પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા વિદ્યાર્થીઓ અસાધારણ પ્રતિભાથી સંપન્ન છે અને તેમના સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. તેમણે નોંધ્યું કે પરીક્ષા પે ચર્ચાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વ્યક્તિગત વિકાસ અને સફળતા માટે તેમની ક્ષમતાઓ અને કુશળતાનો અર્થપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવાનો છે.
પ્રધાનમંત્રીએ આ પ્રસંગે સંસ્કૃત સુભાષિત શેર કર્યું -
“विद्या वितर्को विज्ञानं स्मृतिस्तत्परता क्रिया। यस्यैते षड्गुणास्तस्य नासाध्यमतिवर्तते॥”
સુભાષિતમ દર્શાવે છે કે જ્ઞાન, તર્ક, વિજ્ઞાન, યાદશક્તિ, તત્પરતા અને પ્રવૃત્તિ ધરાવનાર વ્યક્તિ કોઈપણ પડકારને પાર કરી શકે છે, અને આવા વ્યક્તિ માટે કંઈ પણ અશક્ય નથી.
પ્રધાનમંત્રીએ લખ્યું
"આપણા વિદ્યાર્થીઓ, જે અદ્ભુત પ્રતિભાશાળી છે, તેમના સપનાઓને સાકાર કરવાની ક્ષમતા ધરાવે છે. 'પરીક્ષા પે ચર્ચા'નો ઉદ્દેશ્ય તેમને બતાવવાનો છે કે તેઓ તેમની પ્રતિભા અને કુશળતાનો અર્થપૂર્ણ રીતે કેવી રીતે ઉપયોગ કરી શકે છે.
विद्या वितर्को विज्ञानं स्मृतिस्तत्परता क्रिया।
यस्यैते षड्गुणास्तस्य नासाध्यमतिवर्तते॥”
अद्भुत प्रतिभा के धनी हमारे विद्यार्थियों में अपने सपनों को सच करने की पूरी क्षमता है। 'परीक्षा पे चर्चा' का उद्देश्य भी यही है कि कैसे वे अपनी प्रतिभा और कौशल का सार्थक इस्तेमाल कर सकते हैं।
— Narendra Modi (@narendramodi) February 9, 2026
विद्या वितर्को विज्ञानं स्मृतिस्तत्परता क्रिया।
यस्यैते षड्गुणास्तस्य… pic.twitter.com/7QajrvogC5


