Centre's move of special assistance measure a boon for Andhra Pradesh, would promote economic growth
Central funding of irrigation component of the Polavaram Irrigation Project to expedite completion of the project, increase irrigation prospects, benefit people

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં બાહ્ય સહાય મેળવતા પ્રોજેક્ટ્સ (ઇએપી)ના ભંડોળ અને પોલાવરમ પ્રોજેક્ટના સિંચાઈ ઘટકને ભંડોળ પૂરું પાડવા વિશેષ અનુદાન દ્વારા આંધ્રપ્રદેશના અનુગામી રાજ્ય માટે વિશેષ સહાયના પગલા માટે મંજૂરી આપવામાં આવી હતી.

આંધ્રપ્રદેશ રાજ્યને કેન્દ્રીય સહાય પૂરી પાડવાની જાહેરાતના અમલીકરણ માટેની પદ્ધતિ નીચે મુજબ છે:

1. કેન્દ્ર સરકાર આંધ્રપ્રદેશની સરકારને વિશેષ સહાય કરવા પગલું ભરશે, જે કેન્દ્ર સરકારના વધારાના હિસ્સા માટે ઉપલબ્ધ થશે, જે વર્ષ 2015-16થી 2019-20 દરમિયાન પ્રાપ્ત થઈ શકે છે, જો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે 90:10ના રેશિયોમાં કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ (સીએસએસ)ના ભંડોળને વહેંચવામાં આવશે. બાહ્ય સહાય માટેના પ્રોજેક્ટ્સ (ઇએપી) માટે વિશેષ સહાય લોન અને વ્યાજની પુનઃચુકવણી દ્વારા પ્રદાન કરવામાં આવશે તથા રાજ્ય દ્વારા 2015-16 અને 2019-20 દરમિયાન વહેંચવામાં આવશે.

2. 1.4.2014થી શરૂ થનાર સમયગાળા માટે પોલાવરમ પ્રોજેક્ટ માટે સિંચાઈ ઘટકના બાકીના ખર્ચનું 100 ટકા ભંડોળ એ તારીખ પર સિંચાઈના ભાગના ખર્ચ જેટલો પૂરો પાડવામાં આવશે. આંધ્રપ્રદેશ સરકાર ભારત સરકાર વતી પ્રોજેક્ટનો અમલ કરશે. જોકે સંપૂર્ણ સંકલન, ગુણવત્તા નિયંત્રણ, ડિઝાઇનના મુદ્દા, નિરીક્ષણ, મંજૂરી સાથે સંબંધિત મુદ્દાઓ વગેરે જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધાર મંત્રાલયના પોલાવરમ સત્તામંડળ દ્વારા હાથ ધરવામાં આવશે. નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ સાથે વિચારણા કરીને પોલાવરમ પ્રોજેક્ટ સત્તામંડળ 01.04.2014 સુધીના સિંચાઈ વિભાગના ખર્ચની આકારણી કરશે.
ઇએપી લોન્સની પુનઃચુકવણી દ્વારા મૂડીગત ખર્ચનો આ સહકાર રાજ્યના નાણાકીય બાબતોને મજબૂત કરવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા નવરચિત આંધ્રપ્રદેશના રાજ્યને મદદ અને સહાય કરશે. ઉપરાંત પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટના સિંચાઈ ઘટકના કેન્દ્રીય ભંડોળ તથા રાજ્ય સરકાર દ્વારા તેનો અમલ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરશે અને રાજ્યમાં સિંચાઈ સંભવિતતા વધારશે, જેથી જનતાને લાભ થશે.

પૃષ્ઠભૂમિઃ

જ્યારે ભારત સરકાર આંધ્રપ્રદેશ પુનર્ગઠન કાયદા, 2014 હેઠળ તેની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરે છે, ત્યારે વર્ષ 2016-17 દરમિયાન રાજ્યને રૂ. 1,976.50 કરોડની“વિશેષ સહાય” પૂરી પાડે છે. આ રકમમાં રૂ. 1176.60 કરોડનો સંસાધનનો ફરક, રાયલસીમા અને ઉત્તર કિનારાના પ્રદેશને આવરી લેતા 7 પછાત જિલ્લાઓના વિકાસ માટે રૂ. 350 કરોડ અને રાજધાની શહેરના વિકાસ માટે સહાય સ્વરૂપે રૂ. 450 કરોડ સામેલ છે.

આ ઉપરાંત જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા જીર્ણોદ્ધાર મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પોલાવરમ સિંચાઈ પ્રોજેક્ટ માટે રૂ. 2081.54 કરોડ પણ પૂરા પાડ્યા છે. એટલે પુનર્ગઠન કાયદો ઘડાયા પછી કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ રાજ્યને રૂ. 10,461.04 કરોડની કેન્દ્રીય સહાય પૂરી પાડી છે, જેમાં 2014-15 દરમિયાન આપવામાં આવેલા રૂ. 4403 કરોડ, 2015-16 દરમિયાન આપવામાં આવેલા રૂ. 2000 કરોડ અને 2016-17માં આપવામાં આવેલા રૂ. 4058.04 કરોડ સામેલ છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Moody’s projects stable outlook for India's banking sector, NPAs to remain low

Media Coverage

Moody’s projects stable outlook for India's banking sector, NPAs to remain low
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates people of Chhattisgarh for special celebration of ‘Bastar Pandum’ festival
February 10, 2026

The Prime Minister, Shri Narendra Modi has congratulated the people of Chhattisgarh for special celebration of ‘Bastar Pandum’ festival, between February 7 and 9 in Chhattisgarh. During the festival, the rich culture, traditions, and tribal heritage of Bastar were showcased in a magnificent way. Shri Modi stated that such events play a vital role in preserving our cultural heritage and empowering local communities.

"Earlier, whenever the name of Bastar was mentioned, images of Maoism, violence, and backwardness in development would come to mind. But now the situation has completely changed. Today, Bastar is known not only for its development but also for the growing self-confidence of its local people. My only wish is that the coming time for this region be filled with the spirit of peace, progress, and cultural pride", Shri Modi stated.

Responding to a post by Union Minister, Shri Amit Shah on X, Shri Modi said:

"7 से 9 फरवरी के बीच छत्तीसगढ़ में ‘बस्तर पंडुम’ का विशेष आयोजन किया गया। इस उत्सव के दौरान बस्तर की समृद्ध संस्कृति, परंपरा और जनजातीय विरासत का भव्य रूप दिखा। इस प्रयास से जुड़े अपने सभी परिवारजनों को मेरी हार्दिक बधाई। ऐसे आयोजन हमारी सांस्कृतिक विरासत को संरक्षित करने और स्थानीय समुदायों को सशक्त बनाने में अहम भूमिका निभाते हैं।

पहले जब बस्तर का नाम लिया जाता था तो माओवाद, हिंसा और विकास में पिछड़ेपन की छवि उभरती थी। लेकिन अब हालात बिल्कुल बदल चुके हैं। आज बस्तर विकास के साथ-साथ स्थानीय लोगों के बढ़ते आत्मविश्वास के लिए जाना जाता है। मेरी यही कामना है कि यहां का आने वाला समय शांति, प्रगति और सांस्कृतिक गौरव की भावना से परिपूर्ण हो।"