"Celebrating 15th Aug and 26th Jan have become important for Lok Shikshan & developmnt: CM"
"CM lays foundation stone and dedicates development works at Vivekananda Vikas Parishad in Bhuj"
"Even small things manifest patriotism, not white Kurtas and going to Parliament & Vidhan Sabhas"
"We did not have honour to die fighting for our freedom but we can live for the nation: CM"
"India stands on the pillars of its states & if these pillars are weak, entire nation is weakened"

મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ લોકતંત્રના આધારસ્‍થંભ એવા રાજ્યોને નબળાં રાખવા અને ગુજરાત જાણે દુશ્‍મન દેશનું રાજ્ય હોય એવો રાજકીય દ્વેષભાવનો વ્‍યવહાર કરવા માટે આજે કેન્‍દ્ર સરકાર સામે આક્રોશ વ્‍યકત કર્યો હતો. આઝાદી પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે ભૂજમાં સ્‍વામીવિવેકાનંદ વિકાસ પરિષદમાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું કે, હિન્‍દુસ્‍તાનનું મજબૂત રાજ્યોના સ્‍થંભો ઉપર ઉભેલું લોકતંત્ર છે. આ રાજ્યસ્‍થંભો મજબૂત હશે તો જ દેશ મજબૂત બનશે અને કોઇ રાજ્યને નબળું રાખવાની માનસિકતાથી ભારતમાતા નબળી રહેશે. જે લોકો દિવસરાત ગુજરાતને બદનામ કરવાના પેંતરા રચે છે અને ગુજરાત ઉપર જૂઠાણા ફેલાવે છે તેમને ચેતવણી આપતાં મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, દિલ્‍હીના શહેનશાહોએ સમજી લેવું જોઇએ કે ડિસેમ્‍બર-ર૦૧રમાં ગુજરાતની જનતાની કસોટીમાં અમે ડિસ્‍ટીંકશન સાથે પાસ થયા છીએ.

હવે તો ર૦૧૪માં તેમણે જનતાને હિસાબ આપવાનો છે. તમે શું કર્યું, કોના માટે કોણે કોણે કેવી કેવી રીતે કેટકેટલું કર્યું એ હવે દેશની જનતા જાણે જ છે, એમ તેમણે માર્મિક શબ્‍દોમાં જણાવ્‍યું હતું.દેશમાં એકતરફ નિરાશાનું વાતાવરણ છે ત્‍યારે બીજી બાજુ ગુજરાત આશાના સપના લઇને સંકલ્પબદ્ધ છે, એમ તેમણે ઉમેર્યું હતું. ૧૮ વર્ષથી ઉપરનો કોઇ યુવાન, મતદાતા તરીકેની નોંધણીથી વંચિત રહેવો ના જોઇએ એવું આહવાન કરતાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ મતદાન તરીકે પ્રયેક નવયુવાને ૧૮ વર્ષે મતાધિકાર મેળવી લેવો જ જોઇએ અને ૧૮ વર્ષથી ઉપરના કોઇપણ વ્‍યક્તિને મતદાતા બનાવવાનો કર્તવ્‍યભાવ જગાવવા અપીલ કરી હતી. સ્‍વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્‍યાએ કચ્‍છ જિલ્‍લામાં આઝાદી પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નિમિત્તે આજે કચ્‍છ યુનિવર્સિટી પટાંગણમાં સ્‍વામી વિવેકાનંદ યુવા વિકાસ પરિષદ યોજવામાં આવી હતી.

કચ્‍છની વિશાળ યુવાશક્તિનું અભિવાદન કરતા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું કે, રાષ્‍ટ્રજીવનમાં આઝાદી જંગના ઇતિહાસની પ્રત્‍યેક ઘટનાનો પેઢીઓ સુધી આગવો મહિમા હોય છે. નવા ઇતિહાસના અંકુર એમાંથી ફૂટતા હોય છે અને ભારતની આઝાદીનું પર્વ દેશના કોટીકોટી જનમાં પ્રેરણાનો અવસર બનવો જોઇએ. ગુજરાત સરકારે છેલ્‍લા બાર વર્ષમાં આઝાદીના પર્વને વિકાસનું પર્વ બનાવી દીધું છે, એમાં જનશક્તિને જોડી છે.

જનશક્તિને દેશભક્તિના અવસરની પ્રેરણા આપતાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું કે, આપણો જિલ્‍લો સ્‍વચ્‍છ રાખીએ, નાનામાં નાના માનવી પણ કોઇ ભલાઇનું કાર્ય કરે એ પણ દેશભક્તિ જ છે. ગાંધીજીએ આઝાદીના આંદોલનમાં પ્રત્‍યેક વ્‍યક્તિને નાના કામમાંથી દેશભક્તિની પ્રેરણા પૂરી પડી હતી. પ્રત્‍યેક વ્‍યક્તિમાં સંવેદના જાગે તો કંઇક સારૂં કરવાની અંત: પ્રેરણા જાગતી જ હોય છે. આપણામાં કર્તવ્‍યભાવની પ્રેરણા જાગે એ જ દેશભક્તિ છે, એમ તેમણે જણાવ્‍યું હતું.

વિવેકાનંદજીના ૧પ૦મી જયંતીના વર્ષમાં કર્તવ્‍યભાવથી દેશ અને સમાજ માટે સંવેદનશીલ બનવાની યુવાનો પ્રેરણા આપતા શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું કે, આઝાદીના લડવૈયાની જેમ દેશની ગુલામીની મુક્તિ માટે મરી ફીટવાનું સૌભાગ્‍ય આપણને નથી મળ્યું પણ કર્તવ્‍યભાવથી દેશ માટે જીવી જાણવાનું સૌભાગ્‍ય આપણને મળ્યું છે. આ સરકારે વિકાસના કાર્ય સાથે જનશક્તિનું લોકશિક્ષણ પણ જોડી દીધું છે, એમ મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું. કચ્‍છ જિલ્‍લામાં આઝાદી પર્વને વિકાસના પર્વ તરીકે ઉજવવામાં રૂ. ૮૪૦ કરોડના ૪૮૦૦ વિકાસકામોના લોકાર્પણ ખાતમુર્હુતના કામો સંપન્‍ન થયા છે.

આ દેશના નવજુવાનોને રોજગાર મળે એ માટે સ્‍કીલ ડેવલપમેન્‍ટનું અભિયાન ગુજરાતે ઉપાડયું છે. દેશના ખૂણેખૂણેથી યુવાનોને રોજગારી આપવામાં ગુજરાત અગ્રીમ છે. સૌથી ઓછી બેકારી ગુજરાતમાં છે અને દેશના વિકાસમાં સૌથી વધુ યોગદાન ગુજરાતે આપ્‍યું છે, એમ મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું. કચ્‍છનું રણ પહેલાં પણ હતું પણ કચ્‍છનો રણોત્‍સવ કરીને પ્રવાસન દ્વારા રોજગારી વિકસાવવાનું ગુજરાતે જ બતાવ્‍યું છે, એમ તેમણે જણાવ્‍યું હતું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official

Media Coverage

Jan Dhan accounts hold Rs 2.75 lakh crore in banks: Official
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 ડિસેમ્બર 2025
December 07, 2025

National Resolve in Action: PM Modi's Policies Driving Economic Dynamism and Inclusivity