ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફના પ્રયાસોને વધારવા માટે, પ્રધાનમંત્રી ઉનામાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે
પ્રધાનમંત્રી શ્રી IIIT ઉના રાષ્ટ્રને સમર્પિત કરશે - તેનો શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા 2017માં કરવામાં આવ્યો હતો
પ્રધાનમંત્રી શ્રી ઉના હિમાચલથી નવી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસને પણ લીલી ઝંડી આપશે
ચમ્બામાં પીએમ બે હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
​​​​​​​પ્રધાનમંત્રી હિમાચલ પ્રદેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY)-III પણ લોન્ચ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13મી ઓક્ટોબરે હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે. ઉનામાં પ્રધાનમંત્રી ઉના હિમાચલ રેલ્વે સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. ત્યારબાદ, એક જાહેર સમારંભમાં, પ્રધાનમંત્રી IIIT ઉનાને રાષ્ટ્રને સમર્પિત કરશે અને ઉનામાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે. તે પછી, ચંબા ખાતે જાહેર સમારંભમાં, પ્રધાનમંશ્રી બે હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને હિમાચલ પ્રદેશમાં પ્રધાનમંત્રી ગ્રામ સડકા યોજના (PMGSY)-IIIનું લોકાર્પણ કરશે.

ઉનામાં પ્રધાનમંત્રી

આત્મનિર્ભર ભારત માટે પ્રધાનમંત્રીના સ્પષ્ટ આહવાનથી સરકારની વિવિધ નવી પહેલોના સમર્થન દ્વારા દેશ બહુવિધ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતાની પ્રાપ્તિ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આવું જ એક મુખ્ય ક્ષેત્ર ફાર્માસ્યુટિકલ્સ છે, અને આ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવવા માટે, પ્રધાનમંત્રી ઉના જિલ્લાના હરોલી ખાતે બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ કરશે, જે રૂ. 1900 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવશે. આ પાર્ક API આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. આશરે રૂ. 10,000 કરોડ નું રોકાણ આકર્ષવાની અપેક્ષા છે અને 20,000થી વધુ લોકોને રોજગાર પ્રદાન કરશે. તે પ્રદેશમાં આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપશે.

પ્રધાનમંત્રી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IIIT) ઉનાને રાષ્ટ્રને સમર્પિત કરશે. 2017માં પ્રધાનમંત્રી દ્વારા તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. હાલમાં આ સંસ્થામાં 530થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી નવી વંદે ભારત એક્સપ્રેસના ઉદઘાટનને પણ લીલી ઝંડી આપશે. અંબ અંદૌરાથી નવી દિલ્હી સુધી દોડતી, તે દેશમાં રજૂ થનારી ચોથી વંદે ભારત ટ્રેન હશે અને તે પહેલાની સરખામણીમાં અદ્યતન સંસ્કરણ છે, જે ઘણી હળવી અને ટૂંકા ગાળામાં વધુ ઝડપે પહોંચવામાં સક્ષમ છે. તે માત્ર 52 સેકન્ડમાં 100 કિમી/કલાકની ઝડપ પકડી લે છે. ટ્રેન શરૂ થવાથી પ્રદેશમાં પ્રવાસનને વેગ મળશે અને મુસાફરીનો આરામદાયક અને ઝડપી મોડ પ્રદાન કરવામાં મદદ મળશે.

ચંબામાં પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી બે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ - 48 મેગાવોટ ચાંજુ-III હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને 30 મેગાવોટ દેવથલ ચાંજુ હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ બંને પ્રોજેક્ટ્સ વાર્ષિક 270 મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરશે અને હિમાચલ પ્રદેશને આ પ્રોજેક્ટ્સમાંથી આશરે રૂ. 110 કરોડની વાર્ષિક આવક મળવાની અપેક્ષા છે.

પ્રધાનમંત્રી હિમાચલ પ્રદેશમાં રાજ્યમાં લગભગ 3125 કિલોમીટરના રસ્તાઓના અપગ્રેડેશન માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY)-III પણ શરૂ કરશે.  રાજ્યના 15 સરહદી અને છેવાડાના બ્લોકમાં 440 કિલોમીટરના રસ્તાઓના અપગ્રેડેશન માટે આ તબક્કા હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વધુ રૂ. 420 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Vietnam BrahMos deal already signed, Indonesia pact in final stages: Defence Secretary RK Singh

Media Coverage

Vietnam BrahMos deal already signed, Indonesia pact in final stages: Defence Secretary RK Singh
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tribute to Lokmata Ahilyabai Holkar on her birth anniversary
May 31, 2026

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to Lokmata Ahilyabai Holkar on her birth anniversary.

Shri Modi said that the entire nation remembers Lokmata Ahilyabai Holkar with deep respect and reverence for her wisdom, compassion and unwavering commitment to public welfare.

The Prime Minister noted that her life remains an exemplary model of good governance, patriotism and cultural pride. He said that she always led with courage and a strong sense of duty.

The Prime Minister highlighted her unparalleled contribution to ensuring justice and welfare for all, as well as her efforts towards the reconstruction of sacred temples and pilgrimage sites across the country. He remarked that her work further strengthened India’s cultural consciousness.

The Prime Minister stated that Lokmata Ahilyabai Holkar’s dedication to society, culture and nation-building will continue to inspire every generation of the country.

The Prime Minister wrote on X;

“लोकमाता अहिल्याबाई होल्कर जी को उनकी जयंती पर कोटि-कोटि नमन! बुद्धिमत्ता, करुणा और जनकल्याण के प्रति अटूट निष्ठा को लेकर पूरा देश उन्हें आदर और सम्मान के साथ स्मरण करता है। उनका जीवन सुशासन, राष्ट्रभक्ति और सांस्कृतिक गौरव का एक उत्कृष्ट उदाहरण है। उन्होंने सदैव साहस और कर्तव्यनिष्ठा के साथ नेतृत्व किया। देशभर में पावन मंदिरों और तीर्थस्थलों के पुनर्निर्माण से लेकर सभी के लिए न्याय और कल्याण सुनिश्चित करने में उन्होंने अतुलनीय योगदान दिया। उन्होंने भारत की सांस्कृतिक चेतना को और सशक्त बनाया। समाज, संस्कृति और राष्ट्र निर्माण के प्रति उनका समर्पण भाव देश की हर पीढ़ी को प्रेरित करता रहेगा।”