ગુજરાતના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી શ્રી નરહરિ અમીન શ્રી નરેન્દ્ર મોદીની સાદર ઉપસ્થિતિમાં ભાજપમાં સામેલ
આ લોકશાહી તાકાતને મજબૂત કરશે અને વંશવાદી તાકાતો પર આકરો પ્રહાર હશે : શ્રી મોદી
લોકશાહીમાં ભૂલો તો થઈ શકે છે, પરંતુ કોઈને પણ કાર્યકર્તાઓની પીઠમાં છરો ભોંકવાનો અધિકાર નથી; લોકો દગા અને વિશ્વાસઘાતને કદી નહીં ભૂલે;
કોંગ્રેસ પોતાના જ નેતાઓ સાથે દગો અને કપટ કરી શકે છે : શ્રી મોદી
આપણે કંઈ બનવા માટે નથી કરી રહ્યા પરંતુ ગુજરાતના લોકોની સેવા કરવા માટે અને ગુજરાતના સારા ભવિષ્ય માટે કરી રહ્યા છીએ : શ્રી મોદી
આજે ડૉ. આંબેડકરની પુણ્યતિથિ છે; કોંગ્રેસે તેમને ખૂબ હેરાન કર્યા પરંતુ તે તેમને લોકોના હૃદયમાંથી ન કાઢી શકી : મુખ્યમંત્રી
20 ડિસેમ્બરે નરેન્દ્ર મોદી કોંગ્રેસની હેટ્રિક વિકેટ લેશે : શ્રી નરહરિ અમીન
શ્રી મોદીના હાથ મજબૂત કરવા માટે જોડાઈ રહ્યો છું, જે ગુજરાતની વૃદ્ધિ માટે નિરંતર પ્રયત્નશીલ છે : શ્રી નરહરિ અમીન
1990 માં કોંગ્રેસે 32 બેઠક મેળવી હતી, 20 ડિસેમ્બરે તેમને એના કરતાં પણ ઓછી બેઠકો આપો : શ્રી નરહરિ અમીન
6 ડિસેમ્બર 2012 ના રોજ સવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા, ગુજરાતના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને સહકારી તેમ જ શિક્ષણ ક્ષેત્રના દિગ્ગજ શ્રી નરહરિ અમીન શ્રી મોદીની સાદર ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા.



