પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં ભારતનો અસાધારણ વિજય એ દેશના બહાદુર સૈનિકોની અસાધારણ વીરતા અને દેશભક્તિનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. તેમણે નોંધ્યું હતું કે દરેક નાગરિકને તેમના અદમ્ય સાહસ, દ્રઢ સંકલ્પ અને ફરજ પ્રત્યેની અતૂટ ભાવના પર ગર્વ છે.
પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું-
“उदीर्णमनसो योधा वाहनानि च भारत।
यस्यां भवन्ति सेनायां ध्रुवं तस्यां जयं वदेत्।। ”
#OperationSindoor
સુભાષિત એવો ભાવ વ્યક્ત કરે છે કે જે સૈન્યના સૈનિકો પ્રેરિત, સાહસિક અને ઉચ્ચ મનોબળ ધરાવતા હોય, તેની સાથે શ્રેષ્ઠ સૈન્ય સંસાધનો હોય, તે સૈન્ય નિશ્ચિતપણે વિજય પ્રાપ્ત કરે છે.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
"ઓપરેશન સિંદૂરમાં ભારતનો અસાધારણ વિજય આપણા બહાદુર સૈનિકોની અસાધારણ બહાદુરી અને દેશભક્તિનું પ્રેરણાદાયક ઉદાહરણ છે. દેશના દરેક નાગરિકને તેમની અદમ્ય હિંમત, દૃઢ નિશ્ચય અને ફરજ પ્રત્યેની નિષ્ઠા પર ગર્વ છે."
उदीर्णमनसो योधा वाहनानि च भारत।
यस्यां भवन्ति सेनायां ध्रुवं तस्यां जयं वदेत्।।
#OperationSindoor”
ऑपरेशन सिंदूर में भारत को मिली असाधारण विजय हमारे वीर सैनिकों के अद्भुत पराक्रम और देशभक्ति की प्रेरक मिसाल है। उनके अदम्य साहस, दृढ़ संकल्प और कर्तव्यनिष्ठा पर हर देशवासी को गर्व है।
— Narendra Modi (@narendramodi) May 7, 2026
उदीर्णमनसो योधा वाहनानि च भारत।
यस्यां भवन्ति सेनायां ध्रुवं तस्यां जयं वदेत्।।… pic.twitter.com/SBZ9EyjIP6




