Student Exchanges, Joint Research, और Innovation Support के नए रास्ते बने। इसलिए Bharat Innovates सिर्फ एक Summit नहीं रहा। यह Innovation Diplomacy का एक नया मॉडल बना है।

और आज ही पेरिस में VivaTech इवेंट के जरिए, इस यात्रा को हमने और आगे बढ़ाया। नीस में हमने Ideas को Capital से जोड़ा और पेरिस में Indian Innovation को Global Scale से जोड़ा। आज दुनिया देख रही है भारत केवल भविष्य के लिए तैयार नहीं हो रहा है। भारत भविष्य को आकार दे रहा है।

साथियों,

एक समय था, जब देशों के बीच रिश्ते केवल व्यापार से तय होते थे। आज व्यापार के साथ-साथ Trust यानि भरोसा भी उतना ही महत्वपूर्ण हो गया है।

हर देश Reliable Supply Chains चाहता है। हर देश Stable Partnerships चाहता है। हर देश ऐसे साथियों की तलाश में है, जिन पर लंबे समय तक भरोसा किया जा सके। और ऐसे समय में, भारत विश्व में एक Trusted Partner के रूप में उभर रहा है।

एवियां में G7 बैठक के दौरान मैंने trust based partnerships बनाने पर ज़ोर दिया। ग्लोबल साउथ के देशों के साथ equal पार्टनर्स के रूप में आगे बढ़ने का आह्वान किया। भारत का G7 समिट में संदेश था Global Governance तभी प्रभावी होगी जब वह Inclusive होगी। Global Growth तभी Sustainable होगी जब वह शेयर्ड होगी। और Global Technology तभी मानवता के लिए उपयोगी होगी जब वह Trusted होगी।

साथियों,

भारत और दुनिया के बीच व्यापारिक रिश्तों में नई ऊर्जा नज़र आ रही है। फ्रांस के साथ भारत का ट्रेड लगतार बढ़ रहा है। पिछले कुछ वर्षों में भारत ने दुनिया के अनेक देशों के साथ Free Trade Agreements किए हैं। यूरोपियन यूनियन हो, यूनाइटेड किंगडम हो दुनिया के हर देश, हर रीजन के साथ भारत समझौते कर रहा है।

अगले महीने से भारत और UK के बीच ट्रेड एग्रीमेंट भी लागू हो जाएगा। यह एग्रीमेंट भारत के farmers, workers और innovators को अनेक नए अवसर प्रदान करेगा।

साथियों,

आज दुनिया Uncertainty और Disruption के दौर से गुजर रही है। ऐसे समय में भारत और फ्रांस की साझेदारी विश्वास, स्थिरता और सहयोग का एक मजबूत स्तंभ बन रहा है।

इस वर्ष हमने भारत और फ्रांस के संबंधों को Special Global Strategic Partnership का दर्जा दिया था। नीस में मेरे मित्र President Macron और मैंने हमारे संबंधों को force for global good बनाने पर चर्चा की। Defence से लेकर space और नुक्लियर तक AI और क्रिटीकल मिनरल्स से लेकर high speed railway तक, हर क्षेत्र में हम मिलकर आगे बढ़ेंगे।

साथियों,

Solar energy हो, या AI के क्षेत्र में सहयोग हो, भारत और फ्रांस मिलकर ऐसे समाधान विकसित कर रहे हैं जो पूरी मानवता के हित में हैं। पिछले वर्ष पेरिस में और इस वर्ष दिल्ली में हमने AI Summit को Co-chair किया।

अब हम साथ मिलकर अगले वर्ष “तृष्णा” satellite को लॉन्च करने जा रहें हैं। यह “तृष्णा” satellite जो विश्व में फूड और वाटर सिक्युरिटी सुनिश्चित करने में योगदान देगा।

और साथियों,

यह सभी गवर्नमेंट टू गवर्नमेंट पहलो में आप सभी का योगदान बहुत महत्वपूर्ण है। ये आप हैं जो भारत और यूरोप के बीच सबसे मजबूत सेतु हैं। आप दोनों समाजों को समझते हैं। दोनों बाजारों को समझते हैं। आने वाले समय में Talent, Trade, Technology, Tourism और Investment के नए अवसरों को आगे बढ़ाने में आपकी भूमिका लगातार बढ़ने वाली हैं।

साथियों,

भारत और फ्रांस के रिश्तों को साझा इतिहास, साझा मूल्यों और साझा विश्वास ने आगे बढ़ाया है। विश्व युद्धों के दौरान फ्रांस की धरती पर बलिदान देने वाले भारतीय सैनिकों की स्मृतियां आज भी हमें जोड़ती हैं।

मुझे पहले नव शापेल में श्रद्धांजलि देने का अवसर मिला, पिछले वर्ष प्रेसिडेंट मैक्रों के साथ मार्सेय के वॉर मेमोरियल जाने का अवसर भी मिला। ये हमारी साझा विरासत है।

फ्रांस, भारतीयों के योगदान को संजोता भी है और सराहता भी है। भारतीय मूल की नूर इनायत खान हों, जिन्होंने फ्रांस की Resistance के लिए अपना जीवन बलिदान किया, या महाराजा रणजीत सिंह के साथ काम करने वाले जनरल जां फ्रांस्वा अलार हों ये सभी भारत और फ्रांस की साझा विरासत के प्रतीक हैं।

भारत के राज्य पुडुचेरी में भी फ्रेंच विरासत की झलक दिखाई देती है। वहां का Architecture, वहां की कला-संस्कृति और खान-पान सभी में हमारे संबंधों की महेक है।

साथियों,

इस समय फ्रांस समेत पूरी दुनिया में International Yoga Day की तैयारी भी चल रही है। इस अवसर पर मैं, फ्रांस में योग को आगे बढ़ाने वाले श्रीमान महेश घाट्राड्याल जी को भी आदरपूर्वक श्रद्धांजलि देता हूं। मैं पद्म पुरस्कार से सम्मानित, शार्लोत शोपां जी को भी प्रणाम करता हूं। जिन्होंने सौ वर्ष की आयु में भी, योग के माध्यम से फ़्रांस को भारत की विरासत से जोड़ा है। उनका जीवन यह सिद्ध करता है: Yoga does not add years to life, it adds life to years.

साथियों,

मैं फ्रेद नेग्री जी को भी आदरपूर्वक श्रद्धापूर्वक याद करता हूं। भारतीय विरासत को संरक्षित करने में उनका योगदान अतुल्य रहा है।

साथियों,

भारत और फ्रांस को कनेक्ट करने वाली एक और चीज है, और वो है फुटबॉल। इस वक्त यहां फुटबॉल फीवर पूरे जोर पर है। फ्रांस में इसकी दीवानगी, चप्पे-चप्पे पर दिखती है। लेकिन भारत में भी फुटबॉल का क्रेज़ सिर चढ़कर बोलता है।

खासतौर पर फ्रांस की टीम के फैन्स भारत में बहुत अधिक हैं। फ़्रांस ने इस वर्ल्ड कप की शुरुआत एक जोरदार जीत से शुरू की है। मैं फ्रांस की टीम को बहुत-बहुत शुभकामनाएं देता हूं।

साथियों,

जाने से पहले, आप सभी के लिए कुछ और अच्छी खबरें भी लेकर के आया हूँ। वो आपके लिए हैं। पिछले वर्ष, मार्सेय में कॉन्सुलेट खोला गया, इससे काफी अधिक सुविधा मिल रही है। कुछ हफ्ते पहले, Indian Nationals के लिए French Airports पर Visa-free Transit की व्यवस्था शुरू हो गई है।

Students और Professionals की Mobility बढ़ाना हो, या Educational Qualifications की Mutual Recognition की बात हो, या फिर French Universities के भारत में Campus खोलना हो, इन सभी पर हम मिलकर आगे बढ़ रहें हैं।

अब फ्रांस में UPI के उपयोग का दायरा भी और बढ़ने जा रहा है। यानि भारत-फ्रांस कनेक्ट भी Instant और आपसी Payment भी Instant!

साथियों,

इन सभी पहलों से, हम भारत और फ़्रांस को और करीब ला रहें हैं। और मैं फिर कहूंगा इस साझेदारी की नींव, इस रिश्ते की असली ताकत आप सभी हैं। आप सब मेरे देशवासी हैं।

आज जब भारत तेज़ी से विकसित भारत के लक्ष्य की ओर बढ़ रहा है, तो मैं आप सभी से भारत के साथ और गहराई से जुडने का आग्रह करूंगा। इससे भारत की विकास यात्रा को नई शक्ति मिलेगी, और आपको अपनी पुरखों की धरती की सेवा करने का अवसर भी मिलेगा।

इन्हीं शब्दों के साथ आप सभी के प्रेम आपके उत्साह और इस आत्मीय स्वागत के लिए मैं एक बार फिर आप सभी का आभार व्यक्त करता हूं।

भारत माता की जय!

बहुत बहुत धन्यवाद।