પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માલદીવ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મોહમ્મદ મુઇઝુએ ભારત-માલદીવ રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 60મી વર્ષગાંઠ નિમિત્તે સ્મારક સ્ટેમ્પનું વિમોચન કર્યું હતું.
બંને દેશો વચ્ચેના વર્ષો જૂના દ્વિપક્ષીય સંબંધોને પ્રતિબિંબિત કરતા, સ્મારક સ્ટેમ્પમાં ભારતીય બોટ ઉરુ, કેરળના બેપોરના ઐતિહાસિક બોટયાર્ડમાં હાથથી બનાવેલી લાકડાની મોટી ધો અને પરંપરાગત માલદીવની માછીમારી બોટ - વધુ ધોનીનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ બોટ સદીઓથી હિંદ મહાસાગરના વેપારનો ભાગ રહી છે. માલદીવની પારંપરિક માછીમારી બોટ - વધુ ધોની - રીફ અને દરિયાકાંઠાના માછીમારી માટે વપરાય છે. તે માલદીવના સમૃદ્ધ દરિયાઈ વારસા અને ટાપુ જીવન અને સમુદ્ર વચ્ચેના ગાઢ બંધનને દર્શાવે છે.
1965માં માલદીવની સ્વતંત્રતા પછી તેની સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરનારા પ્રથમ દેશોમાં ભારત એક હતું. સ્મારક ટપાલ ટિકિટનું પ્રકાશન બંને દેશો વચ્ચેના ગાઢ અને ઐતિહાસિક સંબંધોનું પ્રતીક છે.
Commemorating a very cherished friendship!
— Narendra Modi (@narendramodi) July 25, 2025
President Muizzu and I released a stamp to mark 60 years of India-Maldives friendship. Our ties are getting stronger with the passage of time and are benefitting the people of our nations.@MMuizzu pic.twitter.com/KW8gmbNidh
ގާތް އެކުވެރިކަމުގެ ހަނދާނުގައި!
— Narendra Modi (@narendramodi) July 25, 2025
އިންޑިއާ އާއި ދިވެހިރާއްޖޭގެ އެކުވެރިކަމަށް 60 އަހަރު ފުރުން ފާހަޤަކުރުމުގެ ގޮތުން ރައީސް މުއިއްޒުއާއި އެކު ސްޓޭމްޕެއް ވާނީ ނެރެފައި. މި ގުޅުންތައް ދަނީ ދުވަސްވީވަރަކަށް ބަދަހިވަމުން އަދި ދެ ޤައުމުގެ ރައްޔިތުންނަށް ފައިދާ ކުރަމުން.@MMuizzu pic.twitter.com/lQAuo6IDLp


