“આ એક્સ્પો UAE અને દુબઇ સાથે આપણા ઘનિષ્ઠ અને ઐતિહાસિક સંબંધોનું વધુ નિર્માણ કરવામાં અને ઘણો ઉપયોગી થશે”
“આ એક્સ્પો સદીમાં એકાદ વખત આવતી મહામારી સામે માનવજાતના દૃઢ મનોબળનો પૂરાવો છે”
“ભારત તમને મહત્તમ વિકાસ આપે છે. વ્યાપકતામાં વિકાસ, મહત્વાકાંક્ષામાં વિકાસ, પરિણામોમાં વિકાસ. ભારત પધારો અને વિકાસ ગાથાનો હિસ્સો બનો”
“અમારો આર્થિક વિકાસ વારસાગત ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપ્સના સંયોજનથી સંચાલિત છે”
“છેલ્લા સાત વર્ષમાં, ભારત સરકારે આર્થિક વિકાસને વેગવાન કરવા માટે કેટલાય સુધારા હાથ ધર્યા છે. આ વલણને એકધારું જાળવી રાખવા માટે અમે હજુ ઘણું કરીશું”

એક્સ્પો 2020 દુબઇમાં ભારતીય પેવેલિયનને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા સંદેશ દરમિયાન આ એક્સ્પોને ઐતિહાસિક ગણાવીને કહ્યું હતું કે, “મધ્યપૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયા પ્રદેશમાં યોજાનારો આ પ્રથમ એક્સ્પો છે. મને ખાતરી છે કે, UAE અને દુબઇ સાથે આપણા ઘનિષ્ઠ અને ઐતિહાસિક સંબંધોનું વધુ આગળ નિર્માણ કરવા માટે આ એક્સ્પો ઘણો ઉપયોગી થશે.” પ્રધાનમંત્રીએ UAEના રાષ્ટ્રપતિ અને અબુધાબીના રાજા મહામહિમ શેખ ખલીફા બિન ઝાયેદ બિન અલ ન્હાયન, UAEના પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિ તેમજ દુબઇના રાજા શેખ મોહંમદ બીન રશીદ અલ મક્તૌમનું અભિવાદન કર્યું હતું. પ્રધાનમંત્રીએ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શેખ મોહંમદ બિન ઝાયેદ અલ ન્હાયનને પણ શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, “આપણી વ્યૂહાત્મક ભાગીદારીમાં જે પ્રગતિ પ્રાપ્ત થઇ છે તેમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. બંને દેશોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે હું તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે તત્પર છુ.”

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, એક્સ્પો 2020ની મુખ્ય થીમ છે: મનને જોડવા, ભવિષ્યનું નિર્માણ કરવું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “અમે જ્યારે નવા ભારતનું સર્જન કરવાની દિશામાં આગળ વધીએ ત્યારે આ થીમની આ ભાવના ભારતના પ્રયાસોમાં જોવા મળે છે. આ એક્સ્પો સદીમાં એકાદ વખત આવતી મહામારી સામે માનવજાતના દૃઢ મનોબળનો પૂરાવો છે.”

ભારતના પેવેલિયનની થીમ ‘નિખાલતા, તક અને વિકાસ’નો સંદર્ભ ટાંકતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, આજનું ભારત દુનિયામાં સૌથી વધારે મુક્ત અને નિખાલસ દેશોમાંથી એક છે, તે શીખવા માટે નિખાલસ છે, દૃશ્ટિકોણ માટે નિખાલસ છે, રોકાણ માટે નિખાલસ છે. પ્રધાનમંત્રીએ રોકાણકારોને આમંત્રણ પાઠવતા જણાવ્યું હતું કે, “ભારત તમને મહત્તમ વિકાસ પણ આપે છે. વ્યાપકતામાં વિકાસ, મહત્વાકાંક્ષામાં વિકાસ, પરિણામોમાં વિકાસ. ભારત પધારો અને અમારી વિકાસ ગાથાનો હિસ્સો બનો.”

ભારતની જીવંતતા અને વિવિધતા અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત કૌશલ્યનું પાવરહાઉસ છે અને ટિપ્પણી કરી હતી કે, ભારત ટેકનોલોજી, સંશોધન અને આવિષ્કારની દુનિયામાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, “અમારો આર્થિક વિકાસ વારસાગત ઉદ્યોગો અને સ્ટાર્ટ-અપ્સના સંયોજનથી સંચાલિત છે. ભારતનું પેવેલિયન આ વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ રજૂઆત કરશે. છેલ્લા સાત વર્ષમાં ભારત સરકારે અર્થતંત્રની વૃદ્ધિને વેગવાન કરવા માટે સંખ્યાબંધ સુધારા હાથ ધર્યા છે.” તેમણે ઉમર્યું હતું કે, “અમે આ વલણને એકધારું જાળવી રાખવા માટે હજુ ઘણું કરીશું.”

Click here to read PM's speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Enclosures Along Kartavya Path For R-Day Parade Named After Indian Rivers

Media Coverage

Enclosures Along Kartavya Path For R-Day Parade Named After Indian Rivers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
The Beating Retreat ceremony displays the strength of India’s rich military heritage: PM
January 29, 2026
Prime Minister shares Sanskrit Subhashitam emphasising on wisdom and honour in victory

The Prime Minister, Shri Narendra Modi, said that the Beating Retreat ceremony symbolizes the conclusion of the Republic Day celebrations, and displays the strength of India’s rich military heritage. "We are extremely proud of our armed forces who are dedicated to the defence of the country" Shri Modi added.

The Prime Minister, Shri Narendra Modi,also shared a Sanskrit Subhashitam emphasising on wisdom and honour as a warrior marches to victory.

"एको बहूनामसि मन्य ईडिता विशं विशं युद्धाय सं शिशाधि।

अकृत्तरुक्त्वया युजा वयं द्युमन्तं घोषं विजयाय कृण्मसि॥"

The Subhashitam conveys that, Oh, brave warrior! your anger should be guided by wisdom. You are a hero among the thousands. Teach your people to govern and to fight with honour. We want to cheer alongside you as we march to victory!

The Prime Minister wrote on X;

“आज शाम बीटिंग रिट्रीट का आयोजन होगा। यह गणतंत्र दिवस समारोहों के समापन का प्रतीक है। इसमें भारत की समृद्ध सैन्य विरासत की शक्ति दिखाई देगी। देश की रक्षा में समर्पित अपने सशस्त्र बलों पर हमें अत्यंत गर्व है।

एको बहूनामसि मन्य ईडिता विशं विशं युद्धाय सं शिशाधि।

अकृत्तरुक्त्वया युजा वयं द्युमन्तं घोषं विजयाय कृण्मसि॥"