તા. ૨૨/૧૧/૨૦૧૧

કરાઈ પોલીસ અકાદમી, ગાંધીનગર

જના આ સમારોહના કેન્દ્રબિંદુ એવા તમામ ૫૩૦ નૌજવાનો કે જેઓ આજે એક નવી જવાબદારીને નિભાવવા માટે જઈ રહ્યા છે. આ સમારોહમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ, આ જવાનોના વાલીઓ, તમામ મહેમાનો તથા વિદ્યાર્થી મિત્રો...

૯૬૦ માં ગુજરાતે પોતાની વિકાસયાત્રાનો પ્રારંભ કર્યો. આટલાં વર્ષોમાં આ પહેલી ઘટના છે કે એક સાથે આટલી મોટી સંખ્યામાં પોલીસ ફોર્સમાં પી.એસ.આઈ., જે એક મહત્વપૂર્ણ એકમ હોય છે, તેમની પાસ-આઉટ પરેડ થઈ રહી છે. તે પણ ખૂબ ગર્વની વાત છે કે આ ૫૩૦ માં ૬૮ મહિલાઓ છે. પાછલાં ૫૦ વર્ષમાં આ પ્રકારની પાસ-આઉટ પરેડમાં જેટલી ટોટલ સંખ્યા મહિલાઓની હતી, તેનાથી આ વધારે છે, એક જ પરેડમાં. એ વાત પણ ધ્યાનમાં આવી છે કે ખૂબ મોટી સંખ્યામાં હાઈલિ ક્વૉલિફાઇડ નૌજવાનોએ એક મિશનના રૂપમાં આ ક્ષેત્રનો સ્વીકાર કરેલ છે. તેમાં ઘણા એન્જિનિયરો છે, ઘણા એવા નૌજવાનો છે કે જેમણે ડૉક્ટરેટ કરેલ છે, ઘણા બધા નૌજવાનો લૉ ગ્રૅજ્યુએટ છે, ઘણા બધા એવા છે કે જેઓ ક્યારેક શિક્ષક હતા, તે ક્ષેત્રને છોડીને અહીં આવેલ છે. ઘણા બધા નૌજવાનો છે જેઓ સરકારમાં કોઈને કોઈ પદ ઉપર હતા, તેને છોડીને અહીં આવ્યા છે. તો એક મિશનના રૂપમાં આ ક્ષેત્રમાં આવવું એ પોતે જ ગુજરાત પોલીસ દળ માટે એક શુભ સંકેત છે અને હું પોતે તેના માટે એક ગર્વનો અનુભવ કરું છું અને આપ સૌ નૌજવાનોને આ ક્ષેત્રને પસંદ કરવા બદલ હું ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. મિત્રો, એક કસોટીનો સમય રહે છે, જ્યારે ટ્રેઇનિંગ હોય છે. ક્યારેક-ક્યારેક કેટલીક ક્ષણો એવી પણ આવી જતી હોય છે કે આ આટલી મહેનત કેમ? આ સવારથી સાંજ, મહિનાઓ સુધી... જ્યારે ટ્રેઇનિંગમાં હોઈએ છીએ ત્યારે લાગે છે કે ચાલો ભાઈ, જેટલા જલદી નીકળી જઈએ, સારું થશે. અને આ થવું બહુ સ્વાભાવિક છે. પરંતુ જો મંજિલ સુધી પહોંચવું હશે તો સફર ગમે તેટલી કઠિન કેમ ન હોય, તેને હસતા-હસતા પાર કરીએ ત્યારે મંજિલ પર પહોંચવાનો એક આનંદ આવતો હોય છે. આજે આપ સૌ માટે એ આનંદની પળ છે.

મિત્રો, અહીં જે શિક્ષા-દીક્ષા થઈ છે, તે એક સર્ટિફિકેટ મેળવવા માટે, કે એક ટ્રૉફી મેળવવા માટે નથી થતી, નોકરીમાં સ્થાન મેળવવા માટે નથી થતી, આ પ્રકારની જે ટ્રેઇનિંગ થાય છે તેને જીવનભર જીવવી પડે છે. અને જીવનમાં તે જ સફળ થાય છે કે તેણે તાલીમ-સમય દરમ્યાન જે મેળવ્યું છે, તેને જીવવાની આદત બનાવે છે. અહીં તો ડિસિપ્લિનમાં રહેવું સ્વાભાવિક છે કારણકે એ તો આ વ્યવસ્થામાં જ છે, અહીં વહેલા ઊઠવું સ્વાભાવિક છે કારણકે આપણે એક વ્યવસ્થામાં છીએ. સવારે બ્યૂગલ વાગતું હશે, વ્હિસલ વાગતી હશે, તે આપણને ફરજ પર લઈ જતી હશે. જ્યારે એક વ્યવસ્થાના માળખામાં હોઈએ છીએ ત્યારે પોતાની જાતને ઢાળવાનું મુશ્કેલ નથી હોતું. ક્યારેક આપણે ત્રણ બાય છ ના ઓરડામાં રહેવા માટે કોઈક કહે તો આપણે રહી ન શકીએ અને કોઈ કહે કે ૪૮ કલાક તમારે આમાં જ રહેવાનું છે, જે રીતે પણ પસાર કરવા હોય, તો એક બોજો લાગે છે. પરંતુ જો ૪૮ કલાકની મુસાફરી હોય અને ટ્રેનના પેલા નાનકડા કમ્પાર્ટમેન્ટમાં ટાઇમ કાઢવાનો હોય તો બહુ આરામથી કાઢી નાંખતા હોઈએ છીએ. કારણકે ખબર હોય છે કે હું એક વ્યવસ્થાની અંદર છું અને ૪૮ કલાક પછી જ મારે ઊતરવાનું છે, તો જાતે જ તે હસતા-રમતા કાઢી નાખો છો. મિત્રો, એટલા માટે આ વર્ષભરના સમયને પાર કરવામાં એટલી મુશ્કેલી નહોતી, જેટલી મુશ્કેલી હવે શરૂ થઈ રહી છે જ્યારે કોઈ કહેવાવાળું નહીં હોય, કોઈ પૂછવાવાળું નહીં હોય, એક્સર્સાઇઝ કરો એમ કહેવા માટે કોઈ હશે નહીં. જે વિષયોને જોયા છે, જે કાનૂની બારીકીને સમઝ્યા છીએ તેનો વિચાર કરો, તેને યાદ કરો અને દરેક ઘટનાની સાથે પોતાના મનને જોડીને... કે આમ બન્યું, હું હોત તો શું કરત? જ્યાં સુધી આપણું મન નિરંતર આ કામ નથી કરતું ત્યાં સુધી આપણે આપણા પ્રોફેશનમાં સફળ નથી થતા. ચોવીસે કલાક અહીંનો જે સમયગાળો છે, તેને જીવવાનો પ્રયત્ન કરવો તે સૌથી મોટી ચેલેંજ હોય છે. હું આશા કરું છું કે તમે જે નૌજવાનો આજે અહીંથી જીવનની એક નવી સંભાવના તરફ ડગ માંડી રહ્યા છો ત્યારે તમે આને કેવી રીતે કરી શકાય, જિંદગીનો હિસ્સો કેવી રીતે બનાવી શકાય, આ શિક્ષણ પદ માટે નહીં, એક જીવનની પુન:પ્રતિષ્ઠા માટે કેવી રીતે હોય, તેથી જો આ શિક્ષણ ઉપયોગી થશે તો હું માનું છું કે તમે તમારા યુનિફૉર્મની શોભા વધારશો, તમારા ખભા ઉપર જે નામ કે પટ્ટીઓ લાગેલી છે, એ પોતાના નામની શાન હોય છે. તે તમારા ખભાની શોભા નથી વધારતી, પરંતુ તમારા ખભા ઉપર જે નિશાન હોય છે તે તમારી આ રાજ્યને માટેની જવાબદારી દર્શાવે છે. તે ખભો તમારી શોભા માટે નથી હોતો, તે ખભો રાજ્યની શોભા માટે હોય છે. અને જે આ ખભાનું સામર્થ્ય સમઝે છે, તે ખભા ઉપર લાગેલી પટ્ટી, તેની ઉપર લાગેલ તે સિમ્બોલ, તેના પર લાગેલ એ નામ, આ બધાની પોતાની એક તાકાત હોય છે, તેની સાથે એક ગરિમા જોડાયેલી હોય છે, એક સન્માન જોડાયેલ હોય છે અને તેથી જ તમારો ખભો સમગ્ર રાજ્યની શક્તિ માટેનો ખભો બનતો હોય છે અને તે ખભાને સંભાળવા માટે સમગ્ર જીવનને, સમગ્ર શરીરને, સમગ્ર મનમંદિરને તેના માટે પ્રતિબદ્ધ કરવું પડે છે અને ત્યારે જ જીવન બનતું હોય છે.

ભાઈઓ-બહેનો, વિદ્યાર્થીકાળમાં મુક્તિનો એક આનંદ હોય છે અને પરિણામે ગમે તેટલી મોટી જવાબદારી સંભાળવા માટે, આપણે વિદ્યાર્થી અવસ્થામાં હોઈએ ત્યારે, મન ઘણું મોકળું હોય છે, નિખાલસતા પણ હોય છે, પરંતુ જ્યારે તે જ શિક્ષા-દીક્ષાની સાથે જવાબદારી મળે છે ત્યારે જવાબદારીનો એક ખૂબ જ મોટો બોજો હોય છે અને આ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં સૌથી વધારે તાણવાળું વાતાવરણ રહેતું હોય છે. દરેક ક્ષણે અટેન્શનમાં રહેવું પડે છે. ખબર નહીં ક્યારે શું આવશે, ક્યાં દોડવું પડશે, ક્યાં ભાગવું પડશે..! એવા સમયે તમને અહીં જે યોગનું શિક્ષણ આપવામાં આવેલ છે, જો તે તમારા જીવનનો ભાગ બને તો તાણથી મુક્ત થઈને, સ્વસ્થ મનથી, ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન આવે, ગમે તેટલાં સંકટો કેમ ન આવે, ગમે તેટલી ગહન પરિસ્થિતિને પહોંચી વળવાની સ્થિતિ કેમ ન આવે, સ્વસ્થ મનથી જો કરવું હોય તો તમને અહીં જે યોગનું શિક્ષણ આપવામાં આવેલ છે, તેને તમે જીવનનો એક ભાગ બનાવશો તેવી હું આપ સૌ પાસેથી આશા રાખું છું. જો તમારા ચહેરા ઉપર સ્મિત હશે તો તમે બહુ આસાનીથી કઠોરમાં કઠોર કામ પણ કરી શકો છો અને તેથી જ અહીં જે શિક્ષા-દીક્ષા મળેલ છે, તેના માટેનો જે હ્યૂમન એંગલ છે, જે બારીકી છે, તેને ક્યારેય ભૂલવી ન જોઇએ, તેને પ્રાથમિકતા આપવી જોઇએ.

ભાઈઓ-બહેનો, આજે આપણે જઈ રહ્યા છીએ, એક વ્યવસ્થાની અંદર આપણે આવ્યા છીએ. એક ખૂબ જ મોટી લાંબી પાઇપ-લાઇનમાં એક બાજુ ઘૂસીએ તો કંઈ ન કરો તો પણ બીજી બાજુ એમ પણ નીકળવાનાં છીએ. અને કેટલાક લોકો એવા હોય છે કે જીવનમાં એક વ્યવસ્થામાં પ્રવેશ કરી લે છે ત્યારબાદ એમને એમ લાગે છે કે સમય જ તેમને આગળ લઈ જશે. મિત્રો, જે સમયની પ્રતીક્ષા કરતો રહે છે, ન તો તે જિંદગીમાં કાંઈ મેળવી શકે છે, ન તો જીવનમાં કોઈને કંઈ આપવાનો સંતોષ લઈ શકે છે. નૌજવાનો, હું નથી ઇચ્છતો કે તમે આને પોતાની મંજિલ માનો, તમે આને એક મુકામ માનો. તમે મનમાં નક્કી કરીને જાઓ કે વધારે આગળ જવું છે, વધારે નવી ઊંચાઈઓ પર જવું છે. આના માટે જેટલી પોતાની ક્ષમતા વધારવી પડશે, જેટલું પોતાનું જ્ઞાન વધારવું પડશે, જેટલું પોતાનું કૌશલ્ય વધારવું પડશે, અમારે અમારી જે પણ ક્વૉલિટીને જોડવી પડશે, તેને જોડવા માટે અમે પ્રયત્ન કરીશું અને તેમ કરો છો તો મને વિશ્વાસ છે મિત્રો, તમારા માટે આ મુકામ જ રહેશે. સમય પ્રતીક્ષા નહીં કરે, તમે સમય પાસે જશો અને તક મળતાં જ તમે પણ કેમ ઉચ્ચ પદ ઉપર પહોંચો, જેટલા પણ રસ્તાઓ પરથી પસાર થવું પડે થાવ, જેટલી પણ કસોટીઓને પાર કરવી પડે કરો, પરંતુ તમે ઉચ્ચ પદ ઉપર જવાનું સપનું લઈને મંજિલને ઊંચી રાખો, એક એક મુકામને પાર કરતા જાઓ અને કંઈક નવું મેળવવાનો સંકલ્પ લઈને ચાલશો, મને વિશ્વાસ છે દોસ્તો, તમારામાંથી કેટલાય લોકો આ રાજ્યની આન-બાન-શાન બનીને સમગ્ર હિંદુસ્તાનમાં પોતાનું નામ રોશન કરી શકે છે તેનો મને ભરોસો છે, તમે પોતાની જાત ઉપર ભરોસો કરો, તમે તમારા જીવનને આગળ વધારી શકો છો.

ને એ વાતનો ગર્વ છે, હું અહીં જ્યારે પાસીંગ-આઉટ પરેડના નિરીક્ષણ માટે જઈ રહ્યો હતો તો પહેલાં કેટલાક નાગરિકો તરફ હું જોતો હતો અને હું અનુભવ કરી રહ્યો હતો કે મોટા ભાગના તેમાં તે પરિવાર બેઠેલા હતા જેમનો દીકરો, જેમનો ભાઈ આ પરેડમાં શામેલ થયેલા છે. હું તેમની તરફ જોતો હતો. ખૂબ જ સામાન્ય પરિવારના બધા સ્વજનો અહીં બેઠેલા છે. કોઈ બહુ ઉચ્ચ પરિવારમાંથી આવેલા લોકો નથી. કેટલીયે એવી વિધવા માતાઓ છે, જેમનો દીકરો આજે આ યુનિફૉર્મમાં શાનથી ઊભેલો હશે. તે વિધવા માં ને ક્યારે ખબર હતી કે મારો દીકરાને આ પ્રકારનું પદ કેવી રીતે મળી શકે છે. અત્યારનું તંત્ર જે પ્રકારે ચાલી રહેલ છે, કોઈ ભરોસો ન કરી શકે કે એક વિધવા માં નો દીકરો જેને કોઈ ઓળખતું પણ નથી, પરંતુ વ્યવસ્થાના કારણે, ટ્રાન્સ્પૅરન્સિના કારણે, પોતાની ક્ષમતાના કારણે તે ત્યાં સુધી પહોંચી ગયો છે. ભાઈઓ-બહેનો, જે રીતે આપણને આ મોકો મળેલ છે, આપણે જીવનભર આ વાતને યાદ રાખીશું, કે આજે મારી માં ખુશ છે, કારણકે એક ટ્રાન્સ્પૅરન્ટ વ્યવસ્થાના કારણે હું આ જગ્યાએ પહોંચી શક્યો છું. મારો ભાઈ ખુશ છે, મારી બહેન ખુશ છે, મારા પિતાજી ખુશ છે, મારી માં ખુશ છે... જેમને આ વિશ્વાસ હશે કે મારા પરિવારની ખુશીમાં મને જે આ પ્રવેશ મળેલ છે, અહીં સુધી આવવા માટે મારા માટે જે બારી ખૂલી છે, તેના માટેની જે પારદર્શિતા હતી, તે પારદર્શિતા બહુ મોટી તાકાત હતી. જો મારી જિંદગીનો આનંદ તે પારદર્શિતા છે, મારા પરિવારની ખુશીનું કારણ તે પારદર્શિતા છે તો મારું કર્તવ્ય બને છે કે હું જીવનભર તે પારદર્શિતાનું પાલન કરીશ જેથી હું પણ હજારો-લાખો લોકોની ખુશીઓનું કારણ બની શકું. અને તેથી જ મિત્રો, હું તમારી પાસેથી અપેક્ષા રાખીશ, હું તમને વિનંતી કરીશ, હું આગ્રહ રાખીશ... અને જ્યારે તમે ઈશ્વરને સાથે રાખીને, આજે જે શપથ લીધી છે, તે શપથનો એકે એક શબ્દ જીવવો પડે છે, દોસ્તો. શપથ, તે ફક્ત વાણી નથી, શપથ એ ફક્ત શબ્દ નથી હોતા. તિરંગો ઝંડો આપણા જીવનની આન, બાન, શાન હોય છે. તેને જ્યારે સ્પર્શ કરીએ છીએ, ત્યારે એક નવી ચેતનાનો સંચાર થાય છે. તમને જ્યારે એવી પરિસ્થિતિમાં તેનો સ્પર્શ થાય છે તો તમારી અંદર તે ચેતનાનો સંચાર થાય છે, તમે જીવનભર તે ક્ષણને યાદ રાખશો. એ તિરંગા ઝંડાની શાન માટે જે મહાપુરુષોએ આ તિરંગા ઝંડા માટે બલિદાન આપ્યાં હતાં, ૧૮૫૭ થી લઈને ૧૯૪૨ સુધી કેટકેટલા લોકોએ પોતાનાં જીવન આપી દીધાં ત્યારે ’૪૭ માં આપણે આ તિરંગા ઝંડાનું સન્માન અને ગૌરવ મેળવ્યાં છે. ભાઈઓ-બહેનો, જે ગૌરવને આજે આપણને સ્પર્શ કરવાની તક મળી છે, તે આપણી જિંદગીનું કેટલું મોટું સામર્થ્ય બની શકે છે, આપણી જિંદગીની કેટલી મોટી ચેતનાને જગાડવાની એક તક બની શકે છે. શપથના શબ્દો, શબ્દો ન રહીને મારા જીવનનો સંકલ્પ કેમ બને, શપથની ભાવના મારા જીવનની ભાવના કેવી રીતે બની જાય અને પ્રત્યેક પળે ઈશ્વરને યાદ કરીને હું તેને જીવવાની કોશિશ કરું અને ત્યારે આ શપથનું મૂલ્ય સમજી શકાય છે અને મારું જીવન તે શપથની શક્તિને કારણે આગળ વધતું રહે છે, તેના માટે હું તમને શુભકામનાઓ આપું છું.

ભાઈઓ-બહેનો, દેશ નવાં નવાં સંકટોમાંથી પસાર થઈ રહ્યો છે. એક જમાનો હતો, જ્યારે સેનાઓ યુદ્ધ કરતી હતી તો કેટલાયનાં લોહી વહેતાં હતા, કેટલીયે માં ની ગોદ ઊજડી જતી હતી..! સમય બદલાઈ ચૂક્યો છે. આજે યુદ્ધમાં ટેક્નોલૉજીએ સ્થાન લીધું છે. સામી છાતીએ ગોળીઓ ઝીલવાની સ્થિતિ ઓછી થતી જાય છે. તેમ છતાં પણ દેશની જીત અને હાર શક્ય બની શકે છે, નવાં ક્ષેત્રો ખૂલી ચૂક્યાં છે. અને તે જ પ્રકારે સામાન્ય જીવનમાં સુરક્ષાનો વિષય પણ પહેલાં જેવો નથી રહ્યો. ટેક્નોલૉજીએ ગુનાહિત કૃત્યોમાં સ્થાન લઈ લીધું છે. એકાદ બે ગુનાનો એ વિષય નથી રહ્યો, હવે તો આતંકવાદ, નક્સલવાદ જેવી સમસ્યાઓ સામે દેશને ઝઝૂમવું પડે છે. મિત્રો, યુદ્ધમાં જેટલા જવાનો નહીં મર્યા હોય, તેનાથી વધારે જવાનો આતંકવાદીઓની ગોળીઓથી માર્યા ગયા છે. દેશના વિકાસને અટકાવી દેવામાં નક્સલવાદ આજે એક બહુ મોટું કારણ બનેલ છે. આ દેશના કેટલાયે વિસ્તારો એવા છે, જ્યાં સરકારે જઈને સ્કૂલ બનાવી, નક્સલવાદીઓએ ઉડાવી દીધી, ક્યાંક હોસ્પિટલ બનાવી તો નક્સલવાદીઓએ ઉડાવી દીધી. અસંતોષની આગ ઊભી કરવા માટે કોણ જાણે કેટકેટલા લોકોને મારવામાં આવી રહ્યા છે. ભાઈઓ-બહેનો, આ આતંકવાદ હોય, નક્સલવાદ હોય, આપણે આપણા જાનની બાજી લગાવીને પણ નિર્દોષ નાગરિકોની રક્ષા કરવી પડતી હોય છે. અને મિત્રો, જ્યાં સુધી આપણી અંદર સાહસ ન હોય, ત્યાં સુધી આપણે તે પરિસ્થિતિને સંભાળી શકતા નથી. અને સાહસ પુસ્તકોમાંથી પ્રાપ્ત નથી થતું, સાહસની માળા જપવામાં નથી આવતી, પોતાની જાતને તૈયાર કરવી પડતી હોય છે અને જ્યારે મનમાં પવિત્રતા હોય, મનમાં સંકલ્પ હોય તો ભય નામની કોઈ વસ્તુ નથી રહેતી, ભાઈઓ. અને તેથી હું આપની પાસેથી ઇચ્છું છું કે મારો દરેક સાથી અભય હોવો જોઇએ, નિર્ભય હોવો જોઇએ, અભય અને નિર્ભય આ વરદીનો સૌથી મહત્વનો ગુણ હોવો જોઇએ. જો તે અભય નથી કે નિર્ભય નહીં હોય તો કદાચ ભયની સામે તે વિચલિત થઈ જશે અને તેથી જ, ભાઈઓ-બહેનો, આપ એક એવા દાયિત્વ તરફ જઈ રહ્યા છો ત્યારે જીવનને તે ઊંચાઈઓ પાર કરવા માટે, સામાન્યમાં સામાન્ય માણસની રક્ષા માટે પોતાની જાતને લગાવી દેશો.

ભાઈઓ-બહેનો, પોલીસ જનતા જનાર્દનની મિત્ર હોય છે, આ આપણે બાળપણથી સાંભળતા આવ્યાં છીએ. મારે આ ચારિત્ર્ય લાવવું છે અને તેટલા માટે આપણે રક્ષા શક્તિ યુનિવર્સિટી શરૂ કરેલ છે. એ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં પહેલાં અમે એ ટ્રેઇનિંગ આપવા માંગીએ છીએ કે સુરક્ષા દળના જવાનોની એક લાંબી ટ્રેઇનિંગ હોય. નોકરી માટે નહીં, જીવન માટેની ટ્રેઇનિંગ હોય. નોકરી, આ કારકિર્દી... એ તો બાઇપ્રોડક્ટ હોય, તે દિશામાં આપણે જવા માંગીએ છીએ. આવનારા દિવસોમાં તેનો પણ આપણે ઉપયોગ કરવા માંગીએ છીએ. હું આજે સરકારના કેટલાક મિત્રો સાથે વાત કરી રહ્યો હતો. હવે દોઢ વર્ષનો સમય છે તમારી પાસે, જેમાં તમે અહીં જે શીખ્યા છો, તેને તલવારની ધાર ઉપર જીવીને બતાવવું પડશે. બધા જ લોકો ઝીણવટથી તમને જોશે, દરેક વસ્તુનો રિપૉર્ટ બનશે, તમારી નાનામાં નાની ભૂલ પણ તમારા માટે બહુ મોટું સંકટ બની શકે છે. આવો દોઢ વર્ષનો સમય હોય છે, જેમાં તમારે ફક્ત ડિસિપ્લિનથી જ તમારી જાતને સિદ્ધ કરવાની હોય છે. તેમાં અનેક પ્રકારની પદ્ધતિઓ છે. તેમાં એક નવી પદ્ધતિ જોડવા માટે હું વિચારી રહ્યો છું. હું આ ક્ષેત્રના વિદ્વાનો છે તેમને કહીશ કે તેના પર કામ કરે અને એક જ અઠવાડિયામાં કોઈ નિર્ણય અમે કરી શકીએ. અહીંથી એક એક નૌજવાન જે તૈયાર થઈને જાય છે, તેને દોઢ વર્ષના સમયગાળામાં ઓછામાં ઓછા ૧૦૦ કલાક પોતાની નીચે જે કોન્સ્ટેબલ્સ છે, અહીં જે તેમણે ટ્રેઇનિંગ લીધેલ છે... ૧૦૦ કલાક, ૨૫-૨૫ ની ચાર બેચ હોય કે ૩૦-૩૦ ની ત્રણ બેચ હોય, આવનારા દોઢ વર્ષમાં પેલા લોકોને તે ટ્રેઇનિંગ આપે. રોજ સવારે ૫ થી ૮, ૫:૩૦ થી ૮, તે કોન્સ્ટેબલને ટ્રેઇનિંગ આપે. જે અહીં શીખ્યા છે, તે ત્યાં શિખવાડે. એક સિલેબસ બનાવવામાં આવે, ૧૦૦ કલાકનું. અને એ કામ તમે લોકો કરો જેથી અહીં જે તમે શીખ્યા છો, તેને શિખવાડવાથી તે વધારે પાકું થાય છે, વધારે આક્રમક સ્વભાવ બની જાય છે. ક્યારેક-ક્યારેક શીખવા સમયે ઘણી બધી વસ્તુઓ પર આપણું ધ્યાન નથી જતું. ઇગ્ઝૅમમાં તો ગમે તેમ નીકળી જઈએ છીએ, પરંતુ જ્યારે શીખવાડવાનું હોય છે ત્યારે ઘણી બધી વાતો તરફ આપણું ધ્યાન જતું હોય છે અને તેટલા માટે તમારા આ દોઢ વર્ષના કામમાં ૧૦૦ કલાકનું એક વધારે કાર્ય, તેને પણ જોડવા માટે હું વિચારી રહ્યો છું. અને આપણે જોઇશું કે જે કોન્સ્ટેબલોને તમે ટ્રેઇન કરેલ છે, તેમાંથી કેટલા પરસેન્ટ છે જેઓને સફળતા મળે છે, તેના આધારે અમે નક્કી કરીશું કે તમે અહીંથી શું મેળવ્યું છે. અહીંથી કંઈ ભૂલીને જવાનું નથી.

ને વિશ્વાસ છે મિત્રો, એક સાથે આ રાજ્યની અંદર આટલી મોટી સંખ્યામાં તમારા જેવા નૌજવાનોના આખી વ્યવસ્થા સાથે જોડાવાના કારણે ગુજરાતના પોલીસ દળને એક નવી તાકાત મળશે, સામાન્ય માનવીના સુખ-દુખના સાથી બનીને તેમને સલામતીનો એક નવો અનુભવ આપણે કરાવી શકીશું અને ગુજરાતનો સામાન્યમાં સામાન્ય માણસ પણ આપણી ઉપસ્થિતિ માત્રથી સુરક્ષાનો અનુભવ કરે, આપણી ઉપસ્થિતિ માત્રથી તેને શાંતીથી નીંદર આવી જાય તે પ્રકારનો આપણો વ્યવહાર રહે, આ જ એક અપેક્ષા સાથે તમને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારા પરિવારજનોને પણ અભિનંદન આપું છું કે સમાજે આટલું બધું આપ્યું છે, તમારા દીકરાને એક મહત્તા આપી છે. આપણે બધા સાથે મળીને સમાજનું ઋણ ચૂકવવા માટે જ્યારે પણ મોકો મળે ત્યારે કંઇકને કંઈક કરતાં રહીએ. આ જ અપેક્ષા સાથે તમને સૌને ભારત માતાની સેવા માટે, ડગ માંડવા માટે, એક નવી જવાબદારી સાથે આગળ વધવા માટે હું આહવાન કરું છું, શુભકામનાઓ પાઠવું છું.

 

ખૂબ ખૂબ ધન્યવાદ..!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
MSME exports touch Rs 9.52 lakh crore in April–September FY26: Govt tells Parliament

Media Coverage

MSME exports touch Rs 9.52 lakh crore in April–September FY26: Govt tells Parliament
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Assam has picked up a new momentum of development: PM Modi at the foundation stone laying of Ammonia-Urea Fertilizer Project in Namrup
December 21, 2025
Assam has picked up a new momentum of development: PM
Our government is placing farmers' welfare at the centre of all its efforts: PM
Initiatives like PM Dhan Dhanya Krishi Yojana and the Dalhan Atmanirbharta Mission are launched to promote farming and support farmers: PM
Guided by the vision of Sabka Saath, Sabka Vikas, our efforts have transformed the lives of poor: PM

उज्जनिर रायज केने आसे? आपुनालुकोलोई मुर अंतोरिक मोरोम आरु स्रद्धा जासिसु।

असम के गवर्नर लक्ष्मण प्रसाद आचार्य जी, मुख्यमंत्री हिमंता बिस्वा शर्मा जी, केंद्र में मेरे सहयोगी और यहीं के आपके प्रतिनिधि, असम के पूर्व मुख्यमंत्री, सर्बानंद सोनोवाल जी, असम सरकार के मंत्रीगण, सांसद, विधायक, अन्य महानुभाव, और विशाल संख्या में आए हुए, हम सबको आशीर्वाद देने के लिए आए हुए, मेरे सभी भाइयों और बहनों, जितने लोग पंडाल में हैं, उससे ज्यादा मुझे वहां बाहर दिखते हैं।

सौलुंग सुकाफा और महावीर लसित बोरफुकन जैसे वीरों की ये धरती, भीमबर देउरी, शहीद कुसल कुवर, मोरान राजा बोडौसा, मालती मेम, इंदिरा मिरी, स्वर्गदेव सर्वानंद सिंह और वीरांगना सती साध`नी की ये भूमि, मैं उजनी असम की इस महान मिट्टी को श्रद्धापूर्वक नमन करता हूँ।

साथियों,

मैं देख रहा हूँ, सामने दूर-दूर तक आप सब इतनी बड़ी संख्या में अपना उत्साह, अपना उमंग, अपना स्नेह बरसा रहे हैं। और खासकर, मेरी माताएँ बहनें, इतनी विशाल संख्या में आप जो प्यार और आशीर्वाद लेकर आईं हैं, ये हमारी सबसे बड़ी शक्ति है, सबसे बड़ी ऊर्जा है, एक अद्भुत अनुभूति है। मेरी बहुत सी बहनें असम के चाय बगानों की खुशबू लेकर यहां उपस्थित हैं। चाय की ये खुशबू मेरे और असम के रिश्तों में एक अलग ही ऐहसास पैदा करती है। मैं आप सभी को प्रणाम करता हूँ। इस स्नेह और प्यार के लिए मैं हृदय से आप सबका आभार करता हूँ।

साथियों,

आज असम और पूरे नॉर्थ ईस्ट के लिए बहुत बड़ा दिन है। नामरूप और डिब्रुगढ़ को लंबे समय से जिसका इंतज़ार था, वो सपना भी आज पूरा हो रहा है, आज इस पूरे इलाके में औद्योगिक प्रगति का नया अध्याय शुरू हो रहा है। अभी थोड़ी देर पहले मैंने यहां अमोनिया–यूरिया फर्टिलाइज़र प्लांट का भूमि पूजन किया है। डिब्रुगढ़ आने से पहले गुवाहाटी में एयरपोर्ट के एक टर्मिनल का उद्घाटन भी हुआ है। आज हर कोई कह रहा है, असम विकास की एक नई रफ्तार पकड़ चुका है। मैं आपको बताना चाहता हूँ, अभी आप जो देख रहे हैं, जो अनुभव कर रहे हैं, ये तो एक शुरुआत है। हमें तो असम को बहुत आगे लेकर के जाना है, आप सबको साथ लेकर के आगे बढ़ना है। असम की जो ताकत और असम की भूमिका ओहोम साम्राज्य के दौर में थी, विकसित भारत में असम वैसी ही ताकतवर भूमि बनाएंगे। नए उद्योगों की शुरुआत, आधुनिक इनफ्रास्ट्रक्चर का निर्माण, Semiconductors, उसकी manufacturing, कृषि के क्षेत्र में नए अवसर, टी-गार्डेन्स और उनके वर्कर्स की उन्नति, पर्यटन में बढ़ती संभावनाएं, असम हर क्षेत्र में आगे बढ़ रहा है। मैं आप सभी को और देश के सभी किसान भाई-बहनों को इस आधुनिक फर्टिलाइज़र प्लांट के लिए बहुत-बहुत शुभकामनाएँ देता हूँ। मैं आपको गुवाहटी एयरपोर्ट के नए टर्मिनल के लिए भी बधाई देता हूँ। बीजेपी की डबल इंजन सरकार में, उद्योग और कनेक्टिविटी की ये जुगलबंदी, असम के सपनों को पूरा कर रही है, और साथ ही हमारे युवाओं को नए सपने देखने का हौसला भी दे रही है।

साथियों,

विकसित भारत के निर्माण में देश के किसानों की, यहां के अन्नदाताओं की बहुत बड़ी भूमिका है। इसलिए हमारी सरकार किसानों के हितों को सर्वोपरि रखते हुए दिन-रात काम कर रही है। यहां आप सभी को किसान हितैषी योजनाओं का लाभ दिया जा रहा है। कृषि कल्याण की योजनाओं के बीच, ये भी जरूरी है कि हमारे किसानों को खाद की निरंतर सप्लाई मिलती रहे। आने वाले समय में ये यूरिया कारख़ाना यह सुनिश्चित करेगा। इस फर्टिलाइज़र प्रोजेक्ट पर करीब 11 हजार करोड़ रुपए खर्च किए जाएंगे। यहां हर साल 12 लाख मीट्रिक टन से ज्यादा खाद बनेगी। जब उत्पादन यहीं होगा, तो सप्लाई तेज होगी। लॉजिस्टिक खर्च घटेगा।

साथियों,

नामरूप की ये यूनिट रोजगार-स्वरोजगार के हजारों नए अवसर भी बनाएगी। प्लांट के शुरू होते ही अनेकों लोगों को यहीं पर स्थायी नौकरी भी मिलेगी। इसके अलावा जो काम प्लांट के साथ जुड़ा होता है, मरम्मत हो, सप्लाई हो, कंस्ट्रक्शन का बहुत बड़ी मात्रा में काम होगा, यानी अनेक काम होते हैं, इन सबमें भी यहां के स्थानीय लोगों को और खासकर के मेरे नौजवानों को रोजगार मिलेगा।

लेकिन भाइयों बहनों,

आप सोचिए, किसानों के कल्याण के लिए काम बीजेपी सरकार आने के बाद ही क्यों हो रहा है? हमारा नामरूप तो दशकों से खाद उत्पादन का केंद्र था। एक समय था, जब यहां बनी खाद से नॉर्थ ईस्ट के खेतों को ताकत मिलती थी। किसानों की फसलों को सहारा मिलता था। जब देश के कई हिस्सों में खाद की आपूर्ति चुनौती बनी, तब भी नामरूप किसानों के लिए उम्मीद बना रहा। लेकिन, पुराने कारखानों की टेक्नालजी समय के साथ पुरानी होती गई, और काँग्रेस की सरकारों ने कोई ध्यान नहीं दिया। नतीजा ये हुआ कि, नामरूप प्लांट की कई यूनिट्स इसी वजह से बंद होती गईं। पूरे नॉर्थ ईस्ट के किसान परेशान होते रहे, देश के किसानों को भी तकलीफ हुई, उनकी आमदनी पर चोट पड़ती रही, खेती में तकलीफ़ें बढ़ती गईं, लेकिन, काँग्रेस वालों ने इस समस्या का कोई हल ही नहीं निकाला, वो अपनी मस्ती में ही रहे। आज हमारी डबल इंजन सरकार, काँग्रेस द्वारा पैदा की गई उन समस्याओं का समाधान भी कर रही है।

साथियों,

असम की तरह ही, देश के दूसरे राज्यों में भी खाद की कितनी ही फ़ैक्टरियां बंद हो गईं थीं। आप याद करिए, तब किसानों के क्या हालात थे? यूरिया के लिए किसानों को लाइनों में लगना पड़ता था। यूरिया की दुकानों पर पुलिस लगानी पड़ती थी। पुलिस किसानों पर लाठी बरसाती थी।

भाइयों बहनों,

काँग्रेस ने जिन हालातों को बिगाड़ा था, हमारी सरकार उन्हें सुधारने के लिए एडी-चोटी की ताकत लगा रही है। और इन्होंने इतना बुरा किया,इतना बुरा किया कि, 11 साल से मेहनत करने के बाद भी, अभी मुझे और बहुत कुछ करना बाकी है। काँग्रेस के दौर में फर्टिलाइज़र्स फ़ैक्टरियां बंद होती थीं। जबकि हमारी सरकार ने गोरखपुर, सिंदरी, बरौनी, रामागुंडम जैसे अनेक प्लांट्स शुरू किए हैं। इस क्षेत्र में प्राइवेट सेक्टर को भी बढ़ावा दिया जा रहा है। आज इसी का नतीजा है, हम यूरिया के क्षेत्र में आने वाले कुछ समय में आत्मनिर्भर हो सके, उस दिशा में मजबूती से कदम रख रहे हैं।

साथियों,

2014 में देश में सिर्फ 225 लाख मीट्रिक टन यूरिया का ही उत्पादन होता था। आपको आंकड़ा याद रहेगा? आंकड़ा याद रहेगा? मैं आपने मुझे काम दिया 10-11 साल पहले, तब उत्पादन होता था 225 लाख मीट्रिक टन। ये आंकड़ा याद रखिए। पिछले 10-11 साल की मेहनत में हमने उत्पादन बढ़ाकर के करीब 306 लाख मीट्रिक टन तक पहुंच चुका है। लेकिन हमें यहां रूकना नहीं है, क्योंकि अभी भी बहुत करने की जरूरत है। जो काम उनको उस समय करना था, नहीं किया, और इसलिए मुझे थोड़ा एक्स्ट्रा मेहनत करनी पड़ रही है। और अभी हमें हर साल करीब 380 लाख मीट्रिक टन यूरिया की जरूरत पड़ती है। हम 306 पर पहुंचे हैं, 70-80 और करना है। लेकिन मैं देशवासियों को विश्वास दिलाता हूं, हम जिस प्रकार से मेहनत कर रहे हैं, जिस प्रकार से योजना बना रहे हैं और जिस प्रकार से मेरे किसान भाई-बहन हमें आशीर्वाद दे रहे हैं, हम हो सके उतना जल्दी इस गैप को भरने में कोई कमी नहीं रखेंगे।

और भाइयों और बहनों,

मैं आपको एक और बात बताना चाहता हूं, आपके हितों को लेकर हमारी सरकार बहुत ज्यादा संवेदनशील है। जो यूरिया हमें महंगे दामों पर विदेशों से मंगाना पड़ता है, हम उसकी भी चोट अपने किसानों पर नहीं पड़ने देते। बीजेपी सरकार सब्सिडी देकर वो भार सरकार खुद उठाती है। भारत के किसानों को सिर्फ 300 रुपए में यूरिया की बोरी मिलती है, उस एक बोरी के बदले भारत सरकार को दूसरे देशों को, जहां से हम बोरी लाते हैं, करीब-करीब 3 हजार रुपए देने पड़ते हैं। अब आप सोचिए, हम लाते हैं 3000 में, और देते हैं 300 में। यह सारा बोझ देश के किसानों पर हम नहीं पड़ने देते। ये सारा बोझ सरकार खुद भरती है। ताकि मेरे देश के किसान भाई बहनों पर बोझ ना आए। लेकिन मैं किसान भाई बहनों को भी कहूंगा, कि आपको भी मेरी मदद करनी होगी और वह मेरी मदद है इतना ही नहीं, मेरे किसान भाई-बहन आपकी भी मदद है, और वो है यह धरती माता को बचाना। हम धरती माता को अगर नहीं बचाएंगे तो यूरिया की कितने ही थैले डाल दें, यह धरती मां हमें कुछ नहीं देगी और इसलिए जैसे शरीर में बीमारी हो जाए, तो दवाई भी हिसाब से लेनी पड़ती है, दो गोली की जरूरत है, चार गोली खा लें, तो शरीर को फायदा नहीं नुकसान हो जाता है। वैसा ही इस धरती मां को भी अगर हम जरूरत से ज्यादा पड़ोस वाला ज्यादा बोरी डालता है, इसलिए मैं भी बोरी डाल दूं। इस प्रकार से अगर करते रहेंगे तो यह धरती मां हमसे रूठ जाएगी। यूरिया खिला खिलाकर के हमें धरती माता को मारने का कोई हक नहीं है। यह हमारी मां है, हमें उस मां को भी बचाना है।

साथियों,

आज बीज से बाजार तक भाजपा सरकार किसानों के साथ खड़ी है। खेत के काम के लिए सीधे खाते में पैसे पहुंचाए जा रहे हैं, ताकि किसान को उधार के लिए भटकना न पड़े। अब तक पीएम किसान सम्मान निधि के लगभग 4 लाख करोड़ रुपए किसानों के खाते में भेजे गए हैं। आंकड़ा याद रहेगा? भूल जाएंगे? 4 लाख करोड़ रूपया मेरे देश के किसानों के खाते में सीधे जमा किए हैं। इसी साल, किसानों की मदद के लिए 35 हजार करोड़ रुपए की दो योजनाएं नई योजनाएं शुरू की हैं 35 हजार करोड़। पीएम धन धान्य कृषि योजना और दलहन आत्मनिर्भरता मिशन, इससे खेती को बढ़ावा मिलेगा।

साथियों,

हम किसानों की हर जरूरत को ध्यान रखते हुए काम कर रहे हैं। खराब मौसम की वजह से फसल नुकसान होने पर किसान को फसल बीमा योजना का सहारा मिल रहा है। फसल का सही दाम मिले, इसके लिए खरीद की व्यवस्था सुधारी गई है। हमारी सरकार का साफ मानना है कि देश तभी आगे बढ़ेगा, जब मेरा किसान मजबूत होगा। और इसके लिए हर संभव प्रयास किए जा रहे हैं।

साथियों,

केंद्र में हमारी सरकार बनने के बाद हमने किसान क्रेडिट कार्ड की सुविधा से पशुपालकों और मछलीपालकों को भी जोड़ दिया था। किसान क्रेडिट कार्ड, KCC, ये KCC की सुविधा मिलने के बाद हमारे पशुपालक, हमारे मछली पालन करने वाले इन सबको खूब लाभ उठा रहा है। KCC से इस साल किसानों को, ये आंकड़ा भी याद रखो, KCC से इस साल किसानों को 10 लाख करोड़ रुपये से ज्यादा की मदद दी गई है। 10 लाख करोड़ रुपया। बायो-फर्टिलाइजर पर GST कम होने से भी किसानों को बहुत फायदा हुआ है। भाजपा सरकार भारत के किसानों को नैचुरल फार्मिंग के लिए भी बहुत प्रोत्साहन दे रही है। और मैं तो चाहूंगा असम के अंदर कुछ तहसील ऐसे आने चाहिए आगे, जो शत प्रतिशत नेचुरल फार्मिंग करते हैं। आप देखिए हिंदुस्तान को असम दिशा दिखा सकता है। असम का किसान देश को दिशा दिखा सकता है। हमने National Mission On Natural Farming शुरू की, आज लाखों किसान इससे जुड़ चुके हैं। बीते कुछ सालों में देश में 10 हजार किसान उत्पाद संघ- FPO’s बने हैं। नॉर्थ ईस्ट को विशेष ध्यान में रखते हुए हमारी सरकार ने खाद्य तेलों- पाम ऑयल से जुड़ा मिशन भी शुरू किया। ये मिशन भारत को खाद्य तेल के मामले में आत्मनिर्भर तो बनाएगा ही, यहां के किसानों की आय भी बढ़ाएगा।

साथियों,

यहां इस क्षेत्र में बड़ी संख्या में हमारे टी-गार्डन वर्कर्स भी हैं। ये भाजपा की ही सरकार है जिसने असम के साढ़े सात लाख टी-गार्डन वर्कर्स के जनधन बैंक खाते खुलवाए। अब बैंकिंग व्यवस्था से जुड़ने की वजह से इन वर्कर्स के बैंक खातों में सीधे पैसे भेजे जाने की सुविधा मिली है। हमारी सरकार टी-गार्डन वाले क्षेत्रों में स्कूल, रोड, बिजली, पानी, अस्पताल की सुविधाएं बढ़ा रही है।

साथियों,

हमारी सरकार सबका साथ सबका विकास के मंत्र के साथ आगे बढ़ रही है। हमारा ये विजन, देश के गरीब वर्ग के जीवन में बहुत बड़ा बदलाव लेकर आया है। पिछले 11 वर्षों में हमारे प्रयासों से, योजनाओं से, योजनाओं को धरती पर उतारने के कारण 25 करोड़ लोग, ये आंकड़ा भी याद रखना, 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। देश में एक नियो मिडिल क्लास तैयार हुआ है। ये इसलिए हुआ है, क्योंकि बीते वर्षों में भारत के गरीब परिवारों के जीवन-स्तर में निरंतर सुधार हुआ है। कुछ ताजा आंकड़े आए हैं, जो भारत में हो रहे बदलावों के प्रतीक हैं।

साथियों,

और मैं मीडिया में ये सारी चीजें बहुत काम आती हैं, और इसलिए मैं आपसे आग्रह करता हूं मैं जो बातें बताता हूं जरा याद रख के औरों को बताना।

साथियों,

पहले गांवों के सबसे गरीब परिवारों में, 10 परिवारों में से 1 के पास बाइक तक होती नहीं थी। 10 में से 1 के पास भी नहीं होती थी। अभी जो सर्वे आए हैं, अब गांव में रहने वाले करीब–करीब आधे परिवारों के पास बाइक या कार होती है। इतना ही नहीं मोबाइल फोन तो लगभग हर घर में पहुंच चुके हैं। फ्रिज जैसी चीज़ें, जो पहले “लग्ज़री” मानी जाती थीं, अब ये हमारे नियो मिडल क्लास के घरों में भी नजर आने लगी है। आज गांवों की रसोई में भी वो जगह बना चुका है। नए आंकड़े बता रहे हैं कि स्मार्टफोन के बावजूद, गांव में टीवी रखने का चलन भी बढ़ रहा है। ये बदलाव अपने आप नहीं हुआ। ये बदलाव इसलिए हुआ है क्योंकि आज देश का गरीब सशक्त हो रहा है, दूर-दराज के क्षेत्रों में रहने वाले गरीब तक भी विकास का लाभ पहुंचने लगा है।

साथियों,

भाजपा की डबल इंजन सरकार गरीबों, आदिवासियों, युवाओं और महिलाओं की सरकार है। इसीलिए, हमारी सरकार असम और नॉर्थ ईस्ट में दशकों की हिंसा खत्म करने में जुटी है। हमारी सरकार ने हमेशा असम की पहचान और असम की संस्कृति को सर्वोपरि रखा है। भाजपा सरकार असमिया गौरव के प्रतीकों को हर मंच पर हाइलाइट करती है। इसलिए, हम गर्व से महावीर लसित बोरफुकन की 125 फीट की प्रतिमा बनाते हैं, हम असम के गौरव भूपेन हजारिका की जन्म शताब्दी का वर्ष मनाते हैं। हम असम की कला और शिल्प को, असम के गोमोशा को दुनिया में पहचान दिलाते हैं, अभी कुछ दिन पहले ही Russia के राष्ट्रपति श्रीमान पुतिन यहां आए थे, जब दिल्ली में आए, तो मैंने बड़े गर्व के साथ उनको असम की ब्लैक-टी गिफ्ट किया था। हम असम की मान-मर्यादा बढ़ाने वाले हर काम को प्राथमिकता देते हैं।

लेकिन भाइयों बहनों,

भाजपा जब ये काम करती है तो सबसे ज्यादा तकलीफ काँग्रेस को होती है। आपको याद होगा, जब हमारी सरकार ने भूपेन दा को भारत रत्न दिया था, तो काँग्रेस ने खुलकर उसका विरोध किया था। काँग्रेस के राष्ट्रीय अध्यक्ष ने कहा था कि, मोदी नाचने-गाने वालों को भारत रत्न दे रहा है। मुझे बताइए, ये भूपेन दा का अपमान है कि नहीं है? कला संस्कृति का अपमान है कि नहीं है? असम का अपमान है कि नहीं है? ये कांग्रेस दिन रात करती है, अपमान करना। हमने असम में सेमीकंडक्टर यूनिट लगवाई, तो भी कांग्रेस ने इसका विरोध किया। आप मत भूलिए, यही काँग्रेस सरकार थी, जिसने इतने दशकों तक टी कम्यूनिटी के भाई-बहनों को जमीन के अधिकार नहीं मिलने दिये! बीजेपी की सरकार ने उन्हें जमीन के अधिकार भी दिये और गरिमापूर्ण जीवन भी दिया। और मैं तो चाय वाला हूं, मैं नहीं करूंगा तो कौन करेगा? ये कांग्रेस अब भी देशविरोधी सोच को आगे बढ़ा रही है। ये लोग असम के जंगल जमीन पर उन बांग्लादेशी घुसपैठियों को बसाना चाहते हैं। जिनसे इनका वोट बैंक मजबूत होता है, आप बर्बाद हो जाए, उनको इनकी परवाह नहीं है, उनको अपनी वोट बैंक मजबूत करनी है।

भाइयों बहनों,

काँग्रेस को असम और असम के लोगों से, आप लोगों की पहचान से कोई लेना देना नहीं है। इनको केवल सत्ता,सरकार और फिर जो काम पहले करते थे, वो करने में इंटरेस्ट है। इसीलिए, इन्हें अवैध बांग्लादेशी घुसपैठिए ज्यादा अच्छे लगते हैं। अवैध घुसपैठियों को काँग्रेस ने ही बसाया, और काँग्रेस ही उन्हें बचा रही है। इसीलिए, काँग्रेस पार्टी वोटर लिस्ट के शुद्धिकरण का विरोध कर रही है। तुष्टीकरण और वोटबैंक के इस काँग्रेसी जहर से हमें असम को बचाकर रखना है। मैं आज आपको एक गारंटी देता हूं, असम की पहचान, और असम के सम्मान की रक्षा के लिए भाजपा, बीजेपी फौलाद बनकर आपके साथ खड़ी है।

साथियों,

विकसित भारत के निर्माण में, आपके ये आशीर्वाद यही मेरी ताकत है। आपका ये प्यार यही मेरी पूंजी है। और इसीलिए पल-पल आपके लिए जीने का मुझे आनंद आता है। विकसित भारत के निर्माण में पूर्वी भारत की, हमारे नॉर्थ ईस्ट की भूमिका लगातार बढ़ रही है। मैंने पहले भी कहा है कि पूर्वी भारत, भारत के विकास का ग्रोथ इंजन बनेगा। नामरूप की ये नई यूनिट इसी बदलाव की मिसाल है। यहां जो खाद बनेगी, वो सिर्फ असम के खेतों तक नहीं रुकेगी। ये बिहार, झारखंड, पश्चिम बंगाल और पूर्वी उत्तर प्रदेश तक पहुंचेगी। ये कोई छोटी बात नहीं है। ये देश की खाद जरूरत में नॉर्थ ईस्ट की भागीदारी है। नामरूप जैसे प्रोजेक्ट, ये दिखाते हैं कि, आने वाले समय में नॉर्थ ईस्ट, आत्मनिर्भर भारत का बहुत बड़ा केंद्र बनकर उभरेगा। सच्चे अर्थ में अष्टलक्ष्मी बन के रहेगा। मैं एक बार फिर आप सभी को नए फर्टिलाइजर प्लांट की बधाई देता हूं। मेरे साथ बोलिए-

भारत माता की जय।

भारत माता की जय।

और इस वर्ष तो वंदे मातरम के 150 साल हमारे गौरवपूर्ण पल, आइए हम सब बोलें-

वंदे मातरम्।

वंदे मातरम्।

वंदे मातरम्।

वंदे मातरम्।

वंदे मातरम्।

वंदे मातरम्।

वंदे मातरम्।

वंदे मातरम्।

वंदे मातरम्।