પ્રધાનમંત્રી 600 પ્રધાન મંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું ઉદ્ઘાટન કરશે
ખેડૂતોની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા માટે ખાતરની છૂટક દુકાનોને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોમાં તબક્કાવાર રૂપાંતરિત કરવામાં આવશે
ખેડૂતોના કલ્યાણ પ્રત્યે પ્રધાનમંત્રીની સતત પ્રતિબદ્ધતાના પ્રતિબિંબમાં, પ્રધાનમંત્રી 16,000 કરોડ રૂપિયાના PM-KISAN ફંડ રિલીઝ કરશે
PM-KISAN હેઠળ અત્યાર સુધીમાં રૂ. 2 લાખ કરોડથી વધુના કુલ લાભો જાહેર કરવામાં આવ્યા છે
પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વારક પરિયોજના શરૂ કરશે - એક રાષ્ટ્ર એક ખાતર; યોજના હેઠળ, પ્રધાનમંત્રી ભારત યુરિયા બેગ લોન્ચ કરશે
કૃષિમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે, પીએમ એગ્રી સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17મી ઓક્ટોબરે ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન, નવી દિલ્હી ખાતે સવારે 11:30 વાગ્યે બે દિવસીય કાર્યક્રમ “PM કિસાન સન્માન સંમેલન 2022”નું ઉદ્ઘાટન કરશે.

આ ઈવેન્ટ દેશભરમાંથી 13,500થી વધુ ખેડૂતો અને લગભગ 1500 એગ્રી સ્ટાર્ટઅપ્સને એકસાથે લાવશે. વિવિધ સંસ્થાઓના 1 કરોડથી વધુ ખેડૂતો આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપે તેવી અપેક્ષા છે. સંમેલનમાં સંશોધકો, નીતિ નિર્માતાઓ અને અન્ય હિસ્સેદારોની ભાગીદારી પણ જોવા મળશે.

પ્રધાનમંત્રી રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળ 600 પ્રધાન મંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (PMKSK)નું ઉદ્ઘાટન કરશે. આ યોજના હેઠળ, દેશમાં ખાતરની છૂટક દુકાનોને તબક્કાવાર PMKSK માં રૂપાંતરિત કરવામાં આવશે. PMKSK ખેડૂતોની વિવિધ જરૂરિયાતો પૂરી કરશે અને કૃષિ-ઇનપુટ્સ (ખાતર, બિયારણ, ઓજારો) આપશે; માટી, બીજ, ખાતરો માટે પરીક્ષણ સુવિધાઓ; ખેડૂતોમાં જાગૃતિ પેદા કરવી; વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી પ્રદાન કરવી અને બ્લોક/જિલ્લા સ્તરના આઉટલેટ્સ પર રિટેલર્સની નિયમિત ક્ષમતા નિર્માણની ખાતરી કરાશે. 3.3 લાખથી વધુ છૂટક ખાતરની દુકાનોને PMKSKમાં રૂપાંતરિત કરવાની યોજના છે.

આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વારક પરિયોજના - વન નેશન વન ફર્ટિલાઇઝર લોન્ચ કરશે. આ યોજના હેઠળ, પ્રધાનમંત્રી ભારત યુરિયા બેગ્સ લોન્ચ કરશે, જે કંપનીઓને "ભારત" નામના સિંગલ બ્રાન્ડ નામ હેઠળ ખાતરનું માર્કેટિંગ કરવામાં મદદ કરશે.

ખેડૂતોના કલ્યાણ પ્રત્યે પ્રધાનમંત્રીની સતત પ્રતિબદ્ધતાના પ્રતિબિંબમાં, આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) હેઠળ 16,000 કરોડ રૂ.ની 12મા હપ્તાની રકમ જાહેર કરશે. યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને રૂ. 6000 પ્રતિ વર્ષ ત્રણ સમાન હપ્તામાં રૂ. 2000 નો દરેક લાભ આપવામાં આવે છે.અત્યાર સુધીમાં પાત્ર ખેડૂત પરિવારોને PM-KISAN હેઠળ 2 લાખ કરોડ રૂ.થી વધુના લાભો મળ્યા છે.

પ્રધાનમંત્રી એગ્રી સ્ટાર્ટઅપ કોન્ક્લેવ અને પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. લગભગ 300 સ્ટાર્ટઅપ્સ પ્રિસિઝન ફાર્મિંગ, પોસ્ટ-હાર્વેસ્ટ અને વેલ્યુ એડ સોલ્યુશન્સ, સંલગ્ન કૃષિ, વેસ્ટ ટુ વેલ્થ, નાના ખેડૂતો માટે મિકેનાઇઝેશન, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, આર્ગી-લોજિસ્ટિક વગેરેને લગતી તેમની નવીનતા પ્રદર્શિત કરશે. આ પ્લેટફોર્મ સ્ટાર્ટઅપ્સને ખેડૂતો, એફપીઓ, કૃષિ-નિષ્ણાતો, કોર્પોરેટ વગેરે સાથે વાર્તાલાપ કરવા માટે સુવિધા આપશે. સ્ટાર્ટઅપ્સ તેમનો અનુભવ પણ શેર કરશે અને તકનીકી સત્રોમાં અન્ય હિતધારકો સાથે વાર્તાલાપ કરશે.

આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી ખાતર પરનું ઈ-મેગેઝિન ‘ઈન્ડિયન એજ’ પણ લોન્ચ કરશે. તે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખાતરના દૃશ્યો પર માહિતી પ્રદાન કરશે, જેમાં તાજેતરના વિકાસ, ભાવ વલણોનું વિશ્લેષણ, ઉપલબ્ધતા અને વપરાશ, ખેડૂતોની સફળતાની વાર્તાઓ વગેરેનો સમાવેશ થાય છે.

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Rooftop solar, KUSUM account for 40% of Indias solar capacity additions in FY27 till July: Bernstein

Media Coverage

Rooftop solar, KUSUM account for 40% of Indias solar capacity additions in FY27 till July: Bernstein
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રી 27મી ઓગસ્ટે ખેલો ઈન્ડિયા ડાયલોગમાં યુવાનોને સંબોધિત કરશે
August 26, 2026
ખેલો ઈન્ડિયા ડાયલોગ રમતગમત, યુવા નેતૃત્વ, નાગરિક જવાબદારી, સ્વયંસેવા, ફિટનેસ અને રાષ્ટ્ર નિર્માણને એક સામાન્ય મંચ પર લાવશે
ખેલો ઈન્ડિયા ડાયલોગ અંતર્ગત યુવા સંવાદ પાંચ મુખ્ય થીમ પર ધ્યાન કેન્દ્રિત કરશે: રમતગમત, ઓલિમ્પિક આકાંક્ષાઓ, યુવા નેતૃત્વ, વિકસિત ભારત અને નશા મુક્ત યુવા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27મી ઓગસ્ટે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેલો ઈન્ડિયા ડાયલોગને સંબોધિત કરશે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય યુવાનોને ભારતની રમતગમતની યાત્રા સાથે જોડાવા, તેમની આકાંક્ષાઓ શેર કરવા અને મજબૂત યુવા સંચાલિત વિકસિત ભારત માટે વિચારોનું યોગદાન આપવામાં મદદ કરવાનો છે.

રાષ્ટ્રીય રમતગમત દિવસ 2026ની ઉજવણીના ભાગરૂપે મેરા યુવા ભારત (MY Bharat) દ્વારા આયોજિત આ કાર્યક્રમ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના દરેક જિલ્લાની બે કોલેજોમાં યુવાનોની ભાગીદારી સાથે દેશભરમાં યોજાશે. રાષ્ટ્રીય વિકાસ એજન્ડાના કેન્દ્રમાં યુવાનોની આકાંક્ષાઓને રાખીને ફિટ, શિસ્તબદ્ધ અને રમતગમત ધરાવતા રાષ્ટ્રના નિર્માણના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

દેશવ્યાપી ખેલો ઈન્ડિયા ડાયલોગ રમતગમત, યુવા નેતૃત્વ, નાગરિક જવાબદારી, સ્વયંસેવા, ફિટનેસ અને રાષ્ટ્ર નિર્માણને એક સામાન્ય મંચ પર લાવશે. તે યુવાનોને દેશની રમતગમતની આકાંક્ષાઓ સાથે સીધા જોડાવા માટે એક માધ્યમ પૂરું પાડશે, જ્યારે તેમના વિચારો અને દ્રષ્ટિકોણ ભારતની યુવા અને રમતગમત ઈકોસિસ્ટમ પર સતત ચાલતી ચર્ચાનો ભાગ બને તે સુનિશ્ચિત કરશે.

રાષ્ટ્રીય કાર્યક્રમ બાદ યુવા પ્રતિભાગીઓ, માય ભારત સ્વયંસેવકો, સ્થાનિક ખેલાડીઓ અને જનપ્રતિનિધિઓને આવરી લેતી સ્થાનિક ક્રિયાપ્રતિક્રિયાઓ થશે. આ પહેલની એક મુખ્ય વિશેષતા રમતગમતમાં રસ ધરાવતા યુવાનો અને ભારતના અગ્રણી ખેલાડીઓ તથા મેડલ વિજેતાઓ વચ્ચે સીધો સંવાદ હશે. કાર્યક્રમની એક મધ્યસ્થ વિશેષતા યુવા સંવાદ હશે જ્યાં યુવા પ્રતિભાગીઓને તેમના પોતાના વિચારો, દ્રષ્ટિકોણ અને આકાંક્ષાઓ વ્યક્ત કરવા માટે આમંત્રિત કરવામાં આવશે. આ સંવાદ પાંચ થીમની આસપાસ રચાયેલ હશે:

  • વધુ સારી સુવિધાઓ, કોચિંગ, સ્પોર્ટ્સ સાયન્સ અને સમાવેશી ભાગીદારી દ્વારા ભારતની રમતગમત ઈકોસિસ્ટમમાં સુધારો કરવો;
  • વૈજ્ઞાનિક ક્ષમતા ઓળખ, પારદર્શક પસંદગી અને લાંબા ગાળાના એથલીટ વિકાસ દ્વારા 2036 ઓલિમ્પિક માટે પ્રતિભાને પોષવી;
  • ગવર્નન્સ પ્લેટફોર્મ્સ અને માય ભારતની આગેવાની હેઠળની સ્વયંસેવા દ્વારા યુવા નેતાઓ તૈયાર કરવા;
  • નાગરિક માનસિકતા, ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યો અને સંરચિત સ્વયંસેવાના નિર્માણ દ્વારા વિકસિત ભારત માટે યુવાનોને સશક્ત બનાવવું;
  • નશા મુક્ત યુવા ચળવળને પ્રોત્સાહન આપવું જે નશાખોરી સામે લડવા માટે રમતગમત અને સમવયસ્ક નેટવર્કનો ઉપયોગ કરે છે, જેને 2 ઓગસ્ટ 2026ના રોજ શરૂ કરાયેલા પ્રધાનમંત્રીના 100-અઠવાડિયાના દેશવ્યાપી અભિયાન હેઠળ સાપ્તાહિક જન ભાગીદારી પ્રવૃત્તિઓ દ્વારા બળ મળે છે.