તા. ૧૭/૧૧/૨૦૧૧

ભારત માતા કી જય..!

મંચ પર બિરાજમાન મંત્રીમંડળના મારા સાથી, રાજ્યના શહેરી વિકાસ મંત્રી શ્રી નિતીનભાઇ પટેલ, આ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી હરિનભાઇ પાઠક, ઔડાના ચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઇ શાહ, કર્ણાવતીના મૅયર શ્રી અસિતભાઇ વોરા, ગાંધીનગર ગુડાના ચેરમેન શ્રી અશોકભાઇ ભાવસાર, ભાઈશ્રી જીતુભાઇ વાઘેલા પૂર્વ ધારાસભ્ય, અહીંના સતત દોડતા ધારાસભ્ય શ્રી બાબુભાઇ બી.જે.પી, અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અને એલિસબ્રીજના ધારાસભ્ય ભાઇ શ્રી રાકેશભાઇ શાહ, રખિયાલના ધારાસભ્ય શ્રી વલ્લભભાઇ, મંચ પર બિરાજમાન તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ આગેવાનો, કૉર્પોરેશનના સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં પધારેલ વહાલા નાગરિક ભાઈઓ અને બહેનો...

રકાર કોના માટે? સરકાર ગરીબ માટે હોય છે, સરકાર નોધારાનો આધાર હોય છે. કોઇ એક ઉદ્યોગપતિ માંદો પડે તો એને ડૉક્ટરની સારવાર લેવામાં કંઈ તકલીફ પડે ભાઇ? જરાય ન પડે, પેલા એક કહેતાં પચાસ ડૉક્ટર હાજર થઈ જાય, પણ ગરીબને? ગરીબની ચિંતા તો સરકારે કરવી પડે, હોસ્પિટલો બનાવવી પડે અને એમાં ગરીબને ઓછા દરે એની સારવાર થાય એવી ચિંતા કરવી પડે. અમીરના છોકરાને ભણવું હોય તો એને કંઈ તકલીફ પડે? એ તો પંદર શિક્ષકો ઘેર બોલાવી શકે, પણ ગરીબના છોકરાને ભણવું હોય તો? સરકારે શાળાઓ બનાવવી પડે, સરકારે પગાર ચૂકવવા પડે, સરકારે યુનિફૉર્મ આપવા પડે, સરકારે બધી જ વ્યવસ્થા કરવી પડે, કારણ ગરીબ ભણે એ જરૂરી છે અને એ ચિંતા સરકારે કરવાની હોય છે. એ જ રીતે, આજના યુગમાં કોઇ અમીર માટે ઘર બનાવવું હોય, મધ્યમવર્ગના માનવી માટે ઘર બનાવવું હોય તો કદાચ પોતાની કમાણીમાંથી બચત કરીને મકાન બનાવી શકે, પણ ગરીબ બે ફૂટ જગ્યા પણ ન લઈ શકે અને એને માટે એની પાસે એટલું ગજું પણ ના હોય. તો ગરીબ માટે આવાસ સરકારે બનાવવા પડે, અરબો-ખર્વો રૂપિયાનો બોજ આવે તેમ છતાંય જો ગરીબને સારું ઘર મળે તો એની જીંદગીની એક નવી શરૂઆત થતી હોય છે અને તેથી સરકારે ગુજરાતમાં એક અભિયાન ઉપાડ્યું છે કે ગરીબને ઘર કેવી રીતે આપવું? અને આપને જાણીને આનંદ થશે ભાઈઓ, ૧૭૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે રકમ સાથે જેમ આજે આઠ હજાર મકાનો બની ગયા છે ને એક લાખ મકાનો તૈયાર થશે, એક લાખ! અને આવનારા દિવસોમાં સુરત, અમદાવાદ જેવા શહેરી વિસ્તારોમાં, ઝૂંપડપટ્ટીમાં જેમને જીંદગી જીવવી પડે છે ત્યાં ‘જ્યાં ઝૂંપડું ત્યાં ઘર’ એ યોજના સાથે અનેક નવા મકાનો બનાવવાનું આયોજન સરકારે હાથ પર લીધું છે. લાખો મકાનો આ રાજ્યમાં ગરીબો માટે બનવાનાં છે. ૪૦ વર્ષ ગુજરાતની અંદર કોંગ્રેસે રાજ્ય કર્યું, આ ૪૦ વર્ષમાં જેટલા મકાનો બન્યા હશે એના કરતા વધારે મકાનો આ સરકાર બનાવીને તમને આપવાની છે. અરે ગરીબને જ્યારે ઘર મળેને તો એની જીવન જીવવાની પધ્ધતિ પણ બદલાતી હોય છે. કોઇ માણસ કંઈક ઘરમાં વસાવેને તો પછી એને એમનેય સારું રાખવાની ટેવ પડતી હોય છે. અત્યારે એ ઝૂંપડામાં જીંદગી જીવતો હોય, કાચાં-પાકાં ઘરોમાં રહેતો હોય તો એને એમ થાય કે ઠીક આમાં ક્યાં ખર્ચો કરવાનો હોય? પગ-લૂછણિયાનો ખર્ચો પણ ના કરે. પણ આવું મકાન મળશેને એટલે એને એમ થશે કે ઉભા રહો ભાઈ, થોડા પૈસા બચાવો. પગલૂંછણિયું આવતા મહિને લાવવું છે, પછી થશે ના-ના થોડા પૈસા બચાવો, ઘરમાં કોઈ મહેમાન આવે તો સારું ના લાગે, શેતરંજી લાવવી છે. પછી એમ થાય કે ઉભા રહો, ખોટા ખર્ચા નથી કરવા હવે છોકરાઓ મોટા થાય છે તો ઘરમાં એકાદ ટી.વી. પણ લાવીએ. એકવાર મકાન મળે તો પોતાની જીંદગી સુધારવા માટે એ બચત પણ કરતો થાય છે, પૈસાની ખોટ હોય તો વધારે મહેનત પણ કરતો થાય છે અને ધીરે ધીરે બીજા લોકોને સમકક્ષ આવવાનો પ્રયાસ કરે છે. ગરીબોનું મકાન પણ ઘણીવાર ગરીબીની સામે લડવા માટેનું એક મોટું હથિયાર બની જતું હોય છે. એકવાર માણસ સ્વાભિમાનથી જીવતો થાય તો એને ગરીબી ભૂલવાનું મન થતું હોય છે. અને મને વિશ્વાસ છે કે જે આઠ હજાર આવા પરિવારોને આ ઘર મળી રહ્યાં છે, એ માત્ર મકાનમાં જઈને ખાલી આશરો લે એવું નહીં, એ મકાનમાં જાય ત્યારે એક નવી જીંદગી જીવવાનો સંકલ્પ કરે અને ગરીબીને હવે ઘરમાં પેસવા નથી દેવી એવા નિર્ધાર સાથે આગળ વધે.

મકાનો જ્યારે અમે આપીએ છીએ ત્યારે, જે ફ્લેટની કિંમત આજે ૨૦-૨૫ લાખ થાય એવા મકાનો આપને ખાલી ટોકન કિંમતથી મળવાના છે અને એ પણ એટલા માટે કે એના માટે થોડી જવાબદારી ઊભી થાય. સરકાર તમને આટલું આપે છે, હું તમારી પાસે કંઈ માંગું તો આપશો ભાઈઓ? બહુ ઓછા લોકો બોલે છે, આપશો..? પેલું નિતીનભાઇએ વર્ણન કર્યું એવું મારે કંઈ જોઇતું નથી ભાઈ, પેલું ટેબલ નીચે માંગે છે એવું નથી જોઇતું. મને વચન જોઇએ છે, આપશો...? જેમને આ મકાન મળે છે એ લોકો બે વાત પોતાના જીવનમાં નક્કી કરે. એક, અમે બાળકોને ભણાવીશું. ગમે તેવી તકલીફ પડે પણ બાળકોનું ભણતર નહીં છોડાવીએ. કરશો..? બાળકોને ભણાવશો..? એમાં દીકરીને ખાસ ભણાવશો..? ખોંખારીને બોલોને..! બીજું કામ, એક પાપ શહેરમાં વકરતું જાય છે અને જેમ માણસ આધુનિક થતો જાયને એમ આ રોગચાળો વધારે આવતો જાય અને એટલે ભ્રૂણ હત્યાનું પાપ, ખબર પડે કે દીકરી જન્મવાની છે તો એનો ગર્ભપાત કરાવી લે. ભાઈઓ-બહેનો, જેમને મકાનો મળવાનાં છે એવા સૌ લોકોને મારી બીજી વિનંતી છે કે આપણે નક્કી કરીએ કે આપણા આખા કુટુંબમાં ક્યારેય દીકરી અવતરવાની હોય તો ગર્ભપાતનું પાપ નહીં કરીએ, દીકરીને માંના પેટમાં મારી નહીં નાખીએ, દીકરીને આ પૃથ્વી પર અવતરવા દઇએ. ભાઈઓ, લક્ષ્મીને નહીં અવતરવા દો તો તમારા ઘરમાં લક્ષ્મીજી નહીં પધારે, આપણને સુખ નહીં મળે અને તેથી આ મકાન મળે તેની સાથે મનમાં આ પણ ભાવ કેળવીએ કે હવે પછી ઓશિયાળી જીંદગી જીવવી નથી. ક્યારેય આપણા સંતાનોને ભણી-ગણીને આગળ વધવું હોય તો કોઇ રુકાવટ ન આવે એવા સંકલ્પ સાથે એક નવી જીંદગી જીવવાની શરૂઆત કરવી છે એવા નિર્ધાર સાથે આ મકાનની અંદર પગ મૂકવાનો નિર્ણય કરજો ભાઈ.

મકાનો જે બન્યા છે એના કૉન્ટ્રેક્ટમાં અમારા ઔડાના મિત્રોએ એક સારી વ્યવસ્થા કરી છે. વ્યવસ્થા એ કરી છે કે જ્યારે સરકાર પઝેશન લેશે એ દિવસે જે નિયમો પ્રમાણે મકાન એણે આપવાનું છે એવું બરાબર તૈયાર કરીને આપવું પડશે. ક્યાંય બારી-બારણું તૂટેલું અંદર નાખશે તો સરકાર એનો સ્વીકાર કરવાની નથી, એને કહેશે કે ઊભો રે ભાઈ, આ બરાબર નથી, પૂરું કર પછી જ લઇશું અને એવું મકાન તમને મળવાનું છે. કારણકે ઘણી વાર મકાન બનતા બનતા છેલ્લું મકાન બનતું હોય ત્યારે પહેલા મકાનમાં કંઈક-કંઈક આવી તકલીફ આવી હોય... પણ આ કૉન્ટ્રેક્ટની વ્યવસ્થા છે કે કૉન્ટ્રેક્ટરે આપે એ દિવસે બધે-બધાં મકાન બરાબર તૈયાર કરીને આપવાનાં છે. એના કારણે અનન્ય લાભાર્થીઓ છે એમને એક મકાન સંપૂર્ણપણે, નિયમ પ્રમાણે જેવું બનવું જોઇએ એવું બનેલું તૈયાર મળશે એની વ્યવસ્થા સરકારે પહેલેથી કરેલી છે. આ જે મકાનો બનાવ્યાં છે એ જુદી જુદી જગ્યાએ બનાવ્યાં છે. અહીંયાં પણ બનાવ્યાં છે, પૂર્વ પટ્ટામાં બનાવ્યાં છે અને પશ્ચિમ પટ્ટામાં પણ બનાવ્યાં છે. હવે ડ્રૉમાં તો કંઈ ખબર ન પડે કે તમને ક્યાં મકાન મળે? તમે રહેતા હો થલતેજમાં અને મકાન મળે અહીં સિંગરવામાં તો તમને તકલીફ થાય. તો એક મે સૂચન એવું કર્યું છે કે અંદર-અંદર અદલાબદલી કરવી હોય તો ઔડાને મે કહ્યું છે કે આ ગરીબ પરિવારોને તકલીફ ન પડે, એમને અંદર-અંદર અદલાબદલી કરી આપજો. પણ સામે બદલીવાળો તમારે શોધી લાવવો પડે હોં ભાઈ, એ સરકાર ગોતવા નહીં જાય. તમારે શોધી લાવવું પડે કે આ ભાઈ થલતેજમાં છે એને સિંગરવા જવું છે તો તું સિંગરવા જા, હું થલતેજ જાઉં. બીજું, આમાં લગભગ બસો જેટલા વિકલાંગ પરિવારોના લાભાર્થે... જે કુટુંબમાં કોઇ વિકલાંગ છે, જેમને પગથિયાં ચડીને રોજ ઉપર-નીચે જવું હોય તો તકલીફ પડે... તો મેં ઔડાના મિત્રોને વિનંતી કરી છે કે ઈશ્વરે જેમને આ કષ્ટ આપ્યું છે એમને આપણે વધારે કષ્ટ ન આપીએ અને એમને નીચેનું મકાન મળે એવી જોગવાઈ કરવી. એક સામાજિક દ્રષ્ટિકોણ, એક સંવેદનશીલ દ્રષ્ટિકોણ સાથે આ આખાય કામને આગળ ધપાવવું એવો આપણે પ્રયાસ કર્યો છે. ભાઈઓ-બહેનો, ગામડામાં જે પહેલાં મકાનો બનતાં હતાં... ઇંદિરા આવાસ હોય, સરદાર આવાસ હોય, આંબેડકર આવાસ હોય, બધી જાતજાતની યોજનાઓ ચાલતી હોય... પણ શું થાય? ગામના એક ખૂણામાં એક ટુકડો જમીન આપી હોય ત્યાં કોઇ નાનું ઘર બાંધ્યું હોય, બીજા ખૂણામાં બીજાને આપ્યું હોય, ત્રીજા ખૂણામાં ત્રીજાને આપ્યું હોય અને એને કંઈ લાગે જ નહીં કે કશું બન્યું છે. આ સરકારે પાયાનો વિચાર કર્યો કે ભાઈ એક ગામમાં કુલ કેટલા ગરીબો મકાનો લેવાને પાત્ર છે એ પહેલાં લિસ્ટ બનાવો. પછી કઈ યોજનામાંથી કોને કેટલો લાભ મળી શકે એની યાદી કાઢો અને કોઇ એક જમીનનો ટુકડો કાઢીને બધા જ મકાનો એકસાથે, કોલોની જેવું બનાવી શકાય? તો પછી સરકાર ત્યાં રોડ પણ આપે, સરકાર ત્યાં ગટર પણ આપે, સરકાર ત્યાં વીજળી પણ આપે, વધારે ઘર હોય તો સરકાર ત્યાં આંગણવાડી આપે, કોઇ દુકાન માટેની જગ્યા આપે તો પહેલાં જે છૂટાછવાયા ગામડાની અંદર એક ટેકરા પર અહીંયાં મકાન હોય, બીજા ટેકરા પર ત્યાં હોય.. એ પરિસ્થિતિ બદલી છે. આ સ્વર્ણિમ જયંતી વર્ષમાં સ્વર્ણિમ સેવા એ પ્રકારની કોલોનીઓ બનાવવાનું કામ ચાલુ કર્યું છે અને આપણા અમદાવાદ જિલ્લામાં પણ એનું નિર્માણ થઈ ગયું છે, મહેસાણા જિલ્લામાં પણ થઈ ગયું છે, દરેક જિલ્લામાં કામ પૂરપાટ ચાલી રહ્યું છે. માળખાકીય સુવિધાઓ સાથેનાં મકાનો આ ગરીબોને મળે એવો મૂળભૂત ફેરફાર આ સરકારે કર્યો છે જેના કારણે સરકારને ઘણું મોટું આર્થિક ભારણ આવ્યું છે. તેમ છતાં એક કોલોની જેવું બનશે તો એમને એક નવી જીંદગી જીવવા માટેનો અવસર મળશે. ઘણીવાર ગામડામાં મકાન બને તો જ્યાં ખાડા-ટેકરા હોય કે બીજા કામની ન હોય એવી જમીન ફટકારી દીધી હોય અને જો સહેજ વરસાદ પડે તો આ ગરીબોના ઘરે પાણી ભરાયાં હોય. આપણે કહ્યું કે આ કોલોનીઓ બનાવો તો ઉંચામાં ઉંચી જગ્યા હોય ત્યાં શોધીને બનાવો એટલે વરસાદ આવે તો કમસેકમ એને દુખી થવાનો વારો ન આવે. આ પ્રકારના સૂચનો સાથે ગરીબોનું ભલું કેમ થાય? એની ચિંતા આ સરકારને છે.

ભાઈઓ-બહેનો, આ સરકાર એવી છે કે જન્મથી મરણ સુધી જીવનના દરેક તબક્કે આ સરકાર ગરીબોની પડખે રહેતી હોય છે, ગરીબો માટે કામ કરતી હોય છે. ગરીબ પરિવાર... અને જન્મ થતાં પહેલાં જ, હું તો કહું છું ગરીબ માતા એના ગર્ભમાં બાળક હોય, એની પાસે સુવાવડના પૈસા ના હોય, તો આ સરકાર, સરકારના ખર્ચે ગરીબ પરિવારની માતાઓની સુવાવડનો ખર્ચો આપે છે એટલું જ નહીં, એ ત્રણ-ચાર દિવસ હોસ્પિટલમાં રહે તો રોજના બસો રૂપિયા એના આપે છે અને એના પતિને પણ આપે છે. એટલું જ નહીં, આ ગરીબ પરિવારની બહેન, એના ઘેરથી એને હોસ્પિટલ જવું હોય તો જે ભાડાનો ખર્ચો થાય, રિક્ષા કરી હોય કે ટ્રેક્ટર કર્યું હોય એ ખર્ચો પણ સરકાર આપે છે, ગર્ભમાં બાળક હોય ત્યારે ખર્ચો સરકાર કરે છે. આપનું બાળક જન્મે એની કાળજી લેવા માટે સરકારે ડૉક્ટરો રાખ્યા છે. આપનું બાળક છ મહિનાનું થાય, એને કોઇ રોગ લાગુ ના પડે, એ મૃત્યુ ના પામે એના માટે આ સરકાર કાળજી લે છે. આપના બાળકને પોલિયો ના થાય, એને અપંગતા ના આવે એના માટે રસીકરણનું અભિયાન દર ત્રણ મહિને આ સરકાર ઉપાડે છે અને ઘેર ઘેર જઈને આપના બાળકના રસીકરણની ચિંતા કરે છે. આપનું બાળક સહેજ મોટું થાય તો એને આંગણવાડીમાં લઈ જઇને એ હસતું-ખેલતું થાય, રમતું થાય, ગીત ગાતું થાય, રમકડાં ઓળખતું થાય, વસ્તુ ઓળખતું થાય એના માટે મફતમાં ગરીબો માટે આંગણવાડી આ સરકાર ચલાવે છે. આપના બાળકને પોષણ મળી રહે તેના માટે આપના નાનાં-નાનાં ભૂલકાંઓને પાણીમાં પલાળીને પિવડાવી શકાય એવો પાવડર મફતમાં સરકાર આપે છે જેથી કરીને આપના બાળકને પૂરતું પોષણ મળી રહે. સહેજ મોટું થાય તો એ બાળકને પોષણક્ષમ આહાર મળે એના માટેનો ફ્રી સેટ, તૈયાર કરેલ બૅગમાં, બધા પરિવારોને મફતમાં સરકાર આપે છે. આપનું બાળક તંદુરસ્ત થાય એના માટેની ચિંતા સરકાર કરે છે. આપનું બાળક સહેજ મોટું થાય, નિશાળે જવાનું થાય એને મફતમાં સરકાર ભણાવે છે. આપના બાળકને ભણાવવા માટે શિક્ષકોનો ખર્ચો કરે છે, પુસ્તકોનો ખર્ચ આપે છે, બાળકોને ગણવેશ મફત આપે છે અને જે બાળકોને છાત્રાલયમાં રહીને ભણવું પડે એવા હોય તો એને છાત્રાલયનો ખર્ચો આપે છે. બસમાં બેન-દીકરીઓને ભણવા જવું પડતું હોય તો એને બસનો મફતમાં પાસ કાઢી આપે છે જેથી કરીને આ ગરીબનું બાળક ભણે, આ બધી જ ચિંતા સરકાર કરે છે. આપનું બાળક ભણે, ભણ્યા પછી એને કૉલેજમાં જવું હોય, એક પણ પૈસાના ખર્ચા વગર કૉલેજનું શિક્ષણ આ સરકાર ગરીબના બાળકોને આપે છે. આપના બાળકને વકીલ થવું હોય, ડૉક્ટર થવું હોય તો એનો ખર્ચો સરકાર આપે છે. વકીલ થઈ જાય અને ધંધો શરૂ કરવો હોય તો શરૂઆતમાં ઑફિસ ખોલવા માટે ગરીબના બાળકને નોટરી થવું હોય, ડૉક્ટર થવું હોય તો શરૂઆત કરવા માટે લાખો રૂપિયા સરકાર એના હાથમાં મૂકે છે જેથી કરીને એ જીવન ચલાવી શકે. ગરીબના બાળકને વિમાન ઉડાડવાનું મન થાય, પાયલોટ થવું હોય અને એ વિદેશમાં ભણવા જવા માગતો હોય તો સરકાર વિદેશમાં ભણવા માટે ગરીબના બાળકને પૈસા આપે છે. આપ નોકરીએ લાગો એની ચિંતા સરકાર કરે છે, આપ આર્થિક રીતે પગભર થાવ એની ચિંતા સરકાર કરે છે. ગરીબને રહેવા માટે ઘર ન હોય તો સરકાર આપે છે, ગરીબને સસ્તું અનાજ મળે જેથી કરીને તે ઘેર ચૂલો સળગાવી શકે તે માટે દરેક પરિવારને સસ્તામાં બે કિલો ત્રણ કિલો અનાજ આપવાનું કામ આ સરકાર કરતી હોય છે. એટલું જ  નહીં, કોઇ ગરીબ પરિવાર હોય અને પરિસ્થિતિ અત્યંત ખરાબ હોય તો એના અગ્નિસંસ્કાર કરવા હોય તો એનો ખર્ચો પણ સરકાર કરતી હોય છે.

રીબનું બાળક નિશાળમાં દાખલ થાય, સરકાર એના આરોગ્યનું પરીક્ષણ કરાવે છે અને એને કોઇ માંદગી હોય તો ગમે તેટલો ખર્ચો આવે, પાંચ લાખ દસ લાખ, હાર્ટનું જો ઓપરેશન કરાવવાનું હોય, બીજું કોઇ ઓપરેશન કરાવવાનું હોય, મદ્રાસ મોકલવો પડે એમ હોય, બેંગ્લોર મોકલવો પડે એમ હોય તો આ સરકારના મુખ્યમંત્રીના ફંડમાંથી ગરીબ બાળકોનાં ઓપરેશન કરવામાં આવે છે અને ૩૦૦૦ કરતાં વધારે આવા બાળકો જેના મા બાપને ખબર નથી કે એના બાળકોને કયો રોગ છે... અને જો ભૂલેચૂકે ગુજરી જાય તો મા બાપ એમ માનતા હોય છે કે ઇશ્વરને ગમ્યું એ ખરું, બિચારાને ખબર જ નથી હોતી. આ રાજ્યની અંદર દોઢ લાખ જેટલા ગરીબ બાળકોનાં ચશ્માંના નંબર કાઢીને એને ચશ્માં આપવાનું કામ સરકાર કરે છે જેથી કરીને પેલું બાળક ભણવા માગતું હોય તો ભણી શકે. આપ કલ્પના કરો, જન્મથી મરણ સુધી દરેકે દરેક ડગલેને પગલે ગરીબનો હાથ પકડવા માટે સરકાર જોડે આવે છે.

જે ગરીબ કલ્યાણ મેળાઓની અંદર પાંચ-પાંચ સાત-સાત હજાર કરોડ રૂપિયા સીધે સીધા કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર વગર ગરીબોના હાથમાં આપી દેવાનું કામ આ સરકાર કરે છે. ગરીબ વિધવા હોય એની ચિંતા સરકાર કરે છે, એને એના ઘરે પેન્શન મોકલાવી દે જેથી કરીને એ સ્વમાનભેર જીંદગી જીવી શકે. એને કંઈ શીખવું હોય, સીવણ શીખવું હોય કે ભરતકામ શીખવું હોય તો સરકાર શિખવાડે છે. એને સંચો જોઇતો હોય તો  સરકાર આપે છે. તો વિધવા ગરીબ બેન પણ પગભર થઈને જીવી શકે એની ચિંતા સરકાર કરે છે. ગરીબની ૬૦ વર્ષની ઉંમર થઈ ગઈ હોય અને કોઇ આજીવિકા ના હોય, સાંજે કેમ ખાવું એની ચિંતા હોય તો ૬૦ વર્ષથી મોટી ઉંમરના ગરીબોને દર મહિને પેન્શન સરકાર એના ઘેર મોકલે છે જેથી કરીને ઘડપણમાં એને કોઇ પાસે હાથ લંબાવવો ન પડે. જન્મથી મરણ સુધી આ સરકાર ગરીબોને માટે દિવસ-રાત કામ કરતી હોય છે.

ભાઈઓ-બહેનો, ગુજરાતે ગરીબી સામે જંગ માંડ્યો છે. ગરીબીનો ગુજરાતમાંથી નિકાલ કરવો છે મિત્રો. પ્રત્યેક માણસ સ્વમાનભેર જીવે, સુખથી જીંદગી જીવે એના માટે વિકાસનો ધોધ વહે એના માટેની મથામણ આદરી છે. પણ કમનસીબી એવી છે કે કેટલાક માર્ગ ભટકેલા લોકોને ગુજરાતનું ભલું જોવું જ નથી. એમને તો લોકો અભણ રહે તો જ એમના રાજકીય રોટલા શેકાય એટલે એમને ભણતર થાય એમાં રસ નથી, ગરીબનું કલ્યાણ થાય એમાં રસ નથી કારણ કે એમની મતપેટીઓ ભરવા કામ આવે એટલે ગરીબોના વિરોધીઓ લોકો છે અને એટલા માટે ભાઈઓ-બહેનો હું કહું છું કે જો સારા પ્રકારનો વિકાસ કરવો હશે તો વિકાસની જોડે આપણે ભાગીદાર બનવું પડશે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ એ મંત્ર લઈને આપણે આગળ વધ્યા છીએ અને એ મંત્રને ચરિતાર્થ કરવાનો પ્રયાસ આપણે કરવાની આવશ્યકતા છે અને આ મથામણ જો આપણે કરીશું...

પ વિચાર કરો, આ સરકારે ગરીબો માટે ત્રણ એવી યોજનાઓ બનાવી. શહેરી ગરીબ, એની સમૃદ્ધિ માટે યોજના બનાવી, બે હજાર કરોડ રૂપિયાનું પેકેજ એના માટે આપ્યું. ‘ઉમ્મીદ’ નામની યોજના બનાવી. જે શહેરી ગરીબ બાળકો, પાંચમું -છઠ્ઠું ધોરણ ભણીને ઊઠી ગયા હોય, ભણવામાં રસ ન હોય, ભણવાની વ્યવસ્થા ના હોય... રોજગાર જોઇતો હોય તો એને કંઈક આવડત આવડવી જોઇએ. એને જો આવડત ના હોય... એને જો છાપાં નાખવા જવું હોય પણ સાઇકલ ચલાવતા ના આવડતી હોય તો? સાઇકલ ના હોય તો? આ સરકારે ‘ઉમ્મીદ’ કાર્યક્રમ અંતર્ગત નાનાં-નાનાં હુન્નર શિખવાડવાનું ચાલુ કર્યું છે. ત્રણ અઠવાડિયાનું હુન્નર, પાંચ અઠવાડિયાનું હુન્નર, કંઈક પણ એને આવડત શિખવાડવાની. ભાઈઓ અને બહેનો, આ હુન્નરને કારણે ગયા બે વર્ષમાં એક લાખ કરતાં વધારે આવા ગરીબ બાળકોને રોજગાર મળી ગયો અને સામાન્ય મજૂરી કરતા હતા તો મહિને ૮૦૦-૧૦૦૦ રૂપિયા કમાતા હતા, આ કંઈ શીખીને ગયા તો આજે પાંચ હજાર, છ હજાર કે સાત હજાર રૂપિયા આ બાળકો કમાતા થયાં છે. આ ઉમ્મીદ યોજના દ્વારા આપણે આ કામ કર્યું છે.

જ રીતે, આદિવાસીઓના કલ્યાણ માટે ‘વનબંધુ કલ્યાણ યોજના’ કરી અને આદિવાસીઓના વિકાસ માટે એક હજાર કરોડ રૂપિયાનું પેકેજ એમને આપણે આપ્યું, એ જ રીતે, દરિયાકાંઠે માછીમારીનું કામ કરતા મારા મછવારા ભાઈઓ, સાગરખેડુ ભાઈઓ, જેઓ બિચારા વિકાસ માટે રાહ જુએ છે એના માટે સરકારે પંદર હજાર કરોડ રૂપિયાનું પેકેજ કરીને એમના કલ્યાણ માટેની યોજના કરી. જો શહેરી ગરીબો હોય તો એની ચિંતા, સમુદ્રકિનારે રહેતા ગરીબો હોય તો એની ચિંતા, વનવાસી વિસ્તારમાં રહેનારા ગરીબો હોય તો એની ચિંતા, સર્વાંગી વિકાસ થાય એવી વાત કરી. કોઇ પાછળ ના રહી જાય એની કાળજી લેવાનુ કામ આ સરકારે કર્યું છે અને એટલા માટે ભાઈઓ, આજે ગુજરાત જે વિકાસ કરી રહ્યું છે, જે પ્રગતિ થઈ રહી છે... હમણાં ગુજરાતની અંદર નવાં-નવાં કારખાનાંઓ આવી ગયાં. કેટલા બધા લોકોને રોજી-રોટી મળી છે. આજે ખેતીમાં એક જ કુટુંબમાં, ખેતી નાની હોય, ચાર-ચાર દીકરા હોય તો માં-બાપ પણ વિચાર કરે કે એક દીકરો ખેતી કરે અને ત્રણ લોકો કંઈક દુકાન કરે કે નોકરી કરે. ખેડૂત પણ નોકરી-દુકાન ઇચ્છે છે. જો ગુજરાતનો વિકાસ ન થાય તો આ ખેડૂતના દીકરાઓનું શું થશે? એમને રોજી-રોટી ક્યાંથી મળશે?

ગુજરાતમાં હમણાં નવી નવી કંપનીઓ આવી રહી છે, ગાડીઓ બનાવવા માટે. પચાસ લાખ ગાડીઓ ગુજરાતમાં બને એવી સંભાવના ઊભી થઈ છે, પચાસ લાખ..! દર વર્ષે પચાસ લાખ ગાડીઓ..! મારુતિ અહીં આવે છે, પીજો અહીં આવે છે, ફોર્ડ અહીં આવે છે, નેનો આવી છે, જનરલ મોટર છે, ટ્રકો બનાવવાવાળા આવી રહ્યા છે, ટ્રેક્ટર બનાવવાવાળા આવી રહ્યા છે, ગણ્યા ગણાય નહીં... આપ વિચાર કરો પચાસ લાખ ગાડીઓ..!  અને ભાઈઓ-બહેનો, હિસાબ એક કહે છે કે એક ગાડી બને તો એ ગાડી બનતી હોય ત્યારથી લઈને એ ચાલતી થાય ત્યાં સુધી એક ગાડી દસ જણાનું પેટ ભરતી હોય છે, દસ જણાનું..! કેટલા બધા લોકોને મજૂરી મળે, કામ મળે, ડ્રાઇવર તરીકેનું કામ મળે, એન્જિનિયરિંગનું કામ મળે... પચાસ લાખ ગાડીઓ બને તો પાંચ કરોડ લોકોનું પેટ ભરવાની તાકાત આ ગાડીઓના કારખાનામાં છે. એ ગાડી લખનૌ જાય તો લખનૌમાં જે ડ્રાઇવર હશે એનું પેટ ભરવાનું કામ કરશે, એ ગાડી ચેન્નાઈ જાય તો ચેન્નાઈમાં જે ડ્રાઇવર હશે એનું પેટ ભરવાનું કામ કરશે. ભાઈઓ-બહેનો, આ એક એવા ઉદ્યોગના વિકાસ તરફ ગુજરાત જઈ રહ્યું છે કે જેના કારણે આપણે ત્યાં... અને આજે પણ ગુજરાતમાં ઘણીવાર મજૂરો જોઇતા હોય તો મળતા નથી, લોકો ફરિયાદ કરે છે. ખેતરમાં કામ કરવા માટે મજૂરો જોઇએ તો મળતા નથી. આ બાંધકામવાળાને પૂછીએ તો કહે કે સાહેબ, બધું બરાબર છે, મશીનો છે પણ કામ કરનારા માણસ મળતા નથી. કારણ? ગુજરાતમાં રોજગારની એટલી બધી તકો ઊભી થઈ છે. હમણાં હરિનભાઇ પાઠક કહેતા હતા કે પાર્લામેન્ટમાં જવાબ આપ્યો, ભારત સરકારે જવાબ આપ્યો છે કે સમગ્ર હિંદુસ્તાનમાં સૌથી વધારે રોજગાર, ૭૮% રોજગાર, એકલા ગુજરાતમાં મળે છે, ૭૮%..! અને ૨૨% માં આખું હિંદુસ્તાન છે ભાઇ. ૧૦૦ લોકોને દેશમાં રોજગાર મળ્યો હોય તો ૭૮ ગુજરાતમાં અને ૨૨ આખા દેશમાં. આપ વિચાર કરો ગુજરાતની આ પ્રગતિ થઈ છે એના કારણે નવયુવાનોને, ગરીબોને રોજી-રોટીની શક્યતા મળી છે.

પણે ટુરિઝમને વિકસાવી રહ્યા છીએ. આ ટુરિઝમ વિકસે તો કોને રોજી-રોટી મળે? ટુરિઝમ વિકસે એટલે ભજિયાં વેચવાવાળાને રોજગાર મળે, ચા ની કીટલીવાળાને રોજગાર મળે, નાનાં-નાનાં રમકડાં બનાવતો હોય એને રોજગાર મળે, થેલીઓ બનાવીને વેચતો હોય એને રોજગાર મળે, રિક્ષાવાળાને રોજગાર મળે, ટૅક્સી ડ્રાઈવરને રોજગાર મળે, ગરીબ માણસને રોજગાર મળે. ટુરિઝમના વિકાસ પાછળ આ બધી મહેનત આદરી છે એના કારણે ગરીબ માણસને રોજગાર મળે.

રીબોને વધુમાં વધુ રોજગાર કેમ મળે એનું કામ આ સરકારે ઉપાડ્યું છે, ગરીબોને શિક્ષણ કેમ મળે એનું કામ આ સરકારે ઉપાડ્યું છે, ગરીબોના આરોગ્યની ચિંતા કેમ થાય એનું કામ આ સરકારે ઉપાડ્યું છે અને ગરીબ બાળક નિશાળે ભણવા મૂકો તો એનો વીમો આ સરકાર ઉતારે છે. ગરીબના બાળકને નિશાળે મૂકો તો એનો વીમો સરકાર ઉતારે છે. હિંદુસ્તાનમાં ગુજરાત એક જ રાજ્ય એવું  છે કે જ્યાં બાલમંદિરથી લઈને બાળક ભણવાનું ચાલુ કરે અને કૉલેજ સુધી ભણવા ગયું હોય, આ દરેકે દરેક વિદ્યાર્થી, લગભગ સવા કરોડ વિદ્યાર્થીઓનો વીમો આ સરકારે ઉતાર્યો છે. એમના જીવનમાં કંઈ અજુગતું બને તો એના કુટુંબને લાખ-બે લાખ રૂપિયાનો વીમો સરકારના ખર્ચે પાકે છે અને એમને મળે છે. કોઇ ખેડૂત ગુજરી જાય તો એનો વીમો ઉતારવાનું શરૂ કર્યું. નહીં તો પહેલા એવું હતું કે મોટો મિલમાલિક કારમાં જતો હોય અને કારને ઍક્સિડન્ટ થાય અને એને કંઈ થયું તો એનો વીમો હોય, પણ ખેડૂત કામ કરતો હોય તો એનો વીમો ના હોય. ખેતરમાં કામ કરતો હોય, સાપ કરડી જાય અને ખેડૂત મરી જાય તો એને કોઇ પૂછનાર નહોતું. લઠ્ઠો પીને મરી જાય એને બે-બે લાખ રૂપિયા મળતા હતા, લઠ્ઠો પીનારાને રૂપિયા આપતી હતી આ સરકારો પણ ખેડૂત મરી જાય તો નહોતી આપતી. ભાઈઓ, આપણી સરકારે ખેડૂતોનો વીમો ઉતાર્યો અને આજે ખેડૂતના પરિવારમાં તે ક્યાંક કોઇ કૂવામાં ઉતર્યો હોય અને ગુજરી ગયો હોય, ક્યાંક સાપ કરડ્યો હોય અને ગુજરી ગયો હોય તો આ ખેડૂતના કુટુંબને પણ તરત જ લાખ રૂપિયા મળે એની વ્યવસ્થા આ સરકારે કરી છે.

રીબોનું કલ્યાણ કેમ કરાય એની ચિંતા આપણે કરી છે. ભૂતકાળની અંદર અચાનક આપણને માંદગી આવી હોય, હાર્ટ એટૅક આવ્યો હોય, સાપ કરડી ગયો હોય, કંઈ તકલીફ થઈ હોય અને દવાખાને જવું હોય તો રિક્ષાવાળો પણ આવે નહીં. આપણે રિક્ષાવાળાને કહીએ કે ભાઈ આ દવાખાને જલદી લઈ જા આને આવું થયું છે તો રિક્ષાવાળો ગરીબ જોઇને એમ કહે કે પહેલાં પૈસા લાવ. પહેલાં પૈસા હોય તો રિક્ષામાં બેસ ભાઈ. આવું થતું હતું, આવે નહીં કોઈ! એમ્બ્યુલન્સ માટે ટેલિફોન કરો તો ઍમ્બ્યુલન્સવાળો પેટ્રોલ પૂરાવા જાય, ત્યાં સુધીમાં તો પેલો ગુજરી પણ જાય. ભાઈઓ-બહેનો, આજે આ ૧૦૮ સરકારે મૂકી દીધી, તમે ૧૦૮ લગાવો તો એક પણ પૈસાના ખર્ચા વગર આ ગરીબ પરિવારને દવાખાને લઈ જવાનું કામ આ ૧૦૮ કરે છે ભાઈઓ. આજે ૧૦૮ જીવનદાતા બની ગઈ છે ગુજરાતની અંદર. કારણ? આ સરકાર માત્રને માત્ર ગરીબો માટે કામ કરનારી સરકાર છે, ગરીબોના કલ્યાણને માટે કામ કરનારી સરકાર છે અને ગરીબોને ગરીબ રાખવા માટે નહીં, ગરીબોને ગરીબી સામે લડવા માટે તૈયાર કરનારી આ સરકાર છે અને એના માટે આ વિવિધ પ્રયાસો કર્યા છે.

જે આ જે મકાન મળે છે એ મકાન પણ ગરીબી સામે લડવા માટેનું એક શસ્ત્ર છે. એ શસ્ત્રનો ઉપયોગ કરીને જીવનની અંદર જે બે સંકલ્પો કર્યા છે કે સંતાનોને ભણાવીશું, ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરીએ. અને આ નવા મકાનોમાં વાજતે-ગાજતે આપ રહેવા જજો, ખૂબ સુખી થજો અને સમાજ ઉપર ક્યારેય બોજ ન બનતા. આ સમાજે આપને આપ્યું છે એ સમાજનું ઋણ ક્યારેક ઉતારજો એવી આપ સૌને વિનંતી કરીને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

ય જય ગરવી ગુજરાત..!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Rocking concert economy taking shape in India

Media Coverage

Rocking concert economy taking shape in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, India is becoming the key growth engine of the global economy: PM Modi
December 06, 2025
India is brimming with confidence: PM
In a world of slowdown, mistrust and fragmentation, India brings growth, trust and acts as a bridge-builder: PM
Today, India is becoming the key growth engine of the global economy: PM
India's Nari Shakti is doing wonders, Our daughters are excelling in every field today: PM
Our pace is constant, Our direction is consistent, Our intent is always Nation First: PM
Every sector today is shedding the old colonial mindset and aiming for new achievements with pride: PM

आप सभी को नमस्कार।

यहां हिंदुस्तान टाइम्स समिट में देश-विदेश से अनेक गणमान्य अतिथि उपस्थित हैं। मैं आयोजकों और जितने साथियों ने अपने विचार रखें, आप सभी का अभिनंदन करता हूं। अभी शोभना जी ने दो बातें बताई, जिसको मैंने नोटिस किया, एक तो उन्होंने कहा कि मोदी जी पिछली बार आए थे, तो ये सुझाव दिया था। इस देश में मीडिया हाउस को काम बताने की हिम्मत कोई नहीं कर सकता। लेकिन मैंने की थी, और मेरे लिए खुशी की बात है कि शोभना जी और उनकी टीम ने बड़े चाव से इस काम को किया। और देश को, जब मैं अभी प्रदर्शनी देखके आया, मैं सबसे आग्रह करूंगा कि इसको जरूर देखिए। इन फोटोग्राफर साथियों ने इस, पल को ऐसे पकड़ा है कि पल को अमर बना दिया है। दूसरी बात उन्होंने कही और वो भी जरा मैं शब्दों को जैसे मैं समझ रहा हूं, उन्होंने कहा कि आप आगे भी, एक तो ये कह सकती थी, कि आप आगे भी देश की सेवा करते रहिए, लेकिन हिंदुस्तान टाइम्स ये कहे, आप आगे भी ऐसे ही सेवा करते रहिए, मैं इसके लिए भी विशेष रूप से आभार व्यक्त करता हूं।

साथियों,

इस बार समिट की थीम है- Transforming Tomorrow. मैं समझता हूं जिस हिंदुस्तान अखबार का 101 साल का इतिहास है, जिस अखबार पर महात्मा गांधी जी, मदन मोहन मालवीय जी, घनश्यामदास बिड़ला जी, ऐसे अनगिनत महापुरूषों का आशीर्वाद रहा, वो अखबार जब Transforming Tomorrow की चर्चा करता है, तो देश को ये भरोसा मिलता है कि भारत में हो रहा परिवर्तन केवल संभावनाओं की बात नहीं है, बल्कि ये बदलते हुए जीवन, बदलती हुई सोच और बदलती हुई दिशा की सच्ची गाथा है।

साथियों,

आज हमारे संविधान के मुख्य शिल्पी, डॉक्टर बाबा साहेब आंबेडकर जी का महापरिनिर्वाण दिवस भी है। मैं सभी भारतीयों की तरफ से उन्हें श्रद्धांजलि अर्पित करता हूं।

Friends,

आज हम उस मुकाम पर खड़े हैं, जब 21वीं सदी का एक चौथाई हिस्सा बीत चुका है। इन 25 सालों में दुनिया ने कई उतार-चढ़ाव देखे हैं। फाइनेंशियल क्राइसिस देखी हैं, ग्लोबल पेंडेमिक देखी हैं, टेक्नोलॉजी से जुड़े डिसरप्शन्स देखे हैं, हमने बिखरती हुई दुनिया भी देखी है, Wars भी देख रहे हैं। ये सारी स्थितियां किसी न किसी रूप में दुनिया को चैलेंज कर रही हैं। आज दुनिया अनिश्चितताओं से भरी हुई है। लेकिन अनिश्चितताओं से भरे इस दौर में हमारा भारत एक अलग ही लीग में दिख रहा है, भारत आत्मविश्वास से भरा हुआ है। जब दुनिया में slowdown की बात होती है, तब भारत growth की कहानी लिखता है। जब दुनिया में trust का crisis दिखता है, तब भारत trust का pillar बन रहा है। जब दुनिया fragmentation की तरफ जा रही है, तब भारत bridge-builder बन रहा है।

साथियों,

अभी कुछ दिन पहले भारत में Quarter-2 के जीडीपी फिगर्स आए हैं। Eight परसेंट से ज्यादा की ग्रोथ रेट हमारी प्रगति की नई गति का प्रतिबिंब है।

साथियों,

ये एक सिर्फ नंबर नहीं है, ये strong macro-economic signal है। ये संदेश है कि भारत आज ग्लोबल इकोनॉमी का ग्रोथ ड्राइवर बन रहा है। और हमारे ये आंकड़े तब हैं, जब ग्लोबल ग्रोथ 3 प्रतिशत के आसपास है। G-7 की इकोनमीज औसतन डेढ़ परसेंट के आसपास हैं, 1.5 परसेंट। इन परिस्थितियों में भारत high growth और low inflation का मॉडल बना हुआ है। एक समय था, जब हमारे देश में खास करके इकोनॉमिस्ट high Inflation को लेकर चिंता जताते थे। आज वही Inflation Low होने की बात करते हैं।

साथियों,

भारत की ये उपलब्धियां सामान्य बात नहीं है। ये सिर्फ आंकड़ों की बात नहीं है, ये एक फंडामेंटल चेंज है, जो बीते दशक में भारत लेकर आया है। ये फंडामेंटल चेंज रज़ीलियन्स का है, ये चेंज समस्याओं के समाधान की प्रवृत्ति का है, ये चेंज आशंकाओं के बादलों को हटाकर, आकांक्षाओं के विस्तार का है, और इसी वजह से आज का भारत खुद भी ट्रांसफॉर्म हो रहा है, और आने वाले कल को भी ट्रांसफॉर्म कर रहा है।

साथियों,

आज जब हम यहां transforming tomorrow की चर्चा कर रहे हैं, हमें ये भी समझना होगा कि ट्रांसफॉर्मेशन का जो विश्वास पैदा हुआ है, उसका आधार वर्तमान में हो रहे कार्यों की, आज हो रहे कार्यों की एक मजबूत नींव है। आज के Reform और आज की Performance, हमारे कल के Transformation का रास्ता बना रहे हैं। मैं आपको एक उदाहरण दूंगा कि हम किस सोच के साथ काम कर रहे हैं।

साथियों,

आप भी जानते हैं कि भारत के सामर्थ्य का एक बड़ा हिस्सा एक लंबे समय तक untapped रहा है। जब देश के इस untapped potential को ज्यादा से ज्यादा अवसर मिलेंगे, जब वो पूरी ऊर्जा के साथ, बिना किसी रुकावट के देश के विकास में भागीदार बनेंगे, तो देश का कायाकल्प होना तय है। आप सोचिए, हमारा पूर्वी भारत, हमारा नॉर्थ ईस्ट, हमारे गांव, हमारे टीयर टू और टीय़र थ्री सिटीज, हमारे देश की नारीशक्ति, भारत की इनोवेटिव यूथ पावर, भारत की सामुद्रिक शक्ति, ब्लू इकोनॉमी, भारत का स्पेस सेक्टर, कितना कुछ है, जिसके फुल पोटेंशियल का इस्तेमाल पहले के दशकों में हो ही नहीं पाया। अब आज भारत इन Untapped पोटेंशियल को Tap करने के विजन के साथ आगे बढ़ रहा है। आज पूर्वी भारत में आधुनिक इंफ्रास्ट्रक्चर, कनेक्टिविटी और इंडस्ट्री पर अभूतपूर्व निवेश हो रहा है। आज हमारे गांव, हमारे छोटे शहर भी आधुनिक सुविधाओं से लैस हो रहे हैं। हमारे छोटे शहर, Startups और MSMEs के नए केंद्र बन रहे हैं। हमारे गाँवों में किसान FPO बनाकर सीधे market से जुड़ें, और कुछ तो FPO’s ग्लोबल मार्केट से जुड़ रहे हैं।

साथियों,

भारत की नारीशक्ति तो आज कमाल कर रही हैं। हमारी बेटियां आज हर फील्ड में छा रही हैं। ये ट्रांसफॉर्मेशन अब सिर्फ महिला सशक्तिकरण तक सीमित नहीं है, ये समाज की सोच और सामर्थ्य, दोनों को transform कर रहा है।

साथियों,

जब नए अवसर बनते हैं, जब रुकावटें हटती हैं, तो आसमान में उड़ने के लिए नए पंख भी लग जाते हैं। इसका एक उदाहरण भारत का स्पेस सेक्टर भी है। पहले स्पेस सेक्टर सरकारी नियंत्रण में ही था। लेकिन हमने स्पेस सेक्टर में रिफॉर्म किया, उसे प्राइवेट सेक्टर के लिए Open किया, और इसके नतीजे आज देश देख रहा है। अभी 10-11 दिन पहले मैंने हैदराबाद में Skyroot के Infinity Campus का उद्घाटन किया है। Skyroot भारत की प्राइवेट स्पेस कंपनी है। ये कंपनी हर महीने एक रॉकेट बनाने की क्षमता पर काम कर रही है। ये कंपनी, flight-ready विक्रम-वन बना रही है। सरकार ने प्लेटफॉर्म दिया, और भारत का नौजवान उस पर नया भविष्य बना रहा है, और यही तो असली ट्रांसफॉर्मेशन है।

साथियों,

भारत में आए एक और बदलाव की चर्चा मैं यहां करना ज़रूरी समझता हूं। एक समय था, जब भारत में रिफॉर्म्स, रिएक्शनरी होते थे। यानि बड़े निर्णयों के पीछे या तो कोई राजनीतिक स्वार्थ होता था या फिर किसी क्राइसिस को मैनेज करना होता था। लेकिन आज नेशनल गोल्स को देखते हुए रिफॉर्म्स होते हैं, टारगेट तय है। आप देखिए, देश के हर सेक्टर में कुछ ना कुछ बेहतर हो रहा है, हमारी गति Constant है, हमारी Direction Consistent है, और हमारा intent, Nation First का है। 2025 का तो ये पूरा साल ऐसे ही रिफॉर्म्स का साल रहा है। सबसे बड़ा रिफॉर्म नेक्स्ट जेनरेशन जीएसटी का था। और इन रिफॉर्म्स का असर क्या हुआ, वो सारे देश ने देखा है। इसी साल डायरेक्ट टैक्स सिस्टम में भी बहुत बड़ा रिफॉर्म हुआ है। 12 लाख रुपए तक की इनकम पर ज़ीरो टैक्स, ये एक ऐसा कदम रहा, जिसके बारे में एक दशक पहले तक सोचना भी असंभव था।

साथियों,

Reform के इसी सिलसिले को आगे बढ़ाते हुए, अभी तीन-चार दिन पहले ही Small Company की डेफिनीशन में बदलाव किया गया है। इससे हजारों कंपनियाँ अब आसान नियमों, तेज़ प्रक्रियाओं और बेहतर सुविधाओं के दायरे में आ गई हैं। हमने करीब 200 प्रोडक्ट कैटगरीज़ को mandatory क्वालिटी कंट्रोल ऑर्डर से बाहर भी कर दिया गया है।

साथियों,

आज के भारत की ये यात्रा, सिर्फ विकास की नहीं है। ये सोच में बदलाव की भी यात्रा है, ये मनोवैज्ञानिक पुनर्जागरण, साइकोलॉजिकल रेनसां की भी यात्रा है। आप भी जानते हैं, कोई भी देश बिना आत्मविश्वास के आगे नहीं बढ़ सकता। दुर्भाग्य से लंबी गुलामी ने भारत के इसी आत्मविश्वास को हिला दिया था। और इसकी वजह थी, गुलामी की मानसिकता। गुलामी की ये मानसिकता, विकसित भारत के लक्ष्य की प्राप्ति में एक बहुत बड़ी रुकावट है। और इसलिए, आज का भारत गुलामी की मानसिकता से मुक्ति पाने के लिए काम कर रहा है।

साथियों,

अंग्रेज़ों को अच्छी तरह से पता था कि भारत पर लंबे समय तक राज करना है, तो उन्हें भारतीयों से उनके आत्मविश्वास को छीनना होगा, भारतीयों में हीन भावना का संचार करना होगा। और उस दौर में अंग्रेजों ने यही किया भी। इसलिए, भारतीय पारिवारिक संरचना को दकियानूसी बताया गया, भारतीय पोशाक को Unprofessional करार दिया गया, भारतीय त्योहार-संस्कृति को Irrational कहा गया, योग-आयुर्वेद को Unscientific बता दिया गया, भारतीय अविष्कारों का उपहास उड़ाया गया और ये बातें कई-कई दशकों तक लगातार दोहराई गई, पीढ़ी दर पीढ़ी ये चलता गया, वही पढ़ा, वही पढ़ाया गया। और ऐसे ही भारतीयों का आत्मविश्वास चकनाचूर हो गया।

साथियों,

गुलामी की इस मानसिकता का कितना व्यापक असर हुआ है, मैं इसके कुछ उदाहरण आपको देना चाहता हूं। आज भारत, दुनिया की सबसे तेज़ी से ग्रो करने वाली मेजर इकॉनॉमी है, कोई भारत को ग्लोबल ग्रोथ इंजन बताता है, कोई, Global powerhouse कहता है, एक से बढ़कर एक बातें आज हो रही हैं।

लेकिन साथियों,

आज भारत की जो तेज़ ग्रोथ हो रही है, क्या कहीं पर आपने पढ़ा? क्या कहीं पर आपने सुना? इसको कोई, हिंदू रेट ऑफ ग्रोथ कहता है क्या? दुनिया की तेज इकॉनमी, तेज ग्रोथ, कोई कहता है क्या? हिंदू रेट ऑफ ग्रोथ कब कहा गया? जब भारत, दो-तीन परसेंट की ग्रोथ के लिए तरस गया था। आपको क्या लगता है, किसी देश की इकोनॉमिक ग्रोथ को उसमें रहने वाले लोगों की आस्था से जोड़ना, उनकी पहचान से जोड़ना, क्या ये अनायास ही हुआ होगा क्या? जी नहीं, ये गुलामी की मानसिकता का प्रतिबिंब था। एक पूरे समाज, एक पूरी परंपरा को, अन-प्रोडक्टिविटी का, गरीबी का पर्याय बना दिया गया। यानी ये सिद्ध करने का प्रयास किया गया कि, भारत की धीमी विकास दर का कारण, हमारी हिंदू सभ्यता और हिंदू संस्कृति है। और हद देखिए, आज जो तथाकथित बुद्धिजीवी हर चीज में, हर बात में सांप्रदायिकता खोजते रहते हैं, उनको हिंदू रेट ऑफ ग्रोथ में सांप्रदायिकता नज़र नहीं आई। ये टर्म, उनके दौर में किताबों का, रिसर्च पेपर्स का हिस्सा बना दिया गया।

साथियों,

गुलामी की मानसिकता ने भारत में मैन्युफेक्चरिंग इकोसिस्टम को कैसे तबाह कर दिया, और हम इसको कैसे रिवाइव कर रहे हैं, मैं इसके भी कुछ उदाहरण दूंगा। भारत गुलामी के कालखंड में भी अस्त्र-शस्त्र का एक बड़ा निर्माता था। हमारे यहां ऑर्डिनेंस फैक्ट्रीज़ का एक सशक्त नेटवर्क था। भारत से हथियार निर्यात होते थे। विश्व युद्धों में भी भारत में बने हथियारों का बोल-बाला था। लेकिन आज़ादी के बाद, हमारा डिफेंस मैन्युफेक्चरिंग इकोसिस्टम तबाह कर दिया गया। गुलामी की मानसिकता ऐसी हावी हुई कि सरकार में बैठे लोग भारत में बने हथियारों को कमजोर आंकने लगे, और इस मानसिकता ने भारत को दुनिया के सबसे बड़े डिफेंस importers के रूप में से एक बना दिया।

साथियों,

गुलामी की मानसिकता ने शिप बिल्डिंग इंडस्ट्री के साथ भी यही किया। भारत सदियों तक शिप बिल्डिंग का एक बड़ा सेंटर था। यहां तक कि 5-6 दशक पहले तक, यानी 50-60 साल पहले, भारत का फोर्टी परसेंट ट्रेड, भारतीय जहाजों पर होता था। लेकिन गुलामी की मानसिकता ने विदेशी जहाज़ों को प्राथमिकता देनी शुरु की। नतीजा सबके सामने है, जो देश कभी समुद्री ताकत था, वो अपने Ninety five परसेंट व्यापार के लिए विदेशी जहाज़ों पर निर्भर हो गया है। और इस वजह से आज भारत हर साल करीब 75 बिलियन डॉलर, यानी लगभग 6 लाख करोड़ रुपए विदेशी शिपिंग कंपनियों को दे रहा है।

साथियों,

शिप बिल्डिंग हो, डिफेंस मैन्यूफैक्चरिंग हो, आज हर सेक्टर में गुलामी की मानसिकता को पीछे छोड़कर नए गौरव को हासिल करने का प्रयास किया जा रहा है।

साथियों,

गुलामी की मानसिकता ने एक बहुत बड़ा नुकसान, भारत में गवर्नेंस की अप्रोच को भी किया है। लंबे समय तक सरकारी सिस्टम का अपने नागरिकों पर अविश्वास रहा। आपको याद होगा, पहले अपने ही डॉक्यूमेंट्स को किसी सरकारी अधिकारी से अटेस्ट कराना पड़ता था। जब तक वो ठप्पा नहीं मारता है, सब झूठ माना जाता था। आपका परिश्रम किया हुआ सर्टिफिकेट। हमने ये अविश्वास का भाव तोड़ा और सेल्फ एटेस्टेशन को ही पर्याप्त माना। मेरे देश का नागरिक कहता है कि भई ये मैं कह रहा हूं, मैं उस पर भरोसा करता हूं।

साथियों,

हमारे देश में ऐसे-ऐसे प्रावधान चल रहे थे, जहां ज़रा-जरा सी गलतियों को भी गंभीर अपराध माना जाता था। हम जन-विश्वास कानून लेकर आए, और ऐसे सैकड़ों प्रावधानों को डी-क्रिमिनलाइज किया है।

साथियों,

पहले बैंक से हजार रुपए का भी लोन लेना होता था, तो बैंक गारंटी मांगता था, क्योंकि अविश्वास बहुत अधिक था। हमने मुद्रा योजना से अविश्वास के इस कुचक्र को तोड़ा। इसके तहत अभी तक 37 lakh crore, 37 लाख करोड़ रुपए की गारंटी फ्री लोन हम दे चुके हैं देशवासियों को। इस पैसे से, उन परिवारों के नौजवानों को भी आंत्रप्रन्योर बनने का विश्वास मिला है। आज रेहड़ी-पटरी वालों को भी, ठेले वाले को भी बिना गारंटी बैंक से पैसा दिया जा रहा है।

साथियों,

हमारे देश में हमेशा से ये माना गया कि सरकार को अगर कुछ दे दिया, तो फिर वहां तो वन वे ट्रैफिक है, एक बार दिया तो दिया, फिर वापस नहीं आता है, गया, गया, यही सबका अनुभव है। लेकिन जब सरकार और जनता के बीच विश्वास मजबूत होता है, तो काम कैसे होता है? अगर कल अच्छी करनी है ना, तो मन आज अच्छा करना पड़ता है। अगर मन अच्छा है तो कल भी अच्छा होता है। और इसलिए हम एक और अभियान लेकर आए, आपको सुनकर के ताज्जुब होगा और अभी अखबारों में उसकी, अखबारों वालों की नजर नहीं गई है उस पर, मुझे पता नहीं जाएगी की नहीं जाएगी, आज के बाद हो सकता है चली जाए।

आपको ये जानकर हैरानी होगी कि आज देश के बैंकों में, हमारे ही देश के नागरिकों का 78 thousand crore रुपया, 78 हजार करोड़ रुपए Unclaimed पड़ा है बैंको में, पता नहीं कौन है, किसका है, कहां है। इस पैसे को कोई पूछने वाला नहीं है। इसी तरह इन्श्योरेंश कंपनियों के पास करीब 14 हजार करोड़ रुपए पड़े हैं। म्यूचुअल फंड कंपनियों के पास करीब 3 हजार करोड़ रुपए पड़े हैं। 9 हजार करोड़ रुपए डिविडेंड का पड़ा है। और ये सब Unclaimed पड़ा हुआ है, कोई मालिक नहीं उसका। ये पैसा, गरीब और मध्यम वर्गीय परिवारों का है, और इसलिए, जिसके हैं वो तो भूल चुका है। हमारी सरकार अब उनको ढूंढ रही है देशभर में, अरे भई बताओ, तुम्हारा तो पैसा नहीं था, तुम्हारे मां बाप का तो नहीं था, कोई छोड़कर तो नहीं चला गया, हम जा रहे हैं। हमारी सरकार उसके हकदार तक पहुंचने में जुटी है। और इसके लिए सरकार ने स्पेशल कैंप लगाना शुरू किया है, लोगों को समझा रहे हैं, कि भई देखिए कोई है तो अता पता। आपके पैसे कहीं हैं क्या, गए हैं क्या? अब तक करीब 500 districts में हम ऐसे कैंप लगाकर हजारों करोड़ रुपए असली हकदारों को दे चुके हैं जी। पैसे पड़े थे, कोई पूछने वाला नहीं था, लेकिन ये मोदी है, ढूंढ रहा है, अरे यार तेरा है ले जा।

साथियों,

ये सिर्फ asset की वापसी का मामला नहीं है, ये विश्वास का मामला है। ये जनता के विश्वास को निरंतर हासिल करने की प्रतिबद्धता है और जनता का विश्वास, यही हमारी सबसे बड़ी पूंजी है। अगर गुलामी की मानसिकता होती तो सरकारी मानसी साहबी होता और ऐसे अभियान कभी नहीं चलते हैं।

साथियों,

हमें अपने देश को पूरी तरह से, हर क्षेत्र में गुलामी की मानसिकता से पूर्ण रूप से मुक्त करना है। अभी कुछ दिन पहले मैंने देश से एक अपील की है। मैं आने वाले 10 साल का एक टाइम-फ्रेम लेकर, देशवासियों को मेरे साथ, मेरी बातों को ये कुछ करने के लिए प्यार से आग्रह कर रहा हूं, हाथ जोड़कर विनती कर रहा हूं। 140 करोड़ देशवसियों की मदद के बिना ये मैं कर नहीं पाऊंगा, और इसलिए मैं देशवासियों से बार-बार हाथ जोड़कर कह रहा हूं, और 10 साल के इस टाइम फ्रैम में मैं क्या मांग रहा हूं? मैकाले की जिस नीति ने भारत में मानसिक गुलामी के बीज बोए थे, उसको 2035 में 200 साल पूरे हो रहे हैं, Two hundred year हो रहे हैं। यानी 10 साल बाकी हैं। और इसलिए, इन्हीं दस वर्षों में हम सभी को मिलकर के, अपने देश को गुलामी की मानसिकता से मुक्त करके रहना चाहिए।

साथियों,

मैं अक्सर कहता हूं, हम लीक पकड़कर चलने वाले लोग नहीं हैं। बेहतर कल के लिए, हमें अपनी लकीर बड़ी करनी ही होगी। हमें देश की भविष्य की आवश्यकताओं को समझते हुए, वर्तमान में उसके हल तलाशने होंगे। आजकल आप देखते हैं कि मैं मेक इन इंडिया और आत्मनिर्भर भारत अभियान पर लगातार चर्चा करता हूं। शोभना जी ने भी अपने भाषण में उसका उल्लेख किया। अगर ऐसे अभियान 4-5 दशक पहले शुरू हो गए होते, तो आज भारत की तस्वीर कुछ और होती। लेकिन तब जो सरकारें थीं उनकी प्राथमिकताएं कुछ और थीं। आपको वो सेमीकंडक्टर वाला किस्सा भी पता ही है, करीब 50-60 साल पहले, 5-6 दशक पहले एक कंपनी, भारत में सेमीकंडक्टर प्लांट लगाने के लिए आई थी, लेकिन यहां उसको तवज्जो नहीं दी गई, और देश सेमीकंडक्टर मैन्युफैक्चरिंग में इतना पिछड़ गया।

साथियों,

यही हाल एनर्जी सेक्टर की भी है। आज भारत हर साल करीब-करीब 125 लाख करोड़ रुपए के पेट्रोल-डीजल-गैस का इंपोर्ट करता है, 125 लाख करोड़ रुपया। हमारे देश में सूर्य भगवान की इतनी बड़ी कृपा है, लेकिन फिर भी 2014 तक भारत में सोलर एनर्जी जनरेशन कपैसिटी सिर्फ 3 गीगावॉट थी, 3 गीगावॉट थी। 2014 तक की मैं बात कर रहा हूं, जब तक की आपने मुझे यहां लाकर के बिठाया नहीं। 3 गीगावॉट, पिछले 10 वर्षों में अब ये बढ़कर 130 गीगावॉट के आसपास पहुंच चुकी है। और इसमें भी भारत ने twenty two गीगावॉट कैपेसिटी, सिर्फ और सिर्फ rooftop solar से ही जोड़ी है। 22 गीगावाट एनर्जी रूफटॉप सोलर से।

साथियों,

पीएम सूर्य घर मुफ्त बिजली योजना ने, एनर्जी सिक्योरिटी के इस अभियान में देश के लोगों को सीधी भागीदारी करने का मौका दे दिया है। मैं काशी का सांसद हूं, प्रधानमंत्री के नाते जो काम है, लेकिन सांसद के नाते भी कुछ काम करने होते हैं। मैं जरा काशी के सांसद के नाते आपको कुछ बताना चाहता हूं। और आपके हिंदी अखबार की तो ताकत है, तो उसको तो जरूर काम आएगा। काशी में 26 हजार से ज्यादा घरों में पीएम सूर्य घर मुफ्त बिजली योजना के सोलर प्लांट लगे हैं। इससे हर रोज, डेली तीन लाख यूनिट से अधिक बिजली पैदा हो रही है, और लोगों के करीब पांच करोड़ रुपए हर महीने बच रहे हैं। यानी साल भर के साठ करोड़ रुपये।

साथियों,

इतनी सोलर पावर बनने से, हर साल करीब नब्बे हज़ार, ninety thousand मीट्रिक टन कार्बन एमिशन कम हो रहा है। इतने कार्बन एमिशन को खपाने के लिए, हमें चालीस लाख से ज्यादा पेड़ लगाने पड़ते। और मैं फिर कहूंगा, ये जो मैंने आंकडे दिए हैं ना, ये सिर्फ काशी के हैं, बनारस के हैं, मैं देश की बात नहीं बता रहा हूं आपको। आप कल्पना कर सकते हैं कि, पीएम सूर्य घर मुफ्त बिजली योजना, ये देश को कितना बड़ा फायदा हो रहा है। आज की एक योजना, भविष्य को Transform करने की कितनी ताकत रखती है, ये उसका Example है।

वैसे साथियों,

अभी आपने मोबाइल मैन्यूफैक्चरिंग के भी आंकड़े देखे होंगे। 2014 से पहले तक हम अपनी ज़रूरत के 75 परसेंट मोबाइल फोन इंपोर्ट करते थे, 75 परसेंट। और अब, भारत का मोबाइल फोन इंपोर्ट लगभग ज़ीरो हो गया है। अब हम बहुत बड़े मोबाइल फोन एक्सपोर्टर बन रहे हैं। 2014 के बाद हमने एक reform किया, देश ने Perform किया और उसके Transformative नतीजे आज दुनिया देख रही है।

साथियों,

Transforming tomorrow की ये यात्रा, ऐसी ही अनेक योजनाओं, अनेक नीतियों, अनेक निर्णयों, जनआकांक्षाओं और जनभागीदारी की यात्रा है। ये निरंतरता की यात्रा है। ये सिर्फ एक समिट की चर्चा तक सीमित नहीं है, भारत के लिए तो ये राष्ट्रीय संकल्प है। इस संकल्प में सबका साथ जरूरी है, सबका प्रयास जरूरी है। सामूहिक प्रयास हमें परिवर्तन की इस ऊंचाई को छूने के लिए अवसर देंगे ही देंगे।

साथियों,

एक बार फिर, मैं शोभना जी का, हिन्दुस्तान टाइम्स का बहुत आभारी हूं, कि आपने मुझे अवसर दिया आपके बीच आने का और जो बातें कभी-कभी बताई उसको आपने किया और मैं तो मानता हूं शायद देश के फोटोग्राफरों के लिए एक नई ताकत बनेगा ये। इसी प्रकार से अनेक नए कार्यक्रम भी आप आगे के लिए सोच सकते हैं। मेरी मदद लगे तो जरूर मुझे बताना, आईडिया देने का मैं कोई रॉयल्टी नहीं लेता हूं। मुफ्त का कारोबार है और मारवाड़ी परिवार है, तो मौका छोड़ेगा ही नहीं। बहुत-बहुत धन्यवाद आप सबका, नमस्कार।