પ્રધાનમંત્રી શૌર્ય યાત્રામાં ભાગ લેશે
યાત્રામાં 108 અશ્વોની પ્રતીકાત્મક શોભાયાત્રાનો સમાવેશ થશે, જે બહાદુરી અને બલિદાનનું પ્રતીક છે
આ કાર્યક્રમ સોમનાથ મંદિર પરના પ્રથમ હુમલા પછી 1,000 વર્ષની અતૂટ ભાવના અને સભ્યતાની સાતત્યની યાદ અપાવે છે
પ્રધાનમંત્રીની ભાગીદારી ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના જતન અને ઉજવણી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે
પ્રધાનમંત્રી સોમનાથ મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે
પ્રધાનમંત્રી સોમનાથ મંદિરમાં ઓમકાર મંત્ર જાપમાં પણ ભાગ લેશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10-11 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાતના સોમનાથની મુલાકાત લેશે અને સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે. 10 જાન્યુઆરીએ રાત્રે લગભગ 8 વાગ્યે, પ્રધાનમંત્રી ઓમકાર મંત્રના જાપમાં ભાગ લેશે, ત્યારબાદ સોમનાથ મંદિરમાં ડ્રોન શો યોજાશે.

11 જાન્યુઆરીએ સવારે લગભગ 9:45 વાગ્યે પ્રધાનમંત્રી શૌર્ય યાત્રામાં ભાગ લેશે, જે સોમનાથ મંદિરની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપનારા અસંખ્ય યોદ્ધાઓના સન્માનમાં આયોજિત એક ઔપચારિક શોભાયાત્રા છે. શૌર્ય યાત્રામાં 108 અશ્વોની પ્રતીકાત્મક શોભાયાત્રાનો સમાવેશ થશે, જે બહાદુરી અને બલિદાનનું પ્રતીક છે. ત્યારબાદ સવારે આશરે 10:15 વાગ્યે પ્રધાનમંત્રી સોમનાથ મંદિરમાં દર્શન અને પ્રાર્થના કરશે. લગભગ 11 વાગ્યે, પ્રધાનમંત્રી સોમનાથ ખાતે એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને જનતાને સંબોધિત કરશે.

8 થી 11 જાન્યુઆરી, 2026 દરમિયાન સોમનાથમાં સોમનાથ સ્વાભિમા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ તે અસંખ્ય નાગરિકોને યાદ કરવા માટે આયોજિત કરવામાં આવી રહ્યું છે જેમને મંદિરના રક્ષણ માટે આપેલું બલિદાન આવનારી પેઢીઓની સાંસ્કૃતિક ચેતનાને પ્રેરણા આપતું રહેશે.

આ ઘટના 1026માં સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીના હુમલાની 1000મી વર્ષગાંઠ છે. સદીઓથી તેને નષ્ટ કરવાના વારંવાર પ્રયાસો છતાં, સોમનાથ મંદિર હજુ પણ સ્થિતિસ્થાપકતા, શ્રદ્ધા અને રાષ્ટ્રીય ગૌરવના શક્તિશાળી પ્રતીક તરીકે ઉભું છે, જે સામૂહિક સંકલ્પ અને તેને તેના પ્રાચીન ગૌરવમાં પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોને આભારી છે.

સ્વતંત્રતા પછી મંદિરના પુનર્નિર્માણ પ્રયાસની શરૂઆત સરદાર પટેલ દ્વારા કરવામાં આવી હતી. પુનઃસ્થાપનની આ યાત્રામાં સૌથી મહત્વપૂર્ણ સીમાચિહ્નો પૈકી એક 1951માં પ્રાપ્ત થયું હતું, જ્યારે ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની હાજરીમાં નવીનીકૃત સોમનાથ મંદિરને વિધિવત રીતે ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. 2026માં આ ઐતિહાસિક પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાથી સોમનાથ સ્વાભિમાન પર્વને વિશેષ મહત્વ મળે છે.

આ ઉત્સવમાં દેશભરમાંથી સેંકડો સંતો મંદિર સંકુલમાં 72 કલાક સુધી 'ઓમ'ના સતત જાપ સાથે ઉજવણીમાં ભાગ લેશે.

સોમનાથ સ્વાભિમાન પર્વમાં પ્રધાનમંત્રીની ભાગીદારી ભારતની સભ્યતાની સ્થાયી ભાવનાને રેખાંકિત કરે છે અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને જાળવવા અને ઉજવવા માટેની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
No listed bank has even 1% net NPA: A milestone for asset quality

Media Coverage

No listed bank has even 1% net NPA: A milestone for asset quality
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister invites citizens to share their UPI experiences as UPI completes a decade
August 25, 2026

The Prime Minister, Shri Narendra Modi recalled the transformative journey of the Unified Payments Interface (UPI), which was rolled out a decade ago and marked a major turning point in India’s digital payments journey.

Highlighting the scale and reach achieved by UPI over the past ten years, Shri Modi said that its remarkable journey is something every Indian can be proud of. The Prime Minister invited citizens to share their experiences of using UPI and how it has impacted their daily lives.

The Prime Minister posted on X:

A decade ago, UPI was rolled out, marking a major turning point in India’s digital payments journey.

The sheer scale and reach of UPI are something every Indian must be proud of.

Tell me about your UPI experience and how it impacted your life...

#10YearsOfUPI