પીએમને પ્રભાવિત રાજ્યો પર ચક્રવાતની અસર વિશે માહિતી આપવામાં આવી
પીએમએ કહ્યું કે સરકાર અસરગ્રસ્ત રાજ્યોને સંપૂર્ણ સમર્થન આપવાનું ચાલુ રાખશે
એનડીઆરએફની ટીમો જરૂરિયાત મુજબ તૈનાત કરવામાં આવી છે; ટીમોએ સ્થળાંતર, એરલિફ્ટિંગ અને રોડ ક્લિયરન્સ કામગીરી હાથ ધરી
PMએ ગૃહ મંત્રાલયને પરિસ્થિતિ પર નજર રાખવા અને પુનઃસ્થાપન માટે જરૂરી સહાયતા આપવા માટે નિયમિતપણે આ બાબતની સમીક્ષા કરવા પણ સૂચના આપી

પ્રધાનમંત્રીએ આજે વહેલી સવારે નવી દિલ્હીના 7 લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસ સ્થાને ચક્રવાત “રેમલ”ની અસરની સમીક્ષા કરી હતી.

પીએમને બેઠક દરમિયાન ચક્રવાતની અસરગ્રસ્ત રાજ્યો પરની અસર વિશે માહિતી આપવામાં આવી હતી. મિઝોરમ, આસામ, મણિપુર, મેઘાલય અને ત્રિપુરામાં ભૂસ્ખલન અને પૂરને કારણે માનવ જીવન અને મકાનો અને મિલકતોને થયેલા નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. એનડીઆરએફની ટીમો જરૂરિયાત મુજબ તૈનાત કરવામાં આવી છે. ટીમોએ સ્થળાંતર, એરલિફ્ટિંગ અને રોડ ક્લિયરન્સ કામગીરી હાથ ધરી છે. બેઠક દરમિયાન, એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ગૃહ મંત્રાલય રાજ્ય સરકારો સાથે નિયમિત સંપર્કમાં છે.

 

PM એ કહ્યું કે ભારત સરકાર ચક્રવાતથી પ્રભાવિત રાજ્યને સંપૂર્ણ સહાય આપવાનું ચાલુ રાખશે. પીએમએ ગૃહ મંત્રાલયને પણ પરિસ્થિતિ પર નજર રાખવા અને પુનઃસ્થાપન માટે જરૂરી સહાયતા આપવા માટે નિયમિતપણે આ બાબતની સમીક્ષા કરવા સૂચના આપી હતી.

 

પીએમના અગ્ર સચિવ, કેબિનેટ સચિવ, ગૃહ સચિવ, સચિવ, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, ડીજી એનડીઆરએફ અને સભ્ય સચિવ, એનડીએમએ તેમજ પીએમઓ અને સંબંધિત મંત્રાલયોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા.

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
One App For 2,400-Plus Government Services: How UMANG Is Changing Access In India

Media Coverage

One App For 2,400-Plus Government Services: How UMANG Is Changing Access In India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27 માર્ચ 2026
March 27, 2026

Relief, Revival & Rise: How PM Modi is Building a Modern, Rooted & Self-Reliant India