મહામહિમ રાષ્ટ્રપતિ શી,
મહામહિમ રાષ્ટ્રપતિ રામાફોસા,
મહામહિમ રાષ્ટ્રપતિ બોલ્સોનારો,
મહામહિમ રાષ્ટ્રપતિ પુતિન,

સૌ પ્રથમ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે, હું તમામ બ્રિક્સ દેશોમાં યોજાયેલા અદભૂત કાર્યક્રમો માટે આપ સૌને અભિનંદન આપું છું. આપ સૌની ટીમો તરફથી અમને જે સમર્થન મળ્યું છે તેના માટે પણ હું આભાર વ્યક્ત કરવા માંગુ છું.

મહાનુભાવો,

આજે સતત ત્રીજા વર્ષે, આપણે કોવિડ રોગચાળાના પડકારો વચ્ચે વર્ચ્યુઅલ રીતે મળી રહ્યા છીએ.

ભલે વૈશ્વિક સ્તરે રોગચાળાનું પ્રમાણ પહેલા કરતા ઓછું થયું હોય, પરંતુ તેની ઘણી ખરાબ અસરો હજુ પણ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં દેખાઈ રહી છે.

આપણે, બ્રિક્સના સભ્ય દેશો, વૈશ્વિક અર્થતંત્રના શાસન વિશે ખૂબ જ સમાન દ્રષ્ટિકોણ ધરાવીએ છીએ.

અને તેથી આપણો પરસ્પર સહકાર કોવિડ પછીની વૈશ્વિક પુનઃપ્રાપ્તિમાં ઉપયોગી યોગદાન આપી શકે છે.

વર્ષોથી, આપણે બ્રિક્સમાં સંખ્યાબંધ સંસ્થાકીય સુધારા કર્યા છે, જેણે આ સંગઠનની અસરકારકતામાં વધારો કર્યો છે.

એ પણ ખુશીની વાત છે કે આપણી ન્યુ ડેવલપમેન્ટ બેંકની મેમ્બરશીપ પણ વધી છે.

એવા ઘણા ક્ષેત્રો છે જ્યાં આપણા નાગરિકોના જીવનને આપણા પરસ્પર સહયોગથી સીધો લાભ મળી રહ્યો છે.

ઉદાહરણ તરીકે, રસીના R&D કેન્દ્રની સ્થાપના, કસ્ટમ વિભાગો વચ્ચે સંકલન, વહેંચાયેલ ઉપગ્રહ સમૂહની સ્થાપના, ફાર્મા ઉત્પાદનો માટે પરસ્પર માન્યતા વગેરે.

આવા વ્યવહારુ પગલાં બ્રિક્સને એક અનન્ય આંતરરાષ્ટ્રીય સંગઠન બનાવે છે જેનું ધ્યાન માત્ર સંવાદ પૂરતું મર્યાદિત નથી.

બ્રિક્સ યુથ સમિટ, બ્રિક્સ સ્પોર્ટ્સ અને આપણા નાગરિક સમાજના સંગઠનો અને થિંક-ટેન્ક વચ્ચેના આદાન-પ્રદાનમાં વૃદ્ધિએ આપણા લોકો-થી-લોકોના સંપર્કને મજબૂત બનાવ્યો છે.

મને વિશ્વાસ છે કે આજની ચર્ચા આપણા બ્રિક્સ સંબંધોને વધુ મજબૂત કરવા માટે ઘણા સૂચનો લાવશે.

આભાર.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Gwalior To Get India's First Telecom Manufacturing Zone; Rs 9,000 Crore Investment, 10,000 Jobs Expected

Media Coverage

Gwalior To Get India's First Telecom Manufacturing Zone; Rs 9,000 Crore Investment, 10,000 Jobs Expected
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tribute to Munshi Premchand on his birth anniversary
July 31, 2026

The Prime Minister, Shri Narendra Modi, paid tributes to renowned litterateur Munshi Premchand on his birth anniversary.

The Prime Minister said that through his timeless literary works, Munshi Premchand gave a powerful expression to human emotions that continues to remain relevant even today. He also noted his invaluable contribution in bringing the literary heritage of Kashi, his birthplace and karmabhoomi, to global recognition.

Shri Modi said that Munshi Premchand’s immortal literature, rooted in realism and social equality, will continue to inspire the people of the country.

The Prime Minister wrote on X;

“महान कथाकार मुंशी प्रेमचंद जी को उनकी जन्म-जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। अपनी कालजयी रचनाओं के माध्यम से उन्होंने मानवीय संवेदनाओं को ऐसी सशक्त अभिव्यक्ति दी, जो आज भी प्रासंगिक है। अपनी जन्मभूमि और कर्मभूमि काशी की साहित्यिक विरासत को विश्व पटल पर पहचान दिलाने में भी उनका अमूल्य योगदान रहा है। यथार्थ और सामाजिक समानता पर आधारित उनका अमर साहित्य देशवासियों के लिए सदैव प्रेरणा का स्रोत बना रहेगा।”