75 episodes of Mann Ki Baat: PM Modi thanks people for making the programme a success
Last year around this time, people made Janata Curfew a success: PM Modi Through efforts like clapping, beating thalis and lighting lamps, people encouraged the Corona Warriors: PM Modi
It is a matter of pride that the world's largest vaccination drive is being carried out in India: PM Modi
From education to entrepreneurship, Armed Forces to Science & Technology, the daughters of our country are leading in every sphere: PM Modi
71 Light Houses have been identified in India to promote tourism: PM Modi
Modernisation in India's agriculture sector is need of the hour: PM Modi
Urge farmers to practice bee-farming: PM Modi

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર, આ વખતે, જયારે હું મનકી બાત માટે જે પણ પત્રો આવે છે, ટીપ્પણીઓ આવે છે, જાત-જાતના ઇન્ – પુટ્સ મળે છે, તેમના ઉપર નજર ફેરવી રહ્યો હતો, તો કેટલાય લોકોએ એક બહુ મહત્વની વાત યાદ કરી. માય ગોવ પર આર્યન, બેંગલુરૂથી અનૂપ રાવ, નોયડાથી દેવેશ, થાણેથી સુજીત, આ બધાંએ કહ્યું કે મોદીજી આ વખતે મનકી બાતની પંચોતેરમી કડી છે. એ માટે આપને અભિનંદન. હું આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપે આટલી બારીકાઇથી મનકી બાદને ફોલો કરી છે અને આપ જોડાયેલા રહ્યા છો. આ મારા માટે પણ બહુ જ ગર્વની બાબત છે. આનંદની બાબત છે, મારા તરફથી પણ આપને ધન્યવાદ છે જ, સાથે મનકી બાતના બધા શ્રોતાઓનો પણ આભાર વ્યક્ત કરૂં છું, કેમ કે આપના સાથ વિના આ સફર શક્ય જ નહોતી. એવું લાગે છે, જાણે આ કાલની જ વાત હોય, જયારે આપણે સૌએ સાથે મળીને આ વૈચારિક સફર શરૂ કરી હતી. ત્યારે 3 ઓકટોબર 2014ના રોજ વિજયદશમીનું પાવન પર્વ હતું અને સંજોગ જુઓ કે આજે હોલિકા દહન છે. ‘એક દીવાથી પ્રગટે બીજો, અને રાષ્ટ્ર રોશન થાય આપણું’ – આ ભાવનાથી ચાલતાં – ચાલતાં આપણે આ મઝલ કાપી છે. આપણે દેશના ખૂણેખૂણેથી લોકો સાથે વાત કરી અને તેમનાં અસામાન્ય કાર્યો વિષે જાણ્યું છે. આપણે પણ અનુભવ કર્યો હશે કે આપણા દેશના અંતરિયાળ ખૂણામાં પણ કેટલી અભૂતપૂર્વ ક્ષમતા પડેલી છે! ભારત માતાના ખોળામાં કેવાં કેવાં રત્નો ઉછરી રહ્યાં છે. મારા માટે તો તે પોતે પણ સમાજ પ્રત્યે જોવાનો, સમાજને જાણવાનો, સમાજના સામર્થ્યને ઓળખવાનો એક અદભૂત અનુભવ રહ્યો છે. આ 75 હપ્તાઓ(કડીઓ) દરમ્યાન કેટ-કેટલા વિષયોમાં પસાર થવાનું રહ્યું!? કયારેક નદીની વાત, તો કયારેક હિમાલયના શીખરોની વાત, તો ક્યારેક રણની વાત, કયારેક કુદરતી આફની વાત, તો કયારેક માનવ-સેવાની અગણિત ગાથાઓની અનુભૂતિ, કયારેક ટેકનોલોજીની નવી શોધ, તો કયારેક કોઇ અજાણ્યા ખૂણામાં, કંઇક નવું કરી બતાવનારા કોઇના અનુભવની ગાથા. હવે તમે જ જુઓ, શું સ્વચ્છતાની વાત હોય, કે પછી આપણા વારસાના જતનની ચર્ચા હોય, એટલું જ નહીં, રમકડાં બનાવવાની વાત હોય, તેમાં શું શું નહોતું!? કદાચ, (ગણતરી કરીએ કે) કેટલા વિષયોને આપણે સ્પર્શ્યા છીએ, તો તે પણ કદાય અગણિત બની જશે. (ગણ્યા ગણાય નહીં તેટલા હશે.) આ દરમ્યાન, જેમણે ભારતના ઘડતરમાં અતુલ્ય યોગદાન આપ્યું છે તેવી મહાન વિભૂતીઓને સમય-સમય પર શ્રદ્ધાંજલિ આપી, તેમના વિષે જાણ્યું છે. આપણે લોકોએ કેટલાય વૈશ્વિક મુદ્દા ઉપર પણ વાત કરી, તેમાંથી પ્રેરણા લેવાના પ્રયત્નો કર્યા છે. કેટલીયે બાબતો તમે મને બતાવી, કેટલાય ideas આપ્યા. આ રીતે આ વિચાર યાત્રામાં તમે સાથે-સાથે ચાલતા રહ્યા, જોડાતા રહ્યા અને કંઇકને કંઇક નવું ઉમેરતા પણ રહ્યા. આજે આ 75મી કડીના પ્રસંગે સૌથી પહેલા મનકી બાતને સફળ બનાવવા બદલ, સમૃદ્ધ કરવા બદલ અને તેની સાથે જોડાયેલા રહવા બદલ, હું દરેક શ્રોતનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરૂં છું.

મારા વ્હાલા દેશવાલીઓ, જુઓ કેટલો મોટો સુખદ સંયોગ છે કે આજે મને 75મી મનકી બાત કરવાની તક અને આ જ મહિનો આઝાદીના 75 વર્ષના ‘અમૃત મહોત્સવ’ના આરંભનો મહિનો. અમૃત મહોત્સવ દાંડીકૂચના દિવસથી શરૂ થયો હતો અને 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે. અમૃત મહોત્સવને લગતા કાર્યક્રમો સતત પૂરા દેશમાં થઇ રહ્યા છે. અલગ અલગ સ્થળોથી આ કાર્યક્રમોની તસવીરો, માહિતી લોકો share કરી રહ્યા છે, નમો એપ પર એવી જ કેટલીક તસવીરોની સાથે ઝારખંડના નવીનજીએ મને એક સંદેશો મોકલ્યો છે. તેમણે લખ્યું છે કે તેમણે અમૃત મહોત્સવના કાર્યક્રમો જોયા અને નક્કી કર્યું કે તેઓ પણ સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલાં ઓછામાં ઓછાં 10 સ્થાને જશે. તેમની યાદીમાં પહેલું નામ, ભગવાન બિરસા મુંડાના જન્મસ્થાનનું છે. નવીનજીએ લખ્યું છે કે ઝારખંડના આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓની ગાથાઓ તેઓ દેશના બીજા ભાગોમાં પણ પહોંચાડશે. ભાઇ નવીન, તમારા આ વિચાર માટે હું તમને અભિનંદન આપું છું.

સાથીઓ, કોઇ સ્વતંત્રતા સેનાનીની સંઘર્ષ કથા હોય, કોઇ સ્થળનો ઇતિહાસ હોય, દેશની કોઇક સંસ્કૃતિક ગાથા હોય, અમૃત મહોત્સવ દરમ્યાન આપ તેને દેશ સમક્ષ લાવી શકો છો. દેશવાસીઓને તેની સાથે જોડવાનું માધ્યમ બની શકો છો. તમે જોજો, જોત-જોતામાં અમૃત મહોત્સવ આવાં કેટલાંય પ્રેરણાદાયક અમૃતબિંદુઓથી ભરાઇ જશે, અને પછી એવી અમૃતધારા વહેશે જે આપણને આઝાદીનાં સો વર્ષ સુધી પ્રેરણા આપતી રહેશે. દેશને નવી ઉંચાઇએ લઇ જશે, કંઇકને કંઇક કરવાનો જુસ્સો જન્માવશે. સ્વતંત્રતા સંગ્રામમાં આપણા સેનાનીઓએ અનેક કષ્ટ એટલા માટે સહ્યાં, કેમ કે, તેઓ દેશ માટે ત્યાગ અને બલિદાનને પોતાનું કર્તવ્ય સમજતા હતા. તેઓના ત્યાગ અને બલિદાનની અમરકથાઓ હવે આપણને કર્તવ્ય માર્ગ માટે સતત પ્રેરિત કરે અને જેમ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે :

નિયતમ્ કુરૂ કર્મ ત્વમ્,

કર્મ જયાયો હયકર્મણ:

તેમ, તે જ ભાવથી, આપણે બધાં, પોતાનાં નિયત કર્તવ્યોનું પૂરી નિષ્ઠાથી પાલન કરીએ. અને આઝાદીના અમૃત મહોત્સવનો અર્થ જ એ છે કે આપણે નવા સંકલ્પો કરીએ. તે સંકલ્પોને સિદ્ધ કરવા માટે તન-મનથી મચી પડીએ અને સંકલ્પો એવા હોય કે જે સમાજની ભલાઇના હોય, દેશના ભલા માટેના હોય, દેશના ઉજ્જવળ ભવિષ્ય માટેના હોય. અને સંકલ્પ એવો હોય કે જેમાં મારે, પોતાના ભાગે, ખુદે કંઇકને કંઇક કરવાનું હોય, મારૂં પોતાનું કર્તવ્ય જોડાયેલું હોય. મને વિશ્વાસ છે, ગીતાને જીવવાનો આ સોનેરી અવસર, આપણા લોકો પાસે છે.

મારા પ્રિય દેશવાસીઓ, ગયા વર્ષે આ માર્ચનો જ મહિનો હતો, દેશે પહેલી વાર, જનતાકર્ફ્યૂ શબ્દ સાંભળ્યો હતો. પરંતુ આ મહાન દેશની મહાન પ્રજાની, મહાશક્તિનો અનુભવ જુઓ. જનતા કરફયુ પૂરા વિશ્વ માટે એક આશ્ચર્ય બની ગયો હતો. શિસ્તનું એ અભૂતપૂર્વ ઉદાહરણ હતું. ભાવી પેઢીઓ આ એક વાતને લઇને ચોક્કસ ગર્વ લેશે. એ જ રીતે આપણા કોરોના વોરિયર્સ(યોદ્ધાઓ) પ્રત્યે સન્માન, આદર, થાળી વગાડવી, તાળી પાડવી, દિવા પ્રગટાવવાને ગણાય.. તમને ખ્યાલ નથી કે કોરોના વોરિયર્સના દિલોને તે કેટલું સ્પર્શી ગ્યું હતું ! અને આજ કારણ છે કે તેઓ આખું વરસ, થાક્યા વગર, અટક્યા વિના, (સેવા કરતા રહ્યા) અડગ રગ્યા. દેશના એકેએક નાગરિકનું જીવન બચાવવા તન-મનથી ઝઝૂમતા રહ્યા. ગયા વર્ષે આ સમયે સવાલ હતો કે કોરોનાની રસી ક્યાં સુધીમાં આવશે ? સાથીઓ, આપણા બધાં માટે ગર્વની બાબત છે કે આજે ભારત, દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ચલાવી રહ્યો છે. રસીકરણ કાર્યક્રમની તસવીરો વિષે મને ભૂવનેશ્વરનાં પુષ્પા શુકલાજીએ લખ્યું છે. તેમનું કહેવું છે કે ઘરનાં વડીલો-વૃદ્ધોમાં રસીને લઇને જે ઉત્સાહ જોવા મળે છે, તેની ચર્ચા હું મનકી બાતમાં કરૂં. વાત સાચી પણ છે સાથીઓ, દેશના ખૂણેખૂણાથી આપણે એવા સમાચાર સાંભળીએ છીએ, એવી તસવીરો જોઇ રહ્યાં છીએ જે આપણા હૃદયને સ્પર્શી જાય છે. ઉત્તરપ્રદેશના જૌનપુરના 109 વર્ષના વયોવૃદ્ધ માજી રામદુલૈયાજીએ રસી લીધી છે. એ જ રીતે દિલ્હીમાં પણ 107 વર્ષનાં કેવલકૃષ્ણાજીએ, વેક્સિનનો ડોઝ લીધો છે. હૈદરાબાદમાં 100 વરસના જય ચૌધરીજીએ રસી મૂકાવી છે અને સૌને અપીલ પણ છે કે રસી અવશ્ય લો. ટ્વીટર-ફેસબુક પર પણ હું જોઇ રહ્યો છું કે કેવી રીતે લોકો પોતાના ઘરનાં વડિલોને રસી અપાવ્યા પછી તેમના ફોટો અપલોડ કરી રહ્યાં છે. કેરળના એક યુવાન, આનંદન નાયરે તો તેને એક નવો શબ્દ આપ્યો છે – ‘વેક્સિન સેવા’. એવા જ સંદેશ દિલ્હીથી શિવાની, હિમાચલથી હિમાંશું અને અન્ય કેટલાય યુવાનોએ પણ મોકલ્યા છે. હું, આપ સૌ શ્રોતાઓના આ વિચારોની પ્રશંશા કરું છું. આ બધાં વચ્ચે કોરોના સામેની લડાઇનો મંત્ર પણ ચોક્કસ યાદ રાખો કે – દવા પણ - સખ્તાઇ પણ. અને ‘ મારે ફક્ત બોલવાનું છે ’ એવું નહિં. આપણે જીવવાનું પણ છે. બોલવાનું પણ છે, કહેવાનું પણ છે અને લોકોનેય ‘ દવા પણ – કડકાઇ પણ ’ એ માટે કટીબદ્ધ કરતા રહેવાનું છે.

મારા પ્રિય દેશવાસીઓ, મારે આજે ઇન્દોરનાં રહેવાસી સૌમ્યાજીને ધન્યવાદ આપવા છે. તેમણે એક વિષય પ્રત્યે મારૂં ધ્યાન ખેંચ્યું છે, અને તેનો ઉલ્લેખ મનકી બાતમાં કરવાનું કહ્યું છે. આ વિષય છે – ભારતનાં ક્રિકેટર મીતાલી રાજજીનો નવો રેકોર્ડ. મિતાલીજી તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દસ હજાર રન બનાવનારાં પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બન્યાં છે. તેમની આ સિદ્ધિ બદલ તેમને ખૂબખૂબ અભિનંદન. (વન ડે ઇન્ટરનેશનલ) એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં સાત હજાર રન કરનારાં પણ તેઓ એકમાત્ર આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડી છે. મહિલા ક્રિકેટ ક્ષેત્રે તેમનું યોગદાન બહુ શાનદાર છે. બે દાયકાથી વધુની કારકિર્દીમાં મિતાલી રાજજીએ હજારો – લાખોને પ્રેરિક કર્યા છે. તેમના કઠોર પરિશ્રમ અને સફળતાની ગાથા, માત્ર મહિલા ક્રિકેટરો માટે જ નહિં, બલ્કે પુરૂષ ક્રિકેટરો માટે પણ એક પ્રેરણા છે.

સાથીઓ, એ વાત પણ રસપ્રદ છે કે આ જ માર્ચના મહિનામાં આપણે જયારે મહિલા દિવસ ઉજવી રહ્યા છીએ, ત્યારે અનેક મહિલા ખેલાડીઓએ ચંદ્રકો અને વિક્રમો પોતાના નામે કર્યા છે. દિલ્હીમાં નિશાનેબાજીમાં આયોજીત ISSF વિશ્વકપમાં ભારત ટોચ પર રહ્યું. સુવર્ણચંદ્રકની સંખ્યાની બાબતમાં ભારતે બાજી મારી. ભારતનાં મહિલા અને પુરૂષ નિશાનેબાજોના શાનદાર પ્રદર્શનના કારણે જ આ શક્ય બની શક્યું. તેની વચ્ચે પી.વી.સિંધુજીએ BWF સ્વીસ ઓપન સુપર 300 ટુર્નામેન્ટમાં રજતચંદ્રક જીત્યો છે. આજે શિક્ષણથી લઇને ઉદ્યોગસાહસિકતા સુધી, સશસ્ત્ર સેનાથી લઇને વિજ્ઞાન અને ટેકનોલોજી સુધી, દરેક જગ્યાએ દેશની દીકરીઓ પોતાની અલગ ઓળખ ઉભી કરી રહી છે, મને વધારે આનંદ એ વાતનો છે કે દીકરીઓ, રમતોમાં પોતાનો એક નવો મુકામ સ્થાપી રહી છે. વ્યાવસાયિક પસંદના રૂપમાં રમતગમત એક નવી પસંદ બનીને ઉપસી રહી છે.

મારા વ્હાલા દેશવાસીઓ, થોડા સમય પહેલાં યોજાયેલી વહાણવટા ભારત શિખર પરિષદ તમને યાદ છે ને ? આ શિખર પરિષદમાં મેં શું કહ્યું હતું, તે તમને યાદ છે ? સ્વાભાવિક છે આટલા બધા કાર્યક્રમો યોજાતા રહે છે, આટલી બધી બાબતો બનતી રહે છે, તેમાં દરેક બાબત ક્યાં યાદ રહે છે ? અને એટલું ધ્યાન પણ કયાં જાય છે ? આ સ્વાભાવિક છે. પરંતુ, મને સારૂં લાગ્યું કે મારા એક આગ્રાહને ગુરૂપ્રસાદજીએ બહુ રસ લઇને આગળ વધાર્યો છે. આ શિખર સંમેલનમાં મેં દેશના દીવાદાંડી સંકુલોની આસપાસ પ્રવાસન સુવિધાઓ વિકસાવવા બાબતે વાત કરી હતી. ગુરૂપ્રસાદજીએ તમિલનાડુની બે દિવાદાંડી – ચેન્નાઇ લાઇટ હાઇસ અને મહાબલીપુરમ લાઇટ હાઉસની પોતાની 2019ની મુલાકાતના અનુભવો જણાવ્યા છે. તેમણે બહુ રસપ્રદ હકીકતો જણાવી છે, જે મનકી બાત સાંભળનારાને પણ નવાઇ પમાડશે. જેમ કે, ચેન્નાઇ લાઇટ હાઉસ દુનિયાની પસંદગીની દિવાદાંડીઓમાંથી એક છે જેમાં એલિવેટર ઉપલબ્ધ છે, એટલું જ નહિં, ભારતનું તે એકમાત્ર લાઇટહાઉસ છે, જે શહેરની સરહદની અંદર આવેલું છે. તેમાં વીજળી માટે સૌર પેનલ લગાવેલી છે. ગુરૂપ્રસાદજીએ દિવાદાંડીના વિરાસત સંગ્રહાલય વિષે પણ વાત કરી, જે દરિયાઇ માર્ગ પરિવહનના ઇતિહાસને પણ સામે લાવે છે. આ સંગ્રહાલયમાં તેલથી સળગતી મોટી મોટી બત્તીઓ, કેરોસીનની બત્તીઓ, પેટ્રોલિયમ ગેસ અને જૂના સમયમાં વપરાતા વીજળીના ગોળા પ્રદર્શિત કરેલા છે. ભારતની સૌથી પ્રાચીન મહાબલીપુરમ લાઇટ હાઇસ વિષે પણ ગુરૂપ્રસાદજીએ સવિસ્તર લખ્યું છે. એમનું કહેવું છે કે દિવાદાંડીની બાજુમાં સેંકડો વર્ષ પહેલાં પલ્લવ રાજા મહેન્દ્ર વર્મન પ્રથમ દ્વારા બનાવવામાં આવેલું ઉન્નાકનેસ્વરા મંદિર છે.

સાથીઓ, મનકી બાત દરમ્યાન, મેં પ્રવાસનના વિવિધ પાસાંઓ વિષે અનેક વખત વાત કરી છે. પરંતુ આ દિવાદાંડીઓ પ્રવાસનની દ્રષ્ટિએ અજોડ હોય છે. પોતાની ભવ્ય બાંધણીના કારણે દિવાદાંડીઓ હંમેશા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારતમાં પણ 71 દિવાદાંડીઓ અલગ તારવવામાં આવી છે. આ તમામ દિવાદાંડીઓમાં તેમની ક્ષમતા મુજબ સંગ્રહાલય, એમ્ફી થિયેટર, ઓપન એર થિયેટર, અલ્પાહારગૃહ, બાળઉદ્યાન, પર્યાવરણ સાનુકૂળ નિવાસગૃહો અને કુદરતી સૌંદર્ય સ્થળ તેયાર કરવામાં આવશે. જયારે દિવાદાંડીની વાત થઇ રહી છે તો હું એક અજોડ દિવાદાંડી વિષે આપને પણ જણાવવા ઇચ્છીશ. આ દિવદાંડી ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ઝિંઝુવાડા નામના એક ગામમાં છે. જાણો છો ? આ દિવાદાંડી કેમ ખાસ છે ? ખાસ એટલા માટે છે કે જયાં આ દિવાદાંડી આવેલી છે, ત્યાંથી હાલ દરિયાકિનારો સો કિલોમીટરથી પણ વધારે દૂર છે. તમને આ ગામમાં એવા પથ્થર પણ મળી જશે, જે એવું સૂચવે છે કે અહીં કયારેક એક વ્યસ્ત બંદર આવેલું હશે. એનો અર્થ એ થયો કે પહેલાં દરિયાકિનારો છેક ઝીંઝુવાડા સુધી હતો. સમુદ્રનું ઘટવું, વધવું, પાછા ખસવું, આટલે દૂર જતું રહેવું, એ પણ તેનું એક સ્વરૂપ છે. આ જ મહિને જાપાનમાં આવેલી વિકરાઇ સુનામીને 10 વરસ પૂરાં થઇ રહ્યાં છે. એ સુનામીમાં હજારો લોકોના જીવ ગયા હતા. એવી જ એક સુનામી ભારતમાં 2004માં આવી હતી. સુનામી દરમિયાન આપણે આપણી દિવાદાંડીમાં કામ કરનારા 14 કર્મચારીઓને ગુમાવ્યા હતા. આંદામાન નિકોબારમાં અને તામિલનાડુમાં દિવાદાંડી પર તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા હતા. સખત મહેનત કરનારા આપણા આ લાઇટ કિપર્સને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું, અને લાઇટ કિપર્સના કામની ભરપૂર પ્રશંસા કરૂં છું.

પ્રિય દેશવાસીઓ, જીવનના દરેક ક્ષેત્રમાં નવીનતા, આધુનિકતા અનિવાર્ય હોય છે. નહિંતર એ જ બાબત કોઇકોઇ વાર આપણા માટે બોજ બની જાય છે. ભારતના કૃષિજગતમાં આધુનિકતા એ સમયની માંગ છે. ઘણું મોડું થઇ ચૂક્યું છે. આપણે ઘણો સમય ગુમાવી ચૂક્યા છીએ. ખેતીક્ષેત્રમાં રોજગારીની નવી તકો પેદા કરવા માટે, ખેડૂતોની આવક વધારવા માટે, પરંપરાગત ખેતીની સાથે જ, નવા વિકલ્પો, નવીનવી શોધોને અપનાવવાનું પણ એટલું જ જરૂરી છે. શ્વેતક્રાંતિ દરમ્યાન દેશે આ અનુભવ કરેલો છે. મધમાખી પાલન દેશમાં મધક્રાંતિ અથવા મધુર ક્રાંતિનો આધાર બની રહ્યું છે. બહુ મોટી સંખ્યામાં ખેડૂતો તેની સાથે જોડાઇ રહ્યા છે. કંઇક નવીન(Innovation) કરી રહ્યા છે. જેમ કે, પશ્ચિમ બંગાળના દાર્જીલિંગમાં એક ગામ છે, ગુરદુમ. પર્વતોની આટલી ઉંચાઇ ભૌગોલિક તકલીફો પરંતુ ત્યાંના લોકોએ મધમાખી પાલનનું કામ શરૂ કર્યું, અને આજે આ જગ્યાએ બનેલા મધની સારી માંગ થઇ રહી છે. તેનાથી ખેડૂતોની આવક પણ વધી રહી છે. પશ્ચિમ બંગાળના જ સુંદરવન ક્ષેત્રનું કુદરતી ઓર્ગેનિક મધ તો દેશ અને દુનિયામાં પસંદ કરવામાં આવે છે. આવો જ એક વ્યક્તિગત અનુભવ મને ગુજરાતનો પણ છે. ગુજરાતના બનાસકાંઠામાં વર્ષ 2016માં એક આયોજન થયું હતું. તે કાર્યક્રમમાં મેં લોકોને કહ્યું કે, અહિં એટલી બધી શક્યતા છે, તો શા માટે બનાસકાંઠા અને આપણા અહિંના જ ખેડૂતો મધુરક્રાંતિનું નવું પ્રકરણ ન લખે ? અને તમને જાણીને આનંદ થશે કે, આટલા ઓછા સમયમાં બનાસકાંઠા મધ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. આજે બનાસકાંઠાના કિસાનો મધમાંથી દર વર્ષે લાખો રૂપિયા કમાઇ રહ્યા છે. એવું જ એક ઉદાહરણ હરિયાણાના યમુનાનગરનું પણ છે. યમુનાનગરમાં ખેડૂતો મધમાખી પાલન કરીને દર વર્ષે સેંકડો ટન મધ પેદા કરે છે, પોતાની આવક વધારી રહ્યા છે. ખેડૂતોની આ મહેનતના પરિણામે જ દેશમાં મધનું ઉત્પાદન સતત વધી રહ્યું છે. અને વાર્ષિક લગભગ સવા લાખ ટન ઉપર પહોંચ્યું છે. તેમાંથી મોટા પ્રમાણમાં મધ વિદેશમાં નિકાસ પણ થઇ રહ્યું છે.

સાથીઓ, મધમાખી પાલનમાં માત્ર મધમાંથી જ આવક નથી થતી, પરંતુ મધપૂડાનું મીણ પણ આવકનું બહુ મોટું માધ્યમ છે. ઔષધ ઉદ્યોગ, ખાધાન્ન ઉદ્યોગ, કાપડ અને કોસ્મેટિકસ ઉદ્યોગ એમ દરેક જગ્યાએ આ મીણની માંગ છે. આપણો દેશ હાલ તો મીણની આયાત કરે છે. પરંતુ આપણા ખેડૂતો હવે આ સ્થિતિ ઝડપથી બદલી રહ્યા છે. એટલે કે, એક રીતે આત્મનિર્ભર ભારત અભિયાનમાં મદદ કરી રહ્યા છે. આજે તો પૂરી દુનિયા આયુર્વેદ અને પ્રાકૃતિક સ્વાસ્થ્ય ઉત્પાદનો તરફ મીટ માંડી રહી છે. એવામાં મધની માંગ વધુ ઝડપથી વધી રહી છે. હું ઇચ્છું છું કે, દેશના વધુને વધુ ખેડૂતો પોતાની ખેતીની સાથે સાથે મધમાખી પાલનના વ્યવસાયમાં પણ જોડાય. તે ખેડૂતોની આવક પણ વધારશે, અને તેમના જીવનમાં મીઠાશ પણ ઘોળશે.

મારા વ્હાલા દેશવાસીઓ, હજી થોડા દિવસ પહેલાં જ World Sparrow Day મનાવવામાં આવ્યો. Sparrow એટલે ગોરૈયા, કયાંક તેને ચકલી કહે છે, કયાંચ ચિમની કહે છે, કયાંક ધાન ચીરીકા પણ કહેવામાં આવે છે. પહેલા આપણા ઘરોમાં દિવાલો પર આસપાસના વૃક્ષો પર ચકલી ચહેકતી રહેતી હતી. પરંતુ હવે લોકો ચકલીને એમ કહીને યાદ કરે છે કે, ગયે વખતે વર્ષો પહેલાં ચકલીને જોઇ હતી. આજે તેને બચાવવા માટે આપણે પ્રયાસ કરવા પડે છે. બનારસના મારા એક સાથી ઇન્દ્રપાલસિંહ બત્રાજીએ એવું કામ કર્યું છે કે, જેને હું મનકી બાતના શ્રોતાઓને અવશ્ય જણાવવા ઇચ્છું છું. બત્રાજીએ પોતાના ઘરને ચકલીનું નિવાસસ્થાન બનાવી દીધું છે. તેમણે પોતાના ઘરમાં લાકડાના એવા માળા બનાવ્યા જેમાં ચકલી આરામથી રહી શકે. આજે બનારસના કેટલાય ઘર આ ઝુંબેશ સાથે જોડાઇ રહ્યા છે. તેનાથી ઘરોમાં એક અદભૂત પ્રાકૃતિક વાતાવરણ પણ બની ગયું છે. હું ઇચ્છું છું કે, પ્રકૃતિ, પર્યાવરણ, પ્રાણી, પક્ષી જેમના માટે પણ બની શકે, ઓછા વત્તા પ્રયાસો આપણે પણ કરવા જોઇએ. એવા જ એક સાથી છે, બિજયકુમાર કાબી જી. બિજયજી ઓડિશાના કેન્દ્રપાડાના રહેવાસી છે. કેન્દ્રપાડા સમુદ્રના કિનારે આવેલું છે. એટલે આ જીલ્લાના કેટલાય ગામ એવા છે, જેના પર સમુદ્રના ઉંચા મોજા અને વાવાઝોડાનો ખતરો રહે છે. તેનાથી કેટલીયવાર ઘણું નુકસાન પણ થાય છે. બિજયજીને થયું કે, જો આ કુદરતી આફતને કોઇ રોકી શકે છે, તો તે પ્રકૃતિ જ રોકી શકે છે. બસ પછી તો, બિજયજીએ બડાકૌટ ગામથી પોતાનું અભિયાન શરૂ કર્યું. તેમણે 12 વર્ષ ! સાથીઓ 12 વર્ષ ! મહેનત કરીને ગામની બહાર સમુદ્ર બાજુ 25 એકરનું ચેરનું જંગલ ઉભું કરી દીધું. આજે આ જંગલ આ ગામની સુરક્ષા કરી રહ્યું છે. એવું જ કામ ઓડીશાના જ પારાદીપ જીલ્લામાં એક એન્જિનિયર અમરેશ સામંતજીએ પણ કર્યું છે. અમરેશજીએ નાના નાના જંગલ ઉછેર્યા છે. તેનાથી આજે કેટલાય ગામોનો બચાવ થઇ રહ્યો છે. સાથીઓ, આ રીતના કામોમાં જો આપણે સમાજને સાથે જોડી દઇએ તો, મોટા પરિણામ આવે છે. જેમ કે, તમિલનાડુના કોયમ્બતૂરમાં બસ કંડકટરનું કામ કરતા મરીમુથ્થુ યોગનાથનજી છે. યોગનાથનજી પોતાની બસના મુસાફરોને ટીકીટ તો આપે છે, સાથે એક છોડ પણ મફત આપે છે. આ રીતે યોગનાથનજી કોણ જાણે કેટલા રોપા વવડાવી ચૂક્યા છે. યોગનાથનજી પોતાના વેતનનો સારો એવો ભાગ આ કામમાં ખર્ચ કરતા આવ્યા છે. હવે, આ સાંભળ્યા પછી એવો કયો નાગરિક હશે કે જે, મરીમુથ્થુ યોગનાથનજીના કામની પ્રશંસા ન કરે. હું પણ ખરા દીલથી તેમના આ પ્રયાસોને ખૂબ અભિનંદન આપું છું. તેમના આ પ્રેરક કાર્ય માટે.

મારા વ્હાલા દેશવાસીઓ, waste માંથી wealth એટલે કે, કચરામાંથી કંચન બનાવવા વિષે આપણે બધાએ જોયું પણ છે, સાંભળ્યું પણ છે, અને આપણે પણ બીજાને જણાવતા રહીએ છીએ. કંઇક એ જ રીતે કચરાને મૂલ્યમાં બદલવાનું પણ કામ કરાઇ રહ્યું છે. આવું જ એક ઉદાહરણ કેરળના કોચ્ચીની સેન્ટ ટેરેસા કોલેજનું છે. મને યાદ છે કે, 2017માં હું આ કોલેજના કેમ્પસમાં એક પુસ્તકપઠન પર આધારીત કાર્યક્રમમાં સામેલ થયો હતો. આ કોલેજના વિદ્યાર્થીઓ પુનઃ વાપરી શકાય તેવા રમકડાં બનાવે છે. તે પણ ખૂબ સર્જનાત્મક રીતે. આ વિદ્યાર્થીઓ જૂના કપડાં, ફેંકી દીધેલા લાકડાના ટુકડા, થેલીઓ અને ખોખાઓનો ઉપયોગ રમકડાં બનાવવામાં કરી રહ્યાં છે. કોઇ વિદ્યાર્થી (puzzle)પઝલ બનાવે છે. તો કોઇ કાર અને ટ્રેન બનાવી રહ્યું છે. અહીં એક વાતનું ખાસ ધ્યાન આપવામાં આવે છે કે, રમકડાં સલામત હોવાની સાથોસાથ child friendly પણ હોય. અને આ પૂરા પ્રયાસની એક સારી વાત એ પણ છે કે, આ રમકડાં આંગણવાડીના બાળકોને રમવા માટે આપવામાં આવે છે. આજે જ્યારે ભારત રમકડાંના ઉત્પાદનમાં સારૂં એવું આગળ વધી રહ્યું છે, ત્યારે vaste માંથી value નું આ અભિયાન, આ અભિનવ પ્રયોગ ઘણો મહત્વનો છે. ઘણો સાર્થક છે.

આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક પ્રોફેસર શ્રીનિવાસ પદકાંડલા જી રહે છે. તેઓ ખૂબ રસપ્રદ કામ કરી રહ્યા છે. તેમણે વાહનોના ધાતુના ભંગારમાંથી શિલ્પ (sculptures) બનાવેલા છે. તેમના દ્વારા બનાવાયેલા આ વિશાળ સક્લ્પચર્સ સાર્વજનિક ઉદ્યાનોમાં મૂકવામાં આવ્યા છે, અને લોકો તેને બહુ ઉત્સાહથી જુએ છે. ઇલેક્ટ્રોનિક અને વાહનોના કચરાના પુનઃ ઉપયોગનો આ એક અભિનવ પ્રયોગ છે. હું એકવાર ફરી કોચ્ચી અને વિજયવાડાના આ પ્રયાસોની પ્રશંસા કરૂં છું, અને આશા રાખું છું કે, અન્ય લોકો પણ એવા પ્રયાસોમાં આગળ આવશે.

મારા વ્હાલા દેશવાસીઓ, ભારતના લોકો દુનિયાના કોઇપણ ખૂણામાં જાય છે, તો ગર્વથી કહે છે કે તે ભારતીય છે. આપણે આપણા યોગ, આયુર્વેદ, દર્શન, કોઇજાણે શું નથી આપણી પાસે, કે જેના માટે આપણે ગર્વ કરીએ છીએ ! ગર્વની વાતો કરીએ છીએ. સાથે જ પોતાની સ્થાનિક ભાષા, બોલી, ઓળખ, પહેરવેશ, ખાનપાન, વગેરેનો પણ ગર્વ કરીએ છીએ. આપણે નવું તો મેળવવાનું છે અને તે જ તો જીવન હોય છે. પરંતુ સાથોસાથ પુરાતન ખોવાનું પણ નથી. આપણે બહુ મહેનત કરીને પોતાની આસપાસ હયાત અપાર સાંસ્કૃતિક વિરાસતનું સંવર્ધન કરવાનું છે, નવી પેઢી સુધી પહોંચાડવાનું છે. આ જ કામ આજે આસામના રહેવાસી ‘સિકારી ટિસ્સૌ’ જી બહુ લગનથી કરી રહ્યા છે. કાર્બિ આંગલોંગ જીલ્લાના સિકારી ટિસ્સૌ જી છેલ્લા 20 વર્ષથી કાર્બી ભાષાનું દસ્તાવેજીકરણ કરી રહ્યા છે. કોઇ એક જમાનામાં કોઇ યુગમાં કાર્બિ આદિવાસી ભાઇઓ-બહેનોની ભાષા કાર્બિ આજે મુખ્ય પ્રવાહમાંથી ગુમ થઇ રહી છે. શ્રીમાન સિકારી ટિસ્સૌ જીએ નક્કી કર્યું હતું કે, પોતાની આ ઓળખને તેઓ બચાવશે. અને આજે તેમના પ્રયાસોથી કાર્બિ ભાષાની સારી એવી જાણકારી દસ્તાવેજીત થઇ ગઇ છે. તેમને પોતાના પ્રયત્નો માટે કેટલીયે જગ્યાએ પ્રશંસા પણ મળી છે, અને પુરસ્કારો પણ મળ્યા છે. મનકી બાત દ્વારા શ્રીમાન સિકારી ટિસ્સૌ જી ને હું તો અભિનંદન આપું છું, પરંતુ દેશના અનેક ખૂણામાં આ પ્રકારના કેટલાય સાધક હશે. જે એક કામને લઇને તેમાં ખપી જતા હશે. હું તે બધાને પણ અભિનંદન આપું છું.

મારા વ્હાલા દેશવાસીઓ, કોઇપણ નવી શરૂઆત એટેલે કે, New Biggning હંમેશા બહુ ખાસ હોય છે. નવી શરૂઆતનો અર્થ થાય છે, નવી શક્યતાઓ – નવા પ્રયાસ. અને નવા પ્રયાસોનો અર્થ છે, નવી ઉર્જા અને નવું જોશ. એ જ કારણ છે કે, અલગ અલગ રાજયો અને વિસ્તારોમાં તેમજ વિવિધતાથી ભરેલી આપણી સંસ્કૃતિમાં કોઇપણ શરૂઆતને ઉત્સવના રૂપમાં મનાવવાની પરંપરા રહી છે. અને આ સમયે નવી શરૂઆત અને નવા ઉત્સવોના આગમનનો છે. હોળી પણ તો વસંતના ઉત્સવના રૂપમાં જ ઉજવવાની એક પરંપરા છે. જે સમયે આપણે રંગોથી હોળી ઉજવી રહ્યા હોઇએ છીએ, તે જ સમયે વસંત પણ આપણી ચારેય તરફ નવા રંગ પાથરી રહી હોય છે. આ જ સમયે ફૂલો ખિલવાનું શરૂ થાય છે, અને પ્રકૃતિ જીવંત બની ઉઠે છે. દેશના જુદાજુદા વિસ્તારોમાં ટૂંક સમયમાં જ નવું વર્ષ પણ ઉજવવામાં પણ આવશે. પછી એ ઉગાદી હોય યા પુથંડૂ, ગુડી પડવો હોય કે બીહુ, નવરેહ હોય કે, પોડલા કે પછી બોઇશાખ હોય અથવા બૈસાખી, પૂરો દેશ ઉમંગ ઉત્સાહ અને નવી આશાઓના રંગમાં તરબોળ દેખાશે. આ જ સમયે કેરળ પણ સુંદર તહેવાર વિશુ ઉજવે છે. તેના પછી બહુ જલદી ચૈત્રી નવરાત્રિનું પાવન પર્વ પણ આવશે. ચૈત્ર મહિનાના નવમા દિવસે આપણે ત્યાં રામનવમીનું પર્વ હોય છે. તેને ભગવાન રામના જન્મોત્સવની સાથે જ ન્યાય અને પરાક્રમના એક નવા યુગની શરૂઆતના રૂપમાં પણ ઉજવવામાં આવે છે. આ દરમ્યાન, ચારેય તરફ ધૂમધામ સાથે જ ભક્તિભાવથી ભરપૂર વાતાવરણ હોય છે. જે લોકોને વધુ નજીક લાવે છે. તેમને પરિવાર અને સમાજ સાથે જોડે છે. પરસ્પર સંબંધોને મજબૂત બનાવે છે. આ તહેવારોના પ્રસંગે હું તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું.

સાથીઓ, આ દરમ્યાન, 4 એપ્રિલે દેશ ઇસ્ટર પણ ઉજવશે. Jesus Chirstના પુર્નજીવનના ઉત્સવના રૂપમાં ઇસ્ટરનો તહેવાર ઉજવવામાં આવે છે. પ્રતિકાત્મકરૂપે કહીએ તો ઇસ્ટર જીવનની નવી શરૂઆત સાથે જોડાયેલું છે. ઇસ્ટર આશાઓના પુર્નજીવીત થવાનું પ્રતિક છે. On the holy and auspicious occation, I greet not only the Christian Community in India, but also Christians globally.

મારા વ્હાલા દેશવાસીઓ, આજે મનકી બાતમાં આપણે અમૃત મહોત્સવ અને દેશ પ્રત્યેના આપણા કર્તવ્યોની વાત કરી. આપણે અન્ય પર્વો અને તહેવારોની પણ ચર્ચા કરી. તેની વચ્ચે એક વધુ પર્વ પણ આવવાનું છે. જે આપણા બંધારણીય અધિકારો અને ફરજોની યાદ અપાવે છે. તે છે 14 એપ્રિલ, ડોકટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ. આ વખતે અમૃત મહોત્સવમાં તો આ પર્વ પણ ખાસ બની ગયું છે. મને વિશ્વાસ છે કે, બાબાસાહેબની આ જન્મજયંતિને આપણે જરૂર યાદગાર બનાવીશું. પોતાના કર્તવ્યોનો સંકલ્પ લઇને તેમને શ્રદ્ધાંજલિ આપીશું. આ જ વિશ્વાસ સાથે આપ સૌને પર્વ તહેવારોની એકવાર ફરી શુભેચ્છાઓ. આપ સૌ ખુશ રહો, સ્વસ્થ રહો અને ખૂબ ઉલ્લાસ મનાવો. એ જ કામનાની સાથે ફરીથી યાદ અપાવું છું, દવા પણ સખ્તાઇ પણ. ખૂબ ખૂબ ધન્યવાદ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi inaugurates Micron’s ₹22,516-crore ATMP facility in Gujarat; calls chips ‘Regulator of 21st century’

Media Coverage

PM Modi inaugurates Micron’s ₹22,516-crore ATMP facility in Gujarat; calls chips ‘Regulator of 21st century’
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s speech at the launch of various infrastructure works in Madurai, Tamil Nadu
March 01, 2026
Building high-quality infrastructure is about empowering people: PM
Over the past twelve years, the Government of India has made huge investments in Tamil Nadu’s highway network, ensuring ease of travel for pilgrims and smoother movement of agricultural produce and marine products: PM
Over the last decade, Indian Railways has undergone a historic transformation, emerging as a modern, efficient and people-centric transport system, and is particularly visible in Tamil Nadu: PM
It is a matter of pride that our vision of ‘Make in India’ is boosting self-reliance and creating jobs for our youth: PM
The Union budget positions Tamil Nadu as part of the Rare Earth Corridors, promoting advanced manufacturing, research and technology development: PM
Our collective goal is a developed Tamil Nadu for developed India: PM

Shri R. N. Ravi, L. Murugan, Edappadi K. Palaniswami, Nainar Nagendran, E. V. Velu, and my dear brothers and sisters of Tamil Nadu, Vanakkam!

I feel honoured to be in the sacred and historic city of Madurai. I bow to Meenakshi Amman and Bhagwan Sundareswarar. Today’s event marks a proud chapter in Tamil Nadu’s development journey. We have laid foundation stones, inaugurated and dedicated to the nation, projects worth over Four Thousand Four Hundred Crore Rupees. These projects will transform connectivity, boost the economy, create jobs and transform lakhs of people’s lives. Better roads for farmers to reach markets. Easier travel for pilgrims and tourists. Faster transport for businesses. Building high-quality infrastructure is about empowering people.

Friends,

Over the past twelve years, the Government of India has made huge investments in Tamil Nadu’s highway network. Over Four Thousand Kilometres of highways have been built here since 2014. Today, I am happy to lay the foundation stone for two major national highway projects. First, the four-laning of the Marakkanam–Puducherry section, with an investment of over Two Thousand One Hundred Crore Rupees. This will strengthen coastal tourism, trade and economy in both Tamil Nadu and Puducherry. Second, the four-laning of the Paramakudi–Ramanathapuram stretch. In this project, we are investing over One Thousand Eight Hundred Crore Rupees. It will significantly enhance access to places like Rameswaram and Dhanushkodi. This ensures ease of travel for pilgrims and smoother movement of agricultural produce and marine products.

Friends,

Over the last decade, Indian Railways has undergone a historic transformation. It is emerging as a modern, efficient and people-centric transport system. This transformation is particularly visible in Tamil Nadu. The railway budget allocation for Tamil Nadu has increased nearly nine-fold since our government came in. During 2009 to 2014, the average yearly railway allocation was Eight Hundred and Eighty Crore Rupees. In 2026–27, the allocation has increased to Seven Thousand Six Hundred Crore Rupees.

In Tamil Nadu, more than One Thousand Three Hundred Kilometres of new tracks have been laid. 97% electrification has been achieved. Hundreds of flyovers and underpasses have improved safety and efficiency. Last year, I had the privilege of inaugurating the new Pamban Bridge in Tamil Nadu. It is India’s first vertical lift sea bridge, a symbol of engineering excellence. This bridge in itself has become a major tourist attraction in Tamil Nadu.

Friends,

Right now, 9 Vande Bharat trains and 9 Amrit Bharat trains are benefitting the people of Tamil Nadu. The coaches of such high-speed trains are being manufactured at the Integral Coach Factory in Chennai. It is a matter of pride that our vision of ‘Make in India’ is boosting self-reliance and creating jobs for our youth. Under the Amrit Bharat Station Scheme, Seventy-Seven railway stations are being modernised. These stations blend comfort, accessibility and local identity. Today, we are inaugurating Eight redeveloped stations across Tamil Nadu. The dedication of the Chennai Beach–Chennai Egmore fourth line will benefit thousands of daily commuters in Chennai. I am also pleased to inaugurate Akashvani’s new FM relay transmitters in Kumbakonam, Yercaud and Vellore. These radio stations will be dedicated to your service from today.

Friends,

Infrastructure funding to Tamil Nadu has now tripled, compared to the previous decade. And the Budget of 2026 continues the trend with a strong focus on Tamil Nadu. In this budget, we have proposed Bengaluru–Chennai and Chennai–Hyderabad bullet train corridors. They will revolutionise the economy of this whole region. The budget positions Tamil Nadu as part of the Rare Earth Corridors. Rare Earth Corridors will promote advanced manufacturing, research and technology development.

Friends,

Tamil Nadu has a rich history and heritage. Historic sites such as Adichanallur will be developed into global heritage destinations. Ecotourism initiatives around Lake Pulicat and Podhigai Malai will create new job opportunities while preserving natural ecosystems. Across the nation, around Two Hundred industrial clusters will be identified and supported, to boost manufacturing. We all know that Tamil Nadu is home to many industries and therefore, this scheme will benefit the youth here.

Friends,

Every Indian is inspired to build a developed nation by 2047. Tamil Nadu will play a decisive role in shaping the nation’s destiny. Our collective goal is a developed Tamil Nadu for developed India. The Centre remains fully committed to enabling inclusive development and the state’s progress.

Nandri!